Author: Garvi Gujarat

સરકારી કર્મચારીઓ-પેન્શનધારકોને દિવાળી ભેટ મળી.દિવાળીના તહેવાર નિમત્તે કર્મચારીઓનો પગાર વહેલો થશે.૧૪, ૧૫, ૧૬ ઓક્ટો. દરમિયાન તબક્કાવાર કર્મચારીઓના ખાતામાં પગાર અને પેન્શન જમા કરી દેવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ વર્ષે દિવાળીનો તહેવાર ૨૦ ઓક્ટોબરના રોજ છે. જેથી સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનર્સને રાહત આપવામાં આવી છે. કર્મચારીઓનો પગાર અને તેમનું પેન્શન દિવાળી પહેલાં જ આપી દેવામાં આવશે. જેથી કર્મચારીઓની દિવાળી આ વખતે સુધરી ગઈ છે. સરકાર દ્વારા આગામી ૧૪, ૧૫ અને ૧૬ ઓક્ટોબર દરમિયાન તબક્કાવાર કર્મચારીઓના ખાતામાં પગાર અને પેન્શન જમા કરી દેવામાં આવશે. સરકાર દ્વારા કર્મચારીઓનો પગાર સામાન્ય રીતે પછીના માસમાં થતો…

Read More

કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે આજરોજ “આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન” અંતર્ગત મહાનગર કાર્યશાળાનું આયોજન દિનેશ હોલ, આશ્રમરોડ ખાતે કરવામાં આવ્યું હતું. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના પ્રદેશ ઈન્ચાર્જ તેમજ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા એ સૌને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ” આપણો ભારત દેશ સદીઓથી આત્મનિર્ભર જ હતો પરંતુ દેશને ગુલામ બનાવીને વિદેશી તાકાતો દ્વારા તેમના પર નિર્ભર બનાવવામાં આવ્યો હતો. આઝાદીની ચળવળ વખતે પણ વંદેમાતરમ ગીત પણ સ્વદેશી આંદોલનનો જ એક ભાગ હતું. ભારતીય જનતા પાર્ટીના સ્થાપક પંડિત દિનદયાલ ઉપાધ્યાયજી દ્વારા પણ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા ‘સ્વદેશી’ અને ‘વિકેન્દ્રીકરણ’ પર ભાર મુકવામાં આવ્યો…

Read More

દરરોજ ૧૦ કિમી ચાલવાનું આયોજન.સરદાર પટેલની જયંતિ પર કરમસદથી કેવડિયા સુધી એકતા યાત્રા યોજાશે.હર્ષ સંધવી સહિતના નેતાઓ અને સામાજિક સંસ્થાઓ તથા એનજીઓના પ્રતિનિધિઓ કેવડિયા સુધી ચાલીને આવશે.ગુજરાતમાં ૨જી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી બાદ હવે આગામી ૩૧ ઓક્ટોબરે ભારતના લોહપુરુષ તરીકે વિખ્યાત સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ આવનાર છે, ત્યારે સરદારની આ જન્મજયંતિને ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરવાનો ર્નિણય રાજ્ય સરકારે લીધો છે. આ અંતર્ગત “સરદાર જ્ર૧૫૦ યુનિટી માર્ચ”નું આયોજન કરાયું છે, જેનો હેતુ સરદાર પટેલના વિચારો, નેતૃત્વ અને એકતાના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો છે. સરકારના આયોજન મુજબ, ૧થી ૧૦ નવેમ્બર દરમિયાન યોજાનારી આ સરદાર @150 યુનિટી માર્ચ બે…

Read More

૮ કલાકની શિફ્ટ મુદ્દે દીપિકા પાદુકોણે મૌન તોડ્યું.મેલ સુપરસ્ટાર્સને કેમ કોઈ સવાલ નથી કરતું : દીપિકા.હું હમણાં કોઈનું નામ લેવા નથી માગતી અને આ બાબતને એટલો મોટો મુદ્દો બનાવવા નથી માગતી : દીપિકા.બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. તેની આઠ કલાક શિફ્ટની ડિમાન્ડ અને વધુ પૈસાની માંગણીના કારણે ઘણી કન્ટ્રોવર્સી ઊભી થઈ હતી. જેના કારણે દીપિકાને સાઉથની બે મોટી ફિલ્મો, સ્પિરિટ અને કલ્કી ૨માંથી બહાર કરવામાં આવી હતી. એક્ટ્રેસના ફિલ્મમાંથી બહાર થવાના ઘણા કારણો સામે આવ્યા હતા. દીપિકા પાદુકોણ પર ઘણા આરોપો લાગ્યા હતા. ઘણા લોકોએ તેની આ ડિમાન્ડ્સને અનપ્રોફેશનલ ગણાવી હતી. હવે લાંબા સમય બાદ…

