- સુપ્રીમ કોર્ટનો રેલવે અંગે મોટો નિર્ણય, ‘સેકન્ડ ક્લાસ મુસાફર’ શબ્દને ગણાવ્યો બંધારણ વિરોધી
- રશિયન તેલ ખરીદનારા દેશો પર 100% ટેરિફની ધમકી, ભારત-ચીન પર પડી શકે અસર
- ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, વોશિંગ્ટન સુંદર ઈજાના કારણે ત્રીજી વનડેમાંથી થઈ શકે બહાર
- વંદે માતરમ રોકનારને 3 વર્ષની જેલ? ચોમાસુ સત્રમાં નવો કાયદો લાવશે મોદી સરકાર
- સોનમ વાંગચુકની તબિયત નાજુક, ઓર્ગન ફેલ્યોરની ડોક્ટરોને ચિંતા છતાં અનશન ચાલુ રાખશે
- ગુજરાતમાં અશાંતધારાનું નામ બદલાયું, હવે ‘સ્પેસિફાઇડ એરિયા’ હેઠળ મિલકત વેચાણની નવી પ્રક્રિયા
- સુરત ખાડીપૂરથી 30 ટેક્સટાઇલ માર્કેટોમાં પાણી ભરાયા, કરોડોના નુકસાન બાદ રાહત પેકેજની માંગ
- પ્રવીણ રામનું ખેડૂતોના વીજ લાઈન આંદોલનને સમર્થન, પડધરી ઉપવાસમાં આપશે હાજરી
Author: garvigujrat
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ મહામંત્રી સામત ગઢવી, મધ્યઝોન કાર્યકારી પ્રમુખ ડો. જ્વેલ વસરા, પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ તથા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટ સહિત પ્રદેશના પદાધિકારીઓ આજે રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. તે પહેલાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા મીડિયાને સંબોધિત કરતા AAP નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતુ કે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે અને પાંચ ધારાસભ્યો સાથે સતત જનતા વચ્ચે રહી લોકોના મુદ્દાઓ ઉઠાવી રહી છે તેમ છતાં રાજ્યપાલને મળવા માટે સમય આપવામાં આવતો નથી.…
આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAPના સંગઠન મહામંત્રી સૂરજ બગડાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શિક્ષકોને વધુ એક બિન શૈક્ષણિક કામ સોંપતો પરિપત્ર જાહેર કરવામાં આવે છે. આ કામમાં હવે સરકારી શિક્ષકો રખડતા કૂતરાઓની ગણતરી કરશે. અમારો સવાલ છે કે શું શિક્ષકોને આવું કામ સોંપવું એ યોગ્ય છે? વધુમાં AAP નેતા સૂરજ બગડાએ જણાવ્યું હતું કે, અગાઉ પણ સરકાર દ્વારા વારંવાર બિન શૈક્ષણિક કામો શિક્ષકોને સોંપવામાં આવ્યા છે; જેમ કે SIRની કામગીરી, શૌચાલય ગણતરી, સંખ્યા ભેગી કરવી વગેરે. શિક્ષકોને આવા કામ સોંપવામાં આવે છે, જેના કારણે શૈક્ષણિક…
આજે બોડકદેવ વિસ્તારમાં આવેલી Apollo હોસ્પિટલમાં વધારે અને ખોટો ચાર્જ લેતા દર્દીના સગાનો ફોન આવતા ત્યાં હોસ્પિટલ કેર કમિટિ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમાર આવી પહોંચ્યા હતા. ત્યાં ચોંકાવનારી માહિતી એવી મળી કે દર્દીને પેશાબ કરાવવા માટે કેથટન નાખવાનો ચાર્જ 47600/ બિલમાં આપેલ, સાથે ડૉક્ટર વીઝીટ ચાર્જ વધારે અને ઓછી વિઝિટને વધારે બતાવી વધુ ચાર્જ વસુલવામાં આવ્યો. દર્દીના સગા જાગૃત હોવાથી એમને માથાકૂટ કરતા આખો મામલો સામે આવેલ. હોસ્પિટલનો સ્ટાફ તો એમની સામે જાણે દાદાગીરી કરતો હોય એમ વ્યવહાર કરતો હતો. જાણે અમને કોઈનો ડર નથી, જે થાય તે કરી લો એવી બેફિકરાઈથી જવાબ આપેલ. હોસ્પિટલ કેર કમિટિ…
હવે ગણતરીના સમયમાં જ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ સમસ્ત ગુજરાતમાં યોજાવવા જઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખૂણે ખૂણે પોતાના સંગઠનને મજબૂત કરવા માટે જબરદસ્ત મહેનત કરી છે. હાલ આમ આદમી પાર્ટીમાં નિયુક્તિઓનો દોર ચાલી રહ્યો છે અને સંગઠનમાં ક્ષમતા અનુસાર ખૂબ જ મોટી સંખ્યામાં પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે. તો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી પદે શશાંક ખરેની નિયુક્તિ કરવામાં આવી. આ સિવાય ખેડબ્રહ્મા વિધાનસભાના સહ પ્રભારીની નિયુક્તિ કરવામાં આવી.…
અમેરિકા અને ભારત વચ્ચે થયેલી ટ્રેડ ડીલથી સમગ્ર દેશના લોકોમાં આક્રોશ છે અને જ્યારથી ટ્રેડ ડીલના સમાચાર આવ્યા છે, ત્યાંરથી આમ આદમી પાર્ટી પણ મજબૂતીથી આ મુદ્દે અવાજ ઉઠાવી રહી છે. તો ગુજરાતમાં ખેડૂતો વેપારીઓ અને સામાન્ય લોકોને ટ્રેડ ડીલથી થનારી તકલીફો મુદ્દે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિથી નાના માણસોને પડતી તકલીફો મુદ્દે પણ રજૂઆત કરવા આમ આદમી પાર્ટીના પ્રતિનિધિમંડળે ગુજરાત રાજ્યના રાજ્યપાલ સમક્ષ મુલાકાત માટે સમય માંગ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ,…
