- ગુજરાતમાં આકરી હીટવેવનો કહેર, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ સાથે 45 ડિગ્રીની આગાહી
- શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય: બંગાળ બોર્ડર BSFને સોંપાશે, અનેક કેન્દ્રીય યોજનાઓને મંજૂરી
- સોનું ન ખરીદવાની અપીલ બાદ જ્વેલરી બજારમાં ચિંતા, કારીગરોની નોકરી પર સંકટનો ભય
- પીએમ મોદીના સોમનાથ રોડ શોમાં જુનિયર બચ્ચન પિનાકીન ગોહિલનું અનોખું આકર્ષણ છવાયું
- ભાજપ સામે લડવા તમામ વિપક્ષોને એક થવા મમતાની હાકલ, વિદ્યાર્થી સંઘોને પણ અપીલ
- સુપર અલ-નિનોની ચેતવણી: 2026માં દેશભરમાં રેકોર્ડ તોડ ગરમી અને હીટવેવનો ખતરો
- ‘ધી રોયલ્સ 2’માંથી ભૂમિ પેડનેકર બહાર, સ્ટોરીમાં ફેરફાર વચ્ચે મોટો નિર્ણય
- અવિકા ગૌર પતિ સાથે બેંગકોક શિફ્ટ, પરંતુ ભારતીય પ્રોજેક્ટ્સમાં કામ ચાલુ રાખશે
Author: Garvi Gujarat
યુક્રેન યુદ્ધ પૂર્વે ભારત રશિયા પાસેથી બહું ઓઈલ ખરીદતું નહીં હોવાનો દાવા. રશિયા પાસેથી ભારત ઓઈલ ખરીદે છે તે બ્લડ મની છે: નવારોનો વધુ એક લવારા.યુ.એસ.ના કરદાતાઓ વધુ ખર્ચ કરી રહ્યા છે. ભારત સત્ય સહન કરી શકતું નથી અને ગેરમાર્ગે દોરી રહ્યું છે.ભારત દ્વારા રશિયા પાસેથી ખરીદવામાં આવતા ઓઈલથી અમેરિકાના પેટમાં ઉપડેલો દુ:ખાવો મટવાનું નામ નથી લઈ રહ્યો. રશિયન ઓઈલની ખરીદી બદલ ભારત પર ૫૦ ટકાનો જંગી ટેરિફ લાદ્યા પછી પણ અમેરિકાની પીડા ઓછી નથી થઈ રહી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વેપાર સલાહકાર પીટર નવારો વારંવાર આ મામલે એલફેલ નિવેદનો કરી રહ્યાં છે. નવારોએ આ મામલે કરેલાં વધુ…
ચીન-જાપાન સાથે ભારતની ધરી જાેઇ યુક્રેનના પ્રમુખે ચાલ બદલી.ભારત પર ટેરિફ લાદીને અમેરિકાએ બરોબર કર્યું છે: ઝેલેન્સ્કીનો યુ-ટર્ન.ભારત વિરોધી નિવેદનથી બંને દેશોના સંબધોમાં કડવાશ આવશે: અમેરિકાની ટેરિફ નીતિનું સમર્થન કર્યુ.યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધમાં સૌ કોઈ શાંતિ ઝંખી રહ્યું છે, પરંતુ યુદ્ધવિરામના કોઈ સંકેત સાંપડી રહ્યા છે. આ મામલામાં પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરતા હતા. પરંતુ, શાંઘાઇ સહયોગ સંગઠન(એસસીઓ)ની સમિટમાં રશિયા, ચીન અને ભારતની ત્રિપુટી જાેયા પછી ઝેલેન્સ્કી ખુલીને હવે અમેરિકાના સમર્થનમાં આવી ગયા છે. ઝેલેન્સ્કીએ પહેલીવાર ભારત અંગે એવુ નિવેદન આપ્યું છે કે જેનાથી બંને દેશોના કૂટનીતિક સંબંધોમાં કડવાશ લાવી દેશે. ઝેલેન્સ્કીએ અમેરિકાના…
સોશિયલ મીડિયા ફરી શરૂ થયા.૧૯ના મોત બાદ GEN-Zના વિરોધ સામે ઝૂકી નેપાળ સરકાર.નેપાળના સંચાર, સૂચના અને પ્રસારણ પ્રધાન પૃથ્વી સુબ્બા ગુરુંગે જાહેરાત કરી હતી કે સરકારની કેબિનેટ બેઠક બાદ સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો ર્નિણય પાછો ખેંચ્યો છે.ભારતના પાડોશી દેશ નેપાળમાં સોશિયલ મીડિયા પર સરકારે લગાવેલા પ્રતિબંધના વિરોધમાં હિંસક પ્રદર્શનોને કારણે ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. હજારોની સંખ્યામાં GEN-Z યુવાનો રાજધાની કાઠમંડુના માર્ગાે પર ઉતરી આવ્યા હતા અને પ્રદર્શનકારીઓ છેક નેપાળના સંસદ ભવનના પરિસરમાં પહોંચી ગયા હતા અને ભીડને નિયંત્રણમાં લેવા માટે પોલીસે આંસુ ગેસના ગોળા ફેંક્યા હતા.વિરોધ પ્રદર્શનમાં લગભગ ૧૯ યુવાનોના મોત બાદ હવે સરકાર ઝૂકી છે અને…
