Author: garvigujrat

ગિગ વર્કર્સ માટે સરકારનો નવો પ્રસ્તાવ.૯૦ દિવસ ફરજિયાત કામ, પેન્શન પણ મળશે.ડિલિવરી પ્લેટફોર્મ પર કામ કરતા કર્મચારીઓને સ્વાસ્થ્ય, જીવન વીમો અને અકસ્માત વીમા જેવી સુવિધાઓ મળશે.ભારતમાં ગિગ ઇકોનોમી સાથે જાેડાયેલા લાખો શ્રમિકો માટે નવા વર્ષની શરૂઆત આશાસ્પદ રહી છે. ભારત સરકારે સામાજિક સુરક્ષા સંહિતા, ૨૦૨૦ હેઠળ નવા ડ્રાફ્ટ નિયમોનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ નિયમો લાગુ થવાથી ડિલિવરી પ્લેટફોર્મ પર કામ કરતા કર્મચારીઓને સ્વાસ્થ્ય, જીવન વીમો અને અકસ્માત વીમા જેવી સુવિધાઓ મળશે. નવા નિયમો મુજબ, સામાજિક સુરક્ષાનો લાભ મેળવવા માટે કર્મચારીઓએ અમુક ચોક્કસ સમયગાળા માટે કામ કરવું અનિવાર્ય રહેશે. – સિંગલ પ્લેટફોર્મ વર્કર્સ: જાે કોઈ વર્કર માત્ર એક જ કંપની…

Read More

ભાજપે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન.કોંગ્રેસ સરકારના સરવેમાં ૮૩ ટકા લોકોને ઈફસ્ પર ભરોસો.કર્ણાટક સરકારે ૫૧૦૦ લોકો પાસેથી લીધો ફીડબેક.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ અનેક વખત ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે. જ્યારે રાહુલ ગાંધી અવારનવાર ચૂંટણી પંચ અને ઈવીએમમાં ગડબડ હોવાના આક્ષેપો કરતા રહ્યા છે, ત્યારે કર્ણાટકની કોંગ્રેસ સરકારે લોકસભા ચૂંટણી-૨૦૨૪માં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર આશંકા વ્યક્ત કરીને સરવે હાથ ધર્યો હતો, જેમાં ખુદ કોંગ્રેસને જ મોટો ઝટકો લાગ્યો છે. સરવેમાં ૮૩ ટકાથી વધુ લોકોએ EVM પર વિશ્વાસ મૂક્યો છે. કોંગ્રેસે રિપોર્ટ જાહેર કર્યા બાદ ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું…

Read More

શાહબાઝ શરીફે દેશને પાઠવી શુભેચ્છા.કંગાળ પાકિસ્તાને ક્રૂડ ઓઇલ-ગેસનો ભંડાર મળ્યાનો દાવો.રોજના ૪૧૦૦ બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન થશે.આર્થિક રીતે પાયમાલ થઈ રહેલા પાકિસ્તાન માટે કુદરતી સંસાધનોની આ શોધ સંજીવની સમાન સાબિત થઈ શકે છે. પાકિસ્તાની એજન્સીઓના જણાવ્યા અનુસાર, ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લાના નશપા બ્લોકમાં તેલ અને ગેસનો વિપુલ ભંડાર મળી આવ્યો છે. પાકિસ્તાનની ઓઈલ એન્ડ ગેસ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (OGDCL) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ નવી શોધાયેલી સાઇટ પરથી ઉત્પાદનની ક્ષમતા આશાસ્પદ છે. કંપનીના અંદાજ મુજબ, આ નવા ભંડારમાંથી દરરોજ અંદાજે ૪૧૦૦ બેરલ ક્રૂડ ઓઇલ મેળવી શકાશે, જે દેશની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થશે. ક્રૂડ ઓઇલની સાથે જ…

