Author: Garvi Gujarat

શિક્ષણની કામગીરીમાંથી છૂટછાટ આપવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.શિક્ષણ સમિતિના BLO શિક્ષકો ફેબ્રુઆરી સુધી શાળામાં શિક્ષણ માટે નહીં આવી શક.બી.એલ.ઓ.ની કામગીરીને અગ્રીમતા આપી હોવાથી હવે શિક્ષકો વર્ગખંડના બદલે ફેબ્રુઆરી સુધી મતદાર યાદી સુધારણા માટે કામગીરી કરતા નજરે પડશે.ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ તારીખમાં ફેરફાર કરી નવો શિડ્યુલ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની આખરી તારીખ ૧૪ ફેબ્રુઆરી જાહેર કરવામાં આવી છે. જેના કારણે બી.એલ.ઓ તરીકે નિમણુંક પામેલા કર્મચારીઓને શિક્ષણની કામગીરીમાંથી છૂટછાટ આપવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. બી.એલ.ઓ.ની કામગીરીને અગ્રીમતા આપી હોવાથી હવે શિક્ષકો…

Read More

CPનો વેપારીઓ સાથે સંવાદ.ભદ્રમાં ટ્રાફિકની વ્યાપક ફરિયાદો બાદ પોલીસ કમિશનર એક્શન મોડમાં.લાંબા સમયથી સતાવતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિકે આજે જાતે મુલાકાત લીધી હતી.અમદાવાદના હાર્દ સમાન ભદ્ર પ્લાઝા વિસ્તારમાં લાંબા સમયથી સતાવતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિકે આજે જાતે મુલાકાત લીધી હતી. ગુજરાત હાઈકોર્ટના કડક આદેશ બાદ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત કામગીરી કરી રસ્તા પરના પાથરણાવાળાને દૂર કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું કે પાથરણાવાળા હટ્યા બાદ હવે વાહન વ્યવહાર કેટલો સુગમ બન્યો છે. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક વેપારીઓ સાથે પણ સંવાદ કર્યો હતો…

Read More

ડ્રાફ્ટ યાદીમાં નામ ન હોય તે લોકો માટે ખાસ સમાચાર.અમદાવાદ જિલ્લામાં ચાર દિવસ વિશેષ કેમ્પનું આયોજન.યાદીમાં નામ નોંધાવવા અને સુધારવાના કામ થઈ શકશેઅમદાવાદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(જીૈંઇ)નો બીજાે તબક્કો હાલ ચાલી રહ્યો છે. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી તા.૨૭, ૨૮ ડિસેમ્બર તેમજ તા. ૩, ૪ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી જિલ્લાનાં તમામ ૫૫૨૪ મતદાન મથકો પર વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧-૧-૨૦૨૬ની લાયકાતની તારીખે ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SIR)ની બીજા તબક્કાની કામગીરી હાલ પ્રક્રિયામાં છે. જેમાં મતદારો પોતાના…

Read More

સ્ટ્રેચર પર હોસ્પિટલ લઈ જવાયો.વિજય હજારે ટ્રોફીની મેચમાં રોહિત શર્માનો સાથી ખેલાડી ઈજાગ્રસ્ત.સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મુંબઈનો યુવા ક્રિકેટર કેચ પકડવાના પ્રયાસમાં અંગકૃષ રઘુવંશી ઈજાગ્રસ્ત થયો.વિજય હજારે ટ્રોફીમાં આજે મુંબઈ અને ઉત્તરાખંડની ટીમ વચ્ચે મેચ રમાઈ. જયપુરમાં રમાતી આ મેચમાં મોટી દુર્ઘટના થઈ હતી. સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મુંબઈનો યુવા ક્રિકેટર અંગકૃષ રઘુવંશી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો. જે બાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ૨૧ વર્ષના અંગકૃષ રઘુવંશી બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે તનુષ કોટિયનની ઓવર દરમિયાન ઉત્તરાખંડના બેટર સૌરભ રાવતે સ્લોગ સ્લીપ રમવા પ્રયાસ કર્યો. જે બાદ અંગકૃષ કેચ પકડવા દોડ્યો અને પણ પ્રયાસ સફળ ન…

