- Goldbet Kod Promocyjny dla polskich graczy – Bonusy i promocje dla nowych użytkowników
- Casino Yonibet pour les joueurs français – Catalogue de jeux et principales catégories disponibles
- કચ્છમાં માલધારીઓ માટે તાત્કાલિક ઘાસચારો, પાણી અને પશુ સારવારની AAPની સરકારને માંગ
- હોર્ડિંગ્સમાં ભગવાન જગન્નાથ સાથે નેતાઓના ફોટા સામે AAP નેતા હિમાંશુ ઠક્કરનો વિરોધ
- મૌલવી જરજિસ અંસારીના શ્રીકૃષ્ણ અંગેના નિવેદનથી વિવાદ, હિન્દુ સંગઠનોમાં ભારે રોષ
- સરકાર કે મુખ્યમંત્રીની ટીકા રાષ્ટ્રદ્રોહ નથી: પૂણે હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
- અમેરિકા-ઈરાન તણાવ ચરમસીમાએ, હોર્મુઝ સ્ટ્રેટ પર હુમલા બાદ અનેક ઈરાની સૈન્ય ઠેકાણાં તબાહ
- સુરતના DCP રાજદીપ નકુમના વર્તન સામે આક્ષેપો, ગુજરાત હાઇકોર્ટમાં PIL કરવાની જાહેરાત
Author: garvigujrat
બાલભવન અને મુજમહુડા ઓવરબ્રિજના રીપેરીંગ પાછળ રૂ.૧.૧૮ કરોડનો ખર્ચ.બાલભવન અને મુજમહુડા ઓવરબ્રિજના રીપેરીંગ પાછળ રૂ.૧.૧૮ કરોડનો ખર્ચ.વડોદરા કારેલીબાગ ખાતે આવેલ બાલભવન અને મુજમહુડા ઓવરબ્રિજના રીપેરીંગને સ્ટ્રક્ચર, રીપેરીંગને લગતી ગનાઈટિંગ, ગ્રાઉટીંગ અને એપ્રોક્સી પેઇન્ટને લગતી કામગીરી કરવા પાછળ કુલ રૂપિયા ૧.૧૮ કરોડનો ખર્ચ થયો હતો. જે પૈકી લાલબાગ બ્રિજ માટે અંદાજે રૂપિયા ૬૨ લાખ અને મુજમહુડા બ્રિજ માટે અંદાજ રૂપિયા ૫૬ લાખનો ખર્ચ કરાયો હતો. જે અંગેની જાણ સ્થાયી સમિતિને કરવામાં આવી છે. કારેલીબાગ ખાતે આવેલ બાલભવન રીવર ઓવર બ્રીજના સ્ટ્રક્ચરના રીપેરીંગને લગત ગનાઇટીંગ/ગ્રાઉટીંગ, એપોક્ષી પેઇન્ટ વિગેરે જેવી આનુસંગિક કામગીરી GPMC એકટની કલમ ૬૭/૩/સી હેઠળ ઇજારદાર મે.રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લી.,…
પોલીસ ભરતી અને બઢતી પર મોટી જાહેરાત.વિધાનસભામાં કાયદા મંત્રીએ રજૂ કર્યા આંકડા.કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ વિધાનસભામાં ૧૧,૧૦૦ પોલીસ અધિકારીઓની બઢતી અને નવી ભરતીના આંકડા રજૂ કર્યા.ગુજરાત રાજ્યના સુરક્ષા તંત્રને વધુ સુદ્રઢ બનાવવા અને યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર દ્વારા મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૬ માં ચાલી રહેલા વિધાનસભા સત્ર દરમિયાન રાજ્યના કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ જાહેરાત કરી હતી કે, સમગ્ર રાજ્યમાં હાલ ૧૦,૨૮૮ જેટલા પોલીસ અધિકારીઓ અને જવાનોની ભરતી પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ અસરકારક બનાવવા માટે ખાલી જગ્યાઓ ભરવા અને પોલીસ બેડામાં નવા લોહીનો સંચાર કરવાના હેતુથી…
મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીને મોટો ઝટકો.ઈડ્ઢએ અનિલ અંબાણીનું મુંબઈ સ્થિત આલીશાન ઘર જપ્ત કર્યું.હાઈકોર્ટે રોક હટાવતા જ ED દ્વારા મોટી કાર્યવાહી કરાઈ.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મની લોન્ડરિંગ કેસમાં આજે મોટી કાર્યવાહી કરીને ઉદ્યોગપતિ અનિલ અંબાણીના મુંબઈ સ્થિત ‘અબોડ’ નામના નિવાસ સ્થાનને જપ્ત કર્યું છે. ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ, ૧૭ માળના આ આલીશાન ઘરની કિંમત લગભગ ૩૭૧૬.૮૩ કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મની લોન્ડરિંગ કેસ હેઠળ અત્યાર સુધીમાં જપ્તીની જે કાર્યવાહી કરવામાં આવી છે, તેમાં અનિલ અંબાણી અને તેમના ગ્રૂપની કંપનીઓની કુલ રૂ.૧૫,૭૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે. આ કાર્યવાહી પહેલા બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રશેખર અને…
