
- Shruti Haasanનો પિંક સાડી લુક વાયરલ, ‘Call Me Bae’ વેબ સિરીઝમાં Ananya Panday સાથે જોવા મળશે
- Kiara Royનો બોલિવુડ ડેબ્યૂ: Subhan Nadiadwala સાથે ‘ઐસી દિવાનગી’, નામ બદલવાની ચર્ચા
- Yo Yo Honey Singhના ગીતો વિવાદમાં: મુંબઈ શો બાદ પોલીસ ફરિયાદ, અશ્લીલ શબ્દો પર ઉઠ્યો વિરોધ
- આવારાપન ૨માં Emraan Hashmi અને Disha Patani સાથે સ્વતંત્રતા દિવસ ૨૦૨૬ રિલીઝ
- અમદાવાદમાં ભાજપના ૪૦+ કોર્પોરેટરોની ટિકિટ કાપી શકે, વય મર્યાદા-ત્રણ ટર્મ-ગેરશિસ્તના નિયમો લાગુ
- ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીને કારણે ૫ એપ્રિલથી વસ્તી ગણતરી મોકૂફ, નવી તારીખ બાદમાં જાહેર
- હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ભારતનું સશક્ત વલણ, નાવિકોના જીવનના નુકસાન પર ભાર
- India Meteorological Department ચેતવણી: ૧૦૦૦ કિ.મી. વાદળોથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ અને કરાની આગાહી
Author: Garvi Gujarat
અમિત ચાવડાના સરકાર પર આકરા પ્રહાર.ખેડૂતોને ૩૫૦૦ રૂપિયાનું પડીકું અને શિબિર પર લાખોનો ખર્ચચિંતન શિબિરના નામે નાટક થાય છે, એક એક થાળીની કિંમત ત્રણ હજાર, એક એક વ્યક્તિ પાછળ લાખો રૂપિયાનો ખચકોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તાજેતરમાં યોજાયેલી ચિંતન શિબિરના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ચાવડાએ સરકારની આ શિબિરને નાટક ગણાવીને તેના ખર્ચ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને સરકારને ખેડૂતોની ચિંતા કરવા માટે અપીલ કરી છે. અમિત ચાવડાએ પોતાના નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સરકાર દ્વારા યોજાતી આ ચિંતન શિબિરના નામે માત્ર નાટક થાય છે. તેમણે શિબિરના ખર્ચ અંગે ચોંકાવનારા આંકડાઓ રજૂ કરતાં જણાવ્યું હતું કે, એક-એક…
દ.આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાનો વિશ્વ રેકોર્ડ.બાવુમા પ્રથમ ૧૨ ટેસ્ટ પછી સૌથી વધુ જીત મેળવનાર કેપ્ટન બની ગયો.ટેમ્બા બાવુમાએ એક એવો રેકોર્ડ બનાવ્યો જે ટેસ્ટ ક્રિકેટના ૧૪૮ વર્ષના ઇતિહાસમાં કોઈ હાંસલ કરી શક્યું ન હતું.ટેમ્બા બાવુમાના નેતૃત્વ હેઠળ દક્ષિણ આફ્રિકાએ ગુવાહાટીમાં શ્રેણીની બીજી મેચમાં ભારતને ૪૦૮ રનથી હરાવીને ઇતિહાસ રચ્યો. રનની દ્રષ્ટિએ આ ભારતનો સૌથી મોટો ટેસ્ટ પરાજય છે. ભારતીય ટીમે તેના ટેસ્ટ ઈતિહાસમાં ત્રીજી વખત ઘરઆંગણે ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકા છેલ્લા ૨૫ વર્ષથી ભારતમાં સીરિઝ જીતની રાહ જાેઈ રહ્યું હતું અને આફ્રિકન ટીમે તે રાહ પૂરી કરી છે. ગુવાહાટી ટેસ્ટમાં વિજય સાથે કેપ્ટન ટેમ્બા બાવુમાએ એક…
મેડિકલ કોલેજ લાંચકાંડમાં ED ના દરોડાગુજરાત સહિત ૧૦ રાજ્યોમાં ૧૫ સ્થળોએ ઈડીની કાર્યવાહી.મેડિકલ શિક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છ.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે મેડિકલ કોલેજાે અને સરકારી અધિકારીઓ સાથે સંકળાયેલા એક મોટા લાંચકાંડના સંબંધમાં દેશવ્યાપી કાર્યવાહી હાથ ધરી છે. ED ની ટીમોએ ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ અને દિલ્હી એમ કુલ ૧૦ રાજ્યોમાં ૧૫ સ્થળોએ દરોડા પાડ્યા છે, જેના કારણે મેડિકલ શિક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ED ની આ કાર્યવાહી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ૩૦ જૂન, ૨૦૨૫ના રોજ દાખલ કરવામાં આવેલી એફઆઈઆર (FIR) પર આધારિત છે. આ FIR માં…
