- NEET-UG પુન:પરીક્ષા શાંતિપૂર્ણ, વિદ્યાર્થીઓએ કહ્યું ફિઝિક્સ-કેમેસ્ટ્રી અઘરું
- India-A ચેમ્પિયન: શ્રીલંકાને 66 રને હરાવી ટ્રાય સિરીઝ જીતી
- ઈરાન ડીલ નિષ્ફળ જશે તો હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર ટોલ: ટ્રમ્પ
- ઇંગ્લેન્ડ ODI સિરીઝ માટે ટીમ જાહેર: બુમરાહની વાપસી, જયસ્વાલ બહાર
- NEET પરીક્ષાર્થીઓને તકલીફ ન પડે તે માટે મોદી 45 મિનિટ એરપોર્ટ પર રોકાયા
- નર્મદામાં કોંગ્રેસ-ભાજપના આગેવાનો AAPમાં જોડાયા, ચૈતર વસાવાએ કર્યો સ્વાગત
- મિશન 2027 માટે AAP સક્રિય: દરેક વિધાનસભામાં સંગઠન મંત્રીઓની નિમણૂક
- પુસ્તકો વિના ભણતર? ગોપાલ ઇટાલિયાનો સરકારના શાળા પ્રવેશોત્સવ પર સવાલ
Author: Garvi Gujarat
બંગાળમાં પીએમ મોદીનું નિવેદન, ઘૂસણખોરી પર આકરા પ્રહાર તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ ગભરાયેલા છે અને જનતાને ભ્રમિત કરી રહ્યા છે ભાજપ સત્તામાં આવશે તો સૌથી પહેલા ૧૫ વર્ષમાં તૃણમૂલ કોંગ્રેસના શાસન દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર પર એક વ્હાઇટ પેપર બહાર પડાશે : મોદી પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે રાજકીય માહોલ અત્યંત ગરમાયો છે અને તમામ પક્ષો પોતાની પૂરી તાકાત લગાવી રહ્યા છે.પાર્ટીઓના સ્ટાર પ્રચારકો એક પછી એક રેલીઓ અને સભાઓનું આયોજન કરીને વધુમાં વધુ લોકોને પોતાની તરફેણમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રેલીઓ દરમિયાન નેતાઓના ભાષણો હેડલાઇન્સમાં છવાયેલા રહે છે. આવું જ એક નિવેદન હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાની રેલી…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત શહેર ભાજપમાં વાલ્મીકિ સમાજના અનેક કાર્યકરે પાર્ટીના ઉમેદવાર બનવા માટે ભાજપ પાસે ટિકિટની (ઉમેદવારી) માંગણી કરી હતી. પરંતુ ભાજપે કોઈ પણ કાર્યકારની કદર ના કરી વાલ્મીકિ સમાજની વસ્તીને નારાજ કરી છે. જે કાર્યકરોને ટિકિટ આવશે એવી આશાએ ભાજપના કાર્યકર તરીકે કામગીરી કરી રહ્યા હતા એટલું જ નહીં ભાજપના કોઈ મોટા નેતા આવે ત્યારે સંખ્યા દેખાડવા માટે વાલ્મીકિ સમાજના સફાઈ કર્મચારીઓ ને મોટી સંખ્યામાં હાજર રાખવામા આવે છે. આ કાર્યકરો અગત્યની ભૂમિકા ભજવતા હતા. તેવા કાર્યકરો ને ભાજપે ઉમેદવાર તરીકે પસંદગી નહીં કરી બહારનો રસ્તો બતાવી સમાજમાં જે મોટા ભા થઈ ને ફરતા હતા તેઓને તેમની…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત ના વિવિધ શહેરોમાં યોજાનારી નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ ધ્વારા ૬૦ વર્ષથી ઉપરના અને ત્રણ ટર્મ ચૂંટણી લડીને કોર્પોરેટર બની ચૂકેલાઓમાંથી એક પણ કોર્પોરેટર ને ટિકિટ આપવામાં આવશે નહીં. આ નિયમ માત્ર સ્થાનિક કક્ષાએ જ નહી પણ ધારાસભ્ય, સાંસદ સભ્ય માટે પણ ભાજપે લાગુ પાડવો જોઈએ. આ નિયમને કારણે પાર્ટી માટે જે કાર્યકરે પોતાની જિંદગીના વર્ષો ખર્ચી નાંખ્યા હોય, ઘર બાર છોડી પાર્ટીના પ્રચાર કાર્ય, બેનર બાંધવા-લગાવવા, ટેમ્પા, ટ્રકો ભરવા સુધી અને પાર્ટી માટે સતત સંધર્ષ કરતાં આવ્યા હોય તેવા કાર્યકર પોતાના મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત…
