Author: Garvi Gujarat

મોબાઈલ એપ કે વેબ પોર્ટલ દ્વારા ડેટા કલેક્ટ થશે.૨૦૨૭ની વસતી ગણતરી સંપૂર્ણ ડિજિટલી કરાશે.સાંસદ સનાતન પાંડેના લેખિત પ્રશ્નનો જવાબ આપતા મંત્રી રાયે જણાવ્યું કે, ડિજિટલ પોર્ટલ તૈયાર થઈ રહ્યું છે.કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૭ની રાષ્ટ્રીય વસ્તી ગણતરી ડિજિટલ માધ્યમથી કરવાનો ર્નિણય લીધો છે. મંગળવારે લોકસભામાં આ અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે, ભારતના ઇતિહાસમાં આ પ્રથમ વખત હશે જ્યારે વસ્તી ગણતરી પરંપરાગત કાગળ આધારિત ફોર્મ્સને બદલે મોબાઇલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ દ્વારા પૂર્ણ કરવામાં આવશે. સાંસદ સનાતન પાંડેના લેખિત પ્રશ્નનો જવાબ આપતા મંત્રી રાયે જણાવ્યું કે, વસ્તી ગણતરી માટે એક વિશેષ ડિજિટલ પોર્ટલ તૈયાર કરવામાં…

Read More

આર્થિક નુકસાનીનો આંકડો ૧૦૦૦ કરોડને પાર!.ઇન્ડિગો સંકટને કારણે દિલ્હીને મોટો ઝટકો.ઇન્ડિગો એરલાઇન્સમાં ફ્લાઇટ કેન્સલેશનના સંકટને કારણે દિલ્હીના વેપાર, પર્યટન અને અન્ય ક્ષેત્રોને મોટો ફટકો પડ્યો છ..ઇન્ડિગો એરલાઇન્સમાં ફ્લાઇટ કેન્સલેશનના સંકટને કારણે દિલ્હીના વેપાર, પર્યટન અને અન્ય ક્ષેત્રોને મોટો ફટકો પડ્યો છે. ચેમ્બર ઑફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી(CTI)ના ચેરમેન બ્રિજેશ ગોયલના મતે, ઇન્ડિગોની આ સમસ્યાને કારણે દિલ્હીના વેપાર, પર્યટન અને અન્ય ક્ષેત્રોને આશરે રૂ.૧૦૦૦ કરોડના કારોબારનું નુકસાન થયું છે. ગોયલે જણાવ્યું કે ઇન્ડિગો સંકટને કારણે છેલ્લા ૧૦ દિવસમાં દિલ્હીમાં બહારથી આવતાં લોકોની સંખ્યા(FoOfall)માં ૨૫ ટકા જેટલો મોટો ઘટાડો થયો છે. આના પરિણામે અહીંની હોટેલો, રેસ્ટોરન્ટ્સ, બેન્ક્વેટ્સ અને રિસોર્ટ્સના હજારો બુકિંગ રદ થઈ…

Read More

૨૦૩૦ સુધી ૧૦ લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો.અમેઝોન ભારતમાં ૩.૧૪ લાખ કરોડનું કરશે રોકાણ.કંપની ભારતમાં AI-આધારિત ડિજિટાઇઝેશન, નિકાસ વૃદ્ધિ અને રોજગાર સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરશ.ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોન ૨૦૩૦ સુધીમાં ભારતમાં તેના તમામ બિઝનેસ સેગમેન્ટમાં આશરે રૂ.૩.૧૪ લાખ કરોડનું જંગી રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ જાહેરાત કંપનીના એમેઝોન સંભવ શિખર સંમેલન દરમિયાન કરવામાં આવી હતી. એમેઝોનના ઇમર્જિંગ માર્કેટ્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે કંપની ભારતમાં છૈં-આધારિત ડિજિટાઇઝેશન, નિકાસ વૃદ્ધિ અને રોજગાર સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરશે. અગ્રવાલના મતે, એમેઝોન તેના પ્લેટફોર્મ દ્વારા ભારતમાંથી નિકાસને વર્તમાન $૨૦ બિલિયનથી વધારીને $૮૦ બિલિયન કરવાનો લક્ષ્ય રાખે છે. કંપની ૨૦૩૦…

