Author: Garvi Gujarat

ઈંધણ ખર્ચમાં પણ ઘટાડો થશે ભારતીય રેલની પ્રથમ LNG ટ્રેનનું અમદાવાદથી સફળ સંચાલન લિક્વિફાઇડ નેચરલ ગેસના ડ્યુઅલ ફ્યુઅલથી એન્જિનમાંથી નીકળતા પ્રદૂષકોમાં નોંધપાત્ર ઘટાડો થશે, તેવું નિષ્ણાતોનું માનવું છે પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્થિત ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો સાબરમતી ખાતે ભારતીય રેલવેની પ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) –ડીઝલ આધારિત ડ્યુઅલ ફ્યુઅલ DEMU ટ્રેનનું શરૂ કરવામાં આવી છે. જેનું પ્રથમ સંચાલન સફળ રહ્યું છે. ત્યારે લિક્વિફાઇડ નેચરલ ગેસના ડ્યુઅલ ફ્યુઅલથી એન્જિનમાંથી નીકળતા પ્રદૂષકોમાં નોંધપાત્ર ઘટાડો થશે, તેવું નિષ્ણાતોનું માનવું છે. આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદ રેલવે ડિવિઝનના ડી. આર. એમ. વેદપ્રકાશે જણાવ્યું હતું કે, ભારતીય રેલની પ્રથમ LNG ટ્રેનનું સફળ સંચાલન કરવામાં આવી…

Read More

ખાણ ખનિજ વિભાગની મોટી કાર્યવાહી નકલી ચલણથી ડોલોમાઇટની હેરાફેરી કરતા બે ટ્રક ઝડપાયા એક મહિના જૂના ચલણને સાચા તરીકે દર્શાવી સરકારની તિજાેરીને ચૂનો લગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જિલ્લાના ખાણ ખનિજ વિભાગે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને ખોટા ડિલિવરી ચલણનો ઉપયોગ કરી ડોલોમાઇટની હેરાફેરી કરતા બે ટ્રકોને ઝડપી પાડ્યા છે. આ મામલે તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેમાં એક મહિના જૂના ચલણને સાચા તરીકે દર્શાવી સરકારની તિજાેરીને ચૂનો લગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ખાણ ખનિજ વિભાગની ટીમે જ્યારે ડોલોમાઇટ ભરીને જતી ટ્રકોને અટકાવીને તપાસ કરી, ત્યારે ડ્રાઈવરોએ રજૂ કરેલા ડિલિવરી ચલણ શંકાસ્પદ જણાયા હતા. ઊંડાણપૂર્વકની તપાસમાં…

Read More

૭૦ લાખનો માલ જપ્ત થયો, બાપૂ પણ ઝપટે ચડી ગયા મંદિરમાં ગલગોટાના ફુલની વચ્ચે ગાંજાે ઉગાડી રહ્યા હતા બાપૂ મંદિરનો પૂજારી ખુદને ગણાવતો હતો આધ્યાત્મિક ગુરુ તેલંગાણામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સંગારેડ્ડી જિલ્લામાં મંદિરના પૂજારી મંદિર પરિસરમાં ગલગોટાના ફૂલના છોડની સાથે ગાંજાે ઉગાડી રહ્યા હતા અને વેચી રહ્યા હતા. નારાયણખેડમાં DTF સંગારેડ્ડી ટીમે પૂજારીને ધરપકડ કરી લીધા અને ૭૦ લાખનો ગાંજાે જપ્ત કર્યો. તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લાના નારાયણખેડ મંડળના પંચગામ ગામમાં એક મંદિરનો પૂજારી હતો, જે ખુદને આધ્યાત્મિક ગુરુ ગણાવતો હતો. ગાંજાે ઉગાડવા અને વેચવાના આરોપમાં ધરપકડ કર્યો છે. નવાઈની વાત એ છે કે ગાંજાના છોડ મંદિર પરિસરની…

