- સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ, 29 ઓગસ્ટ સુધી પ્રકૃતિ-સંસ્કૃતિનો સંગમ જામશે
- પેપર લીક મુદ્દે રાહુલ ગાંધીના આકરા પ્રહાર, કોંગ્રેસ દેશવ્યાપી આંદોલનની તૈયારીમાં
- યશસ્વી જયસ્વાલ પર લાગવાનો હતો 4 મેચનો બેન! રહાણેએ ખોલ્યું 2022નું મોટું રહસ્ય
- મમતા બેનર્જીના કાફલા પર હુમલો, ગાડી પર કાદવ-બોટલો અને ચપ્પલ ફેંકાયા
- હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ઈરાનની 5 શરતો, અમેરિકાથી યુદ્ધનું વળતર માંગ્યું
- વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં ચૈતર વસાવાના પોસ્ટર મુદ્દે AAPનો ભાજપ પર ગંભીર આરોપ
- મહારાષ્ટ્રમાં મોંઘવારીનો માર: 11 ઓગસ્ટથી દૂધના ભાવમાં ₹2નો વધારો
- PM મોદીની અપીલ: ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાઈ ઘેર-ઘેર તિરંગો લહેરાવો
Author: garvigujrat
આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત સોમનાથથી કરવામાં આવી. યાત્રાની શરૂઆત પહેલાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત આગેવાનો અને કાર્યકર્તાઓએ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને આશીર્વાદ લીધા અને ત્યારબાદ AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેની પ્રથમ સભા ઘૂંસીયા ગામે યોજાઇ હતી. આ તકે સભાને સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ખેડૂત હિત અને યુવાનોના અધિકારો માટે શરૂ કરવામાં આવેલી આ યાત્રા સંઘર્ષ અને સંકલ્પની યાત્રા છે. તેમણે જણાવ્યું કે ૧૦૮ દિવસની તપશ્ચર્યા પૂર્ણ કરીને…
આમ આદમી પાર્ટીના નેતા પર ભાજપ દ્વારા હુમલો કરવામાં આવતા આપ પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જીગીશાબેન પટેલ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. એમનો વાંક માત્ર એટલો હતો કે ગોંડલમાં લોકોની ફરિયાદ સાંભળવા માટે જ્યારે લોકોએ તેમને બોલાવ્યા, ત્યારે તેઓ ત્યાં ગયા હતા. તેમણે ભાજપના કોર્પોરેટરને બોલાવી આ મુદ્દા પર રજુઆત કરી હતી.આજે ગુજરાતમાં ભાજપના નેતાઓનો અહંકાર એટલો વધી ગયો છે કે તેઓને હવે લોકોની વાત સાંભળવી પણ ગમતી નથી. કોઈ સવાલ પૂછે, કોઈ તેમના કામ અંગે પ્રશ્નો કરીને તેમને ઘેરવાની કોશિશ કરે તો તેઓ સહન કરી શકતા નથી.…
આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત સોમનાથથી કરવામાં આવી. યાત્રાની શરૂઆત પહેલાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત આગેવાનો અને કાર્યકર્તાઓએ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને આશીર્વાદ લીધા અને ત્યારબાદ AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં શરૂ થઈ છે. યાત્રાના પ્રારંભ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો, કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોમાં આ યાત્રાને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા…
