Author: Garvi Gujarat

ગુજરાતને ૧૨૦. ૬૫ કરોડની પેનલ્ટી.જળ જીવન મિશનમાં ગડબડ પર PM મોદીનું કડક વલણ.જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે પણ કહ્યું છે કે દોષિતોને બક્ષવામાં આવશે નહીં.દરેક ઘરને નળથી જળ પૂરું પાડવાના ઉદ્દેશ્ય ધરાવતા મહત્વાકાંક્ષી જળ જીવન મિશનમાં ગેરરીતિઓની ફરિયાદો બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક રાજ્યોમાં કડક વલણ અપનાવ્યું છે. માહિતી અનુસાર, ઁસ્ નરેન્દ્ર મોદીએ જળ શક્તિ મંત્રાલયને જ્યાં પણ ગેરરીતિઓની ફરિયાદો મળી છે ત્યાં કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. વધુમાં, વડા પ્રધાન મોદીએ નિર્દેશ આપ્યો છે કે કેન્દ્ર સરકાર આવા કિસ્સાઓમાં રાજ્ય સરકાર પગલાં ન લે ત્યાં સુધી મિશન માટે પોતાની તરફથી એક પણ પૈસો જારી ના કરે.વડા પ્રધાને…

Read More

હરિયાણામાં શોકની લાગણી ફેલાઈ ગઈરાષ્ટ્રીય સ્તરના યુવા બાસ્કેટબોલ ખેલાડી હાર્દિક રાઠીના અકાળે અવસાનરમતગમત સમુદાય અને સોશિયલ મીડિયા પર ખેલાડીના મૃત્યુના કારણ અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.રાષ્ટ્રીય સ્તરના યુવા બાસ્કેટબોલ ખેલાડી હાર્દિક રાઠીના અકાળ અવસાનથી રાજ્યમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. યુવા ખેલાડીને શ્રદ્ધાંજલિ આપવા માટે, ઓલિમ્પિક એસોસિએશને આગામી ત્રણ દિવસ સુધી હરિયાણામાં કોઈપણ રમતગમતના કાર્યક્રમોનું આયોજન ન કરવાનો ર્નિણય લીધો છે. હાર્દિક રાઠી રોહતકના લખન માજરા ગામનો રહેવાસી હતો. આ ઘટના ત્યારે બની જ્યારે હાર્દિક બાસ્કેટબોલ રમી રહ્યો હતો અને અચાનક તેના પર બાસ્કેટબોલનો પોલ પડી ગયો. સીસીટીવી ફૂટેજમાં આ દુ:ખદ ઘટના કેદ થઈ ગઈ. રમતગમત જગત અને તેનો…

Read More

ત્રણ કિમીની રેલી અગાઉ મમતાનું સંબોધન.ચૂંટણી પંચ હવે ભાજપ કમિશનમાં ફેરવાઇ ગયું છે : મમતા બેનર્જી.૨૦૨૬ની બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા બે મહિનાની અંદર બળજબરીથી આ કવાયત ઉતાવળમાં શા માટે પૂર્ણ કરાઇ રહી છે?પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ મંગળવારે મતદાર યાદીમાં ચાલી રહેલા એસઆઇઆર માટે ચૂંટણી પંચની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે રાજ્યના મતુઆ બહુમતીવાળા વિસ્તારોના મતદારો જાે નાગરિકતા સંશોધન એક્ટ હેઠળ પોતાને વિદેશી જાહેર કરે છે તો તેમને તરત જ ડિલિસ્ટ કરી દેવામાં આવશે.ઠાકુરનગર સુધી ત્રણ કિલોમીટર સુધીની રેલી અગાઉ લોકોને સંબોધતા મમતાએ વચન આપ્યું હતું કે જાે બંગાળમાં તેમને પડકારવામાં આવશે તો સમગ્ર દેશમાં ભાજપના પાયાને…