મોંઘવારી ભેદભાવ કરતી નથી, પેન્શનર્સને પણ સમાન દરે મળવી જાેઇએ મોંઘવારી ભથ્થામાં કર્મચારી-પેન્શનર વચ્ચે ભેદભાવ કરી શકાય નહીં: સુપ્રીમ સકારાત્મક દૃષ્ટિકોણથી જાેવામાં આવે તો સમાનતા અને મનસ્વીતા એકબીજાના વિરોધી છે : સુપ્રીમ નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે સમાનતાના અધિકારને સમર્થન આપતા એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે મોંઘવારી સામે રાહત આપવા માટે આપવામાં આવતા ભથ્થાઓમાં સરકાર કાર્યરત કર્મચારીઓ અને પેન્શનરો વચ્ચે ભેદભાવ કરી શકે નહીં. કેરળ રાજ્ય સરકાર અને કેરળ રાજ્ય પરિવહન નિગમની અપીલને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ફુગાવો કાર્યરત અને નિવૃત્ત કર્મચારીઓ બંનેને સમાન રીતે અસર કરે છે. સમાનતા એક ગતિશીલ સિદ્ધાંત છે, જેને…
પાકિસ્તાને ફરી એક વાર પોત પ્રકાશ્યું પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજાએ ઈઝરાયેલને ‘દાનવ’ ગણાવતા વિવાદ ઈઝરાયેલના વડાપ્રધાન ઉપરાંત અમેરિકાના અગ્રણીઓએ પણ મધ્યસ્થી માટે પાકિસ્તાનના ઈરાદા પર સવાલ ઊઠાવ્યા આતંકવાદ અને હિંસાની દુનિયાભરમાં નિકાસ કરવા માટે પંકાયેલા પાકિસ્તાને ફરી એક વાર પોત પ્રકાશ્યું છે. યુએસ-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનેલા પાકિસ્તાને યુએસના ખાસ સાથીદાર ઈઝરાયેલને દાનવ ગણાવતા વિવાદ ઊભો થયો છે, જેની અસર વાટાઘાટો પર પડવાની શક્યતા છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મ્દ આસફે એક્સ પોસ્ટ પર ઈઝરાયેલને દાનવ અને માનવતા માટે અભિશાપ ગણાવ્યું હતું. તેમણે ઈઝરાયેલ પર લેબનોનમાં સામૂહિક નરસંહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. ખ્વાજા આસિફે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યુ હતું કે ઈઝરાયેલે…
રણવીરે કર્ણાટક હાઈકોર્ટને બાંહેધરી આપી કાંતારા વિવાદમાં રણવીર નવેસરથી માફીનામું આપશે રણવીરનાં અગાઉનાં માફીનામાંમાં જરા પણ ગંભીરતા નહિ હોવાનું ખુદ કોર્ટે નોંધ્યું રણવીર સિંહે ‘કાંતારા ચેપ્ટર વન’માં ઋષભ શેટ્ટીની એક્ટિંગની પ્રશંસા કરવાના પ્રયાસમાં દેવીની મિમિક્રી કરી હોવાના વિવાદમાં ફરી નવેસરથી માફીનામું લખી પવાની બાંહેધરી કર્ણાટક હાઈકોર્ટને આપી છે. રણવીરે અગાઉ પણ હાઈકોર્ટમાં માફીનામું આપ્યું હતું. પરંતુ, ખુદ કોર્ટે નોંધ્યું હતું કે તેમાં કોઈ પ્રકારની ગંભીરતા હોય તેવું જણાતું ન હતું. રણવીરે તેમાં જણાવ્યું હતું કે પોતે સિંધી માહોલમાં ઉછર્યાે હોવાથી આ દેવી બાબતે ધાર્મિક લાગણીઓનો તેને ખ્યાલ ન હતો. હવે રણવીરે હાઈકોર્ટને કહ્યું છે કે તે તા. ૨૩મી એપ્રિલે નવું…
