
- મનસુખ વસાવાએ ભાજપના નેતાઓ પર બસ સ્ટેશનની જગ્યાએ શોપિંગ સેન્ટર અને ટકાવારીનો આક્ષેપ કર્યો
- જ્હાન્વી કપૂરે ખુલાસો કર્યો: સ્કૂલમાં ભણતી વખતે એડલ્ટ સાઇટ પર મોર્ફ ફોટા વાયરલ થયા
- બુલેટ ટ્રેન માટે સમુદ્રની નીચે ટનલ બનાવતું મહામશીન ભારત પહોંચ્યું
- ખડગેના નિવેદનથી વિવાદ: ગુજરાતીઓને અભણ કહ્યાનો આક્ષેપ
- નેપાળમાં પેટ્રોલિયમ સંકટ વચ્ચે અઠવાડિયામાં ૨ દિવસની રજા જાહેર
- હાર્દિક પંડ્યા ગુવાહાટી પહોંચ્યો, ૭ એપ્રિલે વાપસીની સંભાવના
- મહિલા અનામત બિલ પર ખાસ સત્ર: ૩૩% અનામત માટે સરકારનો માસ્ટરપ્લાન
- હિમાચલમાં બસ ખીણમાં ખાબકી: ૪નાં મોત, ૧૮ મુસાફરોનો બચાવ
Author: Garvi Gujarat
કૃષિ વિભાગની તૈયારીઓ પૂર્ણ રાજ્યમાં આજથી ૯૭ કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ રાજ્યના કુલ ૩૦૦ કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે, જેથી રાજ્યના વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે, કારણ કે રાજ્યમાં આજથી (રવિવારથી) ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદીનો ઔપચારિક પ્રારંભ થવા જઈ રહ્યો છે. શરૂઆતમાં, રાજ્યભરમાં કુલ ૯૭ કેન્દ્રો પરથી ખરીદીની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ખરીદી પ્રક્રિયા ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મળે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારની એક મહત્વની પહેલ છે. આ ૯૭ કેન્દ્રો પર પ્રારંભિક ખરીદી બાદ, સોમવારથી રાજ્યના કુલ ૩૦૦ કેન્દ્રો પરથી ટેકાના…
મનપા એ ૨ શાળાઓને મર્જ કરવાની ફરજ પડી છે અમદાવાદ શહેરમાં મનપા સંચાલિત ૯૩ શાળાને લાગ્યા તાળા છેલ્લા ૫ વર્ષમાં પડી હોય તો ૨૦ જેટલી શાળાઓ એવી છે કે જેને છેલ્લા ૫ વર્ષમાં મર્જ કરવાની ફરજ પડી હોય વિધાર્થીઓની સંખ્યા મનપા સંચાલિત શાળામાં વધી રહી છે ત્યારે હકીકત સામે આવી છે કે, જેનાથી અવાક બની જશો કારણ કે શહેરમાં ૪૦૦ પૈકી ૯૩ શાળાને તાળા લાગી ગયા છે અને હવે એ શાળામાં મનપા આંગણવાડી શરુ કરી ૧૦૦ કરોડનો ફાયદો મેળવશે, આમ અલગ અલગ કારણોસર મનપા સંચાલિત ૯૩ શાળા બંધ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે ચેડાં કરવામાં આવ્યા છે. એક…
વડોદરામાં મંગળ બજાર પદ્માવતી શોપિંગ સેન્ટર અને ચાંપાનેર ખાતેથી હંગામી દબાણો દૂર કરાયા બે ટ્રક જેટલો સામાન કબજે લેવા સાથે રૂપિયા ૫૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવી હતી વડોદરા પાલિકાની વોર્ડ નંબર ૧૪ની કચેરી દ્વારા ચાર દરવાજા વિસ્તારમાં નડતરરૂપ હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં બે ટ્રક જેટલો સામાન કબજે લેવા સાથે રૂપિયા ૫૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવી હતી. વડોદરા શહેરની મધ્યમાં આવેલ મંગળ બજાર, પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે તથા ચાંપાનેર દરવાજાને અડીને આડેધડ હંગામી દબાણ કરતા પોતાના લારી, ગલ્લા, પથારા લગાવી દેતા હોય છે. જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થાય છે. ખાસ કરીને સાંજના સમયે તો…
