Author: garvigujrat

રાશન આપનારા ડીલરો અને લાભાર્થીઓ અંગે કેન્દ્ર સરકારનો ર્નિણય.પીડીએસ લાભાર્થીઓની નોંધણી હવે એઆઈનો ઉપયોગ કરીને કરવામાં આવશે.”સાર્થક-ઁPDS” યોજના પર આશરે રૂ.૨૫,૫૩૦ કરોડ ખર્ચ કરાશે : લાંબા સમયની માંગણીઓ વચ્ચે રાશન ડીલરોના કમિશનમાં વધારો કરાશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો. આ ર્નિણયની સીધી અસર રાશન મેળવતા ૮૦ કરોડ લોકોને થશે. સરકારે રાશન પ્રણાલી (PDS – જાહેર વિતરણ વ્યવસ્થા) અંગે એક મોટો ર્નિણય લીધો છે. આ હેતુ માટે “સાર્થક-PDS” યોજના શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર યોજના પર આશરે રૂ.૨૫,૫૩૦ કરોડ ખર્ચ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે દેશના ૮૦…

Read More

યુગાન્ડાથી આવેલી મહિલામાં શંકાસ્પદ લક્ષણો દેખાતા ક્વૉરન્ટાઇન ભારતમાં ઇબોલા વાયરસની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ આ વાયરસ કોઈ પણ સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી પદાર્થાે જેવા કે લોહી, લાળ, પરસેવો અથવા યુરિનના સીધા સંપર્કમાં આવવાથી ખૂબ જ ઝડપથી ફેલાય છે  વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને આફ્રિકન દેશોમાં ભારે ઉત્પાત મચાવ્યા બાદ હવે ખતરનાક ઇબોલા વાયરસે ભારતમાં દસ્તક દીધી છે. અહેવાલો અનુસાર, આફ્રિકન દેશ યુગાન્ડાથી ભારત આવેલી એક મહિલામાં ઇબોલા વાયરસના અત્યંત ગંભીર લક્ષણો જાેવા મળ્યા છે. સંક્રમણની આશંકાને પગલે તબીબી તંત્ર દ્વારા મહિલાને બેંગલુરુની ખાસ મેડિકલ ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કરી દેવામાં આવી છે અને તેના સેમ્પલ તપાસ અર્થે મોકલાયા છે.ઇબોલા વાયરસને તબીબી જગતમાં કોરોના…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોન હેઠળની વિવિધ વોર્ડ ઓફિસો (જેમ કે અઠવા, જાની ફરસાણ, ઉમરા, પીપલોદ વગેરે) માં ફરજ બજાવતા અંદાજે ૨૦ થી ૨૫ સફાઈ કામદારો અને બેલદારોનું કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અત્યંત ગેરકાયદેસર રીતે શોષણ કરવામાં આવી રહ્યું છે. આ એક અત્યંત ગંભીર અને શરમજનક બાબત છે. જે સફાઈ કર્મચારીઓને શહેરની સાફ-સફાઈ માટે પ્રજાના ટેક્સના પૈસામાંથી પગાર ચૂકવવામાં આવે છે, તે કર્મચારીઓનો ઉપયોગ હાલમાં કેટલાક અધિકારીઓ પોતાના અંગત બંગલાઓ, ફ્લેટ્સ અને તેમના સગાસંબંધીઓની ઓફિસોમાં ઘરકામ, વાસણ-કપડાં અને અન્ય અંગત કામો માટે કરી રહ્યા છે. આ કર્મચારીઓને સવારથી લઈને મોડી રાત સુધી આ કામગીરીમાં રોકી રાખવામાં…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતમાં ૩૦-૩૫ વર્ષો ઉપરાંત કપડા માર્કેટ (ટેક્ષટાઇલ્સ માર્કેટ)ના વેપારીઓના હિત માટે બનાવવામાં આવેલી સંસ્થા જેનું નામ ફોસ્ટા છે. એવી આ સંસ્થાનું રજીસ્ટ્રેશન સને ૨૦૦૫ માં BPMC એકટ હેઠળ રદ કરવામાં આવેલ છે. છતાં ફોસ્ટા ના નામે આજે કાર્યરત છે. જેના પ્રમુખ કૈલાસ હકીમજી છે જે સંસ્થાનું સંચાલન કરી રહ્યા છે. આ સંસ્થા એટલે કે ફોસ્ટાનો મૂળ હેતુ કાપડ બજારના વહેપારીઓના હિતોનું રક્ષણ કરી એમને ન્યાય અપાવવાનો છે. દાખલા તરીકે કોઈ બિલ્ડર દ્વારા ઉભા કરાયેલા પ્રોજેક્ટોમાં કાપડ બજારના વહેપારીઓએ વેચાણ રાખેલી દુકાન, ગોડાઉન કે અન્ય મિલકતોમાં બિલ્ડરો દ્વારા કરાયેલી છેતરપિંડીનો ભોગ બનનાર કાપડ વહેપારીઓને ન્યાય અપાવવો. એમના…