Read More

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું.અમદાવાદનો ફ્લાવર શો દરેકનું મન મોહિત કરશે!.તે જનભાગીદારીનું એક અદ્ભુત ઉદાહરણ છે, તેનાથી શહેરની જીવંત ભાવના સાથે જ પ્રકૃતિ સાથેના જાેડાણને સુંદર રીતે દર્શાવે છે.અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ૧ જાન્યુઆરીથી ૧૪મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો-૨૦૨૬નો ભવ્ય પ્રારંભ થયો છે. આ ફ્લાવર શોનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ભારત એક ગાથા થીમ પર ૧૪મા ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક સિદ્ધિઓ સુધીની સફરને લાખો રંગબેરંગી ફૂલોથી જીવંત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના ફ્લાવર શોની ભવ્યતાને લઈ એક્સ પર પોસ્ટ શેર કરી છે. પ્રધાનમંત્રી…

Read More

Gail Gas Limited ની જાહેરાત.CNG ભાવમાં કર્યો ઘટાડો,PNG ગ્રેસ પણ થયો સસ્તો. PNG અને CNG ભાવમાં અનુક્રમે રૂપિયા ૧ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર અને રૂપિયા ૧ પ્રતિ કિલોનો ઘટાડો કરવાની જાહેરાત.પબ્લિક સેક્ટરની કંપની ગેલ ગેસ લિમિટેડ (Gail Gas Limited) એ ગુરુવારે ઘરેલું રસોઈ ગેસ (PNG) અને CNG ભાવમાં અનુક્રમે રૂપિયા ૧ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર અને રૂપિયા ૧ પ્રતિ કિલોનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવા વર્ષ નિમિત્તે કંપનીએ પોતાના ગ્રાહકોને આ મોટી ભેટ આપી છે. નોંધનીય છે કે, ગેસના ભાવમાં આ ઘટાડો પાઇપલાઇન ટેરિફમાં તાજેતરમાં કરવામાં આવેલા ફેરફારો બાદ લેવામાં આવ્યો છે. આના એક દિવસ પહેલા જ દેશની સૌથી…

Read More

ઓસી. ટીમના કોચ મેકડોનાલ્ડે અગાઉ કમિન્સ રમશે કે નહીં તે અંગે શંકા સેવી હતી.ટી૨૦ વર્લ્ડ કપમાં પણ કમિન્સના સમાવેશથી તમામ શંકા દૂર: કોચ.કમિન્સ ટીમનું નેતૃત્વ સંભાળશે નહીં કેમ કે ઓલરાઉન્ડર મિચેલ માર્શ હાલ ઓસ્ટ્રેલિયાનો ટી૨૦ કેપ્ટન છે.પ્રવાસી ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ ગુમાવી ચૂકેલો ઓસ્ટ્રેલિયન સુકાની પેટ કમિન્સ આગામી ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ માટેની ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ થયો છે તેનાથી તેના અંગેની તમામ શંકાઓ દૂર થઈ ગઈ છે.અગાઉ કાંગારું ટીમના કોચ મેકડોનાલ્ડે જાહેર કર્યું હતું કે તે વર્લ્ડ કપમાં રમી શકશે નહીં અને તેને ફિટ થવામાં ઘણો સમય લાગશે. આગામી ટી૨૦ વર્લ્ડ કપ આ વખતે ભારત અને શ્રીલંકામાં યોજાનારો છે. ફેબ્રુઆરી-માર્ચમાં…

Read More

ગત વર્ષની સરખામણીએ વધુ ૪૦નાં મોત.વાઘના અસ્તિત્વ પર સંકટ વર્ષ ૨૦૨૫માં ૧૬૬નાં મોત.ભારતમાં વાઘની વસ્તી ૨૦૧૮માં ૨,૯૬૭ હતી જે ૨૦૨૨માં વધીને ૩,૬૮૨ થઈ ગઈ છે. ભારત વિશ્વના ૭૫% વાઘનું ઘર છે. વિશ્વમાં વાઘની સૌથી વધુ વસ્તી ધરાવતા ભારત માટે વર્ષ ૨૦૨૫ ચિંતાજનક રહ્યું છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી ના તાજેતરના આંકડા અનુસાર, ગત વર્ષે દેશમાં કુલ ૧૬૬ વાઘનાં મોત થયા છે, જે વર્ષ ૨૦૨૪ (૧૨૬ મોત)ની સરખામણીએ ૪૦ વધુ છે. ‘ટાઈગર સ્ટેટ’ તરીકે જાણીતા મધ્યપ્રદેશમાં સૌથી વધુ ૫૫ વાઘનાં મોત નોંધાયા છે.કુલ ૧૬૬ મૃત વાઘોમાં ૩૧ બચ્ચા હતા, જે ચિંતાનો વિષય છે. વર્ષની શરૂઆત ૨ જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં એક નર વાઘના…

