Author: Garvi Gujarat

સલમાનની ઓનસ્ક્રીન ભાભીએ ખુલાસાઓ કર્યાફિલ્મ ઉદ્યોગમાં જાતીય શોષણ અતિ સામાન્યટોચની અભિનેત્રી હોવા છતાં અને એક પ્રખ્યાત ફિલ્મ પરિવારમાંથી આવતી હોવા છતાં, તેણીને પોતાની સલામતીની ચિંતા કરવી પડતી હતી૧૯૯૪ માં, સલમાન ખાનની ફિલ્મ “હમ આપકે હૈ કૌન” રિલીઝ થઈ હતી, જેમાં માધુરી દીક્ષિત અભિનીત હતી. ફિલ્મમાં સલમાન ખાનની ભાભી અને માધુરીની બહેનની ભૂમિકા ભજવનાર અભિનેત્રી રેણુકા શહાણેએ તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યાે હતો. અભિનેત્રીએ નિર્માતાએ પોતાની સાથે કરેલા દુર્વ્યવહાર વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. રેણુકાએ શેર કર્યું હતું કે, કેવી રીતે ટોચની અભિનેત્રી હોવા છતાં અને એક પ્રખ્યાત ફિલ્મ પરિવારમાંથી આવતી હોવા છતાં, તેણીને પોતાની સલામતીની ચિંતા કરવી પડતી હતી.અભિનેત્રી રેણુકા…

Read More

શરીરમાં ચેપને કારણે દાખલ કરાયાપ્રેમ ચોપરાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયાપ્રેમ ચોપરા ૪૦૦ થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, અને તેમના કેટલાક પાત્રો અને સંવાદો લોકોના મનમાં કોતરાયેલા છેદિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત નાજુક ચાલી રહી હોવાના અહેવાલો વચ્ચે બીજા પણ એવા જ સમાચાર આવી રહ્યા છે. બોલિવૂડ અભિનેતા પ્રેમ ચોપરાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ક્રાંતિ, કટી પતંગ, ઉપકાર, શહીદ અને બોબી જેવી સુપરહિટ ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવનારા ૯૦ વર્ષીય પ્રેમ ચોપરાના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારની પુષ્ટિ તેમના જમાઈ અભિનેતા વિકાસ ભલ્લા દ્વારા કરવામાં આવી છે. વિકાસ ભલ્લાએ જણાવ્યું હતું કે ચિંતા કરવાની કોઈ વાત નથી, તેમણે જણાવ્યું…

Read More

૭૧ વર્ષીય અભિનેતા જીવંત અને સ્વસ્થ છેમારા મોતની અફવા ખોટી, હું જીવું છુ: જેકી ચાનજેકી ચાનના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં અહેવાલો અનુસાર જૂની ઈજાને કારણે તે મૃત્યુ પામ્યા હતા.‘હી-મેન’ ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અપડેટ્સ વચ્ચે, માર્શલ આર્ટિસ્ટ અને અભિનેતા જેકી ચાનના મૃત્યુના અહેવાલો પણ ફરતા થઈ રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ઘણી પોસ્ટ્સ દાવો કરે છે કે તે હવે નથી. કેટલાક લોકો તો દાવો કરે છે કે તેમની પત્ની અને પુત્રીએ આ વાતની પુષ્ટિ કરી છે. જાે કે, બધા દાવા ખોટા છે. ૭૧ વર્ષીય અભિનેતા જીવંત અને સ્વસ્થ છે.હકીકતમાં, જેકી ચાનના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર…

Read More

સોના-ચાંદીના વાયદામાં ચાલુ રહેલો તેજીનો પવનઃ સોનાનો વાયદો રૂ.551 અને ચાંદીનો વાયદો રૂ.2318 વધ્યો ક્રૂડ તેલનો વાયદો રૂ.35 ઘટ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.25772.6 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.125661.07 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 21204.30 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 29523 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.151441.7 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.25772.6 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.125661.07 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.7.67 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ..36 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 29523 પોઇન્ટના…

Read More

વિવિધ સરકારી વિભાગો દ્વારા નોંધપાત્ર પ્રતિસાદ મળી રહ્યો છેનવા સચિવાલયમાં સખી નીર બ્રાન્ડ દ્વારા અંદાજે ૧.૨૦ લાખથી વધુ પાણીની બોટલનું વેચાણ થયુંમહિલા સશક્તીકરણ તેમજ સ્વદેશીને પ્રાધાન્ય આપવાના લક્ષ્ય સાથે કુલ રૂ.૧૧.૨૦ લાખની કિંમતની સખી નીર પાણીની બોટલ ખરીદી છેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય-વિધાનસભા કેમ્પસમાં પર્યાવરણને ધ્યાને રાખીને ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટી-‘સખી નીર’નો જુલાઈ-૨૦૨૫માં પ્રારંભ કરાવ્યો હતો. જેને વિવિધ સરકારી વિભાગો દ્વારા નોંધપાત્ર પ્રતિસાદ મળી રહ્યો છે. હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી મહિલા સશક્તીકરણ તેમજ પ્લાસ્ટિક મુક્ત રાજ્યને વધુ પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ નવતર પહેલ શરૂ કરવામાં આવી છે.જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય-વિધાનસભા કેમ્પસમાં પર્યાવરણને…

