- અમેરિકાને ઇરાનની ધમકી: હુમલો થયો તો બનાવશું પરમાણુ બોમ્બ, મધ્યપૂર્વમાં તણાવ વધ્યો
- NCRB રિપોર્ટમાં ખુલાસો: ગુજરાતમાં 3 વર્ષમાં 1069 કરોડની ચોરી, માત્ર 221 કરોડ જ રિકવર થયા
- ટ્રમ્પની ચીન મુલાકાત પહેલાં કુવૈતનો ઈરાન પર હુમલાનો આરોપ, પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો
- પીએમ મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચત અભિયાન તેજ, CM કાફલામાં ઘટાડો
- ‘ચાંદ મેરા દિલ’નું ટ્રેલર રિલીઝ, અનન્યા પાંડે-લક્ષ્યની ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક
- અક્ષય કુમાર-અનીસ બઝમીની નવી ફેમિલી કોમેડી ડિસેમ્બર 2026માં રિલીઝ થશે
- ‘દ્રશ્યમ 3’ 21 મેના રોજ રિલીઝ થશે, હિન્દી વર્ઝન 2 ઑક્ટોબરે; કહાનીમાં હશે નવો ટ્વિસ્ટ
- ‘ધ રોયલ્સ’ સિઝન 2માં મોટો ફેરફાર, ભૂમિ પેડનેકરે શો છોડ્યો; હવે રાજપરિવારની કહાની પર ફોકસ
Author: Garvi Gujarat
તળાવમાંથી પાણીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા હતાઅસારવા તળાવમાં માછલીઓનાં મોત બાદ કેમિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવીસમગ્ર તળાવમાં લીલા કલરનું પાણી થઈ ગયું હોવાથી વધુ માછલીઓના મોત ન થાય તે માટે ટ્રીટમેન્ટ કરવામાં આવીઅસારવા તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓનાં મોત બાદ અમદાવાદ મ્યુનિ. કોર્પાેરેશને કેમિકલ ટ્રીટમેન્ટ કરી છે. આ ટ્રીટમેન્ટના કારણે તળાવમાં લીલ જામતી અટકશે અને જૈવિક બેક્ટેરિયા થશે, જેની મદદથી તળાવમાં રહેલી માછલીઓને પુરતા પ્રમાણમાં ઓક્સિજન ઉપલબ્ધ થશે. અસારવા તળાવમાં છેલ્લા એક સપ્તાહમાં અનેક માછલીઓના મોત થતા તંત્ર દોડતું થયું હતું. તળાવમાં કેમિકલયુક્ત પાણી હોવાના પગલે માછલીઓના મોત નિપજ્યા હોવાના આક્ષેપ વચ્ચે સેમ્પલ લેવાની કામગીરી પણ કરાઈ હતી. જાેકે, તળાવમાં…
મામા-ફોઇના સંતાનોએ તરકટ રચ્યુંગોંડલમાં એક જ પ્લોટના ૨ દસ્તાવેજ કરી છેતરપિંડી આચરીરેવન્યુ રેકોર્ડમાં તપાસ કરી ગુંદાળા ગામની મહિલાએ વારસાઇ નોંધ કરાવવા માટે પ્રક્રિયા કરતાં ભાંડો ફૂટયોગોંડલનાં વાછરા રોડ ઉપર આવેલ ખેતીની જમીન બીનખેતી થયાં બાદ વિ.કે.નગર નામ ઓળખ આપી પ્લોટો પાડી મામા ફોઈના સંતાનોએ કુલમુખત્યાર અને માલિક દરજ્જે એકજ પ્લોટનું બે વાર વેચાણ દસ્તાવેજ કરી આપતાં કરતુત બહાર આવ્યું હતું. જે અંગેની સીટી પોલીસ સ્ટેશનમાં લેખીત ફરિયાદ આપતાં તપાસનો ધમધમાટ શરૃ થવા પામ્યો છે.ગોંડલના ગુંદાળા ગામે રહેતા રંજનબેન રાજુભાઇ પાટડીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પિતા બચુભાઈ ગગજીભાઈ મકવાણાએ દેવરાજભાઈ પરબતભાઈ કાથરોટીયા પાસેથી તા.૧૯/૧૨/૨૦૦૦નાં રોજ વાછરા રોડ ઉપર આવેલ વિ.કે.નગરમા…
