Author: Garvi Gujarat

નાગરિકોને તાત્કાલિક દેશ છોડવા આદેશ.ઈરાન પર અમેરિકાની આર્થિક સર્જિકલ સ્ટ્રાઈક વેપાર પર ૨૫ ટકા ટેક્સ લાદવાની જાહેરાત.ઈરાન છેલ્લા કેટલાય અઠવાડિયાથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોની લપેટમાં છે. આ વિરોધ પ્રદર્શનો ૨૮ ડિસેમ્બરના રોજ વધતી જતી મોંઘવારીને કારણે શરૂ થયા હતા.ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે ઈમરજન્સી એલર્ટ જાહેર કરીને તમામ અમેરિકન નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવા કહ્યું છે. ઈરાનમાં છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલા ભીષણ વિરોધ પ્રદર્શન બાદ આ પગલું ભરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૫૦૦થી વધારે લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઈરાન સાથે વેપાર કરતા દેશો પર ૨૫ ટકા ટેક્સ લાદવાની જાહેરાત કરી…

Read More

રાની મુખર્જીના બોલિવૂડમાં ૩૦ વર્ષ પૂરાં.યશ રાજ ફિલ્મ્સે ‘મર્દાની-૩’નું ટ્રેલર લોન્ચ કર્યું.આ ફિલ્મમાં રાની મુખર્જી એટલે કે શિવાની શિવાજી રોય ગુમ થયેલી યુવતીઓને શોધવા માટે જાનની બાજી લગાવી દેશે.ભારતીય સિનેમાની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક એવી રાની મુખર્જીએ બોલિવૂડમાં ૩૦ વર્ષ પૂરા કર્યા છે. આ ખાસ અવસરને યાદગાર બનાવતા યશ રાજ ફિલ્મ્સ દ્વારા તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મર્દાની ૩’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ત્રણ દાયકાની આ સફર બાદ રાની ફરી એકવાર નિડર પોલીસ ઓફિસર શિવાની શિવાજી રોયના પાવરફુલ અવતારમાં પડદા પર જાેવા મળશે. આ ફિલ્મમાં રાની મુખર્જી એટલે કે શિવાની શિવાજી રોય ગુમ થયેલી યુવતીઓને શોધવા માટે જાનની બાજી લગાવી દેશે.…

Read More

પ્રિયંકા આ કાર્યક્રમમાં પ્રેઝન્ટર તરીકે જાેડાઈ છે.ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડમાં છવાઈ દેશી ગર્લ પ્રિયંકા ચોપરા.પ્રિયંકા ટૂંક સમયમાં ફિલ્મ “ધ બ્લફ” માં જાેવા મળશે, જે ફિલ્મ ૨૫ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે.પ્રિયંકા ચોપરા, જે ૨૦૨૬ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ રેડ કાર્પેટ પર તેના પતિ નિક જાેનાસ સાથે સ્ટાઇલિશ રીતે જાેવા મળી હતી, તેણે ચાહકોને તેની આગામી ફિલ્મ “ધ બ્લફ” ની ઝલક પણ આપી. તેના નવીનતમ પ્રોજેક્ટ વિશે એક મુલાકાતમાં, દેસી ગર્લે તેની આગામી ફિલ્મની રિલીઝ તારીખની પુષ્ટિ જ નહીં, પરંતુ ફિલ્મની વાર્તા અને અન્ય વિગતો પણ જાહેર કરી. જાે કે, ૨૦૨૬ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ રેડ કાર્પેટ પર પ્રવેશ કરતી વખતે બધાની નજર પ્રિયંકા…