ગાર્ડ ઓફ ઓનર અપાયું ઇઝરાયલમાં મોદીનું રેડ કાર્પેટ સ્વાગત, નેતન્યાહૂ ભેટી પડ્યાં છેલ્લા ૯ વર્ષમાં પીએમ મોદીની આ બીજી મુલાકાત છે ૯ વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલના બે દિવસીય પ્રવાસ માટે તેલ અવીવ પહોંચી ગયા છે. ઈઝરાયલ વડાપ્રધાન નેતન્યાહૂએ પ્રોટોકોલ તોડી એરપોર્ટ પર પીએમ મોદીનું ગળે મળીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર જ ભારતના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ઇઝરાયલની યાત્રા પર નીકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્લાઈટ લોકેશન દુનિયામાં સૌથી વધારે સર્ચ થઈ હતી. દુનિયાભરના વિમાનોની અવર જવર પર દેખરેખ રાખતા ઓનલાઈન પ્લેટફોર્મ ફ્લાઈટ રડાર પર સૌથી વધુ એર ઈન્ડિયા વનને ટ્રેક કરવામાં આવ્યું હતું. છેલ્લા ૯…
સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ NCERT મહત્ત્વનો ર્નિણય પાઠ્ય પુસ્તકમાંથી ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ્રકરણ હટાવાયું આ પુસ્તકના એક પ્રકરણમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અને કેસોના મોટા બેકલોગ અંગે ટિપ્પણી કરાઈ હતી, જેના કારણે ન્યાયિક ક્ષેત્રમાં ભારે રોષ જાેવા મળ્યો શિક્ષણ જગત અને ન્યાયતંત્ર વચ્ચે સર્જાયેલા વિવાદ બાદ NCERT(નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) દ્વારા ધોરણ -૮ના સામાજિક વિજ્ઞાનના નવા પુસ્તક એક્સપ્લોરિંગ સોસાયટી: ઈન્ડિયા એન્ડ બિયોન્ડ(પાર્ટ-૨)ના વેચાણ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયના સૂત્રોએ આ માહિતીની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે મંગળવારથી જ આ પુસ્તક બજારમાંથી પાછું ખેંચી લેવામાં આવ્યું છે. આ પુસ્તકના એક પ્રકરણમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અને કેસોના મોટા…
VSR ના ચાર વિમાન ગ્રાઉન્ડેડ કર્યા અજિત પવારના વિમાન અકસ્માત મુદ્દે DGCA ની મોટી કાર્યવાહી મહારાષ્ટ્રના બારામતી અકસ્માત બાદ ડીજીસીએ દ્વારા ચાર્ટર ઓપરેટરો પર દેખરેખ વધારવામાં આવી છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન અકસ્માત મુદ્દે ડીજીસીએ મોટી કાર્યવાહી કરી છે. ડીજીસીએ જાન્યુઆરી માસમાં બારામતી થયેલા વિમાન દુર્ઘટનાની તપાસ બાદ VSR ના ચાર વિમાન ગ્રાઉન્ડેડ કરવાનો આદેશ આપ્યો છે. હવે આ વિમાન આગામી સુચના સુધી ઉડાન નહી ભરી શકે. ડીજીસીએ લિયરજેટ 45 વિમાન દુર્ઘટના બાદ હાથ ધરવામાં આવેલા વિશેષ સલામતી ઓડિટમાં અનેક ઉલ્લંઘનો બહાર આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્રણ વર્ષમાં VSR એવિએશન અને લિયરજેટ 45 મોડેલ સાથે…