૭૨ હજાર લોકોના રૂ.૬૭૮ કરોડ ચાંઉગુજરાતમાં ૯ મહિનામાં સાયબર ફ્રોડના ૧.૪૨ લાખ ફોન કોલ!સાયબર ક્રિમીનલ્સ માફિયાઓની જાળમાં ફસાઈ જનારાં લોકોને વિગતો આપવા કે ટ્રાન્સફર કરવા માટે મજબૂર કરવામાં આવે છેઓનલાઈનના જમાનામાં સાયબર ક્રાઈમ નિરંકુશ બની ચૂક્યું છે. જનજાગૃતિના અનેક પ્રયાસો અને ઓનલાઈન ચીટિંગ કરતી અને ગુજરાત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગેંગ પકડાવા છતાં ગુજરાતમાં સાયબર ક્રાઇમ અંકુશમાં આવી શક્યું નથી. વર્ષ ૨૦૨૫ના જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના નવ જ મહિનામાં ગુજરાતના ૧.૪૨ લાખ લોકોને સાયબર ચીટિંગ કરતી ટોળકીઓએ ઠગાઈ માટે કોલ કર્યાં હતાં. આ લોકોમાંથી અડધા એટલે કે કુલ ૭૨,૦૬૧ નાગરિકોએ ૬૭૮ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ પૈકીના અડધોઅડધ લોકો યા તો છેતરાયા…
કોન બનેગા કરોડપતિ માં ભાગ લઇકરોડપતિ બનવા અંકલેશ્વરના ૧૧ વર્ષીય કિશોરે ઘર છોડ્યુંમુંબઈ જવા ઘર છોડ્યું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બાળકને અપહરણ અંગે નો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી. કોન બનેગા કરોડપતિ માં ભાગ લઇ કરોડપતિ બનવા અંકલેશ્વરના ૧૧ વર્ષીય કિશોરે ઘર છોડ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા એક મહિનાથી કોન બનેગા કરોડપતિ જાેઈ રહ્યો હતો.એક ગુજરાતી બાળક જીતતા તેને પણ ભાગ લેવા ની જીદ પકડી મુંબઈ જવા ઘર થી ભાગ્યો કે કોઈએ અપહરણ કર્યું હોવાનું પરિવાર નું અનુમાન છે. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.વાલીઓ માટે લાલબત્તી જેવો કિસ્સો સામે આવ્યો છે.…
‘થામા’ના અંતે જાેવા મળી ‘શક્તિ શાલિની’ની ઝલકઅનીત પડ્ડાનો ‘થામા’માં પોતાનું નામ અને ટીઝર જાેઈને ખુશ થતો વીડિયો વાયરલથોડા દિવસો પહેલાં આયુષ્યમાન ખુરાનાએ પણ અનીતનું મેડોકના હેરોર કોમેડી યુનિવર્સમાં સ્વાગત કર્યું હતુંઅનીત પડ્ડા મોહિત સુરીની ફિલ્મ ‘સૈયારા’થી રોતારાત સ્ટાર બની ગઈ છે. તાજેતરમાં જ તે મેડોકની ‘શક્તિ શાલિની’માં લીડ રોલ કરતી હોવાની જાહેરાત થઈ છે. મેડોકના હોરર કોમેડી યુનિવર્સનું આગામી મોટું પ્રકરણ શક્તિ શાલિની છે. ત્યારે અનીત પડ્ડાના આ પાત્રની ઝલક ‘થામા’માં છેલ્લે પોસ્ટ ક્રેડિટમાં આપવામાં આવી છે. ૨૧ ઓક્ટોબરે દિવાળી નિમિત્તે ‘થામા’ રિલીઝ કરવામાં આવી છે. ત્યારે હવે અનીત પડ્ડાનો એક વીડિયો વાયરલ થયો છે, તે થિએટરમાં બેસીને ‘થામા’માં તેનું…
બેંક દ્વારા NPA નિયમોનું ઉલ્લંઘનઅર્બન કો-ઓપરેટિવ બેંકને RBI ના આદેશોનું પાલન ન કરતા ૨.૫ લાખનો દંડબેંક દ્વારા આપવામાં આવેલો નોટિસનો જવાબ રિઝર્વ બેંકને સંતોષજનક ન જણાતા બેંક સામે આખરે કડક નાણાકીય પગલાં લેવામાં આવ્યા છભારતીય રિઝર્વ બેંક (RBI) એ સહકારી બેંકો પર નિયમનકારી દેખરેખ વધુ કડક બનાવી છે. આ જ ક્રમમાં મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક પર ફરી એકવાર ૨.૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરબીઆઈ દ્વારા આ પગલું બેંક દ્વારા તેના આદેશોનું અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની જાેગવાઈઓનું સતત પાલન ન કરવા બદલ લેવામાં આવ્યું છે, જે બેંકિંગ વ્યવસ્થામાં ગંભીર ચિંતાનો વિષય છે.આ દંડનું મુખ્ય કારણ એ છે કે બેંકના અધિકારીઓએ…
