- વડીયાના ખેડૂત મનસુખભાઈ સોજીત્રાની આત્મહત્યા મુદ્દે ગોપાલ ઇટાલીયાના ગંભીર આક્ષેપો
- અમદાવાદમાં ડોગ સેન્સસ શરૂ: શ્વાનોને યુનિક આઈડી, છતાં ડોગ બાઈટના કેસમાં ચિંતાજનક વધારો
- ચીન-જાપાન-ઇન્ડોનેશિયામાં ભૂકંપનો ત્રિપલ આંચકો: 40 મિનિટમાં 8 ઝટકા, ચીનમાં ઈમરજન્સી એલર્ટ
- શૂટિંગ જગત શોકમાં: જસપાલ રાણાના નિધન બાદ તેમની માતાનું પણ અવસાન, એક અઠવાડિયામાં પરિવાર પર દુખનો પહાડ
- મહારાષ્ટ્ર રાજકારણમાં ગરમાવો: ઉદ્ધવ જૂથના સાંસદ-શિંદે કેમ્પની મુલાકાતથી પક્ષપલટાની અટકળો તેજ
- નૌશેરા સેક્ટરમાં LoC પાસે માઇન બ્લાસ્ટ: JCO સહિત 4 સૈનિકો ઘાયલ, તપાસ શરૂ
- ઈરાનની નવી શરતથી અમેરિકા-ઈરાન શાંતિ કરાર પર સંકટ: લેબેનોનમાંથી ઈઝરાયલ સેનાની પાછી ખેંચની માંગ
- अकोले में ग्रामीण विद्यार्थियों को मिला शैक्षणिक संबल: 375 से अधिक बच्चों को स्कूल किट वितरण
Author: Garvi Gujarat
ચીન-પાકિસ્તાનની ઉંઘ ઉડી.DRDO એ પિનાકા લોન્ગ રેન્જ ગાઈડેડ રોકેટનું કર્યું સફળ ટેસ્ટિંગ.પિનાકા રોકેટ સિસ્ટમનું નામ ભગવાન શિવના ધનુષ પર રાખવામાં આવ્યું છે શરૂઆતમાં આ એક અનગાઈડેડ રોકેટ લોન્ચર હતુ.પિનાકા રોકેટ સિસ્ટમનું નામ ભગવાન શિવના ધનુષ પર રાખવામાં આવ્યું છે. શરૂઆતમાં આ એક અનગાઈડેડ રોકેટ લોન્ચર હતું, જેની મારક ક્ષમતા લગભગ ૪૦ કિલોમીટરની હતી. હવે તેના ગાઈડેડ સ્વરૂપને વિકસિત કરવામાં આવી રહ્યું છે, જેની રેન્જ ૧૨૦ કિલોમીટર સુધીની છે. પિનાકા LRGR ૧૨૦ને DRDO ની ઘણી લેબમાં મળીને વિકસિત કરવામાં આવ્યું છે. જેમાં પુણેની આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિસમેન્ટ, હૈદરાબાદની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબ અને રિસર્ચ સેન્ટર બિલ્ડીંગ સામેલ છે.પિનાકા LRGR…
સાત વર્ષના સંબંધો પર સત્તાવાર મહોર.પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાને ગર્લફ્રેન્ડ અવિવા સાથે કરી સગાઈ.આ સંબંધમાં બંને પરિવારોએ પણ પોતાની સહમતી આપી દીધી છે, અવિવા બેગ અને તેમનો પરિવાર લાંબા સમયથી દિલ્હીમાં જ રહે છે.કોંગ્રેસના મહાસચિવ અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા અને બિઝનેસમેન રોબર્ટ વાડ્રાના ઘરે ટૂંક સમયમાં લગ્નનો પ્રસંગ આવવાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના પુત્ર રેહાન વાડ્રાની સગાઈ દિલ્હીની રહેવાસી અવિવા બેગ સાથે થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, રેહાન વાડ્રા અને અવિવા બેગ છેલ્લા સાત વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તાજેતરમાં જ રેહાને અવિવાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, જેનો અવિવાએ સ્વીકાર કર્યો છે. આ સંબંધમાં…
PM મોદીએ વ્યક્ત કરી ચિંતા.રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન હુમલો.યુક્રેન દ્વારા મોસ્કોના પશ્ચિમ ભાગમાં આવેલા નોવગોરોડ વિસ્તારમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાનને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એકવાર ફરી તણાવ વધી ગયો છે. રશિયાએ આરોપ લગાવ્યો છે કે ૨૮ અને ૨૯ ડિસેમ્બરની રાત્રે યુક્રેન દ્વારા મોસ્કોના પશ્ચિમ ભાગમાં આવેલા નોવગોરોડ વિસ્તારમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાનને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જગાવી છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે જણાવ્યું હતું કે, આ કથિત હુમલામાં કુલ ૯૧ લાંબા અંતરના ડ્રોનનો ઉપયોગ થયો…
