- સ્ટ્રેસ દૂર કરવા મહિલાએ ₹258 કરોડની ઓનલાઈન શોપિંગ કરી, 2,000 ઓર્ડર કેન્સલ કરતાં જેલ
- મહિલા અનામત કાયદા પર રિજિજુ-રાહુલ આમને-સામને, રાહુલનો સવાલ: ‘3 વર્ષથી બિલ કેમ લાગુ નથી?’
- ફ્રાન્સ સાથે ભારતની મોટી ડીલ! છઠ્ઠી પેઢીના ફાઈટર જેટ માટે FCASમાં જોડાવાની તૈયારી
- ગુજરાતમાં 14 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ, 10 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
- ગોપાલ ઇટાલિયાનો સી.આર. પાટીલને પડકાર: ‘સુરતની દેશની શ્રેષ્ઠ 50 સરકારી શાળાઓનું લિસ્ટ જાહેર કરો’
- ખેડૂત નેતા પિયૂષ પરમાર પર 9મી FIRનો દાવો, કહ્યું: ‘ખેડૂતો માટે લડતો રહીશ, ડરવાનો નથી’
- ખેડૂત નેતા પિયુષ પરમાર સામે ફરિયાદ મામલે AAPનો વિરોધ, પ્રવીણ રામે ભાજપ પર સાધ્યું નિશાન
- અમદાવાદમાં રાષ્ટ્રીય હથકરઘા દિવસની ઉજવણી, 280 સહભાગીઓની હાજરીમાં વણકરોને રાજ્ય હથકરઘા પુરસ્કાર એનાયત
Author: garvigujrat
આમ આદમી પાર્ટી ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે ફરીથી એલપીજીમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર હોવા છતાં પણ ભાવવધારો અટકતો નથી અને દિવસે ને દિવસે જરૂરી વપરાશની વસ્તુઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે 60 રૂપિયાનો વધારો સામાન્ય પરિવાર, મધ્યમ વર્ગ અને ગરીબ લોકો માટે કેટલો મોટો છે તે એ લોકો જ જાણતા હોઈ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી મોટી મોટી વાતો તો કરે છે કે અમે ગરીબ પરિવારો સાથે છીએ, મહિલાઓ સાથે છીએ અને સામાન્ય વર્ગ માટે કામ કરીએ છીએ, પરંતુ હકીકતમાં લોકો પર ખર્ચાનો…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત શહેર સહિત સમગ્ર દેશનો વિકાસ થાય એની સામે કોઈ ને વાંધો કે વિરોધ હોય શકે નહીં. વિકાસ ના નામે દરેક ક્ષેત્રમાં પ્રગતિ થઈ રહી છે જેવા કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નવી બનતી ફેકટરીઓ, નવા પ્લાન્ટ વિગેરે શરૂ થઈ રહ્યા છે એના થકી લોકોને રોજી રોટી મળી રહે એ ઘણી સારી વાત છે. પરંતુ એ રોજી-રોટીની શોધમાં સુરત આવી ભરચક વિસ્તારોમાં નર્ક જેવી જિંદગી જીવતા કામદારોના આરોગ્ય, રહેઠાણ વિગેરે માટે પણ વિચારવું જરૂરી છે. માત્ર ને માત્ર ઉત્પાદન ને ધ્યાનમાં રાખી જો કામદારોના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી દાખવવામાં આવશે તો પછી કામદારોના હિતો ના રક્ષણ માટે લડશે કોણ?…
આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. થોડા સમયમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાવાની છે. આ બાબતે આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરતી કરતી આજે ગુજરાતની અંદર મજબૂતીથી એક મહત્વપૂર્ણ વિકલ્પ તરીકે ઊભરી આવી છે. આજે જ્યારે સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પાર્ટી તમામ સીટો પર મજબૂતીથી ચૂંટણી લડવા જઈ રહી છે અને ઉમેદવારો ઉતારશે. આ બાબતે આમ આદમી પાર્ટીની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આગામી ૧૦મી તારીખથી શરૂ થવા જઈ રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા બે તબક્કામાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં જિલ્લા અને લોકસભા સ્તરે આગામી…