Read More

એક જ ઝાટકે કોહલી અને ગાંગુલીને છોડ્યા પાછળ.ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે ફટકારી સાતમી ટેસ્ટ સદી.તેણે પહેલા દિવસના બીજા સત્રમાં પોતાની સદી પૂરી કરી હતી.દિલ્હીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારી હતી. તેણે પહેલા દિવસના બીજા સત્રમાં પોતાની સદી પૂરી કરી હતી. આ ઇનિંગમાં તેણે પોતાના ૩,૦૦૦ આંતરરાષ્ટ્રીય રન પણ પૂરા કર્યા હતા, અને સૌથી ઓછી ઇનિંગમાં આ સીમાચિહ્ન સુધી પહોંચવાના મામલામાં વિરાટ કોહલી, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજાેને પાછળ છોડી દીધા હતા. યશસ્વી જયસ્વાલ સૌથી ઓછી ઇનિંગમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૩,૦૦૦ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. તેણે પોતાની ૭૧મી ઇનિંગમાં આ સીમાચિહ્ન હાંસલ…

Read More

સંપત્તિ જાેઈને અધિકારીઓ પણ ચોંકી ગયા.લોકાયુક્તની ટીમે એક નિવૃત્ત PWDના ઇજનેરની પ્રોપર્ટીમાં રેડ કરી હતી.ભોપાલના મન્નીપુરમ કોલોનીમાં એક ઘરમાંથી ૮.૭૯ લાખ રોકડા, ૫૦ લાખના દાગીના અને ૫૬ લાખની PWD મળી આવી.ભોપાલમાંથી ભ્રષ્ટાચારનો એક મોટો મામલો સામે આવ્યો છે. મધ્યપ્રદેશ લોકાયુક્તે એક નિવૃત્ત PWD (જાહેર બાંધકામ વિભાગ)ના મુખ્ય ઇજનેર જી.પી. મહેરાની ચાર પ્રોપર્ટી પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, એક ફાર્મહાઉસમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર રોકડ, મિલકત, સોનું અને ચાંદી, લક્ઝરી કાર અને ૧૭ ટન મધનો સ્ટોક મળી આવ્યો હતો. ભોપાલના મન્નીપુરમ કોલોનીમાં એક ઘરમાંથી ૮.૭૯ લાખ રોકડા, ૫૦ લાખના દાગીના અને ૫૬ લાખની ફિક્સ્ડ ડિપોઝિટ (PWD) મળી આવી હતી. ઓપલ રીજન્સીના…

Read More

નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત.ટ્રમ્પ નહીં, વેનેઝુએલાના મારિયા કોરિના મચાડોને મળશે સન્માન.શાંતિ સ્થાપના અને વૈશ્વિક સંઘર્ષોને ઘટાડવામાં યોગદાન આપવા માટે વેનેઝુએલાના મારિયા કોરિના માચાડોને સન્માનિત કરવામાં આવી છે.નોબેલ પીસ પુરસ્કાર એટલે કે નોબેલ શાંતિ પુરસ્કાર ૨૦૨૫ની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર માટે વેનેઝુએલાના મારિયા કોરીના માચાડોને પસંદ કરવામાં આવી છે. શાંતિ સ્થાપના અને વૈશ્વિક સંઘર્ષોને ઘટાડવામાં યોગદાન આપવા માટે મારિયાને સન્માનિત કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા નથી. આ જાહેરાત સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નોબેલ શાંતિ પુરસ્કાર જીતવાની આશા પર પાણી ફરી વળ્યું છે, જે છેલ્લા કેટલાક દિવસથી…