આમ આદમી પાર્ટીના કચ્છ (પૂર્વ) પ્રમુખ ડો. કાયનાત અન્સારી આથાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે POCSO, એટલે કે 18 વર્ષથી નાની ઉંમરના બાળકો સાથે શારીરિક શોષણનો કાયદો. બાળકો સાથે થતા બળાત્કાર, કિડનેપિંગ અને શારીરિક અડપલા એ ફક્ત કોઈ ગુનો નથી પરંતુ એ આપણી કાનૂન વ્યવસ્થા પર મોટો કાળો ડાઘ છે. આંકડાઓ અનુસાર 5135 POCSOના કેસો પેન્ડિંગ છે. અમદાવાદ મેટ્રોસિટીમાં દર મહિને 25 બળાત્કારની ઘટનાઓ, 11 શારીરિક અડપલાઓની ઘટનાઓ અને 16 અપહરણની ઘટનાઓ મહિલાઓ વિરુદ્ધ ઘટે છે. વધુમાં AAP નેતા ડો. કાયનાત અન્સારી આથાએ જણાવ્યું હતું, જે સરકાર કહે છે કે “બેટી બચાવો બેટી…
આશરે ૧૨,૨૩૬ કરોડના કુલ ૮ મોટા ર્નિણયો પર મહોર સેવા તીર્થ ખાતે આયોજિત પ્રથમ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લેવાયા ઐતિહાસિક ર્નિણયો કેરળનું નામ બદલીને ‘કેરલામ‘ કરવાના પ્રસ્તાવ સહિત અમદાવાદ મેટ્રો અને રેલવે પ્રોજેક્ટ્સ માટે કરોડોની ફાળવણી વડાપ્રધાનના નેતૃત્વમાં આજે સેવા તીર્થ ખાતે પ્રથમવાર કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી, જેમાં આગામી ૨૦૪૭ સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના ‘સેવા સંકલ્પ‘ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, આ બેઠક માત્ર વહીવટી પ્રક્રિયા નથી પરંતુ નવા ભારતના ભવ્ય નિર્માણનો પાયો છે. દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની ટોચની ૩ અર્થવ્યવસ્થાઓમાં સ્થાન અપાવવાના લક્ષ્ય સાથે આશરે ૧૨,૨૩૬…
ગાંધીનગર સેક્ટર – ૨૩ સ્થિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે તા. ર૪મી ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ વરિષ્ઠ નિવૃત્ત અધિક માહિતી નિયામક શ્રીજ્યોતીન્દ્રભાઈ દવેના અધ્યક્ષ સ્થાને નિવૃત્ત માહિતી પરિવારનું સ્નેહમિલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં માહિતી ખાતાના ૭૦ વર્ષની વયના વરિષ્ઠ કર્મયોગી મિત્રોનું મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી સ્મૃતિચિન્હ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં માહિતી ખાતાના દિવંગત અધિકારી-કર્મચારઓના માનમાં બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શ્રી જ્યોતીન્દ્રભાઈ દવેએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ મંડળ નથી પરંતુ પરિવાર છે જેનું કોઈ બંધારણ નથી પણ મૈત્રીપૂર્ણ બંધન છે. આ પ્રસંગે નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના શ્રી અનિલ પટેલે નિસર્ગ કોમ્યુનિટી સેન્ટરની…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતના કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અશોકકુમાર મુન્નાલાલ સાહુ એ તા.