Author: garvigujrat

आम लोगों से सीधा संपर्क बनाए रखने संबंधी अपनी गतिविधियों को जारी रखते हुए पंजाब के मुख्यमंत्री भगवंत सिंह मान ने आज जालंधर में अपने निवास स्थान पर ‘लोक मिलनी’ कार्यक्रम आयोजित कर यहां के नागरिकों से मुलाकात की और उनकी शिकायतों का मौके पर ही निपटारा किया। इस पहल को एक ही प्लेटफॉर्म पर लोगों की शिकायतों के समाधान के लिए सबसे प्रभावी माध्यम बताते हुए मुख्यमंत्री ने कहा कि पंजाब एकमात्र ऐसा राज्य है जहां राज्य का मुखिया व्यक्तिगत रूप से लोगों से मिलकर उनके मुद्दों का मौके पर ही निपटारा सुनिश्चित करता है। इस बात पर जोर…

Read More

રાજુ કરપડાના આક્ષેપો અંગે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે રાજુભાઈ કરપડાએ પાંચ વર્ષ આમ આદમી પાર્ટીમાં કામ કર્યું છે, તેના માટે અમે તેમનો આભાર માનીએ છીએ. આમ આદમી પાર્ટી સંઘર્ષનો માર્ગ અપનાવતી પાર્ટી છે. અમારી સાથે જોડાયેલા મોટાભાગના લોકો સામાન્ય, ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવે છે. અમે કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓને ખુલ્લેઆમ પડકારીએ છીએ, તેથી આમ આદમી પાર્ટીમાં કાર્ય કરવું સરળ નથી. ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે જ્યારે કોઈ નેતા જનહિતના મુદ્દે અવાજ ઉઠાવે છે ત્યારે તેને ડરાવવાની, ખોટા કેસોમાં ફસાવવાની અને જેલમાં મોકલવાની કોશિશ કરવામાં આવે છે. અગાઉ પણ અનેક નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા…

Read More

આજે સુરત ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં ખૂબ જ મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો ટોપી અને ખેસ પહેરીને વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાયા. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની સાથે સાથે શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી અને પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક સહિત આમ આદમી પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં આ તમામ આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ મહત્વપૂર્ણ અવસર પર આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સામાન્ય લોકો માટે એક વિકલ્પ અને આશાનું કિરણ લઈને ઉભરી છે. બીજી બાજુ ભાજપનું એકચક્રી શાસન છે, ભાજપે તમામ સંસ્થાઓને ગુલામ…

Read More

એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.793, ચાંદીમાં રૂ.3779 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.47ની નરમાઇકોમોડિટી વાયદાઓમાં રૂ.18149.93 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.108692.87 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12335.46 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39289 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.126846.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.18149.93 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.108692.87 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 39289 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2344.35 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12335.46 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.158000ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.158747 અને નીચામાં રૂ.157700ના સ્તરને સ્પર્શી, રૂ.158755ના આગલા બંધ સામે રૂ.793 ઘટી રૂ.157962ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.275 ઘટી રૂ.128952 થયો હતો. ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.19 ઘટી…

Read More

બેડી-ધરાનગર વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર.જામનગરમાં કોલેરાનો રોગચાળો વકર્યો: ૫ પોઝિટિવ કેસ નોંધાયા.પાણીની મુખ્ય પાઈપલાઈન અને ભૂગર્ભ ગટરની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે.જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોલેરાનો રોગચાળો બેકાબૂ બની રહ્યો છે. જી.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી આજે (૧૨મી ફેબ્રુઆરી) વધુ ૫ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં ફફડાટ ફેલાયો છે. આ સાથે જ શહેરમાં કોલેરા પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૨૦ પર પહોંચી ગઈ છે. મળતી માહિતી અનુસાર, શહેરમાં રોગચાળો ફાટી નીકળતા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. બેડી-ધરાનગર-૧ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી છેલ્લા ૩ દિવસથી ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે અને…

Read More

પરિપત્ર રદ કરવા કોંગ્રેસની માગગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓને શ્વાનોનો તાત્કાલિક સર્વે કરવા આદેશ.ગુજરાતમાં SIR ની કામગીરીમાંથી હજુ તો શૈક્ષણિક સ્ટાફ છૂટો થયો નથી ત્યાં તો ફરી એક પરિપત્ર કરી દેવાતા વિવાદનું વંટોળ ઊભું થયું છે. હવે સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રહેલા શ્વાનોનો રિપોર્ટ સોંપવા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં શાળાના કેમ્પસની અંદર અને આસપાસ કેટલા શ્વાન છે તેની વિગતો જણાવવા સૂચન કરવામાં આવ્યું છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે શિક્ષણ નિયામકે પરિપત્ર કરી શિક્ષકોને શ્વાન ગણવાની જવાબદારી આપી છે. જાે કે શિક્ષકો કે શાળાના સ્ટાફે શૈક્ષણિક સંસ્થાઓ પૂરતી જ શ્વાનની મર્યાદિત ગણતરી…

