Author: Garvi Gujarat

‘બીજી દીકરીના જન્મ બાદ ભેદભાવ સ્પષ્ટ જાેવા મળે છે’કંગનાએ દીકરા-દીકરીમાં ભેદભાવ પર મંતવ્ય આપ્યુંકંગના રનૌતે એશિયન પરિવારોમાં દીકરાની ઇચ્છા અને દીકરા-દીકરીના ઉછેરમાં ભેદભાવ વિશે ખૂલીને વાત કરીબોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ સાંસદ કંગના રનૌત હાલમાં પોતાની ફિલ્મો કરતાં પોતાના નિવેદનોને કારણે વધુ ચર્ચામાં છે. ફરી એકવાર તેનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેણે દીકરાની ઇચ્છા અને એશિયન પરિવારમાં દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ વિશે ખૂલીને વાત કરી છે. આ નિવેદને ન માત્ર બોલિવૂડ પરંતુ સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ કરી દીધી છે. કંગના રનૌતે એશિયન પરિવારોમાં દીકરાની ઇચ્છા અને દીકરા-દીકરીના ઉછેરમાં ભેદભાવ વિશે ખૂલીને વાત કરી છે.‘બીજી…

Read More

એક્ટરની પોસ્ટ પર ફેન્સ તરફથી અભિનંદન સાથે અસંખ્ય પ્રતિક્રિયાઓ મળીરાજકુમાર રાવ અને પાત્રલેખાની ચોથી લગ્નતિથીએ પુત્રી અવતરીઅમારી ચોથી લગ્ન વર્ષગાંઠ પર, ભગવાને અમને અત્યાર સુધીના સૌથી મોટા આશીર્વાદ આપ્યા છે: રાજકુમાર રાવબોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ પિતા બન્યા છે. તેમની પત્ની પત્રલેખાએ એક બાળકીને જન્મ આપ્યો છે. અભિનેતાએ આ ખાસ સમાચાર તેના ફેન્સ સાથે શેર કર્યા છે. આજે રાજકુમાર રાવ અને પત્રલેખાની ચોથી મેરેજ એનિવર્સરી છે અને હવે બાળકીના આગમનથી તેમનો આનંદ બમણો થઈ ગયો છે. અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર ખુશખબર શેર કરતા લખ્યું, “અમારી ચોથી લગ્ન વર્ષગાંઠ પર, ભગવાને અમને અત્યાર સુધીના સૌથી મોટા આશીર્વાદ આપ્યા છે.” અભિનેતાએ ૧૫ નવેમ્બર, ૨૦૨૧ના…

Read More

મારી પ્રિય વ્યક્તિના જન્મની સવાર છે અને અમે તેના માટે પ્રાર્થના કરીએઆરાધ્યાના જન્મદિવસે દાદા અમિતાભ બચ્ચન ‘ભાવુક’ થયા.ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન ૨૦૦૭માં થયા હતા અને ચાર વર્ષ ઐશ્વર્યાએ આરાધ્યાને જન્મ આપ્યો હતો.બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની દીકરાની દીકરી આરાધ્યા બચ્ચન ૧૪ વર્ષની થઈ ગઈ છે. આ વિશેષ અવસર પર તેમના દાદા અમિતાભે એક ભાવુક વ્લોગ લખીને તેને આગામી વરીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. વ્લોગમાં બિગ બીએ આરાધ્યાના બર્થ-ડેની શુભેચ્છા સાથે પોતાના જીવનના અનુભવોને વાગોળ્યા હતા.અમિતાભ બચ્ચને પોતાના વ્લોગમાં લખ્યું છે કે ‘આરાધ્યાના જન્મની પૂર્વસંધ્યા પર શુભેચ્છાઓ. આપણા દરેકના અંદરનું બાળક સમય સાથે મોટું થાય છે અને આપણે તેને અભિનંદન…

