- બ્રિટિશ યોટ પર રશિયાનું ચેતવણી ફાયરિંગ, ભારતીય કેપ્ટનની ધરપકડ બાદ તણાવ વધ્યો
- CJI સૂર્યકાંતની વધુ એક ટિપ્પણી વિવાદમાં, સાયબર ફ્રોડ આરોપીને કહ્યું ‘પરજીવી’
- ઈ-ચલણ ન ભરનાર વાહનો બ્લોક થશે, ટ્રાફિક નિયમ ભંગ પર કેન્દ્ર સરકારના કડક નવા નિયમો
- ઓપી રાજભરનો દાવો: સપાના અનેક નેતા ભાજપમાં જવા તૈયાર, તપાસથી નેતાઓ બેચેન
- અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર, કહ્યું—ટક્કર માટે પક્ષમાં બહાદુર ટીમ જરૂરી
- વર્લ્ડ કપ 2026માં ફ્રાન્સની ધમાકેદાર શરૂઆત, સેનેગલને 3-1થી હરાવી એમબાપ્પેનો ડબલ ગોલ
- ક્રૂડ ઓઇલના ભાવમાં 4 દિવસમાં 16%નો કડાકો, ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા વધી
- ગુજરાત SEZની 12 વર્ષની પ્રગતિ પર આઉટરીચ કાર્યક્રમ, નિકાસ ₹4.41 લાખ કરોડથી ₹8.63 લાખ કરોડ સુધી
Author: Garvi Gujarat
ગુજરાત પોલીસના ટેકનિકલ વિભાગમાં ૯૫૦ જગ્યાઓ પર નોકરીની સુવર્ણ તક.પોલીસ ભરતી બોર્ડે કુલ ૯૫૦ ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે, જેમાં આગામી ૯ જાન્યુઆરીથી ઓનલાઈન અરજી કરી શકાશેગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) એ વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં વર્ગ-૩ ટેકનિકલ કેડર માટે ભરતીની જાહેરાત કરી છે. એન્જિનિયરિંગ સ્નાતકો અને ડિપ્લોમાની લાયકાત ધરાવતા લોકોને ગુજરાત પોલીસમાં જાેડાવાની આ એક સુવર્ણ તક છે. પોલીસ ભરતી બોર્ડે કુલ ૯૫૦ ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે, જેમાં આગામી ૯ જાન્યુઆરીથી ઓનલાઈન અરજી કરી શકાશે. GPRB એ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ), ટેકનિકલ ઓપરેટર અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક સહિતની જગ્યાઓ…
ધારાસભ્યએ બસ ચલાવીને કર્યું નવા રૂટનું લોકાર્પણ.બોરસદ આણંદ રૂટ પર નવી બસોનો પ્રારંભ કરાયો.આ લોકાર્પણ કાર્યક્રમ માત્ર રીબીન કાપવા સુધી સીમિત ન રહ્યો, પણ ધારાસભ્ય યોગેશ પટેલના અનોખા અંદાજને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો.આણંદ જિલ્લાના બોરસદ વિસ્તારના નાગરિકો માટે પરિવહન ક્ષેત્રે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. બોરસદ-આણંદ રૂટ પર લાંબા સમયથી નવી બસોની જે માંગ હતી, તેને સંતોષતા એસટી વિભાગ દ્વારા નવી અત્યાધુનિક બસો ફાળવવામાં આવી છે. જાેકે, આ લોકાર્પણ કાર્યક્રમ માત્ર રીબીન કાપવા સુધી સીમિત ન રહ્યો, પણ ધારાસભ્ય યોગેશ પટેલના અનોખા અંદાજને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બોરસદ આણંદ રૂટ પર નવી બસોનો પ્રારંભ…
19 PI અને 41 PSIની બદલી, SPનો આદેશ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં બદલીના આદેશ છૂટ્યા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક (SP) દ્વારા 19 PI અને 41 PSI ની બદલી કરવામાં આવી છે. એસપી દ્વારા આંતરિક બદલીના આદેશ કરાયા છે. અમદાવાદ ગ્રામ્ય એસપી દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આ બદલાનો આદેશ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદ ગ્રામ્ય SP દ્વારા પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. કુલ ૧૯ પીઆઈ અને ૪૧ પીએસઆઈની બદલી કરવામાં આવી છે. લાંબા સમયથી એક જગ્યાએ ફરજ બજાવી રહેલા અધિકારીઓની બદલી પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે. મળતી માહિતી પ્રમાણે એસપી દ્વારા લાંબા સમયથી એક જ જગ્યાએ…