Read More

લાખો મુસાફરોને મળશે મોટી રાહતસૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ૧૪મીથી બે ટ્રેનનો પ્રારંભરાજકોટ-પોરબંદર-રાજકોટ વાયા જેતલસર જંક્શન રેલવે રૂટની એમ બે ટ્રેનો મંજૂર થઈ છેતાજેતરમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના પ્રયાસથી બે મહિના પૂર્વે બે વિમાની સેવા શરૂ થઈ હતી. હવે બે ટ્રેનનો પ્રારંભ સૌરાષ્ટ્રના વિસ્તારમાં થઈ રહ્યો છે. જે અંતર્ગત ભારતીય રેલવે દ્વારા પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગરમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને સુધારણાનો પ્રયાસ સાકાર થઈ રહ્યો છે. જે મુજબ ગત ઓગસ્ટમાં બે પેસેન્જર ટ્રેનની જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી હતી. હવે કેન્દ્રીય મંત્રી ડૉ. માંડવિયાના પ્રયાસ થકી હવે…

Read More

ગુજરાતની ૮ કંપનીઓ ૩૩,૦૦૦ કરોડનું રોકાણ કરશેવાડિલાલ ગ્રૂપ છત્તીસગઢમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપશેઅમદાવાદમાં યોજાયેલા ઇન્વેસ્ટર કનેક્ટ કાર્યક્રમ દરમિયાન છત્તીસગઢને અંદાજે ૩૩,૦૦૦ કરોડના રોકાણ પ્રસ્તાવો મળ્યા છછત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ ૨ દિવસીય ગુજરાત મુલાકાતે છે. તેમણે આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને શીશ ઝુકાવ્યું હતું, સાથે છત્તીસગઢની ઇન્વેસ્ટર કનેક્ટ ઇવેન્ટ અમદાવાદમાં યોજાઈ હતી. ત્યાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં ગુજરાતની ૮ કંપનીઓએ ૩૩,૦૦૦ કરોડનું રોકાણ કરવાની તૈયારી બતાવી છે. જેમાં વાડિલાલ ગ્રૂપ છત્તીસગઢમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપિત કરશે, તેવી જાહેરાત થઈ છે. અમદાવાદમાં યોજાયેલા ઇન્વેસ્ટર કનેક્ટ કાર્યક્રમ દરમિયાન છત્તીસગઢને…

Read More

ભારત અને ભૂટાનના અધિકારીઓનું નિવેદનપીએમ મોદી ભૂટાનની બે દિવસીય રાજકીય યાત્રાએતેઓ ભૂટાનના ચોથા રાજાના જન્મદિવસ સમારોહમાં સામેલ થશે અને ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલમાં ભાગ લેશેપીએમ મોદી ૧૧ અને ૧૨ નવેમ્બરના રોજ ભૂટાનની બે દિવસીય રાજકીય યાત્રાએ છે. આ હિમાલયી દેશ ભૂટાનની તેમની ૨૦૧૪ પછીની ચોથી મુલાકાત હશે. તેમની આ મુલાકાત દરમિયાન, તેઓ ભૂટાન સરકાર દ્વારા આયોજિત ‘ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલ‘માં ભાગ લેશે, જે વિશ્વ શાંતિ અને માનવતાના ઉત્થાનના ઉદ્દેશ્યથી આયોજિત કરાઈ રહ્યો છે. બંને દેશો વચ્ચેના ખાસ દોસ્તી અને સહયોગના સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જે દ્વિપક્ષીય ઉચ્ચ-સ્તરીય નિયમિત વાટાઘાટોની પરંપરાને અનુરૂપ છે. આ મુલાકાત…

Read More

દિલ્હી બ્લાસ્ટ અંગે કોંગ્રેસનો સવાલસાત મહિનામાં ૪૧ ભારતીયોના મોત, સુરક્ષામાં ચૂક માટે જવાબદાર કોણ?સાત મહિના પહેલા જ પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો અને હવે દિલ્હીમાં વિસ્ફોટ થયો છે, કોની જવાબદારી છે?દિલ્હી બ્લાસ્ટ મામલે વિપક્ષોએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે. કોંગ્રેસ સહિત વિપક્ષી દળ ગૃહમંત્રી અમિત શાહ પાસે જવાબ માંગી રહ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, ‘અમિત શાહ અસફળ ગૃહમંત્રી છે. સાત મહિનામાં ૪૧ ભારતીયો માર્યા ગયા છે. દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના પાછળ કોણ જવાબદાર છે? સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, ‘રાજધાની દિલ્હીમાં વિસ્ફોટની ઘટામાં ૧૦ લોકોના મોત થયા છે. ગઈકાલે ફરીદાબાદમાંથી ૩૬૦ કિલો વિસ્ફોટક પકડાયો હતો.…

Read More

આરોપીઓએ ૧૦થી વધુ લોકો પાસે નાણાં પડાવ્યા હતાહાઉસિંગ બોર્ડમાં મકાન-દુકાનના નામે ઠગાઇ કરનાર દંપતી સામે વધુ એક ફરિયાદઠગ દંપતી વિરુદ્ધ બે મહિના અગાઉ પણ આ જ પ્રકારની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે દંપતીની ધરપકડ કરી હતી જુહાપુરા વિસ્તારમાં રહેતા ઠગ દંપતીએ એએમસી અને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઊંચી ઓળખાણ હોવાનું કહીને મકાન અને દુકાનનો સોદો કરીને લાખો રૂપિયા મેળવીને ખોટી રસીદો આપી હતી. જે કેસમાં પોલીસે થોડા દિવસ અગાઉ જ આરોપી દંપતીની ધરપકડ કરી હતી. આરોપીઓની ધરપકડ બાદ વધુ ભોગ બનનાર લોકો સામે આવતા વેજલપુર પોલીસે વધુ એક ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓએ હાલ સુધીમાં ૧૦થી વધુ…

Read More