Author: garvigujrat

કલેક્ટર કચેરીમાં ACB દરોડાઆધારકાર્ડના નામે લાંચ લેતા ૩ શખ્સો ઝડપાયાનવું આધારકાર્ડ બનાવી આપવા માટે રૂ. ૩૨,૦૦૦ની લાંચ માંગનાર બે કરાર આધારિત કર્મચારીઓ અને એક વચેટિયાને રંગેહાથે ઝડપી લેવામાં આવ્યા છેઅમદાવાદ કલેક્ટર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં નવું આધારકાર્ડ બનાવી આપવા માટે રૂ. ૩૨,૦૦૦ની લાંચ માંગનાર બે કરાર આધારિત કર્મચારીઓ અને એક વચેટિયાને રંગેહાથે ઝડપી લેવામાં આવ્યા છે. શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એ એક મોટી સફળતા મેળવી છે. અમદાવાદ કલેક્ટર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં નવું આધારકાર્ડ બનાવી આપવા માટે રૂ. ૩૨,૦૦૦ની લાંચ માંગનાર બે કરાર આધારિત કર્મચારીઓ અને એક વચેટિયાને રંગેહાથે ઝડપી લેવામાં આવ્યા છે. એક ૩૬ વર્ષીય અરજદારને લોન મેળવવા માટે…

Read More

ક્રાઈમ બ્રાન્ચનો મોટો ખુલાસોગુજરાતમાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ, ૧૫ દિવસના બાળકનું રેસ્ક્યુંગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા ગેરકાયદેસર વેપાર નેટવર્કમાં સામેલ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક સંવેદનશીલ ઓપરેશન પાર પાડીને આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ATS તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે વોચ ગોઠવીને એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આરોપીઓ પાસેથી માત્ર ૧૫ દિવસનું નવજાત બાળક મળી આવ્યું છે, જેને સુરક્ષિત રીતે છોડાવવામાં આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ૧૫ દિવસનું બાળક સાબરકાંઠાના ઇડર હાઈવે પરથી ‘યુનુસ‘ નામના શખ્સ પાસેથી…

Read More

સોનાએ પણ તોડ્યો રેકોર્ડચાંદીમાં તોફાની તેજી, પ્રથમ વખત રૂપિયા ૪ લાખને પારસોના અને ચાંદીના ભાવમાં થોડા કલાકોના વેપારમાં ૬% થી ૮% નો જંગી વધારો જાેવા મળ્યો હતોભારતીય બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવે આજે ઇતિહાસ રચ્યો. ગુરુવાર, ૨૯ જાન્યુઆરીની સવારે MCX પર ચાંદીના ભાવે પહેલી વાર રૂ.૪ લાખ પ્રતિ કિલોગ્રામના ઐતિહાસિક લેવલને પાર કરી ગયા. સોનામાં પણ નોંધપાત્ર ઉછાળો આવ્યો જે રૂ.૧.૮ લાખ પ્રતિ ૧૦ ગ્રામની નવી ટોચે પહોંચ્યો. સોના અને ચાંદીના ભાવમાં થોડા કલાકોના વેપારમાં ૬% થી ૮% નો જંગી વધારો જાેવા મળ્યો. આજે ચાંદીના ભાવમાં થયેલા ઉછાળાએ બધાને આશ્ચર્યચકિત કર્યા છે. ચાંદી પહેલી વાર રૂ.૪ લાખ પ્રતિ કિલોગ્રામને…

Read More

ભારતમાં સોશિયલ મીડિયા માટે નક્કી કરાશે ઉંમર? બાળકોમાં ડિજિટલ વ્યસન અંગે કેન્દ્ર સરકાર ચિંતિતઆ આર્થિક સર્વેક્ષણમાં ડિજિટલ પ્લેટફોર્મની નકારાત્મક અસરોને ઘટાડવા માટે કેટલાક કડક પગલાં ભરવાનું સૂચન કરવામાં આવ્યું ભારત સરકારે ગુરુવારે સંસદમાં રજૂ કરેલા વાર્ષિક આર્થિક સર્વેક્ષણમાં દેશના યુવાનો અને બાળકોમાં વધતી જતી ડિજિટલ લત અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. સર્વેક્ષણમાં સૂચવવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા અને ઓનલાઇન ગેમ્બલિંગ (સટ્ટાબાજી) એપ્સ સુધી પહોંચવા માટે વય-આધારિત મર્યાદાઓ નક્કી કરવા પર વિચાર કરવો જાેઈએ. આ અહેવાલ નાણામંત્રી ર્નિમલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ રજૂ કરવાના થોડા દિવસો પહેલા જ રજુ કરવામાં આવ્યો છે. નાણામંત્રીએ ગુરુવારે રાજ્યસભામાં આર્થિક સર્વેક્ષણ ૨૦૨૫-૨૬ની નકલ…

