- ડેઈલી માર્કેટ રિપોર્ટ
- ભારતની બિનસાંપ્રદાયિકતા, રાજકારણની હકીકત અને લોકશાહી મૂલ્યો બચાવવાની જરૂર
- દેશની હાલત, પ્રદૂષણ, બેરોજગારી અને ગામડાંની અવગણના: વિકાસની આડઅસરો પર ચિંતાજનક દૃષ્ટિ
- સુરતમાં પ્રતિબંધિત ઈ-સિગારેટના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, 14 નંગ જપ્ત અને પોલીસની કાર્યવાહી
- ડાંગમાં પક્ષીઓના મોતથી બર્ડ ફ્લૂનો ખતરો, મહારાષ્ટ્ર સરહદે મરઘા પરિવહન પર રોક અને કડક ચેકિંગ
- કેરલમમાં કોંગ્રેસની મોટી જીત: UDF બહુમતી સાથે સરકાર, રાહુલ ગાંધીની રણનીતિની જીત
- અમેરિકામાં ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી, 66% લોકો નાખુશ, ઈરાન મુદ્દે ભારે અસહમતિ સર્વેમાં ખુલાસો વધુ જાણકારી રિપોર્ટ.
- ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026માં 14 જૂને ભારત-પાકિસ્તાન ટક્કર, બર્મિંગહામમાં રોમાંચક મેચ, સાંજે 7 વાગે.
Author: Garvi Gujarat
અમદાવાદીઓને હજુ ૩ દિવસ હાલાકી ભોગવવી પડશે.અમદાવાદના સુભાષ બ્રિજનો સેફ્ટી રિપોર્ટ અંતે લંબાયો.કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ રિપોર્ટ આગામી ૨૮ ડિસેમ્બર સુધીમાં સબમિટ કરવામાં આવશે.અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જાેડતા મહત્વના સુભાષ બ્રિજની સ્થિતિ અંગેનો ટેકનિકલ રિપોર્ટ હવે વિલંબિત થયો છે. અગાઉ આ રિપોર્ટ ૨૫ ડિસેમ્બર સુધીમાં આવવાની શક્યતા હતી, પરંતુ હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ રિપોર્ટ આગામી ૨૮ ડિસેમ્બર સુધીમાં સબમિટ કરવામાં આવશે. પરિણામે, બ્રિજ હજુ વધુ ત્રણ દિવસ ટ્રાફિક માટે બંધ રહેશે. છસ્ઝ્રના અધિકારીઓના જણાવ્યા મુજબ, બ્રિજને રિપેરિંગ કરીને ફરી ખોલવો કે પછી તેના માળખામાં મોટા ફેરફારો કરવા તે અંગે હજુ સુધી કોઈ અંતિમ કે…
૮૪ બોલ, ૧૯૦ રન, ૧૬ ચોગ્ગા અને ૧૫ છગ્ગા…વૈભવ સૂર્યવંશીએ બનાવ્યો ODI મેચમાં વર્લ્ડ રેકોર્ડ.વૈભવ સૂર્યવંશી લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં બેવડી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.૧૪ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું બેટ ધૂમ મચાવી રહ્યું છે. ઘરેલુ ક્રિકેટમાં થોડા સમય માટે રહ્યા બાદ, તેણે A ન પોતાની પ્રતિભા સાબિત કરી. ત્યારબાદ તેણે ભારતની જુનિયર ટીમોમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું. હવે, ઘરેલુ ક્રિકેટમાં પાછા ફર્યા બાદ, તેણે એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. વિજય હજારે ટ્રોફીમાં, વૈભવ સૂર્યવંશીએ ૧૯૦ રનની ધમાકેદાર ઇનિંગ રમી. તેનો સ્ટ્રાઇક રેટ ૨૦૦થી વધુ હતો. તેણે આ ઇનિંગમાં ૩૧ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા. તેણે લિસ્ટ…
ચીનથી લઈને જાપાન સુધી આંચકા અનુભવાયા.તાઇવાનમાં ૬.૧ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ.લોકો ધરતીકંપથી ડરી ઘરની બહાર નીકળી ગયા હતા.દક્ષિણપૂર્વ તાઇવાનમાં મોટો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે (૨૪ ડિસેમ્બર)ની સાંજે ત્યાંના સ્થાનિક સમય અનુસાર ૫:૪૭ કલાકે ધરતી ધણધણી ઉઠી હતી. લોકો ડરી ઘરની બહાર નીકળી ગયા હતા. રિએક્ટર સ્કેલ ભૂકંપની તીવ્રતા ૬.૧ નોંધાઈ હતી. તેના ઝટકા ચીન, ફિલિપાઇન્સ અને જાપાન સુધી અનુભવાયા છે. સદનસીબે કોઈ જાનમાલને નુકસાન થયું નથી. તાઇવાનના કેન્દ્રીય મૌસમ પ્રશાસન (CWA) અનુસાર ભૂકંપનું કેન્દ્ર તાઈતુંગ કાઉન્ટી હોલથી ૧૦.૧ કિલોમીટર ઉત્તરમાં હતું, જેની ઊંડાઈ ૧૧.૯ કિલોમીટર હતી. અને તીવ્રતા ૬.૧ હતી. તાઇવાનમાં ભૂકંપની તીવ્રતા ૧ થી ૭ના સ્તર પર માપવામાં આવે…
