- બ્રિટિશ યોટ પર રશિયાનું ચેતવણી ફાયરિંગ, ભારતીય કેપ્ટનની ધરપકડ બાદ તણાવ વધ્યો
- CJI સૂર્યકાંતની વધુ એક ટિપ્પણી વિવાદમાં, સાયબર ફ્રોડ આરોપીને કહ્યું ‘પરજીવી’
- ઈ-ચલણ ન ભરનાર વાહનો બ્લોક થશે, ટ્રાફિક નિયમ ભંગ પર કેન્દ્ર સરકારના કડક નવા નિયમો
- ઓપી રાજભરનો દાવો: સપાના અનેક નેતા ભાજપમાં જવા તૈયાર, તપાસથી નેતાઓ બેચેન
- અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર, કહ્યું—ટક્કર માટે પક્ષમાં બહાદુર ટીમ જરૂરી
- વર્લ્ડ કપ 2026માં ફ્રાન્સની ધમાકેદાર શરૂઆત, સેનેગલને 3-1થી હરાવી એમબાપ્પેનો ડબલ ગોલ
- ક્રૂડ ઓઇલના ભાવમાં 4 દિવસમાં 16%નો કડાકો, ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા વધી
- ગુજરાત SEZની 12 વર્ષની પ્રગતિ પર આઉટરીચ કાર્યક્રમ, નિકાસ ₹4.41 લાખ કરોડથી ₹8.63 લાખ કરોડ સુધી
Author: Garvi Gujarat
ફરહાન પણ સંજય લીલા, કરણના માર્ગે.ફરહાન અખ્તરે પણ પોતાની કંપનીનો ૩૦ ટકા હિસ્સો વેચ્યો.યુનિવર્સલની ભારતીય કંપનીના પદાધિકારીને એક્સેલના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં પણ એન્ટ્રી મળશે.બોલિવુડમાં એકલા હાથે કામ કરતા પ્રોડયૂસરોનો જમાન ખત્મ થઈ રહ્યો હોય તેમ હવે ફરહાન અખ્તરે પણ તેની પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેઈનમેન્ટનો ૩૦ ટકા હિસ્સો હોલિવુડની કંપની યુનિવર્સલ સ્ટુડિયોની ભારતીય પેટા કંપનીને વેચી દીધો છે. આ સોદામાં એક્સેલની વેલ્યૂ ૨૪૦૦ કરોડ આંકવામાં આવી છે. ૩૦ ટકા ભાગીદારીના બદલામાં યુનિવર્સલ એક્સેલના તમામ પ્રોજેક્ટસના મ્યુઝિક રાઈટ્સ હસ્તગત કરશે, યુનિવર્સલ નામનું મ્યુઝિક લેબલ પણ શરુ કરશે અને તે ઉપરાંત એક્સેલના તમામ પ્રોજેક્ટમાં નફામાં ભાગીદારી પણ ધરાવશે. યુનિવર્સલની ભારતીય કંપનીના પદાધિકારીને એક્સેલના…
બોલીવુડમાં પાછી ફરી અભિનેત્રી.કંગના રનૌત ભારત ભાગ્ય વિધાતા ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું.કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે મનોજ ટાપરિયા સાથે જાેવા મળ્યા હતી.બોલીવુડ અભિનેત્રી અને મંડી સાંસદ કંગના રનૌત ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે અને રાજકારણમાં વધુ સક્રિય છે. અભિનેત્રીએ શિયાળુ સત્ર દરમિયાન કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું, પરંતુ હવે, લાંબા સમય પછી, કંગના ફિલ્મ સેટ પર પાછી ફરી છે. તેણીએ શૂટિંગનો પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યાે છે. સેટ પર પાછા ફરવાનો અનુભવ અભિનેત્રી માટે આનંદદાયક રહ્યો છે.કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યાે છે, જેમાં તે મનોજ ટાપરિયા સાથે જાેવા મળે…
નેહા ધુપિયાએ કામ ન મળવાથી વધતી એંક્ઝાઇટી વિશે વાત કરી.આપણે પણ અક્ષય ખન્નાની જેમ ૬ વર્ષ સુધી ઘરે બેસવું જાેઈએ.ઇન્ડસ્ટ્રીમાંથી તમને હંમેશા મજબુત રહેવાની સલાહ મળે છે, પરંતુ વારંવાર કામ ન મળે તો તમે અકળાઈ જાઓ છા.નેહા ધુપિયાને તેની પરફેક્ટ ફેમિલી અને સિંગલ પાપા સિરીઝને કારણે તાજેતરમાં ઘણી પ્રશંસા મળી રહી છે. ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે ફિલ્મી દુનિયાની અનિશ્ચતતાઓ અંગે વાત કરી હતી, તેણે કહ્યું કે સારું કામ કરવાથી પણ સતત કામ મળતું રહેશે, તેની કોઈ ગેરંટી હોતી નથી. તેણે કહ્યું કે ત્રણથી ચાર વર્ષ કામ વિના બેસી રહેવાથી તેને પણ એંક્ઝાઇટી વધી જાય છે.નેહાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું, “હું…
