- ડિજિટલ પેમેન્ટ પર ટેક્સ અને વધતી મોંઘવારી સામે રોષ: શાસકો સામે આક્રોશ
- સુરતના ડેપ્યુટી મેયર વતનમાં સરકારી ગાડી અને સાયરન વાપરતા વિવાદમાં: વીડિયો વાયરલ
- જૂનાં ગીતોના રિમિક્સ અંગે સમીરની નારાજગી: ‘ધુરંધર’ અને ‘ચૌહાણ’માં મ્યુઝિકનો સત્યાનાશ કર્યાનો આક્ષેપ
- रतलाम मंडल पर राजभाषा पखवाड़ा शुरू: प्रतियोगिताएं एवं सम्मान समारोह होंगे आयोजित
- નર્મદામાં મગરના હુમલા બાદ આપ નેતા નિરંજન વસાવાની પીડિતને સહાય અને મગરને ખસેડવાની માંગ
- Rodeo Slots – mobilní aplikace a online kasino pro hráče v Česku
- RingoSpin: pasos y métodos para registrarte y jugar
- Realz Casino: guida completa al casino online bonus, requisiti, pagamenti e sicurezza
Author: garvigujrat
હોર્મુઝ ખોલાવવા ટ્રમ્પ એકલા હાથે મેદાને! ઈરાન પર અમેરિકાએ ૫૦૦૦ પાઉન્ડનો ‘મહાબોમ્બ’ ઝીંક્યો સાથી દેશોના અસહકારથી નારાજ ડોનાલ્ડ ટ્રમ્પે નાટોમાંથી બહાર નીકળવાની પણ ચીમકી આપી મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ વધુ ભયાનક બન્યું છે. અમેરિકાએ ઈરાનના દરિયાકાંઠાના મિસાઈલ ઠેકાણાઓ પર ૫૦૦૦ પાઉન્ડના બોમ્બ વર્ષાવીને તેમને તબાહ કરી દીધા છે. બીજી તરફ, સાથી દેશોના અસહકારથી નારાજ ડોનાલ્ડ ટ્રમ્પે નાટોમાંથી બહાર નીકળવાની પણ ચીમકી આપી છે.અમેરિકન સેનાએ હોર્મુઝની ખાડી નજીક ઈરાની તટરેખા પર આવેલા મજબૂત મિસાઈલ બેઝ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યાે છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ ના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનમાં ૫૦૦૦ પાઉન્ડ (આશરે ૨૨૬૭ કિલોગ્રામ) ના અત્યંત શક્તિશાળી બોમ્બનો ઉપયોગ કરવામાં…
ફિલ્મનું ટાઈટલ સુંદર પૂનમ હશે સાન્યા મલ્હોત્રા અને આદિત્ય રાવલ રોમેન્ટિક થ્રીલરમાં સાથે દેખાશેે ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ કરવાની યોજના છે. આ ફિલ્મ એર રિયલ લાઇવ ઇવેન્ટથી પ્રેરિત હશે. પરેશ રાવલના પુત્ર આદિત્ય રાવલ તથા સાન્યા મલ્હોત્રા એક રોમાન્ટિક થ્રીલર ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મને હાલ ‘સુંદર પૂનમ‘ ટાઈટલ અપાયું છે. ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ કરવાની યોજના છે. આ ફિલ્મ એર રિયલ લાઇવ ઇવેન્ટથી પ્રેરિત હશે. ફિલ્મના શૂટિંગ કાશ્મીર, રાજસ્થાન, દિલ્હી અને મુંબઇમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સાન્યા મલ્હોત્રાએ તાજેતરમાં મુંબઈમાં જુહૂ ખાતે ૧૪.૩ કરોડનું સી ફેસિંગ ઘર ખરીદ્યું છે. તેણે તાજેતરમાં આ ઘરમાં ગૃહ પ્રવેશ…
વિવાદાસ્પદ ગીત યુ ટયુબ પરથી હટાવી લેવાયું દેશવ્યાપી આક્રોશ, ફરિયાદને પગલે નોરાનું અશ્લીલ સોંગ પાછું ખેંચાયું દિલ્હી પોલીસ સાઈબર સેલમાં અલાયદી ફોજદારી ફરિયાદ પણ કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું મૂળ કન્નડ ફિલ્મ ‘કેડી: ધી ડેવિલ’નું નોરા ફતેહી અને સંજય દત્ત પર પિક્ચરાઈઝ થયેલું ગીત અતિશય બિભત્સ અને અશ્લીલ હોવાના રાષ્ટ્રવ્યાપી વિવાદ બાદ આ ગીતને યુ ટયૂબ પરથી હટાવી લેવાયું છે. આ ગીત સામે સોશિયલ મીડિયા પર ભારે જનાક્રોશ વ્યક્ત કરાયો હતો. દેશમાં કેટલાંક સ્થળે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. કંગના રણૌત, ગાયક અરમાન મલિક સહિતના સેલેબ્સએ પણ આ ગીતને વખોડી કાઢ્યું હતું. ‘સરકે ચુનર સરકે’ એવા શબ્દો ધરાવતું હિન્દી તથા…
