- Goldbet Kod Promocyjny dla polskich graczy – Bonusy i promocje dla nowych użytkowników
- Casino Yonibet pour les joueurs français – Catalogue de jeux et principales catégories disponibles
- કચ્છમાં માલધારીઓ માટે તાત્કાલિક ઘાસચારો, પાણી અને પશુ સારવારની AAPની સરકારને માંગ
- હોર્ડિંગ્સમાં ભગવાન જગન્નાથ સાથે નેતાઓના ફોટા સામે AAP નેતા હિમાંશુ ઠક્કરનો વિરોધ
- મૌલવી જરજિસ અંસારીના શ્રીકૃષ્ણ અંગેના નિવેદનથી વિવાદ, હિન્દુ સંગઠનોમાં ભારે રોષ
- સરકાર કે મુખ્યમંત્રીની ટીકા રાષ્ટ્રદ્રોહ નથી: પૂણે હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
- અમેરિકા-ઈરાન તણાવ ચરમસીમાએ, હોર્મુઝ સ્ટ્રેટ પર હુમલા બાદ અનેક ઈરાની સૈન્ય ઠેકાણાં તબાહ
- સુરતના DCP રાજદીપ નકુમના વર્તન સામે આક્ષેપો, ગુજરાત હાઇકોર્ટમાં PIL કરવાની જાહેરાત
Author: garvigujrat
સોનાના વાયદામાં રૂ.722 અને ચાંદીના વાયદામાં રૂ.4256નો પ્રત્યાઘાતી ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.2નો સુધારો કોમોડિટી વાયદાઓમાં રૂ.29376.42 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.213221.58 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 23025.62 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 40130 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.242602.57 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.29376.42 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.213221.58 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 40130 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2018.12 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 23025.62 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.160977ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.161652 અને નીચામાં રૂ.160163ના…
આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં જ્યારે કડદા પ્રથાનો વિરોધ કરવા પહોંચ્યા હતા. ત્યારે તેમને ખોટા કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને આજે તેઓ સાબરમતી જેલમાંથી બહાર આવ્યા અને આ દરમિયાન આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પણ તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની સાથે સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ હરેશ સાવલિયાના સ્વાગત માટે પહોંચ્યા હતા અને ફુલહાર પહેરાવીને ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે છે ખરીદીમાં જે કડદો ચાલતો હતો તે કડદોનો…
આમ આદમી પાર્ટીની “પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા” દરમિયાન આજે પાંચપીપળા, જેતપુર ખાતેથી “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા” અંતર્ગત સભાનું આયોજન થયું. આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રાજુ બોરખતરીયા, રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા અને જેતપુર તાલુકા પ્રમુખ દિલીપ ભુવા સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન છેલ્લા ૧૫ દિવસથી ભાદર બચાવોના નારા સાથે અનશન પર બેઠેલા આગેવાન મહેશભાઈ કોટડિયાનું પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત…
આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ગૃહમાં તારાંકિત પ્રશ્નો દરમિયાન તેમના અઢારમા ક્રમાંકના પ્રશ્ન હેઠળ અંબાજી નજીક પાડલિયા ગામમાં વન વિભાગ દ્વારા વનીકરણ માટે કેટલો પોલીસ બંધોબસ્ત અને કેટલા વાહનો ફાળવવામાં આવ્યા હતા અને કેટલી માંગણી કરવામાં આવી હતી તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેના જવાબમાં ગૃહમાં જણાવાયું કે બે સરકારી વાહનો અને અંદાજે 30 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી હતી. વધુમાં, કેટલા ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા તે અંગે પૂછતાં જવાબ મળ્યો કે ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા કોઈ ફાયરિંગ કરવામાં આવ્યું…
