Author: Garvi Gujarat

રિયલ નમકીનના પ્રોડક્શન પર બ્રેક.લક્ષ્મી સ્નેક્સના ૧,૦૦૦ કામદારો હડતાલ પર ઉતર્યા.હાલમાં ૧,૦૦૦ કામદારો એકસાથે કામ છોડીને બહાર નીકળી આવતા કંપની મેનેજમેન્ટ દોડતું થયું છે.પ્રખ્યાત ‘રિયલ નમકીન‘ બ્રાન્ડ ધરાવતી કંપની લક્ષ્મી સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડના કામદારોએ મેનેજમેન્ટ સામે મોરચો ખોલ્યો છે. કંપનીના આશરે ૧,૦૦૦ જેટલા કામદારોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને અચાનક હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. આ સામૂહિક હડતાલને કારણે કંપનીનું તમામ પ્રોડક્શન અત્યારે સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. હડતાલ પર ઉતરેલા કામદારોનો મુખ્ય રોષ વેતનની અસમાનતાને લઈને છે. કામદારોનો આક્ષેપ છે કે, જેઓ છેલ્લા ૧૮ વર્ષથી કામ કરી રહ્યા છે તેમને અને નવા જાેડાયેલા કર્મચારીઓને એકસરખું વેતન ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત,…

Read More

ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે હાજર થવુ.મુળી તાલુકામાં મધ્યાહન ભોજનમાં કુકની નિમણૂંક કરાશે.વડધ્રા પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કૂકની નિમણૂક કરવામાં આવશે.મુળી તાલુકાના મામલતદારની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ વિનામૂલ્યે મામલતદાર કચેરી-ચોટીલા ખાતેથી રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન રૂબરૂ મેળવી લેવાના રહેશે. આ અરજી ફોર્મ વિગતવાર ભરી જરૂરી આધારોની ખરી નકલ સાથે આગામી તા.૨૩/૦૧/૨૦૨૬ સુધીમાં કચેરી સમય પૂરો થતાં પહેલા મામલતદાર કચેરી-મુળી ખાતે જાહેર રજાના દિવસો સિવાય રજૂ કરવાનું રહેશે. આ અંગે ઈન્ટરવ્યુની તારીખની જાણ હવે પછી કરવામાં આવશે.…

Read More

ICC એ બાંગ્લાદેશની હવા કાઢી નાખી.બાંગ્લાદેશે હવે ભારતમાં જ રમવી પડશે તમામ મેચ.જાે તેઓ ભારતમાં T20 વર્લ્ડ કપની મેચો નહીં રમે, તો તેને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવશે : આઈસીસી.ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે (૨૧ જાન્યુઆરી) બાંગ્લાદેશની હરકતોથી પરેશાન થઈને તેને અલ્ટીમેટમ આપી દીધું છે. જય શાહની અધ્યક્ષતાવાળી ક્રિકેટની આ સૌથી મોટી સંસ્થાએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને સ્પષ્ટપણે કહી દીધું છે કે, જાે તેઓ ભારતમાં T20 વર્લ્ડ કપની મેચો નહીં રમે, તો તેને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવશે. તેની જગ્યાએ અન્ય કોઈ ટીમનો સમાવેશ થઈ શકે છે. જાે બાંગ્લાદેશ ભારત નહીં જાય, તો ICCબોર્ડે તેને બદલવા માટે બુધવારે વોટિંગ કર્યું છે.ICC…

Read More

Regarding the SIR (Special Intensive Revision) process going on across Gujarat, a press conference was organized by the Aam Aadmi Party at the Ahmedabad regional office. At this press conference, Aam Aadmi Party’s state president Isudan Gadhvi, state chief spokesperson Dr. Karan Barot and Legal Cell president Pranav Thakkar were present. Addressing the press conference, state president Isudan Gadhvi made serious allegations and said that during the SIR process, after the door-to-door verification carried out by BLA-1, BLA-2 and BLO, all the work had been properly completed except the process of deleting the names of about 73,73,000 voters. But after…

Read More

સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટ તથા લીગલ સેલના પ્રમુખ પ્રણવ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદમાં સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, SIR પ્રક્રિયા દરમિયાન BLA-1, BLA-2 અને BLO દ્વારા ઘરેઘરે જઈને કરવામાં આવેલી ચકાસણી બાદ લગભગ 73,73,000 મતદારોના નામ ઘટાડવાની પ્રક્રિયા સિવાય બધી કામગીરી યોગ્ય રીતે પૂર્ણ થઈ હતી. પરંતુ આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપના નેતાઓ અને…

Read More

આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખ CYSS અમદાવાદ શહેર પ્રમુખ યાત્રિક પટેલે સીટીએમ ચાર રસ્તાની અત્યંત ખરાબ હાલત મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. યાત્રિક પટેલે જણાવ્યું હતું કે, જો કોઈને સીધા પાતાળલોક જવું હોય તો સીટીએમ ચાર રસ્તા પર આવી જાય. ભાજપના શાસનમાં વર્ષો પછી એવી ‘ટેકનોલોજી’ વિકસાવવામાં આવી છે કે રસ્તાઓ પરથી સીધા પાતાળમાં ઉતરી શકાય. યાત્રિક પટેલે વ્યંગાત્મક રીતે જણાવ્યું હતું કે, આપણા વિશ્વગુરુ તરીકે ઓળખાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હિમાલય તપસ્યા માટે આવા જ રસ્તેથી ગયા હશે. પરંતુ આ વિકાસના દાવાઓની હકીકત એ છે કે શહેરના મુખ્ય રસ્તાઓ પર ખાડા, ભુવા અને તૂટી ગયેલા…