લંચ બોક્સ માટે આલુ કટલિયાંની સ્વાદિષ્ટ રેસીપી બનાવો. ઘણા લોકો બાળકોને તેમના સ્કૂલના ટિફિનમાં એવી વસ્તુઓ આપે છે જે ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ હોય છે. આજે અમે તમારા માટે બટાકાની રેસીપી લાવ્યા છીએ જે બાળકોના લંચ બોક્સમાં આપવા માટે ખૂબ જ સ્વસ્થ અને સ્વાદિષ્ટ માનવામાં આવે છે. ઘણી સ્ત્રીઓ બાળકો માટે સ્વસ્થ અને સ્વાદિષ્ટ વાનગીઓ શોધતી હોય છે જે તેમના બાળકોને ખૂબ ગમશે. આજે અમે બાળકોના લંચ બોક્સમાં આપવા માટે આવી જ સ્વાદિષ્ટ બટાકાની રેસીપી લાવ્યા છીએ. આજે અમે તમને જણાવીશું કે તમે ફક્ત 10 થી 15 મિનિટમાં બાળકો માટે આલૂ કટલિયાંની સ્વાદિષ્ટ રેસીપી કેવી રીતે તૈયાર કરી શકો છો.સામગ્રી :…
9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ એક્સપોમાં 150 જેટલાં સ્ટોલ અને અંદાજે 2500 જેટલાં એક્ઝિબિટર્સ સહભાગી થયા* મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન(AGCA) એક્સપો-૨૦૨૫ને ખુલ્લો મૂક્યો હતો. આ એક્સપોમાં 150 જેટલાં સ્ટોલ અને અંદાજે 2500 જેટલાં એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. તારીખ 9 અને 10 સપ્ટેમ્બર એમ બે દિવસ યોજાનારા આ એક્સપોમાં વિવિધ દેશોની ભોજન સામગ્રી અને રસોઈકળાનું પ્રદર્શન થશે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વિવિધ કેટરર્સ સ્ટોલ્સની મુલાકાત લઈ કેટરર્સ એસોસિએશનના અગ્રણીઓને જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’નું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આપણે પણ હેલ્થ કોન્શિયસ બની કેટરર્સ દ્વારા બનાવવામાં આવતા ખોરાકમાં તેલનો…
આગામી વર્ષે ઈદ વખતે રજૂ કરાશે.અજય દેવગણની ફિલ્મ ધમાલ ફોરનું શૂટિંગ પૂર્ણ થયું. ફિલ્મમાં અજય દેવગણ સાથે અર્શદ વારસી, રિતેશ દેશમુખ તથા જાવેદ જાફરી સહિતના કલાકારો રીપિટ થયા.અજય દેવગણની ફિલ્મ ‘ધમાલ ફોર’નું શૂટિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યુું હોવાની નિર્માતા દ્વારા જાહેરાત કરાઈ છે. હવે આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન કામ ચાલુ થયું છે. આવતાં વર્ષે ઈદ વખતે આ ફિલ્મ રીલિઝ કરવાનું પ્લાનિંગ છે. ફિલ્મમાં અજય દેવગણ સાથે અર્શદ વારસી, રિતેશ દેશમુખ તથા જાવેદ જાફરી સહિતના કલાકારો રીપિટ થયા છે. આ ઉપરાંત રવિ કિશન, સંજય મિશ્રા, ઈશા ગુપ્તા, સંજીદા શેખ સહિતના કેટલાય કલાકારોનો કાફલો તેમાં કામ કરી રહ્યો છે. ઈન્દ્ર કુમાર ઈરાનીએ…
