Author: garvigujrat

પરમાણુ માળખાનો નાશ થવો જાેઈએ.અમેરિકા-ઈરાન વાતચીત કરે એ પહેલાં જ ઇઝરાયલે મૂકી શરત!.નેતન્યાહુએ અમેરિકન યહૂદી સંગઠનોના સંમેલનમાં જણાવ્યું કે, ઈરાન સાથેના કોઈપણ કરારમાં માત્ર સંવર્ધન રોકવું પૂરતું નથી.ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની તાજેતરની મુલાકાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વોશિંગ્ટન અને તેહરાન વચ્ચેના કોઈપણ સંભવિત પરમાણુ કરારમાં ઈરાનના પરમાણુ માળખાને સંપૂર્ણપણે નષ્ટ કરવું અનિવાર્ય હોવું જાેઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, માત્ર યુરેનિયમ સંવર્ધન પ્રક્રિયાને અટકાવવી પૂરતી નથી, પરંતુ સંવર્ધનની મંજૂરી આપતા તમામ સાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જડમૂળથી ખતમ કરવા જરૂરી છે.નેતન્યાહુએ અમેરિકન યહૂદી સંગઠનોના સંમેલનમાં જણાવ્યું કે, ઈરાન સાથેના કોઈપણ કરારમાં માત્ર સંવર્ધન રોકવું પૂરતું…

Read More

ભારત સાથે અમારું જબરદસ્ત ગઠબંધન :નેતન્યાહુ.નેતન્યાહુએ પ્રધાનમંત્રી મોદીના ઈઝરાયલ પ્રવાસની કરી જાહેરાત.વડાપ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળનો આ પ્રથમ ઇઝરાયલ પ્રવાસ છે. આ અગાઉ તેઓ ૯ વર્ષ પહેલા ૨૦૧૭માં ઇઝરાયલ ગયા હતા.ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પીએમ નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસ પહેલા ભારતની ભવ્ય પ્રશંસા કરતા બંને દેશો વચ્ચે ‘મજબૂત ગઠબંધન’ હોવાનું જણાવ્યું છે. ભારતની ૧.૫ અબજની વસ્તીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ઇઝરાયલ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. જેરૂસલેમમાં ‘મેજર અમેરિકન જ્યુઈશ ઓર્ગેનાઈઝેશન’ની કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે નેતન્યાહુએ ભારતીય વડાપ્રધાનના આગામી સપ્તાહના ઇઝરાયલ પ્રવાસનો ઉલ્લેખ કર્યાે અને મોટા સ્તરે ચર્ચાઓ થવાના સંકેત આપ્યા હતા.નેતન્યાહુએ કહ્યું, ‘તમે જાણો છો કે આવતા અઠવાડિયે અહીં…

Read More

ફિલ્મના પ્રોડ્યુસર એક મેગા ઇવેન્ટમાં ફર્સ્ટ લૂક લોંચ કરશ.‘રામાયણ પાર્ટ ૧’નાં પાત્રોને રામ નવમી પ્રસંગે જાહેર કરાશે.ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા નિભાવતા રણબીર કપૂરે વ્યક્તિગત રીતે અનેક વિશિષ્ટ મહેમાનોને આમંત્રણ પાઠવ્યા હોવાનું જાણવા મળે છે.નમિત મલ્હોત્રા નિર્મિત ફિલ્મ ‘રામાયણ’ના તમામ પાત્રો અને તેની પાછળ કાર્યરત સમગ્ર ટીમનો સત્તાવાર પરિચય ૨૬ માર્ચ, ૨૦૨૬ના રોજ રામ નવમી નિમિત્તે યોજાનારા ભવ્ય કાર્યક્રમમાં કરવામાં આવશે.આ એક એવો ભવ્ય કાર્યક્રમ બશે, જેમાં રાજકારણ, મનોરંજન અને રમતગમત ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહેશે. હાલ આ અંગે એવી ચર્ચા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપવાના છે, તે નક્કી છે. તેમજ…