કોહલીએ રચ્યો ઈતિહાસ.રોહિત શર્માએ પણ તોફાની બેટિંગ કરીને દિલ જીત્યા.કોહલીની વિસ્ફોટક બેટિંગથી દિલ્હીનો વિજય થયા.ભારતની પ્રતિષ્ઠિત સ્થાનિક વન-ડે ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીનો બુધવારથી શાનદાર પ્રારંભ થયો છે. આ વખતે ટૂર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ સુપરસ્ટાર્સ વિરાટ કોહલી અને રોહિત શર્મા રમતા જાેવા મળતા મેદાન પર રનનો વરસાદ થયો છે. દિલ્હી તરફથી રમતા વિરાટ કોહલીએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે મુંબઈ માટે રમતા હિટમેન રોહિત શર્માએ સિક્કિમના બોલરોની ધુલાઈ કરીને આક્રમક સદી ફટકારી ચાહકોને ખુશ ખુશ કરી દીધા છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આંધ્રને ટીમે ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૯૮ રન ફટકાર્યા હતા. જેના જવાબમાં દિલ્હીની ટીમે ૩૭.૪ ઓવરમાં ૬…
રેલવે AI ની મદદથી રોકશે અકસ્માત.હવે રેલની પટરીઓ ઉપર નહિ થાય પ્રાણીઓના મોત.હાથીઓના મોતની ઘટના બાદ પાટા પર AI નો ઉપયોગ કરીને હાથી અને વાઘને બચાવવાની તૈયારીઓ.આસામમાં પાટા પર ૭ હાથીઓના મૃત્યુ બાદ રેલ્વેએ AI-આધારિત સિસ્ટમનો ઉપયોગ કરીને એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. ભારતીય રેલ્વેએ રેલ્વે ટ્રેક પર હાથીઓ સહિત વન્યજીવનનું રક્ષણ કરવા માટે AI-આધારિત ઇન્ટ્રૂઝન ડિટેક્શન સિસ્ટમ (IDS)) તૈનાત કરી છે. આ સિસ્ટમ ડિસ્ટ્રિબ્યુટેડ એકોસ્ટિક સિસ્ટમ ((IDS)) ટેકનોલોજી પર આધારિત છે, જે પાટા નજીક હાથીઓની હાજરી શોધી કાઢશે. નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વે (DAS) ના ૧૪૧ રૂટ કિલોમીટર પર સિસ્ટમ સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી છે. સકારાત્મક પરિણામો બાદ, ૯૮૧ રૂટ કિલોમીટર…
અમારી વિચારધારા એક જ છે : ઉદ્ધવ ઠાકરે.૨૦ વર્ષ બાદ એક સાથે આવ્યા ઠાકરે બંધુઓ, BMC ચૂંટણી ગઠબંધનમાં લડવા કરી જાહેરાત.મુંબઈ અમારા ઝઘડાથી મોટું છે, આજે અમે બંને ભાઈ સાથે છીએ : સીટોની વહેંચણી પણ મહત્ત્વની નથી : મેયર મરાઠી હશે અને તે અમારો હશે : રાજ ઠાકરે.બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (મ્સ્ઝ્ર)ની ચૂંટણી આવતા મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ગરમાવો આવી જાય છે. આ ચૂંટણીમાં ૨૦ વર્ષ પછી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકસાથે જાેવા મળી રહ્યા છે. શિવસેના (ઉદ્ધવ જૂથ) અને રાજ ઠાકરેની (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)એ જાહેર કર્યું છે કે, હવે તેઓ મહારાષ્ટ્રની ૨૯ મહા નગરપાલિકાની ચૂંટણી સાથે મળીને લડશે. આ જાહેરાત…
બલોચ સમુદાયની લાગણી દુભાવવાનો આરોપ.ધુરંધર ફિલ્મ ડાયલોગ વિવાદ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો.અરજીમાં તમામ પ્લેટફોર્મ પર વાંધાજનક ડાયલોગ પ્રદર્શન અને પ્રસાર પર રોક લગાવવાની માંગ કરાઈ.તાજેતરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ધુરંધરમાં બલોચ સમાજ સંબંધિત ડાયલોગ પર રોક લગાવવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મમાં કથિત ડાયલોગથી બલોચ સમુદાયની લાગણી દુભાઇ છે.અરજદાર યાસીન અલ્લારખા બલોચ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ફિલ્મમાં વિવાદિત પ્રકારનો ડાયલોગ સામેલ કરવા બદલ ડિરેક્ટર આદિત્ય ધાર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.અરજદારે અરજીમાં રજૂઆત કરી છે કે હાઈકોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના…