રાતના અંધારામાં પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા મધદરિયે સુરત-ઘોઘા રો-રો ફેરીનું એન્જિન ઠપ થયું સ્થિતિ વણસતી જાેઈને ફેરીના પાયલટે કેબિન અંદરથી બંધ કરી દીધી હતી. કેટલોક સ્ટાફ તો બોટમાં લોડ કરાયેલા ટ્રકોની પાછળ છુપાઈ ગયો હતો સુરતથી ઘોઘા તરફ જતી રો-રો ફેરી માં મોટો ટેક્નિકલ ફોલ્ટ સર્જાતા પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. શુક્રવારે રાતના અંધારામાં મધદરિયે અચાનક ફેરીનું એન્જિન ઠપ થઈ જતાં બોટ ખોટવાઈ ગઈ હતી, જેના કારણે તેમાં સવાર પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. રો-રો ફેરી એકાએક બંધ થઈ જવાની ઘટનાને પગલે પ્રવાસીઓમાં ભારે આક્રોશ જાેવા મળ્યો હતો. મુસાફરોએ સ્ટાફની બેદરકારી સામે રોષ વ્યક્ત કરતાં વાતાવરણ તંગ બની ગયું…
સહાય પેકેજથી ખેડૂતોમાં નારજગી ઉપલેટા તાલુકાના તેલંગણા ગામમાં કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન તેનાં માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું પણ માલધારીઓ પશુ પાલનો માટે કોઈ સહાય પેકેજ જાહેર કર્યું નથી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તેલંગણા ગામમાં કમોસમી વરસાદથી થયેલા પાકોનેં ભારે નુકસાનીનું સરકાર દ્વારા સહાય પેકેજથી તલંગણા ગામનાં ખેડૂતો અસંતોષ જાેવા મળ્યો. ખેડૂતોએ સહાય પેકેજને લોલીપોપ ગણાવી. આ પેકેજથી તેમને કોઈ પણ પ્રકારનો ફાયદો નથી થવાનો તેમ ખેડૂતોએ જણાવ્યું. ખેડૂતોને પાકો માં નુકસાન થયું છે તેનાં માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું પણ માલધારીઓ પશુ પાલનો માટે કોઈ સહાય પેકેજ જાહેર કર્યું નથી. સૌરાષ્ટ્ર ગુજરાત માં કમોસમી વરસાદથી પાકોનેં…
દારૂની હેરાફેરીનો પર્દાફાશ વાડોદર પાસે નાકાબંધી કરી ૭૭ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો ટ્રકની તલાશી લેતા ૯૦ મગફળીની બોરીઓ નીચે બનાવેલા ગુપ્ત ખાનામાંથી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોરવા તાલુકાના વાડોદર ગામેથી એક મોટી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ન્ઝ્રમ્ એ ચોક્કસ બાતમીના આધારે નાકાબંધી ગોઠવી મગફળીની બોરીઓ નીચે છુપાવેલો વિદેશી દારૂનો વિપુલ જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે રૂ. ૭૭.૧૬ લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પંચમહાલ LCB બાતમી મળી હતી કે, એક ટાટા ટ્રક (નંબર જી.જે.૨૩ વી. ૮૨૫૮) માં અલગ ખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. આ ટ્રકનું…
RSSના વડા મોહન ભાગવતનું નિવેદન સમાજ માત્ર કાયદાથી નહીં, સંવેદનાથી ચાલે છે શતાબ્દી વર્ષના પ્રસંગે ભાગવતે કહ્યું કે, ભારત ત્યારે જ વિશ્વ ગુરુ બનશે જ્યારે તે દુનિયાને આ પોતાનાપણાનો સિદ્ધાંત શીખવશે કર્ણાટકના બેંગલુરુમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના કાર્યક્રમમાં આજે(શનિવાર) સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેમણે સંઘને આખા વિશ્વનું સૌથી અનોખુ સંગઠન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આજે સંઘ ભારત સહિત કેટલાક દેશોમાં સમાજસેવાના કાર્ય કરી રહ્યું છે. શતાબ્દી વર્ષના પ્રસંગે મોહન ભાગવતે કહ્યું કે, ભારત ત્યારે જ વિશ્વ ગુરુ બનશે જ્યારે તે દુનિયાને આ પોતાનાપણાનો સિદ્ધાંત શીખવશે. તેમણે પ્રાચીન ભારતીય જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન વચ્ચે સમાનતાઓ…
