
- સુરતના સચિન GIDCમાં હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં ભીષણ આગ, ફાયર વિભાગ દ્વારા કાબૂ માટે જહેમત
- ગુલાબી કેરીની ખેતી પર વાવાઝોડા અને માવઠાનો પ્રભાવ, ભાવ વધ્યા ૧૦૦૦–૧૭૦૦ રૂપિયા
- ઈરાન-યુએઈ સંઘર્ષ: હોર્મુઝ જળમાર્ગ પર યુદ્ધની તૈયારી અને યુએઈ સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ લાવશે
- હિમાચલમાં પક્ષપલટા પર રોક: પેન્શનવાળો લાભ બંધ કરતો બિલ રજૂ
- ચંડીગઢમાં ભાજપ કાર્યાલય બહાર સ્કૂટીમાં બ્લાસ્ટ, કોઈ ઘાયલતા નહીં, પોલીસ તપાસ શરૂ
- ગુજરાતમાં ૨-૪ એપ્રિલ સુધી કમોસમી વરસાદ અને થંડરસ્ટોર્મની આગાહી
- “ATF ભાવ ડબલ: હવાઈ મુસાફરી મોંઘી, સરકાર કહ્યુ—નિયંત્રણ બહાર”
- અમેરીકા ઈરાન સંઘર્ષ બાદ NATO સંબંધો પર પુનર્વિચાર કરશે: વિદેશ મંત્રી
Author: Garvi Gujarat
વાંચનની ટેવ પાડવાનો, સ્ક્રીન ટાઇમમાં ઘટાડો કરવાનો ઉદ્દેશ.UP ની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે વર્તમાનપત્રનું વાંચન ફરજિયાત.જુનિયર વિદ્યાર્થીઓમાં ન્યૂઝ કટીંગનો ઉપયોગ કરી સ્ક્રેપબુક બનાવવાને પ્રોત્સાહન આપવા માટે પણ સ્કૂલોને સૂચના અપાઈ.સ્કૂલોમાં બાળકોમાં વાંચનની ટેવ પાડવા તથા મોબાઇલ અને સ્ક્રીન ટાઇમમાં ઘટાડો કરવા ઉત્તરપ્રદેશની યોગી સરકારે એક અનોખી પહેલ કરી છે. સરકારે રાજ્યની તમામ માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે વર્તમાનપત્રનું વાંચન ફરજિયાત બનાવ્યું છે. સરકારની માર્ગદર્શિકા મુજબ વિદ્યાર્થીઓએ હવે દૈનિક પ્રવૃત્તિ તરીકે અખબાર વાંચવું પડશે. બાળકોમાં તાર્કિક અને વિવેચનાત્મક વિચારસરણીને મજબૂત બનાવવાનો પણ સરકારનો ઉદ્દેશ છે.રાજ્યના અધિક મુખ્ય સચિવ (માધ્યમિક અને મૂળભૂત પ્રાથમિક શિક્ષણ) પાર્થ સારથી સેન શર્માએ ૨૩ ડિસેમ્બરે આ આદેશ…
માર્યા ગયેલા આતંકવાદીઓને નાતાલની શુભેચ્છાઓ: ડોનાલ્ડ ટ્રમ્પ.US ની નાઈજિરિયામાં ISIS ના બે અડ્ડાઓ પર એરસ્ટ્રાઇક.નાઈજીરિયામાં જાન્યુઆરીથી ૧૦મી ઓગસ્ટ-૨૦૨૫ સુધીમાં ધાર્મિક હિંસાને કારણે ૭૦૦૦થી વધુ ખ્રિસ્તીઓની હત્યા કરવામાં આવી.અમેરિકાએ ગુરુવારની રાત્રે નાઈજીરિયામાં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના બે સ્થળો પર એરસ્ટ્રાઇક કરી છે. આ માહિતી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આપી છે. ટ્રમ્પનો આક્ષેપ છે કે, અહીં આઈએસઆઈએસ ખ્રિસ્તીઓને ટાર્ગેટ બનાવીને ક્રૂર હત્યા કરી રહ્યું છેરાષ્ટ્રપતિ ટ્રમ્પે આતંકવાદીઓને ‘આતંકી કચરો’ ગણાવીને લખ્યું કે, આ સંગઠન લાંબા સમયથી નિર્દાેષ ખ્રિસ્તીઓની હત્યા કરી રહ્યું છે. આ ઓપરેશનમાં અમેરિકાના સૈન્યે કેટલીક પરફેક્ટ એરસ્ટ્રાઇક કરી છે. આ સાથે ટ્રમ્પે એ બાબત પણ સ્પષ્ટ કરી છે…