Read More

‘બોર્ડર ૨’ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ રિલીઝ થશ.લોંગેવાલા અને જેસલમેર બાદ ‘બોર્ડર ૨’ હવે અમૃતસર પહોંચશે.‘ઘર કબ આઓગે’ પછી ‘જાતે હુએ લમ્હોં’ ગીતને મેગા આર્મી ઇવેન્ટ સાથે થશે લોન્ચ કરાશે.‘બોર્ડર ૨’ના મેકર્સ તેમનાં મ્યુઝિક લોન્ચને હવે નેશનલ ઇમોશનલ ઇવેન્ટનું સ્વરૂપ આપી રહ્યાં છે. લૌગેવાલા–જેસલમેરમાં ‘ઘર કબ આઓગે’ ગીતનાં ભવ્ય અને હૃદયસ્પર્શી લોંચ બાદ હવે ટીમ આગામી મેગા ઇવેન્ટ માટે અમૃતસરનાં ખસા વિસ્તારમાં પહોંચી રહી છે, જ્યાં ‘જાતે હુએ લમ્હોં – એ સોલફુલ રેન્ડિશન’ ગીતનું ભવ્ય લોન્ચ કરવામાં આવશે. સંદેસે આતે હૈ ગીતન નવા વર્ઝને અમુક કલાકોરમાં જ વ્યુઅરશિપના રેકોર્ડ તોડી નાંખ્યા હતા. લૌગેવાલા પોસ્ટ પર બીએસએફના જવાનોની હાજરીમાં ‘ઘર કબ…

Read More

ઇન્ટરવ્યુમાં ગુલઝારે બાળકો માટે લખવાના પોતાના પ્રેમની વાત કરી.ગુલઝાર ફરી એક વખત બાળકો માટે ગીત લખશે.મેઘના ગુલઝારની ‘દાયરા’ ફિલ્મમાં કરીના કપૂર ખાન અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે.હિન્દી સિનેમાના દિગ્ગજ કવિ અને ગીતકાર ગુલઝાર ફરી એકવાર બાળકો માટે લખાણ તરફ વળ્યા છે. લાંબા સમય બાદ તેઓ એક બાળકોની ફિલ્મ માટે ગીતો લખી રહ્યા છે, જે વાત તેમના ચાહકો માટે ખુશખબર સમાન છે.બાળકો માટે લખાણ અંગે ગુલઝારે પોતાના પ્રેમની વાત કરતાં જણાવ્યું કે, બાળકોની દુનિયા નિર્દાેષતા, કલ્પનાશક્તિ અને સહજ આનંદથી ભરપૂર હોય છે. આવા વિષયો પર લખવું માત્ર સર્જનાત્મક અનુભવ નથી, પરંતુ તેમને પોતાને ફરી બાળક બનવાની તક પણ આપે…

Read More

ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશિપમાં વડોદરાના ૪ ખેલાડીઓએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા.ઓલ ઇન્ડિયા ઇન્ટર ઝોનલ કરાટે ચેમ્પિયનશિપ–૨૦૨૫માં વડોદરા સહિત ગુજરાતના યુવા કરાટે ફાઈટર્સે શાનદાર પ્રદર્શન કર્યુ.દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે તા. ૧ અને ૨ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ યોજાયેલી ચોથી ઓલ ઇન્ડિયા ઇન્ટર ઝોનલ કરાટે ચેમ્પિયનશિપ–૨૦૨૫માં વડોદરા સહિત ગુજરાતના યુવા કરાટે ફાઈટર્સે શાનદાર પ્રદર્શન કરીને રાજ્યનું નામ ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે. આ રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપનું આયોજન કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભારતના નૉર્થ, સાઉથ, ઇસ્ટ, વેસ્ટ અને નૉર્થ–ઇસ્ટ ઝોનમાંથી ઝોનલ સ્તરે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતેલા શ્રેષ્ઠ ખેલાડીઓએ ભાગ લીધો હતો. દેશભરના ટોચના ફાઈટર્સ વચ્ચે થયેલી આ ચેમ્પિયનશિપ…

