Author: Garvi Gujarat

આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ગુજરાત વિધાનસભામાં મારા કુલ ત્રણ તારાંકિત પ્રશ્નો હતા. ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે સરકારના મંત્રીઓ સમાજને, લોકોને અને સોશિયલ મીડિયામાં જવાબ આપતા નથી, અને હવે તો વિધાનસભામાં પણ યોગ્ય જવાબ આપવાનું બંધ કર્યું હોય એવું લાગે છે. આજે મેં પ્રશ્ન કર્યો હતો કે જુનાગઢ જિલ્લામાં આવેલી ઉબેર નદીમાં જેતપુરના ઔદ્યોગિક એકમમાંથી કેમિકલયુક્ત ઝેરી લાલ પાણી છોડવામાં આવે છે. આ લાલ પાણીના કારણે વિસાવદર મતવિસ્તારના વડાલ, ચોકી આસપાસના ગામો તથા જુનાગઢ મતવિસ્તારના મજેવડી સહિતના અનેક ગામોમાં કૂવા, બોર અને જમીનની નીચેનું પાણી લાલ અને પ્રદૂષિત…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. મુંબઈ ના મલાડમાં ફ્રૂટ વેચનારાઓ ધ્વારા ફળોની ઉપર ઉંદર મારવાની દવા લગાડતા હોવાનો ચોંકાવી દેનારો વિડીયો સોશિયલ મીડિયા પર ગઈ કાલે વાઇરલ થયો હતો. એના આધારે મલાડ પોલીસે મનોજ કેસરવાની અને બિપિન કેસરવાની નામના બે ફ્રૂટ વેચતા ફેરિયાઓની ધરપકડ કરી હતી. બંને આરોપી સ્થાનિક બજાર ખાતે ફળ વેચવાનો વર્ષોથી ધંધો કરી રહ્યા છે. ત્યારે ત્યાંના એક સ્થાનિક રહેવાસીએ આરોપી ફળો ઉપર ઝેરી દવા રેટોલ લગાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પૂછપરછ દરમ્યાન આરોપીઓએ સ્વીકાર્યું કે રાત્રે ઉંદરોથી થતાં નુકશાનથી બચવા માટે તેઓ સફરજન અને દાડમ જેવા ફળો પર રેટોલ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભ્રષ્ટાચાર નો અખાડો બની ગયેલી સુરત મહાનગર પાલિકામાં બિરાજમાન થતા અધિકારીઓ કે પદાધિકારીઓ જેના હાથમાં એના મોંમા નીતિ અપનાવી જ્યારે શાસન ચલાવતા હોય ત્યારે ભ્રષ્ટાચારીઓને ખુલ્લુ મેદાન મળી જતું હોય છે. અને એનો નમૂનો એટલે ૧૫ લાખ જેવી અધધ!! રકમની લાંબી લાંચ માંગીને વચેટીયા જેવા પત્રકાર ને વિપુલ ગણેશવાલા ના નામે રૂપિયા ચાર લાખ લઈને ભાગી છુટવાનો મોકો મળે છે. અહીં વાત કરવી છે તાજેતરમાં લાંચ ના છટકામાં પકડાતા પકડાતા છટકી ગયેલા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા અને એના વચેટીયા જેવા પત્રકાર પરવાના ની એવા લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા ગણેશવાલા ના સમયમાં જ લિંબાયત ઝોનમા અનેક માર્કેટોના…

Read More

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે ગુજરાતના રાજ્યપાલ વિધાનસભા ગૃહમાં પધાર્યા હતા અને તેમણે ખૂબ જ સારી પ્રાકૃતિક ખેતીની વાત કરી. તેમણે પ્રાકૃતિક ખેતીના ફાયદા, જૈવિક ખેતીથી થતા નુકસાન, કેમિકલયુક્ત ખેતીથી થતા નુકસાન જણાવ્યા અને પોતાનો અનુભવ શેર કર્યો તેનાથી અમને ખૂબ જ ખુશી થઈ. તો રાજ્યપાલ ખેડૂતો માટે આટલું વિચારે છે પણ શું સરકાર આટલું વિચારે છે? આજે મારો ખેતી મુદ્દે સવાલ હતો કે બે વર્ષમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા જે સંશોધનો કરવામાં આવ્યા તેના આધારે તેમણે રાજ્ય સરકારને કેટલા સૂચનો…

Read More

સોનાના વાયદામાં રૂ.502 અને ચાંદીના વાયદામાં રૂ.6581ની તેજીઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.4નો સુધારો કોમોડિટી વાયદાઓમાં રૂ.18493.07 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.280862.55 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13869.14 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39935 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.299355.87 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.18493.07 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.280862.55 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 39935 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1582.03 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13869.14 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.160050ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.160719 અને…

Read More

આરોગ્ય કમિશનરે હોસ્પિટલોમાં રખડતાં શ્વાનની ગણતરી કરવાનો આદેશ આરોગ્ય વિભાગ જણાવ્યું કે, હોસ્પિટલોમાં સ્વચ્છતા અને દર્દીઓની સલામતી સર્વોપરી છે. રાજકોટના સરકારી દવાખાનાઓમાં શ્વાનોના આંટાફેરા મુદ્દે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. હોસ્પિટલ-વોર્ડમાં શ્વાનો ફરતાં હોવાનો વીડિયો વાઈરલ થતાં આરોગ્ય કમિશનરે હોસ્પિટલોમાં રખડતાં શ્વાનની ગણતરી કરવાનો આદેશ કર્યો છે. રાજકોટ જિલ્લામાં તમામ પ્રાયમરી હેલ્થ સેન્ટર(PHC), કમ્યુનિટિ હેલ્થ સેન્ટર(CHC), સબ ડિસ્ટ્રીક્ટ અને જિલ્લા હોસ્પિટલ પાસેથી આરોગ્ય વિભાગ દ્વારા રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. જેમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં રખડતાં શ્વાનોનો સર્વે કરીને આંકડા આપવા જણાવ્યું છે. રાજકોટ જિલ્લામાં ૫૫ PHC, ૧૨ CHCસહિત કુલ તમામ આરોગ્ય સંસ્થાઓમાંથી વિગતવાર માહિતી રજૂ કરવા સૂચન આપવામાં આવી છે. આરોગ્ય…

