
- Mahavir Swami જયંતિ વિશેષ: અહિંસા, સત્ય અને સંયમથી શાંતિમય જીવનનો સંદેશ
- ઈરાન: મીનાબ સ્કૂલ હુમલામાં 175 મોત, અમેરિકાના બે નૌસેનાના અધિકારીઓ પર આરોપ
- ભારત-ઈરાન વેપાર: તેલ સિવાય ઓર્ગેનિક કેમિકલ, ડ્રાયફ્રૂટ, બિટુમેન, ખનિજ, કાચ-લોખંડ માટે રૂપિયામાં લેવડદેવડ
- કેન્દ્ર: દેશના પેટ્રોલ પંપ પર પુરતો ઈંધણ સ્ટોક, પશ્ચિમ એશિયા થી 94,000 ટન LPG જહાજ આવી રહ્યા
- માધુરી દીક્ષિતે લોઅર પરેલમાં 731 સ્કે.ફૂટ ઓફિસ ભાડે લીધી, 5 વર્ષમાં 2.81 કરોડ રૂપિયા ચૂકવાશે.
- ઈરાન-US-ઈઝરાયલ યુનિવર્સિટીઓ હમલાનો લક્ષ્ય, વિદ્યાર્થીઓને કેમ્પસ છોડી જાય તેવી ચેતવણી
- Raipurમાં 19 લાખની આંતરરાષ્ટ્રીય સ્ટાઇલની ટ્રાવેલ એજન્સી છેતરપિંડી ખુલ્લી
- Iran-Israel-United States યુદ્ધ 30મા દિવસે ભીષણ: સતત હુમલાઓ વચ્ચે અંતના કોઈ સંકેત નહીં
Author: Garvi Gujarat
‘ભગમ ભાગ ૨’નું ડિરેક્શન રાજ શાંડિલ્ય કરશે ભાગમ ભાગ-૨માં ગોવિંદાની જગ્યાએ હવે મનોજ બાજપેયીની એન્ટ્રી ૨૦૦૬માં રિલીઝ થયેલી મૂળ ‘ભાગમ ભાગ’ ફિલ્મમાં અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ રાવલે યાદગાર કોમેડી રોલ કર્યા હતા. બોલિવૂડની લોકપ્રિય અને યાદગાર બનેલી કોમેડી ફિલ્મ ‘ભાગમ ભાગ’ની સિક્વલ ‘ભાગમ ભાગ ૨’ની કાસ્ટમાં એક મોટો ફેરફાર જાેવા મળ્યો છે. પ્રોડક્શન શરૂ થવાની તૈયારીમાં છે, ત્યારે હવે તાજેતરના અહેવાલો અનુસાર ફિલ્મમાં હવે અક્ષય કુમાર અને પરેશ રાવલ સાથે મનોજ બાજપેયી જાેડાવા જઈ રહ્યા છે, જ્યારે મૂળ ફિલ્મના મુખ્ય કલાકાર ગોવિંદા આ સિક્વલમાં જાેવા મળશે નહીં.ઇન્ડસ્ટ્રીના સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, “૨૦૦૬માં રિલીઝ થયેલી મૂળ ‘ભાગમ ભાગ’ ફિલ્મમાં…
પ્રિયંકા આ ફિલ્મની સિરીઝના આગળના બે ભાગમાં પણ લીડ રોલમાં હતી હૃતિક રોશનની ‘ક્રિશ ૪’માં પ્રિયંકા ચોપરાને ફીમેલ લીડ તરીકે કાસ્ટ કરાઈ પ્રિયંકાએ ‘ક્રિશ’ની છેલ્લી બે ફિલ્મોમાં પણ લીડ રોલ કર્યાે હતો. ત્યારબાદ તે વૈશ્વિક સ્તરે કારકિર્દી બનાવવા અને લગ્ન માટે અમેરિકા સ્થાઇ થઈ હતી. આ વાત હવે નક્કી થઈ ગઈ છે! પ્રિયંકા ચોપરા જાેનાસ બોલિવૂડમાં પરત ફરી રહી છે. સૂત્રોએ ખાતરી આપી છે કે હૃતિક રોશનની ‘ક્રિશ’ ળેન્ચાઇઝીની ચોથી ફિલ્મ ‘ક્રિશ ૪’માં પ્રિયંકાને લીડ રોલ માટે સાઇન લેવામાં આવી છે.પ્રિયંકાએ ‘ક્રિશ’ની છેલ્લી બે ફિલ્મોમાં પણ લીડ રોલ કર્યાે હતો. ત્યારબાદ તે વૈશ્વિક સ્તરે કારકિર્દી બનાવવા અને લગ્ન માટે અમેરિકા…
સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.816 વધ્યો, ચાંદીનો વાયદો રૂ.4296 ઘટ્યો ક્રૂડ તેલના વાયદામાં રૂ.14નો સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.29352.97 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.88387.16 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 24712.08 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37672 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.117745.67 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.29352.97 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.88387.16 