Author: garvigujrat

જુહૂમાં ભાડે રહેવાનું ચાલુ રાખશે શ્રદ્ધા ફલેટનું મહિને છ લાખ ભાડું આપશે, લીઝ રિન્યુ કરાવી શ્રદ્ધાનો પરિવાર મુંબઈમાં પ્રોપર્ટી ધરાવે છે તેમ છતાં પણ શ્રદ્ધાએ જુહૂમાં ભાડે રહેવાનું પસંદ કર્યું છે. શ્રદ્ધા કપૂર જુહૂના ફલેટમાં વધુ એક વર્ષ માટે મુંબઈનાં જુહૂ વિસ્તારના ફલેટમાં ભાડે રહેશે. તેણે આ ફલેટ માટે મહિને છ લાખ ભાડું આપવાનો લીઝ કરાર રિન્યૂ કરાવ્યો છે.આ ફલેટનું ક્ષેત્રફળ ૩૯૨૯ ચોરસ ફૂટ છે. શ્રદ્ધા અગાઉથી આ ફલેટમાં ભાડે રહે છે. તેને ફલેટ સાથે ચાર કાર પાર્કિંગ પણ મળ્યાં છે. ગઈકાલે પચ્ચીસમી ફેબુ્રઆરીએ શ્રદ્ધાએ લીઝ કરાર રિન્યૂ કરાવી સ્ટેમ્પ ડયૂટી માટે ૩૬ હજાર રુપિયા તથા એક હજાર રુપિયા રજિસ્ટ્રેશન…

Read More

૨૩ ફેબ્રુઆરીથી મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ શરૂ રોહિત શેટ્ટીની ‘ગોલમાલ ૫’માં પ્રિયામણીની એન્ટ્રી ફલ્મમાં પ્રિયામણી અને અજય દેવગન બીજી વખત સાથે કામ કરશે, આ પહેલા તેઓ ‘મૈદાન’માં સાથે કામ કરી ચુક્યાં છે. અજય દેવગન અને રોહિત શેટ્ટી તેમની કોમેડી ફ્રેન્ચાઈઝી ગોલમાલ ૫ પર કામ કરી રહ્યા છે અને હવે આ ફિલ્મમાં પ્રિયામણીની પણ એન્ટ્રી થયાના અહેવાલ છે. આ ફિલ્મમાં પ્રિયામણી અને અજય દેવગન બીજી વખત સાથે કામ કરશે, આ પહેલા તેઓ ‘મૈદાન’માં સાથે કામ કરી ચુક્યાં છે. આ અંગેના અહેવાલો અનુસાર, શૂટિંગનું પહેલું શીડ્યુલ એક મહિના જેટલું લાંબું ચાલશે. ૨૩ ફેબ્રુઆરી, સોમવારથી મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. જેમાં અજય…

Read More

દુબઈના ગુજરાતી ફેન સાથેની મુલાકાતે મચાવી ધૂમ અમિતાભ બચ્ચન અને ‘દીવાર’નો અનોખો ક્રેઝ ભારતીય સિનેમાના ઈતિહાસમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘દીવાર’ એક સીમાચિહ્ન રૂપ ગણાય છે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘દીવાર’ એક સીમાચિહ્ન રૂપ ગણાય છે. આ ફિલ્મથી જ બચ્ચન સાહેબને બોલીવુડના ‘એન્ગ્રી યંગ મેન’ તરીકે છાપ છોડી હતી. તાજેતરમાં આ આઈકોનિક ફિલ્મના ૫૧ વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે દુબઈના એક મોટા ગજાના બિઝનેસમેન અને અમિતાભ બચ્ચનના પરમ પ્રશંસકે મુંબઈમાં તેમને રૂબરૂ મળીને પોતાની વર્ષાે જૂની ઈચ્છા પૂરી કરી છે. આ મુલાકાત માત્ર એક ફેન મોમેન્ટ નથી, પરંતુ સિનેમા પ્રત્યેના અખૂટ પ્રેમનું પ્રતીક બની રહી છે.દુબઈ સ્થિત ગોલ્ડ બિઝનેસ…

Read More

સોશિયલ મીડિયા પર વેડિંગ ફોટોઝ વાઈરલ ઉદયપુરમાં રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્ન સવારની લગ્નવિધિમાં વિજય સફેદ ધોતી અને રશ્મિકા પરંપરાગત સિલ્ક સાડીમાં નજરે પડ્યા હતા. સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ ફેવરેટ અને પોપ્યુલર ગણાતું કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા આખરે આજે ૨૬મી ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ લગ્નબંધનમાં બંધાઈ ગયું. રાજસ્થાનના ઉદયપુરમાં આવેલી વૈભવી હોટલ ‘મેમેન્ટોઝ બાય ITC’ ખાતે યોજાયેલા આ લગ્નને ચાહકોએ ‘વેડિંગ ઓફ વિરોશ’ નામ આપ્યું છે. હવે લગ્ન બાદ રશ્મિકાની પહેલી પોસ્ટ સામે આવી છે.સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ સવારે પરંપરાગત આંધ્ર એટલે કે તેલુગુ પદ્ધતિ અને બાદમાં સાંજે કન્નડ પદ્ધતિથી લગ્ન કર્યા. સવારની…

