Author: Garvi Gujarat

ઈરાનની આકરી ચેતવણી.યુદ્ધના ભણકારા: અમેરિકાનું લિંકન જહાજ ઈરાન સરહદે પહોંચતા તેહરાનમાં હાઈ એલર્ટ.ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડરે જણાવ્યું છે કે દેશમાં તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનો છતાં તેમની સેના સંપૂર્ણ સજ્જ છે અને તેમની “આંગળીઓ અત્યારે ટ્રિગર પર જ છે”.ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. અમેરિકાએ પોતાનું સૌથી શક્તિશાળી જંગી જહાજ ઈરાન સરહદ નજીક તૈનાત કરી દીધું છે, જેના જવાબમાં ઈરાને પણ યુદ્ધની ખુલ્લી ધમકી આપી છે.અમેરિકન નૌકાદળનું સૌથી વિધ્વંસક જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન હવે ઈરાનની સાવ નજીક પહોંચી ગયું છે. આ યુદ્ધ જહાજ માત્ર એક જહાજ નથી, પરંતુ સમુદ્ર પર ચાલતો-ફરતો એક અભેદ કિલ્લો છે.…

Read More

ઇન્ડસ્ટ્રીના લોકો તમને એવો અહેસાસ કરાવે છે કે તમે કશું નથી.બોલિવૂડના એક્ટર્સને લોકો અભણ માને છે : સુનિલ શેટ્ટી.સુનિલ શેટ્ટી દિકરા અહાન શેટ્ટીએ તડપ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું, જેમાં તેની સાથે તારા સુતારિયા હતી.જે લોકો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોને અભણ સમજે છે એવા લોકોનો સુનીલ શેટ્ટીએ ખુલ્લેઆમ ઉધડો લીધો છે. સુનિલ શેટ્ટીએ કહ્યું કે આજે પણ લોકો એવું માને છે કે બોલિવૂડના કલાકારોને કંઈ જ ખબર પડતી નથી. જે સંપૂર્ણપણે ખોટું છે. સાથે જ તેમણે ઉદ્યોગમાં નિષ્ફળતાને કેવી રીતે ઉજવવામાં આવે છે, તે મુદ્દે પણ વાત કરી હતી.તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં સુનીલ શેટ્ટીએ પોતાના પુત્ર અહાન શેટ્ટીની પહેલી ફિલ્મ બોક્સ…

Read More

ભૂમિ પેડનેકરે ‘ધ રોયલ્સ’ની નિષ્ફળતા અંગે વાત કરી.મને આઘાત લાગ્યો અને થયું કે હું એક્ટિંગ કરી શકીશ? : ભૂમિ.મારી અંદર એવા વાસ્તવિક અનુભવ જ નહોતા બચ્યા, જેનો હું મારી એક્ટિંગમાં ઉપયોગ કરી શક.મે ૨૦૨૫માં રિલીઝ થયેલી ભૂમિ પેડનેકર અને ઇશાન ખટ્ટરની સિરીઝ ધ રોયલ્સમાં પોતાના અભિનય માટે ભૂમિ પેડનેકરને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. તેની માનસિક સ્થિતિ પર એટલી ઉંડી અસર થઈ કે તેણે આ સિરીઝની નિષ્ફળતા પછી લાંબા સમયનો બ્રેક લેવો પડ્યો. લગભગ નવ મહિના સુધી ભૂમિ જાેવા મળી નહોતી. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ભૂમિએ જણાવ્યું કે આ આકરી ટીકા બાદ તે અંદરથી ભાંગી પડી હતી અને તેને આઘાત…

Read More

હૈદ્રાબાદના શોમાં જાહેરાત કરી.કોમેડિયન ઝાકિર ખાનનો ૨૦૩૦ સુધી લાઇવ શોમાંથી બ્રેક લેવાનો ર્નિણય.આ વખતે હું બહુ વધારે શહેરોમાં આવી શકીશ નહીં, એટલે કૃપા કરીને થોડી વધારે મહેનત કરીને શો જાેવા આવજાે.ઝાકિર ખાનનું નામ સ્ટેન્ડ અપ કોમેડીની દુનિયામાં અને સોશિયલ મીડિયા માટે અજાણ્યું નથી. ૨૦૧૨માં કોમેડી સેન્ટ્રલની ઇન્ડિયાઝ બેસ્ટ સ્ટેન્ડ અપ કોન્ટેસ્ટ જીત્યા બાદ પહેલી વખત ઝાકીર ખાનને મોટી ઓળખ મળી હતી. આજે તો તેની દરેક રીલ્સને મિલિયન્સમાં વ્યુઝ મળે છે અને તેના દરેક લાઇવ શો હાઉસફુલ જાય છે. કારકિર્દીના આ પડાવ પર હવે તેણે લાંબા બ્રેકની જાહેરાત કરતાં તેના ફૅન્સને આંચકો લાગ્યો છે. સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને હૈદરાબાદમાં થયેલા પોતાના…

Read More

૩૦ જાન્યુઆરીથી ધુરંધર ઓટીટી પર સ્ટ્રીમ થવાની ચચા.ધુરંધરની ૧૩૦ કરોડની ઐતિહાસિક ઓટીટી ડીલ.ધુરંધર ફિલ્મે દર્શકોના દિલ તો જીત્યા જ છે, જેમાં ઘણા લોકોએ થિયેટરમાં તેને વારંવાર જાેઈ છે.માર્ચમાં થિયેટર્સમાં રિલીઝ થનારી ધુરંધર ૨ની આતુરતાથી રાહ જાેતા ચાહકો પહેલી ફિલ્મ ઓટીટી પર આવે એની પણ આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. જેથી આ ફિલ્મ તેઓ વારંવાર જાેઈ શકે. હવે એવા અહેવાલ છે કે, આ મહિનામાં જ આદિત્ય ધરની બ્લોકબસ્ટર ફિલ્મ ધુરંધર ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.રિલીઝના માત્ર દોઢ મહિનામાં જ ધુરંધરે કમાણીના અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે. ફિલ્મે દર્શકોના દિલ તો જીત્યા જ છે, જેમાં ઘણા લોકોએ થિયેટરમાં તેને…