Read More

ગુજરાતના વાતાવરણમાં પલટા અરવલ્લી અને ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત ભરશિયાળે વરસેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો ઉલટફેર જાેવા મળ્યો છે. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે અચાનક વાતાવરણ પલટાયું છે અને અરવલ્લી સહિત ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) ખાબક્યો છે. ભરશિયાળે વરસેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ જગતનો તાત ચિંતામાં મુકાયો છે. અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ પંથકમાં વહેલી સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું અને ત્યારબાદ અચાનક વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. ભરશિયાળે વરસાદ પડતા રસ્તાઓ ભીના થયા હતા અને…

Read More

ચારેય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા .નળસરોવર પાસે પ્લોટની સ્કીમ ઊભી કરી છે કહી ૧૫ લોકો સાથે ૫૦ લાખની ઠગાઈ.મહિને ૫૦૦૦ એમ ૭૨ મહિના સુધી ભર્યા બાદ ૧૫૦ વારનો પ્લોટની માલિકીની સ્કીમ !.નળ સરોવર પાસે પ્લોટની સ્કીમમાં રોકાણ કરવાથી ફાયદો થશે તેવી લોભામણી લાલચ આપીને શરૂ કરવામાં આવેલી સ્કીમમાં લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. નરોડા ગેલેક્ષી રોડ પાસે આવેલા સુહર્દ કોમ્પલેક્સમાં ઓફિસ ખોલીને વર્ષ ૨૦૧૧થી ૨૦૧૮ સુધીના સમયગાળામાં ચાર ગઠિયાએ એક બે નહીં પરંતુ ૧૫થી વધુ લોકો પાસેથી કુલ રૂ.૫૦.૨૧ લાખનું રોકાણ કરાવીને તમામ રકમ ચાઉં કરી લીધા છે. જાે કે આ ચારેય ગઠિયાની સામે પોલીસ ફરિયાદ નોંધાતા તમામ…

Read More

કલાકૃતિઓ ભારતમાંથી ચોરી કરીને ગેરકાયદે અમેરિકા મોકલી દેવાઇ હતી.અમેરિકા ભારતને કાંસાની ત્રણ પ્રાચીન કલાકૃતિ પરત કરશે.ભારત સરકારે આ ત્રણમાંથી એક શિલ્પને લાંબા ગાળાના ધિરાણ (લૉન્ગ-ટર્મ લોન) પર રાખવા સંમતિ આપી . અમેરિકા ભારતને તેની ત્રણ કાંસાની અતિ પ્રાચીન અને ભવ્ય કલાકૃતિઓને પરત કરી દેશે. આ ત્રણેય કલાકૃતિઓ ભારતના મંદિરોમાંથી ચોરી કરીને ગેરકાયદે અમેરિકા મોકલી દેવાઇ હતીવોશિંગ્ટન ડીસી સ્થિત સ્મિથસોનિયન નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટે બુધવારે કહ્યું હતું કે ત્રણ કલાકૃતિઓ ભારત સરકારને પરત કરાશે. આ શિલ્પોના મૂળસ્ત્રોતનું ઉંડાણપૂર્વકનું સંશોધન કરતા પૂરવાર થયું હતું કે ત્રણેય શિલ્પો ભારતના મંદિરોમાંથી ચોરી કરીને ગેરકાયદે અમેરિકા મોકલી દેવામાં આવ્યા હતા. મ્યુઝિયમ દ્વારા જારી કરાયેલા…

Read More

ગૃહ સુરક્ષા વિભાગ માટેના ભંડોળને કાયદાથી અલગ કરવા બન્ને પક્ષોની તૈયારી.ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ્સ વચ્ચે સમજૂતી થતાં અમેરિકામાં આંશિક શટડાઉનનો ખતરો ટળ્યો.યુએસના મિનેપોલિસ રાજ્યમાં ફેડરલ પોલીસ સાથે ઘર્ષણમાં બે દેખાવકારોના મોતની ઘટનાને પગલે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે.અમેરિકામાં વધુ એક વખત ટ્રમ્પ સરકાર પર તોળાઈ રહેલો આંશિક શટડાઉનનો ખતરો હાલ પુરતો ટળ્યો છે. ડેમોક્રેક્ટ્સ અને વ્હાઈટ હાઉસે ઇમિગ્રન્ટ્સ પર દરોડા તથા ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (ગૃહ સુરક્ષા વિભાગ)ને હંગામી ભંડોળ માટે મહત્વની સમજૂતિ કરી છે. યુએસના મિનેપોલિસ રાજ્યમાં ફેડરલ પોલીસ સાથે ઘર્ષણમાં બે દેખાવકારોના મોતની ઘટનાને પગલે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર…

