- સ્ટ્રેસ દૂર કરવા મહિલાએ ₹258 કરોડની ઓનલાઈન શોપિંગ કરી, 2,000 ઓર્ડર કેન્સલ કરતાં જેલ
- મહિલા અનામત કાયદા પર રિજિજુ-રાહુલ આમને-સામને, રાહુલનો સવાલ: ‘3 વર્ષથી બિલ કેમ લાગુ નથી?’
- ફ્રાન્સ સાથે ભારતની મોટી ડીલ! છઠ્ઠી પેઢીના ફાઈટર જેટ માટે FCASમાં જોડાવાની તૈયારી
- ગુજરાતમાં 14 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ, 10 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
- ગોપાલ ઇટાલિયાનો સી.આર. પાટીલને પડકાર: ‘સુરતની દેશની શ્રેષ્ઠ 50 સરકારી શાળાઓનું લિસ્ટ જાહેર કરો’
- ખેડૂત નેતા પિયૂષ પરમાર પર 9મી FIRનો દાવો, કહ્યું: ‘ખેડૂતો માટે લડતો રહીશ, ડરવાનો નથી’
- ખેડૂત નેતા પિયુષ પરમાર સામે ફરિયાદ મામલે AAPનો વિરોધ, પ્રવીણ રામે ભાજપ પર સાધ્યું નિશાન
- અમદાવાદમાં રાષ્ટ્રીય હથકરઘા દિવસની ઉજવણી, 280 સહભાગીઓની હાજરીમાં વણકરોને રાજ્ય હથકરઘા પુરસ્કાર એનાયત
Author: garvigujrat
ક્રૂડ તેલનો વાયદો રૂ.657 લપસ્યોઃ સોનાનો વાયદો વધીને રૂ.1.62 લાખ અને ચાંદીનો વાયદો રૂ.2.78 લાખને પાર કોમોડિટી વાયદાઓમાં રૂ.31779.03 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.138875.71 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17755.96 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 40264 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.170656.07 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.31779.03 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.138875.71 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 40264 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.6115.37 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17755.96 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.161743ના ભાવે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આજે આપણી સામે સૌથી મોટો સવાલ છે, ઉદ્યોગીકરણનો. એક ખેતીપ્રધાન સમાજનું ઉદ્યોગીકરણ કઈ રીતે કરવું, કેવી રીતે કરવું? તેને માટે આપણને એકમાત્ર નમૂનો દેખાય છે. યુરોપના દેશોનો. એ બધા દેશોએ અઢારમી ને ઓગણીસમી સદીમાં પોતાના સમાજને ઔધોગિક સમાજમાં જે રીતે પલ્ટી નાંખ્યો,પોતાનો ઔધોગિક વિકાસ જે રીતે કર્યો તે રીતે આપણે પણ આપણો ઔધોગિક વિકાસ કરી નાંખીએ. આ માટે યુરોપના દેશોનો નમૂનો આપણી નજર સામે આવે છે. અને એ જ આદર્શ નમૂનો છે. એમ આપણને લાગે છે. પરંતુ આ બાબત શાંતિથી વિચારવાની જરૂર છે. શું આ જ એક આદર્શ નમૂનો છે? તે આપણને બંધ બેસતો થાય એવો…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત ની નવી સિવિલ હોસ્પિટલ મજુરાગેટ પાસે આવેલી છે. આ હોસ્પિટલમાં સમગ્ર દક્ષિણ ગુજરાત અને એને અડીને આવેલ ભરુચ, નવસારી, વલસાડ, આહવા, ડાંગ, રાજપીપળા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા