Author: Garvi Gujarat

માર્કો રૂબિયોએ આપ્યો જવાબ ભારત સાથેની મિત્રતા બગાડવા પાકિસ્તાનને છાવરે છે અમેરિકા તેમણે કહ્યું કે, અમે અનેક દેશો સાથે સંબંધ બનાવ્યા છે અને પાકિસ્તાન સાથે અમારા વ્યૂહાત્મક સંબંધ વધારવાની તકો છે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ પાકિસ્તાન સાથે અમેરિકાના સંબંધો પર મહત્ત્વનું નિવેદન આપી ભારત સાથેના સંબંધોમાં સુધારાની શક્યતા જણાવી છે. તેમણે પાકિસ્તાન સાથે અમેરિકાના સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂકવાની સાથે ભારત સાથે મિત્રતા ન બગાડવાની સલાહ પણ આપી છે. રૂબિયોએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, ભારતે આ સંદર્ભે ચિંતા વ્યક્ત કરી નથી, જાે કે ઐતિહાસિક રૂપે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ સ્વભાવિક છે. પાકિસ્તાન સાથે અમેરિકાના સંબંધ ભારતની…

Read More

જેડી મજેઠિયા સાથે સતિશ શાહે કરી હતી વાત થાક અનુભવી રહ્યા છું, હું રિટાયરમેન્ટ પર આવી ગયો છું એક્ટર સતીશ શાહનું નિધન ઇન્ડસ્ટ્રી માટે એક મોટો ઝટકો છે : પ્રોડ્યુસર અને એક્ટર જેડી મજેઠિયાનો ખુલાસો એક્ટર સતીશ શાહનું કિડની ફેલ થવાને કારણે ૨૫ ઓક્ટોબરના રોજ નિધન થયું છે. હાલ તેમના નિધનને લઈને બોલિવૂડને પણ મોટી ખોટ પડી છે. ટીવી સિરિયલોની સાથે તેમણે ઘણી બધી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જાેકે સારાભાઈ વર્સેસ સારાભાઈમાં ઇન્દ્રવદનનો રોલ કરીને ઘરે ઘરે તેમણે પોતાની અલગ ઓળખ બનાવી હતી. આ શોને જેડી મજેઠિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો. જેમાં દેવેન ભોજાણી અને આતિશ કપાડિયા દ્વારા…

Read More

IMD એ આપ્યું એલર્ટ: ભયંકર મોટું તોફાન બંગાળની ખાડીમાંથી આવશે — આઈએમડીભયંકર ચક્રવાતથી આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં આ ભયંકર ચક્રવાત આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં વિકાસ પામતું ચક્રવાત મોન્થા એક ઉષ્ણકટિબંધીય તોફાન ઉઠ્યું છે અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાની નજીક આવતાં તે ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જવાની ધારણા છે. હવામાન વિભાગ અનુસાર, ચક્રવાત મોન્થા મંગળવાર (૨૮ ઓક્ટોબર, ૨૦૨૫) ની સાંજે અથવા રાત્રે આંધ્ર પ્રદેશના કાકીનાડા દરિયાકાંઠા નજીક લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. ભારતીય…

Read More

વડાપ્રધાને છત્તીસગઢના અંબિકાપુર મ્યુનિ. કોર્પોરેશનની પ્રશંસા કરી GSTમાં ઘટાડાના કારણે સ્વદેશી વસ્તુઓનું વેચાણ અને તહેવારોની રોનક વધી : મોદી મોદીએ ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમના ૧૨૭માં એપિસોડમાં દેશ અને વિદેશના લોકો સાથે વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે (૨૬મી ઓક્ટોબર) ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમના ૧૨૭માં એપિસોડમાં દેશ અને વિદેશના લોકો સાથે વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતા. તેમણે તહેવારોની સિઝનમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં થયેલા જંગી વધારા અને સ્વચ્છતાની પહેલની પ્રશંસા કરી હતી. મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ વર્ષે સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં…

Read More

સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.5,748 અને ચાંદીના વાયદામાં રૂ.19,151નું ગાબડું : ક્રૂડ તેલમાં રૂ.389નો ઉછાળોકોમોડિટી વાયદાઓમાં રૂ.426440.44 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1703508.16 કરોડનું સાપ્તાહિક ધોરણે ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.379273.84 કરોડનાં સાપ્તાહિક ધોરણે કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 28703 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 17થી 23 ઓક્ટોબરના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.2129971.29 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.426440.44 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1703508.16 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 28703 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ સાપ્તાહિક પ્રીમિયમ ટર્નઓવર રૂ.29992.56 કરોડનું થયું…

Read More

છ મહિનામાં રૂ.૧૫૦૦ કરોડનું ફ્રોડ૩૦,૦૦૦થી વધુ લોકો બન્યા ઓનલાઇન રોકાણ કૌભાંડનો શિકારઆશ્ચર્યજનક બાબત એ છે કે તેમાંથી ૬૫% કેસ બેંગલુરુ, દિલ્હી-એનસીઆર અને હૈદરાબાદમાં થયા છગૃહ મંત્રાલયની સાયબર શાખાએ ઓનલાઇન રોકાણ ફ્રોડ અંગે એક અહેવાલ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ, છેલ્લા ૬ મહિનામાં ભારતના ૩૦,૦૦૦થી વધુ લોકો સાથે રોકાણના નામે ૧૫૦૦ કરોડ રૂપિયાની નાણાકીય છેતરપિંડી થઈ છે. જે લોકો કૌભાંડનો શિકાર બન્યા છે, તેમાં સૌથી વધુ ૩૦થી ૬૦ વર્ષની વયના હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે તેમાંથી ૬૫% કેસ બેંગલુરુ, દિલ્હી-એનસીઆર અને હૈદરાબાદમાં થયા છે. ભારતીય સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર(ૈં૪ઝ્ર)ના અહેવાલ મુજબ, આ છેતરપિંડીના ૬૫ ટકા કેસ માત્ર ત્રણ મહાનગરો…

