Author: Garvi Gujarat

SIR કેટલાનો ભોગ લેશે? ખેડા બાદ હવે વડોદરાના BLO ને આવ્યો હાર્ટ એટેક સાથીઓએ જણાવ્યું કે, ૧૦ દિવસથી તેઓ એક જ વખત જમી રહ્યા હતા અને વ્યવસ્થિત ઊંઘ પણ લઈ રહ્યા ન હતા SIR ની કામગીરીના ભારે તણાવ વચ્ચે ફરી એક દુ:ખદ ઘટના સામે આવી છે. વડોદરાના પાદરા તાલુકાના બૂથ લેવલ ઓફિસર (BLO) જુલ્ફીકર પઠાણને અચાનક હાર્ટ એટેક આવતાં તેમની તબિયત લથડી છે. છાતીમાં અસહ્ય દુખાવો થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાથી કર્મચારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસથી જુલ્ફીકરભાઈ ભારે તણાવમાં હતા. SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) કામગીરીનું એટલું બધું દબાણ હતું કે, તેઓ રાત-દિવસ કામમાં જ લાગેલા રહેતા…

Read More

નિવૃત્તિ અગાઉ CJI ગવઇએ ચોંકાવ્યા બુલડોઝર જસ્ટિસ વિરુદ્ધ મારો ચુકાદો સૌથી મહત્ત્વપૂર્ણ આયોજિત વિદાય સમારોહમાં તેમણે કહ્યું, “બુલડોઝર ન્યાય એ કાયદાના શાસનના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ છે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) દ્વારા આયોજિત વિદાય સમારોહમાં, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈએ એક નવી પરંપરા સ્થાપિત કરતા પોતાના દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ પર જાહેરમાં ટિપ્પણી કરી હતી. રવિવારે નિવૃત્ત થઈ રહેલા CJI ગવઈએ કહ્યું કે કારણ કે હવે તેમની પાસે કોઈ ન્યાયિક કાર્ય બચ્યું નથી, તેથી તેઓ પોતાના ર્નિણયો પર ખુલીને વાત કરી શકે છે. CJI ગવઈએ બુલડોઝર ન્યાય વિરુદ્ધ આપેલા ચુકાદાને તેમની કારકિર્દીનો સૌથી મહત્વપૂર્ણ ર્નિણય ગણાવ્યો. તેમણે કહ્યું, “બુલડોઝર…

Read More

વડાપ્રધાન મોદી ઝૂકીને હાથ જાેડીને અભિવાદન સ્વીકાર્યું મોદી સિવાય કદાચ કોઈ વડાપ્રધાનને નહીં મળ્યું હોય આવું ‘સાષ્ટાંગ’ સન્માન પરંપરાગત સંગીત, નૃત્ય અને રંગબેરંગી આફ્રિકન સંસ્કૃતિ વચ્ચે મહિલાઓએ જમીન પર સૂઈને સન્માન કર્યું દક્ષિણ આફ્રિકાના જાેહાનિસબર્ગ એરપોર્ટ પર શુક્રવારે એક એવી ક્ષણ જાેવા મળી, જેણે ભારતની વધતી જતી વૈશ્વિક પ્રતિષ્ઠાને સમગ્ર વિશ્વની સામે વધુ ઊંચી કરી દીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ‘ભારત’ લખેલા ખાસ વિમાનમાંથી બહાર નીકળ્યા, ત્યારે એરપોર્ટ પર હાજર સ્થાનિક મહિલા કલાકારોએ જે રીતે તેમનું સ્વાગત કર્યું, તે માત્ર ભવ્ય જ નહોતું, પરંતુ ઐતિહાસિક હતું. પરંપરાગત સંગીત, નૃત્ય અને રંગબેરંગી આફ્રિકન સંસ્કૃતિ વચ્ચે મહિલાઓએ જમીન પર સૂઈને જે રીતે…

