Author: Garvi Gujarat

ઋતિકે તેના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોને નકારી કાઢી છ.આમીરે થ્રી ઇડિયટ્સ પહેલા ઋતિક રોશનને ઓફર કરી હતી.૨૦૦૦ માં ‘કહો ના પ્યાર હૈ’ થી બ્લોકબસ્ટર ડેબ્યૂ કરનાર ઋતિક રોશને તેના ૨૫ વર્ષના કરિયરમાં ઘણી ઉત્તમ ફિલ્મોનો ભાગ રહ્યો છે.બોલિવૂડ સુપરસ્ટાર ઋતિક રોશને તાજેતરમાં ફિલ્મ ‘વોર ૨’ માં દેખાયો હતો, પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી. તેની પાછલી ફિલ્મ ‘વોર’ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. બાય ધ વે, ઋતિકે તેના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોને નકારી કાઢી છે.આવી જ એક ફિલ્મ વિશે જણાવી રહ્યા છીએ, જેણે તેના બજેટથી છ ગણી કમાણી કરીને સનસનાટી મચાવી હતી.૨૦૦૦ માં ‘કહો ના પ્યાર હૈ’ થી બ્લોકબસ્ટર…

Read More

‘બાબાજીએ મારી પ્રાર્થના સાંભળી’ :ગુરૂચરણ સિંહ.‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ફરી કમબેક કરશે ‘સોઢી’.હું મારી બીજી ઇનિંગ માટે ઉત્સાહિત છું. મને લોકોના ચહેરા પર હાસ્ય લાવવું ખૂબ યાદ આવતું હતું : ગુરૂચરણ સિંહ.‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહ ઘણા લાંબા સમયથી એક્ટિંગની દુનિયાથી દૂર છે. કોરોના પછી લગભગ ૩ વર્ષ પહેલાં તેમના ગુમ થવાના સમાચાર આવ્યા હતા. કહેવાયું હતું કે તેઓ દિલ્હીના પોતાના ઘરેથી મુંબઈ જવા નીકળ્યા હતા અને ત્યાર પછી તેઓ ગુમ થયા હતા. જાેકે, લગભગ ત્રણ અઠવાડિયા પછી ગુરચરણ પોતે જ ઘરે પાછો આવ્યા હતા. ત્યારબાદ તેણે સ્પષ્ટતા આપી કે આર્થિક સમસ્યાના કારણે તે…

Read More

ચાંદનીબારની રિમેકમાં અનન્યા, શર્વરી અને તૃપ્તિ ડિમરીનાં નામ ચર્ચામા.શું ‘ચાંદની બાર રિઓપન્સ’માં તબ્બુ ફરી જાેવા મળશે?.મૂળ ફિલ્મમાં તબ્બુના મજબુત અને સંવેદનશીલ અભિનયે તેને રાષ્ટ્રીય પુરસ્કાર અપાવ્યો હતોરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ‘ચાંદની બાર’ની સીક્વલ પર સત્તાવાર રીતે કામ શરૂ થઈ ગયું હોવાના અહેવાલો છે. સાથે જ આ ફિલ્મ મધુર ભંડારકરે ડિરેક્ટ કરી હતી અને આ વખતે તેઓ આ ફિલ્મની સિક્વલ નથી કરી રહ્યા એ વાતની પણ ચર્ચા છે. પરંતુ આ જાહેરાત વચ્ચે સૌથી મોટો પ્રશ્ન જે ચર્ચામાં છે એ છે કે શું તબ્બુ ફરી એકવાર પોતાના આઈકોનિક પાત્ર મુમતાઝ સાવંત તરીકે પરત ફરશે?મૂળ ફિલ્મમાં તબ્બુના મજબુત અને સંવેદનશીલ અભિનયે તેને રાષ્ટ્રીય…