રણવીરની ફિલ્મે યુએસમાં ‘પઠાણ’ અને ‘આરઆરઆર’ના રેકોર્ડ તોડ્યા ‘ધુરંધર ૨’નાં એડવાન્સ બુકિંગની આંધી વર્લ્ડવાઇડ બૂકિંગ રૂ. ૧૦૦ કરોડને પાર ભારતમાં માત્ર પહેલા દિવસ અને પ્રીવ્યૂ શોઝ માટે જ ફિલ્મની ૧૦ લાખથી વધુ ટિકિટ વેચાઈ ગઈ છે. ધુરંધર ૨નં એડવાન્સ બૂકિંગ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતમાં માત્ર પહેલા દિવસ અને પ્રીવ્યૂ શોઝ માટે જ ફિલ્મની ૧૦ લાખથી વધુ ટિકિટ વેચાઈ ગઈ છે.ફિલ્મ ધુરંધર: ધ રિવેન્જ રિલીઝ થવામાં હવે માત્ર ત્રણ દિવસ બાકી છે ત્યારે ટિકિટનું એડવાન્સ બુકિંગ તેજ બની ગયું છે. ઓપનિંગ વીકએન્ડ માટેનું વ્યાપક એડવાન્સ બૂકિંગ આ વીકેન્ડથી શરૂ થયું છે. ત્યારથી અત્યાર સુધીના પ્રી-સેલ્સ દરરોજ નવા…
તીસ માર ખાનની નિષ્ફળતા વિશે ફરાહે કહ્યું ‘હું તો પથારીમાંથી પણ ઊઠી શકતી નહોતી’ આપણી ઇન્ડસ્ટ્રીમાં લોકો તમારી સફળતા માટે ખુશ થવા કરતાં, બીજા લોકોની નિષ્ફળતા માટે વધુ ખુશ થાય છે. ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાને તાજેતરમાં પોતાના કૅરિયરના સૌથી મુશ્કેલ સમય વિશે ખુલાસો કર્યાે છે. તેણે જણાવ્યું કે ૨૦૧૦માં આવેલી તેની ફિલ્મ તીસ માર ખાનને મળેલા વિરોધ અને ટીકા કારણે તેને પ્રોફેસનલ અને ઇમોશનલ રીતે ભારે અસર થઈ હતી.તાજેતરમાં એક પોડકાસ્ટ શોમાં થયેલી વાતચીત દરમિયાન ફરાહે ફિલ્મ રિલીઝ પછીના સમયને પોતાના કરિયરની “સૌથી અંધકારમય અવસ્થા” ગણાવી. તે સમયને યાદ કરતાં તેણે કહ્યું કે પહેલાંની સફળ ફિલ્મો બાદ તે ખૂબ…
બે જહાજાે ગેસનો પુરવઠો લઈને ગુજરાત પહોંચ્યા શિવાલિક જહાજ ગેસનો જથ્થો લઈને ગુજરાતના મુંદ્રા બંદરે આવી પહોચ્યું ‘નંદદેવી’ જહાજ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત પસાર થઇ ગયું અને આજે જામનગરના વાડીનાર બંદરે પહોંચી ગયું છે ગલ્ફ દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતમાં ગેસ અને ક્રુડ ઓઈલ સહિતના પુરવઠાની ભારે તંગી સર્જાઈ છે. વિદેશમાંથી જથ્થો લઈને આવી રહેલા જહાજાેને હોર્મુઝ સ્ટેટથી નીકળવામાં મુશ્કેલી સર્જાઈ છે. ત્યારે ભારતમાં ગઈકાલે શિવાલિક જહાજ ગેસનો જથ્થો લઈને ગુજરાતના મુંદ્રા બંદરે આવી પહોચ્યું હતું. આ ઉપરાંત અન્ય એક ‘નંદદેવી’ જહાજ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત પસાર થઇ ગયું અને આજે જામનગરના વાડીનાર બંદરે પહોંચી ગયું છે. જામનગરના…
