- સ્ટ્રેસ દૂર કરવા મહિલાએ ₹258 કરોડની ઓનલાઈન શોપિંગ કરી, 2,000 ઓર્ડર કેન્સલ કરતાં જેલ
- મહિલા અનામત કાયદા પર રિજિજુ-રાહુલ આમને-સામને, રાહુલનો સવાલ: ‘3 વર્ષથી બિલ કેમ લાગુ નથી?’
- ફ્રાન્સ સાથે ભારતની મોટી ડીલ! છઠ્ઠી પેઢીના ફાઈટર જેટ માટે FCASમાં જોડાવાની તૈયારી
- ગુજરાતમાં 14 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ, 10 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
- ગોપાલ ઇટાલિયાનો સી.આર. પાટીલને પડકાર: ‘સુરતની દેશની શ્રેષ્ઠ 50 સરકારી શાળાઓનું લિસ્ટ જાહેર કરો’
- ખેડૂત નેતા પિયૂષ પરમાર પર 9મી FIRનો દાવો, કહ્યું: ‘ખેડૂતો માટે લડતો રહીશ, ડરવાનો નથી’
- ખેડૂત નેતા પિયુષ પરમાર સામે ફરિયાદ મામલે AAPનો વિરોધ, પ્રવીણ રામે ભાજપ પર સાધ્યું નિશાન
- અમદાવાદમાં રાષ્ટ્રીય હથકરઘા દિવસની ઉજવણી, 280 સહભાગીઓની હાજરીમાં વણકરોને રાજ્ય હથકરઘા પુરસ્કાર એનાયત
Author: garvigujrat
રોકાણકારોને ભારે નુકસાન થયું.મિડલ ઈસ્ટમાં તણાવથી શેરબજારમાં ઉથલપાથલ.સેન્સેક્સ ૭૪,૫૬૩.૯૨ પોઈન્ટ પર, જ્યારે NSE નિફ્ટી ૫૦ ૪૮૮.૦૫ પોઈન્ટ ઘટીને ૨૩,૧૫૧.૧૦ ના સ્તરે બંધ થયા.મિડિલ ઈસ્ટમાં પેદા થયેલા વાતાવરણે વૈશ્વિક સહિત ભારતીય ઘરેલું બજારના વલણને ખરાબ કરવાનું કામ કર્યું છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ બજારમાં જાેરદાર ઘટાડો જાેવા મળ્યો હતો. સેન્સેક્સ ૧૪૭૦.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૪,૫૬૩.૯૨ પોઈન્ટ પર, જ્યારે NSE નિફ્ટી ૫૦ ૪૮૮.૦૫ પોઈન્ટ ઘટીને ૨૩,૧૫૧.૧૦ ના સ્તરે બંધ થયા હતા. ડરના આ વાતાવરણ વચ્ચે રોકાણકારોએ ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. બજારમાં ચાલી રહેલા આ ઘટાડાથી રોકાણકારોને જબરદસ્ત નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આંકડાઓની વાત કરીએ તો, આ સપ્તાહે રોકાણકારોને કુલ…
માર્ચમાં જ શરૂ થશે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી.ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં તાપમાનમાં ૨ થી ૫ ડિગ્રીનો ઘટાડો નોંધાશે.સિસ્ટમની અસરને પગલે ૧૮ થી ૨૦ માર્ચ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા.રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી આકરી ગરમી વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં તાપમાનમાં ૨ થી ૫ ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જેનાથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ રહી છે. આ સિસ્ટમની અસરને પગલે ૧૮ થી ૨૦ માર્ચ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં…
નરેન્દ્ર મોદીએ મમતા સરકાર પર આકરા પ્રહાર કર્યા.વડાપ્રધાન મોદીએ શિલાંગ-સિલચર કોરિડોર પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કર્યું.પ્રોજેક્ટ તૈયાર થયા બાદ હાલ ગુવાહાટી-સિલચર વચ્ચેનો સફર પુરો કરવામાં જે ૮.૫ કલાકનો સમય લાગે છે, તે માત્ર પાંચ કલાકમાં પુરો થઈ શકે છે.