Read More

આ થ્રિલર શો અભિનય દેવ દ્વારા ડિરેક્ટ થયો છે કરીશ્મા ‘બ્રાઉન’માં એક પોલિસ ઓફિસરના રોલમાં જાેવા મળશે એક ભયાવહ અને નૈતિક રીતે તૂટી ગયેલા કોલકાતાના માહોલમાં બ્રાઉન એક સાઇકોલોજિકલ થ્રિલર છે, જે એક મર્ડર મિસ્ટ્રી છે કરીશ્માની વર્ષાેની એક ગ્લેમરસ હિરોઇનની ઇમેજ હતી, આ પોલિશ્ડ લૂકમાંથી બહાર આવીને કરીશ્મા હવે પોતાની કૅરિઅરમાં એક ગંભીર રોલ કરવાની છેસ જેવા રોલમાં તે આ પહેલાં ક્યારેય જાેવા મળી નથી. ઝી૫ પર આવનારા એક ઓટીટી શો ‘બ્રાઉન’નો પહેલો લૂક લોંચ કરવામાં આવ્યો છે, જેમાં કરીશ્મા અલગ લૂકમાં જાેવા મળે છે. એક ભયાવહ અને નૈતિક રીતે તૂટી ગયેલા કોલકાતાના માહોલમાં બ્રાઉન એક સાઇકોલોજિકલ થ્રિલર છે,…

Read More

યશરાજનાં સ્પાય યુનિવર્સમાં આલિયાને ખુન કરવા માટે તાલીમ અપાઈ છે આલ્ફામાં સ્પાય આલિયા હવે બનશે ક્રુર ખુની આલ્ફામાં આલિયા ભટ્ટના પાત્ર દ્વારા એક એવી યુવતીની ઓરિજિનલ સ્ટોરી બતાવવામાં આવશે, જેને કદાચ બાળપણથી જ ખુની બનવા માટે ઉછેરવામાં આવી આલિયા, શર્વરી, બૉબી દેઓલ અને અનિલ કપૂરની આદિત્ય ચોપરાના યશરાજ ફિલ્મ્સ સ્પાયવર્સની સ્પાય થ્રિલર આલ્ફા અંગે સમયાંતરે અહેવાલો આવતા રહે છે. હવે આ અંગે નવા અહેવાલો આવી રહ્યા છે. આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આલ્ફામાં આલિયા ભટ્ટના પાત્ર દ્વારા એક એવી યુવતીની ઓરિજિનલ સ્ટોરી બતાવવામાં આવશે, જેને કદાચ બાળપણથી જ ખુની બનવા માટે ઉછેરવામાં આવી હશે. જાે આ સાચું હોય,…