નોબેલ ન મળ્યાનો ટ્રમ્પનો અસંતોષ.નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાથી વંચિત રહી ગયેલા ટ્રમ્પને ઇઝરાયલે આપ્યો ખાસ શાંતિ પુરસ્કાર.આ વર્ષે સામે ચાલીને નોબેલ શાંતિ પુરસ્કાર માંગીને તેઓ હાંસીપાત્ર બન્યા હતા, એ પુરસ્કાર ન મળ્યાનો અસંતોષ પણ તેમણે જતાવ્યો હતા.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી બીજીવાર સત્તા પર આવ્યા છે ત્યારથી તેઓ અવનવા સમાચાર સર્જતા રહે છે. ક્યારેક તેઓ ટેરિફનો કોરડો ઝીંકીને આખી દુનિયામાં અપ્રિય બની જાય છે તો ક્યારેક યુદ્ધો રોકવાના દાવા કરીને વિશ્વભરમાં હીરો બનવાના પ્રયાસ કરે છે. આ વર્ષે સામે ચાલીને નોબેલ શાંતિ પુરસ્કાર માંગીને તેઓ હાંસીપાત્ર બન્યા હતા. એ પુરસ્કાર ન મળ્યાનો અસંતોષ પણ તેમણે જતાવ્યો હતો. હવે એ અસંતોષ…
તણાવની વચ્ચે મોદી સરકારનો મોટો ર્નિણય.ખાલિદા જિયાના અંતિમ સંસ્કારમાં જાેડાશે વિદેશમંત્રી એસ. જયશંકર.આ મુલાકાત ભારત-બાંગ્લાદેશની વચ્ચે પરંપરાગત અને મૈત્રીપૂર્ણ સંબંધોને પણ દર્શાવે છે.ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા જિયાના અંતિમ સંસ્કારમાં જાેડાશે. તેમની હાજરીને ભારત તરફથી શોક સંવેદના અને સન્માનના સંકેત તરીકે જાેવામાં આવી રહ્યું છે. આ મુલાકાત ભારત-બાંગ્લાદેશની વચ્ચે પરંપરાગત અને મૈત્રીપૂર્ણ સંબંધોને પણ દર્શાવે છે.બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીની સ્ટેન્ડિંગ કમિટીની એક મિટિંગ આજે બપોરે ૧૨.૩૦ કલાકે એક્ટિંગ ચેરમેન તારિક રહમાનની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠક પૂર્વ પ્રધાનમંત્રી બેગમ ખાલિદા જિયાના આજે સવારે ૬ વાગ્યે નિધન બાદ બોલાવી હતી. બેઠકમાં નક્કી કર્યું કે બેગમ ખાલિદા જિયાના અંતિમ…
રાજ્યમાં વિદ્યાર્થીઓમાં આપઘાતનું પ્રમાણ ઊંચુ.૨૦૨૩માં ધો. ૧૦થી ડિપ્લોમા સુધીના ૩૮૭૬ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી.સમગ્ર દેશમાં થતી આત્મહત્યાઓમાં ગુજરાતમાં ૫.૨ ટકા લોકોએ આપઘાત કર્યાનું પ્રમાણ છે.સમગ્ર દેશમાં ગુજરાત પણ આપઘાતની સંખ્યામાં મોખરે છે. વર્ષ ૨૦૨૩ના જારી આંકડા મુજબ ગુજરાતમાં કુલ ૮૯૪૮ લોકોએ જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર દેશમાં થતી આત્મહત્યાઓમાં ગુજરાતમાં ૫.૨ ટકા લોકોએ આપઘાત કર્યાનું પ્રમાણ છે. ગુજરાતમાં આપઘાત કરનારામાં ૬૨૬૦ પુરુષ, ૨૬૮૫ મહિલા અને ૩ ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓમાં વિવિધ કક્ષાએ માનસિક તણાવ સહિતના કારણોથી આપઘાત નોંધાયા છે. ૨૦૨૩માં ધો. ૧૦થી ડિપ્લોમા સુધીના ૩૮૭૬ વિદ્યાર્થીની આત્મહત્યા નોંધાઇ છે. ગુજરાતમાં આપઘાત કરનારામાં વિદ્યાર્થીઓનું પ્રમાણ પણ નોંધપાત્ર છે. ૨૦૨૩માં ધોરણ ૧૦ સુધીના…