Read More

AAP ના પક્ષમાં આવ્યા ફક્ત ૧૧ મત BJP એ ચંડીગઢ મેયરની ચૂંટણીમાં મારી બાજીવર્ષ ૧૯૯૬ પછી પહેલી વાર ભાજપને ૧૮ મત, આમ આદમી પાર્ટીને ૧૧ મત અને કોંગ્રેસને ૭ મત મળ્યા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સૌરભ જાેશી ચંડીગઢના નવા મેયર તરીકે ચૂંટાયા છે. ગયા વર્ષના વિવાદોમાંથી શીખીને વહીવટીતંત્રે પ્રિસાઇડિંગ ઓફિસર રમણીક સિંહ બેદીની દેખરેખ હેઠળ હાથ ઉઠાવીને મતદાન કરવાનો ઐતિહાસિક ર્નિણય લીધો. ૧૯૯૬ પછી પહેલી વાર ભાજપને ૧૮ મત, આપને ૧૧ મત અને કોંગ્રેસને ૭ મત મળ્યા હતા. મેયર, સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરના પદ માટે ગુરુવારે મ્યુનિસિપલ કોર્પોરેશન હાઉસ ખાતે મતદાન થયું. વિજય માટેનો જાદુઈ આંકડો ૧૯…

Read More

વૈશ્વિક પડકારો છતાં દેશની અર્થવ્યવસ્થા મજબૂતભારતનો જીડીપી દર સાત ટકાથી વધુ રહેવાની આશાકેન્દ્રીય બજેટ પહેલા દેશની આર્થિક બ્લુપ્રિન્ટ ગણાતો આર્થિક સર્વે ૨૦૨૬ આજે સંસદમાં રજૂ કરવામાં આવ્યોકેન્દ્રીય બજેટ પહેલા દેશની આર્થિક બ્લુપ્રિન્ટ ગણાતો આર્થિક સર્વે ૨૦૨૬ આજે સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ, ભારત હવે સમગ્ર નાણાકીય વર્ષ માટે ૭ ટકાથી વધુ વાસ્તવિક આર્થિક વૃદ્ધિની અપેક્ષા રાખે છે અને વૃદ્ધિ બીજા વર્ષ માટે ૭ ટકાની આસપાસ રહેવાનો અંદાજ છે. આ સૂચવે છે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં દેશની આર્થિક ગતિ મજબૂત રહી છે. જ્યારે ૨૦૨૫ ની શરૂઆત વિશ્વ અને ભારત માટે નવી આશાઓ સાથે થઈ હતી, ત્યારે આ વર્ષમાં વૈશ્વિક…

Read More

વિદ્યા પ્રતિષ્ઠાનમાં રાજકીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કારશોકમગ્ન મહારાષ્ટ્ર : અજિત દાદા પંચમહાભૂતમાં વિલીનતેમના દીકરા પાર્થ પવાર અને જય પવારે તેમને મુખાગ્નિ આપી : મુખ્યમંત્રી ફડણવીસ, એકનાથ શિંદે હાજર રહ્યા મહારાષ્ટ્રના બારામતીમાં બુધવારે ૨૮ જાન્યુઆરીએ સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું અવસાન થયું છે. આ દુર્ઘટના લેન્ડિંગના પ્રયાસ દરમિયાન સર્જાઈ હતી. વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત પાઇલટ કેપ્ટન સુમિત કપૂર, કો-પાઇલટ શાંભવી પાઠક, ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માળી અને પર્સનલ સિક્યોરિટી ઓફિસર વિદીપ જાધવનું મોત થયું છે. આ ઘટનાએ સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી છે. વિમાન દુર્ઘટનામાં અજિત પવારના નિધનથી મહારાષ્ટ્ર સરકારે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે.…