Read More

કોણ બનશે PM મોદીના ઉત્તરાધિકારી?.ભાજપ અને મોદીજી પરસ્પર ચર્ચા કરશે અને ર્નિણય લેશે : ભાગવત.ચેન્નાઈમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી વર્ષ સમારોહ અવસરે ચેન્નાઈમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે મહત્વપૂર્ણ સવાલોના જવાબ આપ્યા. એક સવાલના જવાબમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી બાદ દેશના પ્રધાનમંત્રી પદની કમાન કોને સોંપવામાં આવશે તો ભાગવતે કહ્યું કે તેના પર ભાજપ અને મોદીજી પરસ્પર ચર્ચા કરશે અને કોઈ ર્નિણય લેશે. ભાગવતે આ અવસરે તમિલનાડુમાં આરએસએસની મર્યાદિત ઉપસ્થિતિ ઉપર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે તમિલનાડુમાં…

Read More

કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી.દેશભરના CGHS અને ECHS લાભાર્થીઓને ફાયદો.તમામ ખાનગી હોસ્પિટલોએ ફરીથી ડિજિટલ અરજી કરીને પેનલ પર જળવાઈ રહેવાની પ્રક્રિયા પૂરી કરવી પડશે.કેન્દ્ર સરકારે CGHS અને ECHS સંલગ્ન નિયમોમાં મોટો ફેરફાર કરતા નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે. રક્ષા મંત્રાલયે ૧૫ ડિસેમ્બર ૨૦૨૫થી સંશોધિત CGHS/ECHS રેટ્સ લાગૂ કરવાના આદેશ બહાર પાડ્યા છે. આ સાથે જ વર્તમાન તમામ કરાર (MoA) આ જ તારીખની મધરાતથી રદ ગણાશે. એટલે કે હવે તમામ ખાનગી હોસ્પિટલોએ ફરીથી ડિજિટલ અરજી કરીને પેનલ પર જળવાઈ રહેવાની પ્રક્રિયા પૂરી કરવી પડશે. જે હોસ્પિટલ સમય પર અંડરટેકિંગ નહીં જમ કરે તેમને આપોઆપ ડિપેનલ્ડ ગણવામાં આવશે. સરકારના આ ર્નિણયની…

Read More

ભારત માટે ગૌરવની ક્ષણ.દિવાળી યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ થઈઆ ઐતિહાસિક ર્નિણય દિલ્હી સ્થિત લાલ કિલ્લામાં આયોજિત યુનેસ્કોની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો.ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા અને મહત્ત્વપૂર્ણ પર્વ દિવાળીને વૈશ્વિક સ્તરે એક મોટી ઓળખ મળી છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કો (UNESCO) એ દિવાળીના તહેવારને પોતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરી લીધો છે. આ ઐતિહાસિક ર્નિણય દિલ્હી સ્થિત લાલ કિલ્લામાં આયોજિત યુનેસ્કોની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો, જે ભારત માટે એક અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતમાં યુનેસ્કોની આ પ્રકારની બેઠકનું આયોજન થયું હોય, અને આ જ બેઠકમાં ભારતીય સંસ્કૃતિની ઓળખ એવા દિવાળી પર્વને…

Read More

દિલ્હીમાં પ્રદૂષણ રોકવા સરકારનો મોટો ર્નિણય.હોટલ-રેસ્ટોરન્ટમાં કોલસો-લાકડા બાળવા પર રૂપિયા ૫૦૦૦નો દંડ.વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવા વાયુ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, ૧૯૮૧ હેઠળ આ આદેશ કરાયો.દિલ્હીમાં પ્રદૂષણ રોકવા સરકાર અનેક નવતર પ્રયોગ કરી રહી છે. હવે દિલ્હી સરકારની પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સમાં તંદૂરમાં પણ કોલસો-લાકડા બાળવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવા વાયુ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, ૧૯૮૧ હેઠળ આ આદેશ કરાયો છે. આ સાથે તમામ હોટલ સંચાલકોને સ્પષ્ટ નિર્દેશ કરાયો છે કે, હવે તેમણે માત્ર ઇલેક્ટ્રિક કે ગેસ આધારિત તંદૂર અથવા અન્ય સ્વચ્છ ઇંધણ(Clean Fuel)ના વિકલ્પોનો જ ઉપયોગ કરવો પડશે. એટલું જ નહીં, જાે…