ગરમીથી બચાવવા પિંજરામાં કુલર અને ખાસ ડાય કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં સમર સ્પેશિયલ વ્યવસ્થા પિંજરાઓની અંદરનું વાતાવરણ ૧થી ૨ ડિગ્રી ઓછું રહે તે માટે હાઈટેક ડિવાઈસ અને નેચરલ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે અમદાવાદમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગરમીનો પારો ૪૦ ડિગ્રીને વટાવી રહ્યો છે, ત્યારે શહેરના પ્રસિદ્ધ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને હીટવેવથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સતત વધતી ગરમીને ધ્યાનમાં રાખીને પ્રાણીઓ અને પક્ષીઓના સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન થાય તે હેતુથી ખાસ સમર મેનેજમેન્ટ અમલમાં મૂકવામાં આવ્યું છે. અહીં બહારના તાપમાન કરતા પિંજરાઓની અંદરનું વાતાવરણ ૧થી ૨ ડિગ્રી ઓછું રહે તે માટે હાઈટેક ડિવાઈસ અને…
પરિવાર જ બન્યો દુશ્મન અમદાવાદમાં ધો.૧૧ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું હાલ પોલીસે સંબંધિત ચારેય વ્યક્તિઓ સામે આપઘાતને પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષીય સગીરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધી હતો. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આપઘાત બાદ પોલીસે તપાસ કરતા બેડ નીચેથી ત્રણ પાનાની અંગ્રેજીમાં લખાયેલી સુસાઇડ નોટ મળી છે. જેના આધારે પોલીસે મૃતક સગીરના પિતા સહિત દાદા-દાદી અને ફોઈ સહિત ૪ સભ્યો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના અંગે રાણીપમાં રહેતા ૪૫ વર્ષીય હેતલબેન બારોટે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓ પોતાના પતિ…
યુવકે ખૂદ પર પિસ્તોલ ચલાવી દિલ્હીમાં રમત-રમતમાં યુવાનનું કરુણ મોત નિપજ્યું ઘટનાની તુરંત બાદ યુવાનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આજ કાલ રીલ્સની ઘેલછા ખૂબ વધી ગઈ છે. થોડીક લાઈક્સ અને વ્યૂ મેળવવા માટે લોકો પોતાનો જીવ પણ જાેખમમાં મુકી દે છે. ક્યારેક વહેતા પાણીમાં તો ક્યારેક પહાડની ટોચ પરથી વીડિયો બનાવીને અપલોડ કરતા હોય છે. જ્યારે કેટલાક કિસ્સામાં તો હથિયાર (બંદુક) જાણે રમકડું હોય એવી રીતે એની સાથે રમતા હોય છે. ત્યારે દિલ્હીના દલ્લુપુરા વિસ્તારમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં એક યુવાને વીડિયો બનાવવાની ઘેલછામાં પોતાને ગોળી મારી દીધી.…
બિહારના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા કેસી ત્યાગીએ પાર્ટી છોડવાની કરી જાહેરાત જેડીયુના તાજેતરના સભ્યપદ અભિયાનના સમાપન પછી, ત્યાગીએ તેમનું સભ્યપદ રિન્યૂ કર્યું નથી બિહારના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના લાંબા સમયથી સહયોગી અને જેડીયુના અગ્રણી નેતા કેસી ત્યાગીએ પાર્ટીથી અલગ થવાની જાહેરાત કરી છે. જેડીયુના તાજેતરના સભ્યપદ અભિયાનના સમાપન પછી, ત્યાગીએ તેમનું સભ્યપદ રિન્યૂ કર્યું નથી. કેસી ત્યાગીએ કહ્યું જેડીયુ સભ્યપદ અભિયાન સમાપ્ત થઈ ગયું છે. મેં આ વખતે મારું સભ્યપદ રિન્યૂ કર્યું નથી. વધુમાં જણાવ્યું હતું કે પાર્ટી છોડવા છતાં, તેઓ તેમની જૂની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે તેઓ દલિતો,…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


