Author: Garvi Gujarat

કોમેડિયન એક્ટર રાજપાલ યાદવનું નિવેદન વાઈરલ મારા વગર સલમાન-અક્ષય કુમાર પણ નથી ચાલી શકતા રાજપાલ યાદવ ચેક-બાઉન્સ કેસમાં ફેબ્રુઆરીમાં તિહાર જેલમાં સરેન્ડર કર્યા બાદ હાલમાં જામીન પર છે અભિનેતા રાજપાલ યાદવ ચેક-બાઉન્સ કેસમાં ફેબ્રુઆરીમાં તિહાર જેલમાં સરેન્ડર કર્યા બાદ હાલમાં જામીન પર છે. સરેન્ડર કરતા તેમણે કહ્યું હતું કે મારી પાસે ચૂકવવા માટે પૈસા નથી, ત્યારબાદ અભિનેતાની આર્થિક સ્થિતિ અંગે વ્યાપક ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જાેકે, જામીન મળ્યા બાદ તેણે સ્પષ્ટતા કરી હતી કે, પોતાના લગભગ ત્રણ દાયકાના લાંબા કરિયરમાં હું ક્યારેય કામ વગર નથી રહ્યો. હવે તાજેતરમાં જ ફરાહ ખાનના યુટ્યુબ વ્લોગ પર વાતચીત દરમિયાન આ અંગે ફરીથી…

Read More

ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટના દાવાથી ખળભળાટ ૮૦ ટકા પાકિસ્તાનીઓ ગે છે, ત્યાં કોઈ નોર્મલ નથી ઈન્ટરવ્યુમાં તેણે આ મુદ્દાને પાકિસ્તાનનું એક ઓપન સીક્રેટ ગણાવ્યું છે, જેના વિશે દરેક લોકો જાણે છે પણ સ્વીકારતા નથી પાકિસ્તાનના ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ હિના બલોચનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેમણે એક ચોંકાવનારો અને સનસનીખેજ દાવો કર્યો છે કે, ૮૦% પાકિસ્તાનીઓ ગે છે અને બાકી રહેલા ૨૦% લોકો બાયસેક્સ્યુઅલ છે. હિનાનું માનવું છે કે, પાકિસ્તાનની સમગ્ર વસતી LGBTQ સમુદાયનો ભાગ છે, પરંતુ સામાજિક દબાણ, ધર્મ અને કૌટુંબિક ઈજ્જતના ડરને કારણે લોકો પોતાની અસલી ઓળખ છુપાવીને રાખે છે. એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં…

Read More

રશિયાથી પણ ઓઇલ ખરીદીમાં વધારો મિડલ ઈસ્ટમાં સંકટ વચ્ચે ભારતની જરૂરિયાતો પૂરી કરશે નાના દેશો LPG માટે નાઇજીરિયા, ઘાના, અંગોલાની લેવાઈ મદદ મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ અને ઈરાન દ્વારા વ્યૂહાત્મક રીતે મહત્ત્વના ગણાતી હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરી દેવાતા સમગ્ર વિશ્વમાં તેલ અને ગેસનું સંકટ પેદા થયું છે. દુનિયાના કુલ ઊર્જા પરિવહનનો ૨૦% હિસ્સો આ રસ્તેથી પસાર થાય છે અને ભારત પોતાની જરૂરિયાતનું ૪૦થી ૫૦% ક્રૂડ ઓઇલ આ માર્ગે મંગાવે છે. આમ છતાં, ભારતની મજબૂત કૂટનીતિને કારણે અન્ય દેશોની સરખામણીએ ભારતીય બજારોમાં આ જંગની અસર ઓછી જાેવા મળી રહી છે. ભારત સરકારે મોટા દેશો પર ર્નિભર રહેવાને બદલે આફ્રિકાના નાના…

