- Jacqueline Fernandez કરશે Yami Gautamની Nai Naveliમાં કેમિયો, શૂટિંગ પૂર્ણ થયું
- Sai Pallaviના હિન્દી ડાયલોગ્સ થશે ડબ, Ramayanaમાં સીતાના પાત્રને લઈને ચર્ચા ગરમાઈ
- Tips Music-Vashu Bhagnani રાઈટ્સ વિવાદ ગરમાયો, કોર્ટે Pooja Entertainmentને આપી રાહત
- Alia Bhatt કાનમાં ભીડથી ઘેરાઈ, આલિયા ભટ્ટનો રોષ; આઈવરી સાડી-ગાઉન લુકે જીત્યા દિલ
- સચિવાલય કર્મચારીઓની માંગ: વર્ક ફ્રોમ હોમ અને ૫ દિવસીય વર્ક વીક અમલમાં મૂકવા મુખ્યમંત્રીને પત્ર
- અમદાવાદમાં દેશી દારૂની ખેપ પકડાઈ: વટવા GIDC પોલીસે બે બુટલેગર ઝડપ્યા, ટ્રકમાંથી દારૂ જપ્ત
- West Bengalની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ફરજિયાત: બાળકોમાં દેશપ્રેમ વધારવા શિક્ષણ વિભાગનો નિર્ણય
- Xi Jinpingની Donald Trumpને તાઈવાન મુદ્દે ચેતવણી, અમેરિકા–ચીન બેઠકમાં તણાવ અને સહમતિ બંને જોવા મળ્યા
Author: Garvi Gujarat
નેશનલ ગાર્ડના બે જવાન ઘાયલ થયાં.અમેરિકામાં વ્હાઈટ હાઉસ નજીક ગોળીબાર, શંકાસ્પદ શખ્સ પકડાયો.આ ઘટના સ્થાનિક સમયાનુસાર બપોરે ૨:૩૦ વાગ્યે થઈ હતી, ઈજાગ્રસ્ત થયેલા નેશનલ ગાર્ડના બે સભ્યોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.દુનિયાના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં રહે છે, તેનાથી ફક્ત થોડા અંતર પર જ ગોળીબારની ઘટના સામે આવી છે. વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસથી થોડા જ દૂર ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં બે નેશનલ ગાર્ડ સભ્ય પણ સામેલ છે. આ ઘટના સ્થાનિક સમયાનુસાર બપોરે ૨:૩૦ વાગ્યે થઈ હતી. ઈજાગ્રસ્ત થયેલા નેશનલ ગાર્ડના બે સભ્યોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વેસ્ટ વર્જીનિયાના ગવર્નર પૈટ્રિક મૉરિસી…
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વંદે ભારત એક્સપ્રેસમાં અમદાવાદથી વલસાડ સુધીની મુસાફરી કરી.ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદથી વલસાડ સુધી પોતાના મંત્રીમંડળ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વંદે ભારત એક્સપ્રેસમાં પ્રવાસ કર્યો. મુખ્યમંત્રી એ દેશની સૌથી લોકપ્રિય પ્રીમિયમ ટ્રેન સેવાઓમાંની એક, વંદે ભારત એક્સપ્રેસની કાર્યપદ્ધતિ, આધુનિક સુવિધાઓ, ઝડપ તેમજ સંપૂર્ણ યાત્રા અનુભવનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું. હાલ ભારતીય રેલવે નેટવર્ક પર 164 વંદે ભારત ટ્રેનો સંચાલિત છે, જેમાંથી 05 ગુજરાતમાં સંચાલિત થાય છે. ગુજરાતમાં ચાલનારી વંદે ભારત ટ્રેનોમાં 100% થી વધુ ઓક્યુપેન્સી નોંધાઈ રહી છે, જે તેની વધતી લોકપ્રિયતા અને મુસાફરોના ઊંડા વિશ્વાસને દર્શાવે છે. યાત્રા દરમિયાન મુખ્યમંત્રી એ સહપ્રવાસીઓ…
પતિથી બચીને પાડોશીની મદદથી ઓસ્ટ્રિયાથી ભાગીને ભારત પહોંચી હતી.સેલિના જેટલીએ પતિથી છૂટા પડવાના કારણોની વ્યથા શેર કરી.સેલિનાએ ફરિયાદમાં પોતાના પર ભાવનાત્મક અને મોખિક ક્રુરતા, શારિરીક હિંસા, છલ-કપટ, જબરદસ્તી અને આર્થિક નિયંત્રણની તકલીફનો સમાવેશ કર્યો.સેલિનાએ પતિ પીટરથી છુટા પડવાની વ્યથા શેર કરી હતી જેમાં પોતે અનહદ શારિરીક શોષણ, મારપીટ સંબંધોમાં દગાબાજીવગેરેનો ઉલ્લેખ કરીને હૈયાવરાળ કાઢી હતી. પતિ પીટર તેને નોકરાણી કહીને બોલાવતો હતો.તેમ પણ તેણે કહ્યું હતું. ઉપરાંત સેલિના જેટલીએ પતિ પીટર હોગ સાથે છૂટાછેડાની અરજી નોંધાવ્યાના એક દિવસ પછી તેના વકીલે અભિનેત્રીની સમસ્યાઓ વિશે જણાવ્યું હતું. સેલિનાની વકીલે કહ્યું હતું કે, સૌથી મોટી ચિંતા તેના બાળકોની કસ્ટડીની છે. સેલિનાએ ફરિયાદમાં…
