Author: garvigujrat

ભારતીય રેલવેમાં ID ચકાસણી ફરજિયાત.બાંગ્લાદેશ અને નેપાળ સરહદના વિસ્તારોમાં રિઝર્વ ટ્રેનોમાં કડક નિયમો.મુસાફરી માટે ઓળખ પુરાવાની ચકાસણી ફરજિયાત રહેશે, આ પગલું સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યું છે.રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે કે હવે બાંગ્લાદેશ અને નેપાળ સહિત આંતરરાષ્ટ્રીય સરહદ વિસ્તારોમાં ચાલતી રિઝર્વ ટ્રેનોમાં મુસાફરી માટે ઓળખ પુરાવાની ચકાસણી ફરજિયાત રહેશે. આ પગલું સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યું છે. અત્યાર સુધી ટ્રેનમાં નામ જણાવવામાં આવતાં અથવા તો સીટ નંબર કહેવામાં આવતાં પુષ્ટિ થઈ જતી હતી. જાેકે હવે જે નામની સીટ હશે એનુંt ID ચેક કરવામાં આવશે. જાે એક કરતાં વધુ વ્યક્તિ હોય તો કોઈ પણ એક વ્યક્તિની…

Read More

દર્દીઓને મળશે લાભ.સિવિલમાં હવે પેશાબની જટિલ સમસ્યાનું થશે ફ્રી અને સચોટ નિદાન.૧૨૦૦ બેડ હોસ્પિટલમાં યુરોલોજી વિભાગની ઓપીડીમાં દર બુધવાર-શનિવારે દર્દીઓ આ સુવિધાનો લાભ મેળવી શકશે.અમદાવાદ સિવિલ હોસ્પિટલ વિવિધ ક્ષેત્રોમાં દર્દીઓ માટે ખુબ સુંદર કામ કરી રહી છે. હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે વિવિધ ટેક્નોલોજી પણ અપનાવવામાં આવી રહી છે. હવે સિવિલના યુરોલોજી વિભાગમાં ૫૫ લાખના ખર્ચે આધુનિક યુરોડાયનેમિક સ્ટડી સેવાની શરૂઆત કરવામાં આવી છે. યુરોડાયનેમિક સ્ટડી દ્વારા મૂત્રાશય અને મૂત્રનળી કેવી રીતે કાર્ય કરે છે તેની ચોક્કસ તપાસ શક્ય બનશે. યુરોલોજી વિભાગના વડા ડો. શ્રેણિક શાહ જણાવે છે કે, “આ તપાસથી પેશાબની સમસ્યા ધરાવતા દર્દીને ચોક્કસ નિદાન મળે છે, જેના આધારે…

Read More

જાણો કઈ કૃષિયોજના પાછળ સૌથી ઓછો ખર્ચ.૨૦૨૫ના બજેટની ૬૦% રકમ નવ મહિને પણ ન વપરાઈ.૫૩ યોજનાઓમાંથી ૬ યોજનાઓ પર ૪૦%થી ઓછો ખચ.સરકારે આ નાણાકીય વર્ષમાં પોતાની સૌથી મોટી યોજનાઓ પર ૪૦% બજેટ જ ખર્ચ કર્યું છે. આ એ યોજનાઓ છે જેના માટે લગભગ ૫૦૦ કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું. આ યોજનાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સંયુક્ત રીતે ખર્ચ કરવાનો છે. આ યોજનાઓમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ હેઠળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારો, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના સામેલ છે. આ ઉપરાંત મનરેગા અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના પર…