સરકાર નથી આપી રહી મંજૂરીગુજ. યુનિ.માં અધ્યાપકોની ૧૧૦ જગ્યા ખાલી પરંતુ ભરતીના કોઈ ઠેકાણા નહીંયુનિવર્સિટી દ્વારા નવી જગ્યાઓ સાથે ખાલી જગ્યાઓ ભરવાની-ભરતી કરવીની મંજૂરી માંગી છે, પરંતુ હજુ સુધી સરકારે પણ મંજૂરી આપી નથીગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા અનેક વર્ષોથી ટીચિંગ અને નોન ટીચિંગ પોસ્ટની કામયી ભરતી જ થઈ નથી. છેલ્લા કેટલાક વર્ષોથી હંગામી ધોરણે કરાર આધારીત જગ્યાઓ ભરીને ટીચિંગ અને નોન ટીચિંગમાં કામગીરી ચલાવવામા આવી રહી છે. હાલ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપકોની એટલે કે શૈક્ષણિકની ૧૧૦ જગ્યાઓ ખાલી છે. ૫૦ ટકાથી વધુ જગ્યાઓ ખાલી હોઈ નેકની ટીમે પણ આ વર્ષે ઈન્સપેકશન બાદ આપેલા રિપોર્ટમાં જગ્યાઓ ખાલી હોવા મુદ્દે નોંધ કરી હતી. યુનિવર્સિટી…
બે દાયકાના યાદગાર કરિયરનો અંતરોહન બોપન્નાએ ટેનિસથી નિવૃત્તિની જાહેરાત કરીબોપન્નાએ X પર એક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી, જેમાં તેમણે પોતાના ૨૦ વર્ષના લાંબા કરિયરનો અંત જાહેર કયાભારતીય ટેનિસના દિગ્ગજ ખેલાડી રોહન બોપન્નાએ પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી છે. તેમણે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થયા બાદ હવે એમેચ્યોર ટેનિસમાંથી નિવૃત્તિ લીધી છે, જ્યાં ખેલાડી દેશનું પ્રતિનિધિત્વ કરે છે. બોપન્નાએ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી, જેમાં તેમણે પોતાના ૨૦ વર્ષના લાંબા કરિયરનો અંત જાહેર કર્યો. બોપન્નાએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં પોસ્ટ શેર કરતા લખ્યું કે, “આ અલવિદા નથી, આ આભાર છે. જે વસ્તુએ મારા…
CM વિજયનની જાહેરાત બાદ વિપક્ષનું વૉકઆઉટઅત્યંત ગરીબીથી મુક્ત થયું કેરળ : મુખ્યમંત્રી વિજયનકેરળમાં બોલાવવામાં આવેલા વિધાનસભાના એક વિશેષ સત્રમાં મુખ્યમંત્રીએ આ સિદ્ધિની જાહેરાત કરી હતીકેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને શનિવારે (૧ નવેમ્બર) વિધાનસભામાં જાહેરાત કરી કે, રાજ્ય હવે અત્યંત ગરીબીથી મુક્ત થઈ ગયું છે. કેરળના સ્થાપના દિવસ, કેરળ પિરવીના અવસરે બોલાવવામાં આવેલા વિધાનસભાના એક વિશેષ સત્રમાં મુખ્યમંત્રીએ આ સિદ્ધિની જાહેરાત કરી હતી. જાેકે, કોંગ્રેસના નેતૃત્વ હેઠળના વિપક્ષ યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)એ રાજ્ય સરકારના આ દાવાને બનાવટી અને ખોટું કહીને સત્રનો બહિષ્કાર કરી દીધો હતો. વિશેષ વિધાનસભા સત્ર શરૂ થતાં જ, વિપક્ષના નેતા વી.ડી. સતીસને કહ્યું કે, નિયમ ૩૦૦ દ્વારા મુખ્યમંત્રીનું નિવેદન…
IMDએ બે દિવસ ભારે વરસાદની કરી આગાહીગુજરાતના ૧૬ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયુંરાજ્યના ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદની આગાહીચક્રવાત મોન્થાની અસર ઓછી થતાં, ગુજરાતમાં વરસાદ ધીમે ધીમે ઓછો થયો છે અને આગામી બે થી ત્રણ દિવસમાં સંપૂર્ણપણે બંધ થવાની ધારણા છે. જાેકે, હવામાન વિભાગે શનિવાર અને રવિવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કરીને ગુજરાતના ૧૬ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે આ ૧૬ જિલ્લાઓમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેરા, આણંદ, મહિસાગર, પંચમહાલ, વડોદરા, દાહોદ અને છોટા ઉદેપુરનો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