Read More

લોકસભામાં બોલ્યા કંગના રનૌત.વડાપ્રધાન મોદી EVM નહીં, દિલ હેક કરે છે.કંગનાએ વિપક્ષ દ્વારા જીૈંઇ વિરુદ્ધના સૂત્રોચ્ચાર અને વિપક્ષ દ્વારા હોબાળાને યાદ કરી ભાષણની શરૂઆત કરી.લોકસભામાં આજે શિયાળુ સત્રનાં સાતમાં દિવસે સાંસદ કંગના રનૌતે ચૂંટણી સુધારાઓ પર બોલતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવાની સાથે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કહ્યું કે, સંસદમાં આ વર્ષે યોજાયેલા તમામ સત્રો વિપક્ષના હંગામા વચ્ચે વિત્યા છે, તેથી નવા સાંસદ તરીકેનો મારો આ અનુભવ ચિંતાજનક છે. તેમણે વિપક્ષ દ્વારા વિવાદો, સૂત્રોચ્ચાર અને ગૃહની કાર્યવાહી અટકાવવાની રીતોને લોકશાહી વિરુદ્ધની ગણાવી છે. વિપક્ષ દ્વારા ઈવીએમ હેક કરવાના આક્ષેપોનો જવાબ આપતા કંગનાએ કહ્યું…

Read More

ભારત શ્રેણીમાં ૧-૦થી આગળ.હાર્દિકની ફિફ્ટી બાદ બોલર્સ છવાયા, ભારતે આફ્રિકાને ૧૦૧ રને કચડ્યું.પ્રથમ ટી૨૦માં ભારતના ૧૭૬ રનના ટારગેટ સામે દક્ષિણ આળિકા ૭૪માં ખખડ્યું, હાર્દિકનું ધમાકેદાર પુનરાગમન.હાર્દિક પંડ્યાએ ઝંઝાવાતી ફિફ્ટી ફટકારવાની સાથે ભરાતીય ટીમમાં ઓલરાઉન્ડ દેખાવ સાથે શાનદાર કમબેક કર્યું હતું. દક્ષિણ આફ્રિકા સામે અહીં રમાયેલી પ્રથમ ટી૨૦ ક્રિકેટ મેચમાં ભારતનો ૧૦૧ રને દબદબાભર્યાે વિજય રહ્યો હતો. ભારતીય ટીમની ડામાડોળ શરૂઆત બાદ હાર્દિક પંડ્યાએ ૫૯ રનની અણનમ ઈનિંગ્સ રમતા ભારત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૭૫ રનનો મજબૂત સ્કોર રજૂ કરી શક્યું હતું. જવાબમાં દક્ષિણ આફ્રિકાની સમગ્ર ટીમ ૧૨.૪ ઓવરમાં ૭૪ રનમાં જ ખખડતાં ભારતે શ્રેણીનો વિજયી પ્રારંભ કર્યાે હતો. પાંચ ટી૨૦…

Read More

જાપાનના અધિકારીઓ પર ૨૦૧૧ની સુનામીનો ડર હજુયે યથાવત.જાપાનમાં ૯૮ ફૂટ ઊંચી સુનામીની ચેતવણી, ૨ લાખ લોકોને જીવનું જાેખમ.હાલ ૧૮૨ નગરપાલિકાઓને સૂચના અપાઈ છે. આ તાજેતરના વર્ષોમાં જાહેર કરાયેલી વ્યાપક ભૌગોલિક ચેતવણીઓ પૈકીની એક છે.જાપાન તાજેતરના દિવસોમાં ભૂકંપ અને સુનામીના સંકટનો સામનો કરી રહ્યું છે. આ દરમિયાન, મંગળવારે મેગાક્વેક એડવાઇઝરી જાહેર કરાઈ છે. તેને એક રેર એડવાઇઝરી કહેવામાં આવે છે. ઓમોરીના પૂર્વ તટ પર ૭.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા પછી આ ચેતવણી જાહેર કરાઈ છે.આ ભૂકંપથી વધારે નુકસાન થયું ન હતું, પરંતુ અધિકારીઓના આશંકા છે કે આવનારા દિવસોમાં ખતરો વધી શકે છે. જેના કારણે આ ચેતવણી જાહેર કરાઈ છે. જાે અહીં સુનામી…

Read More