- સ્ટ્રેસ દૂર કરવા મહિલાએ ₹258 કરોડની ઓનલાઈન શોપિંગ કરી, 2,000 ઓર્ડર કેન્સલ કરતાં જેલ
- મહિલા અનામત કાયદા પર રિજિજુ-રાહુલ આમને-સામને, રાહુલનો સવાલ: ‘3 વર્ષથી બિલ કેમ લાગુ નથી?’
- ફ્રાન્સ સાથે ભારતની મોટી ડીલ! છઠ્ઠી પેઢીના ફાઈટર જેટ માટે FCASમાં જોડાવાની તૈયારી
- ગુજરાતમાં 14 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ, 10 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
- ગોપાલ ઇટાલિયાનો સી.આર. પાટીલને પડકાર: ‘સુરતની દેશની શ્રેષ્ઠ 50 સરકારી શાળાઓનું લિસ્ટ જાહેર કરો’
- ખેડૂત નેતા પિયૂષ પરમાર પર 9મી FIRનો દાવો, કહ્યું: ‘ખેડૂતો માટે લડતો રહીશ, ડરવાનો નથી’
- ખેડૂત નેતા પિયુષ પરમાર સામે ફરિયાદ મામલે AAPનો વિરોધ, પ્રવીણ રામે ભાજપ પર સાધ્યું નિશાન
- અમદાવાદમાં રાષ્ટ્રીય હથકરઘા દિવસની ઉજવણી, 280 સહભાગીઓની હાજરીમાં વણકરોને રાજ્ય હથકરઘા પુરસ્કાર એનાયત
Author: garvigujrat
આજે રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખિલ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં AAP નેતા પ્રવીણ રામે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેડૂતો માટે “કિસાન બચાવો યાત્રા” AAP દ્વારા શરૂ કરવામાં આવી હતી. 108 દિવસની જેલ બાદ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરના ખેડૂતો સુધી પહોંચવાનો પ્રથમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા આજે રાજકોટ ખાતે પહોંચી છે. રાજકોટ ખાતે સ્થાનિક તમામ પદાધિકારીઓ, જિલ્લાના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા રાજકોટ જિલ્લાના તાલુકાઓ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણે ઘણીવાર કહીએ છીએ કે નામ મેં ક્યાં રખ્ખા હૈ લેકીન નામ મેં બહુત કુછ રખા હૈ. અને એવું જ કંઈક રાજસ્થાન સરકારે કરી બતાવ્યું છે. જે રીતે દેશના અન્ય રાજ્યમાં નામ બદલવાનો પવન ફૂંકાઈ ને નામો બદલવામાં આવ્યા છે એ જ રીતે હવે રાજસ્થાન સરકાર પણ ચાલી રહી હોય એમ તાજેતરમાં જ રાજસ્થાન સરકારે ત્રણ શહેરો ના નામ બદલ્યા છે. માઉન્ટ આબુ હવે આબુરાજ, કામાં હવે કામવન અને જહાજપુર હવે યજ્ઞપુર તરીકે ઓળખાશે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ વિધાનસભામાં જાહેરાત કરી હતી. સરકારે આ પ્રદેશની સંસ્કૃતિ અસ્મિતા અને ઐતિહાસિક ઓળખને પુનઃસ્થાપિત કરવાની દિશામાં આ મોટું પગલું ગણાવ્યુ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આ વાત છે સ્પેનની જયાં એક કર્મચારી ઓફિસમાં કામ કરવા આવે એ પછી બિયર પીતો હોય એવી શંકા હોવાથી કંપનીએ પોતાની પોલીસી મુજબ ઓફિસના સમયમાં અને ઓફિસની અંદર દારૂ કે દારૂ હોય એવું કોઈ પણ પીણું પીવા પર પ્રતિબંધ હતો. જોકે આ માણસ બિયર પીતા હોવાની શંકા જતાં તેના ઉપરીએ આ માટે તેની પાછળ ડિટેક્ટિવ ગોઠવ્યા. ઓફિસમાં માટે તે કોઈની નજરે ચડે એ રીતે તો દારૂ નહોતો પીતો, પરંતુ એ પછી બિયર કયાંકથી પી ને આવતો હતો એવું લાગતું હતું.આ ફરિયાદ પર કંપનીએ કર્મચારીની પાછળ જાસૂસ બેસાડયા અને કંપનીનો શક સાચો પડયો. લંચ-બ્રેક દરમ્યાન તે પાર્કિંગમાં…