Read More

ત્રણ જહાજાેના કાફલા સાથે નીકળ્યું ભારતીય જહાજ ઈરાનના નાક નીચે હોર્મુઝ સ્ટ્રેટ પાસેથી ભારતે શોધ્યો નવો દરિયાઈ માર્ગ ! આ જહાજાે ઓમાની દરિયાઈ સરહદ પાસેથી પસાર થઈ રહ્યા છે, એક એવો વિસ્તાર જ્યાં ઈરાન હુમલા કરી શકતું નથી હોર્મુઝ સ્ટ્રેટ પાસેથી અન્ય ત્રણ જહાજાે સાથે એક ભારતીય જહાજ પણ બહાર નીકળી ગયું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં કોમર્શિયલ જહાજાે માટે એક નવો માર્ગ ખુલતો હોય તેવું લાગે છે. આ રસ્તો ના તો પ્રમાણભૂત શિપિંગ લેનમાંથી પસાર થાય છે કે ના તો ઈરાન દ્વારા તાજેતરમાં સ્થાપિત કરાયેલ રસ્તામાંથી પસાર થાય છે. AIS (ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ) અને રિમોટ સેન્સિંગમાંથી મેળવેલા ડેટા સૂચવે છે કે…

Read More

ગનમેન સાથે ઝપાઝપી કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો પોલીસે એક આરોપીની ધરપકડ કરી કસ્ટડીમાં લીધો કોંગ્રેસ સાંસદ શશી થરૂરના ગનમેન અને ડ્રાઈવર પર હુમલો થયાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના કેરળના વંડૂર વિસ્તારમાં બની હતી, જ્યાં પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે અને બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવારે સાંજે લગભગ ૭:૩૦ વાગ્યે ચેલિથોડે વિસ્તારમાં બની હતી. તે સમયે શશી થરૂર એક ચૂંટણી કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. રિપોર્ટ મુજબ, રસ્તામાં ચેલિથોડે પુલ પાસે રસ્તો સાંકડો હોવાને કારણે જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન બે ગાડીઓમાં સવાર પાંચ…

Read More

યાત્રા શરૂ થાય તે પહેલા જ બદલાયું હવામાન મનમોહક નજારો : બાબા કેદારનાથમાં ફરી હિમવર્ષા આ હિમવર્ષાને કારણે ચારધામ યાત્રાની તૈયારીઓમાં જાેતરાયેલા તંત્ર અને શ્રમજીવીની મુશ્કેલીઓમાં વધારો બાબા કેદારના ભક્તો માટે એક તરફ કપાટ ખુલવાની આતુરતા છે, તો બીજી તરફ કુદરત પોતાની અલગ જ રમત રમી રહટ્ઠષ્ઠી છે. હિમાલયના શિખરો પર હવામાન પલટાયું છે અને એપ્રિલ મહિનામાં પણ કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષાનો દોર જામ્યો છે. આ હિમવર્ષાને કારણે ચારધામ યાત્રાની તૈયારીઓમાં જાેતરાયેલા તંત્ર અને શ્રમજીવીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આગામી ૨૨ એપ્રિલના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલવાના છે. જેના માટે વહીવટીતંત્ર અને બદ્રી-કેદાર મંદિર સમિતિ (BKTC) દિવસ-રાત તૈયારીઓ કરી રહ્યા…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત શહેર અને ગુજરાત બહારના રાજયોમાં પરપ્રાંતિય સંરક્ષણ સમિતિ અને વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્રના માધ્યમથી સેવા આપતા રહેલ છે. અને સુરત ખાતે આજ થી ૨૫-૩૦ વર્ષ પહેલા ઉધના મેઇન રોડમા આવેલ અરિહંત મીલના માલિક ગજાનંદજી માલપાણી હતા. એમના પાસેથી રેન્ટ ( ભાડા પેટે) ઉપર શાંતિલાલ બાફનાએ રાખેલી હતી. અમુક સમય સુધી મીલ સારી એવી ચાલતી હતી.પ્રિન્ટીગ ડાંઈગનું કામ ચાલતું હતું જે ભાડું નક્કી કરેલ હતું તે ભાડું ટાઈમસર પહોંચાડવામાં આવતું હતું. સવારે મોર્નિંગ વોકમા શાંતિલાલ બાફના અને એમના ધર્મ પત્ની પણ હતા ત્યા અચાનક રેતી કપચીના ટ્રક ધ્વારા એમનું મૃત્યુ નીપજેલું હતું. એના પછી…