ફિલ્મનું બજેટ આશરે ૭૦૦ કરોડ હોવાનો દાવો રાકા માટે અલ્લુ અર્જુનને ૧૨૫ કરોડ, દીપિકાને ૨૫ કરોડ જ મળશે અલ્લુ અર્જુન ટ્રીપલ રોલ કરી રહ્યો હોવાથી તેને અનેકગણી ફી મળવાની હોવાનું કહેવાય છે ડાયરેકટર એટલીની આગામી ફિલ્મ ‘રાકા’ માટે ૭૦૦ કરોડનું બજેટ નક્કી થયું હોવાનું કહેવાય છે. એક દાવા અનુસાર ફિલ્મ માટે અલ્લુ અર્જુનને ૧૨૫ કરોડની ફી મળવાની છે. તેની સામે મુખ્ય હિરોઈન દીપિકા પદુકોણને પચ્ચીસ કરોડ મળવાના છે. ફિલ્મની બીજી હિરોઈન રશ્મિકા મંદાનાને પાંચ કરોડ ચૂકવાશે. અલ્લુ અર્જુન ટ્રીપલ રોલ કરી રહ્યો હોવાથી તેને અનેકગણી ફી મળવાની હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે એટલીએ તાજેતરમાં અલ્લુ અર્જુનના જન્મદિવસ વખતે જ…
મામ્મુટ્ટીએ કહ્યું, પહેલી ફિલ્મમાં દિકરાએ મને છેતર્યાે લોકાહની સિક્વલની ફી મળશે તો જ શૂટ કરીશ : મામ્મુટ્ટી કલ્યાણી પ્રિયદર્શન આ ફિલ્મમાં ‘ચંદ્રા’નું મુખ્ય પાત્ર ભજવે છે, જેને ‘કલિયાંકટ્ટુ નીલી’ તરીકે ઓળખવામાં આવે છે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, મમ્મુટ્ટીએ ‘લોકાહ ચેપ્ટર ૧’માં પોતાના કેમિયો વિશે ખુલાસો કર્યાે અને ફિલ્મના સીક્વલ વિશે પણ વાત કરી હતી. જ્યારે ડોમિનિક અરુણની સુપરહિરો ફિલ્મ ‘લોકાહ ચેપ્ટર ૧: ચંદ્રા’ ગયા વર્ષે થિયેટરોમાં રિલીઝ થઈ, ત્યારે કલ્યાણી પ્રિયદર્શન, નસ્લેન અને સેન્ડી સ્ટારર આ ફિલ્મે ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યાં હતાં. ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ સારું પ્રદર્શન કર્યું અને દુલકર સલમાન, જેણે ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી, તેણે પોતાના પિતા…
‘ધુરંધર ૨’ ૨૦૨૬ની સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ વિશ્વની ટોપ ૧૦ સૌથી વધુ કમાણી કરતી ફિલ્મોમાં ધુરંધર ૨ સામેલ ફિલ્મ ‘ધુરંધર ૨’એ ક્રિસ હેમ્સવર્થની ‘ક્રાઇમ ૧૦૧’ અને ઝેન્ડાયા ની ‘ધ ડ્રામા’ને પણ પાછળ છોડી ભારતમાં બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડવાની સાથે આદિત્ય ધરની સ્પાય ડ્રામા ‘ધુરંધર: ધ રિવેન્જ’ વૈશ્વિક સ્તરે પણ ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. ભારત અને નોર્થ અમેરિકા ખાતે મળેલી અદ્ભુત સફળતાએ ફિલ્મને આ વર્ષે વિશ્વની ટોપ ૧૦ સૌથી વધુ કમાણી કરતી ફિલ્મોમાં સ્થાન અપાવ્યું છે.થિયેટરમાં ત્રીજું અઠવાડિયું પૂરું થવાનું છે, ત્યારે ‘ધુરંધર ૨’એ ભારતમાં ૧૦૦૦ કરોડથી વધુ નેટ અને ૧૨૪૬ કરોડ ગ્રોસ કમાણી કરી છે, જે હિન્દી…
સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીએ માત્ર મહાત્મા ગાંધીજીના જીવનસાથી તરીકે જ નહીં, પરંતુ રાષ્ટ્રસેવામાં સહયોગી બનીને નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. મહાત્મા ગાંધીજી દેશસેવામાં સમર્પિત હતા ત્યારે કસ્તૂરબા ગાંધીજી તેમની સાથે પડછાયા સમા રહી અવિરત સહયોગ આપ્યો હતો. અધ્યક્ષશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય સંગ્રામના વિર શહીદોએ દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે, ત્યારે આજના યુવાનોની ફરજ છે કે તેઓ દેશના વિકાસ માટે સમર્પિત બની…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