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા આજે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ગૃહમંત્રીનો દિવસ હતો તો મારો સવાલ એ હતો કે 2012માં સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે દલિત સમાજના નિર્દોષ યુવાનો પર પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં કેટલાક યુવાનોના મૃત્યુ થયા અને સરકારે કહેવાતી એસઆઇટી બનાવી. હજુ સુધી પણ દલિત સમાજ ન્યાય માટે ઠેર ઠેર માંગણી કરી રહ્યો છે પરંતુ ન્યાય મળ્યો નથી. મારો સવાલ હતો કે 2013માં એ સમિતિની રિપોર્ટ આવ્યો અને એમાં જે પગલાં લેવાની વાત કરવામાં આવી હતી શું સરકારે પગલા લીધા કે નહીં? ત્યારે જવાબ મળ્યો…
આમ આદમી પાર્ટીના મહિલા નેતા જીગીશા પટેલ પર થયેલા હુમલા બાદ આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ હોસ્પિટલમાં જઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા. ત્યારબાદ મીડિયા સમક્ષ વાત કરતા પ્રદેશ નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું કે, ગઈકાલે ગોંડલમાં સ્થાનિક કોર્પોરેટરના આદેશથી જીગીશાબેન પટેલ પર કેટલાક લોકોએ હુમલો કર્યો. જીગીશાબેનને માથાના ભાગે ખૂબ જ ગંભીર ઇજા થઇ છે. AAP નેતા પર થતા આવા હુમલાઓ ખૂબ જ ગંભીર બાબત છે. હજુ સુધી FIR થઈ નથી તો અમારી માંગ છે કે આ હુમલાખોરો પર તાત્કાલિક FIR થવી જોઈએ અને તેમના પર કડક કાર્યવાહી થવી જોઈએ,…
આમ આદમી પાર્ટી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે દેશને આઝાદી મળ્યા પછી દાયકાઓ વીતી ગયા હોવા છતાં આદિવાસીઓ માટે મોટું બજેટ ફાળવવામાં આવે છે, છતાં તેમનો વિકાસ કેમ થતો નથી—એવો પ્રશ્ન સૌને થાય છે. તેમણે જણાવ્યું કે વિધાનસભામાં તેમના સિત્તોતેર નંબરના પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યું કે છેલ્લા બે વર્ષમાં નર્મદા જિલ્લોમાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ ફાળવાયેલ આદિજાતિ વિકાસના બજેટમાંથી ગયા વર્ષે ₹5,120 કરોડ ફાળવાયા હતા, પરંતુ માત્ર ₹2,410 કરોડ જેટલો જ ખર્ચ થયો, અંદાજે 50 ટકા જ રકમ વપરાઈ. નર્મદા જિલ્લામાં ₹.92 કરોડ 63 લાખ 49 હજારનું બજેટ ફાળવાયું હતું. તાલુકા અને જિલ્લા કક્ષાની બેઠકમાં…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર નીકળેલી “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા” અંતર્ગત 26 તારીખે સાંજે જામખંભાળિયાના ભાણખોખરીના પાટિયા પાસે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો ખંભાળિયાવાસીઓને અને દ્વારકા જિલ્લાના તમામ લોકોને હું આહવાન કરું છું કે આ સભામાં આપ સૌ પધારો. ખેડૂતોના અનેક મુદ્દાઓ છે, જેમ કે ભાવ નથી મળતા, સારી વ્યવસ્થા નથી, પશુપાલકોના પણ અનેક મુદ્દાઓ છે, ડેરી સંઘ નથી, ઉભા પાકમાં હાઈ ટેન્શન લાઈનો નાખવામાં આવે છે, પવનચક્કીઓના મુદ્દાઓ છે, એપીએમસીઓમાં કડદા થાય છે. આવા તમામ મુદ્દાઓને લઈને હું જામખંભાળિયાના ભાણખોખરીના…
આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત સોમનાથથી કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત આગેવાનો અને કાર્યકર્તાઓએ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને યાત્રા શરૂ કરી હતી. આ યાત્રા ખૂબ જ ઉત્સાહ સાથે આગળ વધી રહી છે ત્યારે આ અંગે વાત કરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખેડૂતોનો, મહિલાઓનો, યુવાનોનો, વેપારીઓનો અવાજ બની ગુજરાતમાં પરિવર્તનના સંકલ્પ સાથે ગઇકાલે સોમનાથ મહાદેવના દર્શન કરી “પરિવર્તન લાવો, કિસાન બચાવો” યાત્રા સોમનાથથી નીકળીને ગાંધીનગર…
આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, ગતરોજથી સોમનાથથી આમ આદમી પાર્ટીની જે “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત કરી છે, આ યાત્રા 26 ફેબ્રુઆરીના રોજ જામખંભાળિયાના ભાણખોખરીના પાટિયા પાસે પહોંચી રહી છે અને ત્યાં એક મોટી સભાનું આયોજન યોજાશે. આ સભામાં ખાતરના મુદ્દા, બિયારણના મુદ્દા, પાકને મળતા ભાવના મુદ્દા, વીમાના પ્રશ્નો અને સાથે સાથે ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલને લઈને ખેડૂતોને જે નુકસાન થવાનું છે, આ તમામ મુદ્દે આ સભામાં ચર્ચા કરવામાં આવશે અને અવાજ ઉઠાવવામાં આવશે. વધુમાં ખેડૂત નેતા પ્રવીણ રામે જણાવ્યું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