Read More

અભિનેત્રીએ જાેડિયા બાળકોને આપ્યો જન્મ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના ઘરે ગુંજી કિલકારી આનંદ વ્યક્ત કરતાં કેપ્શનમાં દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા એ લખ્યું, ઇન્તેજારીનો આખરે અંત આવ્યો ટેલિવિઝનનું જાણીતું કપલ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ પોતાનાં જીવનના નવા અધ્યાયમાં પ્રવેશ કર્યાે છે, તેમને ત્યાં જાેડિયા દીકરાઓનું આગમન થયું છે. ૨૬ મે, ૨૦૨૬ના રોજ કપલે સોશિયલ મીડિયા પર સંયુક્ત નિવેદન દ્વારા ચાહકો સાથે આ ખુશખબર શેર કરી હતી. કપલે એક તસવીર પોસ્ટ કરી, જેમાં એક નોટ લખવામાં આવી હતી, “અમે ખુશી માંગી હતી… ભગવાને કહ્યું, ‘બમણી લઈ લો.’ જાેડિયા દીકરાઓના આશીર્વાદ મળ્યા.”આનંદ વ્યક્ત કરતાં કેપ્શનમાં દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા…

Read More

બોલિવૂડ વિલનનું દર્દ છલકાયું અમિતાભ બચ્ચન સાથે ગ્રાન્ડ ડેબ્યૂ છતાં ટીવી સિરિયલોમાં પણ કામ ન મળ્યું! ‘અક્સ’ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી અને તેના કારણે મારા કરિયર પર બ્રેક લાગી ગઈ : અભિમન્યુ ફિલ્મ ‘રક્ત ચરિત્ર’માં વિલન ‘બુક્કા રેડ્ડી’ના ખતરનાક રોલથી ફેમસ થયેલા એક્ટર અભિમન્યુ સિંહ આજે બોલિવૂડ અને સાઉથ સિનેમાનું એક જાણીતું નામ છે. જાેકે, તેના માટે સફળતાનો આ રસ્તો બિલકુલ આસાન નહોતો. ઇન્ડસ્ટ્રીમાં ન તો તેમનો કોઈ ગોડફાધર હતો કે ન તો કોઈ ઓળખાણ. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેણે પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, કરિયરની શરૂઆતમાં જ સદીના મહાનાયક…

Read More

વાપીના સરીગામમાં ગોડાઉનમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો પોલીસે ભંગારના ગોડાઉનમાં દરોડો પાડી ૨.૩૭૭ કિલો પ્રતિબંધિત મેફેડ્રોન તેમજ ૦.૬૫૮ કિલો શંકાસ્પદ માદક પદાર્થ કબ્જે કર્યો છે વલસાડ જિલ્લાના વાપી તાલુકાના સરીગામ વિસ્તારમાં ગુજરાત ATS અને વલસાડ SOG સંયુક્ત ઓપરેશન કરીને ગેરકાયદેસર મેફેડ્રોન બનાવતી અને વેચતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ભંગારના ગોડાઉનમાં દરોડો પાડી ૨.૩૭૭ કિલો પ્રતિબંધિત મેફેડ્રોન તેમજ ૦.૬૫૮ કિલો શંકાસ્પદ માદક પદાર્થ કબ્જે કર્યો છે. ગુજરાત ATS ને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ATS ના નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ. ચૌધરીને માહિતી મળી હતી કે સરીગામ ખાતે રાજેશ મોર્યા અને તેના સાગરિતો અબ્દુલ કલામ…

Read More

કિલ્લા-મસ્જિદ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું કસમંડી કિલ્લા-મસ્જિદ વિવાદમાં પ્રશાસનનો મોટો ર્નિણય લખનઉના કસમંડીમાં કિલ્લા-મસ્જિદ વિવાદને કારણે પ્રશાસને બકરીઈદની નમાઝ પર પ્રતિબંધ મૂક્યો છે ઉત્તર પ્રદેશના લખનઉના કસમંડી વિસ્તારમાં આવેલા કિલ્લા-મસ્જિદ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. બકરીઈદના તહેવાર પહેલા પ્રશાસને એક મોટું પગલું ભરતા વિવાદિત સ્થળ પર નમાઝ અદા કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રશાસનનું કહેવું છે કે આ ર્નિણય કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ કોઈપણ સંભવિત તણાવને રોકવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે. આ ર્નિણય બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. પ્રશાસનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિવાદિત સ્થળને લઈને છેલ્લા કેટલાક દિવસોથી…

Read More