અર્ધકુંભ પહેલા VHP નેતાની મોટી માંગ.જે હિન્દુ નથી, તેઓ ગંગા ઘાટ પર ડૂબકી લગાવી શકશે નહીં.સાધ્વી પ્રાચીએ મક્કા અને મદીનામાં બિન-મુસ્લિમોના પ્રવેશ પરના પ્રતિબંધનું ઉદાહરણ આપતા કહ્યું કે, હરિદ્વારમાં પણ આવા જ નિયમો લાગુ કરવા જાેઈએ.વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના નેતા સાધ્વી પ્રાચીએ ૨૦૨૭માં યોજાનારા અર્ધકુંભ મેળા પહેલા હરિદ્વારના ગંગા ઘાટ પર બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, જ્યારે મક્કા અને મદીનામાં બિન-મુસ્લિમો પર આવા પ્રતિબંધો લાગુ છે, તો હરિદ્વારમાં બિન-હિન્દુઓ પર તેવો જ પ્રતિબંધ કેમ ન મૂકવો જાેઈએ? તેમણે તેને સુરક્ષા અને હરિદ્વારની પવિત્રતા જાળવવા સાથે જાેડાયેલો મુદ્દો ગણાવ્યો છે. સાધ્વી પ્રાચીએ કહ્યું કે,…
સુરેન્દ્રનગર ભ્રષ્ટાચાર કેસ.એક સ્ક્વેર મીટર જમીન દીઠ ૧૦ ઉઘરાવી કરોડોનો ખેલ.અન્ય અધિકારીઓની ભૂમિકા તપાસાઈ રહી છ.જિલ્લાના ચકચારી કરોડો રૂપિયાના જમીન ભ્રષ્ટાચાર કેસમાં હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ મામલે પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ સામે ચાલી રહેલા બિનખેતી (એનએ) જમીન કૌભાંડ મામલે આજે તેમનો રિમાન્ડ પૂર્ણ થતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા તેમને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઈડીની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન અનેક મહત્વના પુરાવા હાથ લાગ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઈડીના અધિકારીઓએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ ૫૦ હેઠળ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલનું નિવેદન નોંધ્યું છે. રિમાન્ડ દરમિયાન દિલ્હી…
ગુજરાતમાં યોજાશે પતંગોનો મહામેળો.ગુજરાતમાં દેશ અને વિદેશના પતંગબાજાેથીઆકાશ થશે રંગીન.આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૧૦થી શરૂ થશે અને ૧૪ જાન્યુઆરી સુધી ચાલશે, તેનું મુખ્ય સ્થળ સાબરમતી રિવરફ્રન્ટ છે.ગુજરાતમાં દર વર્ષે જાન્યુઆરી મહિનામાં યોજાતો આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉત્તરાયણની વર્ષો જૂની પરંપરા સાથે જાેડાયેલો છે. આ મેળા દરમિયાન આકાશ રંગબેરંગી અને વિવિધ આકારની પતંગોથી ભરાઈ જાય છે. આ મહોત્સવની ખાસ વાત એ છે કે તે દેશ-વિદેશના પ્રવાસીઓ અને પતંગબાજાે માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. અહીં અલગ-અલગ દેશોની અનોખી અને સુંદર પતંગો જાેવા મળે છે. જાે તમે પણ આ વર્ષે પતંગ મહોત્સવનો આનંદ માણવા માંગતા હોવ, તો આ સમાચાર તમારા માટે જ છે. આજે,…
