Author: garvigujrat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનારા રાજ્યના શિક્ષકોને એક મહત્વપૂર્ણ ભેટ આપતો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત શિક્ષકો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી)ની તમામ બસ સેવાઓમાં રાજ્યભરમાં અને રાજ્ય બહાર જ્યાં સેવાઓ જતી હોય ત્યાં સુધી આજીવન નિ:શૂલ્ક મુસાફરી કરી શકશે. મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર ફેડરેશન દ્વારા કરવામાં આવેલી રજૂઆતો નો તેમણે સંવેદનાપૂર્ણ અને સકારાત્મક પ્રતિસાદ આપતા આ મહત્વનો નિર્ણય કર્યો છે. એવોર્ડી શિક્ષકોને આજીવન નિ:શૂલ્ક મુસાફરીના આ નિર્ણયનો લાભ રાજ્યના અત્યાર સુધીના 957 જેટલા રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષકોને મળશે. ઉપરાંત ભવિષ્યમાં…

Read More

On the occasion of Teacher’s Day, Anand Pandit Motion Pictures & Jannock Films have unveiled the much-anticipated teaser of their upcoming Gujarati film Chaniya Toli. Directed by Jay Bodas and Parth Trivedi, and produced by Vaishal Shah and Anand Pandit, the film brings a refreshing twist to the concept of mentorship and learning. Chaniya Toli follows the intriguing journey of a teacher who takes seven women under his wing – not to teach them academics, but to master the art of bank robbery. With its unique storyline, sharp dialogues, and suspenseful undertones, the film promises to be a rollercoaster ride…

Read More

આ દુર્ઘટના રોપ-વેનો તાર તૂટી જવાને કારણે સર્જાઈ હતી.પાવાગઢમાં અચાનક રોપ-વે તૂટતા ૬ લોકો કાળનો કોળિયો બન્યા.અહીં ચાલી રહેલા બાંધકામના માલસામાનને લઈ જવા માટે ઉપયોગમાં લેવાતો માલવાહક રોપ-વેનો તાર તૂટી પડતા કમકમાટીભરી ઘટના બની.પંચમહાલના પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે એક અત્યંત કરુણ દુર્ઘટના બની છે. અહીં ચાલી રહેલા બાંધકામના માલસામાનને લઈ જવા માટે ઉપયોગમાં લેવાતો માલવાહક રોપ-વેનો તાર તૂટી પડતા ૬ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. મૃતકોમાં બે લિફ્ટ ઓપરેટર અને બે શ્રમિકો સહિત અન્ય બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે ભારે પવનના કારણે શ્રદ્ધાળુઓ માટેનો પેસેન્જર રોપ-વે પણ સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવ્યો છે. પંચમહાલના પાવાગઢમાં આવેલા…

Read More

મિથુન સાથે ઘણી ‘બી-ગ્રેડ’ ફિલ્મો કરી એ સમય સૌથી પીડાદાયક:આશિષ વિદ્યાર્થી.અભિનેતા આશિષ વિદ્યાર્થી હાલમાં અભિનયની દુનિયાથી દૂર છે અને યુટ્યુબ પર વ્લોગિંગ કરે છે. અભિનેતા આશિષ વિદ્યાર્થી હાલમાં અભિનયની દુનિયાથી દૂર છે અને યુટ્યુબ પર વ્લોગિંગ કરે છે. તે ચાહકો સાથે જાેડાયેલા રહે છે. તાજેતરમાં તેણે મિથુન ચક્રવર્તી વિશે વાત કરી છે. તેમણે કહ્યું હતું કે, ‘મેં પૈસા માટે ઘણી ફિલ્મો કરી. મારા માતા-પિતા વૃદ્ધ હતા. જ્યારે હું મુંબઈ આવ્યો ત્યારે મેં તેમને સારી જીવનશૈલી આપવાનું નક્કી કર્યું હતું. હું એક ભાવનાત્મક અભિનેતા હતો. પરંતુ જવાબદારી પણ હતી, તેથી હું સારી ભૂમિકાઓની રાહ જાેતો હતો. મેં પૈસા માટે ઘણી ફિલ્મો…

Read More

અહાન શેટ્ટીએ ૨૦૨૧માં ફિલ્મ ‘તડપ’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હત.નેપોટીઝમના ફાયદા ખરા, પરંતુ સ્ટાર કિડ્ઝ માટે દરેક ભૂલ મોટી છે: અહાન.સુનીલ શેટ્ટીનો પુત્ર હોવાને કારણે તેને તકો અને વિકલ્પો મળે છે, પરંતુ દરેક નિષ્ફળતો ભાર અન્ય લોકો કરતા વધારે હોય છે.સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીએ ૨૦૨૧માં ફિલ્મ ‘તડપ’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું, તેની પાસે એક પછી એક રોમાન્ચક ફિલ્મ છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, તેણે બોલિવૂડમાં ચાલી રહેલા નેપોટીઝમના વિવાદ વિશે ખુલાસો કર્યાે. તેણે સ્વીકાર્યું કે સુનીલ શેટ્ટીનો પુત્ર હોવાને કારણે દરવાજા ખુલે છે અને તેને તકો મળે છે, ત્યારે તેણે કહ્યું કે આ જ કારણસર તેની પાસેથી અપેક્ષાઓ ઘણી…