Read More

બાળકો અને વૃદ્ધો માટે એલર્ટ જાહેર દિલ્હીમાં શ્વાસ લેવામાં પણ તકલીફ, AQI 439 પર પહોંચ્યો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર આગામી ત્રણથી ચાર દિવસ સુધી હવાની ગુણવત્તામાં સુધારો થવાની કોઈ આશા નથી રાજધાની દિલ્હીમાં આજે શનિવારે હવા ફરી એકવાર ઝેરી બની છે. સવારે AQI 439 પર ભયાનક સ્તરે પહોંચ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર, આ હવાની ગુણવત્તા અત્યંત ખતરનાક માનવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, PM2.5 સ્તર ૨૯૪ માઇક્રોગ્રામ અને PM10 સ્તર ૩૯૦ માઇક્રોગ્રામ સુધી પહોંચ્યું છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા મુજબ, આગામી ત્રણથી ચાર દિવસ સુધી હવાની ગુણવત્તામાં સુધારો થવાની શક્યતા નથી. આ વચ્ચે રાહત એ છે કે,…

Read More

૧૦૦થી વધુ ઈજાગ્રસ્ત, મકાનો ધરાશાયી ૫.૭ના ભૂકંપે બાંગ્લાદેશમાં મચાવી તબાહી, ૧૦ના મોત ભૂકંપનું કેન્દ્રબિંદુ (એપિસેન્ટર) ઢાકાથી લગભગ ૧૩ કિલોમીટર દૂર આવેલા નરસિંગડીમાં નોંધાયું હતું, જ્યાં સૌથી વધુ નુકસાન થવા પામ્યું હતું ઢાકા, બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને તેની આસપાસના વિસ્તારો સવારે ૫.૭ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યા હતા. આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને ૧૦ પર પહોંચી ગયો છે, જ્યારે ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ (એપિસેન્ટર) ઢાકાથી લગભગ ૧૩ કિલોમીટર દૂર આવેલા નરસિંગડીમાં નોંધાયું હતું, જ્યાં સૌથી વધુ નુકસાન થયું છે. આ ભૂકંપના આંચકા ભારતના પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરા સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં પણ અનુભવાયા હતા. શુક્રવારે…

Read More

ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ૧૪ થી ૩૫ વર્ષની વય ધરાવતા યુવક –યુવતીઓએ તા.૩૦ નવેમ્બર ૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા વિદ્યાર્થી અને વિદ્યાર્થી ન હોય તેવા યુવક-યુવતીઓ માટે ‘ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા” યોજવામાં આવે છે. જે અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા એક દિવસની “રાજ્યકક્ષા ગીરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા જાન્યુઆરી—૨૦૨૬માં ગીરનાર જૂનાગઢ ખાતે યોજવામાં આવશે તેમ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.…

Read More

ફિલ્મમાં તાનિયા માનિકતલાની પણ ભૂમિકારાજકુમાર રાવ, કિર્તી સુરેશની નવી ફિલ્મનું ટાઈટલ શિક્ષક નક્કી થયુંએકશન હિરો બનવાના ફાંફા મારી ચૂકેલા રાજકુમાર રાવ ફરી ગંભીર ભૂમિકાઓ તરફ જાેવા મળી રહ્યો છે.રાજકુમાર રાવ અને કિર્તી સુરેશની આગામી ફિલ્મનું ટાઈટલ ‘શિક્ષક‘ નક્કી થયું છે. ટાઈટલ પરથી ખ્યાલ આવે છે તેમ આ ફિલ્મ એજ્યુુકેશન સેક્ટરને લગતી હશે. ફિલ્મમાં તાનિયા માનિકતલા પણ મહત્વની ભૂમિકામાં હશે. આદિત્ય નિમ્બાલકર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. આદિત્ય અગાઉ અનેક ફિલ્મોમાં એસોસિએટ ડિરેક્ટર તથા રાઈટર રહી ચૂક્યા છે. સ્વતંત્ર દિગ્દર્શક તરીકે તેમની આ પહેલી ફિલ્મ હશે. રાજકુમાર રાવ આ વર્ષે ‘માલિક‘ જેવી ગેંગસ્ટર ડ્રામા દ્વારા એક્શન હિરો બનવાના ફાંફા મારી…