Read More

અમરાપર ગૌશાળા અને મંદિરના નામે ઠગાઇ.૩ કરોડની ઠગાઇમાં મહંત સહિત ૫ આરોપીના ૨ દિવસના રિમાન્ડ.આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી, બે ફરાર આરોપીની ધરપકડ કરવા કવાયત.થાનગઢના અમરાપર ગૌશાળા અને મંદરિના નામે ૩.૦૯ કરોડની છેતરપિંડી કરનાર મહંત સહિત પાંચ આરોપીને ચોટીલા કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ મામલે મહંત સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઇ હતી. થાનગઢના અમરાપર ગામમાં આવેલી કૃષ્ણ ગૌશાળાના લાભાર્થે તેમ જ મંદિરના લાભાર્થે ટિકિટનું વેચાણ કરી અને ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આયોજકો દ્વારા ટિકિટનું વેચાણ કર્યા બાદ ડ્રો નું આયોજન કરવામાં આવવાનું હતું પરંતુ આયોજન દ્વારા કોઈ પણ…

Read More

૨૭ વર્ષની કારકિર્દીમાં મેળવી શાનદાર સિદ્ધિઓ.સુનીતા વિલિયમ્સે NASA માંથી નિવૃત્તિ લીધી!.સુનિતા વિલિયમ્સે અવકાશમાં કુલ ૬૦૮ દિવસ વિતાવ્યા છે, નાસા તરફથી જે સૌથી વધુ સમય આવકાશમાં વિતાવવા મામલે સુનિતા વિલિયમ્સ બીજા ક્રમે છે.ભારતીય મૂળના યુએસ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ૨૭ વર્ષની ઝળહળતી કારકિર્દી બાદ નાસામાંથી નિવૃત્તિ લીધી છે. નાસાના અધિકારીના જણાવ્યા મુજબ ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ સુનિતા નિવૃત્તિ લીધી હતી, આ અંગે સુનીતા વિલિયમ્સ તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.સુનિતા વિલિયમ્સે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ત્રણ મિશન પૂર્ણ કર્યા અને સમાનવ અવકાશ યાત્રામાં સંખ્યાબંધ રેકોર્ડ બનાવ્યા છે.નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમે એક નિવેદનમાં જણાવ્યું, “હ્યુમન સ્પેસ ફ્લાઈટમાં સુનિતા વિલિયમ્સ એક અગ્રણી નામ…

Read More

ગુજરાત સરકારનો મોટો ર્નિણય.નિવૃત્તિને આડે પાંચ વર્ષ કે ઓછો સમય બાકી હોય તેવા શિક્ષકોને ટેટમાંથી મુક્તિ.આ ર્નિણયને કારણે રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં લાંબા સમયથી ચાલતી ચર્ચાઓને પૂર્ણવિરામ મળ્યો છે.ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યભરના શિક્ષકો માટે ટેટ સંબંધે મહત્વનો અને સ્પષ્ટ ર્નિણય લીધો છે. શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે જે શિક્ષકોની નિવૃત્તિમાં હવે પાંચ વર્ષ કે તેથી ઓછો સમય બાકી છે, તેવા વરિષ્ઠ શિક્ષકોને ટેટ પરીક્ષા પાસ કરવાની ફરજમાંથી મુક્તિ આપવામાં આવશે. આ ર્નિણયને કારણે રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં લાંબા સમયથી ચાલતી ચર્ચાઓને પૂર્ણવિરામ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા અગાઉ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાના હેતુથી તમામ શિક્ષકો માટે ટેટ…

Read More

ગુજરાતના રાજકારણમાં ગરમાવો.‘નલ સે જલ’ કૌભાંડમાં ભાજપના વધુ એક દિગ્ગજ નેતાની ધરપકડ.નલ સેજલ કૌભાંડમાં અનુસૂચિત જાતિ મોરચો વડોદરા મહાનગર ભાજપના પ્રભારી મુકેશ શ્રીમાળીની ધરપકડ.મહીસાગર જિલ્લામાં ગાજેલા કરોડો રૂપિયાના નલ સે જલ યોજનાના કૌભાંડમાં સીઆઈડી (CID) ક્રાઈમ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કૌભાંડમાં ભાજપના વધુ એક હોદ્દેદારની સંડોવણી બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.CID ક્રાઈમ વડોદરા દ્વારા વડોદરા મહાનગર ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી મુકેશ શ્રીમાળીની ધરપકડ કરવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત થયેલા ભ્રષ્ટાચાર મામલે CID ક્રાઈમ વડોદરા દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના ધમધમાટમાં અત્યાર સુધી અનેક ચોંકાવનારા…

Read More