- સુપ્રીમ કોર્ટનો રેલવે અંગે મોટો નિર્ણય, ‘સેકન્ડ ક્લાસ મુસાફર’ શબ્દને ગણાવ્યો બંધારણ વિરોધી
- રશિયન તેલ ખરીદનારા દેશો પર 100% ટેરિફની ધમકી, ભારત-ચીન પર પડી શકે અસર
- ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, વોશિંગ્ટન સુંદર ઈજાના કારણે ત્રીજી વનડેમાંથી થઈ શકે બહાર
- વંદે માતરમ રોકનારને 3 વર્ષની જેલ? ચોમાસુ સત્રમાં નવો કાયદો લાવશે મોદી સરકાર
- સોનમ વાંગચુકની તબિયત નાજુક, ઓર્ગન ફેલ્યોરની ડોક્ટરોને ચિંતા છતાં અનશન ચાલુ રાખશે
- ગુજરાતમાં અશાંતધારાનું નામ બદલાયું, હવે ‘સ્પેસિફાઇડ એરિયા’ હેઠળ મિલકત વેચાણની નવી પ્રક્રિયા
- સુરત ખાડીપૂરથી 30 ટેક્સટાઇલ માર્કેટોમાં પાણી ભરાયા, કરોડોના નુકસાન બાદ રાહત પેકેજની માંગ
- પ્રવીણ રામનું ખેડૂતોના વીજ લાઈન આંદોલનને સમર્થન, પડધરી ઉપવાસમાં આપશે હાજરી
Author: garvigujrat
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો ર્નિણય.આવાસ યોજનામાં વન ટાઈમ રાહત યોજના જાહેર.મુખ્યમંત્રીના આ ર્નિણયથી ૯ હજારથી વધુ ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને કુલ રૂ. ૧૫૪ કરોડની દંડનીય વ્યાજમાંથી રાહત મળશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ સંવેદનાસ્પર્શી ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રીના આ ર્નિણય અનુસાર રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના જે લાભાર્થીઓ મુદ્દલ સંપૂર્ણ ભરવા સંમત છે, પરંતુ માસિક બે ટકા દંડનીય વ્યાજ ભરી શકે તેમ નથી તેમને રાહત મળશે. મુખ્યમંત્રી સમક્ષ આવા લાભાર્થીઓએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે એવા સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા છે કે, આ આવાસ…
૨૪ કલાકમાં ગુજરાતમાં ત્રીજા પોલીસકર્મીનો આપઘાત.ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહે ગળે ફાંસો ખાધો.ગાંધીનગરના સેક્ટર-૭ પોલીસ ચોકીમાં હેડ કોન્સ્ટેબલે ઘરમાં ઉપરના માળે પંખા સાથે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું.ગુજરાત પોલીસ વિભાગ માટે છેલ્લા ૨૪ કલાક અત્યંત દુ:ખદ અને ચિંતાજનક રહ્યા છે. ભરૂચ અને ભાવનગરમાં પોલીસકર્મીઓના આપઘાતની ઘટનાની શાહી સુકાઈ નથી, ત્યાં હવે પાટનગર ગાંધીનગરમાં વધુ એક પોલીસ હેડ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે. ૨૪ કલાકની અંદર રાજ્યમાં પોલીસકર્મીના આપઘાતની આ ત્રીજી ઘટના છે. મળતી માહિતી મુજબ, ગાંધીનગરના સેક્ટર-૭ પોલીસ ચોકીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલાએ આજે સવારે પોતાના જ ઘરમાં ઉપરના માળે…
૨૬મીએ તિરંગો ફરકાવશો તો ઉડાવી દઈશું.અમદાવાદની જુદી-જુદી શાળાઓને ફરી મળ્યો બોમ્બથી ઉડાવી દેવાનો મેલ.સુરક્ષાને પગલે વિદ્યાર્થીઓને અપાઈ રજા : પોલીસ, બોમ્બ સ્ક્વોર્ડ સહિતની ટીમોએ તપાસ હાથ ધરી.૨૬ જાન્યુઆરી ગણતંત્ર દિવસની ઉજવણી પહેલા જ ગુજરાતની રાજધાની અને મેગા સિટીમાં ધમકીભર્યા મેઈલ મળ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરની અનેક શાળાઓને આજે ખૂલતા દિવસે બોમ્બની ધમકીના મેઈલ મળ્યા હતા. આ સાથે જ તંત્ર દોડતુ થયું હતુ. તો સાથે જ વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવાઈ હતી. મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. તો બીજી તરફ, મેઈલમાં ૨૬ મી જાન્યુઆરીએ તિરંગો ન ફરકાવવાનો ઉલ્લેખ કરાયો છે. અમદાવાદની શાળાઓને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. અમદાવાદ…
આઠમાં પગાર પંચ પર મોટા અપડેટ.પગાર વધારા માટેની માંગણી ફાઈનલ કરવા થશે મોટી બેઠક.કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ સંગઠનોના સભ્યો ૨૫ ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં મળવાના છે.આઠમાં પગાર પંચ અંગે ખુબ ચર્ચાઓ થઈ રહી છે અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ ક્યારે તે લાગૂ થાય તેની રાહ જાેઈ બેઠા છે. આ વખતે પગાર કેટલો વધશે તે સૌથી વધુ ચર્ચામાં છે. પગાર પંચ હેઠળ થતા પગાર વધારામાં જાે સૌથી વધુ કોઈ મહત્વનું પરિબળ હોય તો ફિટમેન્ટ ફેક્ટર છે. હજુ સુધી સરકાર દ્વારા કોઈ જ સત્તાવાર જાહેરાત નથી પરંતુ અલગ અલગ સંસ્થાઓ દ્વારા તેના વિશે અલગ અલગ અનુમાન થઈ રહ્યા છે પરંતુ હવે આ…
સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર ડગમગી ગયું.સપ્તાહના છેલ્લા દિવસે રોકાણકારોને આજે સાત લાખ કરોડનું નુકસાન થયું.શુક્રવારે સેંકસેક્સ ૭૦૦ અંક તૂટીને ૮૧,૫૩૭ તો નિફ્ટી ૨૪૧ અંક તૂટીને ૨૫૦૪૮ અંક પર બંધ થયો, જ્યારે બેન્ક નિફ્ટીમાં ૭૦૦ અંકનો ઘટાડો.ભારતીય શેર બજાર માટે શુક્રવારનો દિવસ અપશુકનિયાળ રહ્યો, સેન્સેક્સ અને નિફ્ટીમાં ૧ ટકાથી વધારેનો ઘટાડો જાેવા મળ્યો, ગુરુવારની તેજી બાદ સપ્તાહના છેલ્લા દિવસે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં કડકો થયો જેમાં રોકાણકારોના ૭ લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. બીજી તરફ બજેટ પહેલા ડોલરની સરખામણીએ રૂપિયો પણ કડડભૂસ થયો છે. રૂપિયો છેલ્લા છ મહિનામાં નીચલી સપાટીએ આવી ૯૧.૯૪ પર સ્થિર થયો છે. આજે દિવસભર દરમિયાન…
ફ્લાઈટોને અસર, મુસાફરો અટવાયા.જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે હિમવર્ષા.હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પર્યટન સ્થળ મનાલીમાં લાંબી રાહ જાેયા બાદ સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ.ઉત્તર ભારતના હવામાનમાં મોટો પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) સક્રિય થવાને કારણે પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)) એ આગામી ૨૪ કલાક માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પર્યટન સ્થળ મનાલીમાં લાંબી રાહ જાેયા બાદ સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે. આજે વહેલી સવારથી જ મનાલી શહેર સફેદ ચાદરથી ઢંકાઈ ગયું હતું. શહેરમાં આશરે બે ઇંચ જેટલો બરફ નોંધાયો છે. જાેકે, હાલમાં નેશનલ હાઈવે…
