- સુપ્રીમ કોર્ટનો રેલવે અંગે મોટો નિર્ણય, ‘સેકન્ડ ક્લાસ મુસાફર’ શબ્દને ગણાવ્યો બંધારણ વિરોધી
- રશિયન તેલ ખરીદનારા દેશો પર 100% ટેરિફની ધમકી, ભારત-ચીન પર પડી શકે અસર
- ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, વોશિંગ્ટન સુંદર ઈજાના કારણે ત્રીજી વનડેમાંથી થઈ શકે બહાર
- વંદે માતરમ રોકનારને 3 વર્ષની જેલ? ચોમાસુ સત્રમાં નવો કાયદો લાવશે મોદી સરકાર
- સોનમ વાંગચુકની તબિયત નાજુક, ઓર્ગન ફેલ્યોરની ડોક્ટરોને ચિંતા છતાં અનશન ચાલુ રાખશે
- ગુજરાતમાં અશાંતધારાનું નામ બદલાયું, હવે ‘સ્પેસિફાઇડ એરિયા’ હેઠળ મિલકત વેચાણની નવી પ્રક્રિયા
- સુરત ખાડીપૂરથી 30 ટેક્સટાઇલ માર્કેટોમાં પાણી ભરાયા, કરોડોના નુકસાન બાદ રાહત પેકેજની માંગ
- પ્રવીણ રામનું ખેડૂતોના વીજ લાઈન આંદોલનને સમર્થન, પડધરી ઉપવાસમાં આપશે હાજરી
Author: garvigujrat
આમ આદમી પાર્ટીના ફ્રંટલ સંગઠન પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા પ્રવીણ રામે એક વિડીયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, ખોટી જાહેરાતો અને તાયફાઓ કરી ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવનાર ગુજરાતની ભાજપ સરકારે ફરી એક વાર ખોટી જાહેરાત કરી ફરીથી એક નવો રેકોર્ડ બનાવવાનું કામ કર્યું. ગુજરાતમાં મોટાભાગે ખેડૂતોનો મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો, ત્યારે ગુજરાતની ભાજપ સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની અને 10,000 કરોડની સહાયની જાહેરાત કરી દીધી. પરંતુ વાસ્તવમાં ગુજરાતના અનેક ખેડૂતો આ સહાયથી વંચિત રહ્યા છે. વધુમાં AAP નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, એનાથી પણ એનાથી પણ વધારે ચોંકાવનારી…
લગ્નની ખુશીઓ વચ્ચે બે પરિવારોમાં માતમ છવાયો સુરતમાં નવવધૂનું લગ્નના દિવસે રાતે ટાઇફોઇડથી મોત થયું દુલ્હન વેદી પટેલ એક અઠવાડિયાથી બીમાર હતી. તેને ટાઈફોઈડનું નિદાન થયું હતું હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી જન્મ અને મરણનો ખેલ ઉપરવાલાના હાથમાં હોય છે. મોતનો પડદો ક્યારે પડે તે કંઈ કહેવાય નહિ. ત્યારે સુરતની એક નવવધૂને લગ્નની રાતે જ મોત આવ્યું. જ્યાં સવારે લગ્નના ગીતો ગવાતા હતા, ત્યાં સાંજ ઢળતા જ માતમ છવાયું હતું. કેનેડાના યુવક સાથે સુરતની યુવતીના જે દિવસે લગ્ન હતા, તે જ દિવસે રાતે તેનું ટાઈફોઈડથી મોત નિપજ્યું હતુ. આ ઘટનાથી બે પરિવારો પર આભ તૂટી પડ્યું હતુ. વાત જાણે…
પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે બળાપો ઠાલવ્યો વડોદરા ક્રિકેટમાં સત્તાધિશોને સલામ કરનારાઓને જ કામ મળે છે ઈરફાન પઠાણે કહ્યું BCA નું સ્તર સતત નીચે જઈ રહ્યું છે બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની આવનારી ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. પૂર્વ ભારતીય સ્ટાર ક્રિકેટર ઇરફાન પઠાણે હાલની વ્યવસ્થા અને સત્તાધીશો સામે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે બરોડા ક્રિકેટ એસોસિએશનનું સ્તર છેલ્લા કેટલાક વર્ષોમાં સતત નીચે જઈ રહ્યું છે અને ક્રિકેટના વિકાસ માટે તાત્કાલિક સુધારાની જરૂર છે. ઇરફાન પઠાણે કહ્યું કે BCA સાથે તેમની ઘણી યાદો જાેડાયેલી છે અને આજે તેઓ જે કંઈ છે તેમાં BCA નો મહત્વનો ફાળો છે. તેમણે કહ્યું…
