- સુપ્રીમ કોર્ટનો રેલવે અંગે મોટો નિર્ણય, ‘સેકન્ડ ક્લાસ મુસાફર’ શબ્દને ગણાવ્યો બંધારણ વિરોધી
- રશિયન તેલ ખરીદનારા દેશો પર 100% ટેરિફની ધમકી, ભારત-ચીન પર પડી શકે અસર
- ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, વોશિંગ્ટન સુંદર ઈજાના કારણે ત્રીજી વનડેમાંથી થઈ શકે બહાર
- વંદે માતરમ રોકનારને 3 વર્ષની જેલ? ચોમાસુ સત્રમાં નવો કાયદો લાવશે મોદી સરકાર
- સોનમ વાંગચુકની તબિયત નાજુક, ઓર્ગન ફેલ્યોરની ડોક્ટરોને ચિંતા છતાં અનશન ચાલુ રાખશે
- ગુજરાતમાં અશાંતધારાનું નામ બદલાયું, હવે ‘સ્પેસિફાઇડ એરિયા’ હેઠળ મિલકત વેચાણની નવી પ્રક્રિયા
- સુરત ખાડીપૂરથી 30 ટેક્સટાઇલ માર્કેટોમાં પાણી ભરાયા, કરોડોના નુકસાન બાદ રાહત પેકેજની માંગ
- પ્રવીણ રામનું ખેડૂતોના વીજ લાઈન આંદોલનને સમર્થન, પડધરી ઉપવાસમાં આપશે હાજરી
Author: garvigujrat
હેલ્પલાઇન નંબરો પણ જાહેર.‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય’ યોજનામાં હવે ઘરે બેઠા સહાયની રકમ મળશે.‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ હવે સહાયની રકમ સીધી IPPB ખાતામાં જમા કરવામાં આવશે.વિધવા મહિલાઓને આર્ત્મનિભર બનાવવા અમલમાં આવેલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ હવે સહાયની રકમ સીધી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) ના ખાતામાં જમા કરવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી લાભાર્થીઓને આધાર આધારિત ડી.બી.ટી (DBT) દ્વારા નાણાં સીધા ખાતામાં જમા થશે. પોસ્ટમેન દ્વારા ઘરબેઠાં જ આ રોકડ ઉપાડવાની સુવિધા પણ પ્રાપ્ત થશે. આ સુવિધાથી ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક વ્યવહારોમાં વધુ સરળતા અને સુરક્ષા પ્રાપ્ત થશે. પોસ્ટ માસ્ટર જનરલે વિગતો આપતા કહ્યું કે, ‘ઉત્તર ગુજરાતમાં…
ભારત સામે હાર બાદ પાકિસ્તાની કોચનો ખુલાસો.પ્રતિષ્ઠાના જંગમાં પાકિસ્તાની ખેલાડીઓ માનસિક રીતે તૂટ્યા.હેડ કોચ માઈક હેસને જણાવ્યું હતું કે મોટા અંતરથી હાર મળ્યા બાદ ખેલાડીઓ માનસિક રીતે ભાંગી પડ્યા છે.શ્રીલંકાના કોલંબો સ્થિત આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલા ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ના હાઈ વોલ્ટેજ મુકાબલામાં ભારત સામે ૬૧ રનથી શરમજનક હાર મળ્યા બાદ પાકિસ્તાન છાવણીમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. પાકિસ્તાનના મુખ્ય કોચ માઈક હેસને હારનું મુખ્ય કારણ આપતા મોટો ખુલાસો કર્યો છે કે આટલી મોટી મેચમાં તેમના ખેલાડીઓ દબાણનો સામનો કરી શક્યા ન હતા. ભારતે ૧૭૫ રનનો મજબૂત પડકાર આપ્યા બાદ પાકિસ્તાન માત્ર ૧૧૪ રનમાં સમેટાઈ ગયું હતું, જેના…
૧૫ દિવસમાં ૧૨ લોકોના મોત.હરિયાણાના છયાંસા ગામમાં ફેલાઈ રહી છે એક રહસ્યમય બિમારી.અચાનક થયેલા મૃત્યુથી સમગ્ર ગામમાં ભયનું વાતાવરણ.હરિયાણાના પલવલ જિલ્લાના છયાંસા ગામના લોકો માટે એક રહસ્યમય બીમારી ચિંતાનું કારણ બની ગઈ છે. છેલ્લા ૧૫ દિવસમાં ૧૨ લોકોના મોત થયા છે. તેમાં બાળકો, યુવાનો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. અચાનક થયેલા મૃત્યુથી સમગ્ર ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, શરૂઆતમાં કેટલાક લોકોએ ખૂબ તાવ, ઉધરસ, ઉલટી, શરીરમાં દુખાવો અને નબળાઈની ફરિયાદ કરી હતી. કેટલાક દર્દીઓની હાલત એટલી બગડી ગઈ કે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ તેમના જીવ બચાવી શકાયા નહીં. આશ્ચર્યજનક રીતે, થોડા દિવસોમાં ઘણા લોકો ગંભીર…
