- Goldbet Kod Promocyjny dla polskich graczy – Bonusy i promocje dla nowych użytkowników
- Casino Yonibet pour les joueurs français – Catalogue de jeux et principales catégories disponibles
- કચ્છમાં માલધારીઓ માટે તાત્કાલિક ઘાસચારો, પાણી અને પશુ સારવારની AAPની સરકારને માંગ
- હોર્ડિંગ્સમાં ભગવાન જગન્નાથ સાથે નેતાઓના ફોટા સામે AAP નેતા હિમાંશુ ઠક્કરનો વિરોધ
- મૌલવી જરજિસ અંસારીના શ્રીકૃષ્ણ અંગેના નિવેદનથી વિવાદ, હિન્દુ સંગઠનોમાં ભારે રોષ
- સરકાર કે મુખ્યમંત્રીની ટીકા રાષ્ટ્રદ્રોહ નથી: પૂણે હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
- અમેરિકા-ઈરાન તણાવ ચરમસીમાએ, હોર્મુઝ સ્ટ્રેટ પર હુમલા બાદ અનેક ઈરાની સૈન્ય ઠેકાણાં તબાહ
- સુરતના DCP રાજદીપ નકુમના વર્તન સામે આક્ષેપો, ગુજરાત હાઇકોર્ટમાં PIL કરવાની જાહેરાત
Author: garvigujrat
કપલે ફેન્સ અને પેપ્ઝનો આભાર માન્યો લગ્ન બાદ રશ્મિકા-વિજય પહેલીવાર એરપોર્ટ પર સ્પૉટ થયા સુંદર આઉટફિટ સાથે રશ્મિકાએ હાથમાં લાલ ચૂડો, ગળામાં મંગળસૂત્ર અને સેંથામાં લાલ સિંદૂર સાથે પોતાના લૂકને કમ્પલિટ કર્યાે હતો. સાઉથના સુપરસ્ટાર રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્ન રાજસ્થાનના ઉદયપુરમાં સંપન્ન થયા. લગ્ન બાદ આજે ન્યુલી મેરિડ કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા પહેલી વખત વાઈફ અને હસબન્ડ તરીકે જાહેરમાં જાેવા મળ્યા હતા. ઉદયપુર એરપોર્ટ પરથી રવાના થતી વખતે આ કપલની શાનદાર કેમિસ્ટ્રી અને રોમેન્ટિક અંદાજે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તમે પણ કપલનો રોયલ લૂક ના જાેયો હોય તો ચાલો તમને આ વિશે જણાવીએ……
ઓડિશનની શરતનો અસ્વીકાર કર્યા દીપિકાએ હોલિવુડની ધી વ્હાઈટ લોટસ સીરિઝ છોડી દીધી આ પહેલાની સીઝન માટે પણ અભિનેત્રીનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તે ગર્ભવતી હોવાથી તે સ્વીકારી શકી નહોતી દીપિકા પદુકોણે એમી પુરસ્કાર વિજેતા સીરિઝ ‘ધી વ્હાઈટ લોટસ’ની ચોથી સીઝન છોડી દીધી છે.આ સીરિઝમાં કાસ્ટિંગ માટે ઓડિશન આપવું અનિવાર્ય હતું. પરંતુ, દીપિકા તે માટે તૈયાર થઈ ન હતી. આખરે મતભેદોેને પગલે તેણે આ શો છોડી દીધો છે. છેલ્લા થોડા મહિનાઓથી દીપિકા આ સીરિઝ કરી રહી હોવાની ચર્ચાઓ હતી. ‘ધી વ્હાઇટ લોટસ’ના નિર્માતાઓ લાંબા સમયથી દીપિકાને આ શોમાં લેવા ઉત્સુક હતા. આ પહેલાની સીઝન માટે પણ અભિનેત્રીનો સંપર્ક કરવામાં આવ્યો…
અનેક ક્રુ મેમ્બર્સ હજુ પેમેન્ટની રાહમાં વિક્રમ ભટ્ટની ફિલ્મ ખિલૌને માટે અનુપ્રિયા ગોએન્કાનું પેમેન્ટ પણ બાકી ફિલ્મ ૨૦૨૨ના અંતમાં જ અધુરી રહી ગઇ હતી. ત્યારથી હજી સુધી ફિલ્મ સાથે જાેડાયેલી તમામ વ્યક્તિને મહેનતાણાં ચુકવવામાં આવ્યા નથી વિક્રમ ભટ્ટ સામે ફિલ્મ બનાવવા માટે નાણાં લીધા બાદ ફિલ્મ નહિ બનાવવા બદલ કેસ થયો છે. આ કેસ સંદર્ભમાં તેની અધૂરી ફિલ્મ ‘ખિલૌને’ વિશે પણ અનેક ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મની હિરોઈન અનુપ્રિયા ગોએન્કાને પણ સંપૂર્ણ પેમેન્ટ ચૂકવાયું નથી. અનેક ક્રૂ મેમ્બર્સ પણ હજુ તેમનાં નાણાંની રાહ જાેઈ રહ્યા છે. ફિલ્મ ૨૦૨૨ના અંતમાં જ અધુરી રહી ગઇ હતી. ત્યારથી હજી સુધી ફિલ્મ સાથે…
