Author: garvigujrat

ઘણી રાહ જાેવાયા બાદ ભણસાલીની ‘લવ એન્ડ વોર’ હવે ૨૧ જાન્યુઆરીએ રિલીઝ થશે આ પહેલા સંજય લીલા ભણસાલીએ ૨૦૨૨માં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ હવે એકસાથે મોટા પડદા પર તેમની રોમેન્ટિક એક્શન ફિલ્મ ‘લવ એન્ડ વોર’ સાથે જાેવા મળશે, જેનું ડિરેક્શન સંજય લીલા ભણસાલીએ કર્યું છે. આ ફિલ્મ અંગે લાંબા સમયથી ચર્ચાઓ હતી અને લાંબા સમયથી આ ફિલ્મની રાહ જાેવાતી હતી. બોલિવૂડના આ ત્રણેય સ્ટાર્સ ફિલ્મની જાહેરાત બાદથી જ ચર્ચામાં રહ્યાં છે. હવે સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ માટે સત્તાવાર રીતે રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે, ૨૧ જાન્યુઆરી, ૨૦૨૭ના દિવસે ફિલ્મ…

Read More

આયર્નમેન અને ડોક્ટર ડૂમ હવે ઠોર સાથે લડશે માર્વેલની ‘એવેન્જર્સ : ડૂમ્સડે’ ક્રિસમસ વેકેશનમાં જાેવા મળશે ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ ૧૮ ડિસેમ્બરે રિલીઝ થશે, એ જ દિવસે ‘ડ્યૂન’ સીરિઝના ત્રીજા ભાગ સાથે ટકરાશે માર્વેલની બહુ અપેક્ષિત ફિલ્મ ‘એવેન્જર્સ: ડૂમ્સડે’નું પહેલું ટ્રેલર લાસ વેગાસમાં ચાલી રહેલા સિનેમાકોન દરમિયાન પસંદગીના દર્શકો—થિયેટર ઓનર્સ અને મીડિયા—માટે રજૂ કરવામાં આવ્યું હતું.આ ફિલ્મ ડિસેમ્બર રિલીઝ માટે તૈયાર છે અને તેમાં રોબર્ટ ડાઉની જુનિયર ફરી માર્વેલ યુનિવર્સમાં કમબૅક કરે છે. પરંતુ આ વખતે તે આયર્ન મેન નહીં, પરંતુ વિલન ડોક્ટર ડૂમના પાત્રમાં જાેવા મળશે. ટ્રેલર ડૂમની એન્ટ્રી અને ઓરિજિનલ એવેન્જર્સની વાપસીનો સંકેત આપે છે.સિનેમાકોનમાં રોબર્ટ ડાઉની જુનિયર અને ક્રિસ…

Read More

શ્રીલીલાએ કહ્યું કે ઇચ્છાશક્તિ અને ધીરજથી બધું જ શક્ય છે શ્રીલીલાએ વ્યસ્ત અભિનેત્રી હોવા છતાં એમબીબીએસ પૂર્ણ કરવા અંગે ખુલાસો કર્યાે તાજેતરમાં શ્રીલીલાએ પોલિટિકલ ડ્રામા ફિલ્મ પરાસક્તિ સાથે તમિલ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું, જેમાં તેણે તેલુગુ બોલતી કોલેજ છોકરીનું પાત્ર ભજવ્યું તાજેતરમાં શ્રીલીલાએ પોતાના નામ સાથે એક નવી ઓળખ ઉમેરેલી છે. તે એક લોકપ્રિય અભિનેત્રી છે, જેણે તેલુગુ સિનેમાના મોટા કલાકારો સાથે કામ કર્યું છે, તેણે તાજેતરમાં એમબીબીએસ ડિગ્રી પણ મેળવી છે. મેડિકલ અભ્યાસ અને ફિલ્મ કારકિર્દી વચ્ચે સંતુલન જાળવવું સહેલું નહોતું. આ લક્ષ્ય સુધી પહોંચવા માટે તેણે વર્ષાે સુધી પુસ્તકો અને ફિલ્મ સેટ વચ્ચે સંતુલન જાળવ્યું હતું.તાજેતરમાં એક પોડકાસ્ટમાં વાતચીતમાં,…