બ્રહ્મપુત્ર નદી નીચે એક સાથે દોડશે ટ્રેનો અને કાર ભારતની પહેલી અંડરવોટર રોડ-કમ-રેલ ટનલને કેબિનેટની મંજૂરી આ અંડરવોટર ટ્વિન ટ્યુબ રોડ ટનલ બનવાથી 240 km નું અંતર ઘટીને માત્ર 34 km રહી જશે મોદી કેબિનેટે આજે શનિવારે (૧૪ ફેબ્રુઆરી) આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે ગોહપુર અને નુમાલીગઢ વચ્ચે રેલ અને રોડ ટનલ બનાવવાની મંજૂરી આપી દીધી છે. આ અંડરવોટર ટ્વિન ટ્યુબ રોડ ટનલ બનવાથી 240 km નું અંતર ઘટીને માત્ર 34 km રહી જશે. બ્રહ્મપુત્રા નદીની નીચે 34 km લાંબી ટનલ બનાવવામાં આવશે. દેશમાં પ્રથમ વખત ટ્વિન-ટ્યુબ અંડરવોટર ટનલ બનવા જઈ રહી છે. આ ટનલમાં વાહનો અને ટ્રેનો બંને ચલાવવાની સુવિધા…
પોલીસે કહ્યું જીવનું જાેખમ હોઈ શકે અમેરિાકમાં મૂળ કર્ણાટકનો સાકેત શ્રીનિવાસૈયા ગુમ અમેરિકાના બર્કલેની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ભણતો હતો : સાકેત છેલ્લે ૯મી ફેબ્રુઆરીએ સાંજે જાેવા મળ્યો હતો અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓના મોત અને હુમલાના અનેક કિસ્સા સામે આવ્યા છે. હવે એક વધુ ચોંકાવનારો મામલો જાેવા મળ્યો છે. જેણે ચિંતા પેદા કરી છે. અમેરિકાના બર્કલેમાં ૨૨ વર્ષનો ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયા ગુમ થઈ ગયો છે. અમેરિકી પોલીસ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે સાકેતની શોધ ચાલુ છે. અમેરિકી પોલીસે તેને જીવનું જાેખમ હોવાનું પણ ગણાવ્યું છે. સાકેત છેલ્લે મંગળવારે સાંજે ૫ વાગે જાેવા મળ્યો…
૧૫ ફેબ્રુઆરી ક્રિકેટ ફેન્સ માટે સુપર સન્ડે ભારત અને પાકિસ્તાન રવિવારે મેદાનમાં ઉતરશે આ દિવસે બંને દેશોની મહિલા ટીમનો સામનો પણ થશે ૧૫ ફેબ્રુઆરીનો દિવસ ક્રિકેટ ફેન્સ માટે સુપરહિટ રહેવાનો છે. આ દિવસે ક્રિકેટ ફેન્સને IND vs PAK મેચનો ડબલ રોમાંચ જાેવા મળશે. આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક નહીં પરંતુ બે-બે મેચ રમાશે. ૧૫ ફેબ્રુઆરીએ ટી૨૦ વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક હાઈ વોલ્ટેજ મેચ રમાશે. તેના પર બધા ફેન્સની નજર રહેશે. પરંતુ આ દિવસે અન્ય એક મેચમાં IND vs PAK ની ટક્કર થશે, આ મેચ મહિલાઓ વચ્ચે રમાશે. તેની જાણકારી ખૂબ ઓછા ફેન્સને હશે. તો આવો આ…