ઘેર-ઘેર માંદગીના ખાટલા.ઈન્દોર બાદ મઉમાં દૂષિત પાણીનું તાંડવ: ૧૯ બાળકો સહિત ૨૫ બીમાર.નર્મદાના પાણીની પાઈપલાઈન ગટરોની વચ્ચેથી પસાર થતી હોવાને કારણે ગટરની ગંદકી પીવાના પાણીમાં ભળી રહી છે.મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરના ભાગીરથપુરામાં દૂષિત પાણીની ઘટના બાદ હવે જિલ્લાના મઉ તાલુકાના પત્તી બજાર વિસ્તારમાં છેલ્લા ૧૦થી ૧૫ દિવસમાં ૧૯ બાળકો સહિત લગભગ ૨૫ લોકો કમળો (પીળિયો) અને ટાઈફોઈડ જેવી ગંભીર બીમારીઓની ઝપેટમાં આવી ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારના નળોમાં ગંદુ, દુર્ગંધયુક્ત અને ડહોળું પાણી આવી રહ્યું છે. પાણીને ઉકાળ્યા પછી પણ વાસણોના તળિયે કચરો જામી જાય છે. આ ગંભીર પરિસ્થિતિને કારણે…
‘સ્થળાંતર’ શબ્દના ઉપયોગ પર કોર્ટની ટિપ્પણી.SIR અંગે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના ઈરાદાઓ પર ઊઠાવ્યાં સવાલ.વર્ષ ૨૦૦૩ પછી બિહારમાં કોઈ પુનરાવર્તન થયું નથી. અત્યાર સુધી માત્ર ‘સ્વ-ઘોષણા’ના આધારે જ નામો નોંધાતા હતા.બિહારમાં મતદાર યાદીઓના ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ ને લઈને સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના ઈરાદાઓ પર ગંભીર સવાલો ઊઠાવ્યા છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જાેયમલ્યા બાગચીની બેન્ચે પૂછ્યું હતું કે, ‘શું આ કવાયત પાછળનો છૂપો એજન્ડા લોકોની નાગરિકતા ચકાસવાનો હતો?’સુનાવણી દરમિયાન જ્યારે ચૂંટણી પંચે વસ્તી વિષયક ફેરફાર અને સ્થળાંતરનો હવાલો આપ્યો, ત્યારે કોર્ટે ટિપ્પણી કરી કે, ‘એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરવું એ નાગરિકનો બંધારણીય અધિકાર છે. પંચની સૂચનામાં ‘ગેરકાયદે સ્થળાંતર’…
ઈરાનની આકરી ચેતવણી.યુદ્ધના ભણકારા: અમેરિકાનું લિંકન જહાજ ઈરાન સરહદે પહોંચતા તેહરાનમાં હાઈ એલર્ટ.ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડરે જણાવ્યું છે કે દેશમાં તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનો છતાં તેમની સેના સંપૂર્ણ સજ્જ છે અને તેમની “આંગળીઓ અત્યારે ટ્રિગર પર જ છે”.ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. અમેરિકાએ પોતાનું સૌથી શક્તિશાળી જંગી જહાજ ઈરાન સરહદ નજીક તૈનાત કરી દીધું છે, જેના જવાબમાં ઈરાને પણ યુદ્ધની ખુલ્લી ધમકી આપી છે.અમેરિકન નૌકાદળનું સૌથી વિધ્વંસક જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન હવે ઈરાનની સાવ નજીક પહોંચી ગયું છે. આ યુદ્ધ જહાજ માત્ર એક જહાજ નથી, પરંતુ સમુદ્ર પર ચાલતો-ફરતો એક અભેદ કિલ્લો છે.…
ઇન્ડસ્ટ્રીના લોકો તમને એવો અહેસાસ કરાવે છે કે તમે કશું નથી.બોલિવૂડના એક્ટર્સને લોકો અભણ માને છે : સુનિલ શેટ્ટી.સુનિલ શેટ્ટી દિકરા અહાન શેટ્ટીએ તડપ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું, જેમાં તેની સાથે તારા સુતારિયા હતી.જે લોકો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોને અભણ સમજે છે એવા લોકોનો સુનીલ શેટ્ટીએ ખુલ્લેઆમ ઉધડો લીધો છે. સુનિલ શેટ્ટીએ કહ્યું કે આજે પણ લોકો એવું માને છે કે બોલિવૂડના કલાકારોને કંઈ જ ખબર પડતી નથી. જે સંપૂર્ણપણે ખોટું છે. સાથે જ તેમણે ઉદ્યોગમાં નિષ્ફળતાને કેવી રીતે ઉજવવામાં આવે છે, તે મુદ્દે પણ વાત કરી હતી.તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં સુનીલ શેટ્ટીએ પોતાના પુત્ર અહાન શેટ્ટીની પહેલી ફિલ્મ બોક્સ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



