Author: Garvi Gujarat

ગુજરાત-મહારાષ્ટ્ર પાછળ છોડી આસામ આગળ.આસામ સૌથી ઝડપથી વિકસતા રાજ્યોની યાદીમાં ટોપ ઉપર.તમિલનાડુએ ૩૯%નો ગ્રોથ નોંધાવ્યો : GSDP ૧૨.૪ લાખ કરોડ રૂપિયાથી વધીને ૧૭.૩ લાખ કરોડ થયો છે.ભારતની આર્થિક પ્રગતિ હવે માત્ર કેટલાક રાજ્યો સુધી જ સીમિત રહી નથી. છેલ્લા ૫ વર્ષોમાં અનેક રાજ્યોનો જબરદસ્ત ગ્રોથ જાેવા મળ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૪-૨૫ વચ્ચે ઘણા રાજ્યોના અર્થતંત્રમાં ભારે ગ્રોથ નોંધાઈ છે. નોંધનીય છે કે, આ રાજ્યોનું પ્રદર્શન દેશના કુલ આર્થિક વિકાસ સાથે સુસંગત છે. આ સમયગાળા દરમિયાન ભારતનો રિયલ GDP ૨૯ ટકા વધીને ૧૪૫.૩૫ લાખ કરોડ રૂપિયા (FY20) થી ૧૮૭.૯૭ લાખ કરોડ રૂપિયા (FY25)…

Read More

અડાલજ ટોલનાકા પર ગૌસેવકોની સતર્કતા.ગૌસેવકોની સતર્કતાથી કતલખાને લઈ જવાતા ૧૬ પશુઓ બચાવાયા.પશુઓને વાહનમાં અમાનવીય રીતે ભરવામાં આવ્યા.ગાંધીનગર જિલ્લાના અડાલજ ટોલનાકા પાસે અમદાવાદ-મહેસાણા હાઈવે પર ગૌસેવકોની સતર્કતાના કારણે મોટી કાર્યવાહી સામે આવી છે. ટોલનાકા પરથી પસાર થતા એક શંકાસ્પદ વાહનને રોકી ગૌસેવકો અને ટોલ ટેક્સના કર્મચારીઓએ તપાસ કરતા તેમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી થતી હોવાનો ખુલાસો થયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નંદાસણ વિસ્તારમાંથી કુલ ૧૬ પશુઓને અમદાવાદ સ્થિત કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા. પશુઓને વાહનમાં અમાનવીય રીતે ભરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ છે. ગૌસેવકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે વાહન જપ્ત કરી…

Read More

દેશમાં મોટા ભૂકંપની સંભાવના : એક્સપર્ટ.૩૦ કલાકમાં ૨૪ વાર ધ્રુજી ગુજરાતના કચ્છની ધરતી !.એક્સપર્ટ કહે છે કે આ એક ચેતવણી છે અને ભૂકંપ મોક ડ્રીલ અને સલામતીના પગલાંઓ લેવા હવે જરૂરી છે.શુક્રવારે સવારે ગુજરાતના કચ્છમાં આવેલા ૪.૬ની તીવ્રતાના ભૂકંપથી કોઈ નુકસાન થયું નથી, પરંતુ તેણે ૨૪ વર્ષ પહેલાંના વિનાશના ઘા ફરીથી ખોલ્યા છે જેમાં હજારો લોકો માર્યા ગયા હતા. આ તાજેતરના ભૂકંપ પછી લગભગ બે ડઝન હળવા આંચકા અને ભૂગર્ભ હલનચલનથી પણ વૈજ્ઞાનિકોનું ધ્યાન ખેંચાયું છે. ભૂગર્ભશાસ્ત્રીઓએ આ પ્રદેશમાં ત્રણ ફોલ્ટ લાઇનો શોધી કાઢી છે જે હવે સક્રિય થઈ ગઈ છે, જેનાથી પહેલાથી જ ભૂકંપગ્રસ્ત કચ્છ પ્રદેશ વિશે ચિંતા વધી…