વધારાની ૭૫ બસોને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે મહાશિવરાત્રી મેળા માટે એસ. ટી. નિગમ દ્વારા ૧,૦૦૦ બસોનું સંચાલન હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સુયોગ્ય આયોજન કરવામાં આવ્યું છે મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે જૂનાગઢ ખાતે યોજાઈ રહેલા ‘મીની કુંભ’ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સલામત અને સુલભ મુસાફરી માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સુયોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના ખૂણે-ખૂણેથી આવતા યાત્રિકોને પરિવહનમાં કોઈ અગવડ ન પડે તે માટે આ વર્ષે કુલ ૧,૦૦૦ બસોનું સંચાલન કરવામાં આવશે. મહાશિવરાત્રી મેળા દરમિયાન જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લા જેવા જેમાં…
બેઠકમાં ખેડૂત સંઘના નેતાઓએ વિરોધ નોંધાવ્યો રાહુલ ગાંધીએ ખેડૂત સંઘના નેતાઓ સાથે મુલાકાત કરી ભારત-અમેરિકા વચ્ચે વચગાળાના સમજૂતી કરારનો વિરોધ કરવા માટે દેશવ્યાપી આંદોલનની ચર્ચા કરાઈ કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્રેડ ડીલ મામલે મોદી સરકારનો ભારે વિરોધ કર્યા બાદ અચાનક ખેડૂત સંઘના નેતાઓ સાથે મુલાકાત કરી છે. તાજેતરમાં અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ થઈ હતી, ત્યારબાદથી રાહુલ ગાંધી મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, આ ડીલના કારણે ખેડૂતોની રોજગારી છિનવાશે અને દેશની ખાદ્ય સુરક્ષાને પણ નબળી પાડશે. તેમણે લોકસભામાં ભાષણ કરતી વખતે ડીલને ખેડૂત વિરોધી ગણાવી હતી. રાહુલ…
પૂર્ણેશ મોદીએ ભર્યું ફોર્મગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ માટે ૧૬મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે હાલમાં જ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું, જેના કારણે આ મહત્વનો બંધારણીય હોદ્દો ખાલી પડ્યો હતો ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદ માટે સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદી આજે બપોરે ૧૨ વાગ્યે ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તો કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર ઉમેદવારી નોંધાવશે. શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે હાલમાં જ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. જેના કારણે આ મહત્વનો બંધારણીય હોદ્દો ખાલી પડ્યો હતો. ૧૬ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા અનેક નામો પર મંથન કરવામાં આવ્યું હતું. જેમાં અંતે પૂર્ણેશ મોદી નામ…
NHAI એ જાહેર કર્યું એલર્ટ નકલી વેબસાઈટ અને QR કોડથી થઈ રહી છે છેતરપિંડી આવી ઘટનાઓ સમગ્ર ભારતમાં ઝડપથી વધી રહી છે કલ્પના કરો કે તમે હાઇવે પર ખૂબ જ ઝડપે વાહન ચલાવી રહ્યા છો અને અચાનક તમને તમારા ફોન પર એક સંદેશ મળે છે. તેમાં લખેલું છે કે તમારો FASTag સમાપ્ત થવાનો છે. ઝડપથી ઊઇ કોડ સ્કેન કરો અથવા NHAI જેવી દેખાતી સાઇટ પર રિચાર્જ કરો. જાન્યુઆરી ૨૦૨૬ માં દિલ્હીના એક વ્યક્તિ સાથે આવું જ બન્યું હતું. ટોલ પ્લાઝા પર તેણે કોડ સ્કેન કર્યો તેની વિગતો દાખલ કરી અને થોડીવારમાં તેના બેંક ખાતામાંથી રૂ.૫,૦૦૦ ઉપાડી લેવામાં આવ્યા. આવી ઘટનાઓ…
૧ બાળકનું મૃત્યુ; ભયાનક CCTV સામે આવ્યા ધોરણ-૧૨ના વિદ્યાર્થીએ રસ્તા પર ૬ લોકોને કચડ્યાં લખનઉમાં રફતારનો કહેર જાેવા મળ્યો છે, જ્યાં માતેલા સાંઢની જેમ દોડતી એક કારે અનેક લોકોને ટક્કર મારી ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં રફતારનો કહેર જાેવા મળ્યો છે. જ્યાં માતેલા સાંઢની જેમ દોડતી એક કારે અનેક લોકોને ટક્કર મારી હતી. આ કારે ૬ લોકોને કચડી નાખ્યા હતા, જેમાં ૬ વર્ષનો એક બાળક પણ સામેલ છે. આ ૬ વર્ષના માસૂમનું દુર્ઘટનામાં મોત થયું છે. હવે આ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ વીડિયો જાેઈને તમારા હાથના રૂંવાળા પણ ઉભા થઈ જશે. વીડિયોમાં આ કાર લોકોને કચડતી જાેવા મળી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