વિસ્તારોમાંથી રોજના અનેક ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર મેળવવા માટે આવતા હોય છે. આ હોસ્પિટલના સારવાર આપતા તબીબી અધિકારીઓ સારી સેવા બજાવી રહયા છે. અને દર્દીઓ સાજા થાય છે. પરંતુ હોસ્પિટલનો વહીવટ કરતાં RMO, સુપ્રિટેન્ડન્ટ અને મેડિકલ સ્ટોર અને જનરલ વહીવટ સંભાળતા અધિકારીઓ સંપૂર્ણ પણે નિષ્ફળ ગયા છે. અને હોસ્પિટલ ના સ્ટોરમાં સ્ટ્રેચર,વ્હીલચેર અને ગાદલાં ચાદર ના પૂરતો સ્ટોક હોવા છતાં દર્દીઓ આ સુવિધાઓથી વંછિત રહે છે.અને…
ગાંધીનગર વિધાનસભામાં ચાલેલી પ્રશ્નોત્તરી મામલે મીડિયા સાથે વાત કરતાં આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખૂબ લાંબો દરિયાકાંઠો હોવાને કારણે આ વિસ્તારોમાં પવનચક્કીની કંપનીઓ કામ કરી રહી છે. આ પવનચક્કી દ્વારા ઉત્પન્ન થતી વીજળીને પરિવહન કરવા માટે કંપનીઓ દ્વારા હવે ખેડૂતોના ખેતરોમાં આડે-અવળે વીજ લાઈનોના ભારે ટાવરો નાખવામાં આવી રહ્યા છે. આ ટાવરો નાખવા માટે હાલમાં 1885નો ઈન્ડિયન ટેલિગ્રાફ એક્ટ, એટલે કે અંગ્રેજોના જમાનાનો બનાવેલો કાયદો અમલમાં છે. અંગ્રેજોએ તે સમયે નાની લાઈનો પસાર કરવા માટે જે કાયદો બનાવ્યો હતો, એ કાયદાની અંદર રહીને આજે ખાનગી વીજ ઉત્પાદન કંપનીઓ બેફામપણે ખેડૂતો પર અત્યાચાર…
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભાજપની પોલ ખુલી જાય એવી માહિતી આજે સામે આવી છે. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલજીએ જાહેરાત કરી હતી કે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતના લોકોને પણ મફતમાં વીજળી આપવામાં આવશે, ત્યારે ભાજપના લોકોએ આમ આદમી પાર્ટી અને ગુજરાતના ગરીબ લોકોની મજાક ઉડાવી હતી. ભાજપના લોકોએ કહ્યું કે “ગુજરાતમાં ગમે તેટલી મોંઘી વીજળી હશે તો પણ લોકોને પોસાશે.” તો આજે વિધાનસભામાં મારો સવાલ હતો ત્યારબાદ જાણવા મળ્યું કે રાજકોટ અને સુરત જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ઉદ્યોગીક કંપનીના 1100 કરોડ વીજળીના રૂપિયા માફ કર્યા છે. આ ફક્ત…
देश के प्रमुख औद्योगिक समूह बजाज ग्रुप के चेयरमैन कुशाग्र बजाज ने कहा कि न्यूक्लियर पावर और आर्टिफिशियल इंटेलिजेंस, भारत की दूरगामी इकॉनमी ग्रोथ को बढ़ाने वाली दो सबसे ज़रूरी इंडस्ट्रीज़ के तौर पर उभर सकती हैं, जिनसे आने वाले दशकों में देश को $5 ट्रिलियन की इकॉनमी से $30 ट्रिलियन की इकॉनमी तक बढ़ाने में महत्वपूर्ण मदद मिल सकती है। श्री बजाज ने यह बात जय हिंद कॉलेज के फैमिली मैनेज्ड बिजनेस हब द्वारा आयोजित “मेगा नेटवर्किंग मीट- 2026” में बोलते हुए कही, जहाँ उन्होंने अपनी बेटी और बजाज समूह की पहली महिला उच्च अधिकारी सुश्री आनंदमयी बजाज के…