૦૯/૦૧/૨૦૨૪ ના રોજ આરોપીઓ દિપક જગદીશપ્રસાદ અગ્રવાલ, શ્રીમતી મીનુબેન રાજેશભાઈ જોષી અને રાજેશભાઈ જોષી વિરુધ્ધ કરેલી લેખિત ફરિયાદને આજે બબ્બે વર્ષના વ્હાણાવાયા છતાં FSL નો રિપોર્ટ નથી આવ્યો એમ કહીને ફરિયાદી ને ધરમના ધક્કા તો ખવડાવેજ છે. સાથે સાથે આડકતરી રીતે કડોદરા પોલીસ જાણે કે આરોપીઓને છાવરી રહી હોય એવું ખુલ્લેઆમ દેખાય છે. છતાં પોલીસના પેટનું પાણી કેમ નથી હાલતું એ સમજમાં નથી આવતું. એક બાજુ ફરિયાદીએ આરોપીઓને અંકે રૂપિયા ૩૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ત્રીસ લાખ પુરા આપેલા એ નાણાં મળ્યા અંગેની પોતાની સહી સાથેની ડાયરી રાજેશ જોષી…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. વિશ્વમાં સૌથી મોટો એવો આપણો ભારત દેશ ચીન પછી બીજા નંબરે આવે છે. આપણો દેશ સૌથી મોટો લોકશાહી દેશ છે. અને આ લોકશાહીના મૂળભૂત આધારસ્તંભો પૈકી એક ન્યાયતંત્ર જ એવો સ્તંભ છે કે જેના પર દેશના તમામ નાગરિકોને અતૂટ વિશ્વાસ છે. ચૂંટાયેલા સભ્યોથી માંડીને વહીવટીતંત્ર સહિતના આધારસ્થંભો દેશના લોકોમાંથી વિશ્વાસ ગુમાવી ચૂકયા છે. કારણકે તેને ભ્રષ્ટાચારનો લૂણો લાગી ચૂકયો છે. જ્યારે દેશનું મીડિયા પણ પોતાના ભ્રષ્ટ આચરણને કારણે ભરોસાનો આધાર દેશની જનતામાંથી ગુમાવી ચૂકયું છે. ત્યારે એક માત્ર ન્યાયતંત્ર જ એવો આધારસ્તંભ છે કે જેના પર મોટા ભાગના નાગરિકોને પૂરો ભરોસો છે પરંતુ હવે જે રીતે…
United Statesમાં ‘હર્નાન્ડો’ તોફાનનો કહેર: 10,000 ફ્લાઈટ્સ રદ, 6 લાખથી વધુ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો
વીજ પુરવઠો ખોરવાતાં ૬ લાખથી વધુ ઘર, ઓફિસોમાં અંધારપટ અમેરિકામાં બરફનું તોફાન: ૧૦,૦૦૦ ફ્લાઈટ્સ રદ, ૪ કરોડ લોકોને અસર મેરિલેન્ડથી મેઈની સુધીના વિસ્તારોમાં વસતાં આશરે ચાર કરોડથી વધુ લોકો માટે હિમપ્રપાતની ચેતવણી જારી કરવામાં આવી અમેરિકાના ઉત્તર-પૂર્વીય ભાગોમાં સોમવારે આવેલાં શક્તિશાળી બરફના તોફાન હર્નાન્ડોને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કલાકની ૫૬ કિ.મી.ની પ્રચંડ ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાની સાથે થયેલાં હિમપ્રપાતને કારણે ન્યૂયોર્કમાં ૨૨ ઈંચ સહિત અનેક વિસ્તારોમાં એક ફૂટથી વધુ બરફ પડવાને કારણે શહેરના મોટાભાગના રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ટ્રેન સેવાઓ થંભી ગઈ છે. વિન્ટર સ્ટોર્મ હર્નાન્ડો નામની આ કુદરતી આફતના કારણે અંદાજે ૧૦,૦૦૦ જેટલી ફ્લાઈટ્સ રદ કરવાની…
સેમ મર્ચન્ટ સાથેના રોમેન્ટિક ફોટોએ રિલેશનશિપ કન્ફર્મ કર્યું તૃપ્તિનું કરોડપતિ બોયફ્રેન્ડ સાથે બર્થ ડે સેલિબ્રેશન સેમ મર્ચન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તૃપ્તિ સાથેનો એક કોઝી ફોટો શેર કરીને બર્થ ડે વિશ કર્યું ‘ઓ રોમિયો’માં શાહિદ કપૂર સાથે ઓન સ્ક્રીન રોમાંસ કરી રહેલી તૃપ્તિ ડિમરીની રિયલ લાઈફમાં ‘મજનૂ’ની એન્ટ્રી થઈ ગઈ છે. વાસ્તવમાં, તૃપ્તિએ ૨૩ ફેબ્રુઆરી પોતાનો ૩૨મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યાે. તેના આ ખાસ દિવસને તેના રૂમર્ડ બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટે વધુ ખાસ બનાવવા પ્રયાસ કર્યાે છે. બર્થ ડે સેલિબ્રેશનના ફોટો અને વીડિયો વાઇરલ થતાં જ ચાહકો માની રહ્યા છે કે તૃપ્તિ સેમના પ્રેમમાં છે.‘એનિમલ’ ફિલ્મથી ચાહકોના દિલમાં વસી જનારી તૃપ્તિને…