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગુજરાત સેમીકનેક્ટ કોન્ફરેન્સ ૨૦૨૬ના શુભારંભ બાદ કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનું રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત ઝડપથી પરિવર્તિત થઈ રહ્યું છે. ગુજરાતમાં રેલવેના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયોને પરિણામે રાજ્યમાં પરિવહન અને કનેક્ટિવિટીના એક નવા યુગની શરૂઆત થઈ છે. વધુમાં શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૪ના યુપીએના શાસન દરમિયાન ગુજરાતને રેલવે બજેટમાં માત્ર રૂ.૫૮૯ કરોડ ફાળવવામાં આવતા હતા. તેની સરખામણીએ, વર્તમાન સરકારે આ વર્ષે ગુજરાત માટે રૂ.૧૭,૩૬૬ કરોડનું રેકોર્ડબ્રેક બજેટ ફાળવ્યું છે. આમ, બજેટમાં અનેકગણો વધારો…
NITI આયોગના પૂર્વ CEO નું મોટું નિવેદન ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો ઇઝરાયલનો ટાર્ગેટ યુરોપ બાદ હવે મિડલ ઈસ્ટમાં નવો મોરચો ખુલતા ચિંતા. નીતિ આયોગના પૂર્વ સીઈઓ અમિતાભ કાંતે મિડલ ઈસ્ટમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ અંગે તેમણે જણાવ્યું છે કે, ઈરાન અને અમેરિકા વચ્ચેના આ સંઘર્ષને કારણે વિશ્વમાં તેલનું ઉત્પાદન ઠપ થઈ શકે છે. તેમના મતે, જાે આ યુદ્ધ લાંબુ ચાલશે તો ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ જશે અને તેલના ભાવમાં મોટો ઉછાળો જાેવા મળી શકે છે, જેની સીધી અસર ઊર્જા પર ર્નિભર દેશો પર પડશે. અમિતાભ કાંતે વધુમાં જણાવ્યું કે અમેરિકા આ ક્ષેત્રમાં એક એવી…
અવારનવાર આગ લગાડવામાં આવતી હોવાની આશંકા ચોરવાડ નજીક જંગલમાં આગ લાગતાં ૧૦૦ જેટલાં સરૂનાં વૃક્ષને નુકસાન વેરાવળ અને ચોરવાડના ફાયરફાઈટરે જઈ વૃક્ષમાં લાગેલી આગ બૂઝાવી : લાકડાં કાપનારાઓનું કૃત્ય હોવાની ચર્ચા. ચોરવાડના ત્રિવેણી નજીક આવેલા જંગલ વિસ્તારમાં આજે બપોરે આગ ભભૂકી હતી. જેમાં ૧૦૦ જેટલા શરૂના વૃક્ષમાં નુકસાન થયું હતું. આ અંગે જાણ થતા ચોરવાડ અને વેરાવળના ફાયર ફાઈટરે આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ અકસ્માતે નહી પરંતુ લાકડા માટે લગાડવામાં આવી હોવાની આશંકા છે. આ અંગે તપાસ કરી જવાબદારો સામે પગલા લેવામાં એવી માંગ ઉઠી છે. ચોરવાડના ત્રિવેણી ઘાટ નજીક નાગાગુરૂ મંદિર આવેલું છે. આ મંદિરની પાછળના…
પોલીસે એન્ટ્રી કરી ગઠિયાઓ પાસેથી છીનવ્યા ૧૫ લાખ સેટેલાઈટમાં દ્ગઇૈં દંપતીને ૩૬ કલાક ડિજિટલ એરેસ્ટ કર્યા રાજેન્દ્રભાઈને શંકા જતા તેમણે પોતાના વકીલ મિત્રને જાણ કરી અને મામલો સેટેલાઈટ પોલીસ સુધી પહોંચ્યો હતો. અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટના નામે છેતરપિંડીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. પરંતુ આ વખતે સેટેલાઈટ પોલીસે સમયસૂચકતા વાપરીને એક વૃદ્ધ NRI દંપતીને બરબાદ થતા બચાવી લીધા છે. મુંબઈ પોલીસના નામે વીડિયો કોલ કરીને ૩૬ કલાક સુધી દંપતીને ઘરમાં જ કેદ રાખનારા સાયબર માફિયાઓના મનસૂબા પર પોલીસે પાણી ફેરવી દીધું છે. વૃદ્ધ દ્ગઇૈં નું નામ રાજેન્દ્ર શેઠ છે. રાજેન્દ્રભાઈ છેલ્લા ૨૦ વર્ષથી અમેરિકામાં રહે છે અને હાલ બીમારીના કારણે અમદાવાદમાં…
