- સ્ટ્રેસ દૂર કરવા મહિલાએ ₹258 કરોડની ઓનલાઈન શોપિંગ કરી, 2,000 ઓર્ડર કેન્સલ કરતાં જેલ
- મહિલા અનામત કાયદા પર રિજિજુ-રાહુલ આમને-સામને, રાહુલનો સવાલ: ‘3 વર્ષથી બિલ કેમ લાગુ નથી?’
- ફ્રાન્સ સાથે ભારતની મોટી ડીલ! છઠ્ઠી પેઢીના ફાઈટર જેટ માટે FCASમાં જોડાવાની તૈયારી
- ગુજરાતમાં 14 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ, 10 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
- ગોપાલ ઇટાલિયાનો સી.આર. પાટીલને પડકાર: ‘સુરતની દેશની શ્રેષ્ઠ 50 સરકારી શાળાઓનું લિસ્ટ જાહેર કરો’
- ખેડૂત નેતા પિયૂષ પરમાર પર 9મી FIRનો દાવો, કહ્યું: ‘ખેડૂતો માટે લડતો રહીશ, ડરવાનો નથી’
- ખેડૂત નેતા પિયુષ પરમાર સામે ફરિયાદ મામલે AAPનો વિરોધ, પ્રવીણ રામે ભાજપ પર સાધ્યું નિશાન
- અમદાવાદમાં રાષ્ટ્રીય હથકરઘા દિવસની ઉજવણી, 280 સહભાગીઓની હાજરીમાં વણકરોને રાજ્ય હથકરઘા પુરસ્કાર એનાયત
Author: garvigujrat
સરકારે ઇંધણની અછતનો કર્યો ઇન્કાર જૂનાગઢના અજાબ ગામે પેટ્રોલ અને ડીઝલ ખૂટી જવાની અફવા ફેલાઇ સોશિયલ મીડિયા અને લોકમુખે વહેતી થયેલી પાયાવિહોણી વાતોને સાચી માનીને લોકો પોતાના વાહનો લઈને પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા હતા જૂનાગઢના અજાબ ગામે આજે અચાનક પેટ્રોલ અને ડીઝલ ખૂટી જવાની અફવા ફેલાતા ગભરાટભર્યો માહોલ જાેવા મળ્યો હતો. સોશિયલ મીડિયા અને લોકમુખે વહેતી થયેલી પાયાવિહોણી વાતોને સાચી માનીને લોકો પોતાના વાહનો લઈને પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે પેટ્રોલ પંપ પર એક કિલોમીટર લાંબી વાહનોની લાઈન લાગી ગઈ હતી, જેમાં ખેડૂતો ટ્રેક્ટરો લઈને અને રિક્ષાચાલકો પોતાના વાહનોમાં ડીઝલ ભરાવવા માટે કલાકો…
યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન ઈરાન સાથે બિનશરતી શરણાગતિ સિવાય કોઈપણ ડીલ નહીં થાય ટ્રમ્પે કહ્યું કે, સહયોગ દ્વારા ઈરાનને આર્થિક રીતે પહેલા કરતા વધુ મોટું, સારું અને મજબૂત બનાવવામાં આવશે ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાન અંગે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે, ઈરાન સાથે બિનશરતી શરણાગતિ સિવાય અન્ય કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, ઈરાન સાથે બિનશરતી શરણાગતિ સિવાય કોઈ ડીલ નહીં થાય. એકવાર ઈરાન આ શરત સ્વીકારે અને ત્યાં એક મહાન અને સ્વીકાર્ય નેતૃત્વની પસંદગી થાય, ત્યારબાદ અમેરિકા તેના સાથી દેશો સાથે મળીને ઈરાનને…
આંધ્ર પ્રદેશમાં NDA ની સરકાર લાવી બેબી પોલિસી એકથી વધુ બાળકો પેદા કરો અને ઈનામ મેળવો! આ પોલિસી હેઠળ બીજું કે ત્રીજું બાળક પેદા કરનાર પરિવારોને સરકાર આર્થિક પ્રોત્સાહન અને અન્ય સુવિધાઓ આપશે. ભારતભરમાં દાયકાઓથી હમ દો, હમારે દોનો નારો ગુંજતો રહ્યો છે, પરંતુ આંધ્ર પ્રદેશમાં હવે ચિત્ર બદલાવા જઈ રહ્યું છે. રાજ્યની ઘટતી જતી યુવા વસ્તી અને પ્રજનન દરને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની સરકાર એક બેબી પોલિસી લાવી રહી છે. આ પોલિસી હેઠળ બીજું કે ત્રીજું બાળક પેદા કરનાર પરિવારોને સરકાર આર્થિક પ્રોત્સાહન અને અન્ય સુવિધાઓ આપશે. માર્ચ ૨૦૨૬ના અંત સુધીમાં આ પોલિસીને અંતિમ ઓપ આપી પહેલી એપ્રિલથી…
ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારની જાહેરાત ૧૩ વર્ષથી હું ધારાસભ્ય છું, હવે બીજાને તક મળવી જાેઈએવડોદરામાં ધારાસભ્ય કેતન ઈનામદારે મોટી જાહેરાત કરતા કહ્યું , હું ૨૦૨૭માં વિધાનસભા ચૂંટણી નહીં લડું મધ્ય ગુજરાતમાં ભાજપના આખાબોલા નેતા તરીકેની છાપ ધરાવતા ધારાસભ્ય કેતન ઈનામદારે ફરી એકવાર જૂનો રાગ આલાપ્યો છે. તેઓએ ફરી એકવાર ૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી છે. વર્ષ ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ પણ કેતન ઈનામદારે આ જ શબ્દો કહ્યા હતા, હવે જાેવું એ રહ્યું કે, તેઓ પોતાના કહ્યા બોલ પાળે છે કે નહિ, અને કેતન ઈનામદારની વાતમાં કેટલી ઈમાનદારી છે. બરોડા ડેરી મુદ્દે સાવલીના કેતન ફાર્મ ખાતે…
ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ રશિયા પાસેથી તેલ ખરીદવા ભારતને ૩૦ દિવસની મળી સ્પેશિયલ છૂટઆ છૂટથી સમુદ્રમાં ફસાયેલા રશિયન તેલ ટેન્કરોને રાહત ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. તેલનો પુરવઠો સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. આ જ કારણ છે કે, આગામી ૩૦ દિવસ સુધી, જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી, ભારત ઈરાનને બદલે રશિયા પાસેથી તેલ ખરીદશે. આ છૂટ અમેરિકા દ્વારા પણ આપવામાં આવી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ૨૮ ફેબ્રુઆરીથી યુદ્ધ શરૂ થયું હતું. આ સંઘર્ષ ધીમે ધીમે વધી રહ્યો છે. આ કારણે ઈરાને ભારત સહિત વિશ્વભરમાં તેલનો પુરવઠો…
૩૧ માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફરઅમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહતઇન્ડિગોએ મધ્ય પૂર્વ અને ઇસ્તંબુલની ફ્લાઇટ્સ પર ફ્રી વેવર અને ફ્લેક્સેબિલિટી ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવી ઇન્ડિગોએ મધ્ય પૂર્વ અને ઇસ્તંબુલની ફ્લાઇટ્સ પર ફ્રી વેવર અને ફ્લેક્સેબિલિટી ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવી છે. ઈરાન-યુએસ-ઇઝરાયલ યુદ્ધ અને સુરક્ષા ચિંતાઓને કારણે મધ્ય પૂર્વના હવાઈ ક્ષેત્રના સતત બંધ થવાને કારણે આ ર્નિણય લેવામાં આવ્યો છે. એરલાઇને જણાવ્યું હતું કે મધ્ય પૂર્વ અને ઇસ્તંબુલ જતી ફ્લાઇટ્સ કેન્સલ થતાં ફુલ વેવર ઓને કેંન્સેલેશન આપવામાં આવ્યું છે અને ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી લાગૂ રહેશે, આ નીતિ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ…
