Author: Garvi Gujarat

પંચાયતના સચિવજી તરીકે જાણીતા થયેલા.જિતેન્દ્ર કુમારે કમ્ફર્ટ ઝોન છોડ્યો: ‘ભાગવત ચેપ્ટર ૧ : રાક્ષસ’માં અલગ અવતારમાં દેખાશે.મને ખરેખર એક ક્રાઇમ થ્રિલર કરવાની ઇચ્છા હતી અને કોઈ એવું પાત્ર કરવું હતું જેના અનેક ચહેરા હોય : જિતેન્દ્ર.પહેલા જીતુભૈયા અને પછી પંચાયતના સચિવજી તરીકે જાણીતા થયેલા કલાકાર જીતેન્દ્ર કુમાર હાલ વિવિધ પ્રકારના રોલના પ્રયોગો કરી રહ્યો છે. થોડાં દિવસ પહેલાં ‘મિરઝાપુર’ ફિલ્મના સેટ પરથી તેમની તસવીરો વાયરલ થઈ હતી. હવે તેણે ક્રાઇમ થ્રિલર ‘ભાગવત ચેપ્ટર ૧ – રાક્ષસ’માં પોતાના રોલ વિશે વાત કરી છે. તેણે જણાવ્યું કે આ રોલમાં તેને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની તક મળી.આ ફિલ્મમાં જિતેન્દ્ર એક આકર્ષક કોલેજ પ્રોફેસર…

Read More

સોના-ચાંદીના વાયદામાં તેજીની આગેકૂચઃ સોનાનો વાયદો રૂ.1,129 અને ચાંદીનો વાયદો રૂ.2,264 ઊછળ્યો ક્રૂડ તેલના વાયદામાં રૂ.27ની વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.46570.91 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.189075.62 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.41802.00 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 30534 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.235650.19 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.46570.91 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.189075.62 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 30534 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2488 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.41802.00…

Read More

દિવાળીના તહેવારો ટાણે પોલીસે દરોડા પાડ્યાં.મહેસાણા પાસે ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘીનો ૯૫.૫૯ લાખનો જથ્થો સીઝ.પોલીસે શીવાન ફૂડ પ્રોડક્ટસ ફેકટરીને સીલ મારી દીધી ફૂડ અધિકારીએ ઘીના ૧૭ જેટલા નમૂના ચકાસણી માટે મોકલ્યાં.મહેસાણાના ગિલોસણ ગામની સીમમાં યુક્રેન એસ્ટેટમાં આવેલી શિવાન ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાંથી તાલુકા પોલીસે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી લેતાં ફૂડ વિભાગ દ્વારા ૧૮ જેટલા નમૂના લઈને રૂ.૯૫.૫૯ લાખનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિવાળીના પર્વમાં મીઠાઈ-ફરસાણનું વેચાણ વધતું હોય છે ત્યારે લેભાગુ તત્ત્વો વધુ નાણાં કમાઈ લેવાની લાલચમાં માવો, મીઠાઈ, ફરસાણ વગેરે ખાદ્ય સામગ્રી પણ બનાવટી કે ભેળસેળવાળી સસ્તી સામગ્રીમાંથી બનાવીને લોકોના આરોગ્ય સાથે બિન્દાસ્ત ચેડાં કરતા હોય…

Read More

પર્વતીય વિસ્તારોમાં વધુ બરફવર્ષા અને વારંવાર કોલ્ડવેવની શક્યતા.લા નિનાને કારણે સમગ્ર દેશમાં આકરી ઠંડી પડવાની આગાહી.લા નીના એક વ્યાપક હવામાન પેટર્ન છે, જેને અલ નીનો-સધર્ન ઓસિલેશન તરીકે ઓળખવામાં આવે છે.શિયાળાનું સત્તાવાર આગમન ન થયું હોવા છતાં ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે લા નીનાને કારણે દેશના ઘણા વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ ઠંડી પડશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ લા નીનાથી ભારતના ઘણા વિસ્તારો અને ખાસ કરીને ઉત્તર ભારતમાં શિયાળામાં કડકડતી ઠંડી પડી શકે છે. પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા અને વારંવાર ઠંડીના મોજા આવી શકે છે. હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા ચાલુ થઈ ગઈ…

