- બીજાં લગ્નના છ મહિના બાદ સામંથા પ્રેગનન્ટ હોવાની અટકળો, ડિસેમ્બરમાં માતા બને તેવી ચર્ચા
- ફીફા વર્લ્ડ કપ 2026 બાદ નોરા ફતેહીનો દબદબો, ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલી બોલિવૂડ હસ્તી
- પ્રવેશોત્સવ નહીં, ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ધ્યાન આપો: ડૉ. કરન બારોટે સરકારને ઘેરી
- ખેડૂતો પરના અન્યાય સામે AAPનું એલાન, 27 જૂને નગરા ખાતે યોજાશે ખેડૂત મહાપંચાયત
- “પુસ્તકો વગરનું ભણતર” મુદ્દે ગોપાલ ઇટાલિયાની આક્રમક રજૂઆત, ગાંધીનગર સુધી ગુંજ
- मुंबई में 2 जुलाई से ‘ग्रह पूर्ति यन्त्रम’ प्रदर्शनी, न्यूमरोलॉजी और कला का अनूठा संगम
- પેટ્રોલ પંપ પર હોમવર્ક કરતો વિદ્યાર્થી: મહેનત અને સપનાઓની પ્રેરક તસવીર
- પક્ષપલટાની બેશરમી: મતદારોના વિશ્વાસ અને લોકશાહીના મૂલ્યો પર પ્રહાર
Author: Garvi Gujarat
શ્રીલંકામાં સાયબર ક્રાઈમને લઈને સતત કાર્યવાહી શ્રીલંકામાં ૧૭૩ ભારતીયોની ધરપકડ, મોટા નેટવર્કની આશંકા મોટાભાગના લોકો ટૂરિસ્ટ વિઝા અથવા ટૂંકા ગાળાના વિઝા પર આવ્યા હતા, આ પહેલા ચીનના ૨૫૦ ટૂરિસ્ટોની ધરપકડ કરવામાં આવી હતી શ્રીલંકામાં સાયબર ગુના હેઠળ ધરપકડ કરવામાં આવેલા લગભગ ૨૦૦ વિદેશીઓમાં ૧૭૩ ભારતીયો સામેલ છે. પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી. શ્રીલંકામાં સાયબર ક્રાઈમને લઈને સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પોલીસને શંકા છે કે આ લોકો એક મોટા નેટવર્કનો ભાગ હોઈ શકે છે.પોલીસે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા લોકો ૨૫થી ૩૫ વર્ષની વયના છે. આ લોકોના ટૂરિસ્ટ વિઝા પૂરા થઈ ગયા હતા. તેથી ત્યાં રહીને રોજગાર મેળવવા,…
જેલની સુરક્ષાના લીરેલીરા! અમદાવાદની સાબરમતી જેલમાં કુખ્યાત કેદી મેઈન ગેટથી જ ફરાર.માત્ર ત્રણ દિવસ પહેલા જ વાડજ પોલીસ સ્ટેશનથી પોક્સોનો એક આરોપી મેડિકલ ચેકઅપ બાદ ભાગી ગયો હતો. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. હત્યા અને પોક્સો જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલો એક કેદી જેલના મુખ્ય દરવાજેથી જ પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે. આ ઘટનાને પગલે જેલ પ્રશાસન અને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.મળતી માહિતી અનુસાર, ફરાર થયેલા કેદીનું નામ માલદે પરમાર છે. સીસીટીવી ફૂટેજની તપાસમાં બહાર આવ્યું છે કે, ગઈકાલે (૧૧મી મે) સવારે આશરે ૧૦:૧૦…
પોલ્ટ્રી ફાર્મમાં સરવે શરૂ.ગુજરાત પર બર્ડ ફ્લૂનું જાેખમ? મહારાષ્ટ્રમાં કેસ વધતા સરકાર એલર્ટ.બર્ડ ફ્લૂના સંભવિત જાેખમોને ટાળવા માટે પશુપાલન વિભાગે પણ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના કેસો નોંધાતા ગુજરાત સરકાર હરકતમાં આવી છે. સંક્રમણ ગુજરાતમાં ન ફેલાય તે હેતુથી પશુપાલન વિભાગે ઍલર્ટ જાહેર કર્યું છે. રાજ્ય સરકારના આદેશ બાદ તમામ જિલ્લાઓના પોલ્ટ્રી ફાર્મમાં સરવેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ છે જેના કારણે સરહદી વિસ્તારમાં પોલ્ટ્રી ફાર્મમાં લાખો મરઘાને મારી નંખાયા છે. બર્ડ ફ્લૂના જાેખમને જાેતાં દરેક જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગની…