Read More

સોશિયલ મીડિયા પર છેડાયું યુદ્ધ.થિયેટર ફિલ્મ ધૂરંધર જાેઈને ખુશ થયેલાં દર્શકો ઓટીટી વર્ઝનથી નાખુશ થયાં.એક તરફ જ્યાં પ્રથમ ભાગના એડિટિંગને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યાં મેકર્સ આ ફિલ્મના બીજા ભાગની તૈયારીમાં એકદમ વ્યસ્ત છે.થિયેટર્સમાં રીલિઝ થતાં જ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી અને દર્શકોનો પ્રેમ જીત્યા બાદ આદિત્ય ધરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ આજે એટલે કે ૩૦મી જાન્યુઆરીના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઈ છે.નેટફ્લિક્સ પર અડધી રાત્રે આ ફિલ્મને સ્ટ્રીમ કરવામાં આવી હતી, જેના પછી ચાહકોએ તેને જાેવા માટે પડાપડી કરી હતી. જાેકે, ઓટીટી રિલીઝ સાથે જ એક મોટો વિવાદ પણ ઉભો થયો છે. ચાલો સોશિયલ મીડિયા પર ફેન્સ…

Read More

ફરહાન અખ્તરે ઇન્સ્ટાગ્રામ પર રણવીર સિંહને અનફોલો કર્યો.ડોન ૩ છોડ્યા પછી ફરહાન અને રણવીર વચ્ચે અંતર વધ્યું.ફરહાન અખ્તરની ‘ડોન’ ફ્રેન્ચાઇઝી બોલિવૂડની સૌથી લોકપ્રિય એક્શન શ્રેણીઓમાંની એક છે.‘ડોન ૩’ ના કારણે આ દિવસોમાં બોલિવૂડમાં રણવીર સિંહ અને ફરહાન અખ્તરના સંબંધો વિશે ચર્ચાઓ ચાલી રહી છે.રણવીર સિંહના કરિયરની સૌથી મોટી અને સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મોમાંની એક ગણાતી આ ફિલ્મમાંથી તેના બહાર નીકળવાના સમાચારે હવે બધાને ચોંકાવી દીધા છે. આ મામલો ત્યારે વધુ રસપ્રદ બન્યો જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સે જાેયું કે ફરહાન અખ્તરે ઇન્સ્ટાગ્રામ પર રણવીર સિંહને અનફોલો કરી દીધો છે.ફરહાન અખ્તરની ‘ડોન’ ફ્રેન્ચાઇઝી બોલિવૂડની સૌથી લોકપ્રિય એક્શન શ્રેણીઓમાંની એક છે. શાહરૂખ ખાન પછી,…

Read More

એક્શન સિક્વન્સના શૂટ માટે દરરોજ ૫ કરોડનો ખર્ચ થયો.‘કિંગ’માં એક એક્શન સીન માટે ૫૦ કરોડનો ખર્ચ થયો.ફિલ્મમાં શાહરુખ ખાન અને સુહાના ખાન મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન અને રાની મુખર્જી પણ મહત્વનાં રોલમાં હશે.સિદ્ધાર્થ આનંદ હિન્દી સિનેમાના સૌથી મોટા એક્શન ડિરેક્ટર્સમાંના એક છે. ‘પઠાન’, ‘બેંગ બેંગ’, ‘વૉર’ અને ‘ફાઇટર’ જેવી મેગા હિટ ફિલ્મો માટે જાણીતા સિદ્ધાર્થ આનંદ હાલ શાહરુખ સાથે ‘કિંગ’ના શૂટિંગમાં વ્યસ્ત છે, જે ક્રિસમસ ૨૦૨૬ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન અને સુહાના ખાન મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન અને રાની મુખર્જી સહિતના કલાકારો પણ મહત્વનાં રોલમાં હશે.એવા અહેવાલો છે…

Read More