Read More

ચીનની ડેમ યોજનાને ભારતનો જવાબ.ભારત બ્રહ્મપુત્રા નદી પર રૂપિયા ૬.૪ લાખ કરોડના ખર્ચે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સ્થાપશે.આ યોજના અંતર્ગત પૂર્વોત્તરના રાજ્યોમાં ૧૨ પેટા નદીક્ષેત્રોમાં ૨૦૮ વિશાળ હાઇડ્રો પ્રોજેક્ટ્સ સ્થપાશે જેની ક્ષમતા ૬૪.૯ ગીગાવોટની રહેશે.કેન્દ્રે બ્રહ્મપુત્રા નદીક્ષેત્રમાં રૂ. ૬.૪ લાખ કરોડના ખર્ચે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સ્થાપવાની તૈયારી કરી છે. બ્રહ્મપુત્રા નદી પર વિશ્વના સૌથી મોટા ડેમના નિર્માણની ચીનની યોજનાના જવાબમાં ભારતે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધર્યાે છે. આ પ્રોજેક્ટથી દેશમાં સતત વધી રહેલી વીજ માંગને પહોંચવામાં મદદ મળશે તેમ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (સીઈએ)એ જણાવ્યું હતું.સીઈએએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત પૂર્વાેત્તરના રાજ્યોમાં ૧૨ પેટા નદીક્ષેત્રોમાં ૨૦૮ વિશાળ હાઇડ્રો પ્રોજેક્ટ્સ સ્થપાશે જેની…

Read More

પૂર્વ સૈનિકોને કેન્દ્ર સરકારની દિવાળી ભેટવિવિધ વસ્તુઓ માટે નાણાકીય સહાયની રકમ બમણી કરાઈઆ વધારાના ર્નિણયથી આશ્રિતોને શિક્ષણ, લગ્ન અને ગરીબી અનુદાન માટે મળતી નાણાકીય સહાયની રકમ બમણી થઈ જશસંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કેન્દ્રીય સૈનિક બોર્ડ (દ્ભજીમ્) દ્વારા અમલમાં મૂકવામાં આવતી યોજનાઓ હેઠળ પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતોને અપાતી નાણાકીય સહાયમાં ૧૦૦% વધારો કરવાને મંજૂરી આપી છે. આ વધારાના ર્નિણયથી આશ્રિતોને શિક્ષણ, લગ્ન અને ગરીબી અનુદાન માટે મળતી નાણાકીય સહાયની રકમ બમણી થઈ જશે. આ સુધારેલા દરો આવતા મહિનાની ૧લી નવેમ્બરથી અસરકારક બનશે. બુધવારે સંરક્ષણ મંત્રાલયે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આ યોજનાઓનું અમલ કેન્દ્રીય સૈનિક બોર્ડ દ્વારા પૂર્વ સૈનિક…

Read More

અમેરિકન પાસપોર્ટને મોટો ઝટકો લાગ્યો.વિશ્વના ૧૦ સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાંથી અમેરિકાનું ‘નામો નિશાન’ નહીં.અમેરિકન પાસપોર્ટ હવે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સની વિશ્વના ટોચના ૧૦ સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ૧૨મા સ્થાનેટેરિફ દ્વારા આતંકને ઉશ્કેર્યા પછી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે વૈશ્વિક શાંતિ નિર્માતા તરીકે પોતાને રજૂ કરી રહ્યા છે. ટ્રમ્પે તાજેતરમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાવવાનો શ્રેય લીધો હતો અને ભારત-પાકિસ્તાન સંઘર્ષ સહિત સાત યુદ્ધો બંધ કરવાનો દાવો કર્યો હતો. જાેકે, ભારતે ટ્રમ્પના દાવાઓને સતત નકારી કાઢ્યા છે. દરમિયાન, ટ્રમ્પને ભારે મોટો ઝટકો લાગ્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત, યુએસ પાસપોર્ટ વિશ્વના ટોચના ૧૦ સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાંથી નીચે આવી ગયો છે. ૨૦…

