- સુપ્રીમ કોર્ટનો રેલવે અંગે મોટો નિર્ણય, ‘સેકન્ડ ક્લાસ મુસાફર’ શબ્દને ગણાવ્યો બંધારણ વિરોધી
- રશિયન તેલ ખરીદનારા દેશો પર 100% ટેરિફની ધમકી, ભારત-ચીન પર પડી શકે અસર
- ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, વોશિંગ્ટન સુંદર ઈજાના કારણે ત્રીજી વનડેમાંથી થઈ શકે બહાર
- વંદે માતરમ રોકનારને 3 વર્ષની જેલ? ચોમાસુ સત્રમાં નવો કાયદો લાવશે મોદી સરકાર
- સોનમ વાંગચુકની તબિયત નાજુક, ઓર્ગન ફેલ્યોરની ડોક્ટરોને ચિંતા છતાં અનશન ચાલુ રાખશે
- ગુજરાતમાં અશાંતધારાનું નામ બદલાયું, હવે ‘સ્પેસિફાઇડ એરિયા’ હેઠળ મિલકત વેચાણની નવી પ્રક્રિયા
- સુરત ખાડીપૂરથી 30 ટેક્સટાઇલ માર્કેટોમાં પાણી ભરાયા, કરોડોના નુકસાન બાદ રાહત પેકેજની માંગ
- પ્રવીણ રામનું ખેડૂતોના વીજ લાઈન આંદોલનને સમર્થન, પડધરી ઉપવાસમાં આપશે હાજરી
Author: garvigujrat
AI ને ખુલ્લું આકાશ આપવું મહત્વપૂર્ણ છે : વડાપ્રધાન મોદી ભારત નવી ટેકનોલોજી બનાવે છે અને ઝડપથી તેને અપનાવે પણ છે : મોદી “ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬” માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સમાવેશી અને સાર્વભૌમ એઆઈના વિઝન પર ભાર મૂક્યો “ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬” માં, પીએમ મોદીએ ભારતના સમાવેશી અને સાર્વભૌમ એઆઈના વિઝન પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે યુવા પેઢી ઝડપથી એઆઈ અપનાવી રહી છે, જે ગર્વની વાત છે. પીએમ મોદીએ ભારતને ટેક પ્રતિભાનું સૌથી મોટું કેન્દ્ર અને યુવા વસ્તી તરીકે વર્ણવ્યું. પીએમ મોદી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત “ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬” ને સંબોધિત…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ટેક્ષટાઇલ માર્કેટ અને ડાયમંડ સિટીથી ઓળખાતા સુરત શહેર ઇન્ટરનેશનલ માર્કેટ છે. અને એ જ માર્કેટોમાંથી માલ વિદેશોમાં એક્સપોર્ટ થાય છે. અને ભારતના અનેક રાજયોમાં પણ વિવિધ ટેક્ષટાઇલ નો માલ વેચાણ અર્થે જતો હોય છે. જે એક એજન્સી અને આડતિયાઓ હસ્તક હોલસેલના વેપારીઓથી લઈને સેમી હોલસેલ સુધી પહોંચીને છૂટક ગ્રાહકો સુધી માર્કેટના નીતિ-નિયમો અને ધારા-ધોરણે વેચાણ થતું હોય છે. જે હોલસેલ વેપારીઓ એજ એજન્સીઓ અને આડતિયાઓ ઉપર કરોડો રૂપિયાનો માલ એમની વિશ્વસનિયતાને ધ્યાનમાં લઈ દેશના અન્ય રાજયો સહિત વિદેશોમાં જતો હતો. એ વિશ્વાસનો દૂરઉપયોગ કરીને એજન્સીઓ અને આડતિયાઓ એમના પોતાના નામે બિલો બનાવી વેચાણ લેનાર માલના વેપારીઓ…
ગુજરાતના રસોડામાં પહોંચતા સફેદ ઝેર અને પ્રાણીજ ચરબીના જીવલેણ કારોબારનો પુરાવા સાથે ખુલાસો કરવા અંગે આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. આમ આદમી પાર્ટી અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દૂધ જેવી પવિત્ર વસ્તુના નામે રાજ્યમાં ડબલ કૌભાંડ ચાલી રહ્યું છે. લાંબા સમયથી નકલી અને ભેળસેળયુક્ત દૂધનો કાળો બજાર ચાલી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ અને તેમની ટીમ આ સમગ્ર ઓપરેશનની પાછળ તપાસ કરી રહ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જૂનાગઢ નજીક આવેલ હનુમાન ખિજડિયા ગામથી લઈને અરવલ્લી જિલ્લાના બાયડ અને બાલાસિનોર સુધી દૂધના ટેન્કરો મારફતે…