મિડલ ઈસ્ટના યુદ્ધ પર રાજનાથ સિંહનું મોટું નિવેદન વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ કઈ દિશામાં જશે તે કહેવું મુશ્કેલ છેમિડલ ઈસ્ટનો આ તણાવ માત્ર સરહદો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે વૈશ્વિક ઊર્જા સુરક્ષા માટે જાેખમરૂપ : સંરક્ષણ મંત્રી મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા ભીષણ તણાવ પર ભારત સરકારે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. કોલકાતામાં આયોજિત મેરિટાઈમ સમિટ “સાગર સંકલ્પ”ને સંબોધિત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અત્યંત અસામાન્ય છે અને આ સંઘર્ષના પરિણામોની આગાહી કરવી હાલ મુશ્કેલ છે. ચેતવણી આપતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, મિડલ ઈસ્ટનો આ તણાવ માત્ર સરહદો પૂરતો…
ભારત આવેલા ઈરાનના મંત્રીનું મોટું નિવેદન ગલ્ફથી અમેરિકાનું અસ્તિત્વ ખતમ કરી દઈશુંરાયસીના સંવાદ ૨૦૨૬માં વક્તા તરીકે હાજર રહેલા ખતીબઝાદેહે વર્તમાન યુદ્ધની સ્થિતિ પર ટિપ્પણી કરી. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે ઈરાનના વિદેશ બાબતોના ઉપ-મંત્રી ડૉ. સઈદ ખતીબઝાદેહ ભારતની મુલાકાતે છે. દિલ્હીમાં આયોજિત રાયસીના સંવાદ ૨૦૨૬માં વક્તા તરીકે હાજર રહેલા ખતીબઝાદેહે વર્તમાન યુદ્ધની સ્થિતિ પર ગંભીર ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારત અને ઈરાન વચ્ચેની સભ્યતાના મૂળ એકબીજા સાથે જાેડાયેલા છે અને ઈરાન ભારત સાથેના સંબંધોને ખૂબ જ મહત્ત્વ આપે છે. જાેકે, વર્તમાન સંઘર્ષ અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે, અમેરિકાએ ઈરાનના અસ્તિત્વને જ સમાપ્ત કરવાનો ર્નિણય કરી…
કેન્દ્ર સરકારના જવાબથી ભારતીયોની ચિંતા દૂર! ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ભારત સરકાર ઊર્જા સુરક્ષા જાળવી રાખવા માટે મજબૂત રીતે કામ કરી રહી છે. પશ્ચિમી એશિયામાં વધી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત ઉછાળો જાેવા મળી રહ્યો છે. અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા છ દિવસથી ચાલી રહેલા સંઘર્ષના પરિણામે ક્રૂડ ઓઇલના ભાવ ૧૫% વધીને ૮૪ ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. જાે આ યુદ્ધ વધુ લંબાય તો કિંમતો ૯૦ ડૉલર સુધી પહોંચવાની આશંકા છે, જાેકે બજારમાં પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી સ્થિતિ સામાન્ય થતા જ ભાવ ઘટવાની પણ શક્યતા છે. આ વધારા…
ખામેનેઈના મોત બાદ નરમ પડવાના બદલે ઈરાન વધુ આક્રમક બન્યું ઈરાન મરણિયું બન્યું, ટ્રમ્પ-નેતાન્યાહૂને લોહીલુહાણ કરી દેવાની ચીમકી આતંકવાદી જૂથ હિઝબુલ્લાહનો સફાયો કરવા ઈઝરાયેલી સેના લેબનોનમાં ઘૂસી ગઈ છે અને હવાઈ હુમલા પણ ચાલુ રાખ્યા છે અમેરિકા-ઈઝરાયેલના અવિરત હુમલાઓથી પારાવાર નુકસાન થવા છતાં ઈરાન પીછેહઠ કરવાના મૂડમાં નથી. કટોકટીના આ સમયમાં ઈરાન મરણિયુ બન્યું છે અને ટ્રમ્પ-નેતાન્યાહૂને લોહીલુહાણ કરવાની ચીમકી આપી છે. યુદ્ધ જહાજને નષ્ટ કરવાની ભારે કિંમત અમેરિકાએ ચૂકવવી પડશે તેવી ચીમકી આપવાની સાથે ઈરાને વધારે આક્રમક હુમલા કર્યા છે. સમરાંગણના છઠ્ઠા દિવસે ઈરાને અઝરબૈઝાન પર ડ્રોન હુમલા કરતાં યુદ્ધની આગ વધારે વિકરાળ બની છે તથા ૧૪ અન્ય દેશો…