Read More

૪૦ દિવસ સુધી પથારીવશ રહી”દે દે પ્યાર દે ૨”ના સેટ ઉપર ઘાયલ થઈ હતી રકુલ પ્રીત સિંહરકુલે જણાવ્યું કે તે ફિઝિયોથેરાપિસ્ટને સાથે રાખીને કામ કય. અજય દેવગણ અને રકુલ પ્રીત સિંહની દે દે પ્યાર દે ૨બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે, અને જેમાં રકુલ પ્રીત સિંહના અભિનયની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મમાં કોમેડી અને રોમાંસ બંને જાેવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૧૯ની ફિલ્મની સિક્વલમાં ઘણી નવી એન્ટ્રીઓ થઈ અને તે સિનેમાઘરોમાં ધમાકેદાર હિટ રહી છે. રકુલ પ્રીત સિંહે પોતાના અભિનથી લોકોના દિલ જીતી લીધા છે. તેના શાનદાર અભિનયથી દર્શકો અને ક્રિટિક્સ બંને પ્રભાવિત થયા છે.…

Read More

અનિતા પડ્ડા સાથેના સંબંધો પર અહાન પાંડેએ તોડ્યું મૌનમારી અને અનિતા પડ્ડા વચ્ચે કોઈ રોમેન્ટિક સંબંધ નથી.ફિલ્મ સૈયારામાં અહાન પાંડે અને અનિત પડ્ડાની રોમેન્ટિક કેમેસ્ટ્રી લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.અહાન પાંડે અને અનિત પડ્ડાની ફિલ્મ “સૈયારા”એ બોક્સ ઓફિસ પર જાેરદાર કલેક્શન કર્યું અને દર્શકોના દિલ ઉપર રાજ પણ કર્યું. તેમની ઓનસ્ક્રીન જાેડીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી, અને તેમની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ દરમિયાન એવી અટકળો શરૂ થઈ ગઈ હતી કે, અહાન પાંડે અને અનિત પડ્ડા રિયલ લાઈફમાં ડેટિંગ કરી રહ્યા છે. કરણ જાેહરે સંકેત આપ્યો હતો કે, આગામી વર્ષોમાં આ બંને બોલિવૂડના…

Read More

એક ગંભીર અને ચોંકાવનારો કેસ બહાર આવ્યોસુરતમાં નકલી દસ્તાવેજાે સાથે અફઘાની નાગરિક ઝડપાયો.નકલી જન્મ પ્રમાણપત્રના આધાર પર ભારતીય પાસપોર્ટ સહિત અનેક સંવેદનશીલ દસ્તાવેજાે મેળવવામાં સફળ થયો.સુરત શહેરમાં નકલી દસ્તાવેજાેના આધારે ભારતીય નાગરિકતા મેળવવાનો એક ગંભીર અને ચોંકાવનારો કેસ બહાર આવ્યો છે. અફઘાનિસ્તાનનો મૂળ રહેવાસી અને વર્ષોથી સુરતમાં વસવાટ કરતો એક વ્યક્તિ નકલી જન્મ પ્રમાણપત્રના આધાર પર ભારતીય પાસપોર્ટ સહિત અનેક સંવેદનશીલ દસ્તાવેજાે મેળવવામાં સફળ થયો હતો. પરંતુ, શ્રમ અધિકારીની કાર્યવાહી દરમિયાન આ ભેજાબાજનો ભાંડો ફૂટ્યો છે, ત્યારે સમગ્ર મામલે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં હવે ગંભીર ગુનો નોંધાયો અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.માહિતી મુજબ, આરોપી મોહમદ આમીર જાવીદ ખાન (ઉંમર…

Read More