Read More

પ્રદૂષણથી આરોગ્ય સમસ્યાઓની તકલીફ વધી.બાવળાના મેમર ગામમાં ગ્રોથપાથ પેટ્રોકેમ કંપનીના પ્રદૂષણથી લોકો ત્રાહિમામ.ગ્રોથપાથ પેટ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના ૨૦૨૧માં કરવામાં આવી હતી અને તેનું રજિસ્ટર્ડ એડ્રેસ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં છે.અમદાવાદના બાવળા તાલુકામાં આવેલા મેમર ગામમાં ઔદ્યોગિક પ્રદૂષણના કારણે ગ્રામજનોનું જીવન અત્યંત કષ્ટમય બની ગયું છે. ગામની નજીકમાં જ કાર્યરત ગ્રોથપાથ પેટ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડકંપની દ્વારા ફેલાવાતા અતિશય અવાજ અને વાયુ પ્રદૂષણ સ્થાનિક લોકો, બાળકો અને પશુઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ કંપની, જે અનાજ આધારિત ઇથેનોલ પ્લાન્ટ તરીકે કાર્યરત છે, તેને ૨૦૨૨માં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય તરફથી મંજૂરી મળી હતી, પરંતુ હવે ગ્રામજનોના આરોપ છે કે કંપની પર્યાવરણીય નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન…

Read More

ઉધનામાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ.ડાઇંગ મિલો કેમિકલયુક્ત પાણી છોડતું હોવાનો આરોપ.માત્ર દેખાવની કામગીરી કરવામાં આવી અને સ્થાયી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે.સુરત શહેરના ઉધનામાં અમૃત નગરમાં સ્થાનિકો છેલ્લા કેટલાંક દિવસથી પીવાના પાણીના ગંદા આવવાની ફરિયાદ કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાણી ગંદુ અને કલરયુક્ત આવી રહ્યું છે, જેના કારણે નાગરિકોને સતત હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકોએ આ બાબતમાં મુખ્ય કારણ ગેરકાયદેસર ચાલતાં તપેલા ડાઇગમિલો હોવાનો આક્ષેપ કર્યો છે. સ્થાનિક લોકોના આરોપ અનુસાર આ ડાઇગમિલો દ્વારા ડ્રેનેજમાં કલરયુકત પાણી છોડી દેવામાં આવે છે અગાઉ આવી સમસ્યા નોંધાઇ હતી, ત્યારે પણ પાલિકા દ્વારા માત્ર દેખાવની કામગીરી કરવામાં આવી અને…

Read More

કોર્ટમાં અરજી દાખલ કરી ASI સર્વેની માંગ.અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો કરાયો.મહારાણા પ્રતાપ સેનાના પ્રમુખ રાજવર્ધન સિંહ પરમારે જિલ્લા કોર્ટમાં અરજી દાખલ કરી સર્વેની માંગ કરી હતી.અજમેરની જિલ્લા કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હતું અને સર્વેની માંગ કરવામાં આવી છે. આ અરજી મહારાણા પ્રતાપ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ રાજવર્ધન સિંહ પરમારે દાખલ કરી હતી. રાજવર્ધન સિંહ પરમારે કહ્યું કે, અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હતું અને બાદમાં તેને દરગાહમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. હું લાંબા સમયથી આ મુદ્દા સામે લડી રહ્યો છું. અગાઉ રાષ્ટ્રપતિને એક અરજી…

Read More

હવામાન વિભાગની આગાહી.ઉત્તરાયણ પર્વ પર પતંગબાજાે માટે ખુશખબર: પવનની ગતિ રહેશે સાનુકૂળ.૪-૧૫ જાન્યુઆરીના રોજ પવનની ઝડપ ૫ થી ૧૫ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા રહેલી છે.ગુજરાતના લોકપ્રિય પર્વ ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ૧૪ અને ૧૫ જાન્યુઆરીના રોજ રાજ્યમાં પવનની ગતિ પતંગ ચગાવવા માટે ખૂબ જ સાનુકૂળ રહેશે. હવામાન વિભાગ મુજબ, ૧૪-૧૫ જાન્યુઆરીના રોજ પવનની ઝડપ ૫ થી ૧૫ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જેમાં ૧૪મી જાન્યુઆરીએ પવન મુખ્યત્ત્વે ઉત્તર-પશ્ચિમ દિશાનો રહેશે. જ્યારે ૧૫મીએ પણ ઉત્તર-પશ્ચિમ તરફથી પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર ઝોનમાં પવનની દિશા ઉત્તર-પૂર્વની રહેશે,…

Read More