- બાબીલ ખાન ફરી ટ્રેક પર: ડિપ્રેશન બાદ કેરિયરમાં વળાંક, મલયાલમ ફિલ્મ ‘ગાંધી બજાર’ મળ્યો
- મીરા નાયરની ‘અમરી’ બાયોપિકમાં અમૃતા શેરગિલ તરીકે અંજલી શિવરામનની પસંદગી, 100થી વધુ ઓડિશન બાદ નિર્ણય
- વિદ્યા બાલન ભાવુક: 25 વર્ષ બાદ ‘ધ લાસ્ટ ટેનન્ટ’ જાેઈ, ઇરફાન ખાન સાથેની યાદો તાજી
- ‘વીવાન’ ફિલ્મ માટે અનોખી સ્ટ્રેટેજી: રિલીઝ પહેલાં જ કોમિક બુક ‘ધ લેજન્ડ ઑફ વીવાન’ લોન્ચ
- પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાના સંકેત: ચાર વર્ષથી સ્થિર દર, હવે વધારો શક્ય
- શુભેન્દુ અધિકારીના સરહદી વાડ નિર્ણયથી બાંગ્લાદેશ આક્રોશિત, કાંટાળા તાર પર વિવાદ ગરમાયો
- શ્રીલંકામાં સાયબર ક્રાઈમ મામલે 173 ભારતીયોની ધરપકડ, આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે જોડાણની આશંકા
- સાબરમતી જેલમાંથી કુખ્યાત કેદી મેઈન ગેટથી ફરાર, સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા ગંભીર સવાલો
Author: Garvi Gujarat
પુત્ર સત્યાએ સોશિયલ મીડિયા પર કરી પુષ્ટી.અભિનેતા મહેશ માંજરેકરની પ્રથમ પત્ની દીપા મહેતાનું અવસાન.ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકરે ૧૯૮૭ માં દીપા મહેતા સાથે લગ્ન કર્યા. તેઓ કોલેજ સમયથી એકબીજાને ઓળખતા હતા.અભિનેતા અને ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકરની પહેલી પત્ની દીપા મહેતાનું અવસાન થયું છે. પુત્ર સત્યાએ સોશિયલ મીડિયા પર આ સમાચારની પુષ્ટિ કરી અને તેની માતા માટે ભાવનાત્મક નોંધ લખી છે. પીઢ અભિનેતા અને ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકરની પહેલી પત્ની, કોસ્ચ્યુમ ડિઝાઇનર દીપા મહેતાનું અવસાન થયું છે. મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેના પરિવાર કે પ્રિયજનો તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.સત્ય માંજરેકરે તેની માતાનો એક જૂનો ફોટો શેર કર્યાે…
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ.ગિરધરનગર ફ્લાયઓવર પર ૧૨ દિવસમાં ૧૨૦૦ ટન વજનના બ્રિજનું કામ પૂણ.જાહેર જનતાને ઓછી અસુવિધા થાય તે માટે આ લૉન્ચિંગનું કામ ખૂબ જ સુવ્યવસ્થિત રીતે અને માત્ર ૧૨ દિવસના ટૂંકા સમયગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું.મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (MAHSR)એ અમદાવાદ જિલ્લામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. પ્રોજેક્ટની ટીમે ગિરધરનગર ફ્લાયઓવર પર દિલ્હી-અમદાવાદ મુખ્ય રેલવે લાઈન (વેસ્ટર્ન રેલવે)ને સમાંતર રેલવે ઓવર બ્રિજ (ROB)ની વિઆડક્ટ લૉન્ચિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ગિરધરનગર બ્રિજ અમદાવાદના સૌથી વ્યસ્ત ફ્લાયઓવર્સમાંનો એક છે, જે શાહિબાગ, અસાવરા અને કાલુપુરને જાેડે છે. હજારો નાગરિકોની દૈનિક અવરજવરને ધ્યાનમાં રાખીને, જાહેર જનતાને ઓછી અસુવિધા થાય તે માટે…
લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે મોટી એક્શન.કેનેડાએ લોરેન્સ બિશ્નોઈને આતંકવાદી જાહેર કર્યો.કેનેડા સરકારે સોમવારે લોરેન્સ બિશ્નોઈની બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠનની યાદીમાં સામેલ કરી છે.કેનેડાએ લોરેન્સ બિશ્નોઈને આતંકવાદી જાહેર કર્યો છે. આ ઉપરાંત કેનેડા સરકારે સોમવારે લોરેન્સ બિશ્નોઈની બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠનની યાદીમાં સામેલ કરી છે. આ ર્નિણય કન્ઝર્વેટિવ અને દ્ગડ્ઢઁ નેતાઓની માંગ બાદ લેવાયો છે. આ પગલાં હેઠળ હવે કોઈ પણ કેનેડિયન નાગરિક માટે આ ગેંગને આર્થિક મદદ કરવી કે તેના માટે કામ કરવું ગુનો ગણાશે. બિશ્નોઈ ગેંગ ભારતમાંથી સંચાલિત થાય છે અને લોરેન્સ બિશ્નોઈ પર આરોપ છે કે તે જેલમાંથી મોબાઈલ ફોન દ્વારા આખી ગેંગ ચલાવે છે. કેનેડા સરકારે પ્રેસ…
ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે ૨૦૧૧માં ડેબ્યૂ કર્યું હતું.ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.૩૬ વર્ષીય ખેલાડીને ઈજાને કારણે ઇંગ્લેન્ડની તાજેતરમાં જાહેર કરાયેલ એશિઝ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો.ઇંગ્લેન્ડના સ્ટાર બોલિંગ ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે સોમવારે (૨૯ સપ્ટેમ્બર) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ૩૬ વર્ષીય ખેલાડીને ઈજાને કારણે ઇંગ્લેન્ડની તાજેતરમાં જાહેર કરાયેલ એશિઝ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ મેચમાં તેનો ખભામાં ઇજા થઈ હતી. તે તેની કારકિર્દી દરમિયાન લાંબા ગાળાની ઇજાઓ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. તેણે ૨૦૧૧ માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.…
ભારતનો પ્રથમ યુરોપિયન વેપાર કરાર ૧ ઓક્ટોબરથી અમલમાં…!!.ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) વચ્ચેનો વેપાર કરાર આખરે ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે. લગભગ દોઢ વર્ષથી ચાલી રહેલી પ્રક્રિયાગત વિલંબ બાદ આ કરાર અમલમાં આવી રહ્યો છે. ભારત અને EFTA દેશો વચ્ચે ૧૦ માર્ચ, ૨૦૨૪ના રોજ આ કરાર પર હસ્તાક્ષર થયા હતા. EFTA બ્લોકમાં આઇસલેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, નોર્વે અને લિક્ટેંસ્ટેઇનનો સમાવેશ થાય છે. આ કરારને “વેપાર અને આર્થિક ભાગીદારી કરાર” નામ આપવામાં આવ્યું છે, જે ભારતના કોઈપણ યુરોપિયન દેશ અથવા બ્લોક સાથેનો પ્રથમ અમલમાં મુકાયેલો વેપાર કરાર છે. આ કરાર હેઠળ ભારતે EFTA દેશોના લગભગ ૮૦થી ૮૫% માલ પર ટેરિફ ઘટાડવાનો નિર્ણય…
નવરાત્રીના આઠમના દિવસે માં મહાગૌરીની આરાધના કરવામાં આવે છે.નવરાત્રિનો આઠમો દિવસ મા દુર્ગાના સ્વરૂપ મા મહાગૌરીને સમર્પિત માનવામાં આવે છે. નવરાત્રિની આ અષ્ટમી તારીખને મહાષ્ટમી અથવા દુર્ગા અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા મહાગૌરીએ ભગવાન શિવને તેમના પતિના રૂપમાં મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી અને એક વખત ભગવાન ભોલેનાથે પાર્વતીજીને જોઈને કંઈક કહ્યું, જેના કારણે દેવીનું મન દુઃખી થઈ ગયું અને પાર્વતીજી તપસ્યામાં મગ્ન થઈ ગયા. આ રીતે વર્ષો સુધી કઠોર તપસ્યા કર્યા પછી જ્યારે માતા પાર્વતી આવતી નથી ત્યારે ભગવાન શિવ પાર્વતીની શોધમાં તેમની પાસે પહોંચે છે. જ્યારે તેઓ ત્યાં પહોંચે છે, ત્યારે તેઓ ત્યાં માતા પાર્વતીનું…
