- ડેઈલી માર્કેટ રિપોર્ટ
- ભારતની બિનસાંપ્રદાયિકતા, રાજકારણની હકીકત અને લોકશાહી મૂલ્યો બચાવવાની જરૂર
- દેશની હાલત, પ્રદૂષણ, બેરોજગારી અને ગામડાંની અવગણના: વિકાસની આડઅસરો પર ચિંતાજનક દૃષ્ટિ
- સુરતમાં પ્રતિબંધિત ઈ-સિગારેટના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, 14 નંગ જપ્ત અને પોલીસની કાર્યવાહી
- ડાંગમાં પક્ષીઓના મોતથી બર્ડ ફ્લૂનો ખતરો, મહારાષ્ટ્ર સરહદે મરઘા પરિવહન પર રોક અને કડક ચેકિંગ
- કેરલમમાં કોંગ્રેસની મોટી જીત: UDF બહુમતી સાથે સરકાર, રાહુલ ગાંધીની રણનીતિની જીત
- અમેરિકામાં ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી, 66% લોકો નાખુશ, ઈરાન મુદ્દે ભારે અસહમતિ સર્વેમાં ખુલાસો વધુ જાણકારી રિપોર્ટ.
- ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026માં 14 જૂને ભારત-પાકિસ્તાન ટક્કર, બર્મિંગહામમાં રોમાંચક મેચ, સાંજે 7 વાગે.
Author: Garvi Gujarat
સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો.કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજાે મળ્યા.નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ એક કરોડની લાંચ લીધી છે અને તેમા કલેક્ટર, ક્લાર્ક અને પીએ સામેલ.સુરેન્દ્રનગરમાં ૧૫૦૦ કરોડના જમીન NA કૌભાંડમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. એક શીટની મદદથી સૌથી મોટા જમીન કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. ACB નોંધાયેલી ફરિયાદમાં ખુલાસો થયો છે કે, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ એક કરોડની લાંચ લીધી છે અને તેમા કલેક્ટર રાજેન્દ્ર પટેલ,ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા પણ સામેલ હતા. આટલુ જ નહીં, એક શીટમાં દલાલોના નામ અને તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવ્યું છે. ૨૩ ડિસેમ્બરે દિલ્હીથી આવેલી…
બસપાના માઠા દિવસો.પહેલી વાર એવું બનશે કે સંસદના એકેય ગૃહમાં બસપાના કોઈ સાંસદ નહીં હોય.એક મજબૂત ત્રીજા વિકલ્પ તરીકે ઊભરેલી બહુજન સમાજ પાર્ટી આજે પોતાના સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહી છે.ઉત્તર પ્રદેશના ૧૦ રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ નવેમ્બર ૨૦૨૬માં ખતમ થઈ રહ્યો છે. આ ૧૦ રાજ્યસભા સાંસદોમાં ભાજપના ૮, સપાના અને બસપાના એક-એક સભ્ય છે. ૨૦૨૬માં રિટાયર થનારા રાજ્યસભા સાંસદોમાં ભાજપમાંથી બૃજલાલ, સીમા દ્વિવેદી, ચંદ્રપ્રભા ઉર્ફ ગીતા, હરદીપ સિંહ પુરી, દિનેશ શર્મા, નીરજ શેખર, અરુણ સિંહ અને બીએલ વર્માનું નામ સામેલ છે. સપામાંથી પ્રોફેસર રામગોપાલ યાદવ અને બસપામાંથી રામજી ગૌતમ છે. રામજી ગૌતમ બાદ બસપા શૂન્ય સાંસદોવાળી પાર્ટી બની જશે.…