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિડિયોના માધ્યમથી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસની માહિતી આપતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી ઇસુદાનભાઇ ગઢવી અને પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો” યાત્રા ચાલી રહી છે. ગામડે ગામડે આ યાત્રાને વિશાળ જનપ્રતિસાદ મળી રહ્યો છે. જે રીતે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં પણ સિંચાઈનું પાણી, વીજળી, ખાતર, જમીન મહેસૂલની બાબતો હોય કે ટેકાના ભાવે ખરીદી હોય, બિયારણની બાબત હોય આ તમામ ક્ષેત્રોમાં ખેડૂત દુખી છે. ત્યારે પરિવર્તન એ જ એક ઉપાય છે. પરિવર્તન લાવવાથી જ…
આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલ “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા” ગતરોજ રાત્રે સુરેન્દ્રનગરના ચાચકા ખાતે પહોંચી હતી અને ત્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાચકા ખાતે આયોજિત સભા ખૂબ જ મહત્વપૂર્ણ સભા હતી કારણ કે AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી સહિત AAP નેતાઓએ બોટાદ-હડદડ કાંડમાં જેલમાં રહીને આવેલા ખેડૂતોનું સન્માન કર્યું હતું. સભાને સંબોધન કરતાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે અમે રાજનીતિમાં કોઈ સ્વાર્થ માટે આવ્યા નથી. ચૂંટણી આવે કે ન આવે, સત્તા મળે કે ન…
સલમાન ખાન એપ્રિલ ૨૦૨૬થી આ ફિલ્મ માટે શૂટિંગ શરૂ થશે.સલમાન ખાને દિલ રાજુ અને વામશી પૈડીપલ્લી સાથે એક્શન થ્રિલર સાઇન કરી.એક્શન થ્રિલર ફિલ્મનું શુટિંગ પુરૂ કર્યા બાદ સલમાન, રાજ નિદિમોરુ અને ક્રિશ્ના ડિ.કે સાથે સુપરમેન પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકે છે.સલમાન ખાને દિલ રાજુ અને ઊપિરિ અને મહર્ષિ જેવી ફિલમોના નેશનલ એવોર્ડ વિજેતા ડિરેક્ટર વામશી પૈડીપલ્લી સાથે એક એક્શન થ્રિલર ફિલ્મ સાઇન કરી છે. આ અંગેના અહેવાલો અનુસાર આ એક મોટા બજેટની ફિલ્મ છે. જાેકે, આ ફિલ્મનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ એપ્રિલથી તેનું શૂટિંગ શરૂ થઈ રહ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન ક્યારેય જાેવા નથી મળ્યો…
પાલી હિલમાં પ્રીતિ ઝિન્ટાએ 1700 સ્ક્વેર ફૂટનો ફ્લેટ 18.5 કરોડમાં વેચ્યો, સાથે ત્રણ પાર્કિંગનો સમાવેશ
૧૭૦૦ ચોરસ ફૂટના ફલેટનો સોદો કર્યાે.પ્રીતિ ઝિન્ટાએ ૧૮ કરોડમાં મુંબઈનો ફલેટ વેચ્યો.પ્રીતિ ભારત ઉપરાંત અમેરિકામાં પણ પ્રોપર્ટી ધરાવે છે. આ ફ્લેટ સાથે ત્રણ પાર્કિગનો પણ સમાવેશ છે.પ્રીતિ ઝિન્ટાએ મુંબઇના પાલી હિલ વિસ્તારનો પોતાનો ૧૭૦૦ થી વધુ સ્કે.ફૂટનો ફ્લેટ ૧૮.૫ કરોડમાં વેચ્યો છે. આ ફલેટ બિલ્ડિંગના ૧૧મા માળ પર આવેલો હતો. તેણે આ ફલેટ ખરીદ્યો ન હતો. પરંતુ, આ ફ્લેટ તેને ૨૦૨૩માં બિલ્ડિંગના રિડવેલપમેન્ટ પ્રોજેક્ટના ભાગરુપે મળ્યો હતો. પ્રીતિ ભારત ઉપરાંત અમેરિકામાં પણ પ્રોપર્ટી ધરાવે છે. આ ફ્લેટ સાથે ત્રણ પાર્કિગનો પણ સમાવેશ છે. આ ફ્લેટનું રજિસ્ટ્રેશન બીજી માર્ચના રોજ થયું હતું. જેના માટે ૧.૧૧ કરોડ રૂપિયા સ્ટેમ્પ ડયુટી ચૂકવવામાં આવી…