Read More

પરિજનોને ૩ અઠવાડિયાથી મળવા ન દીધાજેલમાં કેદ ઈમરાન ખાન અંગે શંકાના વાદળ ઘેરાયાં.ઈમરાન ખાનની બહેનોએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ૈંય્ને ફરિયાદ કરી.પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે પાકિસ્તાનમાં અનેક અફવાઓ ચાલી રહી છે. પાકિસ્તાનમાં એવી અફવાઓએ વેગ પકડ્યો છે કે, જેલમાં તેમનું સ્વાસ્થ્ય ઠીક નથી. તો બીજી તરફ પાકિસ્તાનના રાવલપિંડી જેલમાં કેદ ઈમરાન ખાનની હત્યા અંગેની ચર્ચાઓ ઈસ્લામાબાદથી કાબુલ સુધી તેજ બની છે. ઈમરાન ખાનની ત્રણ બહેનોને ૩ અઠવાડિયાથી અદિયાલા જેલમાં ઈમરાન ખાનને મળવા નથી દીધી. ઈમરાન ખાનની બહેનોએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના IG ફરિયાદ કરી છે. કોર્ટની પરવાનગી હોવા છતાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ ઈમરાન ખાનને તેની ત્રણ બહેનો અને…

Read More

રાષ્ટ્રપતિએ બંધારણના આમુખનું કર્યું વાંચન.સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ ૯ ભાષામાં બંધારણના અનુવાદનું લોકાર્પણ કર્યુ.રાષ્ટ્રપતિએ ડિજિટલ રૂપે મરાઠી, નેપાળી, પંજાબી, બોડો, કાશ્મીરી, તેલુગુ, ઓડિયા, અસમિયા અને મલયાલમ જેવી ૯ ભાષામાં બંધારણના અનુવાદનું લોકાર્પણ કયુર્ુ.દેશ આજે ૭૬મો બંધારણ દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં બંધારણ ગૃહના સેન્ટ્રલ હૉલમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૧૧ વાગ્યાથી આયોજિત આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, તમામ કેન્દ્રીય મંત્રી અને બંને ગૃહના સાંસદોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ૯ ભાષાઓમાં બંધારણના અનુવાદનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિએ ડિજિટલ રૂપે મરાઠી, નેપાળી, પંજાબી, બોડો, કાશ્મીરી, તેલુગુ, ઓડિયા, અસમિયા અને…

Read More

ગાંધીનગરમાં વહેલી સવારે ડિમોલિશન.અડાલજ-ઝુંડાલ રોડ પર ગેરકાયદે ધાર્મિક દબાણોને દૂર કરાયાં.દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.ગાંધીનગરમાં ઝુંડાલ રોડ પર વહીવટી તંત્ર દ્વારા રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અડાલજ-ઝુંડાલ રોડ પર આવેલા બાલાપીર સર્કલ નજીક બાલાપીર દરગાહનું મુખ્ય રોડ પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા બુધવારે વહેલી સવારે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ દબાણ આશરે ૧૦૦ વાર જેટલું અને વર્ષાે જૂનું હતું. મળતી માહિતી મુજબ, વહીવટી તંત્ર દ્વારા રોડ પહોળો કરવાની કામગીરીના ભાગરૂપે અડાલજ-ઝુંડાલ રોડ પર આવેલા બાલાપીર…

Read More

અજાણ્યા મોબાઈલ ધારકે બેંક મેનેજરની ઓળખાણ આપી હતી.પાલનપુરની પોસ્ટલ આસિ.નો મોબાઇલ હેક કરી ગઠિયાએ ૯૭ હજારની ઠગાઈ કરી.મહિલાએ પોતાની સાથે ઓનલાઇન છેતરપિંડી આચરનાર ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી.પાલનપુરના લક્ષ્મીપુરા રોડ ખાતે રહેતી અને પોસ્ટલ આસિસ્ટન્ટની નોકરી કરતી મહિલાને અજાણ્યા મોબાઈલ ધારકે હું બેન્ક ઓફ ઇન્ડિયાનો મેનેજર બોલું છું. કહી વાત કરી મોબાઇલ હેક કરી ખાતામાંથી ૯૯,૯૪૭ રૂપિયા ઉપાડી લીધા હતા. મહિલાએ પોતાની સાથે ઓનલાઇન છેતરપિંડી આચરનાર ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પાલનપુરના લક્ષ્મીપુરા રોડ બાજુ આવેલ રામજીનગરમાં રહેતા અને પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા સીમાબેન રોઝને કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને બેન્ક ઓફ ઇન્ડિયાનો મેનેજર બોલું છું…

