Author: garvigujrat

CCI ની તમામ શરતો સ્વીકારી,સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ વ્હોટ્સએપ-મેટા ઘૂંટણીયે!.યુઝર્સનો ડેટા સુરક્ષિત હોવાનું આપ્યું આશ્વાસન.સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતના કડક વલણ બાદ વ્હોટ્સએપ અને મેટાએ CCI ના આદેશને સ્વીકારી લીધા છે. હવે જાહેરાત માટે ડેટા શેરિંગ પર યુઝર્સનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ભરોસો અપાવ્યો છે કે ૧૬ માર્ચ ૨૦૨૬ સુધી પ્રાયવસી સુરક્ષાના તમામ નિયમ લાગુ કરી દેવામાં આવશે. કોર્ટે કંપનીની રોક લગાવનારી અરજી ફગાવી દીધી છે. આ ચુકાદો ભારતીય યુઝર્સની ડિજિટલ ગોપનિયતા માટે મોટી જીતના રૂપે જાેવાઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં વ્હોટ્સએપએ કહ્યું કે હવે લોકોની પ્રાયવેટ જાણકારી કોઈની જાગીર નહીં હોય, કોર્ટમાં વ્હોટ્સએપ તરફથી રજૂઆત કરી…

Read More

વડાપ્રધાન મોદીના પ્રવાસમાં થઈ શકે છે મોટી ડીલ.ઈઝરાયલ પોતાની સંરક્ષણ સિસ્ટમની ટેકનીક ભારતને સોંપવા માટે તૈયાર.આ ડીલમાં ઈઝરાયલ આયરન ડોમની બનાવવાની રીત, ડિઝાઈન અને ગુપ્ત ટેકનીકો ભારતને સોંપી શકે છે.ભારત-ઈઝરાયલ વચ્ચે ભારતીય સેનાની શક્તિમાં અદમ્ય વધારો કરતી અને ભારતના દુશ્મનોનું ટેન્શન વધારતી ઐતિહાસિક સંરક્ષણ ડીલ થવાની છે. મુંબઈમાં ઈઝરાયલના કોન્સ્યુલેટ જનરલ યાનિવ રેવાચે સંકેત આપ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયલ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે પરસ્પર સંરક્ષણ સમજૂતી થવાની છે. આ ડીલમાં ઈઝરાયેલનું અભેદ્ય સુરક્ષા કવચ એટલે કે આયરન ડોન મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ સામેલ છે. ઈઝરાયલ ‘આયરન ડોમ‘ની બનાવવાની રીત, ડિઝાઈન અને ગુપ્ત ટેકનીકો ભારતને સોંપી શકે છે. ઈઝારયલી…

Read More

ભારતમાં AIની સાઈડ ઈફેક્ટ દેખાઈ જાણીતી કંપનીએ ૧૦૦૦ કર્મચારીઓની છટણી કરી ભારતીય હોમ ઇન્ટીરિયર પ્લેટફોર્મ લિવસ્પેસે એઆઈ અપનાવીને લગભગ ૧૦૦૦ કર્મચારીઓની છટણી કરી એઆઈને કારણે વર્ષ ૨૦૨૫માં વૈશ્વિક ધોરણે ૫૫૦૦૦થી વધુ કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી. એમેઝોન, માઈક્રોસોફ્ટ, યુપીએસ, પિન્ટરેસ્ટ, આઈબીએમ, મેટા, ઈન્ટેલ જેવી કંપનીઓએ સ્ટાફમાં ઘટાડો કર્યો છે. હવે, આ લિસ્ટમાં ભારતીય હોમ ઇન્ટીરિયર પ્લેટફોર્મ લિવસ્પેસ જાેડાઈ ગયું છે. તેમણે એઆઈ અપનાવીને લગભગ ૧૦૦૦ કર્મચારીઓની છટણી કરી છે. કંપનીના કો-ફાઉન્ડર સૌરભ જૈને પણ પદ છોડયું છે. લિવસ્પેસમાં છેલ્લા છ મહિનાથી તબક્કાવાર રીતે છટણી કરવામાં આવી છે. જેમાં, ડિઝાઇન, સેલ્સ, ઓપરેશન્સ અને માર્કેટિંગ સહિતના અનેક વિભાગોને અસર થઈ છે. છટણી…

Read More

રૉકેટના પ્રોપલ્શન સિસ્ટમમાં હીલિયમ પ્રવાહમાં ખામી એસ્ટ્રોનોટ્સને ચંદ્રની ફરતે મોકલવાના મિશનને નાસાએ એપ્રિલ સુધી લંબાવ્યું સ્પેસ લોન્ચ સિસ્ટમના રૉકેટની સમસ્યા તેની ઇન્ટરિમ ક્રાયોજેનિક પ્રોપલ્શન સ્ટેજમાં હીલિયમ પ્રવાહમાં ખામી આવી નાસા દ્વારા તેના એસ્ટ્રોનોટ્સને ચંદ્રની ફરતે ભ્રમણ કરવા માટેનું મિશન આર્ટેમિસ ૨ને એપ્રિલ સુધી લંબાવી દીધું છે. આ મિશન પહેલાં ૬ માર્ચે લોન્ચ થવાનું હતું. આ માટેની તમામ તૈયારીઓ ચાલી રહી હતી. જાેકે ૨૦ ફેબ્રુઆરીએ રૂટિન ચેકઅપ દરમિયાન સ્પેસ લોન્ચ સિસ્ટમ રૉકેટમાં ખામી જાેવા મળી હતી. આ ખામીને કારણે મિશનને લંબાવી દેવામાં આવ્યું છે અને હવે તે માર્ચની જગ્યાએ એપ્રિલમાં લોન્ચ કરવામાં આવશે. સ્પેસ લોન્ચ સિસ્ટમના રૉકેટની સમસ્યા તેની ઇન્ટરિમ ક્રાયોજેનિક…