સુપ્રીમ કોર્ટે ૧૭ ડિસેમ્બરે ર્નિદેશ જારી કર્યા હતા.દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા બાબતે તંત્ર ગંભીર નથી: સુપ્રીમ કોર્ટ.દિલ્હીમાં કામચલાઉ ટોલ પ્લાઝા બંધ કરવામાં આનાકાની બદલ સર્વોચ્ચ અદાલતે CAQM ની ઝાટકણી કાઢી. પ્રદૂષણ પર નિયમન કરનારી કેન્દ્રીય સંસ્થા પોતાની ફરજ બાબતે ગંભીર ન હોવાની ટિપ્પણી કરી હતી. દિલ્હીમાં ટોલ પ્લાઝાને કામચલાઉ બંધ કરવા અથવા ખસેડવા માટે સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું હતું. આ બાબતે ર્નિણય લેવા માટે કમિશન ઓફ એર ક્વોલિટી મેનેજમન્ટ (CAQM) દ્વારા બે અઠવાડિયાનો સમય માગવામાં આવ્યો હતો.સુપ્રીમ કોર્ટે આ વલણ પ્રત્યે નારાજગી દર્શાવી હતી. CAQM ને હવાની ગુણવત્તા બગાડી રહેલા પરિબળો જાણવામાં અને દિલ્હીમાં એર કવોલિટી ઈન્ડેક્સ સુધારવામાં કોઈ રસ હોય…
આ કેસની સુઓમોટો સુનાવણી ગત વર્ષે ૨૮ જુલાઈથી શરૂ કરી હતી.શ્વાન જેટલી અરજીઓ કોઈ માણસના કેસમાં નથી આવતી: સુપ્રીમ કોર્ટ.વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળે કૂતરાં કરડી જવાની ઘટનાઓ વધવા બાબતે સુપ્રીમ કોર્ટે ૭ નવેમ્બરે હુકમ કર્યો હતા.શેરીમાં રખડતા શ્વાન માટે સુપ્રીમ કોર્ટમાં સંખ્યાબંધ અરજીઓ આવી છે અને સતત નવી અરજીઓ થઈ રહી છે. આ બાબતની નોંધ લેતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યુ હતું કે, શ્વાન માટે જેટલી અરજીઓ આવે છે, તેટલી અરજીઓ માણસના કિસ્સામાં આવતી નથી. બે વકીલે રખડતા શ્વાનની મેટર મેન્શન કરી ત્યારે જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મેહતાની બેન્ચે આ ટકોર કરી હતી. તેમણે નોંધ્યુ હતું…
વેપાર કરાર, ઓપરેશન સિંદૂરના મીડિયા કવરેજ સહિતના મુદ્દે સહાય મેળવી હતી.ભારતે USમાં પોતાનાં હિતોને આગળ ધપાવવા લોબિંગ કંપનીની મદદ લીધી હતી.ભારતીય દૂતાવાસ ૧૯૫૦ના દાયકાથી વિવિધ સરકારો હેઠળ સ્થાનિક પ્રથા અને જરૂરિયાતો અનુસાર આવી કંપનીઓની સહાય લેતું આવ્યું છ.વોશિંગ્ટન ખાતેના ભારતના દૂતાવાસે સૂચિત વેપાર કરાર અને ઓપરેશન સિંદૂરના મીડિયા કવરેજ સહિતના મુદ્દા પર દેશના હિતોને આગળ ધપાવવા માટે અમેરિકાની એક લોબિંગ કંપનીની સહાય લીધી હતી. SHW પાર્ટનર્સ નામની કંપનીએ ફોરેન એજન્ટ રજિસ્ટ્રેશન એક્ટ (FARA) હેઠળ અમેરિકાના ન્યાય વિભાગને (DoJ)ને સુપરત કરેલી માહિતીમાં આ બાબતનો ખુલાસો થયો હતો. આ અંગે પ્રતિક્રિયા આપતાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે અમેરિકામાં વિદેશી મિશન અને બિઝનેસ…