Read More

સોના-ચાંદીમાં થાક ખાતી તેજીઃ સોનાનો વાયદો રૂ.1272 અને ચાંદીનો વાયદો રૂ.10190 ગબડ્યોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.89 ઢીલો કોમોડિટી વાયદાઓમાં રૂ.96389.85 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.250535.62 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 82052.01 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 41400 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.346944.33 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.96389.85 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.250535.62 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 41400 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.7221.34 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 82052.01 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.151557ના…

Read More

મુસાફરોએ ૩ કલાક વહેલા પહોંચવું પડશે.૨૬ જાન્યુઆરીને પગલે અમદાવાદ એરપોર્ટ હાઈએલર્ટ પર મુકાયું.આવતા-જતા પેસેન્જરોનું સઘન ચેકિંગ : ફ્લાઈટમાં બેસતા પહેલાં પેસેન્જરના હેન્ડ લગેજનું બે-બે વખત ચેકિંગ કરાશે.૨૬ જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ ફરી એકવાર સતર્ક બની ગઈ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જી હા…સુરક્ષાના કારણોસર મુસાફરો માટે નવી એડવાઈઝરી જાહેર કરાઈ છે, જે આગામી ૩૧ જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા એટલી ચુસ્ત કરી દેવામાં આવી છે કે હવે પેસેન્જરોએ ફ્લાઈટમાં બેસતા પહેલા બે વખત સઘન ચેકિંગમાંથી પસાર થવું પડશે. ખાસ કરીને હેન્ડ લગેજનું બે-બે…

Read More

ગુજરાતમાં બ્લાઈન્ડિંગ લાઈટ્સ સામે સ્પેશિયલ ડ્રાઈવ.સાવધાન! કારમાં સફેદ ન્ઈડ્ઢ લાઈટ હશે તો હવે ખેર નથી.રાત્રે સામેવાળાની આંખો અંજાઈ જાય તેવી સફેદ લાઈટનો ત્રાસ શહેરના અનેક વિસ્તારોમાં જાેવા મળી રહ્યો છે.જાે તમે પણ તમારી કારની હેડલાઈટ્સ બદલાવીને તેમાં વ્હાઈટ લાઈટો નંખાવી છે, તો ચેતી જજાે. ગુજરાત વાહનવ્યવહાર વિભાગ હવે આવા વાહનચાલકો સામે લાલ આંખ કરી રહ્યું છે. ટ્રાફિક સુરક્ષાને ધ્યાને રાખીને રાજ્યભરમાં આવી ગેરકાયદે લાઈટો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવશે, જેમાં ભારે દંડ અને જેલ સુધીની સજાની જાેગવાઈ છે. જાગૃત નાગરિકોની વ્યાપક ફરિયાદો બાદ કમિશનર કચેરીએ તમામ ઇ્ર્ં ને આદેશ આપ્યા છે કે ગેરકાયદે મોડિફાઈડ લાઈટો ધરાવતા વાહનોને ડિટેઈન કરવા. વાહન…

Read More

પક્ષમાં તમામ સ્તરે યુવાનોને તક આપવાની કવાયત.નીતિન નબીનની ભાજપમાં મોટા ફેરફારોની જાહેરાત.નવી યોજના મુજબ ભાજપના યુવા પાંખના રાષ્ટ્રીય અધ્યક્ષની ઉંમર ૩૫ વર્ષ અથવા તેથી ઓછી રહેશે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને પક્ષમાં મોટા ફેરફારો કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેમણે ભાજપના કેટલાક હોદ્દા માટે વય મર્યાદા લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ૪૫ વર્ષના નીતિન નબીન ભાજપના અત્યાર સુધીના સૌથી યુવા પ્રમુખ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને ‘મિલેનિયલ નેતા’ તરીકે ઓળખાવ્યા છે. હવે નબીન ભાજપને યુવાનોની પાર્ટી બનાવવા માંગે છે. નવી યોજના મુજબ ભાજપના યુવા પાંખના રાષ્ટ્રીય અધ્યક્ષની ઉંમર ૩૫ વર્ષ અથવા તેથી ઓછી રહેશે. એ જ રીતે, રાજ્ય યુવા પાંખના…

Read More

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને લઈને અસર.શાહીબાગ અંડરબ્રિજ પાંચ દિવસ માટે બંધ કરાશે.કાલે ૨૩ જાન્યુઆરી રાત્રે ૮ વાગ્યાથી લઈને ૨૮ જાન્યુઆરી રાત્રે ૧૨ વાગ્યા સુધી આ બ્રિજના ત્રણેય પ્રવેશ અને બહાર જવાના માર્ગો બંધ રહેશે.અમદાવાદ શહેરમાં ટ્રાફિકથી સતત ધમધમતો શાહીબાગ રેલવે અંડરપાસ આગામી ૫ દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. શહેરમાં ચાલી રહેલા પ્રતિષ્ઠિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને ગતિ આપવા માટે આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. ટ્રાફિક વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, શાહીબાગ અંડરબ્રિજની ઉપરથી પસાર થતા બુલેટ ટ્રેનના ટ્રેક માટે સેગમેન્ટ લગાવવાની અને પાયલોટીંગની ગંભીર કામગીરી હાથ ધરવાની છે. સુરક્ષાના કારણોસર અને કામગીરીમાં…

Read More