Author: Garvi Gujarat

ચક્રવાત મોન્થાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે: ચક્રવાતને લઈ પીએમ મોદીએ સીએમ નાયડુ સાથે કરી વાત મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે ફોન પર વાત કરી અને વાવાઝોડા વિશે પૂછપરછ કરી. બંગાળની ખાડીમાં વિકસિત થઈ રહેલા ચક્રવાત મોન્થાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. IMD મુજબ, આ ચક્રવાતી વાવાઝોડું (હાલની ગતિ ૯૦-૧૦૦ કિમી પ્રતિ કલાક) આગામી ૨૪ કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાન બની શકે છે, જે ૨૮ ઑક્ટોબરની સાંજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. તેની અસરથી ચેન્નાઈમાં હળવા ઝાપટાં શરુ થઈ ગયા છે, જે ધીમે ધીમે તીવ્ર બની શકે છે.IMD અનુસાર, મોન્થા ચક્રવાતી તોફાનને કારણે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ અને…

Read More

આલિયા ભટ્ટ સાથે કામ કરશે ‘પઠાણ’ બાદ હવે શાહરુખ ખાનની આ સ્પાય યુનિવર્સ ફિલ્મમાં થશે એન્ટ્રી ‘આલ્ફા’ બાદ આલિયા ભટ્ટ સંજય લીલા ભણસાલીની “લવ એન્ડ વોર”માં રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે જાેવા મળશે મુંબઈ: અભિનેત્રી આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ “આલ્ફા”ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે, જેમાં નિર્માતાઓ ફિલ્મની આસપાસ હાઇપ વધારવા માટે રૂઇહ્લ સ્પાય યુનિવર્સના એક મોટા સુપરસ્ટારનો કેમિયો રોલ તૈયાર કરી રહ્યા હોવાના અહેવાલ છે.નોંધનીય છે કે “ટાઈગર ૩” અને મોટી ફ્લોપ સાબિત થયેલી “વોર ૨” જેવી પાછલી ફિલ્મો જાેઈએ તેટલી સફળ ન થતાં, નિર્માતા આદિત્ય ચોપરાએ “આલ્ફા” માં મોટા…

Read More

અભિનેતાએ સોશિયલ મીડિયા પર દુ:ખ વ્યક્ત કરતાં કરી પોસ્ટ ‘હું ઇચ્છું છું કે, મારા કામથી લોકો મને યાદ રાખે’ : પાર્થ અભિનેતા પાર્થ સમથાન છેલ્લે ‘CID’ માં જોવા મળ્યો હતો. પાર્થે CID માં આયુષ્માનની ભૂમિકા ભજવી હતી. ટીવી એક્ટર પાર્થ સમથાન ઘણા મહિનાઓથી સોશિયલ મીડિયાથી દૂર છે. અભિનેતાએ પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ માહિતી શેર કરી છે. પાર્થે લખ્યું, ‘ઇન્સ્ટાગ્રામ પર હું ઘણા સમયથી અનએક્ટિવ છું, કારણ કે હું મારા જીવનમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો, જેમાં મેં ઘણું સહન કર્યુ.’ પાર્થે વધુમાં આગળ કહ્યું કે, ‘આ એક એવો સમય હતો જ્યારે હું ખૂબ જ નિરાશા અનુભવી…

Read More

આ ફિલ્મને ૨૦૨૬ના મધ્યમાં રિલીઝ કરવાની યોજના છે અક્ષયકુમાર જલ્દી ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ શરૂ કરશે આ ફિલ્મમાંઅક્ષયકુમારની સાથે સંજય દત્ત, સુનીલ શેટ્ટી, અરશદ વારસી, પરેશ રાવલ વિગેરે મહત્ત્વના રોલમાં જાેવા મળશે અક્ષયકુમાર ફરી પાછો પોતાની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ જંગલ’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મ ‘વેલકમ-૩’ તરીકે પણ જાણીતી છે. એક રિપોર્ટના જણાવ્યાનુસાર અક્ષયકુમાર નવેમ્બર મહિનાથી ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ શરૂ કરવાનો છે. જે ૧૫ દિવસ સુધી ચાલશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આ ફિલ્મના શૂટિંગમાં ફિલ્મની પૂરી સ્ટારકાસ્ટ જાેડાવવાની છે. આગલા વરસની શરૂઆત સુધીમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કરવામાં આવશે. જેથી ફિલ્મને ૨૦૨૬ના મધ્યમાં રિલીઝ કરી શકાય.અહમદ…

Read More

સોનાના વાયદાના ભાવમાં રૂ.2020 અને ચાંદીના વાયદામાં રૂ.3,049ની નરમાઈઃ ક્રૂડ તેલમાં રૂ.9નો સુધારોકોમોડિટી વાયદાઓમાં રૂ.36930.83 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.300669.68 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 31011.47 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 28518 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સ તથા ઓપ્શન્સમાં રૂ.337618.96 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.36930.83 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.300669.68 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 28518 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2665.58 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 31011.47 કરોડનાં…