ગઈકાલે ગુજરાત વિધાનસભાનું બજેટ રજૂ થયું હતું, ત્યારે ખેડૂતોને બજેટમાં ખાસ કોઈ રાહત પેકેજની જાહેરાત ના થતા અને અન્યાયની લાગણી અનુભવતા આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા આજે ટ્રેક્ટર લઈને વિરોધ દર્શાવવા વિધાનસભા પહોંચ્યા હતા. ગતરોજ સરકારે જે બજેટ રજૂ કર્યું તેમાં ગામડા અને શહેરના બજેટમાં મોટો તફાવત છે તથા બજેટમાં ખેડૂતો માટે કોઈ ખાસ જોગવાઈ કરી નથી, તે મુદ્દાને લઈને ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર લઈ વિધાનસભા પહોંચ્યા હતા અને અનોખી રીતે સરકાર સમક્ષ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જોકે પોલીસ વિભાગ દ્વારા તેમને ગેટ પર જ અટકાવી દેવામાં આવ્યા હતા અને ટ્રેક્ટર લઈને અંદર ન જવા દેવામાં આવ્યા અને…
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બજેટમાં આદિવાસી છાત્રોને થયેલા ગંભીર અન્યાય મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે જે બજેટ જાહેર કર્યું, એ મુદ્દે અમે થોડું એનાલિસિસ કર્યું, તેના વિશે આજે હું વાત કરવા માંગુ છું. ગુજરાતમાં આદિવાસી લોકોની 15% વસ્તી છે, એટલે કે 1 કરોડ 25 લાખ આદિવાસી લોકો ગુજરાતમાં વસે છે. 15મી નવેમ્બરે દેડીયાપાડામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે તેઓ પાંચ વર્ષમાં ગુજરાતના આદિવાસી સમાજ માટે બે લાખ કરોડ ખર્ચ કરશે. છતાં બજેટમાં આદિવાસી સમુદાયને 5425 કરોડની રકમ ફાળવવામાં આવી. મેં વિધાનસભાના ગૃહમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ સમક્ષ મેં…
આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલ બજેટને ખેડૂતવિરોધી બજેટ ગણાવ્યું હતું. તેમણે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો વર્ષોથી કુદરતી આફતોના કારણે પીડાઈ રહ્યા છે. વારંવાર કુદરતી આફતોના કારણે તેમનો પાક નિષ્ફળ જાય છે. આવી પરિસ્થિતિમાં રાજ્યના ખેડૂતોને સરકાર પાસેથી અપેક્ષા હતી કે આ બજેટમાં પાકના રક્ષણ અને સહાય માટે કોઈ મોટી યોજના જાહેર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે પાક વીમા યોજના ઘણા વર્ષોથી ચાલી રહી છે, છતાં ખેડૂતોને પૂરતો લાભ મળતો નથી. તેથી સરકાર નવી અને અસરકારક યોજના લાવશે તેવી આશા હતી. પરંતુ હાલના બજેટમાં ખેડૂતોના પાકના રક્ષણ કે સીધી સહાય…
મધ્યસ્થી બનેલાં અમેરિકાએ મંત્રણાને અર્થસભર ગણાવી જિનીવામાં રશિયા-યુક્રેન વચ્ચે તણાવ ઘટાડવાનો પ્રયાસ નિષ્ફળ વાટાઘાટોના પ્રથમ દિવસે રશિયાએ યુક્રેન પર ડ્રોન હુમલા કર્યા હતાં, જેમાં બે બાળકના મોત થયા હતા. અમેરિકાની મધ્યસ્થીમાં જિનવા ખાતે રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે વાટાઘાટો યોજાઈ હતી. આગામી સપ્તાહે રશિયા-યુક્રેન યુદ્ધના ચાર વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે વાટાઘાટો બાદ બંને દેશોએ કોઈ ફળદાયી પરિણામ મળવાની શક્યતા નકારી દીધી હતી. સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં યુક્રેન-રશિયા વચ્ચે વાટાઘાટોનો ત્રીજાે રાઉન્ડ યોજાયો હતો. અગાઉ અબુ ધાબી ખાતે બંને દેશના પ્રતિનિધિ મળ્યા હતા, પરંતુ તેમાં યુદ્ધ વિરામના સંકેત નહીં મળતા અમેરિકાની મધ્યસ્થીમાં ફરી એક વખત વાટાઘાટોનું આયોજન થયુ હતું. અગાઉ અબુ…