Read More

આપણે સૌ એક જ સપનું જાેઈએ છીએ કે, તેનો નાશ થાય.ઝેલેન્સ્કીની ક્રિસમસ વિશ રાષ્ટ્રપતિ પુતિનનું મોત માગ્યું.યુક્રેનિયન રાષ્ટ્રપતિએ ક્રિસમસની શુભેચ્છા પાઠવતા લોકોને મુશ્કેલીના આ સમયમાં એકજૂથ રહેવાની અપીલ પણ કરી.છેલ્લાં ચાર વર્ષથી રશિયા સામે લડી રહેલાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ ક્રિસમસની ઉજવણી ટાણે દેશવાસીઓ માટે એક સંદેશ જાહેર કર્યાે છે. ઝેલેન્સ્કીએ જારી કરેલાં આ વિડીયો સંદેશમાં તેમણે યુદ્ધનો સામનો કરી રહેલા દેશના નાગરિકોનો ઉત્સાહ વધારવાની સાથે સાથે જ સાંતા ક્લોઝ પાસે પોતાના કટ્ટર દુશ્મન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના મોત માગ્યું છે. ઝેલેન્સ્કીનો આ વિડીયો સંદેશ વાયરલ થયો છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિએ ક્રિસમસની શુભેચ્છા પાઠવતા લોકોને મુશ્કેલીના આ સમયમાં એકજૂથ રહેવાની અપીલ…

Read More

લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા.કચ્છમાં વહેલી સવારે ૪.૪ ની તીવ્રતા ભૂકંપનો આંચકો આવ્યો.સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી ફરી ફોલ્ટલાઈન સક્રિય થઈ હોય તેમ ભૂકંપના હળવા આંચકા નોંધાઈ રહ્યા છે.ગુજરાતના કચ્છમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સવારે ૪. ૩૦ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૪ નોંધવામાં આવી છે. આ ભૂકંપના આંચકાના લીધે લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી ૧૦ કિલોમીટર નીચે હતું. ભૂકંપના આંચકાના લીધે જાનમાલના નુકસાનના કોઈ માહિતી નથી.આ ઉપરાંત ૨૪ ડિસેમ્બરના રોજ પણ ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની રિક્ટર સ્કેલ…

Read More

રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાલક્ષી, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા પહોંચાડવા એસ.ટી નિગમ અનેક નવતર પ્રયાસો હાથ ધર્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ એસ.ટી નિગમને બસમાં મુસાફરીની સુવિધાની સાથે-સાથે નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે સતત દિશાનિર્દેશન કર્યું છે. એસ.ટી નિગમ દ્વારા મુસાફરોને વિમાન અને રેલવેની જેમ હવે બસોમાં તેમની સીટ ઉપર ફૂડ આપવાનો ‘ON DEMAND PACKED FOOD-FOOD ON BUS’ નવીન પ્રોજેકટ હાથ ધરાશે. આ પ્રોજેકટ અંતર્ગત નિગમની એક્સપ્રેસ બસોમાં સંચાલિત રૂટમાં પેસેન્જરોને ચાલુ બસે (FOOD ON BUS) પેકડ ફૂડ મળી રહે છે. આ સેવાથી નિગમની નોન ટ્રાફિક આવકમાં પણ વધારો…