ભારતીય સૈન્યએ કડક કર્યા નિયમો.આર્મીના જવાનો ઇન્સ્ટાગ્રામમાં ફક્ત સર્ફિંગ કરી શકશે, પોસ્ટ નહીં.ભારતીય સેનાએ બદલાતા સમય અને ટૅક્નોલૉજીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મોટો ફેરફાર કર્યો છ.ભારતીય સેનાએ બદલાતા સમય અને ટૅક્નોલૉજીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેની સોશિયલ મીડિયા પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે સૈનિકો અને અધિકારીઓને ઇન્સ્ટાગ્રામ પર સર્ફિંગ કરવાની કે મોનિટર કરવાની છૂટ અપાઈ છે. જાે કે, તેઓ કોઈ પોસ્ટ નહીં કરી શકે અને કોઈ પોસ્ટ પર લાઇક, શેર અને કોમેન્ટ પણ નહીં કરી શકે. ભારતીય સેનાના તમામ યુનિટો અને વિભાગો માટે જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ, સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેના નિયમોમાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે.…
જાણો તાંજાવુર શૈલીની આ કલાકૃતિની વિશેષતા.રામ મંદિરના ‘અંગદ ટીલા’ ઉપર સ્થપાશે રામલલાની સુવર્ણ પ્રતિમા.કર્ણાટકના બેંગલુરુના રહેવાસી જયશ્રીફનીશ દ્વારા અર્પણ કરાયેલી આ પ્રતિમા મંગળવારે સાંજે અયોધ્યા પહોંચી.અયોધ્યામાં રામલલા મંદિર પરિસરમાં ટૂંક સમયમાં એક ભવ્ય અને કિંમતી સુવર્ણ પ્રતિમા બિરાજમાન કરાશે. કર્ણાટકના બેંગલુરુના રહેવાસી જયશ્રીફનીશ દ્વારા અર્પણ કરાયેલી આ પ્રતિમા મંગળવારે સાંજે અયોધ્યા પહોંચી ગઈ હતી. આ સુવર્ણ પ્રતિમા પર હીરા, માણેક અને પન્ના જેવા કિંમતી રત્નો જડવામાં આવ્યા છે. આ મૂર્તિનું મૂલ્ય જાહેર કરાયું નથી, પરંતુ એવું કહેવાય છે કે તેની કિંમત રૂ. ૩૦ કરોડ જેટલી હોઈ શકે છે. આ દક્ષિણ ભારતની પરંપરાગત તાંજાવુર શૈલીમાં તૈયાર કરાયેલી માત્ર એક કલાકૃતિ નથી,…
ઢાકામાં રાજકીય ઉથલપાથલ.૧૭ વર્ષ પછી ડાર્ક પ્રિન્સનું બાંગ્લાદેશમાં આગમન.BNP ના વડા બેગમ ખાલિદા ઝિયાનો પુત્ર તારિક રહેમાન લગભગ ૧૭ વર્ષની લાંબી ગેરહાજરી પછી ઘરે પરત ફર્યો છે.બાંગ્લાદેશી રાજકારણમાં એક મોટા ઘટનાક્રમમાં, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના વડા બેગમ ખાલિદા ઝિયાનો પુત્ર તારિક રહેમાન લગભગ ૧૭ વર્ષની લાંબી ગેરહાજરી પછી ઘરે પરત ફર્યો છે. તારિક રહેમાનના પાછા ફરવાથી BNP સમર્થકોમાં ભારે ઉત્સાહ ફેલાયો છે, અને તેને દેશના રાજકીય પરિદૃશ્યમાં એક વળાંક તરીકે જાેવામાં આવી રહ્યો છે. તારિક રહેમાનનું પાછા ફરવું એવા સમયે આવ્યું છે જ્યારે બાંગ્લાદેશ ગંભીર રાજકીય અસ્થિરતાનો અનુભવ કરી રહ્યું છે. દેશના વિવિધ ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લખનઉની મુલાકાતે.અમારી સરકારે ૩૭૦ની દીવાલ તોડી પાડી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી.મોદીએ શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ૬૫ ફૂટ ઊંચી કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે(૨૫ ડિસેમ્બર) ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની મુલાકાતે છે. આ દરમિયાન વડાપ્રધાને અટલ બિહારી બાજપેયીની ૧૦૧મી જન્મજયંતી પર રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ૬૫ ફૂટ ઊંચી કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું કે, અમારી સરકારે ૩૭૦ની દીવાલ તોડી પાડી. વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના…