Read More

સિંધુ બાદ પાકિસ્તાનને વધુ એક ઝટકો.ચિનાબ નદી પર હાઈડ્રો પ્રોજેક્ટ માટે ભારત સરકારે ટેન્ડર જાહેર કર્યું.NHPC એ અંદાજે રૂ.૫,૧૨૯ કરોડ ના ખર્ચે તૈયાર થનારા સાવલકોટ હાઈડ્રો પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી.ભારત સરકારે પાકિસ્તાન સાથેના જળ વિવાદ અને સિંધુ જળ સંધિ (IWT) ના તણાવ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી મામલે એક મોટો વ્યૂહાત્મક પ્રહાર કર્યો છે. NHPC એ અંદાજે રૂ.૫,૧૨૯ કરોડ ના ખર્ચે તૈયાર થનારા સાવલકોટ હાઈડ્રો પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દીધી છે. NHPC દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડર મુજબ, આ આખો પ્રોજેક્ટ એક જ પેકેજ હેઠળ તૈયાર કરવામાં આવશે. જેમાં ડાઈવર્ઝન્ટ ટનલનું નિર્માણ, કોફર ડેમ, માંડિયા નાલા ડીટી…

Read More

બુમરાહ બાદ હવે ધાકડ બેટ્સમેન પડ્યો બીમાર.બેટ્સમેન અભિષેક શર્માની તબિયત અચાનક બગડી.મોહમ્મદ સિરાજે કહ્યું, “બધું બરાબર છે, તેને પેટમાં દુખાવો હતો અને તેથી જ તે ફિલ્ડિંગમાં આવ્યો ન હતો.સૂર્યકુમાર યાદવ એક મોટી સમસ્યાનો સામનો કરી રહ્યો છે; તેમણે આગામી મેચ માટે પોતાના હીરોને બેન્ચ પર બેસાડવો પડી શકે છે. આ દરમિયાન, સમાચાર આવ્યા કે અભિષેક શર્માની તબિયત પણ બગડી ગઈ છે. નોંધનીય છે કે જસપ્રીત બુમરાહને પણ બીમારીને કારણે પહેલી મેચ ગુમાવી પડી હતી. ભારતીય ક્રિકેટ ટીમે ્૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ની શાનદાર શરૂઆત શાનદાર જીત સાથે કરી હતી. પહેલી મેચમાં ટીમે યુનાઇટેડ સ્ટેટ્સને ૨૯ રનથી હરાવ્યું હતું. જાેકે, સૂર્યકુમાર…

Read More

રાજસ્થાન હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો.નીચ કહી દેવાથી ન લાગી શકે એસસી/એસટી એક્ટ.કોઈ વ્યક્તિને નીચ જેવા સામાન્ય અપમાનજનક શબ્દ કહી દેવાથી માત્ર એસસી/એસટી એક્ટ ઓટોમેટિક લાગૂ થતો નથી.રાજસ્થાન હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે કોઈ વ્યક્તિને નીચ જેવા સામાન્ય અપમાનજનક શબ્દો કહી દેવાથી એસસી/એસટી (અત્યાચાર નિવારણ) એક્ટ ઓટોમેટિક લાગૂ થતો નથી. જસ્ટિસ વીરેન્દ્ર કુમારે સ્પષ્ટ કર્યું કે આ કાયદો ત્યારે લાગૂ થાય છે, જ્યારે તે સાબિત થાય છે કે અપમાન ખાસ કરી જાતિના આધારે કરવામાં આવ્યું હતું અને આરોપીને પીડિતની જાતિની જાણકારી હતી. આ મામલો વર્ષ ૨૦૧૧મા આઈઆઈટી જાેધપુરથી જાેડાયેલા એક વિવાદ સંબંધિત છે. તે સમયે સરકારી અધિકારી અતિક્રમણની તપાસ માટે ઘટનાસ્થળે…