સોનાના વાયદામાં રૂ.895 અને ચાંદીના વાયદામાં રૂ.1,771ની નરમાઈઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા ઘટ્યા કોમોડિટી વાયદાઓમાં રૂ.253052.22 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2886905.15 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.184565.49 કરોડનાં સાપ્તાહિક ધોરણે કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 28440 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 31 ઓક્ટોબરથી 6 નવેમ્બરના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.3139980.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.253052.22 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.2886905.15 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.8.37 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.14.83 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો…
તેલુગુ ફિલ્મ સાઇન કરી મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસાની હવે સાઉથ સિનેમામાં એન્ટ્રી આ ફિલ્મનું નિર્માણ શ્રી વેંગમમ્બા મૂવીઝના બેનર હેઠળ અંજૈયા ઉદ્દીને અને ઉષા ઉદ્દીનીને કરી રહ્યા છે પ્રયાગરાજના મહાકુંભ મેળામાં સૌથી વધુ હેડલાઇન્સ મેળવનાર ચહેરો મોનાલિસા હતો. મહાકુંભમાં માળા વેચતા ફરતી મોનાલિસાને ખબર નહોતી કે તેનું જીવન કેવી રીતે બદલાઈ જશે. ઇન્દોરની મોનાલિસા ભોંસલે તેની સુંદર આંખો અને સુંદર ચહેરાઓથી ભીડમાં ધ્યાનનું કેન્દ્ર બની ગઈ. તેના ઘેરા રંગ, માંજરી આંખો અને આકર્ષક લક્ષણોએ તેને સોશિયલ મીડિયા પર રાતોરાત સેન્સેશન બનાવી દીધી. હવે મોનાલિસાએ વધુ એક છલાંગ લગાવી છે.હવે ગીતો ઉપરાંત તેણીને ફિલ્મોમાં તકો પણ મળી છે. એવું કહેવાય છે…
૭૧ વર્ષની વયે દુનિયાને કહી અલવિદા દિગ્ગજ અભિનેત્રી-સિંગર સુલક્ષણા પંડિતનું નિધન ૧૯૭૫ માં, સુલક્ષણાને ફિલ્મ “સંકલ્પ” ના ગીત “તુ હી સાગર હૈ તુ હી કિનારા” માટે શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો અભિનય સાથે ગાયકીમાં પોતાની ઓળખ ઊભી કરનાર ગત સદીની સાતમા અને આઠમા દાયકાના દિગ્ગજ અભિનેત્રી સુલક્ષણા પંડિતનું ગુરુવારે નિધન થઈ ગયું. તે ૭૧ વર્ષના હતા. તેમના ભાઈ અને સંગીતકાર લલિત પંડિતે તેમના નિધનની પુષ્ટી કરતાં કહ્યું કે કાર્ડિયાક અરેસ્ટને કારણે સુલક્ષણાનું નિધન થયું.એક્ટ્રેસના ભાઈ અને સંગીતકાર લલિત પંડિતે તેમના નિધનની પુષ્ટિ કરતા કહ્યું કે, ‘તેમને કાર્ડિક અરેસ્ટ આવ્યો હતો. ૧૨ જુલાઈ, ૧૯૫૪ના દિવસે જન્મેલી સુલક્ષણા સંગીત-પરિવારમાંથી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



