Author: garvigujrat

વર્લ્ડ બેંકની ચેતવણી.૨૦૫૦ સુધીમાં શહેરોમાં ગરમીની ચપેટમાં આવતા ગરીબોની સંખ્યા ૭૦૦% વધશે.આજે જેટલા ગરીબો ગરમીથી પ્રભાવિત છે, તેના કરતા સાત ગણા વધુ લોકો ૨૦૫૦માં આ આગ ઓકતી ગરમીમાં શેકાશે.આજે દુનિયાના શહેરોમાં ગરમી એક સાઇલેન્ટ કિલરની જેમ ફેલાઈ રહી છે. ખાસ કરીને ગ્લોબલ સાઉથ એટલે કે ગરીબ દેશોના શહેરોમાં આ સમસ્યા ખૂબ જ ભયંકર બની ગઈ છે. ઝડપથી વધતા શહેરો, ઓછા સંસાધનો અને ગ્લોબલ વોર્મિંગને કારણે ગરમી હવે રોજબરોજની જિંદગીને સીધી અસર કરી રહી છે, લોકો કામ કરી શકતા નથી. બાળકો શાળાએ જઈ શકતા નથી. બીમાર લોકો હોસ્પિટલ પહોંચી શકતા નથી. ગરમીથી વીજળીની માંગ એટલી વધી જાય છે કે સમગ્ર સિસ્ટમ…

Read More

સાઈ સુદર્શનના શાનદાર ૮૭ રન.ગુજરાત ટાઈટન્સની ધમાકેદાર જીત, ચેન્નાઈને ૮ વિકેટથી હરાવ્યું.ચેન્નાઈ સુપર કિંગ્સે ૧૫૮ રન બનાવ્યા હતા, જેના જવાબમાં ગુજરાતે ૧૭મી ઓવરમાં ૧૬૨ રન બનાવી મેચ જીતી લીધી.આઈપીએલ ૨૦૨૬ની ૩૭મી મેચ આજે(૨૬ એપ્રિલ) ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને ૮ વિકેટથી હરાવી દીધું છે. ટોસ જીતીને ગુજરાતની ટીમે પહેલા બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. ધોની આ મેચમાં પણ રમી રહ્યો નથી. પહેલા બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાન પર ૧૫૮ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતે ૧૭મી ઓવરમાં ૧૬૨ રન બનાવીને ૮…

Read More

કેદારનાથ ધામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર.કેદારનાથ ધામમાં ૩ દિવસમાં ૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબાના દર્શન.રાજ્ય સરકારે આ વખતે મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે પહેલા કરતા વધુ વ્યાપક વ્યવસ્થાઓ કરી છે.હિમાલયનાી ગોદમાં વસેલા કેદારનાથ ધામમાં અત્યારે ભક્તિનું એવું પૂર ઉમટી રહ્યું છે જેવું કદાચ પહેલા ક્યારેય જાેવા મળ્યું નથી. કપાટ ખુલ્યાના માત્ર ૩ દિવસની અંદર આશરે ૧ લાખ ૧૦ હજાર શ્રદ્ધાળુઓ બાબા કેદારના દર્શન કરી ચૂક્યા છે. ‘ૐ નમ: શિવાય‘ ના જયઘોષથી ગુંજતું આ ધામ ફરી એકવાર આસ્થા અને આધ્યાત્મનું કેન્દ્ર બની ગયું છે. ચારધામ યાત્રાની શરૂઆત સાથે જ કેદારનાથમાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. દેશના ખૂણે-ખૂણેથી અને વિદેશથી પણ…

Read More

પુત્ર જય શાહે પણ વોટિંગમાં લીધો ભાગ.અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પીપલોદ વિસ્તારમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે રાજ્યભરમાં લોકશાહીના પર્વનો ઉલ્લાસ જાેવા મળી રહ્યો છે. વિવિધ શહેરો અને ગામોમાં મતદાતાઓ ઉત્સાહપૂર્વક મતદાન કરવા પહોંચી રહ્યા છે અને લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે અમદાવાદના નારણપુરા વોર્ડમાં મતદાન કર્યુ છે. અમિત શાહ સાથે તેમના પત્ની અને પુત્ર અને આઈસીસી ચેરમેન જય શાહે પણ મતદાન કર્યુ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાના મતદાન મથકે પહોંચી પોતાનો મતાધિકાર…

Read More

માંગમાં ૫૦% થી વધુનો ઉછાળો પેનિક બાયિંગ મુખ્ય કારણ.આંધ્રપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાઈ.૪૦૦ પેટ્રોલ પંપ બંધ, CM ઈમરજન્સી બેઠક બોલાવી, અફવાના કારણે આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ માટે પડાપડી.આંધ્રપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાઈ છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવની અસર હવે ગ્રાઉન્ડ લેવલ પર દેખાવા લાગી છે. રાજ્યના ૪૫૧૦ પેટ્રોલ પંપોમાંથી અંદાજે ૪૨૧ પંપો સ્ટોકના અભાવે કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. રાજ્યમાં ઇંધણની કટોકટી વચ્ચે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ રવિવારે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. મુંબઈથી અમરાવતી પરત…