Read More

હિટ એન્ડ રનના બનાવોથી રાજ્યની ટ્રાફિક વ્યવસ્થા સામે સવાલ ગુજરાતમાં વાહનચાલકો બેફામ: પાંચ વર્ષમાં હિટ એન્ડ રનના ૯૫૯૭ બનાવ સમગ્ર દેશમાં આ પ્રકારના અકસ્માતમાં તમામ ૩૬ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત ૧૧મા સ્થાને છે ગુજરાતમાં બેફામ રીતે વાહન હંકારવા અને અકસ્માત કરીને ભાગી જવાના હિટ એન્ડ રનના વર્ષ ૨૦૨૦થી ૨૦૨૪ સુધીના પાંચ વર્ષના સમયગાળામાં કુલ ૯૫૯૭ બનાવો નોંધાયા છે. રાજ્યમાં જેમ જેમ વાહનોની સંખ્યા વધી રહી છે તેમ તેમ વાહન બેદરકારીથી ચલાવવાના બનાવોમાં પણ વધારો થઇ રહ્યો છે.સમગ્ર દેશમાં હિટ એન્ડ રનના માર્ગ અકસ્માતના બનાવોમાં ગુજરાત મોખરાનું રાજ્ય છે. જેમાં સેંકડો વ્યક્તિઓ જીવ ગુમાવી રહ્યા છે. લોકસભામાં સડક, પરિવહન રાજમાર્ગ…

Read More

ઊર્જા તથા ખાતરના ક્ષેત્રમાં પણ સહકાર આપવાની બાંયધરી આપી ભારતને વધુ ક્રુડ ઓઇલ અને ગેસ આપવાની રશિયાની ઓફર ૨૦૨૫ના અંત સુધીમાં રશિયાએ ભારતમાં ભારે માંગ ધરાવતા ખનિજ ખાતરનો પુરવઠો ૪૦% સુધી વધાર્યાે છે રશિયાએ ભારતને વધુ ક્રુડ ઓઇલ અને કુદરતી ગેસ પુરવઠો પૂરો પાડવાની ઓફર કરી હતી. રશિયાના નાયબ વડાપ્રધાન ડેનિસ માંતુરોવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરી અને ઊર્જા તથા ખાતર જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહકાર વધારવાના માર્ગાે પર ચર્ચા કરી હતી.પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેમણે માંતુરોવ સાથે વેપાર, ખાતર, કનેક્ટિવિટી અને લોકો વચ્ચેના સંબંધોમાં પરસ્પર લાભદાયી સહકાર અંગે ચર્ચા કરી…

Read More

એમઆઈટીના સંશોધકોએ એઆઈ યુઝર્સને ચેતવણી આપી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગથી જ્ઞાન, વિચારવાની ક્ષમતાને નુકસાન : રિસર્ચનું તારણ એઆઈ ચેટબોટ દરેક વાતમાં સહમતી દર્શાવતા હોવાથી તેના વધુ વપરાશ કરતાં યુઝર્સ ચોક્કસ પેટર્નમાં ભ્રમિત થયાનું જણાયું અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ એઆઈ ચેટબોટનો વધારે ઉપયોગ કરતાં યુઝર્સને ચેતવણી આપી હતી કે તેનાથી સમજવા-વિચારવાની ક્ષમતાને ગંભીર અસર થાય છે. એઆઈ એક પેટર્ન પ્રમાણે જવાબ આપે છે એટલે તેનાથી સાવધાન રહેવું જરૂરી છે. એઆઈ ચેટબોટ્સનો ચાપલુસીભર્યું વર્તન યુઝર્સને ગેરમાર્ગે દોરે છે. એઆઈનો વધારે ઉપયોગ આપણાં જ્ઞાન ઉપર પણ અસર કરે છે.આપણાં રોજિંદા જીવનમાં એઆઈ ચેટબોટ્સનો ઉપયોગ સામાન્ય થઈ પડયો છે. જેમિનાઈથી લઈને ગ્રોક, ચેટજીપીટી…

Read More