Read More

નેપાળમાં ગુપ્ત બેઠક મળી ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે ચીન અને નફફટ પાકિસ્તાન ચીન અને પાકિસ્તાન નેપાળની જમીનનો ઉપયોગ કરી રહ્યું છે : બેઠકમાં પાકિસ્તાન અને ચીનના ૭ પ્રમુખ અધિકારીઓ સામેલ હતા નેપાળની રાજધાની કાઠમાંડુના સૌથી સુરક્ષિત વિસ્તાર બાલુવાટારમાં ૧૬ ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન અને ચીનના અધિકારીઓની એક સીક્રેટ બેઠક થઈ હતી. આ બેઠકમાં ચીન અને પાકિસ્તાનના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. ખાસ વાત એ હતી કે, આ બેઠકમાં નેપાળ સ્થિત પાકિસ્તાન દૂતાવાસમાં તૈનાત પાકિસ્તાની ડિફેન્સ અટૈચી કર્નલ હફીઝ ઉર રહમાન પણ સામેલ હતા. આ બેઠકમાં ભારતને અસ્થિર કરવા માટે અરુણાચલ પ્રદેશના નામ પર સાજિશનો એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો…

Read More

આસિસ્ટન્ટ કોચ રાયન ટેન ડોશેટે કહ્યું સાઉથ આફ્રિકા સામેની હાર બાદ બદલાઈ જશે ટીમ ઈન્ડિયા સંજુ સેમસન આગામી દિવસોમાં ચર્ચાનો વિષય બનશે અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા સામે મળેલી કારમી હારથી ટીમ ઈન્ડિયાની રણનીતિ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની સુપર ૮ મેચમાં સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે ૭૬ રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો.T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ ભારતની સૌથી મોટી હાર છે. આ હાર બાદ ટીમ કોમ્બિનેશનમાં ફેરફાર અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે અને જે નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે સંજુ સેમસન છે. મેચ પછી આસિસ્ટન્ટ કોચ રાયન…

Read More

તેહરાન પર અમેરિકી હુમલાની આશંકા વધી ભારતે પોતાના નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવાનું કહ્યું ભારતીય દૂતાવાસ સાથે નિયમિત સંપર્ક જાળવવા વિનંતી ઈરાન અને પશ્ચિમ એશિયા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે ત્યાંના તેના નાગરિકો માટે એક મોટું એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય દૂતાવાસે સોમવારે એક નવી એડવાઈઝરી જારી કરીને તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવા વિનંતી કરી છે. આગામી દિવસોમાં અમેરિકા દ્વારા સંભવિત લશ્કરી કાર્યવાહીની ચિંતા વચ્ચે આ સલાહ આપવામાં આવી છે. એડવાઈઝરીમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકો, પછી ભલે તે વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ, વ્યવસાયિક પ્રવાસીઓ અથવા પ્રવાસીઓ હોય તેમણે કોઈપણ ઉપલબ્ધ માધ્યમથી શક્ય તેટલી વહેલી તકે ઈરાન છોડવું જાેઈએ.…

Read More

સોનાના વાયદામાં રૂ.2817 અને ચાંદીના વાયદામાં રૂ.12190નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.21 લપસ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.26485.12 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.135764.25 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 21459.88 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39784 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.162253.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.26485.12 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.135764.25 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 39784 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2027.1 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 21459.88 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.158458ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.160600 અને…

Read More

ખાલિસ્તાની જૂથના નામે આવ્યો ઇમેઇલ લાલ કિલ્લા-દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારની સંપૂર્ણ તપાસ કરી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ હાશકારો અનુભવ્યો દિલ્હી પોલીસને આજે(૨૩ ફેબ્રુઆરી) દિલ્હી વિધાનસભા અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો હતો. આ ધમકી કથિત રીતે ખાલિસ્તાની જૂથના નામે મોકલવામાં આવી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓને સતર્ક કરવામાં આવી હતી. ધમકી મળતાં જ દિલ્હી વિધાનસભા સંકુલમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારની સંપૂર્ણ તપાસ કરી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. દિલ્હી પોલીસે કહ્યું…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકા જાણે કે ભ્રષ્ટાચારનો અખાડો બની ગઈ હોય એમ ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન થયેલા અધિકારીઓ સુરત મ.ન.પા ને જાણે કે દલા તલવારીનું ખેતર સમજી ગયા હોય એમ પોતાના હોદ્દાની રૂએ લાંબી ટૂંકી રોકડી કરવામાં પાછા નહીં પડતાં અને અરજદારને મજબૂર બનાવી ખંખેરી લેતા હતા. સદર અધિકારીઓ વિરુધ્ધ સુરત મ.ન.પા ની વિજિલન્સમાં કેટલીય લેખિત ફરિયાદો અરજદારો ધ્વારા કરવામાં આવતી હોવા છતાં આજદિન સુધી સુરત મ.ન.પા ની વિજિલન્સ બ્રાન્ચે કશું ઉકાળ્યું નહીં હોવાથી મ.ન.પા ના અધિકારીઓની જોહુકમીથી કંટાળેલા અરજદારો હવે જાગૃત બની ને ACB (એન્ટી કરપ્શન બ્રાન્ચ) નો સંપર્ક કરી ને મ.ન.પા અધિકારીઓને સાણસામાં લઈ રહયા છે.…

Read More