SIR નો વિરોધ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટનો સવાલ.આધાર કાર્ડના આધારે ઘૂસણખોરોને પણ નાગરિકતા આપી દઈએ? CJI સૂર્યકાંત અને જસ્ટિસ બાગચીની બેન્ચ દ્વારા સુનાવણીસુપ્રીમ કોર્ટે SIR પરની સુનાવણી દરમિયાન એક મહત્ત્વનો સવાલ ઉઠાવ્યો કે, શું ઘૂસણખોર વ્યક્તિને માત્ર આધાર કાર્ડના આધારે મત આપવાનો અધિકાર આપી શકાય? કોર્ટે સ્પષ્ટ કર્યું કે આધાર કાર્ડ કાયદેસર દસ્તાવેજ છે, જે ખાસ કાયદા હેઠળ સરકારી સુવિધાઓ (જેમ કે સબસિડીવાળું રાશન) માટે અપાય છે પરંતુ શું તેનાથી મતદાર બનાવવાનો હક મળે? CJI જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે. બાગચીની બેન્ચે ૨૬ નવેમ્બરના રોજ SIR ની બંધારણીય માન્યતા પર સુનાવણી કરી. આ અરજી પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુ…
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન.અમે બધા સંબંધિત નેતાઓને બોલાવીને ચર્ચા-વિચારણા કરીશું.કર્ણાટકમાં મુખ્યમંત્રી પદને લઈને બેંગલુરુથી દિલ્હી સુધી જે રાજકીય ગરમાગરમી હાલમાં ચાલી રહી છે.કર્ણાટકમાં સત્તા પરિવર્તનની માંગ જાેર પકડી ચૂકી છે. ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના જૂથે અઢી-અઢી વર્ષના ફોર્મ્યુલા સાથે બેંગલુરુથી દિલ્હી સુધી મોરચો ખોલી દીધો છે. આ જૂથના નેતાઓ અને ધારાસભ્યો દિલ્હીમાં ધામા નાખીને કોંગ્રેસ નેતૃત્વ પર ર્નિણય લેવા દબાણ વધારી રહ્યા છે. બીજી તરફ સીએમ સિદ્ધારમૈયા પણ ખુરશી બચાવવા માટે એક્ટિવ મોડમાં આવી ગયા છે અને તેમણે લોબિંગ શરૂ કર્યું છે. ગુરુવારે, સીએમએ તેમના નજીકના નેતાઓ, જેમાં ગૃહમંત્રી જી. પરમેશ્વરા અને સતીશ જરકીહોલી સામેલ હતા, તેમની સાથે બેઠક…
પશ્ચિમ બંગાળની તૈયારીઓમાં લાગ્યો ભાજપ.બિહારમાં પ્રચંડ જીત બાદ હવે બંગાળનો વારો! ભાજપનો નવો નારો જહાં કમ વહાં હમ.બિહારમાં પ્રચંડ જીત બાદ હવે ભાજપની નજર પશ્ચિમ બંગાળ પર છે અને તેના માટે રણનીતિ તૈયાર થઈ રહી છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના ચાણક્ય તરીકે ઓળખાય છે. તેની પાછળ તેમની રાજનીતિક સમજ અને કૂટનીતિ છે. તેઓ પોતાની રાજનીતિક સમજથી સતત પાર્ટીને વધુ આગળ લઈ જઈ રહ્યા છે. બિહારમાં હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં બંપર જીત બાદ હવે ભાજપની નજર પશ્ચિમ બંગાળ પર છે. બંગાળમાં પણ મોટું પરિવર્તન કરવા માટે પાર્ટી દિવસ રાત મહેનત કરી રહી છે. પાર્ટીન ચાણક્ય અમિત શાહે ભાજપ અધ્યક્ષ જે પી…
સુપ્રીમ કોર્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યો.OTT પ્લેટફોર્મ ઉપર વાંધાજનક કન્ટેન્ટને લઈને સુનાવણી હાથ ધરાઈ.સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર અશ્લીલ કન્ટેન્ટના નિયમો અંગે સરકારને ૪ અઠવાડિયામાં જવાબ આપવા માટે કહ્યું હતું.સુપ્રીમ કોર્ટે આજે સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર વાંધાજનક કન્ટેન્ટને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં જવાબ આપવા માટે કહ્યું છે. સુનાવણી દરમિયાન, આવા કન્ટેન્ટના પ્રસારણને કારણે સમાજ પર તેની અસર વિશે વિચારણા કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્ત અને ન્યાયાધીશ જયમાલા બાગચીની બેન્ચે આ મુદ્દે વિગતવાર સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે,…