સુરત એસીબીએ એક જ દિવસમાં બે સરકારી લાંચિયા અધિકારીઓની ધરપકડ કરી.સુરતમાં ડે. ચીફ ફાયર ઓફિસર એક લાખની લાંચ લેતાં ઝડપાયા.બીજા કેસમાં ઉધના અને લિંબાયત ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.સુરત ACB એક જ દિવસમાં બે સરકારી લાંચિયા અધિકારીઓને ઝડપી પાડયા છે. પહેલાં ઉધના મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસરને ૧૦ હજારની લાંચ લેતા ACB રંગેહાથ ઝડપી પાડયા હતા. બીજા કેસમાં ઉધના અને લિંબાયત ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. એક જાગૃત નાગરિકે પોતાની હોટલ માટે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મેળવવા અરજી કરી હતી. આ NOC આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં વર્ગ-૩…
ભારતમાં દારૂ સાથે સંકળાયેલા મોઢાંના કેન્સરની સંખ્યા અંદાજે ૧૧.૩ ટકા છ.થોડો દારૂ પીવાથી પણ મોંઢાનું કેન્સર થવાનું જાેખમ ૫૦ ટકા વધી જાય છે: રિસર્ચ.સેન્ટર ફોર કેન્સર એપિડેમિયોલોજી અને ફ્રાન્સની ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઑન કેન્સરના સંશોધકોએ હાથ ધરેલા સર્વેમાં થયેલો ચોંકાવનારો ઘટસ્ફોટ.દરરોજ માત્ર નવ ગ્રામ જેટલો શરાબ પીવાથી પણ મોઢાનું કેન્સર થવાની શક્યતા લગભગ ૫૦ ટકા વધી શકે છે તેમ તાજેતરમાં હાથ ધરાયેલાં એક અભ્યાસમાં જણાવાયું છે. અભ્યાસમાં વધુમાં જણાવ્યાં અનુસાર સ્થાનિક રીતે બનાવેલા શરાબના સેવનથી આ જાેખમ નોંધપાત્ર રીતે વધી ૮૭ ટકા સુધી પહોંચી જાય છે.નવી મુંબઈ સ્થિત સેન્ટર ફોર કેન્સર એપિડેમિયોલોજી સહિત ભારતની વિવિધ સંસ્થાઓ અને ફ્રાન્સની ઇન્ટરનેશનલ…
તમામ ત્યાં ટ્રક ડ્રાઈવિંગ કરતાં હતા.અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા ૩૦ ભારતીયોની ધરપકડ કરાઈ.યુએસ બોર્ડર પેટ્રોલની બે દિવસની વ્યાપક ઝુંબેશમાં વિવિધ ચેકપોઇન્ટ ઉપરથી ૪૯ ગેરકાયદે ડ્રાઇવરો ઝડપાયા. યુએસ બોર્ડર પેટ્રોલના જવાનોએ અમેરિકામાં ગેરકાયદે રહેતાં અને કોમર્શિયલ લાયસન્સની મદદથી સેમીટ્રક ચલાવતા ૩૦ ભારતીય ડ્રાઇવરોને ઝડપી લીધા હતા. કેલિફોર્નિયાના એલ સેન્ટ્રો સેક્ટરમાં આવેલાં એક ઇમિગ્રેશન ચેકપોઇન્ટ ઉપર આવતાં તમામ વાહનોના ચેકિંગ દરમ્યાન કુલ ૪૯ ગેરકાયદે રહેતા વસાહતી ડ્રાઇવરો ઝડપાયા હતા એમ યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન વિભાગે ગત સપ્તાહે બહાર પાડેલાં એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.૨૩ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બર વચ્ચે બોર્ડર પેટ્રોલના જવાનોએ એવા ૪૨ ગેરકાયદે રહેતાં વસાહતીઓને ઝડપી લીધા હતા જેઓ…
ધ્રુવ રાઠી પર સાધ્યું નિશાન.‘ધુરંધર’ ફિલ્મને પ્રોપોગંડા કહેનારાઓને ડિરેક્ટર આદિત્ય ધરે આપ્યો જવાબ.‘ધુરંધર’ ફિલ્મના એક ફેન્સે આદિત્ય ધરને મેન્શન કરીને એક ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી હતી. જેને આદિત્ય ધરે શેર કરી હતી.આદિત્ય ધરની ‘ધુરંધર’ ફિલ્મે બોક્સઓફિસ પર ધમાલ મચાવી છે. આ સાથે ‘ધુરંધર’ બોલીવુડની ઓલટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ છે. જાેકે, ઘણા વિવેચકો ‘ધુરંધર’ને પ્રોપોગંડા ફિલ્મ ગણાવી રહ્યા છે, જેમાં યુટ્યુબર ધ્રુવ રાઠીનો પણ સમાવેશ થાય છે, પરંતુ, ડિરેક્ટર આદિત્ય ધરે નામ લીધા વગર ધ્રુવ રાઠીને ફિલ્મની ટીકા અંગે પણ જવાબ આપ્યો છે.ધ્રુવ રાઠીએ પોતાના એક વીડિયોમાં ‘ધુરંધર’ ફિલ્મ અંગે કહ્યું હતું કે સારી રીતે બનેલી પ્રોપગંડા ફિલ્મ વધારે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



