- વડોદરા મતદાનમાં ડિજિટલ વોટર કાર્ડ અમાન્ય, અનેક મતદારો વંચિત રહ્યા અને વિવાદ ઊભો થયો
- વર્લ્ડ બેંક ચેતવણી: 2050 સુધી શહેરોમાં ગરીબો પર ગરમીનો ખતરો 700% સુધી વધશે
- સાઈ સુદર્શનના 87 રનથી ગુજરાત ટાઈટન્સની ચેન્નાઈ પર 8 વિકેટથી ધમાકેદાર જીત
- કેદારનાથમાં 3 દિવસમાં 1 લાખથી વધુ ભક્તો, ભક્તિ અને વ્યવસ્થાનો નવો રેકોર્ડ
- અમિત શાહ પરિવાર સાથે મતદાન, જય શાહ પણ જોડાયા; ગુજરાતમાં ઉત્સાહભેર વોટિંગ
- અફવાઓથી પેનિક બાયિંગ, આંધ્રપ્રદેશમાં પેટ્રોલ-ડીઝલ અછત અને 50% માંગ ઉછાળો
- હૈદરાબાદ મેચમાં ઈજાગ્રસ્ત વૈભવ સૂર્યવંશી, રાજસ્થાન માટે ફિટનેસ ચિંતા
- હરભજન સહિત 7 સાંસદોને CRPF સુરક્ષા, પંજાબમાં Z+ હટતા વિવાદ વધ્યો
Author: Garvi Gujarat
બચત અને લક્ઝરી મુસાફરીનો નવો અધ્યાય શરૂ PM મોદી દિલ્હી મેરઠ નમો ભારતને આપશે લીલી ઝંડી ભારતની પ્રથમ સેમી-હાઈ-સ્પીડ પ્રાદેશિક રેલ સેવા ‘નમો ભારત‘ હવે તેના સંપૂર્ણ રૂટ પર દોડવા માટે તૈયાર છે. ભારતની પ્રથમ સેમી-હાઈ-સ્પીડ પ્રાદેશિક રેલ સેવા ‘નમો ભારત‘ હવે તેના સંપૂર્ણ રૂટ પર દોડવા માટે તૈયાર છે. રવિવારનો દિવસ દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશના રહેવાસીઓ માટે ઐતિહાસિક સાબિત થશે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોરના અંતિમ તબક્કાનું અને મેરઠ મેટ્રોનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ ૮૨.૧૫ કિલોમીટર લાંબો આખો કોરિડોર સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. તાજેતરમાં જ શુક્રવારે મેરઠના બેગમપુલથી દિલ્હીના સરાય કાલે ખાન વચ્ચે નમો…
ટ્રમ્પ ટેરિફ પર US સુપ્રીમ કોર્ટનો ર્નિણય ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ લઈને યોજાનારી બેઠક ટળી! ભારતના મુખ્ય વાટાઘાટકાર દર્પણ જૈનનો અમેરિકા પ્રવાસ પણ મુલતવી રાખવામાં આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા “રેસિપ્રોકલ ટેરિફ”ને અમેરિકી સુપ્રીમ કોર્ટે રદ કરી દીધા છે. આ ર્નિણયથી આંતરરાષ્ટ્રીય વેપાર જગતમાં અનિશ્ચિતતા વધી ગઈ છે. આ અસરને કારણે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પરની વાટાઘાટો મુલતવી રાખવામાં આવી છે. ભારતના મુખ્ય વાટાઘાટકાર દર્પણ જૈનનો અમેરિકા પ્રવાસ પણ મુલતવી રાખવામાં આવ્યો છે. તેઓ સોમવારે વોશિંગ્ટન પહોંચીને કાનૂની સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવાના હતા. વાણિજ્ય મંત્રાલયના સૂત્રો અનુસાર, બંને દેશોએ નક્કી કર્યું છે કે તાજેતરની ઘટનાઓ અને તેની…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા વિપુલ ગણેશવાલા અને તેમના સેટીંગબાજ પત્રકાર પરવાના વિરુધ્ધ એસીબી માં ફરિયાદ દાખલ થતાં રૂપિયા ચાર લાખ રોકડા લઈને નાસી છૂટેલા પરવાનાની સાથે-સાથે વિપુલ ગણેશવાલા પણ ભૂગર્ભમાં ઉતરી જવા પામ્યા છે. સદર ગણેશવાલા અંગે એમ કહેવાય છે કે એમની આગળ ફરજ બજાવી ગયેલા મહિલા કાર્યપાલક ઇજનેરે જે જે ગેરકાયદેસર બાંધકામોના ડીમોલિશન કરેલા એ બધા જ ગેરકાયદેસરના બાંધકામો વચેટીયાની ભૂમિકા ભજવનારા પત્રકાર ઈસ્માઈલ ઉર્ફે પરવાના ના સેટિંગ થી વિપુલ ગણેશવાલાએ ઉભા કરાવીને રોકડી કરવાનું પાપ કરી મકાન માલિકો પાસે લાંબી એવી રકમ પણ અંકે કરવાનું સંભળાઈ રહ્યું છે. એક…