Read More

વિવિધ શો-રૂમમાં લોકો ખરીદવા ઉમટયા.સોના-ચાંદીનાં વેપારીઓને ગુરુ પુષ્ય નક્ષત્ર ફળ્યું.આગામી દિવસોમાં આવી રહેલા ધનતેરસના દિવસે પણ આવી જ ખરીદી જાેવા મળશે તેવી પણ વેપારીઓને આશા છ.હાલ સોના-ચાંદીનાં ભાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, તેની વચ્ચે પણ લોકોએ આજે ગુરુપુષ્યામૃત નક્ષત્રને ધ્યાને લઈને સોના-ચાંદીના આભૂષણોની ધૂમ ખરીદી કરતાં મોટાભાગના શોરૂમોમાં ગ્રાહકોની સવારથી જ ભીડ જાેવા મળી હતી. લોકોએ ઘરેણાની ખરીદી કરવાની સાથે સાથે રોકાણ માટે પણ ગિની સહિતની ખરીદી કરીને શુકન સાચવી લેતાં સોના-ચાંદીનાં વેપારીઓને ગુરુ પુષ્ય નક્ષત્ર ફળ્યું છે. આગામી દિવસોમાં આવી રહેલા ધનતેરસના દિવસે પણ આવી જ ખરીદી જાેવા મળશે તેવી પણ વેપારીઓને આશા છે. ભુજના વેપારીઓના જણાવ્યા…

Read More

દોહાથી હોંગકોંગ જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ.કતાર એરવેઝની ફ્લાઈટમાં ખામી સર્જાતા અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ.એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફાયર વિભાગને જાણ કરાઈ હતી.અમદાવાદ એરપોર્ટ પર દોહાથી હોંગકોંગ જતી કતાર એરવેઝની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફ્લાઈટમાં ખામી સર્જાતા આજે બપોરે ૨.૩૦ વાગ્યાની આસપાસ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગનો કોલ મળતાંની સાથે જ ચાંદખેડા ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓ પણ ઉચ્ચ અધિકારીઓ સાથે એરપોર્ટ પર સ્ટેન્ડ બાય કરી દેવાઈ હતી. હાલમાં ફ્લાઈટમાં સર્જાયેલી ટેકનિકલ ખામી શું છે તેની તપાસ શરૂ કરવામાં…

Read More

વિવાદોની વચ્ચે સરકારે લીધો મોટો ર્નિણય.કેરળની સ્કૂલોમાં વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવાની છૂટ આપવામાં આવી.કેરળના શિક્ષા મંત્રી વી. શિવન કુટ્ટીએ આ મામલે આદેશ આપ્યો જેમાં તેમણે વિદ્યાર્થીઓને હિજાબ પહેરવાની છૂટ આપી છે.કેરળમાં હવે વિદ્યાર્થીનીઓ સ્કૂલમાં હિજાબ પહેરીને જઈ શકશે. એક વિદ્યાર્થીનીએ હિજાબ પહેર્યો હતો જેને લઈને રાજ્યમાં મોટા પાયે વિવાદ થયો હતો. જાેકે હવે આ વિવાદ બાદ રાજ્ય સરકાર દ્વારા મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં શાળામાં હવે વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવાની અનુમતિ આપી દેવામાં આવી છે. સમગ્ર મામલે કેરળના શિક્ષા મંત્રી વી. શિવન કુટ્ટીએ આ મામલે આદેશ આપ્યો જેમાં તેમણે વિદ્યાર્થીઓને શાળામાં હિજાબ પહેરવાની છૂટ આપી છે. કેરળના શિક્ષણમંત્રી દ્વારા સ્કૂલની દરેક…

Read More