મુસાફરોને સ્ટેટસ ચૅક કરીને ટ્રાવેલ કરવા સૂચના ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે દુબઈ ઍરપોર્ટ પર તમામ ફ્લાઈટ સસ્પેન્ડ ફ્લાઈટ્સ સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે સીધા જ એરલાઈન્સનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી. મિડલ ઈસ્ટમાં યુદ્ધનો માહોલ છે. ઇઝરાયલે ઈરાન વિરૂદ્ધ ઓપરેશન રોઅરિંગ લાયન શરૂ કર્યું અને અમેરિકા સાથે મળીને હુમલા કરી રહ્યું છે. ત્યારે ઈરાન પણ જવાબી હુમલા કરી રહ્યું છે. ઈરાને સાઉદી અરેબિયા, UAE, કતાર, જાેર્ડન, બહેરીન સહિતના દેશોમાં આવેલા ેંજી મિલિટરી બેઝને નિશાન બનાવ્યા છે. આ બધા વચ્ચે અનેક દેશોએ પોતાના એરસ્પેસ બંધ કરી દીધા છે અને ફ્લાઈટ્સ રદ કરી છે. મળતી માહિતી અનુસાર, ઈરાન-ઈઝરાયેલ તણાવની વચ્ચે દુબઈ ઍરપોર્ટ પર તમામ…
જાણો ક્યારે થશે અને ભારતમાં દેખાશે કે નહીં? સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ, ૬ મિનિટ ૨૨ સેકન્ડ છવાશે અંધકાર! બીજું સૂર્યગ્રહણ ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ થશે, ૧૨ ઓગસ્ટે થનારું સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય. આ વર્ષે હોળીના તહેવારને લઈને મૂંઝવણ ઊભી થઈ છે. સામાન્ય રીતે હોલિકા દહન પછીના દિવસે રંગોત્ત્સવની ઉજવણી કરવામાં આવે છે.પરંતુ વર્ષ ૨૦૨૬માં ખગોળીય ઘટનાઓને કારણે આ પરંપરામાં ફેરફાર જાેવા મળી રહ્યો છે. તેનું કારણ છે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, હોલિકા દહન ૨ માર્ચ, ૨૦૨૬ના રોજ થશે, પરંતુ બીજા જ દિવસે ૩ માર્ચે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. ગ્રહણને કારણે સૂતક કાળ હોવાથી આ દિવસે પૂજા અને રંગોત્ત્સવની ઉજવણી…
તમારે દર્શન કર્યા વિના પાછા ફરવું પડી શકે છે ત્રીજી માર્ચે અયોધ્યા રામ મંદિરમાં દર્શન પ્રતિબંધિત રહેશેત્રીજી માર્ચે અયોધ્યા રામ મંદિરમાં દર્શન પ્રતિબંધિત રહેશે ચંદ્રગ્રહણને કારણે અયોધ્યા રામ મંદિરના દરવાજા બંધ રહેશે : હોળીની સાંજે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. જાે તમે રામનગરી અયોધ્યાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. ૩ માર્ચે અયોધ્યા રામ મંદિરમાં દર્શન પ્રતિબંધિત રહેશે. આ દિવસે મંદિરના દરવાજા બંધ રહેશે, તેથી અયોધ્યા જનારાઓને દર્શન વિના પાછા ફરવું પડી શકે છે. અયોધ્યા રામ મંદિર ઉપરાંત, બધા મંદિરો અને મઠોમાં દર્શન પ્રતિબંધિત રહેશે. ૩ માર્ચ, હોળીના દિવસે મંદિરના દરવાજા બંધ રહેશે. ચંદ્રગ્રહણને કારણે અયોધ્યા…