Read More

હંસિકા મોટવાણીએ ડિવોર્સના મહિના પછી કહ્યું, “ખોટી ટ્રેનમાં બેઠાં હો તો ઉતરી જવું સારું” હંસિકા અને સોહેલ ખાતુરિયાએ ડિસેમ્બર ૨૦૨૨માં જયપુરના મુન્ડોટા ફોર્ટ એન્ડ પેલેસમાં ભવ્ય લગ્ન કર્યા હતા સોહેલ ખાતુરિયા સાથેના ડિવોર્સનાં એક મહિના પછી હંસિકા મોટવાણીએ આ મુશ્કેલ સમય વિશે વાત કરી છે. તેણે જણાવ્યું કે હવે તે વધુ સારી સ્થિતિમાં છે, પરંતુ ડિવોર્સની વિગતો ખાનગી જ રાખશે.મુંબઈના બાંદ્રાની ફેમિલી કોર્ટ દ્વારા ૧૧ માર્ચે બંનેને પરસ્પર સંમતિથી ડિવોર્સ આપવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને ઘણી ચર્ચા થઈ હતી, છતાં હંસિકાએ તેની વિગત જાહેરમાં શેર ન કરવાનું પસંદ કર્યું છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું, “લોકોને ક્લિકબેટ જાેઈતું હતું, તેમને…

Read More

રાજકોટમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત આકરા તાપ અને લૂ ને પગલે શહેરમાં લોકડાઉન જેવી સ્થિતિ બપોરે તાપમાનનો પારો સડસડાટ ઉંચકાયો હતો. આકરા તાપ અને લૂ ને પગલે જનજીવન પ્રભાવિત થયું છે શહેરમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે એપ્રિલ મહિનો ફરી ગરમ મહિનો બન્યો હોય તેમ એક દિવસની રાહત પછી ફરી સુર્યનારાયણ કાળઝાળ બન્યા છે.ગઈકાલે જુનાગઢ અને રાજકોટમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રીને આંબી જતા શહેરીજનો ગરમીથી ત્રસ્ત બન્યા હતા.બપોરે ગરમાગરમ લુથી જનજીવન પ્રભાવીત થયું છે.ગઈકાલે સવારે રાજકોટ, વેરાવળ, પોરબંદર, દીવ, કંડલા સહિતના શહેરોમાં ભેજનું પ્રમાણ વધતા આ વિસ્તારમાં ઠંડકનો અહેસાસ થયો હતો.જાે કે, બપોરે તાપમાનનો પારો સડસડાટ ઉંચકાયો હતો. આકરા તાપ…

Read More

હાઈકોર્ટે અપીલ ફગાવી અમદાવાદમાં ૫૦૦ કરોડની જમીન પર બનેલો આસારામનો આશ્રમ ગમે ત્યારે તૂટશે વારંવાર નિયમોના ભંગ બદલ ગુજરાત હાઈકોર્ટ આસારામ આશ્રમ પર લાલઘુમ થઈ અને રાહત આપવાનો ઈનકાર કર્યો અમદાવાદમાં આસારામ આશ્રમ તોડવાનો માર્ગ મોકળો બની ગયો છે. ગુજરાત હાઈકોર્ટની ડબલ બેન્ચ દ્વારા આસારામ આશ્રમની અપીલ ફગાવી દેવાઈ છે. હાઈકોર્ટના સિંગલ જજનો આદેશ યથાવત રાખવામાં આવ્યો છે. હવે ગમે તે ઘડીએ આસારામ આશ્રમ તોડી પાડવામાં આવશે. નવી નોટિસ આપી સરકાર આસારામ આશ્રમની જમીન પરત મેળવશે. તેમજ કલમ ૨૦૨ હેઠળ નોટિસ આપી આશ્રમનો કબજાે લેવાશે. અમદાવાદ સ્થિત મોઢેરામાં આવેલ આસારામ આશ્રમનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો. આસારામઆશ્રમની જમીન પાછી લેવા…