Read More

જૂના વીજ પ્લાન્ટ ફરી ચાલુ કરવા પડશે.એઆઇ ૯૪૫ ટેરાવોટઅવર વીજળી વાપરશે, વર્ષે ૧૫ ટકા વપરાશ વધશ.એઆઇએ ઉર્જા વાપરવામાં પણ સ્માર્ટ બનવું પડશે, ઘણાં દેશમાં એઆઇ ઉર્જા નીતિનો હિસ્સો ગણાવા માંડયો.દુનિયાભરમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ-એઆઇ એજન્ટ્સ-દ્વારા કામ કરાવવાનો મોહ વધતો જાય છે તેની પાછળ વીજળી પણ મોટાં પ્રમાણમાં વપરાય છે. જેને કારણે સંજાેગો એવા સર્જાયા છે કે વીજળીની ખપતના મામલે એઆઇની ગણતરી હવે એક દેશની જેમ કરવામાં આવે છે. હકીકત તો એ છે કે ઘણંાં દેશના વીજવપરાશ કરતાં એઆઇનો વીજ વપરાશ અનેકગણો વધી ચૂક્યો છે અને યુરોપ અને યુએસમાં તો એઆઇ દ્વારા વીજ પુરવઠાની માંગને પહોંચી વળવા માટે વીજ કંપનીઓને જુના વીજ પ્લાન્ટ…

Read More

નીતા અંબાણીએ સ્વર્ગસ્થ પિતાને આપી શ્રદ્ધાંજલિ.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ જીવનનું લોકાર્પણ કરવામાં આવ્યું.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની નવી વિંગ જીવનના ઉદ્ઘાટનમાં ભાવુક થયા નીતા અંબાણીરિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં એક નવી વિંગનું ઉદ્ઘાટન કર્યું. જેનું નામ JEEVAN ( જીવન ) રાખવામાં આવ્યું છે. જીવનના લોકાર્પણના અવસરે પૂજા પણ કરવામાં આવી. ત્યારે નીતા અંબાણીએ તેમના પિતા રવીન્દ્રભાઈ દલાલને શ્રદ્ધાંજલિ આપી. જીવનના લોકાર્પણમાં નીતા અંબાણીની સાથે મુકેશ અંબાણી તથા અંબાણી પરિવારના અન્ય સભ્યો પણ પૂજામાં સામેલ થયા હતા. નોંધનીય છે કે આજે જ ફાઉન્ડર ચેરમેન શ્રી ધીરુભાઈ અંબાણીની પણ જન્મતિથિ છે. એવામાં આજથી જ રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલ જીવનના દ્વાર અનેક દર્દીઓ માટે…

Read More

નીતિન ગડકરીની ઓટો કંપનીઓને કડક સૂચના.ડીઝલ અને પેટ્રોલ બંધ કરો નહીંતર યૂરો ૬ના ઇમિશન નોર્મ્સ લગાવીશ.૧૦૦ ટકા ઇથેનોલ અને CNG ચાલનારા ફ્લેક્સ એન્જિન ટ્રેક્ટર હવે તૈયાર થઈ ચૂક્યા છે : નિતિન ગડકરી.મહારાષ્ટ્રના નાગપુરમાં કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પેટ્રોલ અને ડીઝલના વિકલ્પોને લઈને મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ કહ્યું કે, તેઓ ટ્રાન્સપોર્ટ મંત્રી છે અને તેમણે પેટ્રોલ-ડીઝલ પર ર્નિભરતા ઓછી કરવા માટે આકરું વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે, હું ટ્રાન્સપોર્ટ મંત્રી છું. મેં દંડા લગાવ્યા છે. ડીઝલ અને પેટ્રોલ બંધ કરો નહીંતર યૂરો ૬ના ઇમિશન નોર્મ્સ લગાવીશ. હવે ટ્રેક્ટર કંપનીઓએ ફ્લેક્સ એન્જિન ટેકનિક…

Read More

વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૨૫ની ઉપલબ્ધિઓ ગણાવી કહ્યું.ભારત નવી આશાઓ અને નવા સંકલ્પો સાથે આગળ વધવા તૈયારવડાપ્રધાને રવિવારે ‘મન કી બાત’ના ૧૨૯મા એપિસોડ દ્વારા દેશને સંબોધિત કર્યો હતો : આ એપિસોડ વર્ષ ૨૦૨૫નો છેલ્લો મન કી બાત કાર્યક્રમ હતોવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ના ૧૨૯મા એપિસોડ દ્વારા દેશને સંબોધિત કર્યો. આ એપિસોડ વર્ષ ૨૦૨૫નો છેલ્લો મન કી બાત કાર્યક્રમ હતો. પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત નવી આશાઓ અને નવા સંકલ્પો સાથે આગળ વધવા તૈયાર છે. તેમણે ઉમેર્યું કે, ૨૦૨૫ વર્ષ ભારત માટે સિદ્ધિઓ, આત્મવિશ્વાસ અને ગૌરવથી ભરેલું રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ૨૦૨૫માં ભારતની આસ્થા,…