પોલીસે ૧૬ રાજ્યોમાંથી ૧૦૪ ગુનેગારોને પકડ્યાં ગુજરાત સહિત દેશભરમાં ચાલતી સાયબર ફ્રોડ સિન્ડિકેટનો પર્દાફાશ ઓપરેશન દરમિયાન પોલીસે ૨૦૪ મોબાઈલ, ૧૪૧ સિમ કાર્ડ્સ, ૧૫૨ બેન્ક પાસબૂક્સ વિગેરેનો મુદ્દામાલ જપ્ત કર્યો સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સતત ચિંતાજનક હદે થઈ રહેલાં વધારા વચ્ચે હૈદરાબાદ પોલીસે સાયબર ગુનેગારોની દેશવ્યાપી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યાે છે. હૈદરાબાદ પોલીસ દ્વારા હાથ ધરાયેલાં ‘ઓપરેશન ઓક્ટોપસ’ હેઠળ દેશના ગુજરાત સહિત ૧૬ રાજ્યોમાંથી ૧૦૪ સાયબર અપરાધીઓની ધરપકડ કરાઈ છે. આ અંગે માહિતી આપતાં હૈદરાબાદના પોલીસ કમિશનર વી.સી. સજ્જનારે જણાવ્યું હતું કે, સાયબરક્રાઈમ ટીમની આગેવાની હેઠળ ૩૨ ટીમો બનાવી હાથ ધરાયેલાં ૧૦ દિવસના આ રાષ્ટ્રવ્યાપી ઓપરેશન અંતર્ગત પકડાયેલાં ગુનેગારો સામે દેશના વિવિધ રાજ્યોમાં…
૧૧ના મોત નિપજ્યા પાકિસ્તાનના પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાં આતંકી હુમલાઓથી ધણધણી ઉઠ્યાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ભક્કર જિલ્લામાં દજ્જલ ઇન્ટર-સ્ટેટ ચેકપોસ્ટ પર મંગળવારે રાતે એક ભયાનક આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં આતંકવાદીઓએ ફરી એકવાર લોહીની હોળી ખેલી છે. પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયેલા બે અલગ-અલગ હુમલાઓમાં ૯ સુરક્ષાકર્મીઓ સહિત કુલ ૧૧ લોકોના મોત નીપજ્યા હતા. આ હુમલાઓએ પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાડી દીધા હતા.પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ભક્કર જિલ્લામાં દજ્જલ ઇન્ટર-સ્ટેટ ચેકપોસ્ટ પર મંગળવારે રાતે એક ભયાનક આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર પાકિસ્તાની સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી ‘અંસાર-ઉલ-ઇસ્લામ‘ નામના આતંકી સંગઠને લીધી…
અમેરિકાની ચીન વિરુદ્ધ મોટી કાર્યવાહી ૧૫૦૦૦ કિ.મી. પીછો કરી ઓઈલ લઈ જતું ત્રીજું જહાજ દબોચ્યું જહાજ કુક આઇલેન્ડ્સના ધ્વજ હેઠળ ચાલતું હતું અને શાંઘાઈ લિજેન્ડરી શિપ મેનેજમેન્ટ કંપની લિમિટેડ સાથે જાેડાયેલું છે અમેરિકી સેનાએ હિંદ મહાસાગરમાં પ્રતિબંધિત તેલ ટેન્કરો વિરુદ્ધ પોતાની કાર્યવાહી તેજ કરી દીધી છે. કેરેબિયન સમુદ્રથી શરૂ થયેલો પીછો હિંદ મહાસાગર સુધી પહોંચ્યો હતો, જ્યાં ‘બર્થા’નામનું ત્રીજું ટેન્કર જપ્ત કરવામાં આવ્યું છે. આ જહાજ વેનેઝુએલાથી ભારે અશુદ્ધ તેલ લઈને ચીન જઈ રહ્યું હતું અને ઈરાન સાથે જાેડાયેલા અમેરિકી પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. પેન્ટાગોને તેને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ત્રીજી સફળ જપ્તી ગણાવી છે. જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કડક નીતિનો…
US સંસદમાં બોલ્યા ટ્રમ્પ ‘ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં અટકાવ્યું, નહીંતર કરોડો લોકો માર્યા ગયા હોત’ તાજેતરમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે ૬-૩ ના બહુમતીથી ટ્રમ્પ દ્વારા IEEPA હેઠળ લાદવામાં આવેલા ટેરિફને ગેરબંધારણીય ઠેરવી રદ કર્યા હતા. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળના પ્રથમ ‘સ્ટેટ ઓફ ધ યુનિયન’ સંબોધનમાં અર્થતંત્ર અને વિદેશ નીતિને લઈને અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ટેરિફના ર્નિણયને રદ કરવામાં આવ્યા હોવા છતાં, ટ્રમ્પે નવા ‘ગ્લોબલ ટેરિફ’ દ્વારા પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સંસદમાં જ કહ્યું હતું કે મેં ૮ યુદ્ધ અટકાવ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ પણ મેં જ અટકાવ્યું.…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