Read More

દીકરા સાથે કર્યો જાેરદાર ડાન્સ.ભાઇનાં લગ્નમાં હૃતિક રોશને જમાવી મહેફિલ.આ ખાસ અવસર પર હૃતિક રોશનની સાથે એનો દીકરો રેહાન રોશન અને ઋદાન રોશન પણ જાેવા મળ્યાં હતા.હૃતિક રોશને કઝિન ભાઇ ઇશાન રોશનનાં લગ્નમાં ડાન્સ કરીને ધૂમ મચાવી દીધી છે. જાે કે લગ્નનાં સેલિબ્રેશનની અનેક તસવીરો અને વીડિયો સામે આવ્યાં છે. હૃતિક રોશન પૂરાં પરિવાર સાથે જાેવા મળ્યો. જાે કે એક્ટરનાં ડાન્સનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.બોલિવૂડ અભિનેતા હૃતિક રોશન હાલમાં એની કઝિન ઇશાન રોશનનાં લગ્નને એન્જાેય કરી રહ્યાં છે. પૂરા પરિવાર સાથે હૃતિક રોશન જાેવા મળ્યો. જાે કે આ લગ્નમાં હૃતિક રોશન કંઈક અલગ જ અંદાજમાં જાેવા મળ્યો. એક્ટરે ડાન્સ…

Read More

કેરિયરમાં પહેલીવાર ખલનાયિકાના રોલમાં.૫૫ વર્ષની શબાના આવારાપન ટુમાં નેગેટિવ રોલ કરશે.શબાના થોડા સમય પહેલાં ‘ડબ્બા કાર્ટેલ’ નામની ઓટીટી સીરિઝમાં ડ્રગના ધંધામાં સંડોવાયેલી વૃદ્ધાનો રોલ કરી ચૂકી છે.૫૫ વર્ષીય અભિનેત્રી શબાના આઝમી કારકિર્દીમાં પ્રથમ વખત ‘આવારાપન ટુ’માં ખલનાયિકાના રોલમાં જાેવા મળશે. શબાના હાલ અન્ય એક પ્રોજેક્ટ માટે લંડનમાં શૂટિંગ કરી રહી છે. ત્યાં એક વાતચીત દરમિયાન તેણે જણાવ્યું હતું કે કારકિર્દીમાં ક્યારેય મેં ખલનાયિકાનો રોલ કર્યાે ન હતો. કોઈ નેગેટિવ કેરેક્ટર ભજવવાની મારી વર્ષાેથી ઈચ્છા હતી. તે હવે આ ફિલ્મ સાથે પૂર્ણ થઈ રહી છે. શબાનાએ કહ્યું હતું કે તેણે વર્ષાે પહેલાં બી. આર. ઈશારાની એક ફિલ્મમાં પોતાના સાવકા પુત્રની હત્યા…

Read More

બોયફ્રેન્ડ પર ચપ્પુના ઘા ઝીંકી હત્યાની આશંકા.ધ લાયન કિંગ ફેમ અભિનેત્રી ઈમાની દિયા સ્મિથનું નિધન.ઈમાની તેના પરિવારમાં કમાણી કરનાર એકમાત્ર વ્યક્તિ હતી. તેના નિધન બાદ તેનો ૩ વર્ષનો પુત્ર, માતા-પિતા અને બે ભાઈ-બહેન નિરાધાર થયા.હોલિવૂડ અને બ્રોડવેની જાણીતી બાળ કલાકાર અને ડિઝનીની ‘ધ લાયન કિંગ’માં ‘યંગ નાલા’નું પાત્ર ભજવીને ખ્યાતિ મેળવનાર ઈમાની દિયા સ્મિથની કરુણ હત્યા કરવામાં આવી છે. માત્ર ૨૫ વર્ષની વયે ઈમાની પર તેના જ બોયફ્રેન્ડ દ્વારા ચપ્પુના અનેક ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે.અહેવાલો અનુસાર, ૨૧ ડિસેમ્બરે સવારે ૯:૧૮ વાગ્યે પોલીસને ૯૧૧ પર એક કોલ મળ્યો હતો, જેમાં કોઈના પર ચપ્પુથી હુમલો થયો હોવાની જાણકારી…

Read More