Read More

અમેરિકન અધિકારીઓએ તારીખ સાથે દાવો કર્યો.ગલવાનમાં ભારત સાથે અથડામણ પછી ચીને પરમાણુ પરીક્ષણો કર્યા હતા.પૂર્વી લદાખની ગલવાન ખીણમાં જૂન ૨૦૨૦માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતા પૂર્વી લદાખની ગલવાન ખીણમાં જૂન ૨૦૨૦માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘાતક અથડામણ થઈ હતી, જેમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતા અને ૩૦થી વધુ ચીનના સૈનિકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાના થોડા દિવસ પછી ચીને ગુપ્ત પરમાણુ પરીક્ષણો કર્યા હોવાનો ગંભીર આરોપ અમેરિકાએ લગાવ્યો છે. અમેરિકાએ કહ્યું છે કે, ચીને વૈશ્વિક નજરથી બચવા માટે અદ્યતન ‘ડીકપ્લિંગ’ ટેકનિકનો ઉપયોગ કરીને પરમાણુ પરીક્ષણો કર્યા હતા. અમેરિકાના…

Read More

પીએમ મોદી બે દિવસના પ્રવાસે મલેશિયા પહોંચ્યા પીએમ નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયના કાર્યક્રમમાં હાજરી આપી પીએમ મોદીએ તમિલ સંસ્કૃતિને બિરદાવી જ્યારે મલેશિયાના પીએમએ તેમને ગ્રેટ ફ્રેન્ડ ગણાવ્યા હતા પીએમ નરેન્દ્ર મોદી બે દિવસના મલેશિયાના પ્રવાસે છે અને આજે કોઆલાલંપુર પહોંચી ગયા છે. મલેશિયાના પીએમ અનવર ઈબ્રાહિમે પોતે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ બંને નેતાઓ એક સાથે જ કારમાં બેસીને રવાના થયા હતા. હાલના સમયમાં આ રીતે કારમાં જવું એ પીએમ મોદીની ડિપ્લોમસીનો જાણે એક ભાગ બની ગયો છે. અનવર ઈબ્રાહિમે પણ પીએમ મોદીને પોતાના ગ્રેટ ફ્રેન્ડ ગણાવ્યા. અત્રે જણાવવાનું કે પીએમ મોદીનો આ ત્રીજાે મલેશિયા પ્રવાસ છે. ઓગસ્ટ ૨૦૨૪માં…

Read More

નમાજ પઢાવવાના બહાને મસ્જિદના ધાબે લઈ ગયો અમદાવાદમાં નમાજના નામે સાત વર્ષના બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પોલીસે આરોપી સામે ગુનો નોંધીને કરી ધરપકડ અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી અને કાળજું ધ્રુજાવી દે તેવી ઘટના સામે આવી છે. શુક્રવારની પવિત્ર જુમ્મા નમાઝ પઢવા ગયેલા ૭ વર્ષના માસૂમ બાળકને નમાઝ શીખવાડવાના બહાને લલચાવી ફોસલાવી મસ્જિદના ધાબા પર લઈ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ૨૧ વર્ષીય આરોપી નૌમાન શેખની ધરપકડ કરી લીધી છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈ ચિરાગ ગોસાઈએ જણાવ્યું કે, અમદાવાદનો ગાયકવાડ હવેલી વિસ્તાર અને મકદુમસાબ નામની મસ્જિદ આવેલી છે.…

Read More

સુપ્રીમ કોર્ટે એબોર્શનની આપી મંજૂરી મહિલાને ઇચ્છા વિરુદ્ધ માતા બનવા કોર્ટ મજબૂર ના કરી શકે અગાઉ બોમ્બે હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપવાની ના પાડી બાળકને દત્તક આપવાની સગીરાને છૂટ આપી હતી એક સગીરાને ૩૦ સપ્તાહનો ગર્ભ હતો જેના ગર્ભપાતને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી હતી, આ સાથે જ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે જાે કોઇ યુવતી ગર્ભાવસ્થાને આગળ વધારવા ના માગતી હોય તો પછી કોર્ટ તેને ગર્ભાવસ્થા આગળ વધારવા માટે મજબૂર ના કરી શકે. અગાઉ આ મામલામાં બોમ્બે હાઇકોર્ટે સગીરાને ગર્ભપાત કરાવવા મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી વી નાગરત્ના, ન્યાયાધીશ ઉજ્જ્વલ ભુયાનની બેંચે સગીરા દ્વારા…

Read More