ખનિજ ખોદકામ માટે.અરવલ્લીની ગિરિમાળા કપાશે તો ઉત્તર ગુજરાત રણમાં ફેરવાઈ જશે.આ પર્વતમાળા ગુજરાતમાં આવતા ગરમ પવનને રોકવામાં મદદરૂપ થાય છે, ત્યારે પર્વતમાળાની ઉંચાઇ ઘટે તે ગુજરાતને પોષાય તેમ નથી.ઉત્તર ભારતથી લઈ ગુજરાત સુધી ફેલાયેલી અરવલ્લી પર્વતમાળમાં ખોદકામના મુદ્દે દેશભરમાં ‘અરવલ્લી બચાવા અભિયાન’ શરૂ થઈ ગયું છે. વિકાસના નામે વિનાશની પરવાનગીથી પર્યાવરણનો સફાયો થતાં ઈકો સિસ્ટમ પર તેની ખરાબ અસરો પડશે. ગુજરાત રાજસ્થાનની સરહદ પર પહાડો અને વનરાજીના અલૌકિક અદ્દભૂત દ્રશ્ય જાેવા મળે છે. તસ્વીરમાં બનાસકાંઠામાં આવેલા જેસોર હિલથી દેખાતી અરવલ્લી પર્વતમાળાના અદ્ભુત દર્શન થાય છે. આવા સુંદર દેખાતા પર્વતો પર ‘બુલડોઝરો’ ફરી વળશે અને ખાનાખરાબી કરશે. ખનીજ માટેનું ખનન પર્યાવરણને…
૧૦૦ મીટરની નવી વ્યાખ્યાને પડકારતી અરજીને સર્વોચ્ચ અદાલતે સ્વીકારી.અરવલ્લી પર્વતમાળાનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો.આ અરજીમાં દક્ષિણ હરિયાણાના ભૂતપૂર્વ વન સંરક્ષકે દલીલ છે કે આ પર્વતમાળા માટે ૧૦૦ મીટરના માપદંડથી તેના સંરક્ષણ પ્રયાસો નબળા પડશ. ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયેલી અરવલ્લી પર્વમાળાનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ખાણકામને છૂટ આપવા માટે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની એક સમિતિએ અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા નિર્ધારિત કરી છે. આ વ્યાખ્યાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. હરિયાણા વન વિભાગના એક નિવૃત્ત અધિકારીએ દાખલ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે સ્વીકારી છે.૧૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પહાડને જ ‘અરવલ્લી પર્વત’ માનવામાં આવશે, તેવી સમિતિની ભલામણને ૨૦ નવેમ્બરે સુપ્રીમ કોર્ટે…
ISRO એ રચ્યો ઇતિહાસ રચ્યો : હવે સ્પેસમાંથી સીધું ઈન્ટરનેટ મળશે.નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ બ્લૂબર્ડ બ્લૉક-૨ લોન્ચ.આ સેટેલાઇટમાં ૨૨૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલું વિશાળ એન્ટેના લગાવવામાં આવ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી મોટું એન્ટેના માનવામાં આવે છે.ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આજે ઈતિહાસ રચી દીધો છે. બુધવારે સવારે ૮:૫૪ વાગ્યે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા લોન્ચ પેડ પરથી બ્લૂબર્ડ બ્લોક-૨નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ એક નેક્સ્ટ જનરેશન કમ્યુનિશકેશન સેટેલાઇટ છે. ઈસરોએ તેના સૌથી શક્તિશાળી રોકેટ LVM3 ની મદદથી અમેરિકન કંપની AST સ્પેસમોબાઈલના બ્લૂબર્ડ બ્લૉક-૨ કમ્યુનિકેશન સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ કર્યાે હતો. આ રોકેટની છઠ્ઠી ઓપરેશનલ ઉડાન (LVM3-M6))…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