Read More

ગીર જંગલના જસાધાર રેન્જમાં આવેલી જમીન પર કબજાનો મામલોવેચાણ કરારથી સરકારી જંગલની જમીન પર અધિકાર નહીં : હાઈકોર્ટ૩૦મી માર્ચ ૧૯૬૫ના રોજ રજિસ્ટર્ડ વેચાણ કરારના આધારે ગીર જંગલના જસાધાર રેન્જમાં આવેલી જમીન પર કબજાે હોવાનો દાવો અરજદારે કર્યાે હતોગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં ઠરાવ્યું છે કે સરકારી જંગલ જમીનનો ભાગ બનેલી જમીનના વેચાણ કરારથી કોઈ અધિકાર કે માલિકી હક થઇ જતો નથી. આવા કરારના આધારે દાવો કરાયેલો કબજાે રાજ્ય સામે ટકી શકતો નથી. જસ્ટિસ જે. સી. દોશીએ વર્ષ ૨૦૦૪માં સિવિલ પ્રોસિજર કોડની કલમ ૧૦૦ હેઠળ દાખલ કરાયેલી અપીલને રદ કરતાં નીચલી અદાલતોના તારણોને સમર્થન આપ્યું હતું.૩૦મી માર્ચ ૧૯૬૫ના રોજ રજિસ્ટર્ડ…

Read More

સરકારે નિયમો હળવા કર્યાંદવાઓના સંશોધન માટે હવે ટેસ્ટ લાઇસન્સની જરૂર નહીંઆ ફેરફારથી ડ્રગ ડેવલપમેન્ટના સમયગાળામાં ઓછામાં ઓછા ૯૦ દિવસની બચત થશે, જે ફાર્મા સંશોધનને વેગ આપશેકેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશમાં ફાર્માસ્યુટિકલ સંશોધન અને વિકાસને વેગ આપવા તથા વેપારમાં સરળતા વધારવા માટે ‘ન્યૂ ડ્રગ્સ એન્ડ ક્લિનિકલ ટ્રાયલ્સ (NDCT) નિયમો, ૨૦૧૯’ માં મહત્વના સુધારા જાહેર કર્યા છે. આ નવા સુધારા મુજબ, ફાર્મા કંપનીઓએ કેટલાંક ચોક્કસ કિસ્સા સિવાય હવે સંશોધન કે પરીક્ષણના હેતુ માટે નાની માત્રામાં દવા બનાવવા માટે CDSCO ને માત્ર ઓનલાઈન જાણકારી આપીને દવાનું સંશોધન કાર્ય શરૂ કરી શકશે.આ સુધારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિયમનકારી બોજ ઘટાડવા અને ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ ને…

Read More

વિમાન દુર્ઘટનમાં સાંસદ સહિત ૧૫ લોકોના કરુણ મોતહવે કોલંબિયામાં લેન્ડિંગની ૧૧ મિનિટ પહેલા જ વિમાન ક્રેશ થયું કોલંબિયામાં કુકુટાથી ઓકાણા જઈ રહેલું ‘‘Beechcraft 1900’ ૧૯૦૦’ નામનું કોમર્શિયલ વિમાન બુધવારે સવારે ૧૧:૪૨ વાગ્યે ઉડાન ભર્યા બાદ રહસ્યમય રીતે ગુમ થઈ ગયું હતું કોલંબિયામાં બુધવારે સર્જાયેલી એક ભયાનક વિમાન દુર્ઘટનામાં સાંસદ સહિત તમામ ૧૫ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. કોલંબિયામાં કુકુટાથી ઓકાણા જઈ રહેલું ‘‘Beechcraft 1900’ નામનું કોમર્શિયલ વિમાન બુધવારે સવારે ૧૧:૪૨ વાગ્યે ઉડાન ભર્યા બાદ રહસ્યમય રીતે ગુમ થઈ ગયું હતું. ઉડાનના થોડા સમય બાદ, લેન્ડિંગની માત્ર ૧૧ મિનિટ પહેલા જ રડાર સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો હતો. રાજ્ય એરલાઇન SATENA…

Read More