
- અમદાવાદ બગોદરામાં દારૂ ભરેલ ટ્રક ઝડપાયો, ૯૩.૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત
- વલસાડમાં ૧.૭ તીવ્રતાનો હળવો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં
- બોટાદ ગઢડામાં જૂથ અથડામણ, સામાન્ય ઝઘડો હિંસામાં ફેરવાયો, ૧૧ સામે કેસ, ૯ અટકાયત
- ગાંધીનગર કોબા રોડ પર હિટ એન્ડ રન, ૧૮ વર્ષીય યુવકનું મોત, ચાલક ફરાર
- અમદાવાદમાં ભાજપના ૪૮ વોર્ડ માટે ૧૯૨ બેઠકો માટે ૨૩૬૪ દાવેદારો, મહિલા-પુરુષ બંનેનો ભારે ધસારો
- મધ્યપ્રદેશ અનૂપપુરમાં ૪ માળની હોટલ ધરાશાયી, ૧ મૃત્યુ, ૬-૭ લોકો દટાવાની આશંકા
- કેન્દ્રનું નિવેદન: દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPG પૂરતો સ્ટોક, ગભરાટમાં ખરીદી ટાળો
- અમદાવાદમાં વાનરને ખાવાનું આપવું હેરાનગીરૂપ ગુનો, ત્રણ વર્ષની જેલ અને દંડ લાગશે
Author: Garvi Gujarat
લોકોના આરોગ્ય સાથે ચેડાંવલસાડમાં એક્સપાયરી ડેટવાળા સોસનું વેચાણખાસ કરીને ગ્રીન ચીલી સોસની બોટલો એક્સપાયરી ડેટવાળી મળી આવતા ગ્રાહકોમાં રોષ ફેલાયો છે.વલસાડના તિથલ રોડ પર આવેલા પોસ્ટ વિસ્તારમાં આવેલી અનમ લો પ્રાઇઝ નામની દુકાનમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં થવાની ગંભીર ઘટના સામે આવી છે. આ દુકાનમાં રાખેલા ખાદ્ય પદાર્થોનું મટીરીયલ એક્સપાયરી ડેટ વાળું હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને ગ્રીન ચીલી સોસની બોટલો એક્સપાયરી ડેટવાળી મળી આવતા ગ્રાહકોમાં રોષ ફેલાયો છે. એક ગ્રાહકે આ બાબતે દુકાન માલિકને ફરિયાદ કરી હતી પરંતુ દુકાન માલિકે ઉડાઉ જવાબ આપ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. જે દુકાનની બેદરકારીને સ્પષ્ટ દર્શાવે છે. એક્સપાયરી…
સૌથી વધુ રજીસ્ટ્રેશન ધાનેરામાં કરાવ્યુંટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવાયો.ટેકાના ભાવે ખેડૂતોને ૧૪૫૨ રૂપિયા મળી રહ્યા છે જ્યારે બજારમાં ૧૧૦૦થી ૧૨૫૦ રૂપિયા પ્રતિ ૨૦ કિલોએ મળી રહ્યા છે.રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં પ્રતિ ૨૦ કિલોએ ખેડૂતોને ૧૪૫૨ રૂપિયા આપવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. બજારમાં ખેડૂતોને ૧૧૦૦થી ૧૨૫૦ રૂપિયા મળી રહ્યા છે. જ્યારે મગફળીની ખરીદીમાં ખેડૂતોને વધુ પૈસા મળતા, ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ટેકાના ભાવે મગફળીનું બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ રજીસ્ટ્રેશન ધાનેરામાં કરાવ્યું હતું. ધાનેરામાં ૨૦,૭૧૪ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ટેકાના ભાવે ખેડૂતોને ૧૪૫૨ રૂપિયા મળી રહ્યા છે જ્યારે બજારમાં ૧૧૦૦થી ૧૨૫૦ રૂપિયા પ્રતિ ૨૦ કિલોએ…
તપાસમાં ૬ નમૂના ‘અનસેફ’ જાહેર થયા છેપનીર–ચીઝ–ઘીના નામે ભેળસેળનો ભાંડાફોડ થયો.સુરત શહેરમાં ફરી નકલી પનીર, ચીઝ અને ઘી મળી આવ્યા છે : રેડમાં લેવાયેલા અનેક સેમ્પલ ફેલ નીકળ્યા.આખા ગુજરાતમાં હવે ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે. આરોગ્ય વિભાગના દરોડામાં ઠેર ઠેર નકલી ખાણીપીણી પકડાઈ રહી છે. આવામાં સુરત નકલી વસ્તુઓનું હબ બની રહ્યુ છે. ચટાકાના શોખીન સુરતીઓએ હવે બહાર ખાવાથી ચેતી જવું જાેઈએ. કારણ કે, પનીર–ચીઝ–ઘીના નામે ભેળસેળનો ભાંડાફોડ થયો છે. SMC ના આરોગ્ય વિભાગની સઘન તપાસમાં ૬ નમૂના ‘અનસેફ’ જાહેર થયા છે. પનીર એનાલોગ, ચીઝ એનાલોગ અને ઘીના નમૂનાઓ ખાવાલાયક ન હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં ખૂલ્યું છે. ૩ થી ૧૫…
સુપ્રીમ કોર્ટેના ચુકાદા બાદ ઝ્રસ્ સ્ટાલિનની પ્રતિક્રિયાજ્યાં સુધી બંધારણમાં સુધારો નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રાખીશુંરાજ્યપાલ કારણવગર બિલ ન અટકાવી શકે : સ્ટાલિન.તામિલનાડુ વિ. રાજ્યપાલના કેસમાં રાષ્ટ્રપતિના રેફરન્સ પર સુપ્રીમે પોતાનો જ ર્નિણય બદલીને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, રાષ્ટ્રપતિ-રાજ્યપાલને સહી કરવા આદેશ ન આપી શકાય. ત્યારે સુપ્રીમ કોર્ટના વલણ બાદ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન પ્રતિક્રિયા આપી છે. મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને કહ્યું છે કે, ‘જ્યાં સુધી બંધારણમાં ફેરફાર કરીને રાજ્યપાલો દ્વારા બિલ મંજૂરીની સમય મર્યાદા નિશ્ચિત કરવામાં નહીં આવે, ત્યાં સુધી હું પીછેહટ નહીં કરું. અમે રાજ્યના અધિકારો અને સાચા સંઘીય માળખા માટે સંઘર્ષ ચાલુ રાખીશું. સુપ્રીમ કોર્ટે…
અમેરિકાએ કહ્યું ટૂંક સમયમાં જાહેરાતભારત પર લાદવામાં આવેલો ૫૦% ટેરિફ ઓછો કરવામાં આવી શકે છેઅધિકારીઓને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે, જાે અમેરિકા ટેરિફ ઘટાડે છે તો ભારત પણ ટેરિફ ઘટાડવા માટે તૈયાર છે.અમેરિકામાંથી એકબાજુ જ્યાં સતત એવા સંકેત મળી રહ્યા છે કે, ભારત પર લાદવામાં આવેલો ૫૦% ટેરિફ ઓછો કરવામાં આવી શકે છે. ખુદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ આવા નિવેદન આપવામાં આવ્યા છે. એવામાં હવે અહેવાલોનું માનીએ તો ભારત પણ અમેરિકાને રાહત આપવાના મૂડમાં નથી.India-US Trade Deal સાથે સંબંધિત અધિકારીઓને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે, જાે અમેરિકા ટેરિફ ઘટાડે છે તો ભારત પણ તમામ પ્રોડક્ટ પર ટેરિફ…
ભારતની મનિકા વિશ્વકર્મા ટોપ ૧૨માં સામેલ ન થઈ મિસ મેક્સિકોને મિસ યુનિવર્સના ખિતાબથી નવાજવામાં આવીજે યુવતીનું ‘Dumb Head‘ કહીને જાહેરમાં અપમાન કરાયું તેણે ઈતિહાસ રચ્યો, બની મિસ યુનિવર્સ ૨૦૨૫૨૧ નવેમ્બરના રોજ થાઈલેન્ડના બેંગકોકમાં વર્ષ ૨૦૨૫ની મિસ યુનિવર્સની ફિનાલે યોજાઈ. જે ભારતીય સમય મુજબ સવારે ૬.૩૦ વાગે શરૂ થઈ હતી. મળતી માહિતી મુજબ મિસ મેક્સિકોને મિસ યુનિવર્સના ખિતાબથી નવાજવામાં આવી છે. આ સાથે જ ફર્સ્ટ રનર અપ થાઈલેન્ડ, સેકન્ડ રનર અપ વેનેઝુએલા અને થર્ડ રનરઅપ ફિલિપાઈન્સની સુંદરીઓ રહી. આ સ્પર્ધામાં ભારતની ૨૨ વર્ષની મનિકા વિશ્વકર્મા વિવિધ દેશોની ૧૦૦થી વધુ બ્યુટી ક્વિન્સની સાથે કોમ્પિટિશનમાં હતી. પરંતુ એવા સમાચાર છે કે તે ટોપ…