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬નો દિવસ ગુજરાતના અને ખાસ કરીને જુનાગઢ તથા અમરેલી જિલ્લાના ખેડૂતો માટે મહત્વપૂર્ણ રહ્યો. તેમણે ઉર્જા મંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો. ઘણા વર્ષો પહેલાં સરકારે ખેડૂતોને સબસિડીવાળા ઓફ-ગ્રિડ સોલાર પમ્પ ઇન્સ્ટોલેશન આપ્યા હતા. તે વખતે ગુજરાત સરકારે મોટી જાહેરાતો કરી હતી કે સબસિડીવાળો સોલાર પમ્પ આપવાથી ખેડૂતોને ખેતીવાડીનું પરંપરાગત વીજ કનેક્શન લેવાની જરૂર નહીં રહે અને સૂર્ય ઊર્જાથી પમ્પ ચલાવી સિંચાઈ કરી શકાશે. તે સમયે એવો નિયમ પણ હતો કે સોલાર પમ્પ લીધા બાદ પાંચ વર્ષ પૂર્ણ થાય ત્યારબાદ ખેડૂતોને પરંપરાગત ખેતીવાડી વીજ કનેક્શન આપવામાં આવશે. પરંતુ…
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે જામનગર સ્થિત બાલા હનુમાન મંદિર ખાતે દર્શન કરીને દાદાને પ્રાર્થના કરવામાં આવી છે કે અરવિંદ કેજરીવાલજી તથા પાર્ટીના દરેક કાર્યકરને અધર્મ સામેની લડાઈમાં શક્તિ મળે એવી પ્રાર્થના કરવામાં આવી છે. સાથે સાથે મહત્વપૂર્ણ વાત એ છે કે આગામી ત્રણ તારીખે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના હજારો કાર્યકરો પોતાના ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરશે, આસપાસના લોકોને જોડશે અને અસત્ય સામે સત્યના વિજય માટે પ્રાર્થના કરશે. માનનીય અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત તમામ નેતાઓને ન્યાયાલયે નિર્દોષ જાહેર કર્યા છે અને આ સત્ય તથા ધર્મની જીત છે. અરવિંદ કેજરીવાલજીએ ઈમાનદારીનું મોડલ રજૂ કર્યું…
આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જામનગર ખાતે બાલા હનુમાનજી મંદિરે દર્શન કરીને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. હાલમાં ચાલી રહેલી “પરિવર્તન લાવો, કિસાન બચાવો” યાત્રાનો આ પાંચમો દિવસ છે. આ યાત્રા સોમનાથ મંદિરથી પ્રારંભ થઈ હતી અને સતત ગુજરાતભરમાં આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના ખેડુતો, યુવાનો અને ભાજપના શાસનથી પીડિત લોકો તરફથી આ યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રા આઠમી તારીખે ગાંધીનગર પહોંચશે, જ્યાં વિશાળ ખેડૂત સંમેલન યોજાવાનું છે. મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું કે દારૂ કૌભાંડના નામે ખોટા કેસ કરીને અરવિંદ કેજરીવાલને છ મહિના જેલમાં રાખવામાં આવ્યા હતા…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સરકારની તપાસ એજન્સીઓમાની એક એજન્સી એટલે કે CBI, ED પાસે મની લોન્ડરીંગ જેવા આર્થિક ગુનાઓની તપાસ કરવાની સત્તા છે. એવા સરકારના અમુક ખાતઓ કે તપાસ એજન્સીઓએ સરકાર જ નહીં પરંતુ દેશ કે રાજય માટે પ્રતિષ્ઠા સમાન હોય છે. જેમ કે સીબીઆઇ, ED કે ચૂંટણી પંચ વગેરે જેવા સંસ્થાઓનો ભૂતકાળમાં એક અલગ રુઆબ હતો. એક વિશિષ્ટ પ્રતિષ્ઠા હતી. પરંતુ હવે આવી સંસ્થાઓ જે રીતે પક્ષપાતી વલણ અપનાવીને સરકારના ઇશારે કામ કરી રહી છે તેનાથી આવી સંસ્થાઓની આબરૂ ના પ્રજામાં ધજાગરા ઉડવા સાથે ધૂળધાણી થઈ ગઈ છે. અહીં નોંધવું જરૂરી છે કે એક કેસની સુનાવણી દરમ્યાન મદ્રાસ હાઈકોર્ટે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સમસ્ત કોળી સમાજ ના લોકપ્રિય પીઢ ગાંધીવાદી આગેવાન માનનીય ચંદ્રવદનભાઈ પીઠાવાલા સાહેબ ની સુરત ખાતેની ઓફિસે વાલ્મિકી સમાજ ના આગેવાનો શ્યામભાઈ ટેનિયા મહામંત્રી, રવિકુમાર સુરતી મહામંત્રી અને ગાયક કલાકાર , મનીષભાઈ રજવાડી સંગીત કલાકાર, અશ્વિન બી. વૈષ્ણવ એડવોકેટ નોટરી, ચી વંશ ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસ અને સમાજ ના ગુજરાત ના પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવે તા.૨૮/૦૨/૨૦૨૬ ના રોજ શુભેચ્છા મુલાકાત લીધી. અને સમાજ ની પ્રગતિ માટે માર્ગદર્શન મેળવ્યું પીઠાવાલા સાહેબે કોઈ પણ સમાજ ની પ્રગતિ માટે સમાજ ની એકતા અને મજબૂત સંગઠન જરૂરી હોવાનું જણાવ્યું. સમાજ માં રાજકારણ નહીં લાવવું જોઈએ.રાજકારણમાં સમાજ હોય શકે પરંતુ સમાજમાં…
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, આજે વિધાનસભામાં મેં મતદાર યાદીમાં નામ કમી કરવા માટેના 7 નંબરના ફોર્મ ભરવામાં આવે છે તેનો મુદ્દો ઉઠાવ્યો હતો. જે મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી, તેમાં કોઈ મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતા કોઈ વ્યક્તિ મતદાર યાદીમાં આવી ન જાય તેની પ્રક્રિયા ચાલે છે. 29 જાન્યુઆરીએ ચૂંટણી પંચ દ્વારા પ્રેસનોટ જાહેર કરવામાં આવી એમાં 9,88,621 ફોર્મ નંબર છ અંતર્ગત નામ કમી કરવા મળ્યા છે તેમ એમણે જણાવ્યું. ત્યારબાદ ખૂબ જ હોબાળો થયો. 17 અને 18 જાન્યુઆરીએ જે સાત નંબરના…
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આજે મુખ્યમંત્રીને એક મહત્વપૂર્ણ મુદ્દા પર પત્ર લખ્યો હતો. આ પત્રમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે રાજસ્થાન રાજ્ય સરકારે રાજસ્થાન પંચાયતી રાજ એક્ટ, 1994ની કલમ 19 તથા રાજસ્થાન મ્યુનિસિપાલટી એક્ટ 2009ની કલમ 24 હેઠળની બે સંતાન મર્યાદા સંબંધિત અયોગ્યતા જોગવાઈ રદ્દ કરવાનો મહત્વપૂર્ણ અને પ્રગતિશીલ નિર્ણય લીધો છે. આ હેતુસર રાજ્ય વિધાનસભામાં પંચાયતી રાજ બિલ 2026 અને રાજસ્થાન મ્યુનિસિપલ (એમેન્ડમેન્ટ) એક્ટ 2026 રજૂ કરવામાં આવશે, તેવી જાહેરાત ઉપમુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવા દ્વારા કરવામાં આવી છે. આ નિર્ણય લોકશાહીના મૂલ્યોને મજબૂત બનાવતો અને વ્યાપક જનભાગીદારીને પ્રોત્સાહન આપતો નિર્ણય છે. ગુજરાત રાજ્યમાં પણ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