વડાપ્રધાને આસામમાં આજે એવા કોરિડોર પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું છે, જેનાથી એક સાથે પાંચ રાજ્યોને ફાયદો થશે. વડાપ્રધાને આજે શિલાંગ-સિલચર કોરિડોર પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કર્યું છે, જેનાથી આસામ સહિત મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા અને મણિપુર સહિતની કનેક્ટિવીટીમાં વધારો થશે. વડાપ્રધાન આ પ્રસંગે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા છે. વડાપ્રધાને કહ્યું છે કે, કોંગ્રેસ યુદ્ધ જેવા ગંભીર સમયમાં દહેશત ફેલાવવાની કામગીરી કરી રહી છે. પ્રોજેક્ટ…
લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખે પત્ની, માતા અને ભાગીદાર સાથે મળી રેકેટ ચલાવ્યું.વેપારીને શેરબજારમાં રોકાણ કરાવવાના નામે ૪ વ્યક્તિએ ૪ કરોડની ઠગાઇ આચરી.વેપારીએ આ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી.સેટેલાઈટમાં રહેતા વેપારીને શેરબજારમાં રોકાણ કરી મોટું વળતર આપવાની લાલચ આપીને લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ અને સભ્યે કુલ શ્ ૪.૦૪ કરોડની છેતરપિંડી આચરી છે. આરોપીએ શેરબજારમાં રોકાણ કરવાની વાત કરીને પત્ની, માતા અને ભાગીદારના નામે આખું રેકેટ ચલાવીને અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ થઇ છે. વેપારીએ આ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ…
બ્રાન્ડના નામે શુદ્ધ ઘી તરીકે નકલી ઘી પધરાવી દેવાતું.સુરતના વેલંજામાં દોઢ વર્ષથી ધમધમતું નકલી ઘીનું કારખાનું ઝડપાયું.૩.૫૦ લાખની કિંમતનું ૫૮૩ કિલો નકલી ઘી, ૨૨૦૦ નંગ સહિત વિવિધ સામગ્રી પોલીસે ઝપ્ત કરી હતી.સુરતના ઉમરા-વેલંજા રોડ પર આવેલા અવસર પ્લાઝામાં છેલ્લા દોઢ વર્ષથી ચાલતી નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર ઉત્રાણ પોલીસે દરોડો પાડી ૫૮૩ કિલોગ્રામ તૈયાર નકલી ઘી સહિત અંદાજે પાંચ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે. આ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે ફેક્ટરીનો માસ્ટર માઈન્ડ વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, અવસર પ્લાઝાની દુકાન નંબર ૧૦૬ અને ૧૦૮માં આ કૌભાંડ ચાલી રહ્યું હતું. આરોપી…
દેસુન હોસ્પિટલે મેનુમાં ફેરફાર કર્યા.સરકારની ખાતરી છતાં દેશભરમાં રાંધણગેસનો કકળાટ યથાવત.સિલિન્ડર માટે ઠેરઠેર લાંબી કતારો, ઘણી હોટેલ-રેસ્ટોરન્ટ બંધ કરવાની નોબત, હોટેલોમાં ‘ઇમર્જન્સી મેનુ’ તૈયાર કરાયા.દેશમાં રાંધણ ગેસ (એલપીજી)ની કોઇ અછત ન હોવાનું સરકારે ભારપૂર્વક જણાવ્યું હોવા છતાં શુક્રવારે પણ દેશભરમાં લોકોમાં ગભરાટનો માહોલ ચાલુ રહ્યો છે. ગેસ સિલિન્ડર મેળવવા માટે ઠેર ઠેર લાંબી કતારો જાેવા મળી હતી. ઘણા હોટેલ-રેસ્ટોરન્ટ બંધ કરવાની નોબત આવી છે તથા સંગ્રહખોરી અને કાળા બજારના અહેવાલ આવ્યાં હતાં. ઘણા હોટેલ, રેસ્ટોરન્ટ માલિકો બિઝનેસ બંધ થતા આર્થિક મુશ્કેલીમાં ફસાયા છે.શુક્રવારે પણ સરકારે સ્પષ્ટતા કરી હતી કે ઘરોમાં એલજીપીનો સપ્લાય અવિરતપણે ચાલુ છે અને સિલિન્ડર માટે પેનિક બુકિંગ…
