- સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ, 29 ઓગસ્ટ સુધી પ્રકૃતિ-સંસ્કૃતિનો સંગમ જામશે
- પેપર લીક મુદ્દે રાહુલ ગાંધીના આકરા પ્રહાર, કોંગ્રેસ દેશવ્યાપી આંદોલનની તૈયારીમાં
- યશસ્વી જયસ્વાલ પર લાગવાનો હતો 4 મેચનો બેન! રહાણેએ ખોલ્યું 2022નું મોટું રહસ્ય
- મમતા બેનર્જીના કાફલા પર હુમલો, ગાડી પર કાદવ-બોટલો અને ચપ્પલ ફેંકાયા
- હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ઈરાનની 5 શરતો, અમેરિકાથી યુદ્ધનું વળતર માંગ્યું
- વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં ચૈતર વસાવાના પોસ્ટર મુદ્દે AAPનો ભાજપ પર ગંભીર આરોપ
- મહારાષ્ટ્રમાં મોંઘવારીનો માર: 11 ઓગસ્ટથી દૂધના ભાવમાં ₹2નો વધારો
- PM મોદીની અપીલ: ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાઈ ઘેર-ઘેર તિરંગો લહેરાવો
Author: garvigujrat
સ્કીઈંગ કરનારા ૯માંથી ૮ના મોત, ૧ હજુ ગુમ કેલિફોર્નિયામાં બરફના તોફાન વચ્ચે ભયાનક હિમસ્ખલન સ્કીઅર્સનો એક સમૂહ જ્યારે પહાડ પર હતો, ત્યારે અચાનક હિમપ્રપાત થતા આખો સમૂહ તેની ઝપટેમાં ચડી ગયો હતો અમેરિકાના કેલિફોર્નિયામાં બરફીલા તોફાન અને હિમપ્રપાતે (એવલાન્ચ) ભારે તબાહી મચાવી છે. બુધવારે પોલીસ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, તાહો વિસ્તારના કેસલ પીક પર આવેલા ભીષણ હિમપ્રપાત બાદ લાપતા થયેલા નવ સ્કીઅર્સમાંથી આઠના મોત થયા છે. બચાવ ટુકડીઓએ તેમના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. જેનું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. નેવાડા કાઉન્ટીના શેરિફ શાનન મૂને આ દુર્ઘટનાની પુષ્ટિ…
ગુપ્ત દસ્તાવેજ એપસ્ટિનને આપ્યા હોવાનો આરોપ બ્રિટનના પૂર્વ પ્રિન્સ એન્ડ્ર્યુની ધરપકડ કરાઇ પોલીસે પૂર્વી ઇંગ્લેન્ડના સેન્ડ્રિંગહામ એસ્ટેટ પર વુડ ફાર્મ ખાતેથી પૂર્વ પ્રિન્સ એન્ડ્રૂઝ માઉન્ટબેટનની ધરપકડ કરી છે બ્રિટેનના કિંગ ચાર્લ્સo-IIIના નાના ભાઈ અને પૂર્વ પ્રિન્સ એન્ડ્રૂઝ માઉન્ટબેટનની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તેમનું નામ એમરીકન એપસ્ટિન ફાઈલમાં ઉછળ્યુ હતું. સાર્વજનિક પદના દુરુપયોગનો પણ આરોપ છે. જે બાદ કરવામાં આવેલી કાર્યવાહીમાં ગુરુવારે બ્રિટિશ સ્પેશિયલ પોલીસે પૂર્વી ઇંગ્લેન્ડના સેન્ડ્રિંગહામ એસ્ટેટ પર વુડ ફાર્મ ખાતેથી પૂર્વ પ્રિન્સ એન્ડ્રૂઝ માઉન્ટબેટનની ધરપકડ કરી છે. આજે જ એન્ડ્રૂઝનો ૬૬મો જન્મ દિવસ છે. પૂર્વ પ્રિન્સ એન્ડ્રૂઝ પર યૌન ઉત્પીડનના ગુનેગાર રહેલા જેફરી એપસ્ટિનને સરકારી દસ્તાવેજ આપવાનો…
તોડ્યો રોહિતનો વર્લ્ડ રેકોર્ડ T20I ક્રિકેટ ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટન બન્યો સૂર્યકુમાર યાદવ ૮૦.