મેટ્રિમોનિયલ ફ્રોડ કેસમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદ, પીડિતાને વળતર માટે બેંક ખાતા સીઝ કરવાનો આદેશ
મેટ્રિમોનિયલ ફ્રોડના કિસ્સામાં સામાન્ય રીતે આરોપી જેલમાં જાય છે.દુષ્કર્મના આરોપીને આજીવન કેદ, વળતર માટે બેંક ખાતા સીઝ કરવા કોર્ટનો આદેશ.મણિનગર પીઆઈને આરોપીના નામની મિલકતો અને બેંક બેલેન્સની તપાસ કરી ૫ માસમાં અહેવાલ રજૂ કરવા તાકીદ. સેશન્સ કોર્ટે એક ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા મેટ્રિમોનિયલ વેબસાઇટ દ્વારા યુવતીઓને ફસાવતા આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં સૌથી મહત્ત્વનો અને સંભવત: ગુજરાતમાં પહેલીવાર લેવાયેલો ર્નિણય એ છે કે, કોર્ટે આરોપીના તમામ બેંક ખાતાઓ તાત્કાલિક અસરથી સીઝ (સ્થગિત) કરવાનો આદેશ આપ્યો છે, જેથી ભોગ બનનાર યુવતીને વળતર ચૂકવી શકાય. આ સાથે જ કોર્ટે મણિનગર પી.આઈ.ને આરોપીના નામે ચાલતી તમામ મિલકતો અને બેંક…
ચા પીતી મહિલાઓ સાથે મારપીટ કરી કપડાં ફાડ્યા હોવાનો આક્ષેપ.દિલ્હીમાં નોર્થ-ઇસ્ટની બે મહિલાઓ સાથે છેડતી અને વંશીય ટિપ્પણી.૧૦ મેની સવારે લગભગ ૭ વાગ્યે કાલકાજી પોલીસ સ્ટેશનમાં મહિલાઓ મુશ્કેલીમાં હોવાનો પીસીઆર કોલ મળ્યો હતો. દેશની રાજધાની દિલ્હીના નેહરુ પ્લેસ વિસ્તારમાં રવિવારે વહેલી સવારે નોર્થ ઇસ્ટની બે મહિલાઓ સાથે કથિત છેડતી, મારપીટ અને વંશીય ટિપ્પણી ઘટના સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. મહિલાઓનો આક્ષેપ છે કે કેટલાક યુવકોએ પહેલા તેમના પર અશ્લીલ ટિપ્પણીઓ અને વંશીય કટાક્ષ કર્યા હતા, જેના કારણે વિવાદ વકર્યાે હતો. આ ઘટના ઈરોસ હોટલ નજીકની એક ક્લબની બહાર બની હોવાનું કહેવાય છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા દિલ્હી પોલીસે…
સાબરમતી રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા અને ભીડ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટે આજે બે માળના અદ્યતન “હોલ્ડિંગ એરિયા”ના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ અવસરે મંડળ રેલ પ્રબંધક (DRM) વેદ પ્રકાશ દ્વારા પ્રતીકાત્મક રીતે બુલડોઝર ચલાવી પ્રોજેક્ટ કાર્યનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા દેશભરના વિવિધ રેલવે સ્ટેશનો પર 76 મુસાફર હોલ્ડિંગ એરિયા વિકસાવવા માટેની યોજનાને મંજૂરી આપવામાં આવી છે। ન્યુ દિલ્હી રેલવે સ્ટેશન પર વિકસાવવામાં આવેલા હોલ્ડિંગ એરિયાની સફળતા બાદ હવે સાબરમતી રેલવે સ્ટેશન પર પણ આ આધુનિક સુવિધા વિકસાવવામાં આવી રહી છે મંડળ રેલ પ્રબંધક…