Read More

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ્યો પત્નીનું અફેર હોવાથી પતિ આત્મહત્યા કરે એ ઉશ્કેરણી ન માની શકાય છત્તીસગઢ હાઈકોર્ટના જૂના આદેશને રદબાતલ ઠેરવ્યો સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જાે કોઈ વ્યક્તિ પોતાના જીવનસાથીના ગેરકાયદે સંબંધો (એક્સ્ટ્રા મેરિટલ અફેર)થી પરેશાન થઈને આત્મહત્યા કરે છે, તો માત્ર આ સંબંધોના આધારે પાર્ટનર પર આત્મહત્યા માટે ઉકસાવવાનો(દુષ્પ્રેરણ) કેસ ચલાવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ અતુલ ચંદુરકરની બેન્ચે આ મામલે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, આત્મહત્યા માટે ઉકસાવવાનો ગુનો(કલમ ૩૦૬) ત્યારે જ ગણાય જ્યારે આરોપીએ કોઈ એવું સક્રિય કામ કર્યું હોય જેનાથી વ્યક્તિ મરવા…

Read More

હોસ્પિટલના બેડ પર સૂતા-સૂતા કર્યો અભ્યાસ કેન્સરની સામે લડી આરવે ધો.૧૦માં ૯૬.૬% મેળવ્યા આરવે હાર ન માની, જ્યારે તે હોસ્પિટલમાં દાખલ હતો, ત્યારે પણ તે મોબાઈલ દ્વારા ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરતો હતો કહેવાય છે કે કદમ ડગમગતા હોય તેને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી આ ઉક્તિને સાર્થક કરી છે દિલ્હીના આરવ વત્સે. કારણ કે જે ઉંમરમાં બાળકો મિત્રો સાથે રમવામાં મશગૂલ હોય છે, તે ઉંમરે આરવ કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યો હતો. પરંતુ આ જંગની વચ્ચે પણ તેણે પોતાનો અભ્યાસ ચાલું રાખ્યો. હવે આરવનું પરિણામ જાેઈને પરિવારજનો સહિત સગા-સંબંધીઓ અને શિક્ષકો…

Read More

લોકસભામાં રાહુલ ગાંધીનું સંબોધન આ મહિલાઓ માટેનો કાયદો નથી, ભારતનો ચૂંટણી નકશો બદલવાનું કાવતરું આ મહિલાઓ માટેનો કાયદો નથી, ભારતનો ચૂંટણી નકશો બદલવાનું કાવતરું સંસદના વિશેષ સત્રમાં સરકારે મહિલા અનામત (૧૩૧મો બંધારણીય સુધારો) અને સીમાંકન (Delimitation) બિલ રજૂ કર્યું હતું મતદાન પહેલા લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં સંબોધન કર્યું હતું. ભાષણની શરૂઆતમાં જ જ્યારે સ્પીકરે તેમના હાથમાં લાગેલી ઈજા વિશે પૂછ્યું, ત્યારે તેમણે સ્મિત સાથે જવાબ આપ્યો કે, સર, અંગૂઠામાં ઈજા થઈ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રીય પરિદ્રશ્યમાં મહિલાઓ એક સેન્ટ્રલ ફોર્સ છે. આપણા સૌના જીવનમાં માતા અને બહેન તરીકે મહિલાઓનું સ્થાન અત્યંત મહત્વનું છે. પોતાની બહેન પ્રિયંકા…

Read More

પ.બંગાળમાં ટ્રિબ્યુનલે બે દિવસ પહેલાં મંજૂર રાખેલા મતદારો પણ મત આપી શકશે: સુપ્રીમ કોર્ટ ૨૩ અને ૨૯ એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે અનુક્રમે ૨૧ અને ૨૭ એપ્રિલે નામ મંજૂર થયા હોય તેવા લોકો પણ મત આપી શકશે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મતાધિકાર સંદર્ભે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. એપલેટ ટ્રિબ્યુનલે ચૂંટણીના બે દિવસ પહેલા પણ મતદાર યાદીમાં સમાવેશ માટે મંજૂર રાખ્યા હોય તેવા મતદારો મત આપી શકશે. પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. ૨૩ અને ૨૯ એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે અનુક્રમે ૨૧ અને ૨૭ એપ્રિલે નામ મંજૂર થયા હોય તેવા લોકો પણ મત આપી શકશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા…

Read More