Read More

હું ઈશ્વરમાં માનતો નથી : રાજામૌલી. રાજામૌલીના નાસ્તિકતાનું સમર્થન કરતા નિવેદનથી વિવાદ શરૂ થયોરાજામૌલીના શબ્દોએ લોકોની લાગણી દુભાવી હતી અને એનો પડઘો તરત સોશિયલ મીડિયા પર પડ્યો હતા‘બાહુબલી’ અને ‘RRR’ જેવી ફિલ્મોની ધૂમ સફળતા બાદ ર્નિદેશક એસ.એસ. રાજામૌલી ‘વારાણસી’ નામની ફિલ્મ લઈને આવી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલા આ ફિલ્મના પ્રચાર કાર્યક્રમમાં રાજામૌલી એવું બોલી ગયા હતા કે, ‘હું ઈશ્વરમાં માનતો નથી’, જેને લીધે તેમની ટીકા થઈ રહી છે. હિન્દુ પૌરાણિક કથાઓ પર આધારિત ફિલ્મો બનાવવા માટે ખ્યાતિ પામેલા દિગ્દર્શકના આવા શબ્દોથી લોકોની લાગણી દુભાઈ છે અને આ મુદ્દાએ વિવાદનું વાતાવરણ ઊભું કર્યું છે.‘વારાણસી’ના પોસ્ટર અને ટીઝર રિલીઝનો કાર્યક્રમ હૈદરાબાદના રામોજી…

Read More

વધતા પ્રદૂષણની અસરગુજરાતમાં શ્વાસની સમસ્યાના દર્દીઓ વધ્યા, દરરોજ સરેરાશ ૩૪૦ કેસતાજેતરમાં જ ૩૨ વર્ષીય યુવાનને લગ્નપ્રસંગમાં શ્વાસ લેવામાં સમસ્યા સર્જાતાં તાકીદે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવો પડ્યો હતાગુજરાતમાં શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. હાલ શ્વાસની સમસ્યા ધરાવતા દરરોજના સરેરાશ ૩૪૦ જેટલા કેસ સામે આવી રહ્યા છે. હવે શિયાળો પ્રભુત્વ જમાવી રહ્યો છે અને પ્રદૂષણ પણ ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યું છે ત્યારે શ્વાસની સમસ્યાના કેસમાં હજુ વધારો થાય તેવી સંભાવના છે. તાજેતરમાં જ ૩૨ વર્ષીય યુવાનને લગ્નપ્રસંગમાં શ્વાસ લેવામાં સમસ્યા સર્જાતાં તાકીદે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવો પડ્યો હતો. સામાન્ય રીતે શ્વાસની સમસ્યા યુવાનોને ખાસ અસર…

Read More

ગંદકી અને પ્લાસ્ટિકના ઉપયોગ બદલ કોર્પોરેશને સીલ મારી દીધાહિમાલયા મોલમાં ડોમિનોઝ પીઝા સહિત ૩ એકમોને સીલ કરાયાપ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂપિયા ૮૫ હજાર જેટલો દંડ પેઢી પાસેથી વસૂલ કરવામાં આવ્યાહિમાલયા મોલમાં આવેલા ડોમિનોઝ પીઝા સહિત ત્રણ એકમોને સીલ મારવામાં આવ્યા છે. જાહેરમાં ગંદકી કરવા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ આ ત્રણ એકમો સીલ કરાયા છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧૬૭ એકમોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ગંદકી અને ન્યૂસન્સ બદલ ૯૪ એકમોને નોટિસ ઈશ્યુ કરાઈ છે. આ ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂ. ૮૫ હજારનો દંડ વસૂલ કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર…