આજે ભાવનગરના જવાહર મેદાન ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તેમજ પંજાબની આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ વીર માંધાતા કોળી સમાજ દ્વારા આયોજિત સામૂહિક લગ્ન પ્રસંગે હાજર રહ્યા હતા. વીર માંધાતા સંગઠનના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના નેશનલ જૉઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી અને યુવા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી તેમજ સમગ્ર વીર માંધાતા સંગઠને આ સામૂહિક લગ્ન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અરવિંદ કેજરીવાલજી, CM ભગવંત માન સાહેબ, રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજ સોલંકીની સાથે સાથે આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા અને ધારાસભ્ય…
આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવિણ રામ, પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને પ્રદેશ ફ્રન્ટલ મહામંત્રી સામત ગઢવીએ પત્રકાર પરિષદ દ્વારા મીડિયાને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવિણ રામે જણાવ્યું હતું કે ઇન્ડિયા–યુએસ ટ્રેડ મામલે આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ લેવલે લડી રહી છે અને તેના કારણે ખેડૂતોને થનારા સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને “પરિવર્તન લાવો, ખેડૂતો બચાવો” નામે એક મહા અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. આ મહા અભિયાન અંતર્ગત તેમજ ખેડૂતો ઉપર થયેલા દમન, ખોટા કેસો અને વર્તમાન કૃષિ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને રાજ્યવ્યાપી “પરિવર્તન લાવો, ખેડૂતો બચાવો” યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં આમ આદમી…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી ખૂબ જ ગંભીર મુદ્દા પર પોતાનો વિચાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજના ન્યુઝ પેપરમાં એક સમાચાર આવ્યા કે ભારતીય મૂળના નીલ કાત્યાલે અમેરિકામાં ટ્રમ્પ ટેરિફના નિર્ણયને પડકાર્યો. નીલ કાત્યાલે આ જે ટેરીફની અને ટ્રેડ ડીલના નિર્ણયોની વાતો ચાલી રહી છે તેને અમેરિકાના સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારબાદ અમેરિકાની સુપ્રીમ કોર્ટે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા વ્યાપક ટેરીફને ગેરબંધારણીય અને અન્યાયી ગણાવ્યો. તો અમેરિકા અને ભારત વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ છે અને એ સિવાય અમેરિકાએ બીજા દેશો પર જે ટેરિફ લગાવ્યો છે એ અન્યાયી અને ગેરબંધારણીય છે…
પ્રિયંકા અને પીકેની ગુપ્ત મુલાકાત : શું જન સૂરજ પાર્ટી કોંગ્રેસમાં ભળી જશે ? ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરે પ્રિયંકા ગાંધી સાથેની તેમની મુલાકાત અને જન સૂરજના કોંગ્રેસમાં વિલીનીકરણના અહેવાલો પર પોતાનું મૌન તોડ્યું છે. મીડિયા સાથે વાત કરતા , પીકેએ સોશિયલ મીડિયાના દાવાઓને ફગાવી દીધા પરંતુ પ્રિયંકા ગાંધીને મળ્યાનો સ્વીકાર કર્યો એસવીએન,ગોપાલગંજ શું જન સૂરજ કોંગ્રેસમાં ભળી જવાના છે ?પ્રશાંત કિશોરે ગોપાલગંજમાં આ પ્રશ્નનો સામનો કરવો પડ્યો. બિહારના રાજકારણમાં, ગઠબંધન વિના સત્તાનો માર્ગ મુશ્કેલ માનવામાં આવે છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં જન સૂરજને શૂન્ય બેઠકો મળ્યા બાદ, ચર્ચા તેજ થઈ ગઈ છે કે શું પ્રશાંત કિશોર હવે કોઈ મોટી…