ઓસ્કર 2026માં પ્રિયંકા ચોપરા પ્રેઝેન્ટર તરીકે સામેલ, હોલીવૂડ સ્ટાર્સ સાથે ગ્લોબલ મંચ પર ભારતનું ગૌરવ
પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર એક નવી અપડેટ શેર કરી.ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ઓસ્કર ૨૦૨૬નાં પ્રેઝેન્ટરની યાદીમાં સામેલ.પ્રિયંકા સાથે યાદીમાં રોબર્ટ ડાઉની જુનિયર, એન હેથવે, વિલ આર્નેટ, પોલ મેસ્કલ અને ગ્વિનેથ પેલ્ટ્રો પણ સામેલ.પ્રિયંકા ચોપરા ખરા અર્થમાં ગ્લોબલ સ્ટાર બની ગઈ છે, આંતરરાષ્ટ્રિય સ્તરે પ્રખ્યાત ઇવેન્ટ અને મંચ પર તેની હાજરી સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ હોય છે. હવે તેણે પોતાનાં ઇન્સ્ટાગ્રામ પર અપડેટ શેર કરી છે, એક તરફ એકેડેમી એવોર્ડ્સના ૧૫ માર્ચે તેના લાઇવ પ્રસારણ માટે તૈયારી શરૂ થઈ ગઈ છે. બીજી તરફ હવે પ્રિયંકાએ પોતાના ચાહકો સાથે ઇન્સ્ટાગ્રામ પર એક નવી અપડેટ શેર કરી, જેમાં તેણે સત્તાવાર પ્રેઝેન્ટર્સની યાદીનો એક સ્નેપશોટ…
અમદાવાદના મુખ્યાલય ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલના કાર્યાલયના સહાયક નિયામક (પોસ્ટલ સર્વિસીસ) શ્રી અલ્પેશ આર. શાહે પ્રથમ ઓલ ઈન્ડિયા પોસ્ટલ પેરા સ્પોર્ટ્સ મીટમાં ગુજરાત પોસ્ટલ સર્કલનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સ્પર્ધા પોસ્ટ વિભાગ દ્વારા 27-28 ફેબ્રુઆરી, 2026 ના રોજ દુર્ગમાં છત્તીસગઢ પોસ્ટલ સર્કલના સહયોગથી યોજાઈ હતી. ઉત્તમ રમતગમત અને નિશ્ચય દર્શાવતા, શ્રી શાહે આ કાર્યક્રમમાં ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. દેશભરના વિવિધ પોસ્ટલ સર્કલનું પ્રતિનિધિત્વ કરતા પોસ્ટલ કર્મચારીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ગુજરાત સર્કલના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ અને અમદાવાદના મુખ્યાલય ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલે શ્રી શાહને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ગુજરાત પોસ્ટલ સર્કલને ગૌરવ અપાવવા માટેના તેમના સમર્પણ અને પ્રયાસોની…
ક્રિકેટ ફિવરમાં રેલવે વિભાગનો માસ્ટર પ્લાન T20 વર્લ્ડ કપ ફાઇનલ માટે મુંબઈ અને અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ ટ્રેન દોડશે રેલવે વિભાગ દ્વારા ૭થી૯ માર્ચ સુધી મુંબઈ અને અમદાવાદ વચ્ચે સુપર ફાસ્ટ ટ્રેન દોડાવાશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે. આ મેચ જાેવા માટે સમગ્ર દેશમાંથી દર્શકો અમદાવાદ આવી પહોંચશે. ત્યારે દર્શકોને અમદાવાદ આવવા માટે ટ્રાન્સપોર્ટેશન અંગે કોઈ તકલીફ ના રહે તે માટે ભારતીય રેલવે વિભાગ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.રેલવે વિભાગ દ્વારા ૭થી૯ માર્ચ સુધી મુંબઈ અને અમદાવાદ વચ્ચે સુપર ફાસ્ટ ટ્રેન દોડાવાશે. તેજસ અને AC સુપરફાસ્ટ ટ્રેનોની સુવિધા…