આ કાંસ્ય પ્રતિમાનું અનાવરણ વર્ષ ૧૯૬૮માં કરાયું હતુ.ગાંધી જયંતિ પૂર્વે લંડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ.ઈન્ડિયા લીગના સહયોગથી બનેલી આ કાંસ્ય પ્રતિમાનું અનાવરણ વર્ષ ૧૯૬૮ માં કરવામાં આવ્યું હતું. ગાંધી જયંતિના ત્રણ દિવસ પૂર્વે જ લંડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી છે. જેમાં લંડનનાટેવિસ્ટોક સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની અજાણ્યા વ્યક્તિઓએ તોડફોડ કરી હતી. ભારતીય હાઈ કમિશને આ ઘટનાની સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી.આ પ્રતિમાના ચબૂતરા પર પણ કેટલીક હેરાન કરનારી વાતો લખવામાં આવી છે. આ ઘટનાની જાણકારી મળતા લંડન પોલીસે તપાસ શરુ કરી છે. આ ઘટના હાલ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે.આ ઘટના અંગે ભારતીય હાઈ કમિશને નારાજગી વ્યક્ત…
ઈઝરાયલ સહમત, હમાસ પણ તૈયાર થાય તો ૭૨ કલાકમાં યુદ્ધ સમાપ્ત.અરબ અને મુસ્લિમ દેશોએ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાનું સ્વાગત કર્યુ.સાઉદી અરબ, જાેર્ડન, સંયુક્ત અરબ અમીરાત, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, તુર્કી, કતાર અને ઇજિપ્તના વિદેશ પ્રધાનોએ ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાનું સ્વાગત કર્યું છ.ગાઝા પટ્ટીમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા ઇઝરાયેલના લશ્કરી અભિયાનને સમાપ્ત કરવા માટે અમેરિકાએ મોટું પગલું ભર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની હાજરીમાં ગાઝા સહિત સમગ્ર પેલેસ્ટાઇન ક્ષેત્રમાં શાંતિ માટેની ૨૦-સૂત્રીય એક્શન પ્લાનની જાહેરાત કરી છે. વોશિંગ્ટનના પ્રવાસે પહોંચેલા ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાયહૂની ઉપસ્થિતિમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેની જાહેરાત કરી હતી.વ્હાઇટ હાઉસમાં આ યોજનાની જાહેરાત…
કરોડો લોકોનો દુનિયા સાથેનો સંપર્ક તૂટ્યો.અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ.ઈન્ટરનેટ બ્લેકઆઉટની સૌથી વધુ અસર સામાન્ય લોકો અને વ્યવસાયો પર પડી છે. પરિવારો હવે વિદેશમાં રહેતા તેમના પ્રિયજનો સાથે વાતચીત કરી શકતા નથી.વર્ષ ૨૦૨૧માં તાલિબાન અફઘાનિસ્તાનની સત્તામાં આવ્યું ત્યારથી જ સમગ્ર દેશમાં અનેક પ્રકારના પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. ખાસ કરીને મહિલાઓ અને મીડિયા પર આકરાં પ્રતિબંધ છે. એવામાં હવે અફઘાનિસ્તાનમાં સામાન્ય નાગરિકો ઈન્ટરનેટનો ઉપયોગ પણ નહીં કરી શકે. તાલિબાને સમગ્ર અફઘાનિસ્તાનમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ કરવાની જાહેરાત કરી છે. છેલ્લા ઘણા દિવસથી તાલિબાનીઓ અનેક પ્રાંતમાં ફાઈબર ઓપ્ટિક કનેક્શનના તાર કાપી રહ્યા છે. જે બાદથી ધીમે ધીમે અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ થઈ ગયું.…
ટીમ ઈન્ડિયાએ ટ્રોફી વગર જીતની ઉજવણી.બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે પ્રાઈસ મનીની જાહેરાત કરી.ભારતીય ખેલાડીઓએ મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાની ના પાડી દીધી અને આ ડ્રામા લગભગ ૨ કલાક સુધી રહ્યા.સૂર્યકુમાર યાદવના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ ૨૮ સપ્ટેમ્બરના રોજ રવિવારે રમાયેલી એશિયા કપ ૨૦૨૫ની ફાઈનલ મેચમાં ધૂર વિરોધી પાકિસ્તાનને ૫ વિકેટથી હરાવી દીધુ અને રેકોર્ડ ૯મી વખત એશિયા કપ જીત્યો. રિપોર્ટ્સ મુજબ એશિયા કપની પ્રાઈઝ મની આ વખતે ૨.૬ કરોડ રૂપિયા છે. જે ટીમ ઈન્ડિયાને મળશે. પરંતુ ચર્ચામાં તો બીસીસીઆઈની પ્રાઈઝ મની છે. કારણ કે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે જે પ્રાઈસ મનીની જાહેરાત કરી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