Read More

રાજસ્થાન રોયલ્સ માટે ખરાબ સમાચાર.હૈદરાબાદ સામેની મેચ દરમિયાન ઓપનર વૈભવ સૂર્યવંશી ઈજાગ્રસ્ત.હેમસ્ટ્રિંગની સમસ્યાને કારણે છોડવું પડ્યું હતું મેદાન.IPL 2026માં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર ફોર્મમાં રહેલા યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીની ફિટનેસ ટીમ માટે ચિંતાનો વિષય બની છે. શનિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં સૂર્યવંશીને ફિલ્ડિંગ દરમિયાન હેમસ્ટ્રિંગની સમસ્યાને થઈ હતી. ત્યારબાદ ફિઝિયો અને સપોર્ટ સ્ટાફની મદદથી તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો. ત્યારબાદ તે ફિલ્ડિંગ કરવા મેદાનમાં આવ્યો નહોતો. રાજસ્થાન માટે મેચ નિરાશાજનક સાબિત થઈ, કારણ કે સૂર્યવંશીની વિસ્ફોટક સદી છતાં ટીમ ૨૨૯ રનના વિશાળ સ્કોરનો બચાવ કરવામાં નિષ્ફળ રહી અને જીઇૐ સફળતાપૂર્વક ટાર્ગેટનો પીછો કરી શક્યું. મેચ પછીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન…

Read More

અન્ય સાંસદોને પણ કેન્દ્રનું કવચ.પંજાબ સરકારે હરભજનની Z+સિક્યુરિટી હટાવતા ગૃહ મંત્રાલયે આપી CRPF સુરક્ષા.રવિવારે મુખ્યમંત્રી ભગવંત માનની સરકારે હરભજન સિંહની Z+ કેટેગરીની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી.પંજાબના રાજકારણમાં પક્ષપલટા બાદ હવે સુરક્ષાને લઈને નવો વિવાદ છેડાયો છે. પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહના ઘરની બહાર થયેલા વિરોધ પ્રદર્શન અને પંજાબ સરકાર દ્વારા સુરક્ષા હટાવ્યાના ગણતરીના કલાકોમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે હરભજન સિંહ સહિત ભાજપમાં જાેડાયેલા તમામ ૭ સાંસદોને CRPFની સુરક્ષા પૂરી પાડી છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, હરભજન સિંહ ઉપરાંત સંદીપ પાઠક, અશોક મિત્તલ, સ્વાતિ માલીવાલ, રાજેન્દ્ર ગુપ્તા અને વિક્રમજીત સાહનીને હવે…

Read More

माननीय राष्ट्रपति द्वारा पुरस्कृत वरिष्ठ साहित्यकार डॉ. अमरीश सिन्हा की नवीनतम पुस्तक “बक्से का कोट” का गरिमामय लोकार्पण शनिवार, 25 अप्रैल, 2026 को मुंबई के मरीन लाइन्स स्थित वेस्ट एंड होटल में आयोजित सुरुचिपूर्ण समारोह में सम्पन्न हुआ। सामाजिक, सांस्कृतिक एवं सांस्कृतिक गतिविधियों के लिए जानी जाने वाली संस्था “धरोहर” के तत्वावधान में आयोजित इस भव्य समारोह में महाराष्ट्र सरकार के माननीय कौशल, रोजगार तथा उद्यमिता मंत्री मंगल प्रभात लोढ़ा ने पुस्तक का विमोचन करते हुए डॉ. सिन्हा को उनकी सृजन यात्रा के लिए हार्दिक शुभकामनाऍं दीं। उन्होंने कहा कि काव्य संग्रह का लोकार्पण तब सार्थक होता है, जब कवि…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આ જગતમાં અનેક પ્રકારના લોકો છે. કોઈ શ્રધ્ધામાં વિશ્વાસ રાખે છે તો કોઈ અંધશ્રધ્ધા ને કારણે જીવન બરબાદ કરે છે. આમ કબીરજીએ કહ્યું હતું કે ઇસ જગત મે ભાત ભાત કે લોગ. અને એવી જ શ્રધ્ધાનો એક કિસ્સો અત્રે પ્રસ્તુત છે. વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા માટે આગ્રાનો પહેલવાન ગૌરવ ચાહર કમરથી ગાડી ખેંચીને સંત પ્રેમાનંદ મહારાજ ને મળવા માટે ૯૦ કિલોમીટરની યાત્રા પૂર્ણ કરીને રવિવારે વૃંદાવન પહોંચ્યો હતો. ગૌરવનું લક્ષ્ય મહારાજના આશીર્વાદ મેળવવાનું અને યુવાનોમાં શક્તિ અને ભક્તિનો સંદેશ ફેલાવવાનું છે. ગૌરવ ચાહર વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના પ્રવચનોથી પ્રભાવિત છે અને તેમની સાથે વ્યક્તિગત…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે રાજય સરકારને બાળલગ્નો રોકવા માટે લગ્નની આમંત્રણપત્રિકા પર કન્યા અને વરરાજાની જન્મતારીખ લખવાનું ફરજિયાત કરવું જોઈએ એવું સૂચન કર્યું છે. કમિશને કહ્યું હતું કે બાળ લગ્નો અને બાળકોના જાતીય શોષણને રોકવા માટે રાજયભરમાં જાગૃતિ અભિયાનો વધુ તીવ્ર બનાવવા જોઈએ. રાજસ્થાનની જેમ લગ્નની આમંત્રણપત્રિકા પર કન્યા અને વરરાજાની જન્મતારીખનો ઉલ્લેખ ફરજિયાત બનાવવા માટે રાજય સરકારને ભલામણ કરવાનો પણ કમિશને નિર્ણય લીધો છે. પેનલે સોલાપુર જિલ્લામાં નોંધાયેલા ટીનેજર છોકરીના માતા બનવાના શંકાસ્પદ કેસોની સંયુકત તપાસનો આદેશ આપ્યો છે અને આ મુદ્દાને બાળઅધિકારોનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે.

Read More