Read More

હવે રિકવરી એજન્ટોની ખેર નહીં.RBI એ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત.બેંકો, ગ્રામીણ બેંકો, NBFC અને સહકારી બેંકો સહિતની તમામ નાણાકીય સંસ્થાઓએ રિકવરી માટે માનવીય અભિગમ અપનાવવો પડશે.ભારતીય રિઝર્વ બેંક (RBI)એ લોન રિકવરી પ્રક્રિયાને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. છેલ્લા ઘણા સમયથી રિકવરી એજન્ટો દ્વારા ગ્રાહકો સાથે કરવામાં આવતા અમાનવીય વ્યવહાર અને ગેરકાયદેસર હેરાનગતીની ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. હવેથી બેંકો, ગ્રામીણ બેંકો, NBFC, અને સહકારી બેંકો સહિતની તમામ નાણાકીય સંસ્થાઓએ રિકવરી માટે માનવીય અભિગમ અપનાવવો પડશે. RBI એ સ્પષ્ટ કર્યું છે કે, બેંકોએ હવે રિકવરી એજન્ટોની નિમણૂક માટે એક સ્પષ્ટ નીતિ બનાવવી પડશે.…

Read More

અફઘાનિસ્તાનના ખેલાડીને અમ્પાયર સાથેની રકઝક મોંઘી પડી , ICC એ તેને દંડ ફટકાર્યો, કડક ચેતવણી આપી 2026 ના T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન દક્ષિણ આફ્રિકા સામે હારી ગયું હતું . હવે , ICC એ તેમને વધુ એક મોટો ફટકો આપ્યો છે T20 વર્લ્ડ કપ 2026 માં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ , અફઘાનિસ્તાન ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ICC એ ટીમના અનુભવી ખેલાડી મોહમ્મદ નબી પર મેચ રેફરીની સૂચનાઓનું ઉલ્લંઘન કરવા બદલ ભારે દંડ ફટકાર્યો છે. લુંગી નગીડીના કાંડા પટ્ટાને લઈને અમ્પાયરો સાથે લાંબી દલીલને કારણે નબીને આર્થિક નુકસાન થયું છે. ICC એ બુધવારે અમદાવાદમાં રમાયેલી ગ્રુપ D મેચ…

Read More

ભારતીયો વિદેશ જવા માગતા નથી? બે વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 31% નો ઘટાડો વિદેશમાં ભારતીયો: ઘણા દેશો વિદેશમાં અભ્યાસ કરવા માટે લોકપ્રિય છે. જોકે, ભારતીયો હવે આ દેશોમાં અભ્યાસ કરવાનું વધુને વધુ અપ્રિય શોધી રહ્યા છે. સરકારી ડેટા આ વાતની પુષ્ટિ કરે છે ભારતીયોમાં વિદેશમાં અભ્યાસ કરવાનો ખૂબ જ ક્રેઝ રહ્યો છે. પરંતુ ધીમે ધીમે આ ક્રેઝ ઓછો થઈ રહ્યો છે અને હવે ભારતીયો વિદેશમાં અભ્યાસ કરવા જવા માંગતા નથી. અમે આ વાત પોતાની જાતે નથી કહી રહ્યા , પરંતુ સરકારી આંકડા પોતે જ તેની પુષ્ટિ કરે છે. અમેરિકા હોય કે બ્રિટન હોય કે ઓસ્ટ્રેલિયા હોય કે કેનેડા હોય , છેલ્લા…

Read More

તાનાશાહની લાડલી હવે બનશે બોસ!કિમ જાેંગ ઉને ૧૩ વર્ષની પુત્રીને બનાવી ઉત્તરાધિકારી.ઉત્તર કોરિયાના તાનાશાહ અને સર્વોચ્ચ નેતા કિમ જાેંગ ઉને પોતાના ઉત્તરાધિકારીના નામની જાહેરાત કરી છે.ઉત્તર કોરિયાના તાનાશાહ અને સર્વોચ્ચ નેતા કિમ જાેંગ ઉને પોતાના ઉત્તરાધિકારીના નામની જાહેરાત કરી છે. ઉત્તર કોરિયાની નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસ (NIS)એ કહ્યું છે કે, સર્વોચ્ચ નેતાએ પોતાની લગભગ ૧૩ વર્ષની પુત્રી ‘કિમ જૂ-એ’ને પોતાના ઉત્તરાધિકારી બનાવવાની જાહેરાત કરી છે. છેલ્લા ઘણા સમયથી કિમ જૂ-એ પિતા સાથે અનેક મોટા કાર્યક્રમોમાં જાેવા મળી છે. કિમ જાેંગ ઉન તાજેતરમાં જ ચીનના બેઈજિંગની મુલાકાતે ગયા હતા, ત્યારે તેમની સાથે પુત્રિ જૂ પણ જાેવા મળી હતી. NISએ અનેક ઉદાહરણોનો ઉલ્લેખ…

Read More