Read More

હાઈકોર્ટમાં કેરળ સરકારે કહ્યુંમુસ્લિમ છોકરીને હિજાબની ના પાડવી એ તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘનહિજાબ પહેરીને ક્લાસમાં જવાની પરવાનગી પડકારાઈકેરળમાં પલ્લુરુથીમાં આવેલી ચર્ચ સંચાલિત સેન્ટ રીટા પબ્લિક સ્કૂલની અરજીના જવાબમાં દાખલ કરાયેલા સોગંદનામામાં કેરળ સરકારે હાઈકોર્ટને જણાવ્યું કે, મુસ્લિમ છોકરીને શાળામાં હિજાબ પહેરવાની પરવાનગી ન આપવી, તે તેની પ્રાઇવસી અને ગરિમા પર હુમલો ગણાશે. વધુમાં, આ કૃત્ય બિનસાંપ્રદાયિક શિક્ષણ મેળવવાના તેના અધિકારનો ઇનકાર કરવા સમાન છે. સરકારે સ્પષ્ટતા કરી કે છોકરીનો હિજાબ પહેરવાનો અધિકાર, જે તેને ઘરમાં અને ઘરની બહાર મળેલ છે, તે શાળાના દરવાજા પર સમાપ્ત થતો નથી. શાળા દ્વારા અરજીમાં સામાન્ય શિક્ષણ વિભાગના તે નિર્દેશને પડકારવામાં આવ્યો હતો, જેમાં મુસ્લિમ…

Read More

અશોક ગેહલોતે કરી જાહેરાતમહાગઠબંધનના ઝ્રસ્ ચહેરા તરીકે તેજસ્વી યાદવનું નામ જાહેરકોંગ્રેસના નેતાએ સંયુક્ત પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી : મુકેશ સાહની નાયબ મુખ્યમંત્રીનો ચહેરો બનશેબિહાર ચૂંટણી માટે તેજસ્વી યાદવ મહાગઠબંધનનો મુખ્યમંત્રી ચહેરો હશે. અશોક ગેહલોતે આ જાહેરાત કરી છે. તેમણે દ્ગડ્ઢછને તેમના નેતા કોણ હશે તે જાહેર કરવા પણ કહ્યું. તેમણે હવે નક્કી કરવું જાેઈએ કે મુખ્યમંત્રીપદનો ચહેરો કોણ હશે. અશોક ગેહલોતે કહ્યું કે દેશભરમાં પરિસ્થિતિ ગંભીર છે. જે કોઈ ટીકા કરે છે તેને જેલમાં જવું પડે છે, પછી ભલે તે પત્રકાર હોય કે કાર્યકર્તા. દરેક વ્યક્તિ પરિવર્તન ઇચ્છે છે અને આપણે આ જાહેર ભાવનાને સમજવી જાેઈએ. મલ્લિકાર્જુન ખડગે અને…

Read More

પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ધ્વજારોહણરામ મંદિરના શિખર પર મોદી ફરકાવશે ૨૨ ફૂટનો ધર્મ ધ્વજપીએમ મોદી ૨૫ નવેમ્બરે રામ મંદિરના ૧૬૧ ફૂટ ઊંચા શિખર પર ૨૨ટ૧૧ ફૂટનો ભગવો ધ્વજ ફરકાવશેઅયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ કાર્યક્રમની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હશે અને આગામી ૨૫ નવેમ્બરે રામ મંદિરના શિખર પર ૨૨ ફૂટ લાંબી અને ૧૧ ફૂટ પહોળી ધજા ફરકાવશે. આ સમારોહ પ્રાણ પ્રતિષ્ઠાની જેમ ભવ્ય હશે અને રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાનું પ્રતીક પણ હશે. અયોધ્યામાં આ આયોજન માટે ૨૫ નવેમ્બરે વરિષ્ઠ ભાજપ નેતાઓનો જમાવડો જાેવા મળશે, જે…

Read More

વિરાટ કોહલીએ મોટો રેકોર્ડ તોડ્યોકોહલી બન્યો વન ડેમાં સૌથી વધુ રન બનાવનારો બીજા નંબરનો બેટ્સમેનત્રીજી મેચમાં વિરાટ કોહલીએ વન ડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાના મામલામાં સંગાકારાને પાછળ રાખી દીધોભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન વિરાટ કોહલીએ સતત બે મેચમાં ફ્લોપ રહ્યા બાદ જબરદસ્ત વાપસી કરી હતી. વર્લ્ડ ક્રિકેટમાં હવે ખાલી સચિન તેંદુલકર જ એક એવા બેટ્સમેન છે, જે રનની બાબતમાં કોહલીથી આગળ છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી મેચમાં વિરાટ કોહલીએ વન ડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાના મામલામાં શ્રીલંકાના પૂર્વ કપ્તાન કુમાર સંગાકારાને પાછળ રાખી દીધા છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચોની વન ડે સિરીઝની પહેલી બે મેચમાં ખાતું ખોલાવ્યા વિના પરત…

Read More