ભાદર નદીમાં વધતા કેમિકલ પ્રદૂષણ સામે આમ આદમી પાર્ટી દ્વારા “ભાદર બચાવો” અભિયાન તેજ કરવામાં આવ્યું છે. કેમિકલ પ્રદૂષણ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના નેતા મહેશ કોટડીયા છેલ્લા પાંચ દિવસથી અડીખમ ઉપવાસ પર બેઠા છે. તેમના આંદોલનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ભાદર નદીના કાંઠા વિસ્તારના પ્રદૂષણથી અસરગ્રસ્ત ગામોમાં પક્ષના નેતા ધાર્મિક માથુકિયાની આગેવાનીમાં ડોર-ટુ-ડોર સંપર્ક અભિયાન અને જનસભાઓ યોજાઈ રહી છે. આજે લુણાગરી, લુણાગરા અને કેરાળી ગામોમાં “ભાદર બચાવો” સભાઓ યોજાઈ હતી, જેમાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. AAP નેતા ધાર્મિક માથુકિયાએ આ મુદ્દે જણાવ્યું હતું કે…
આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ કરન બારોટ, પાટણના કિસાન સેલના જિલ્લા પ્રમુખ વિપુલભાઈ ઠાકોર અને AAP નેતા સ્વયંભાઈ સાલવીએ મહત્વપૂર્ણ મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી અને કઈ રીતે ભાજપે રાજુ કરપડાને હાથો બનાવીને ખેડૂતોના આંદોલનને કચડવાનું ષડયંત્ર રચ્યું એના પુરાવા વિપુલભાઈ ઠાકોર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ પત્રકાર પરિષદમાં AAP નેતા ડો. કરન બારોટે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ખેડૂતોએ સાથે મળીને જબરદસ્ત આંદોલન શરૂ કર્યું હતું અને ત્યારબાદ ભાજપ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયું હતું. ત્યારબાદ આ ખેડૂતોના આંદોલનને તોડવા માટે ભાજપે રાજુ કરપડાને…
ગુજરાતની ૧૨ ફરિયાદોમાં આ ટોળકીની સંડોવણી ખુલી.ગોંડલ માર્કેટિંગ યાર્ડની પેઢીઓના નામે ૪૦૦ કરોડનું દેશવ્યાપી સાયબર કૌભાંડ.એગ્રીકલ્ચર ટેક્સ રાહતનો લાભ લઈ આંગડિયા અને બેંક મારફતે નાણાંની હેરફેર થતી: છ ઝડપાયા.રાજકોટ ગ્રામ્ય પોલીસે ‘ઓપરેશન મ્યુલ હંટ’ અંતર્ગત ગોંડલ માર્કેટિંગ યાર્ડની પેઢીઓના બેંક ખાતાનો ઉપયોગ કરી આચરવામાં આવતા ૪૦૦ કરોડ રૂપિયાના દેશવ્યાપી સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યાે છે. આ કેસમાં પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હૈદરાબાદના મુખ્ય સૂત્રધાર આદિલ સહિત ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓ એગ્રીકલ્ચર પેઢીને મળતી ટેક્સ રાહતનો ગેરલાભ ઉઠાવી સરકારી એજન્સીઓની નજરથી બચવા માટે કરોડોના ટ્રાન્ઝેક્શન આ ખાતાઓ દ્વારા કરતા હતા.રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પત્રકારોને…
ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે ર્નિણય લેવાયો.સરકારે ૨૫ લાખ ટન ઘઉં, પાંચ લાખ ટન ખાંડની નિકાસની મંજૂરી આપી.વર્ષ ૨૦૨૫-૨૬માં ખાનગી એકમો પાસે ઘઉંનો અંદાજે ૭૫ લાખ ટન પુરવઠો હતો, જે ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ આશરે ૩૨ લાખ ટન વધુ હતો.દેશમાં ઘઉં અને ખાંડના પૂરતા જથ્થાને ધ્યાનમાં રાખીને સરકારે ૨૫ લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી છે. આ ઉપરાંત સ્થાનિક બજારોમાં સ્થિરતા જાળવવા અને ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી સરકારે, ઘઉંના ઉત્પાદનોની પાંચ લાખ ટનની નિકાસ કરવાની છૂટ આપી છે. આ અંગે માહિતી આપતાં ખાદ્યાન્ન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