માદુરોની ધરપકડ બાદ જયશંકરનું પહેલું મોટું નિવેદન.ભારત વેનેઝુએલાની વર્તમાન સ્થિતિને લઈને અત્યંત ચિંતિત.મે આ વિવાદમાં સામેલ તમામ પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ સાથે મળીને એવા ઉકેલ પર પહોંચે.વેનેઝુએલામાં અમેરિકા દ્વારા કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી અને પ્રમુખ નિકોલસ માદુરોને કસ્ટડીમાં લેવાના અણધાર્યા ઘટનાક્રમ પર ભારત સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું છે કે, ભારત વેનેઝુએલાની વર્તમાન સ્થિતિને લઈને અત્યંત ચિંતિત છે અને તેમણે તમામ પક્ષોને લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે. લક્ઝમબર્ગમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન એસ. જયશંકરે કહ્યું કે, અમે તાજેતરના ઘટનાક્રમથી ચિંતિત છીએ. અમે આ વિવાદમાં સામેલ તમામ પક્ષોને વિનંતી કરીએ છીએ…
હવામાન વિભાગની આગાહી.બંગાળની ખાડી બાદ હવે હિન્દ મહાસાગરમાં તોફાનના ભણકારા.તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં મોટા પાયે વરસાદ અને ભારે હવાઓનું અનુમાન લગાવતા એલર્ટ જાહેર.હવામાન વિભાગે જણાવ્યું કે, મધ્ય હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીની ઉપર બનેલા એક એટમોસ્ફેરિક સર્કુલેશનના કારણે ૫ જાન્યુઆરીની સાંજે ૫.૩૦ વાગ્યે દક્ષિણ-પૂર્વી બંગાળની ખાડી અને ભૂમધ્ય રેખીય હિન્દ મહાસાગરની ઉપર લો પ્રેશરનું ક્ષેત્ર બની ગયું છે. ૬ જાન્યુઆરીની સવાર ૫.૩૦ વાગ્યા સુધી આ સિસ્ટમ ગાઢ ડિપ્રેશનમાં બદલાઈ ગયું અને તે વિસ્તારમાં બનેલું છે. આશા છે કે આ સિસ્ટમ ૭ જાન્યુઆરીના રોજ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર વધારે મજબૂત થઈને લો પ્રેશરનું ક્ષેત્ર બની જશે.…
સરકારનો અંદાજ RBI ના અંદાજ કરતા વધારે.નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં GDP વૃદ્ધિ દર ૭.૪% રહેવાની ધારણા.સરકારનો અંદાજ છે કે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં ભારતનો GDP વૃદ્ધિ દર વધીને ૭.૪ ટકા થઈ શકે છે. આ મુખ્યત્વે ઉત્પાદન અને સેવા ક્ષેત્રોના સુધારેલા પ્રદર્શનને કારણે છે. આ GDP વૃદ્ધિ અંદાજ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને અટકેલા ભારત-અમેરિકા વેપાર કરાર છતાં ભારતીય અર્થતંત્રની મજબૂતાઈને પ્રતિબિંબિત કરે છે. આ નવીનતમ સરકારી અંદાજ પાછલા નાણાકીય વર્ષ કરતા ૦.૯ ટકા વધારે છે. એ નોંધવું જાેઈએ કે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં દેશનો GDP વૃદ્ધિ દર ૬.૫ ટકા હતો. ચાલુ નાણાકીય વર્ષ માટે દેશના GDP વૃદ્ધિ દરનો આ…
ધ રાજા સાહેબ ફિલ્મમાં ઝરીના જાેવા મળશે.હિન્દી ફિલ્મોમાં પરિવાર ખતમ થઈ ગયા : ઝરીના વહાબ.પ્રભાસ અભિનીત ફિલ્મ ધ રાજા સાહેબની રિલીઝ તારીખ ભૂતકાળમાં ઘણી વખત બદલાઈ ગઈ છે.એક સમય હતો જ્યારે દક્ષિણ ભારતીય કલાકારો હિન્દી સિનેમા તરફ વળતા હતા. પરંતુ સમય બદલાઈ ગયો છે, અને હવે વધુ બોલિવૂડ સેલિબ્રિટીઓ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરતી જાેવા મળે છે. આ ચર્ચામાં તાજેતરનો ઉમેરો અભિનેત્રી ઝરીના વહાબ છે, જે દક્ષિણના સુપરસ્ટાર પ્રભાસની ખૂબ જ અપેક્ષિત હોરર કોમેડી ફિલ્મ “ધ રાજા સાબ” માં જાેવા મળશે.તાજેતરના એક કાર્યક્રમ દરમિયાન, ઝરીના વહાબ હિન્દી ફિલ્મો ટાળીને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરવાનું કેમ ટાળી રહી છે તે અંગે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