Read More

સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી પર આધારિતચીનની સરહદ નજીક ભારતીય સેનાએ બનાવી વિશ્વની સૌથી ઊંચી લશ્કરી મોનોરેલસૌથી મહત્ત્વની આ સિસ્ટમ દિવસ અને રાત કાર્યરત છે, તોફાન, કરા અથવા હિમવર્ષામાં કાર્યરત છેઅરુણાચલ પ્રદેશમાં હિમાલયની કામેંગ ખીણમાં ૧૬ હજાર ફૂટની ઊંચાઈએ કાર્યરત રહેવું એ એક સાહસિક મિશન છે. અહીં ઢાળવાળી ખડકો, અનિશ્ચિત હવામાન અને ભારે ઠંડી સપ્લાય લાઈનોને વિક્ષેપિત કરે છે. બરફના તોફાનો દિવસો સુધી આગળની ચોકીઓ સુધી પહોંચી શકાતું નથી, જેના કારણે ખચ્ચર અથવા ફૂટપાથ જેવા પરંપરાગત પરિવહન માર્ગાે બિનઅસરકારક સાબિત થાય છે. ભારતીય સેનાના ગજરાજ કોર્પ્સે આ પડકારનો સામનો કર્યાે અને એક અનોખી ઉંચાઈ પરની મોનોરેલ સિસ્ટમ વિકસાવી છે. જે સંપૂર્ણપણે સ્વદેશી…

Read More

સોનાના વાયદામાં રૂ.6138 અને ચાંદીના વાયદામાં રૂ.15401નો સાપ્તાહિક ધોરણે જંગી ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.34 લપસ્યો બિનલોહ ધાતુઓ, નેચરલ ગેસમાં એકંદરે સુધારોઃ ઇલેક્ટ્રિસિટી, કોટન, મેન્થા તેલમાં નરમાઇનો માહોલઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.347829.81 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2235426.91 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.269687.33 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 30107 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 7થી 13 નવેમ્બરના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.2583324.39 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.347829.81 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.2235426.91 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.38.58 કરોડ અને ઇન્ડેક્સ…

Read More

રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની માંગસાબરકાંઠામાં BLO ની ફરજ સોંપાતા શિક્ષકોમાં અસંતોષરાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા આ કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ આપવા માંગ કરવામાં આવી છસાબરકાંઠામાં BLO ની ફરજ સોંપાતા શિક્ષકોમાં અસંતોષ જાેવા મળી રહ્યો છે. શિક્ષકોના જણાવ્યા અનુસાર, વધારાના કામથી શિક્ષણની ગુણવત્તા પર અસર પડી રહી છે. આ કામગીરીના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી હોવાની દલીલ પણ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ૭ ડિસેમ્બર સુધી SIR ની કામગીરી પૂર્ણ કરવાનું જણાવવામાં આવ્યું છે. આ વચ્ચે શિક્ષકોને SIR ની કામગીરીમાંથી મુક્તિ આપવા માંગ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવી છે. સાબરકાંઠામાં શિક્ષકોને BLO તરીકે ફરજ સોંપવામાં આવી છે,…

Read More

વડોદરામાં અનેક સ્થળોએ મ્યુ. કોર્પો.ની પાઈપોના દબાણથી લોકોને હાલાકીપાણીની લાઈનોના છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી ધુળ ખાઇ રહી હોય રાહદારીઓઓની મુશ્કેલીમાં વધારો થયો છેવડોદરા શહેરમાં ફૂટપાથ પર વાહનોના પાર્કિંગ અને ગેરકાયદે લારી-ગલ્લા, પથારાના દબાણથી રાહદારીઓ પરેશાન છે. ત્યારે શહેરમાં અનેક સ્થળોએ ફૂટપાથ પર તથા રસ્તાની બાજુમાં મ્યુ.કોર્પોરેશનની પાણીની લાઈનોના છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી ધુળ ખાઇ રહી હોય રાહદારીઓઓની મુશ્કેલીમાં વધારો થયો છે. વડોદરા મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલ ઠેર-ઠેર પાણી, ડ્રેનેજ અને વરસાદી કાંસની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે. જેથી નાગરિકોને પ્રાથમિક સુવિધા માટેની સમસ્યાઓમાંથી રાહત થશે. જાે કે, આ…

Read More