Read More

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી.આણંદમાં ચાઈનીઝ દોરી સાથે ત્રણ શખ્સો ઝડપાયા.પોલીસે રૂ.૧.૪૪ લાખની કિંમતનો ચાઈનીઝ દોરીનો જથ્થો અને એક મોબાઈલ ફોન મળી રૂ ૧.૫૪ લાખના મુદ્દામાલ કબજે કર્યો.આણંદ શહેરમાં સલાટીયા ફાટક પાસે આણંદ એલસીબી પોલીસે રૂ.૧.૪૪ લાખની કિંમતનો ચાઈનીઝ દોરીનો જથ્થો અને એક મોબાઈલ ફોન મળી રૂ.૧.૫૪ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી આણંદ શહેર પોલીસમથકમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આગામી ઉત્તરાયણના તહેવારને લઈને આણંદ જીલ્લા પોલીસ અધિક્ષક જી.જી.જસાણીની સુચના અને માર્ગદર્શન હેઠળ આણંદ એલસીબી પોલીસના માણસો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની હેરાફેરી, સંગ્રહ અને વેચાણની પ્રવૃત્તિ અટકાવવા સારું પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે, આણંદ…

Read More

જાહેર હિત એક જ ધર્મ પુરતુ સિમિત ના હોઇ શકે : એસજી.હેટ સ્પીચના તમામ મામલા પર નજર ના રાખી શકીએ : સુપ્રીમ.સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં દાવો કરાયો હતો કે એક ચોક્કસ વર્ગના લોકોનો આર્થિક અને સામાજિક રીતે બહિષ્કાર કરવાનું કેમ્પેઇન ચલાવાય છે.હેટ સ્પીચના એક મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશમાં પહેલાથી જ પોલીસ સ્ટેશન, હાઇકોર્ટાે છે. એવામાં દરેક નાની ઘટના પર ધ્યાન આપવું અમારા માટે શક્ય નથી. સાથે જ અરજદારને હાઇકોર્ટમાં અપીલ કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઇ હતી જેમાં દાવો કરાયો હતો કે એક ચોક્કસ વર્ગના લોકોનો આર્થિક અને સામાજિક રીતે બહિષ્કાર કરવાનું કેમ્પેઇન…

Read More

ઇમામે ફરિયાદ કરીને તેના પર એકશન લેવાની માગણી કરી.સોનમ બાજવા પંજાબની એક મસ્જિદમાં આપત્તિજનક શૂટિંગ કરતાં ધરપકડની માંગ.આ મસ્જિદ ભગત સાધનાના નામ પર બનાવવામાં આવી હતી, જેનું સિખ અને મુસ્લિમના બન્ને સમુદાયો સમ્માન કરે છે.પંજાબી અભિનેત્રી સોનમ બાજવા હાલ મુસીબતમાં મુકાઇ ગઇ છે. તે પોતાની આવનારી ફિલ્મ પીટ સ્યાપાનુ શૂટિંગ એક મસ્જિદમાં કરી રહી હતી ત્યારે વિવાદ ઊભો થયો હતો.પંજાબના શાહી ઇમામે  મસ્જિદની અંદર શૂટિંગ કરવા માટે ધાર્મિક ઠેસ પહોંચાડી હોવાની ફરિયાદ કરી છે. એટલું જ નહીં આ મસ્જિની અંદર શૂટિંગ કરવાપર પ્રતિંબંધ હોવાનું પણ જણાવ્યું હતું.આ બાબતે અભિનેત્રી અને ફિલ્મની ટીમ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. ફરિયાદમાંએમ પણ …

Read More