Read More

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજની વિધાનસભામાં તેમના પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું કે નર્મદા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં માનવભક્ષી દિપડાઓ દ્વારા 14 લોકો પર હુમલા થયા છે, જેમાંથી 4 લોકોનાં મૃત્યુ થયા છે અને 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે જંગલ અને વન્ય પ્રાણીઓ વર્ષોથી છે, પરંતુ હાલમાં વન વિભાગ દ્વારા બહારથી પકડાયેલા દિપડાઓને નર્મદા જિલ્લામાં છોડવામાં આવી રહ્યા છે, જે સીધા જ લોકો પર હુમલા કરે છે. અનેક રજૂઆતો અને જિલ્લા સંકલન બેઠકમાં મુદ્દો ઉઠાવ્યા છતાં વન વિભાગ ગંભીરતા દાખવી રહ્યો નથી અને દિપડાઓને પકડવાની કાર્યવાહી કરવામાં આવી નથી. ચૈતર…

Read More

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, 27 ફેબ્રુઆરીનો ઐતિહાસિક દિવસ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી તથા દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાજીએ ઘણા અત્યાચાર સહ્યા. ભારતના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું કે સીટિંગ ચીફ મિનિસ્ટરને જેલમાં જવું પડ્યું હોય. આવું એટલા માટે થયું કારણ કે મનીષ સિસોદિયાજીએ દિલ્હીમાં શાનદાર સરકારી સ્કૂલો બનાવી અને શિક્ષણના મોડલથી સમગ્ર દેશને જાગૃત કર્યો અને સંદેશ આપ્યો કે એક આમ આદમી અને એક સરકાર ઈચ્છે તો શિક્ષણ વ્યવસ્થાની કાયાપલટ થઈ શકે છે. મનીષ સિસોદિયાજીના શિક્ષણના અને સત્યેન્દ્ર જૈનજીના સ્વાસ્થ્ય મોડલને ધ્યાનમાં રાખીને 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના…

Read More

આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે દિલ્હીમાં કોર્ટ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને મંત્રી મનીષ સિસોદિયાને પુરાવાના અભાવના કારણે આજે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટના આ નિર્ણયને અમે આવકારીએ છીએ.તેમણે વધુ જણાવ્યું કે કેન્દ્રમાં રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર વિપક્ષના મુખ્યમંત્રી અને અન્ય આગેવાનોને દારૂની નીતિઓમાં ગોટાળો થયાનો આરોપ લગાવીને છ મહિના સુધી જેલમાં રાખતી રહી. આ જ કેસમાં આમ આદમી પાર્ટીના અન્ય પાંચ મહત્ત્વના નેતાઓને પણ જેલમાં મુકવામાં આવ્યા. આ પ્રયાસો સાબિત કરે છે કે કેવી રીતે ભાજપની સરકાર પોતાની સત્તાનો દૂરઉપયોગ કરી શકે છે, પરંતુ આજે સાબિત થયું છે કે સત્યની હંમેશા જીત…

Read More

આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રભારી ગોપાલ રાયજીએ દિલ્હી અદાલતના ચૂકાદાને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો. મિડિયાને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, આજે દિલ્હીની અદાલતે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. જેમ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને સમગ્ર પાર્ટીએ ખોટા કેસો બનાવીને દિલ્હીના ચૂંટાયેલા મુખ્યમંત્રીને જેલમાં મૂક્યા, એવી જ રીતે અમારા સાંસદોને અને AAP ના નેતાઓને ખોટા કથિત “શરાબ ગોટાળા”ના કેસો અને ખોટા પ્રચાર દ્વારા ત્રાસ આપ્યો. અદાલતે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ સંદેશ આપ્યો કે સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત નહીં. ભારતના ઇતિહાસમાં પહેલીવાર ચૂંટણીમાં વિજયી થયેલા મુખ્યમંત્રીને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. અદાલતે જણાવ્યું કે CBI દ્વારા અદાલતમાં રજૂ કરેલા…

Read More

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનોજ સિસોદીયા આજે નિર્દોષ સાબિત થયા છે. આ મામલે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી,પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ તકે મિડીયાને સંબોધતા આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આખા દેશમાં જે લોકો ભ્રષ્ટાચાર સામે લડ્યા, અને જે સામાન્ય જનતા ભ્રષ્ટાચારથી પીડિત હતી, એ જ જનતા આમ આદમી પાર્ટીમાં જોડાતી ગઈ અને પછી દિલ્હીમાં સરકાર બની,સરકાર બન્યા પછી આમ આદમી પાર્ટીએ માત્ર અમુક વર્ષમાં જ એવી કામગીરી કરી કે બીજી પાર્ટીઓ કરી શકી ન…

Read More

ગુજરાત ATS ની મોટી કાર્યવાહી પંજાબનો વોન્ટેડ આતંકી અને ડ્રગ સ્મગલર અમદાવાદથી ઝડપાયો રાષ્ટ્રીય સુરક્ષા માટે જાેખમી એવા તત્વો ગમે તેટલા વેશ પલટો કરે, પણ કાયદાના હાથથી બચી શકતા નથી ગુજરાત ATS એ પંજાબના એક ચકચારી ડ્રગ્સ અને હથિયાર તસ્કરીના કેસમાં વોન્ટેડ આરોપીને અમદાવાદના હૃદય સમાન ગીચ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય સરહદેથી આવતા નશીલા પદાર્થો અને વિસ્ફોટકોના નેટવર્ક સાથે જાેડાયેલો આ આરોપી, પોલીસની ધરપકડથી બચવા માટે દેશના અલગ-અલગ રાજ્યો અને નેપાળમાં આશરો લીધા બાદ અંતે ગુજરાતમાં છુપાયો હતો. સુરક્ષા એજન્સીઓના આ સફળ ઓપરેશને ફરી એકવાર સાબિત કર્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે જાેખમી એવા તત્વો ગમે તેટલા વેશ પલટો…

Read More