Read More

બંને વચ્ચેનો વિવાદ વધુ લંબાયો.રણવીર સિંહે ફરહાન અખ્તરને ૪૦ કરોડ પરત કરવાની ઘસીને ના પાડી દીધી.ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ પ્રકારની ઘટના બનવી સાહજિક છે, અને ઘણા પ્રોડ્યુસરો અને એક્ટરો વચ્ચે આ પ્રકારનો વિવાદ થતો રહે છે.જાવેદ અખ્તરના પુત્ર, અભિનેતા અને ફિલ્મ પ્રોડ્યુસર ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીની એક્સલ એન્ટરટેઇનમેન્ટદ્વારા રણવીરને ડોન-૩છોડવાથી આશરે ૪૦ કરોડનું નુકસાન થયું હતું જેથી તેઓએ આ રણવીરસિંઘને આ રકમ પરત કરવા વિનંતી કરી હતી, પરંતુ રણવીરસિંઘે આ રકમ પાછી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો, જેના પગલે વિવાદ વધુ લંબાયો છે. ડોન-૩માંથી રણવીરના બહાર નીકળી જવાથી કંપનીને ભારે નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જાે કે…

Read More

નબળો એક્ટર કાર્તિક આર્યન તો નસીબના જાેરે ચાલે છે : પ્રશાંત.પ્રશાંત નારાયણ અને કાર્તિક આર્યન વચ્ચે કોલ્ડ વોર શરુ.મર્ડર ૨ અને ઘોસ્ટ જેવી ફિલ્મોથી ખ્યાતિ મેળવનાર અભિનેતા પ્રશાંત નારાયણને કાર્તિક આર્યનને “ખૂબ જ ખરાબ” અભિનેતા ગણાવ્યો.મર્ડર ૨ અને ઘોસ્ટ જેવી ફિલ્મોથી ખ્યાતિ મેળવનાર અભિનેતા પ્રશાંત નારાયણને કાર્તિક આર્યનને “ખૂબ જ ખરાબ” અભિનેતા ગણાવ્યો છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, નારાયણને કાર્તિક આર્યનની અભિનય કુશળતાની ટીકા કરી હતી અને દાવો કર્યાે હતો કે તે ફક્ત તેના નસીબ અને તેના માતાપિતાના આશીર્વાદને કારણે બોલિવૂડમાં ટકી શક્યો છે. પ્રશાંતે કહ્યું, “મને લાગે છે કે તે અહીંના સૌથી ખરાબ અભિનેતાઓમાંનો એક છે, પરંતુ તે ખૂબ જ…

Read More

વાઈરલ વીડિયો અને લોકોએ આપી પ્રતિક્રિયા.સલમાન ખાને રાજપાલ યાદવને જેલમાંથી છોડાવ્યો?.રાજપાલ યાદવે ૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ૯ કરોડના ચેક બાઉન્સ કેસમાં દિલ્હીની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.રાજપાલ યાદવ અને તિહાર જેલને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયોએ ભારે સનસનાટી મચાવી છે. વાઈરલ વીડિયોમાં રાજપાલ યાદવ જેલમાંથી બહાર આવીને સલમાન ખાનનો આભાર માનતા દેખાય છે, જેના કારણે ચાહકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું સલમાન ખાને ખરેખર રાજપાલ યાદવની મદદ કરી છે? જાેકે, સત્ય કંઈક અલગ જ છે.સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં રાજપાલ યાદવ કહી રહ્યા છે કે, “સલમાન ભાઈ મોટા ભાઈ જેવા છે, તેમની સાથે બેસીને આજે અંદરથી ઘણી…