Read More

પ્રદૂષણના ગંભીર અસર.બે વર્ષમાં ગુજરાતમાં શ્વાસના દર્દીઓમાં ૪૦%નો વધારો.૨૦૨૪ની સરખામણીએ ૨૦૨૫માં શ્વાસની સમસ્યાના ઈમરજન્સી કોલ્સમાં આંશિક ઘટાડો નોંધાયો.શિયાળાની સાથે જ પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ છેલ્લા ઘણા દિવસથી ૨૦૦ને પાર નોંધાય છે. પ્રદૂષણની અસરને પગલે શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં એક જ વર્ષમાં શ્વાસની સમસ્યા ધરાવતા ૧.૨૯ લાખથી વઘુ ઈમરજન્સી કોલ્સ નોંધાયાનું સામે આવ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૨૫માં શ્વાસની સમસ્યા ધરાવતા દરરોજના સરેરાશ ૩૬૧ અને પ્રતિ કલાકના ૧૫ જેટલા કેસ નોંધાયા છે. ઈમરજન્સી સેવા ‘૧૦૮’ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૨૩માં શ્વાસની…

Read More

વર્ષાંતે ટેક્સ પ્લાનિંગના ભાગરૂપે દાનવીર બન્યા હોવાનો ખુલાસા.ઇલોન મસ્કની સખાવત: ટેસ્લાના રૂ.૯૦૦ કરોડના શેર દાનમાં આપ્યા.અમેરિકાની શેરબજારની નિયમનકારી સંસ્થા યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને આપેલી નિયમનકારી માહિતીમાં આ અંગેનો ખુલાસો થયો. વિશ્વના સૌથી ધનિક અબજાેપતિ ઇલોન મસ્કે આશરે ૧૦ કરોડ ડોલર (આશરે ૯૦૦ કરોડ)ના ટેસ્લાના આશરે ૨.૧૦ લાખ શેર કેટલીક સખાવતી સંસ્થાને દાનમાં આપ્યાં છે. જાેકે આ સખાવતી સંસ્થાઓના નામ જાહેર કરાયા નથી. ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ વર્ષાંતના ટેક્સ પ્લાનિંગને ભાગરૂપે મસ્કે આ દાન કર્યું હતું.અમેરિકાની શેરબજારની નિયમનકારી સંસ્થા યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને આપેલી નિયમનકારી માહિતીમાં આ અંગેનો ખુલાસો થયો હતો. ટેસ્લાના સીઇઓએ આવું મોટું દાન કર્યું હોય તેવો…

Read More

અભિનેત્રીને નાનપણથી જ અભિનયમાં રસ હતો.દેખાવ અને વજન માટે ટ્રોલ થતા વિદ્યાને જાત માટે નફરત થવા લાગી હતી.અક્ષય કુમાર સાથે ફિલ્મ “હે બેબી” માં અભિનય કર્યા બાદ વિદ્યાને તેના દેખાવ અને વજન માટે ટ્રોલ કરવામાં આવી હતી.વિદ્યા બાલનનો જન્મદિવસ વિશેષ: હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી વિદ્યા બાલન થિયેટર કર્યા પછી ટીવી શોમાં કામ કરતી હતી. આ પછી, અભિનેત્રીએ દક્ષિણ સિનેમામાં અભિનય કારકિર્દી શરૂ કરવાની યોજના બનાવી હતી. જાેકે, આ ર્નિણય સફળ ન થયો. આ પછી, તેણીએ એક મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું. આનાથી તેનું નસીબ બદલાઈ ગયું અને અભિનેત્રીને બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની તક મળી. ૨૧ વર્ષ પહેલાં હિન્દી સિનેમામાં પ્રવેશ કરનારી વિદ્યા…

Read More