ટાઇગર શ્રોફ સાથે હવે અભિનેત્રી મીનાક્ષી ચૌધરી જાેડી જમાવશે.ટાઇગર શ્રોફ હાલમાં દિલ રાજુ માટે જે ફિલ્મ પર કામ કરી રહ્યો છે તે એક્શન અને સંગીત આધારિત વાર્તા હશે.આ વર્ષે ટાઇગર શ્રોફની એક મોટી ફિલ્મ ‘બાગી ૪’ રિલીઝ થઈ હતી. પરંતુ ટીઝર બહાર આવ્યા ત્યારથી, દ્રશ્યોને ચોરી તરીકે ઓળખવામાં આવી રહ્યા હતા. આ જ કારણ છે કે, જ્યારે ફિલ્મ આખરે રિલીઝ થઈ, ત્યારે ફિલ્મ ખાસ કશું ઉકાળી શકી ન હતી. હવે, તેના માટે એક મોટી ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે. આ એક નવી મ્યુઝિકલ એક્શન એન્ટરટેઈનર છે, જેમાં ટાઇગર એ અભિનેત્રી સાથે જાેડાયો છે જેણે તાજેતરમાં જ જાેન અબ્રાહમની ‘ફોર્સ…
શ્રીદેવીનું “હવા હવાઈ” ગાતી વખતે કવિતા કૃષ્ણમૂર્તિએ કરી હતી મોટી ભૂલ.“મેજિક ઓફ મ્યુઝિક: ધ ૯૦ સ્વેગ” સેશન દરમિયાન, તેણીએ તેની ગાયકી કારકિર્દીની ઘણી રસપ્રદ વાતો શેર કરી.બોલિવૂડની દિગ્ગજ પ્લેબેક સિંગર કવિતા કૃષ્ણમૂર્તિએ તાજેતરમાં એક સમિટમાં ભાગ લીધો હતો. “મેજિક ઓફ મ્યુઝિક: ધ ૯૦જ સ્વેગ” સેશન દરમિયાન, તેણીએ તેની ગાયકી કારકિર્દીની ઘણી રસપ્રદ વાતો શેર કરી. કવિતાએ ખુલાસો કર્યાે કે શ્રીદેવીનું ગીત “હવા હવાઈ” ગાતી વખતે તેણીએ ગીતના શબ્દોમાં મોટી ભૂલ કરી હતી.નોંધનીય છે કે કવિતા કૃષ્ણમૂર્તિએ હિન્દી સિનેમાને ઘણા સુપરહિટ ગીતો આપ્યા છે. આમાંથી એક અનિલ કપૂર અને શ્રીદેવીની બ્લોકબસ્ટર ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ નું ‘હવા હવાઈ’ છે. આ ગીત શ્રીદેવીના…
કિસ કિસકો પ્યાર કરું ૨ ના ટ્રેલરમાં કપિલ શર્માએ ત્રણ વાર ધર્મ બદલ્યો.ટ્રેલરમાં બતાવામાં આવ્યું છે કે લગ્ન “ભૂલથી” થયા હતા કપિલ પાસે હવે તેની ત્રણ પત્નીઓની સંભાળ રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી.જાે તમે કપિલ શર્માને આ પ્રશ્ન પૂછો તો તે કહેશે “તેના માટે હું હિન્દુ ધર્મ છોડીને ઇસ્લામ ધર્મ સ્વીકારીશ, અને પછી જરૂર પડ્યે ખ્રિસ્તી ધર્મ અપનાવીશ.” પરંતુ જાે આટલા બધા બલિદાન આપ્યા પછી પણ, તમને તમારી ડ્રીમ ગર્લ ન મળે તો તમે શું કરશો? આ સમયમાં કપિલ પોતે જ આ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. કિસ કિસકો પ્યાર કરું ૨ ટ્રેલરમાં યુનિક સ્ટોરી બતાવામાં આવી છે. તેના સપનાની સ્ત્રી…
સોના-ચાંદીના વાયદામાં ચાલુ રહેલો તેજીનો પવનઃ સોનાનો વાયદો રૂ.753 અને ચાંદીનો વાયદો રૂ.2755નો ઉછાળો ક્રૂડ તેલના વાયદામાં રૂ.24ની વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.32010.99 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.476038.6 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.26327.86 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 29902 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.508070.9 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.32010.99 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.476038.6 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.21.31 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.. કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 29902 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2093.12 કરોડનું થયું હતું. કીમતી…