Read More

મહાશિવરાત્રીની અનોખી ઉજવણી બેરણા ધામમાં ૫૦ ફૂટ શિવજી પ્રતિમા સામે મહાજ્યોત પ્રજ્વલિતશિવરાત્રીના પાવન પ્રસંગે અને અન્ય દિવસોમાં પણ અહીંનો ભક્તિભાવ અને મેળાનો આનંદ જાેવા મળે છે સાબરકાંઠામાં આવેલ બેરણા ધામ જ્યાં અનેક દેવમંદિરો આવેલા છે. શિવરાત્રીના પાવન દિવસે ભક્તો મોટી સંખ્યામાં શિવ મંદિરોમાં ભોળાનાથની પૂજા-અર્ચના કરવા ઉમટે છે. શિવરાત્રીના તહેવારને લઈ આજે ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જાેવા મળ્યો છે. આ દિવસે ભગવાન શિવજીની આરાધના કરીને તેમની અનન્ય કૃપા પ્રાપ્ત કરવાનો ઉત્તમ અવસર છે. બેરણા ધામમાં સવા મણ રૂ અને ૫૦ કિલો ઘીથી મહાજ્યોત બનાવવામાં આવે છે. આ જ્યોત વિશ્વ શાંતિ માટે પ્રજ્વલિત કરાય છે. દર વર્ષે, આ મહાજ્યોતના દર્શન…

Read More

માસ્ટર માઈન્ડની ધરપકડ મુન્દ્રાના જ્વેલર્સમાં લૂંટના પ્રયાસના ગુનાનો ભેદ ઉકેલાયો સમગ્ર કેસમાં મૂળ રાજસ્થાનના અને ભુજમાં રહેતા ગુનાના માસ્ટર માઈન્ડની ધરપકડ કરી લીધી છે કચ્છના મુન્દ્રામાં ૯ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ બારોઇ રોડ પર આવેલા રૂદ્રાક્ષ જ્વેલર્સમાં બંદૂકધારી શખસોએ લૂંટનો પ્રયાસ કર્યો હતો. સોનાના દાગીના લૂંટ કરતાં વેપારીએ હિંમત દાખવીને એક શખસને દબોચ્યો હતો અને પોલીસને હવાલો કર્યો હતો. પોલીસે આરોપીની રિમાન્ડ મેળવી પૂછપરછ કરતાં અનેક ખુલાસા થયા હતા. સમગ્ર કેસમાં મૂળ રાજસ્થાનના અને ભુજમાં રહેતા ગુનાના માસ્ટર માઈન્ડની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસ અનુસાર, મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવા આવેલા ચાર શખસોમાંથી મૂળ મધ્યપ્રદેશના પંકજ શર્મા ઉર્ફે ધોલુ પંડિતની…

Read More

૮,૦૦૦ બેંક ખાતાઓ કર્યા ફ્રીઝ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ સાયબર ફ્રોડ અને મની લોન્ડરિંગનું મોટું નેટવર્ક પકડી પાડ્યું છે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ બેનામી બેંક ખાતાઓના ઉપયોગ દ્વારા મની લોન્ડરિંગ અને સાયબર છેતરપિંડી ચલાવતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ખાતાઓનો ઉપયોગ આતંકવાદી ભંડોળ માટે પણ થતો હોવાની ગંભીર શંકા છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આવા લગભગ ૮,૦૦૦ બેનામી બેંક ખાતાઓ ઓળખીને ફ્રીઝ કરવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ, આ બેનામી ખાતાઓ આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી ગેંગ માટે મહત્વપૂર્ણ સાધન બની ગયા હતા. મુખ્યત્વે આ ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડથી મળેલા નાણાંને…

Read More

માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીર મુદ્દે વિવાદ ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ટીપુ સુલતાનનો ફોટો હટાવાયો માલેગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મેયરની ઓફિસમાં ટીપુ સુલતાનની તસ્વીર વાયરલ થયા બાદ વાતાવરણ તંગ બન્યું હતું મહારાષ્ટ્રના માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીરને લઈને રાજકીય ગરમાવો જાેવા મળી રહ્યો છે. માલેગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મેયરની ઓફિસમાં ટીપુ સુલતાનની તસ્વીર વાયરલ થયા બાદ વાતાવરણ તંગ બન્યું હતું. આ વાત બહાર આવતા જ શહેરના અનેક સંગઠનો અને નેતાઓએ તેનો વિરોધ શરૂ કર્યો હતો. વધતા દબાણ અને તણાવને જાેતા આખરે તંત્રએ પીછેહઠ કરવી પડી હતી અને તસવીર હટાવી દેવામાં આવી હતી. ઘટના અંગે મળતી માહિતી મુજબ, શિવસેના સહિત અનેક હિન્દુત્વવાદી સંગઠનો અને…

Read More