ધરતીપુત્રોનો કેમ થઇ રહ્યો છે મોહભંગ!.ગુજરાતના સાત જિલ્લામાં ૧૬૩૫૨ જમીન ‘બિન ખેતી’.એક તરફ વાતાવરણ વારંવાર દગો કરી રહ્યું છે, બીજી તરફ જણસોના પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળતા નથી.ખેડૂતોની આવક બમણી કરવાની ગુલબાંગો વચ્ચે શહેરીકરણ અને ઔદ્યોગિકરણ તરફની આંધળી દોટના કારણે ખેતી નષ્ટ થઈ રહી હોવાનું ચિત્ર સામે આવ્યું છે. ગુજરાતના સાત જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન ખેતીની ૧૬,૩૫૨ જમીનો ‘બિન ખેતી’ થઈ ગઈ છે. એટલે કે આટલા ધરતીપુત્રોએ ખેતી તરફથી મોઢું ફેરવી લીધું છે. ખાસ કરીને વિપરીત સંજાેગો વચ્ચે પણ ખેતી કરતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા હોવાથી હવે તેઓ પરંપરાગત વ્યવસાય તરફથી મોઢું ફેરવી રહ્યા છે.ભારત કૃષિ પ્રધાન દેશ છે.…
યુદ્ધ વચ્ચે અમેરિકાએ લીધો મોટો ર્નિણય.અમેરિકાએ મિડલ ઈસ્ટમાં ૨૫૦૦ મરીન-યુદ્ધ જહાજ રવાના કર્યા.ઈરાનની રાજધાની તેહરાનમાં જ્યારે હજારો લોકો કુદ્સ ડે રેલી માટે એકઠા થયા હતા, ત્યારે ફર્ડાૈસી સ્ક્વેર પાસે એક ભયાનક ધડાકો થયો હતો.ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા સંઘર્ષમાં હવે એક નવો વળાંક આવ્યો છે. પશ્ચિમ એશિયામાં સતત વધતા તણાવને જાેતા અમેરિકાએ આક્રમક વલણ અપનાવ્યું છે. અમેરિકી સંરક્ષણ વિભાગે આ ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરવા માટે જંગી સૈન્ય જમાવટ કરવાનો ર્નિણય લીધો છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાન તરફથી વધી રહેલા ખતરાને રોકવાનો અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં સુરક્ષા સુનિશ્ચિત કરવાનો માનવામાં આવી રહ્યો છે. તાજેતરના અહેવાલ મુજબ,…
રિશીના નામના ઉપયોગ માટે પૂર્વમંજૂરી અનિવાર્ય.રિશી કપૂરના મરણોપરાંત પર્સનાલિટી રાઈટ્સ મેળવાયા.એઆઈની જમાનામાં ચેડાં ન થાય અને કમર્શિયલ દુરુપયોગ અટકે તે માટે કપૂર પરિવારનું પગલું.રિશી કપૂરનાં નિધનનાં છ વર્ષ બાદ હવે કપૂર પરિવારે તેની પર્સનાલિટીનાં મરણોત્તર કોપીરાઈટ્સ મેળવ્યા છે. હવે પછીથી રિશી કપૂરનાં નામનો કોઈપણ પ્રકારે ધંધાદારી ઉપયોગ કરનારી વ્યક્તિ કે સંસ્થાએ પહેલાં કપૂર પરિવારની આગોતરી મંજૂરી લેવી પડશે. રિશી કપૂરનો વારસો જાળવી રાખવા માટે આ પગલું લેવાયું છે. વિશ્વભરમાં મૃત્યુ પામી ચૂકેલા કલાકારોની પર્સનાલિટી તથા ઈમેજ જાળવી રાખવા માટે આ પ્રકારના રાઈટ્સ મેળવવાની પ્રથા છે. હાલમાં એઆઈની મદદથી મૃત્યુ પામી ચૂકેલા કલાકારોના અવાજ, ઈમેજ, વિડીયો હૂબહૂ રિજનરેટ કરવાનો ચીલો શરુ…
૧૬ વર્ષ પછી ફ્રેન્ચાઈઝીને આગળ વધારાશે.પ્રકાશ ઝાએ રાજનીતિ ટુ બનાવવા માટે તૈયારીઓ શરુ કરી.જાેકે, મૂળ ફિલ્મના કલાકારો રણબીર અને કેટરિના રીપિટ થશે કે કેમ તે હજુ જાહેર નથી કરાયું.કંઈક અંશે મહાભારતનું કથાનક તો અમુક રીતે ક્લાસિક હોલિવુડ ફિલ્મ ‘ગોડફાધર’ પરથી પ્રેરિત ફિલ્મ ‘રાજનીતિ’નો બીજાે ભાગ બની રહ્યો છે. દિગ્દર્શક પ્રકાશ ઝાએ પોતે કન્ફર્મ કર્યું છે કે પોતે ફિલ્મની તૈયારી ચાલુ કરી દીધી છે. હાલ ફિલ્મ પ્રિ પ્રોડક્શન સ્ટેજમાં છે. જાેકે, મૂળ ફિલ્મના કલાકારો રણબીર કપૂર, કેટરિના કૈફ, અજય દેવગણ તથા નાના પાટેકર આ ફિલ્મમાં પણ રીપિટ થશે કે કેમ તે હજુ જાહેર કરાયું નથી. ૧૬ વર્ષ પહેલાં આવેલી મૂળ ફિલ્મનો…