શિક્ષકો માટે માથાનો દુખાવો બની SIR ની કામગીરીગુજરાત સહિત દેશમાં 8 BLO એ અત્યાર સુધી કર્યો આપઘાતદેશભરના ઘણા રાજ્યોમાં બુથ લેવલ ઓફિસર (BLO) ના સતત થઈ રહેલા મોતે ગંભીર ચિંતા પેદા કરી છે. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના છારા ગામમાં SIR નું કામ કરી રહેલા બુથ લેવલ ઓફિસર (BLO) અને શિક્ષક અરવિંદ વાઢેરે કામના ભારણને કારણે આપઘાત કરી લીધો છે. આ ઘટનાએ શિક્ષણ સમુદાયને હચમચાવી દીધો છે અને શિક્ષક સંઘમાં ભારે આક્રોશ પેદા કર્યો છે. ૪૦ વર્ષીય અરવિંદ વાઢેરે આપઘાત પહેલા પત્નીને સંબોધિત એક ભાવુક સ્યુસાઇડ નોટ લખી છે. જેમાં તેમણે લખ્યું- મારાથી હવે આ જીૈંઇનું કામ થઈ શકશે…
દુર્ઘટનામાં પાયલટનું મોત નિપજ્યું. દુબઈ એર શો દરમિયાન અચાનક જમીન પર પડ્યું તેજસ વિમાનવિમાન હવામાં શાનદાર વળાંક લઈ રહ્યું હતું, ત્યારે અચાનક તેણે નિયંત્રણ ગુમાવી દીધું હતું : વિમાન જમીન પર પડવાની સાથે જાેરદાર ધમાકો થયોદુબઈ એર શો દરમિયાન એવી તસવીર સામે આવી છે, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ભારતનું સ્વદેશી હળવું લડાકૂ વિમાન LCA તેસ પોતાની ડેમોન્સ્ટ્રેશન ફ્લાઇટ દરમિયાન અચાનક ક્રેશ થયું છે. આ ઘટના બપોરે ૨.૧૦ કલાકે બની છે, જ્યારે હજારો દર્શક વિમાનના કરબત જાેઈ રહ્યાં હતા. આ દુર્ઘટનામાં પાયલટનું મોત થયું છે. વિમાન હવામાં શાનદાર વળાંક લઈ રહ્યું હતું, ત્યારે અચાનક તેણે નિયંત્રણ ગુમાવી દીધું હતું.…
વિયેતનામમાં ૪૧થી વધુના મોતવિયેતનામમાં પૂરથી આફત, ૫૨૦૦૦થી વધુ મકાનો પાણીમાં ગરકાવ થયાવિયેતનામમાં લાખો લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છેવિયેતનામમાં લોકોનું જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. દેશના મધ્ય ભાગમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે ભયાનક પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓએ કહેર મચાવ્યો છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં ૪૧ લોકોના મોત થયા છે, જ્યારે ૯ લોકો હજુ પણ લાપતા છે. લાખો લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અહેવાલ મુજબ, છેલ્લા ત્રણ દિવસમાં આ વિસ્તારના ઘણા ભાગોમાં ૧૫૦ સેન્ટિમીટરથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે સર્વત્ર…
સિદ્ધારમૈયા CM પદ છોડવા તૈયાર નથી!કર્ણાટકમાં રાજકીય ગરમાવો, શિવકુમારના દિલ્હીમાં ધામાહવે શિવકુમારે પાર્ટી હાઈ કમાન પર દબાણ વધારવાનું શરૂ કરી દીધું છે : તેઓ કેટલાક વિધાયકોની સાથે દિલ્હી પહોંચ્યાકર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાના પદ પર અઢી વર્ષ પૂરા કર્યા બાદ હવે કર્ણાટકમાં રાજકીય ગરમાવો જાેવા મળી રહ્યો છે. એવું કહેવાય છે કે વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ હાઈ કમાને સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમાર વચ્ચે ૨.૫-૨.૫ વર્ષ સીએમ પદનો ફોર્મ્યૂલા આપ્યો હતો. એટલે કે વારા ફરતી બંને નેતા મુખ્યમંત્રી બનશે. જાે કે સિદ્ધારમૈયાએ હજુ સુધી પોતાનું રાજીનામું સોંપ્યું નથી અને તેઓ તેના માટે તૈયાર હોય તેવું પણ જણાતું નથી. ત્યારબાદ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