Read More

ઇસ્માઇલ દરબારે ભણસાલીને અહમવાળા કહીને વિખવાદ અંગે ખુલાસો કર્યો.ભણસાલી ૧૦૦ કરોડ આપે તો પણ કામ ન કરું : ઇસમાઇલ દરબાર.મ્યુઝિક કમ્પોઝર ઇસ્માઇલ દરબારે હિન્દી સિનેમામાં ‘હમ દિલ દે ચુકે સનમ’થી લઇને ‘દેવદાસ’ સુધી હિન્દી સિનેમામાં અનેક યાદગાર ગીતો આપ્યા છ.મ્યુઝિક કમ્પોઝર ઇસ્માઇલ દરબારે હિન્દી સિનેમામાં ‘હમ દિલ દે ચુકે સનમ’થી લઇને ‘દેવદાસ’ સુધી હિન્દી સિનેમામાં અનેક યાદગાર ગીતો આપ્યા છે. પરંતુ પછી થોડા વર્ષાે બાદ ટેલિવિઝનમાં દેખાયા પછી તેઓ ગાયબ થઈ ગયા છે. તાજેતરમાં તેમણે ભણસાલી સાથે સંબંધો બાબતે એક ઇન્ટરવ્યુમાં વાત કરી હતી. ઇસ્માઇલ દરબારે આ ઇન્ટરવ્યુમાં કામ બાબતના પોતાના નીડર અભિગમ વિશે વાત કરી હતી. તેના કારણે હિરામંડી…

Read More

ભુજની કોર્ટનો ચુકાદો.ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા બદલ પાકિસ્તાની નાગરિકને ૨ વર્ષની સજા.કોર્ટે ૧૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે : આરોપી સરહદથી ૧૦૦ મીટર અંદર જળસીમામાં પ્રવેશ્યો હતો.કોઈપણ મંજૂરી, પાસપોર્ટ કે વિઝા વિના ભારતની જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા બદલ ભુજની શેસન્સ કોર્ટે પાકિસ્તાની નાગરિકને દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને ૧૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આરોપી સરહદથી ૧૦૦ મીટર અંદર ભારતીય જળસીમામાં પ્રવેશ્યો હતો. કોર્ટે આરોપીને પાસપોર્ટ એક્ટ ૧૯૨૦, ફોરેનર્સ એક્ટની કલમ ૧૪(છ)(હ્વ) અને જીપી એક્ટની કલમ ૧૨૦ હેઠળ દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે તેના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે આરોપી બાબુ આલુ ઈલ્યાસ આફત…

Read More

સરકારી કર્મચારીઓ-પેન્શનધારકોને દિવાળી ભેટ મળી.દિવાળીના તહેવાર નિમત્તે કર્મચારીઓનો પગાર વહેલો થશે.૧૪, ૧૫, ૧૬ ઓક્ટો. દરમિયાન તબક્કાવાર કર્મચારીઓના ખાતામાં પગાર અને પેન્શન જમા કરી દેવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ વર્ષે દિવાળીનો તહેવાર ૨૦ ઓક્ટોબરના રોજ છે. જેથી સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનર્સને રાહત આપવામાં આવી છે. કર્મચારીઓનો પગાર અને તેમનું પેન્શન દિવાળી પહેલાં જ આપી દેવામાં આવશે. જેથી કર્મચારીઓની દિવાળી આ વખતે સુધરી ગઈ છે. સરકાર દ્વારા આગામી ૧૪, ૧૫ અને ૧૬ ઓક્ટોબર દરમિયાન તબક્કાવાર કર્મચારીઓના ખાતામાં પગાર અને પેન્શન જમા કરી દેવામાં આવશે. સરકાર દ્વારા કર્મચારીઓનો પગાર સામાન્ય રીતે પછીના માસમાં થતો…

Read More

કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે આજરોજ “આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન” અંતર્ગત મહાનગર કાર્યશાળાનું આયોજન દિનેશ હોલ, આશ્રમરોડ ખાતે કરવામાં આવ્યું હતું. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના પ્રદેશ ઈન્ચાર્જ તેમજ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા એ સૌને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ” આપણો ભારત દેશ સદીઓથી આત્મનિર્ભર જ હતો પરંતુ દેશને ગુલામ બનાવીને વિદેશી તાકાતો દ્વારા તેમના પર નિર્ભર બનાવવામાં આવ્યો હતો. આઝાદીની ચળવળ વખતે પણ વંદેમાતરમ ગીત પણ સ્વદેશી આંદોલનનો જ એક ભાગ હતું. ભારતીય જનતા પાર્ટીના સ્થાપક પંડિત દિનદયાલ ઉપાધ્યાયજી દ્વારા પણ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા ‘સ્વદેશી’ અને ‘વિકેન્દ્રીકરણ’ પર ભાર મુકવામાં આવ્યો…