ઈન્ડિયન ટેક્ટોનિક પ્લેટ તૂટી રહી હોવાથી.હિમાલયન-તિબેટ રેન્જમાં ભયાનક ભૂકંપનો ખતરો.તિબેટની નીચે ભારતીય પ્લેટનો ગાઢ નીચલો હિસ્સો ઉપરના ભાગથી જુદો પડી રહ્યો હોવાથી પૃથ્વીના પેટાળમાં સંતુલન ખોરવાયું.ભારતની ટેક્ટોનિક પ્લેટમાં ભેદી હિલચાલ થઈ રહી છે. પૃથ્વીનો ઉપરનો હિસ્સો ટેક્ટોનિક પ્લેટ કહેવાય છે. એ મેગ્મા નામના પદાર્થ પર તરે છે. મેગ્મા એવા પદાર્થને કહેવાય છે કે જે ખનીજ, ગેસ વગેરેથી બને છે અને તે મજબૂત મિશ્રણ હોય છે. જાે કોઈ સ્થળે એનો ભરાવો થાય તો એ લાવાના રૂપમાં બહાર નીકળે છે. એ પદાર્થ મેગ્મા પર ગાઢ ટેક્ટોનિક પ્લેટ હોય છે અને તેમાં જાે હિલચાલ થાય તો ભૂકંપ આવે છે. સામાન્ય રીતે ટેક્ટોનિક પ્લેટનું…
પથ્થરમારો થતાં કાર્યક્રમ અધવચ્ચે રદ.બાંગ્લાદેશમાં રોકસ્ટાર જેમ્સની કોન્સર્ટમાં ટોળાનો હુમલો.તાજેતરના સમયમાં, બાંગ્લાદેશના રસ્તાઓ પર કટ્ટરપંથી અને ઉગ્રવાદી ઇસ્લામિક ટોળાઓનું વર્ચસ્વ વધી રહ્યું છે.બાંગ્લાદેશમાં કલાકારો, પર્ફાેર્મર્સ અને સાંસ્કૃતિક સંસ્થાઓ પર કટ્ટરપંથી હુમલાઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરની ઘટના ઢાકાથી લગભગ ૧૨૦ કિલોમીટર દૂર આવેલા ફરીદપુરની છે, જ્યાં લોકપ્રિય ગાયક જેમ્સનો કોન્સર્ટ હિંસા અને પથ્થરમારાને કારણે રદ કરવો પડ્યો હતો.કોન્સર્ટ શરૂ થાય તે પહેલાં જ હુમલોસ્થાનિક અહેવાલો અનુસાર, આ કાર્યક્રમ શુક્રવારે રાત્રે ૯ વાગ્યે એક શાળાની વર્ષગાંઠ નિમિત્તે યોજાવાનો હતો. પરંતુ તે શરૂ થાય તે પહેલાં જ, બહારથી આવેલા એક જૂથે બળજબરીથી સ્થળમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યાે અને ભીડ પર પથ્થરમારો…
અક્ષય ખન્નાના રોલમાં જયદીપની એન્ટ્રીની ચર્ચા.ફિલ્મ ‘દૃશ્યમ ૩’માં અભિનેતા જયદીપ આહલાવતની એન્ટ્રી.પહેલી વખત જયદીપ આહલાવત અજય દેવગન અને તબુ જેવા કલાકારો સાથે કામ કરતો જાેવા મળશે.અજય દેવગનની અતિ લોકપ્રિય ફિલ્મ દૃશ્યમ ૩ની રિલીઝ ડેટની જાહેરાત કરતાં વધુ ચર્ચા આ ફિલ્મ અક્ષય ખન્નાએ છોડી તે મુદ્દે થઈ રહી છે. એવા અહેવાલો છે કે અક્ષય ખન્નાએ છાવામાં ઔરંગઝેબના રોલ અને પછી ધુરંધરમાં કરેલાં રહેમાન ડકૈતના પાત્રને મળેલી સફળતા પછી દૃષ્યમમાં પોલિસ ઇન્સ્પેક્ટરના રોલ માટે મેકર્સ પાસે બે મહત્વની માંગણી કરી હતી. તેણે પહેલાં તો આ ફિલ્મ માટે ૨૦ કરોડ જેવી ફી માગી, જેનાથી ફિલ્મનું બજેટ વધી જાય તેમ નહોતું. બીજું તેણે આ…
લાલો: કૃષ્ણ સદા સહાયતેએ થિએટરમાં ૭૫ દિવસ પૂરા કર્યા.લાલો સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ બની ગઈ છે : ગુજરાતમાં આ ફિલ્મ કમાણીમાં માત્ર પુષ્પા ૨થી જ પાછળ રહી છે.‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ ઐતિહાસિક રીતે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ કમાણીમાં પુષ્પા ૨થી પાછળ રહી છે, પરંતુ તેને પુશ્પા કરતાં વધુ લોકોએ જાેઈ હોવાના શક્યતા છે.લાલોએ થિએટરમાં ૭૫ દિવસ પૂરાં કરી નાખ્યા છે અને હજુ પણ દરરોજ લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. આ ફિલ્મે રિલીઝના અગિયારમા અઠવાડિયે પણ પહેલાં પાંચ દિવસમાં જ ૯૦ લાખની કમાણી કરી છે. આ અઠવાડિયાના અંત સુધીમાં ફિલ્મ ૧ કરોડ|ની…