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 37672 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3079.22 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 24712.08 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.149396ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.154083 અને નીચામાં રૂ.149396ના સ્તરને સ્પર્શી, રૂ.152071ના આગલા બંધ સામે રૂ.816 વધી રૂ.152887ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.418 વધી…
કેસર કેરી પર કુદરતનો પ્રહાર! ગુજરાતની શાન એવી કેસર કેરીના અસ્તિત્વ સામે ખતરો બદલાતા હવામાનના કારણે ફ્લાવરિંગને ભારે નુકસાન ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બદલાતા હવામાને હવે ગુજરાતની ઓળખ એવી કેસર કેરીને પણ ઝાટકો આપ્યો છે. દિવસ અને રાતના તાપમાનમાં ભારે તફાવત, સાથે ઝાકળ અને ધુમ્મસના કારણે આંબાના ફ્લાવરિંગને નુકસાન થયું છે. અમરેલી જિલ્લાના ધારી પંથક સહિત અનેક વિસ્તારોમાં ભૂકીછારો રોગ ફેલાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગુજરાતની ઓળખ એવી કેસર કેરીની મીઠાશ આ વર્ષે કડવી થઈ શકે છે. અમરેલી જિલ્લાના ધારી અને આસપાસના વિસ્તારોમાં, જ્યાં હજારો એકરમાં આંબાના બગીચા ફેલાયેલા છે, વાતાવરણના અણધાર્યા બદલાવથી ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.…
૩ અબજ ડોલરના સોદાને ટૂંક સમયમાં મંજૂરીે ભારત અમેરિકા પાસેથી ૬ પી-૮આઇ વિમાન ખરીદશે આ વિમાનોને કારણે હિંદ સમુદ્રમાં ભારતીય નેવીની સર્વેલન્સ ક્ષમતા વધુ મજબૂત બનશે ભારત અને અમેરિકાની વચ્ચે તાજેતરમાં થયેલી વેપાર સમજૂતી પછી દ્વિપક્ષીય સંબધોમાં આવેલી મજબૂતીની અસર હવે સંરક્ષણ સહકાર ઉપર પણ સ્પષ્ટ જાેવા મળી રહી છે. આ જ ઘટનાક્રમ હેઠળ બંને દેશ લગભગ ૩ અબજ અમેરિકન ડોલરના એક મોટા સંરક્ષણ સોદાની દિશામાં આગળ વધતા જાેવા મળી રહ્યાં છે. આ પ્રસ્તાવ ભારતીય નૌકાદળ માટે છ એડિશનલ પી-૮આઇ એન્ટી સબમરિન વોરફેર અને મેરીટાઇમ સર્વેલન્સ વિમાનોથી જાેડાયેલ છે. જેના કારણે હિંદ સમુદ્ર ક્ષેત્રમાં ભારતની સર્વેલન્સ ક્ષમતાને વધુ મજબૂતી મળવાની…
ફટકારી સૌથી ઝડપી સદી, બનાવ્યો નવો વિશ્વ રેકોર્ડ વૈભવ સૂર્યવંશીએ વર્લ્ડ કપ ફાઇનલમાં રચ્યો ઈતિહાસ વૈભવ સૂર્યવંશીએ અંડર-૧૯ વર્લ્ડ કપની ઈંગ્લેન્ડ સામેની ફાઈનલ મેચમાં તાબડતોબ ૧૭૫ રન બનાવ્યા અંડર-૧૯ વર્લ્ડ કપમાં વૈભવ સૂર્યવંશી નામનું વાવાઝોડું આવ્યું અને તરખાટ મચાવી દીધો છે, વૈભવ સૂર્યવંશીએ તાબડતોબ બેટિંગ કરીને ઈંગ્લેન્ડના બોલરોના છોતરાં કાઢી નાખ્યા છે. તેણે ઝડપી બેટિંગ કરીને ભારતને મજબૂત સ્થિતિમાં લાવી દીધું છે, ભારતે ૨૫ ઓવરમાં ૨૫૦ રન કરી દીધા છે. એક સમયે એવું લાગી રહ્યું હતું કે વૈભવ સૂર્યવંશી બહુ ઝડપથી પોતાની બેવડી સદી પૂર્ણ કરી લેશે, પરંતુ તે ૨૫ રન દૂર રહી ગયો હતો, વૈભવ સૂર્યવંશીએ શરુઆતથી જ સ્ફોટક…