મોડાસામાં સરકારી ઈજનેરી કોલેજના.પ્રોફેસરે વિદ્યાર્થિનીઓને બિભત્સ મેસેજ કરતાં હડકંપ.કોલેજ છોડી ભાગી ગયેલા અધ્યાપકની તપાસ કરવા અને તેઓની સામે યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણા કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલે આપી.મોડાસાની સહકારી ઈજનેરી કોલેજના એક અધ્યાપક દ્વારા કોલેજની ત્રણ વિદ્યાર્થિનીઓને વોટસએપ દ્વારા બિભત્સ મેસેજ કર્યાે હોવાના વિવાદને પગલે કોલેજના છાત્રો-છાત્રાઓએ ભારે હલ્લાબોલ મચાવ્યો હતો અને વી વોન્ટ જસ્ટીસનો સૂત્રોચ્ચાર કરી આ અધ્યાપકને સામે લાવવા અને યોગ્ય શિક્ષા કરવાની માંગને ઉગ્ર બનાવી હતી. હાલ કોલેજ છોડી ભાગી ગયેલા આ અધ્યાપકની તપાસ કરવા અને તેઓની સામે યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણા કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલે આપી હતી. જાે કે, વણસતી જતી પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી…
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારત પર આક્ષેપ કર્યા.પાકિસ્તાને રામમંદિરમાં મોદી હસ્તે થયેલાં ધ્વજારોહણનો વિરોધ કર્યો.લઘુમતીઓ પર અત્યાચારનો ખરાબ ટ્રેક રેકોર્ડ ધરાવતા પાકિસ્તાને ઉપદેશ આપવાનો કોઈ નૈતિક અધિકાર નથી : ભારતીય વિદેશ મંત્રાલય.પાકિસ્તાને અયોધ્યાના રામમંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયેલા ધ્વજારોહણ પર વિરોધ નોધાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ ભારતમાં ધાર્મિક લઘુમતીઓ પર વધી રહેલા દબાણ અને મુસ્લિમ વારસાને ભૂંસવાના પ્રયાસનો ભાગ છે. પાકિસ્તાને દાવો કરીને કહ્યું કે, જે સ્થાને પહેલા બાબરી મસ્જિદ હતી, ત્યાં હવે રામમંદિર બનાવવામાં આવ્યું છે. બાબરી મસ્જિદ સદીઓ જૂનું ધાર્મિક સ્થળ હતું.૬ ડિસેમ્બર ૧૯૯૨એ આ મસ્જિદને ટોળાએ તોડી પાડી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ…
આરોપી ઉધવાનીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી.વિદેશ ભાગેલાં આરોપીને પરત લાવવો દેશનો સંપૂર્ણ અધિકાર છે: સુપ્રીમ કોટ.ઉધવાની જુલાઈ ૨૦૨૨માં દુબઈ ગયો હતો, ત્યાર પછી ભારત પરત ફર્યો નથી. તેની સામે રેડ કોર્નર નોટિસ પણ ઈશ્યૂ કરાઈ સુપ્રીમ કોર્ટે વિદેશમાં ભાગે ગયેલા આરોપીઓને લઈને મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે, કાયદાથી બચવા માટે વિદેશ ભાગેલા આરોપીઓને પરત લાવવો એ દેશનો સંપૂર્ણ અધિકાર છે. સુપ્રીમ કોર્ટે દુબઈમાં રહેતા વિજય મુરલીધર ઉધવાનીની અરજી પર સુનાવણી કરવાની મનાઈ કરી દીધી. એમાં ઉધવાનીએ વકીલ મારફતે યુએઈથી પરત લાવવા માટે ભારતની વિનંતી હટાવવાની માંગ કરાઈ હતી.સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મેહતાની બેન્ચે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