તાજેતરમાં નવાઝુદ્દીનની ‘રાત અકેલી હૈ: ધ બંસલ મર્ડર કેસ’ આવી છે.તાજેતરમાં નવાઝુદ્દીનની ‘રાત અકેલી હૈ: ધ બંસલ મર્ડર કેસ’ આવી છે.નવાઝુદ્દીન સિદ્દિકી એક એવો કલાકાર છે, જેણે ક્યારેય ઇન્ડસ્ટ્રીના ટ્રેન્ડને આંખ બંધ કરીને માની લીધા નથી.નવાઝુદ્દીન સિદ્દિકી એક એવો કલાકાર છે, જેણે ક્યારેય ઇન્ડસ્ટ્રીના ટ્રેન્ડને આંખ બંધ કરીને માની લીધા નથી. પછી તેના રોલ સાથે પ્રયોગ કરવાની વાત હોય, ઓન્ટ્રાજના નામે વધતી ટીમની સંખ્યા હોય કે પછી ફ્રેન્ચાઈઝી આધારીત ફિલ્મ બનાવવા પર વધી રહેલી ફિલ્મ મેકર્સની સંપુર્ણ આધારીત થઈ જવાની વિચારસરણી, નવાઝુદ્દીન દરેક વિષય પર ખુલીને વાત કરે છે. તાજેતરમાં જ તેણે સેટ પર વધી રહેલા સ્ટાર્સના ઓન્ટ્રાજ વિશે વાત…
૧૩ ફેબ્રુઆરીએ થનારી રિલીઝ ૧૦૦૦ કરોડની કમાણીને પાર કરી શકે છે.રણબીર કપૂરની એનિમલ જાપાનમાં રિલીઝ થશેએનિમલ ડિસેમ્બર ૨૦૨૩માં ભારતમાં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ હિટ રહી હતી.રણબીર કપૂર અને સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’ ફરી થિએટરમાં રિલીઝ થઈ રહી છે અને એ પણ એક નવા માર્કેટમાં, ભારતમાં ફિલ્મ રિલીઝ થઈ એના બે વર્ષ પછી ૧૩ ફેબ્રુઆરીએ હવે જાપાનમાં ‘એનિમલ’ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના પ્રોડક્શન હાઉસ ભદ્રકાલી ફિલ્મ્સે જાપાનમાં રિલીઝ કરવા માટે ફિલ્મનું એક ખાસ પોસ્ટર ડિઝાઇન કર્યું છે, જે એક્સ પર શેર કરવામાં આવ્યું હતું. જેમાં રણબીર કપૂર તેના ઇન્ટેન્સ રનવિજય સિંઘ અવતારમાં જાેવા મળે છે. તેને…
સિંહ, દીપડા અને વાઘ ધરાવતું એકમાત્ર રાજ્ય.૩૩ વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર ટાઈગર સ્ટેટ બન્યું.અત્યાર સુધી ગુજરાત માત્ર એશિયાટિક સિંહો માટે જાણીતું હતું, પરંતુ હવે વાઘની હાજરીએ વન્યજીવ વૈવિધ્યમાં વધારો કર્યો છે.ગુજરાતના વન્યજીવ પ્રેમીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબી રાહ જાેયા બાદ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા ગુજરાતને અધિકૃત રીતે ‘ટાઈગર સ્ટેટ’નો દરજ્જાે આપવામાં આવ્યો છે. જી હા…આ સાથે જ ગુજરાત ભારતના વન્યજીવ નકશા પર એક અનોખું સ્થાન ધરાવતું રાજ્ય બની ગયું છે. આ જાહેરાત સાથે ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય બન્યું છે જ્યાં કુદરતી નિવાસ સ્થાનમાં સિંહ, દીપડો અને વાઘ ત્રણેય પ્રજાતિઓ એકસાથે અસ્તિત્વ ધરાવે…
કોર્ટનો આદેશ – વીમા કંપનીએ વળતર ચૂકવવું પડશે.ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થયા પછી પણ ૩૦ દિવસ માન્ય.પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સની માન્યતા તેની સમાપ્તિ તારીખ પછી સમાપ્ત થતી નથી.પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ર્નિણયમાં સ્પષ્ટતા કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સની માન્યતા તેની સમાપ્તિ તારીખ પછી સમાપ્ત થતી નથી. મોટર વાહન કાયદા હેઠળ લાયસન્સની સમાપ્તિ પછી પણ ૩૦ દિવસનો વૈધાનિક ગ્રેસ પીરિયડ આપવામાં આવે છે, જે દરમિયાન લાઇસન્સ માન્ય રહે છે. જાે આ સમયગાળા દરમિયાન કોઈ અકસ્માત થાય છે, તો વીમા કંપની ફક્ત એટલા માટે વળતરનો ઇનકાર કરી શકતી નથી કે લાયસન્સની સમાપ્તિ થઈ ગઈ છે.…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