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કરે ગુજરાતના એક ગંભીર મુદ્દે દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં AAP રાષ્ટ્રીય નેતા પ્રિયંકા કક્કરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એક કર્મઠ કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ કચ્છના જિલ્લા પ્રમુખ ડૉ. કાયનાત અંસારીએ 50થી વધુ વખત ગાંધીધામની પોલીસને ફરિયાદ આપી કે ક્યાં ક્યાં ગેરકાયદેસર દારૂ વેચાઈ રહ્યો છે. પરંતુ ગઈકાલે રાત્રે પોલીસે કાયનાત અંસારીને જ ગિરફતાર કરી લીધા. શું આ રીતે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂનો કારોબાર બંધ થશે? એક આંકડા પ્રમાણે ગુજરાતમાં 40,000 કરોડનો ગેરકાયદેસર દારૂ વેચાય છે. કઈ રીતે આટલો મોટો ગોરખ ધંધો ચાલે છે? શા…
વિધાનસભામાં પ્રશ્નોત્તરી મુદ્દે મીડિયા સાથે વાત કરતાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગઈ કાલે, 9 માર્ચ 2026ના દિવસે, વિધાનસભામાં મારો એક પ્રશ્ન હતો, ક્રમાંક 25. તે અત્યંત મહત્વનો અને આવશ્યક મુદ્દો હતો, પરંતુ સરકારે મને તેનો વાસ્તવિક જવાબ આપવાના બદલે ગોળગોળ જલેબી જેવો જવાબ આપ્યો. મારો ચોક્કસ પ્રશ્ન એવો હતો કે વડોદરા અને અમદાવાદમાં દારૂ પીધેલી હાલતમાં કેટલા લોકો પોલીસના ચોપડે પકડાયા, કેટલા લોકો સામે દારૂ પીવાના ગુના હેઠળ એફઆઈઆર નોંધાઈ, અને જેટલી એફઆઈઆર દારૂ પીવાની નોંધાઈ છે તેની સામે દારૂ વેચવાની કેટલી એફઆઈઆર નોંધાઈ? સીધો પ્રશ્ન છે કે જે માણસ દારૂ પીવે છે તેની…
આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયાના મિત્રોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, વિસાવદરમાં ભવ્ય લાઇબ્રેરીનું નિર્માણ થાય એવી માંગ મેં સરકાર સમક્ષ મૂકી છે, જેથી બાળકો ભણી ગણીને, વાંચન કરીને આગળ વધે અને ભેસાણમાં પણ એક પુસ્તકાલય ચાલુ થાય એવી માંગણી સરકાર સમક્ષ મૂકી છે. અમારા વિસાવદર-ભેસાણ અને જુનાગઢમાં હીરાના કારખાના ખૂબ જ આવ્યા છે પરંતુ તેના માલિકોને કોઈ સહાય મળતી નથી. તો મેં સરકાર સમક્ષ માંગ કરી છે કે આ તમામ લોકોને અલગ અલગ સબસીડી આપીને તેમને સપોર્ટ કરવામાં આવે કારણ કે તેઓ ગ્રામીણ વિસ્તારમાં રોજગારી આપી રહ્યા છે. સરકારી રત્ન કલાકારો…
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે અમારા કચ્છ જિલ્લાના આમ આદમી પાર્ટીના મહિલા આગેવાન ડૉ. કાયનાતબેન અન્સારી ઘણા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈને લોકોની સેવા કરી રહ્યા છે. એક મહિલા હોવાની સાથે તેઓ પ્રતિષ્ઠિત ડોક્ટર છે, પોતાનું હોસ્પિટલ ધરાવે છે અને સારી આવક પણ ધરાવે છે. તેમ છતાં તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાઈને સમાજના છેવાડાના માણસ માટે કામ કરી રહ્યા છે અને તેમના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. થોડા દિવસો પહેલાં તેમણે દારૂબંધીના પોકળ દાવાઓને બહાર લાવવા માટે “જનતા રેડ” કરી હતી. મોબાઈલ દ્વારા ફેસબુક લાઈવ કરીને તેમણે દારૂબંધીના દાવાઓની પોલ ખોલવાનો પ્રયાસ કર્યો હતો.…