Read More

AIની ધૂમ! 50 થી વધુ લોકો અબજોપતિ બન્યા કૃત્રિમ બુદ્ધિમત્તાએ (એઆઈ) દુનિયામાં કામ કરતી કંપનીઓ અને વ્યક્તિઓ માટે જબરદસ્ત વૃદ્ધિ પૂરી પાડી છે . આમાં સર્જ AI ના CEO અને સિએરાના સહ-સ્થાપકોનો સમાવેશ થાય છે. અમેરિકાની સાથે, ચીને પણ નવા અબજોપતિઓ મેળવ્યા એસવીએન,વોશિંગ્ટન 2025નું વર્ષ કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં થયેલી પ્રગતિ માટે યાદ રાખવામાં આવશે. આ વર્ષે, કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઝડપથી વિકાસ થયો, જેના પરિણામે આ ક્ષેત્રમાં મોટા પાયે નાણાંનો પ્રવાહ આવ્યો. એક અહેવાલ મુજબ , કૃત્રિમ બુદ્ધિમત્તાએ વિશ્વ માટે નવા અબજોપતિઓ બનાવ્યા છે. એક 22 વર્ષીય વ્યક્તિ, જેની કંપનીનું મૂલ્યાંકન અબજો ડોલર સુધી પહોંચ્યું હતું, તેણે પણ આ યાદીમાં સ્થાન મેળવ્યું…

Read More

રસ્તા પર ઊતરશે કોંગ્રેસ, સરકારનો કરશે વિરોધ.૫ જાન્યુઆરીથી મનરેગા બચાઓ આંદોલન શરૂ થશે.કોંગ્રેસ નેતાઓનો આરોપ છે કે VB-G RAM G Act, 2025 દ્વારા સરકારે મનરેગાના અધિકાર આધારિત ઢાંચાને ખતમ કરી નાખ્યો છ.કોંગ્રેસ વર્કિંગ કમિટીની દિલ્હીમાં મહત્ત્વની બેઠક બાદ પાર્ટીએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે પાર્ટી ૫ જાન્યુઆરી ૨૦૨૬થી દેશભરમાં મનરેગા બચાઓ આંદોલન શરુ કરશે. આ આંદોલન વિકસિત ભારત ગેરેન્ટી રોજગાર અને આજીવિકા યોજના એટલે કે ફમ્-ય્ ઇછસ્ ય્ છષ્ઠં, ૨૦૨૫ વિરુદ્ધ હશે. ખડગેએ પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે મનરેગા ખાલી એક યોજના નથી, પણ સંવિધાનમાં મળેલા કામનો અધિકાર છે. તેને નબળું કરવા અથવા…

Read More

AMC ફટકારશે નોટિસ.અમદાવાદમાં હવે દરેક બિલ્ડિંગ કે રોડની બહાર વાહનો પાર્ક નહીં કરી શકો.અમદાવાદ શહેરમાં વધતી રહેલી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળે તે માટે મહાનગર પાલિકા સક્રિય થયું છે.અમદાવાદમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સતત વધી રહી છે. તેવામાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ સિલસિલામાં શહેરની અંદર દરેક બિલ્ડિંગ કે એપાર્ટમેન્ટની બહાર, રોડ કે ફૂટપાથ પર વાહનો પાર્ક કરી શકાશે નહીં. હાઈકોર્ટના આદેશ બાદ મનપાએ બે દિવસમાં ૩૮૪ નોટિસ ફટકારી છે. નોંધનીય છે કે અમદાવાદમાં અનેક એપાર્ટમેન્ટની બહાર રોડ પર વાહનો પાર્ક કરવામાં આવે છે. શહેરમાં અનેક રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગમાં…

Read More