ક્રિશ ૪’ પર કામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે.‘ક્રિશ ૪’ ૨૦૨૭માં રિલીઝ કરવાનો રાકેશ રોશનનો સંકેત. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, રાકેશ રોશને તેમના રિતિક રોશનની ફિલ્મ ટૂંક સમયમાં ફ્લોર પર જશે.જ્યારથી રાકેશ રોશને ખાતરી આપી કે ‘ક્રિશ ૪’ બનવા જઈ રહી છે, ત્યારથી ચાહકો ખુશ થઈ ગયાં છે. તાજેતરમાં, તેમણે ખુલાસો કર્યાે કે આ વખતે તેમનો દિકરો રિતિક રોશન ફિલ્મનું ડિરેક્શન કરવા જઈ રહ્યો છે. તેનાથી રિતિકના ચાહકો વધુ ઉત્સાહીત છે, સાથે હવે દરેકના મનમાં એક જ પ્રશ્ન છે: શૂટિંગ ક્યારે શરૂ થશે?રાકેશ રોશને તેમના ૭૬મા જન્મદિવસ પર એક ઇન્ટરવ્યૂમાં વાત કરતા, રાકેશ રોશને ‘ક્રિશ ૪’ વિશે એક અપડેટ શેર…
સંજયે ૧૯૯૩ના મુંબઈ બોમ્બ વિસ્ફોટના સંબંધમાં પાંચ વર્ષ જેલમાં વિતાવ્યા હતા.ડબલ મર્ડરના આરોપીએ જેલમાં સંજય દત્તના ગળા પર અસ્ત્રો મૂકી દીધો હતો. સંજય દત્તે જણાવ્યું કે જેલમાં હતા ત્યારે તેઓ ફર્નિચર અને કાગળની થેલીઓ પણ બનાવતા હતા, આ કામ માટે તેમને પગાર પણ મળતો હતો.સંજય દત્તે તાજેતરમાં તેના નજીકના મિત્ર સુનીલ શેટ્ટી સાથે શો ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સંજુ બાબાએ તેના જેલના દિવસો વિશે વાત કરી. ખરેખર સંજયે ૧૯૯૩ના મુંબઈ બોમ્બ વિસ્ફોટના સંબંધમાં પાંચ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. ૬૬ વર્ષીય સ્ટારે જેલના સળિયા પાછળની તેની ભયાનક વાર્તા જાહેર કરી. તે સાંભળીને બધા ચોંકી ગયા.શો દરમિયાન, સંજય દત્તે જણાવ્યું…
દબંગ ડિરેક્ટર અભિનવ કશ્યપના નિવેદનથી હોબાળા.‘સલમાન ગુંડો છે, તેને સેલિબ્રિટી બનવામાં જ રસ’.અભિનવ ફિલમ દબંગના દિગ્દર્શક હતા, આ ફિલ્મના બે વધુ ભાગ રિલીઝ થયા છે જેનો પહેલો ભાગ ૨૦૧૨ માં રિલીઝ થયો હતો. ફિલ્મ દબંગના ડિરેક્ટર અભિનવ કશ્યપે સલમાન ખાન વિશે ઘણી વાતો કહી છે. તેમણે સલમાનની ટીકા કરી છે અને કહ્યું છે કે સલમાન સારો વ્યક્તિ નથી. અભિનવે પણ સલમાનના પરિવાર વિશે પ્રતિક્રિયા આપી.તેમણે સલમાન ખાનને ગુંડા, ખરાબ વ્યક્તિ પણ કહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે સલમાન ખાનને અભિનયમાં રસ નથી. અભિનવે સલમાન ખાન સાથે કામ કર્યું હતું. તેમણે સલમાનની ફિલ્મ દબંગનું દિગ્દર્શન કર્યું હતું.અભિનવે કહ્યું, ‘સલમાન ક્યારેય…
લક્ષ્યનો પીછો કરતી દક્ષિણ આફ્રિકા ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી.ઇંગ્લેન્ડની વન-ડે ઇતિહાસની સૌથી મોટી જીત, આફ્રિકાને ૩૪૨ રનથી હરાવ્યુ.રૂટ-બેથલની સદીની મદદથી ઇંગ્લેન્ડે ૪૧૪ રનનો ટાર્ગેટ આપ્યો, આફ્રિકા ૭૨ રનમાં ખખડ્યું, આર્ચરની ૪ વિકેટ.સાઉથમ્પ્ટનમાં રમાયેલી વન-ડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં યજમાન ઇંગ્લેન્ડે આફ્રિકાને ૩૪૨ રનથી હરાવીને વન-ડેમાં રનના માર્જિનથી ઇતિહાસની સૌથી મોટી જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે જાે રૂટ અને જેકબ બેથેલની સદીના આધારે નિર્ધારિત ૫૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૪૧૪ રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ૨૦.૫ ઓવરમાં માત્ર ૭૨ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જાેળા આર્ચરે ચાર વિકેટ લઈને આફ્રિકાની કમર તોડી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