ભ્રષ્ટાચાર સામે લાલ આંખ.દાહોદમાં દીવાલ કૌભાંડમાં મહિલા સરપંચ સસ્પેન્ડ.આર્થિક ગેરરીતિ મામલે જિલ્લા વિકાસ અધિકારી એ કડક વલણ અપનાવી મહિલા સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દીધા છે.દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતમાં સરકારી ગ્રાન્ટના દુરુપયોગ અને ભ્રષ્ટાચારનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. શાળાની કમ્પાઉન્ડ વોલ બનાવવાના નામે થયેલી આર્થિક ગેરરીતિ મામલે જિલ્લા વિકાસ અધિકારી એ કડક વલણ અપનાવી મહિલા સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દીધા છે. ફતેપુરાના કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતમાં વિકાસના કામો માટે આવેલી સરકારી ગ્રાન્ટમાં મોટાપાયે ગેરવહીવટ થયો હોવાની ફરિયાદો ઉઠી હતી. ખાસ કરીને ગામની શાળામાં કમ્પાઉન્ડ વોલ (કિનારી દીવાલ) બનાવવાના કામમાં લાખો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાનું તપાસમાં…
વહેલી સવારના અંધારાનો લાભ લઈ ચોરી.વસ્ત્રાલમાં સોનું-ચાંદી નહીં દૂધ ચોરના આતંકથી લોકો કંટાળ્યા.અમૂલ પાર્લરમાંથી અજાણ્યો શખસ અંદાજે ૧૦૦ લિટર દૂધની ચોરી કરી ફરાર થઈ જતાં વેપારીઓમાં રોષ જાેવા મળી રહ્યો છે.અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારે દૂધની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. વસ્ત્રાલની યુનાઈટેડ સ્કૂલ નજીક આવેલા એક અમૂલ પાર્લરમાંથી અજાણ્યો શખસ અંદાજે ૧૦૦ લિટર દૂધની ચોરી કરી ફરાર થઈ જતાં વેપારીઓમાં રોષ જાેવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, વસ્ત્રાલ યુનાઈટેડ સ્કૂલની આસપાસના વિસ્તારમાં અનેક દૂધની ડેરીઓ અને પાર્લર આવેલા છે. વહેલી સવારે જ્યારે દૂધની ગાડીઓ ડિલિવરી આપીને જાય…
૩૫ લાખ ભક્તો ઉમટવાની શક્યતા.ખાટૂશ્યામ લક્ખી ફાલ્ગુન મેળાનો પ્રારંભ થયો.મેળાની સુરક્ષા માટે ૪,૪૦૦ પોલીસકર્મીઓ અને ૧,૦૦૦ હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે સમગ્ર મેળા વિસ્તારને ૨૨ સેક્ટરોમાં વહેંચવામાં આવ્યો છે.રાજસ્થાનના સીકર જિલ્લામાં સ્થિત વિશ્વવિખ્યાત ખાટૂશ્યામ મંદિર ખાતે આજથી (શનિવાર) ફાલ્ગુન મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. ૨૧ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી સુધી ચાલનારા આ ૮ દિવસીય મેળામાં દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ બાબા શ્યામના દર્શને ઉમટી રહ્યા છે. રીંગસથી ખાટૂ સુધીનો આખો માર્ગ કેસરીયા ધજાઓ અને ભક્તિ સંગીતથી ગુંજી ઉઠ્યો છે. મેળાના આયોજન સાથે જાેડાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે મેળામાં આશરે ૨૮ થી ૩૫ લાખ શ્રદ્ધાળુઓ પહોંચે તેવી શક્યતા છે. ખાસ કરીને ૨૪ થી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