ગુજરાત માટે ઐતિહાસિક દિવસ.કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦નું યજમાન બન્યું અમદાવાદ.પહેલીવાર એવું બન્યું છે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટિસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થશ.ગુજરાત માટે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક છે. મિનિઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની ૨૦૩૦ની યજમાની અમદાવાદને આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વની મિટિંગ હતી. જેમાં ભાગ લેવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન ત્યાં પહોંચી ચૂક્યું છે.અમદાવાદને યજમાની મળતાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટિસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થશે. એટલું જ નહીં, ૨૦૩૦ માટે અમદાવાદને યજમાની મળતાં એક સંયોગ એવો પણ છે કે ત્યારે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની ૧૦૦મી…
મૃતક વ્યક્તિઓના આધાર નંબર નિષ્ક્રિય કરી દીધાદેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ કરાયા.કોઈપણ છેતરપિંડી ન થાય કે પછી આધાર કાર્ડનો દુરુપયોગ ન થાય, તે હેતુથી ઓથોરિટીએ મૃતક વ્યક્તિઓના આધાર નંબર નિષ્ક્રિય કરી દીધા છે.યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા આધાર કાર્ડ મુદ્દે મહત્ત્વની માહિતી આપી છે. ઓથોરિટીએ કહ્યું છે કે, દેશભરમાં બે કરોડ મૃત વ્યક્તિઓના નામ ડેટામાંથી હટાવી દેવાયા છે. કોઈપણ છેતરપિંડી ન થાય કે પછી આધાર કાર્ડનો દુરુપયોગ ન થાય, તે હેતુથી ઓથોરિટીએ મૃતક વ્યક્તિઓના આધાર નંબર નિષ્ક્રિય કરી દીધા છે. મૃતક વ્યક્તિઓની ચોક્કસ માહિતી મેળવી શકાય તે માટે UIDAI એ રજિસ્ટ્રાર જનરલ, રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો, જાહેર વિતરણ વ્યવસ્થા, રાષ્ટ્રીય…
ગુજરાતને ૧૨૦. ૬૫ કરોડની પેનલ્ટી.જળ જીવન મિશનમાં ગડબડ પર PM મોદીનું કડક વલણ.જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે પણ કહ્યું છે કે દોષિતોને બક્ષવામાં આવશે નહીં.દરેક ઘરને નળથી જળ પૂરું પાડવાના ઉદ્દેશ્ય ધરાવતા મહત્વાકાંક્ષી જળ જીવન મિશનમાં ગેરરીતિઓની ફરિયાદો બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક રાજ્યોમાં કડક વલણ અપનાવ્યું છે. માહિતી અનુસાર, ઁસ્ નરેન્દ્ર મોદીએ જળ શક્તિ મંત્રાલયને જ્યાં પણ ગેરરીતિઓની ફરિયાદો મળી છે ત્યાં કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. વધુમાં, વડા પ્રધાન મોદીએ નિર્દેશ આપ્યો છે કે કેન્દ્ર સરકાર આવા કિસ્સાઓમાં રાજ્ય સરકાર પગલાં ન લે ત્યાં સુધી મિશન માટે પોતાની તરફથી એક પણ પૈસો જારી ના કરે.વડા પ્રધાને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