PR મેળવવું બ્રિટન કરતાં સરળ.ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા!.નવા નિયમો મુજબ ૨૦૨૬-૨૭થી વર્ક વિઝાનો સમયગાળો ઘટાડીને માત્ર ૧૮ મહિના સુધી મર્યાદિત કરી દેવામાં આવ્યો છે.વિદેશમાં ભણીને ત્યાં જ સ્થાયી થવાનું સપનું જાેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે હવે યુનાઇટેડ કિંગડમ (UK) કરતા કેનેડા વધુ આકર્ષક અને સરળ વિકલ્પ બનીને ઉભરી આવ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, ‘સ્ટડી-ટુ-ઈમિગ્રેટ’ એટલે કે ભણ્યા પછી ત્યાંનું કાયમી નાગરિકત્વ મેળવવાની બાબતમાં કેનેડાએ યુકેને પાછળ છોડી દીધું છે. જાેકે બંને દેશોએ આવાસ અને વસ્તીના દબાણને કારણે ઈમિગ્રેશનના નિયમો સખત કર્યા છે, તેમ છતાં કેનેડાની સિસ્ટમ આજે પણ વધુ સ્પષ્ટ અને ઝડપી માનવામાં આવે છે.કેનેડામાં ઉચ્ચ શિક્ષણ પૂર્ણ…
સોનાના વાયદાના ભાવમાં રૂ.309 અને ચાંદીના વાયદામાં રૂ.3811ની વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં રૂ.17નો સુધારો કોમોડિટી વાયદાઓમાં રૂ.36349.14 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.92828.71 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 27783.62 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36098 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.129187.15 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.36349.14 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.92828.71 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 36098 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1987.73 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 27783.62 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.138666ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.138776 અને નીચામાં રૂ.138001ના…
સુરક્ષાને લઈ દોડધામ.ગાંધીનગર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી.હાલ પ્રાથમિક તપાસ ચાલી રહી છે અને ધમકી સાચી છે કે ખોટી તેની ચકાસણી કરવામાં આવી રહી છે.ગાંધીનગર સ્થિત કલેક્ટર કચેરીમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની ધમકી મળતા અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સમગ્ર કચેરી ખાલી કરાવવામાં આવી હતી અને કર્મચારીઓ તેમજ હાજર નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ પોલીસ વિભાગ અને પ્રશાસન એલર્ટ પર આવી ગયું હતું. ધમકી મળ્યાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. કચેરીના દરેક ખૂણાની…
સ્યુસાઈડ નોટમાં ચોંકાવનારા ખુલાસા.સાંતલપુરના મામલતદારના આપઘાત મામલે ૧૧ લોકો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ.બ્લેકમેલિંગ અને સતત દબાણને કારણે તેઓ ભારે માનસિક તણાવમાં હતા, જેના અંતે તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છ.પાટણના સાંતલપુરના મામલતદારે માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ મામલે હવે થરાદ પોલીસ મથકે ૧૧ જેટલા શખ્સો સામે નામજાેગ ફરિયાદ નોંધવામાં આવી છે. સાંતલપુરના મામલતદારે તાજેતરમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી પ્રવાહી ગટગટાવી લીધું હતું. તેમની તબિયત લથડતા તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ ગંભીર હાલત જણાતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેઓ નિષ્ણાંત…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