Read More

૨૦૨૬ના ક્રિસમસ પર આ ફિલ્મ રિલીઝ થવાની તૈયારી.‘નો એન્ટ્રી ૨’ ત્રણેય મુખ્ય કલાકારો ડબલ રોલમાં જાેવા મળશે.પ્રોડ્યુસર બોની કપૂરે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી હતી કે માત્ર તારીખોના પ્રશ્નોને કારણે જ દિલજીતે આ પ્રોજેક્ટ છોડી દીધો હતો. અનીસ બાઝમીની ૨૦૦૫ની કોમેડી હિટ ‘નો એન્ટ્રી’ની લાંબા સમયથી રાહ જાેવાતી સિક્વલ આખરે ગતિ પકડી રહી છે. ‘નો એન્ટ્રી ૨’ નામની આ ફિલ્મ ૨૦૨૬ના ક્રિસમસમાં રિલીઝ થવાની શક્યતાઓ છે.આ ફિલ્મમાં અર્જૂન કપૂર અને વરુણ ધવન લીડ રોલમાં છે, જે તે બંને ડબલ રોલમાં જાેવા મળશે. આ ફિલ્મમાં ત્રીજાે લીડ રોલ દિલજિત દોસાંજનો હતો, જેણે હવે તારીખોના કારણે આ ફિલ્મ છોડી દીધી હોવાનું બે…

Read More

ત્રણ વખતના ગ્રેમી વિજેતા રિકી કેજે ‘પાપા બુકા’ માટે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું છે.રિકી કેજનાં સંગીતે પાપુઆ ન્યુ ગિનીને ઓસ્કારમાં એન્ટ્રી અપાવી. ફિલ્મના કલાકારોમાં મુખ્ય ભૂમિકાઓમાં અભિનેતા સાઇન બોબોરો, જાેન સાઇકે, રીતોબોરી ચક્રવર્તી અને પ્રકાશ બેરનો સમાવેશ થાય છે.ત્રણ વખતના ગ્રેમી વિજેતા રિકી કેજે પાપા બુકા માટે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું છે, જે ઓસ્કારમાં પાપુઆ ન્યુ ગિનીની પ્રથમ સત્તાવાર એન્ટ્રી છે. ત્રણ વખતનાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા ડૉ. બીજુ (બિજુકુમાર દામોદરન) દ્વારા ડિરેક્ટ થયેલી, આ ફિલ્મને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ(ટોક પિસિન) કૅટેગરીમાં પસંદ કરવામાં આવી છે. તેને ગર્વની ક્ષણ ગણાવતા, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા રિકી કેજ કહે છે, “આ ઓસ્કારની દોડમાં પહેલું પગલું…

Read More

ટીચર્સ ડેના ખાસ દિવસે આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જૅનૉક ફિલ્મ્સે તેમની આગામી ગુજરાતી ફિલ્મ ‘ચણિયા ટોળી’નું ટીઝર લૉન્ચ કર્યું છે. જય બોડસ અને પાર્થ ત્રિવેદી દિગ્દર્શિત તથા આનંદ પંડિત અને વૈશલ શાહ દ્વારા નિર્મિત આ ફિલ્મનો કન્સેપ્ટ ગુજરાતી સિનેમામાં નવી દિશા દર્શાવે છે. આ ફિલ્મની કહાની એક એવા શિક્ષકની આસપાસ ફરે છે, જે સાત મહિલાઓને પોતાની શિષ્યા બનાવીને તેમને અનોખો પાઠ ભણાવે છે – પરંતુ આ પાઠ છે બેંક લૂંટવાનો! શિક્ષક અને શિષ્યાઓ વચ્ચેની આ અવિશ્વસનીય સફરમાં રહસ્ય, રોમાંચ અને મનોરંજનનું મજબૂત મિશ્રણ દર્શકોને અનુભવાશે. ટીચર્સ ડેના દિવસે ટીઝર લોન્ચ થવું આ ફિલ્મને વધુ રસપ્રદ બનાવે છે, કેમ કે…

Read More

૫૪૨ પેટીમાં ૧૪૯૦૪ જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી.બોટાદમાં ચોરી, લૂંટ અને હેરાફેરીના.કિસ્સાઓ વધવા લાગ્યા.બાતમીના આધારે ગઢડા પોલીસે રાત્રીના બોટાદ રોડપર કેનાલ પાસે દારૂ ભરેલ આઈસર ટ્રક ઝડપી.બોટાદમાં ચોરી, લૂંટ અને હેરાફેરીના કિસ્સાઓ વધવા લાગ્યા છે. ફરી એક વખત બોટાદમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. ગઢડા પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપ્યો. બાતમીના આધારે ગઢડા પોલીસે રાત્રીના બોટાદ રોડપર કેનાલ પાસે દારૂ ભરેલ આઈસર ટ્રક ઝડપી. જેમાંથી ૫૪૨ પેટીમાં ૧૪૯૦૪ જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી. પોલીસે કુલ ૧ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીને શોધવા ચક્રોગતિમાન કર્યા. દારૂ ક્યાંથી આવતો હતો અને કયા લઈ જવાતો હતો તે દિશામાં પોલીસે…

Read More

લાલપુરના મેઘપર પંથકમાંથી વધુ એક બોગસ.તબીબ એસ.ઓ.જી.ના હાથે પકડાયો.પરપ્રાંતીય શખ્સ પોતે દવાખાનું ચલાવી રહ્યો હોવાનું અને દર્દીઓની તપાસ કરતાં મળી આવ્યો હતો. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં ગરીબોની વસાહતની વચ્ચે એક તબિબ કે જેની પાસે કોઈપણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો છે, તેવી માહિતી એસ.ઓ.જી. શાખાને મળી હતી. તેથી ગઈકાલે મોડી સાંજે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન શ્રીમંતા પશુપતિ વિશ્વાસ નામનો પરપ્રાંતીય શખ્સ પોતે દવાખાનું ચલાવી રહ્યો હોવાનું અને દર્દીઓની તપાસ કરતાં મળી આવ્યો હતો. એસ.ઓ.જી. ની ટુકડીએ તેની પાસેથી ડીગ્રી વગેરેની માંગણી કરતાં પોતાની પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રી ન…

Read More