જેલમાંથી બહાર આવતા જ રાજપાલ યાદવની ભાવુક અપીલ ‘કામ આપો, પૈસા તમારે આપવા હોય એટલા આપજાે’ બાળકોથી લઈને વડીલો સુધી તમામે મને ભારતીય સિનેમામાં મારી સફરમાં પ્રેમ આપ્યો છે: રાજપાલ રાજપાલ યાદવ ૧૨ દિવસ જેલમાં રહ્યા બાદ જામીન મળતાં તિહાર જેલમાંથી બહાર આવી ગયા છે. દિલ્હી હાઈકોર્ટે તેમને ૯ કરોડના લોન કેસમાં વચગાળાના જામીન આપ્યા હતા. ૧૭ ફેબ્રુઆરીના રોજ જેલમાંથી મુક્ત થયા પછી, રાજપાલે તેમના મુશ્કેલ સમયમાં તેઓને ટેકો આપનારા બધા લોકોનો આભાર માન્યો હતો. આ સાથે રાજપાલે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પાસે કામને લઈને ભાવુક અપીલ કરી છે.રાજપાલ યાદવે કહ્યું કે, ‘મારા માટે પ્રેમ અને લાગણી વ્યક્ત કરનારા તમામ ફેન્સનો આભાર…
પ્રિયંકાએ ઐશ્વર્યા અને ઇરફાનનો આભાર માન્યો ફિલ્મમાંથી કાઢીને કહેવાયું, ડિરેક્ટરે ભૂલથી કાસ્ટ કરી : પ્રિયંકા પ્રિયંકા હવે પોતાની આગામી ફિલ્મ ‘ધ બ્લફ’ની રિલીઝની રાહ જાેઈ રહી છે, જેનું ર્નિદેશન ફ્રેંક ઈ ફ્લાવર્સ દ્વારા કરવામાં આવ્યું છે પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં એક ચર્ચામાં ભાગ લીધો હતો. જેમાં તેણે ખુલાસો કર્યાે કે કારકિર્દીની શરૂઆતમાં એક હિન્દી ફિલ્મમાંથી તેને કોન્ટ્રાક્ટ સાઇન કર્યા બાદ પણ કાઢી નાખવામાં આવી હતી. તેના એક સહ-અભિનેતાએ જણાવ્યું હતું કે ફિલ્મમાં તેની પસંદગી ડિરેક્ટરની “ભુલ” હતી.પ્રિયંકા ચોપરાએ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં થયેલી ચર્ચા દરમિયાન આ ઘટના યાદ કરી. તેણે જણાવ્યું કે, ૨૦૦૭ની ફિલ્મ ‘સલામ-એ-ઇશ્ક’ના સેટ પર તેની આવનારી…
“તમે મને ખુલા દિલથી આવકારી હતી, તમે હંમેશા યાદ આવશો” સિદ્ધાર્થના પિતા સુનીલ મલ્હોત્રાનું નિધન, કિઆરા-સિદ્ધાર્થે ભાવુક પોસ્ટ લખી સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા સુનિલ મલ્હોત્રાનું ૧૪ ફેબ્રુઆરીએ દિલ્હી ખાતે અવસાન થયું છે સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા સુનિલ મલ્હોત્રાનું ૧૪ ફેબ્રુઆરીએ દિલ્હી ખાતે અવસાન થયું છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ તેમના પિતા સુનિલ મલ્હોત્રાના નિધનની ખબર મળતાં જ દિલ્હી પહોંચી ગયા હતા. પૂર્વ મર્ચન્ટ નેવી કેપ્ટન સુનિલ મલ્હોત્રા માટે સિદ્ધાર્થ અને કિયારા બંનેએ પણ ભાવુક નોંધ લખી હતી અને તેમના પિતા કેટલા લાગણીશીલ, પ્રેમાળ અને દયાળુ હતા તે યાદ કર્યું હતું.કિયારા અડવાણીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના સસરા સુનિલ મલ્હોત્રાને ગુમાવવાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું.…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