કેબિનેટમાં બે ભાગલા: ગૃહમંત્રીએ જ રાજીનામું માંગ્યું.યુકેમાં રાજકીય ભૂકંપ! ૭૨ સાંસદોનો સ્ટાર્મર વિરુદ્ધ બળવો.લેબર પાર્ટીના કુલ ૪૦૩ સાંસદોમાંથી અત્યાર સુધીમાં ૭૧ સાંસદોએ ખુલ્લેઆમ સ્ટાર્મરના રાજીનામાની માંગ કરી છે. બ્રિટનના વડાપ્રધાન કિર સ્ટાર્મર માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરની સ્થાનિક ચૂંટણીઓમાં લેબર પાર્ટીના કારમા પરાજય બાદ હવે પીએમ સ્ટાર્મર સામે રાજીનામું આપવા અથવા પદ છોડવાની સમયમર્યાદા નક્કી કરવાનું દબાણ આકાશે આંબી રહ્યું છે. મંગળવારની વહેલી સવાર સુધીમાં બગાવત કરનારા લેબર સાંસદોની સંખ્યા વધીને ૭૨ પર પહોંચી ગઈ છે. લેબર પાર્ટીના કુલ ૪૦૩ સાંસદોમાંથી અત્યાર સુધીમાં ૭૧ સાંસદોએ ખુલ્લેઆમ સ્ટાર્મરના રાજીનામાની માંગ કરી છે. આ સાંસદોનું કહેવું છે કે,…
(છગનલાલ મેવાડા ધ્વારા) આજે દેશમાં લગભગ દરેક ખાવા પીવાની વસ્તુઓ ભેળસેળ વાળી જ મળે છે. હદ તો ત્યાં થાય છે કે જીવન રક્ષક ગણાતી દવાઓ પણ અહી ભેળસેળથી મુકત નથી. ત્યારે દૂધથી માંડીને પાણી સુધી અને ઘઉં થી લઈને મરી- મસાલા સુધી તેમજ ફળોથી માંડીને શાકભાજી બધુ જ ભેળસેળવાળું કાં તો અત્યંત હાનિકારક રસાયણો યુકત જ મળે છે. સારા સ્વાસ્થય માટે અને આરોગ્યને નિરોગી રાખવા માટે ફળો અને લીલા શાકભાજીનું સેવન જરૂરી માનવામાં આવે છે. તબીબો પણ લોકોને તેમના રોજિંદા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરવાની સલાહ આપે છે. જોકે આ ફળો કે શાકભાજીની ખેતીમાં ઝેરી રસાયણોનો વધતો ઉપયોગ ગંભીર ચિંતાનો…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશભરમાં ચર્ચાની ચકડોળે ચઢેલા નાશિકના ભોંદુબાબા અશોક ખરાતના કેસની સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) તપાસ કરી રહી છે અને પોલીસે વિવિધ કેસોમાં આરોપી અશોક ખરાતની પોલીસ કસ્ટડી લંબાવી છે. ગઈકાલે રાજય મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ રૂપાલી ચાકણકરની પણ SIT ધ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. કુલ ૦૭ કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. એમાંથી બે કલાક તો SIT ના હેડ તેજસ્વી સાતપુતે તેમને સવાલો કર્યા હતા. અન્ય રાજકીય જૂથો કોના ઇશારે અશોક ખરાતના મંદિરમાં આવી રહ્યા હતા? રૂપાલી ચાકણકરના અશોક ખરાત સાથે સંબંધિત નાણાંકીય વ્યવહારો કયા બેન્ક ખાતાઓ ધ્વારા કરવામાં આવ્યા હતા એ વિશે પણ તપાસ હાથ…
ક્રૂડ તેલના વાયદામાં રૂ.326નો ઉછાળોઃ સોનાનો વાયદો રૂ.116 સુધર્યો, ચાંદીનો વાયદો રૂ.2112 નરમ કોમોડિટી વાયદાઓમાં રૂ.45378.48 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.227199.05 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 32151.59 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.272577.52 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.45378.48 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.227199.05 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3672.26 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 32151.59 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.153999ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.154243 અને નીચામાં રૂ.153016ના મથાળે અથડાઈ, રૂ.153663ના આગલા બંધ સામે રૂ.116 વધી રૂ.153779ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