૮૫% ની જીત ટકાવારી સાથે સૂર્યા હવે T20I ક્રિકેટમાં સૌથી સફળ કેપ્ટન બની ગયો છે, રોહિત શર્માને પાછળ છોડી દીધો T20I વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્માએ T20I આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. રોહિતની નિવૃત્તિ પછી સૂર્યકુમાર યાદવને ભારતીય T20I ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. સૂર્યાએ કેપ્ટન તરીકે પણ શાનદાર પ્રદર્શન કર્યું, ટીમ ઈન્ડિયાને ઘણી મહત્વપૂર્ણ મેચોમાં વિજય અપાવ્યો છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા હાલમાં ૨૦૨૬ T20I વર્લ્ડ કપમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી રહી છે. ભારતે પોતાના અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં નેધરલેન્ડ્સને ૧૭ રનથી…
સરકારી શાળાઓ નવી ચાલુ થવાના બદલે બંધ થવી, શિક્ષકોની ઘટમાં સતત વધારો અને વર્ગખંડોની ગંભીર અછત સામે, આજે આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખ ASAP દ્વારા રાજકોટના કિસાનપરા ચોક ખાતે પ્રતિકાત્મક રીતે વિધ્યાર્થીઓ બની શિક્ષકો-વર્ગખંડની અછત દૂર કરવાની માંગ કરી, પ્લે કાર્ડ સાથે રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેથી પોલીસ દ્વારા તમામની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી. વિરોધ પ્રદર્શન દરમિયાન ASAP પ્રદેશ મહામંત્રી સુરજ બગડા દ્વારા જણાવવામાં આવ્યું કે, મળતી માહિતી મુજબ સરકારની ઉદાસીન નીતિઓને કારણે દેશમાં આશરે ૯૩,૦૦૦ જેટલી સરકારી શાળાઓને એક પછી એક બંધ કરવામાં આવી. આ નિર્ણય ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે અત્યંત નુકસાનકારક…
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે વિધાનસભામાં પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, આજે મેં શિક્ષણ મંત્રીને કેટલાક ગંભીર સવાલો કર્યા હતા અને સરકાર તરફથી તેમના જવાબો મળ્યા હતા. નર્મદા અને દાહોદ જિલ્લો દેશના અતિ પછાત જિલ્લાઓમાંના એક જિલ્લામાંથી છે. આ જિલ્લાઓમાં શિક્ષણનું સ્તર ખરાબ હોવાથી આ જિલ્લાઓ પછાત રહી ગયા છે. તો મેં શિક્ષકો મુદ્દે સવાલ કર્યો હતો અને તેના જવાબમાં સરકાર તરફથી જોવા મળ્યો હતો કે નર્મદામાં 549 શિક્ષકોની ઘટ છે અને દાહોદમાં 1284 શિક્ષકોની ઘટ છે. ત્યારબાદ પેટા પ્રશ્નમાં અમે પૂછ્યું કે કેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે તો જવાબ મળ્યો કે નર્મદા જિલ્લામાં 145…
AI ને ખુલ્લું આકાશ આપવું મહત્વપૂર્ણ છે : વડાપ્રધાન મોદી ભારત નવી ટેકનોલોજી બનાવે છે અને ઝડપથી તેને અપનાવે પણ છે : મોદી “ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬” માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સમાવેશી અને સાર્વભૌમ એઆઈના વિઝન પર ભાર મૂક્યો “ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬” માં, પીએમ મોદીએ ભારતના સમાવેશી અને સાર્વભૌમ એઆઈના વિઝન પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે યુવા પેઢી ઝડપથી એઆઈ અપનાવી રહી છે, જે ગર્વની વાત છે. પીએમ મોદીએ ભારતને ટેક પ્રતિભાનું સૌથી મોટું કેન્દ્ર અને યુવા વસ્તી તરીકે વર્ણવ્યું. પીએમ મોદી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત “ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬” ને સંબોધિત…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ટેક્ષટાઇલ માર્કેટ અને ડાયમંડ સિટીથી ઓળખાતા સુરત શહેર ઇન્ટરનેશનલ માર્કેટ છે. અને એ જ માર્કેટોમાંથી માલ વિદેશોમાં એક્સપોર્ટ થાય છે. અને ભારતના અનેક રાજયોમાં પણ વિવિધ ટેક્ષટાઇલ નો માલ વેચાણ અર્થે જતો હોય છે. જે એક એજન્સી અને આડતિયાઓ હસ્તક હોલસેલના વેપારીઓથી લઈને સેમી હોલસેલ સુધી પહોંચીને છૂટક ગ્રાહકો સુધી માર્કેટના નીતિ-નિયમો અને ધારા-ધોરણે વેચાણ થતું હોય છે. જે હોલસેલ વેપારીઓ એજ એજન્સીઓ અને આડતિયાઓ ઉપર કરોડો રૂપિયાનો માલ એમની વિશ્વસનિયતાને ધ્યાનમાં લઈ દેશના અન્ય રાજયો સહિત વિદેશોમાં જતો હતો. એ વિશ્વાસનો દૂરઉપયોગ કરીને એજન્સીઓ અને આડતિયાઓ એમના પોતાના નામે બિલો બનાવી વેચાણ લેનાર માલના વેપારીઓ…
ગુજરાતના રસોડામાં પહોંચતા સફેદ ઝેર અને પ્રાણીજ ચરબીના જીવલેણ કારોબારનો પુરાવા સાથે ખુલાસો કરવા અંગે આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. આમ આદમી પાર્ટી અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દૂધ જેવી પવિત્ર વસ્તુના નામે રાજ્યમાં ડબલ કૌભાંડ ચાલી રહ્યું છે. લાંબા સમયથી નકલી અને ભેળસેળયુક્ત દૂધનો કાળો બજાર ચાલી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ અને તેમની ટીમ આ સમગ્ર ઓપરેશનની પાછળ તપાસ કરી રહ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જૂનાગઢ નજીક આવેલ હનુમાન ખિજડિયા ગામથી લઈને અરવલ્લી જિલ્લાના બાયડ અને બાલાસિનોર સુધી દૂધના ટેન્કરો મારફતે…
ગઈકાલે ગુજરાત વિધાનસભાનું બજેટ રજૂ થયું હતું, ત્યારે ખેડૂતોને બજેટમાં ખાસ કોઈ રાહત પેકેજની જાહેરાત ના થતા અને અન્યાયની લાગણી અનુભવતા આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા આજે ટ્રેક્ટર લઈને વિરોધ દર્શાવવા વિધાનસભા પહોંચ્યા હતા. ગતરોજ સરકારે જે બજેટ રજૂ કર્યું તેમાં ગામડા અને શહેરના બજેટમાં મોટો તફાવત છે તથા બજેટમાં ખેડૂતો માટે કોઈ ખાસ જોગવાઈ કરી નથી, તે મુદ્દાને લઈને ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર લઈ વિધાનસભા પહોંચ્યા હતા અને અનોખી રીતે સરકાર સમક્ષ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જોકે પોલીસ વિભાગ દ્વારા તેમને ગેટ પર જ અટકાવી દેવામાં આવ્યા હતા અને ટ્રેક્ટર લઈને અંદર ન જવા દેવામાં આવ્યા અને…
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બજેટમાં આદિવાસી છાત્રોને થયેલા ગંભીર અન્યાય મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે જે બજેટ જાહેર કર્યું, એ મુદ્દે અમે થોડું એનાલિસિસ કર્યું, તેના વિશે આજે હું વાત કરવા માંગુ છું. ગુજરાતમાં આદિવાસી લોકોની 15% વસ્તી છે, એટલે કે 1 કરોડ 25 લાખ આદિવાસી લોકો ગુજરાતમાં વસે છે. 15મી નવેમ્બરે દેડીયાપાડામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે તેઓ પાંચ વર્ષમાં ગુજરાતના આદિવાસી સમાજ માટે બે લાખ કરોડ ખર્ચ કરશે. છતાં બજેટમાં આદિવાસી સમુદાયને 5425 કરોડની રકમ ફાળવવામાં આવી. મેં વિધાનસભાના ગૃહમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ સમક્ષ મેં…