Read More

આ ફિલ્મો વિશાળ ઓડિયન્સ માટેની છે : આયુષ્માન.આયુષ્યમાનને સૂરજ બરજાત્યા અને ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મ મળી.સંદેશ કરતાં મનોરંજન હંમેશા વધારે પ્રમાણમાં હોવું જાેઈએ, ઓડિયન્સ બાળક જેવું હોય છે : આયુષ્માન.આયુષ્યમાન રાજશ્રી પ્રોડક્શન્સનો નવો પ્રેમ બનશે, એ અંગે અહેવાલો ઘણા સમયથી આવતા હતા. ત્યારે મુંબઇ ખાતે યોજાયેલા ફિક્કી ળેમ્સના એક કાર્યક્રમમાં આયુષ્યમાન ખુરાના મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યો હતો. જ્યાં તેણે એક ચર્ચામાં પોતાની આવનારી ફિલ્મો વિશે વાત કરી હતી. તેને આ ચર્ચામાં હાઇબ્રિડ ફિલ્મ્સ વિશે એક પ્રશ્ન પૂછાયો હતો. જેના જવાબમાં તેણે કહ્યું, જે ફિલ્મ મુખ્ય પ્રવાહની હોય, સાથે જ રૂઢિઓ સામે પ્રશ્ન ઉઠાવે, તેને પડકારે એ હાઇબ્રિડ ફિલ્મ કહીશ.આયુષ્યમાને કહ્યું,…

Read More

રાજામૌલીની ‘ગ્લોબ ટ્રોટર’ માટે એક ખાસ ગીત બનાવાશ.રાજામૌલીની ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને મહેશબાબુ ડાન્સ નંબર કરતા દેખાશે.રાજામૌલી ઇચ્છે છે કે ફિલ્મની દરેક બાબત ફિલ્મની સ્ટોરીમાં નિખાર લાવે એવી હોવી જાેઈએ. ફિલ્મ મેકર એસ.એસ.રાજામૌલી લાંબા સમયથી પ્રિયંકા ચોપરા અને મહેશ બાબુ સાથે મળીને એક જંગલ એડવેન્ચર ફિલ્મ બનાવી રહ્યા છે, તેઓ આ ફિલ્મ માટે કેન્યા સહિત આળિકાના દેશો અને ઓરિસ્સામાં શૂટ કરૂ ચૂક્યા છે. હવે તેઓ આ ફિલ્મ માટે એક ખાસ ગીત પણ બનાવી રહ્યા છે. સુત્રો દ્વારા એવી માહિતી મળી છે કે ગ્લોબલ સ્ટાર બની ચુકેલી પ્રિયંકા ચોપરા સાથે તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ એક સાથે એક ડાન્સ નંબરમાં જાેવા મળશે.…

Read More

૫ ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ થશે.રણવીરે ‘ધુરંધર’નું શૂટિંગ પૂરું કર્યું, ૧૨ ઓક્ટોબરે અક્ષય ખન્ના ફિલ્મ પૂરી કરશ.આ ફિલ્મ આદિત્ય ધર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી એક ઇન્ટેલિજન્સના ઓપરેશન પરની એક્શન ફિલ્મ છે.જ્યારથી ‘ધુરંધર’ની સ્ટાર કાસ્ટના ફોટો સોશિયલ મીડિયા પર જાહેર થયા ત્યારથી જ આ ફિલ્મ અંગે ચર્ચા અને ઉત્સુકતા છે. ત્યાર બાદ જ્યારે રણવીર સિંહના પાત્રની સાથે અન્ય પાત્રોની ઝલક આપતું ૨ મિનિટ અને ૩૯ સેકન્ડનું ટીઝર લોંચ કરવામાં આવ્યું, ત્યારથી આ ફિલ્મ વિશે ઘણો ઉત્સાહ અને ચર્ચા છે. રણવીરસિંહના બોલ્ડ અને એનર્જેટિક અવતારથી લઇને સંજય દત્તની ઇન્ટેન્સ સ્ટાઇલની ચર્ચાઓ રહી છે. આ ફિલ્મની રિલીઝની ઘણી રાહ જાેવાઈ રહી છે. હવે એવા…

Read More