પત્રમાં સંભવિત નાણાકીય નુકસાનનો ઉલ્લેખ કરાયો હતો શ્રીલંકન ક્રિકેટ બોર્ડે PCB પત્ર લખીને પુનર્વિચાર કરવા વિનંતી કરી હજુ પણ પાકિસ્તાને ભારત સામે નહીં રમવાની વાત પર પિન ચોંટાડી રાખી હોવાની વાત સામે આવી રહી છે. કોલંબોમાં ભારત-પાકિસ્તાન ્૨૦ વર્લ્ડ કપ મેચ યોજવાની શક્યતાઓ ધૂંધળી બની રહી છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પત્ર લખીને નાણાકીય નુકસાનનો ઉલ્લેખ કર્યો હતો. જાેકે, હજુ પણ પાકિસ્તાને ભારત સામે નહીં રમવાની વાત પર પિન ચોંટાડી રાખી હોવાની વાત સામે આવી રહી છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડના છેલ્લા પ્રયાસો છતાં, કોલંબોમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન ્૨૦ વર્લ્ડ કપ મેચ યોજવાની શક્યતાઓ ધૂંધળી દેખાઈ રહી છે. પાકિસ્તાન…
ISRO ના ચીફ વી. નારાયણનએ જાહેરાત કરી ૨૦૨૭માં ગગનયાન અને ૨૦૨૮ સુધી અંતરિક્ષ યાત્રીને ચંદ્રયાન મિશન પર મોકલવામાં આવશે ISRO ના ફરી ઉપયોગ કરી શકાય એવા લોન્ચ વ્હીકલ ટેકનોલોજી પર ફોકસ કરવામાં આવી રહ્યું હોવાની વાત કરી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા હાલમાં ઘણાં મહત્ત્વાકાંક્ષી અંતરિક્ષ મિશન માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ISRO ના ચીફ વી. નારાયણનએ જાહેરાત કરી છે કે ૨૦૨૭માં ગગનયાન કાર્યક્રમ શરૂ કરવામાં આવશે અને ૨૦૨૮ સુધી ચંદ્રયાન-૪ અને ચંદ્રયાન-૫ના માનવયુક્ત મિશન હાથ ધરવામાં આવશે. વી. નારાયણનનું આ વિશે કહેવું છે કે ‘આ પ્રોજેક્ટો પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ કરવામાં આવી રહ્યા છે.’ વી. નારાયણનએ જણાવ્યું…
રેપો રેટ ૫.૨૫% પર પર યથાવત ઇમ્ૈં ઇીॅર્ ઇટ્ઠંી: રેપો રેટમાં કોઇ ફેરફાર ન કરાયો ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, સમિતિએ સર્વાનુમતે વ્યાજ દરો યથાવત રાખવાનો ર્નિણય લીધો અને રેપો રેટ ૫.૨૫% પર રાખ્યો છે રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ ગુરુવાર, ૬ ફેબ્રુઆરીના રોજ નાણાકીય નીતિની જાહેરાત કરી. ૪ ફેબ્રુઆરીથી શરૂ થયેલી નાણાકીય નીતિ સમિતિની બેઠક આજે પૂર્ણ થઈ અને લેવામાં આવેલા ર્નિણયોની જાહેરાત કરવામાં આવી. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, સમિતિએ સર્વાનુમતે વ્યાજ દરો યથાવત રાખવાનો ર્નિણય લીધો અને રેપો રેટ ૫.૨૫% પર રાખ્યો છે. ૨૦૨૫માં, રિઝર્વ બેંકે રેપો રેટમાં ૧૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. ડિસેમ્બર પોલિસી મીટિંગમાં,…
2026 T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હર્ષિત રાણા આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે ટી20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ખેલાડી હર્ષિત રાણા ઈજાને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. વર્લ્ડ કપ પહેલા રાણા ઉત્તમ ફોર્મમાં હતો 2026 T20 વર્લ્ડ કપ શરૂ થવાને થોડા કલાકો બાકી છે ત્યારે, ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ માટે સંપૂર્ણપણે તૈયાર છે, પરંતુ ખરાબ સમાચાર સામે આવ્યા છે, જે ભારતીય ચાહકો અને ટીમ બંને માટે મોટો ફટકો છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હર્ષિત રાણા ઈજાને કારણે આખા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. વર્લ્ડ કપ પહેલા ટીમ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