૩૧ ડિસેમ્બરે સાંઈ મંદિર આખી રાત ખુલ્લું રહેશે.નવા વર્ષે દેશનાં ૪ મુખ્ય ધાર્મિક સ્થળોએ ૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચવાની શક્યતા.અયોધ્યા, વૈષ્ણોદેવી, તિરુપતિ બાલાજી અને શિરડીના સાંઇ મંદિરનું મેનેજમેન્ટ એલર્ટ મોડમાં. દેશના ચાર મુખ્ય ધાર્મિક સ્થળો તિરૂપતિ, અયોધ્યા, શીરડી અને વૈશ્નોદેવી ખાતે ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરી દરમિયાન આશરે ૧૦ લાખ શ્રદ્ધાળુઓ પહોંચવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને સંબંધિત મંદિરોમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ તમામ ધાર્મિક સ્થાનોના મેનેજમેન્ટે શ્રદ્ધાળુઓની મોટી સંખ્યાને નિયંત્રિત કરવાના પગલાં અત્યારથી લેવાના શરૂ કરી દીધા છે.આંધ્ર પ્રદેશ સ્થિત તિરુપતિ મંદિરમાં ૩૦ ડિસેમ્બરથી ૧૦ દિવસીય વૈકુંઠ એકાદશી ઉત્સવ શરૂ થવાનો છે. આ દરમિયાન ૧ જાન્યુઆરી એટલે…
૮૦ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ.બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાંપ્રધાન ખાલિદા ઝિયાનું નિધન.ખાલિદા ઝિયાને લીવર, ડાયાબિટીસ તથા હૃદય રોગની બીમારી હતી અને છેલ્લા દિવસથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયાનું આજે ૮૦ વર્ષની વયે નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હાલમાં જ તેમના પુત્ર વર્ષાે બાદ બાંગ્લાદેશ પરત ફર્યા હતા. બાંગ્લાદેશ નેશનલ પાર્ટીએ ઠ પર પોસ્ટ કરી જણાવ્યું, કે આજે ફજરની નમાઝ બાદ સવારે ૬ વાગ્યે ખાલિદા ઝિયાએ અંતિમ શ્વાસ લીધા. નોંધનીય છે કે ખાલિદા ઝિયાને લીવર, ડાયાબિટીસ તથા હૃદય રોગની બીમારી હતી અને છેલ્લા દિવસથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ…
નિકાસની સાથે સાથે આયાત વધારવા પણ પગલું.ચીનની ૨૦૨૬માં ૯૩૫ ચીજવસ્તુઓ પરનો ટેરિફ ઘટાડવાની જાહેરાત.આરોગ્યક્ષેત્રે લોકોની સુખાકારી માટે કૃત્રિમ રક્તવાહિનીઓ જેવી તબીબી પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડાશે.ચીને આગામી વર્ષથી ૯૩૫ ચીજવસ્તુઓ પર આયાત જકાતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ચીન માત્ર નિકાસ પર ધ્યાન આપે છે અને આયાત ખૂબ ઓછી કરે છે તેવી ટીકાઓનો જવાબ આપવા ચીને આ મહત્વનું પગલું હાથ ધર્યું છે.સ્ટેટ કાઉન્સિલના કસ્ટમ ટેરિફ કમિશને જાહેરાત કરી છે કે નવા ટેરિફ દર ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી અમલમાં આવશે. આ ઘટાડો ‘મોસ્ટ-ફેવર્ડ-નેશન’ દરો કરતા પણ ઓછો હશે. આ પગલાનો હેતુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો વચ્ચે તાલમેલ વધારવા અને ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓનો…
વિશાલ જેઠવાનો ખુલાસો.‘હોમબાઉન્ડ’ પછી ફિલ્મની ઓફર બદલાઈ ગઈ છે.‘હોમબાઉન્ડ’ ફિલ્મ બાળપણના મિત્રોની વાર્તા છે, જેમનું પોલીસ દળોમાં જાેડાવાનું સહિયારું સ્વપ્ન તેમના જીવનને આકાર આપે છે.વિશાલ જેઠવાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ નીરજ ઘાયવાનની ‘હોમબાઉન્ડ’ માં તેમના અભિનયની પ્રશંસા કરવામાં આવી છે. વિશાલ જેઠવાએ એક મુલાકાતમાં સમજાવ્યું કે ‘હોમબાઉન્ડ’ માં કામ કર્યા પછી તેમને મળતી ફિલ્મની ઓફર કેવી રીતે બદલાઈ ગઈ છે. તેમણે કહ્યું કે હવે તેમને જે ફિલ્મો ઓફર થઈ રહી છે તે એવી છે જે તેમની પાસે પહેલા ક્યારેય નહોતી. વિશાલે કહ્યું કે તેમને “ઘણી બધી પ્રકારની ફિલ્મો મળવા લાગી જે પહેલા નહોતી આવતી.” તેમણે એમ પણ કહ્યું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