Read More

ડિવિઝન બેન્ચે આપી લીલી ઝંડી કેરળ હાઈકોર્ટેThe Kerala Story 2 પરનો સ્ટે હટાવ્યો ફિલ્મ નિર્ધારિત સમય મુજબ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ ધ કેરળ સ્ટોરી ૨ના મેકર્સ માટે આજે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. કેરળ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ફિલ્મની રિલીઝ પર લગાવવામાં આવેલો વચગાળાનો સ્ટે(રોક) સંપૂર્ણપણે હટાવી દીધો છે. આ આદેશ બાદ હવે ફિલ્મ નિર્ધારિત સમય મુજબ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકશે. અગાઉ સિંગલ જજની બેન્ચે ફિલ્મમાં દર્શાવવામાં આવેલા કન્ટેન્ટ અને તેનાથી સાંપ્રદાયિક સૌહાર્દ બગડવાની આશંકા વ્યક્ત કરીને ૧૫ દિવસ માટે રોક લગાવી દીધી હતી, જેને હવે ડિવિઝન બેન્ચે પલટી નાખી છે. ગુરુવાર, ૨૬ ફેબ્રુઆરીના રોજ જસ્ટિસ થોમસે ફિલ્મ વિરુદ્ધ થયેલી…

Read More

સાબરમતી નદી સહિતના સ્થળોએ લાગશે સોલાર પેનલ કરોડોનું લાઈટબિલ ઘટાડવા માટે અમદાવાદ પાલિકાનો મેગા પ્લાન AMCની તમામ બિલ્ડીંગો પર સોલર પેનલ લગાવાશે. અમદાવાદ શહેરના મધ્યમાંથી વહેતી સાબરમતી નદી પર પહેલીવાર ઈકો ફ્રેન્ડલી ફ્લોટિંગ સોલાર લાગવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ થકી અમદાવાદ મહાનગરપાલિકા લાઈટબિલનું ભારણ ઘટાડશે, અને લાઈટ બિલ ઓછું આવશે. એટલું જ નહિ, AMCની તમામ બિલ્ડીંગો પર સોલર પેનલ લગાવવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, AMC હવે સાબરમતી નદી પર તરતી સોલર પેનલ લગાવશે. સાબરમતી નદી સહિત શહેરમાં આવેલા વિવિધ તળાવોમાં ફ્લોટિંગ સોલર લગાવવાનું આયોજન કરાયું છે. પ્રોજેક્ટના અમલીકરણ અંગે…

Read More

કંપનીના CEO પણ ખુશ થઈ ગયા પાંચ વર્ષના બાળકે એરલાઈન પાયલોટના મેન્યુઅલમાં ભૂલ શોધી બાળકે એક એરલાઈન કંપનીના પાયલોટના મેન્યુઅલમાં ભૂલ શોધીને બતાવી અને એક્સપર્ટ પણ જાેતા રહી ગયા. નાની નાની ભૂલો ઘણી વાર મોટા એક્સપર્ટ પણ નથી શોધી શકતા પરંતુ ઘણી વાર એવું બને કે એક બાળક તે ભૂલને શોધી કાઢતું હોય છે. અમેરિકામાં એક આવો જ બનાવ સામે આવ્યો છે જેના વિશે જાણીને તમે નવાઈ પામી જશો. એક પાંચ વર્ષના બાળકે એક એરલાઈન કંપનીના પાયલોટના મેન્યુઅલમાં ભૂલ શોધીને બતાવી અને મોટા મોટા એવિએશન એક્સપર્ટ પણ જાેતા રહી ગયા. આ બાળકનું નામ વિલિયમ હાઈન્સ છે. જે અમેરિકાના કોલોરાડોમાં રહે…

Read More

વાહન ચાલકો માટે મોટા સમાચાર પેટ્રોલમાં ૨૦% ઇથેનોલ બ્લૅન્ડિંગ ફરજિયાત, કેન્દ્રનો મહત્ત્વપૂર્ણ ર્નિણય હવે માત્ર ૯૫ RON વાળું E20 પેટ્રોલ જ વેચાશે કેન્દ્ર સરકારે ૧ એપ્રિલથી દેશભરમાં E20 પેટ્રોલનું (૨૦% એથેનોલ મિશ્રિત) વેચાણ ફરજિયાત કરવાનો ર્નિણય કર્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, હવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેલ કંપનીઓએ ૨૦% એથેનોલ ભેળવેલું પેટ્રોલ જ સપ્લાય કરવાનું રહેશે. સરકારે એથેનોલ બ્લેન્ડિંગનો લક્ષ્યાંક ૨૦૩૦થી ઘટાડીને ૨૦૨૫-૨૬ કર્યો હતો. જેને હવે પૂર્ણ રીતે અમલ લાવવામાં આવશે. એન્જિનની સુરક્ષા માટે આ ઇંધણનો રિસર્ચ ઓક્ટેન નંબર (RON) ઓછામાં ઓછો ૯૫ નક્કી કરવામાં આવ્યો છે. RON એટલે ઇંધણની નોકિંગ (એન્જિનની અંદર સમય પહેલા વિસ્ફોટ થવો)…

Read More