Read More

**SMSથી મળી જશે તમામ માહિતી તમારા પોલીસ કેસ માટે, વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની હવે જરૂર નથી; નાગરિકોની સુવિધા માટે SMS સિસ્ટમ શરૂ, જે ફરિયાદીને કેસને લગતા ઓટોમેટિક SMS અપડેટ મોકલે છે** ફરિયાદીને પોતાના કેસની પ્રગતિ અંગેના અપડેટ્સ ઘરે બેઠા જ SMS મારફતે આપવામાં આવી રહ્યા છે. રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે હવે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા પડતા નથી. SMS સિસ્ટમ નાગરિકોને તેમની ફરિયાદની સ્થિતિ વિશે સીધી માહિતી આપીને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારે છે. રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા…

Read More

વાઈસ ચેરમેન ભાવાભાઈ ચૌધરી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન બન્યા શંકર ચૌધરી શંકર ચૌધરી સતત ત્રીજી વખત બનાસ ડેરીના ચેરમેન બન્યા : શંકરભાઈ ચૌધરીની સર્વાનુમતે થઈ વરણી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની વરણી થઈ છે. તો વાઈસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારીની વરણી કરાઈ છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં આ વરણી કરાઈ છે. ત્યારે શંકર ચૌધરી સતત ત્રીજી ટર્મમાં બનાસ ડેરીના ચેરમેન બન્યા છે. આ સાથે જ શંકર ચૌધરીનો બનાસ ડેરી પર દબદબો જાેવા મળ્યો છે . એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં ચેરમેનની આજે વરણી કરાઈ હતી. બનાસ ડેરીની બોર્ડ મિટિંગ બાદ ડેરીના નવા ચેરમેનની વરણી…

Read More

પાક.ની ISIS મોડ્યૂલથી હુમલાની ફિરાકમાં દિલ્હીમાં આઇએસનું હુમલાનું કાવતરું, બે શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા. ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવી ભારતીય યુવકોનું બ્રેઇનવોશ કરી કટ્ટરવાદી બનાવવાની જાળ. દિલ્હી પોલીસે દિવાળીની ઉજવણી વચ્ચે આતંકી સંગઠન આઇએસના મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે અને બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. દિલ્હીના સાદિક નગર અને ભોપાલમાં ઓપરેશન દરમિયાન આ બન્ને આરોપીઓ ઝડપાયા હતા. સોશિયલ મીડિયા માધ્યમથી આરોપીઓ ભારતીય યુવકોમાં કટ્ટરવાદ પણ ફેલાવી રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બન્ને આરોપીઓ આતંકી સંગઠન ISIS સાથે સંકળાયેલા છે. અને દિલ્હીમાં મોટા આતંકી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતા. બન્ને આરોપીઓની પાસેથી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને શંકાસ્પદ દસ્તાવેજો…

Read More

ગેંગવોર અને કરોડોની લેણદેણનો ઘટસ્ફોટ સિંગર ફાજિલપુરિયા ફાયરિંગનો માસ્ટરમાઈન્ડ સ્વિટ્ઝરલેન્ડથી ઝડપાયો આરોપી અને કથિત માસ્ટરમાઇન્ડ સુનિલ સરધાનિયાને સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચથી ભારત લાવવામાં આવી રહ્યો છે હરિયાણાના જાણીતા ગાયક રાહુલ ફાજિલપુરિયા પર થયેલા ગોળીબારની ઘટનાના મુખ્ય આરોપી અને કથિત માસ્ટરમાઇન્ડ સુનિલ સરધાનિયાને સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચથી ભારત લાવવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ઈન્ટરપોલની મદદથી સુનિલ સરધાનિયાનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું અને હવે તેને ભારતીય પોલીસને સોંપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. નોંધનીય છે કે, સુનિલને દિલ્હી એરપોર્ટ પરથી સીધો ગુરુગ્રામ લાવવામાં આવશે, જ્યાં પોલીસ તેની સઘન પૂછપરછ કરશે. અહેવાલો અનુસાર, સુનિલ સરધાનિયા પર માત્ર રાહુલ ફાજિલપુરિયાની કાર પર ગોળીબાર કરાવવાનો જ નહીં,…

Read More

મદ્રાસ હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો ક્રિપ્ટો કરન્સી હવે સંપત્તિ ગણાશે, કાયદા હેઠળ થશે કાર્યવાહી ક્રિપ્ટોકરન્સી ભૌતિક સંપત્તિ કે કરન્સી નથી પરંતુ તે એક એવી સંપત્તિ છે, જેને વ્યક્તિ પોતાની પાસે રાખી શકે છે મદ્રાસ હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યું કે, ક્રિપ્ટોકરન્સી ભારતીય કાયદા હેઠળ સંપત્તિ ગણાશે. તે લીગલ ટેન્ડર ન હોવા છતાં તેમાં સંપત્તિના તમામ ગુણ ઉપલબ્ધ છે. જસ્ટિસ આનંદ વેંકટેશે કહ્યું કે, ક્રિપ્ટોકરન્સી ભૌતિક સંપત્તિ કે કરન્સી નથી. પરંતુ તે એક એવી સંપત્તિ છે, જેને વ્યક્તિ પોતાની પાસે રાખી શકે છે. અથવા ટ્રસ્ટમાં મુકી શકે છે. આ ર્નિણય એક ક્રિપ્ટો રોકાણકારની અરજી પર સંભળાવવામાં આવ્યો હતો. એક રોકાણકારનું એક્સઆરપી હોલ્ડિંગ્સ…

Read More