Read More

દરરોજ ૧૦ કિમી ચાલવાનું આયોજન.સરદાર પટેલની જયંતિ પર કરમસદથી કેવડિયા સુધી એકતા યાત્રા યોજાશે.હર્ષ સંધવી સહિતના નેતાઓ અને સામાજિક સંસ્થાઓ તથા એનજીઓના પ્રતિનિધિઓ કેવડિયા સુધી ચાલીને આવશે.ગુજરાતમાં ૨જી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી બાદ હવે આગામી ૩૧ ઓક્ટોબરે ભારતના લોહપુરુષ તરીકે વિખ્યાત સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ આવનાર છે, ત્યારે સરદારની આ જન્મજયંતિને ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરવાનો ર્નિણય રાજ્ય સરકારે લીધો છે. આ અંતર્ગત “સરદાર જ્ર૧૫૦ યુનિટી માર્ચ”નું આયોજન કરાયું છે, જેનો હેતુ સરદાર પટેલના વિચારો, નેતૃત્વ અને એકતાના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો છે. સરકારના આયોજન મુજબ, ૧થી ૧૦ નવેમ્બર દરમિયાન યોજાનારી આ સરદાર @150 યુનિટી માર્ચ બે…

Read More

૮ કલાકની શિફ્ટ મુદ્દે દીપિકા પાદુકોણે મૌન તોડ્યું.મેલ સુપરસ્ટાર્સને કેમ કોઈ સવાલ નથી કરતું : દીપિકા.હું હમણાં કોઈનું નામ લેવા નથી માગતી અને આ બાબતને એટલો મોટો મુદ્દો બનાવવા નથી માગતી : દીપિકા.બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. તેની આઠ કલાક શિફ્ટની ડિમાન્ડ અને વધુ પૈસાની માંગણીના કારણે ઘણી કન્ટ્રોવર્સી ઊભી થઈ હતી. જેના કારણે દીપિકાને સાઉથની બે મોટી ફિલ્મો, સ્પિરિટ અને કલ્કી ૨માંથી બહાર કરવામાં આવી હતી. એક્ટ્રેસના ફિલ્મમાંથી બહાર થવાના ઘણા કારણો સામે આવ્યા હતા. દીપિકા પાદુકોણ પર ઘણા આરોપો લાગ્યા હતા. ઘણા લોકોએ તેની આ ડિમાન્ડ્સને અનપ્રોફેશનલ ગણાવી હતી. હવે લાંબા સમય બાદ…

Read More

એક જ ઝાટકે કોહલી અને ગાંગુલીને છોડ્યા પાછળ.ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે ફટકારી સાતમી ટેસ્ટ સદી.તેણે પહેલા દિવસના બીજા સત્રમાં પોતાની સદી પૂરી કરી હતી.દિલ્હીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારી હતી. તેણે પહેલા દિવસના બીજા સત્રમાં પોતાની સદી પૂરી કરી હતી. આ ઇનિંગમાં તેણે પોતાના ૩,૦૦૦ આંતરરાષ્ટ્રીય રન પણ પૂરા કર્યા હતા, અને સૌથી ઓછી ઇનિંગમાં આ સીમાચિહ્ન સુધી પહોંચવાના મામલામાં વિરાટ કોહલી, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજાેને પાછળ છોડી દીધા હતા. યશસ્વી જયસ્વાલ સૌથી ઓછી ઇનિંગમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૩,૦૦૦ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. તેણે પોતાની ૭૧મી ઇનિંગમાં આ સીમાચિહ્ન હાંસલ…

Read More