રાજપાલ યાદવને મોટી રાહત મળી.અભિનેતા રાજપાલ યાદવનાં જામીન મંજૂર થઈ ગયા.હાઈકોર્ટે ૧૮ માર્ચ સુધી વચગાળાના જામીન કર્યા મંજૂર.રાજપાલ યાદવ વર્ષ ૨૦૧૨ માં આવેલી ફિલ્મ ‘અતા પતા લાપતા’ સાથે જાેડાયેલ ચેક બાઉન્સ કેસમાં તિહાર જેલમાં બંધ હતો. ચેક બાઉન્સ કેસમાં ૧૨ ફેબ્રુઆરીનાં રોજ સુનવણી થઇ હતી, જેમાં માત્ર એક પક્ષની દલીલ સાંભળવામાં આવી હતી અને નવી તારીખ નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ આજે એટલે કે ૧૬ ફેબ્રુઆરીએ ફરીથી જામીન અરજી પર સુનવણી થઇ અને જામીન મંજૂર કર્યાં. આ દરમિયાન અદાલતે રાજપાલ યાદવને નિર્દેશ કર્યો કે એ ફરિયાદીનાં ખાતામાં ૧.૫ કરોડ રૂપિયા જમા કરાવે. આ સાથે અભિનેતાએ આદેશ માન્યો અને ૩ વાગ્યા…
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા.આ લોકો રામ મંદિર અને કાશી વિશ્વનાથ ધામનો વિરોધ કરતા હતા.ઉત્તર પ્રદેશ હવે ફિયર ઝોનમાંથી ફેથ ઝોનમાં બદલાઈ ગયું છે. હવે કર્ફ્યુ કલ્ચરનો નહીં, પણ ઝીરો ટોલરન્સનું કલ્ચર છે : યોગી આદિત્યનાથ.ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં સોમવારે રાજ્યપાલના અભિભાષણ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, પાછલી સરકારોએ ઉત્તર પ્રદેશને અરાજકતા અને અવ્યવસ્થાનો ગઢ બનાવી દીધો હતો, પરંતુ આજે ડબલ એન્જિન સરકારની સ્પષ્ટ નીતિ અને સુશાસનના કારણે રાજ્ય બીમારુ રાજ્યની શ્રેણીમાંથી બહાર આવીને બ્રેકથ્રૂ સ્ટેટ બન્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘૨૦૧૭ પહેલા રાજ્યમાં ગુંડાઓ…
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે ગાંધીનગરમાં બજેટ સત્રના પ્રથમ દિવસે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સત્રની શરૂઆત માનનીય રાજ્યપાલના અભિભાષણથી થઈ અને ત્યારબાદ ગુજરાત વિધાનસભાના દિવંગત પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. વિસાવદર મત વિસ્તારના તમામ ખેડૂતોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે ખેડૂતોના મતથી તેમને આ ગૌરવશાળી વિધાનસભામાં બેસીને પોતાની વાત રજૂ કરવાનો અવસર મળ્યો છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના લોકોના હિત માટે બોલવાની તક મળવી તેમના માટે ગૌરવ અને આનંદની બાબત છે. આજે વિધાનસભામાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ધીરજલાલ ફુલાભાઈ રીબડિયા અંગે શોક પ્રસ્તાવ રજૂ થયો હતો. તેઓ વિસાવદર ગામ પંચાયતના સરપંચ અને સભાપતિ…
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને ધારાસભ્ય ચૈતર વસાવા બજેટ સત્રમાં ભાગ લેવા માટે વિધાનસભા પહોંચ્યા હતા. વિધાનસભા સત્ર શરૂ થાય એ પહેલાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ટ્રેડ ડીલ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. મિડિયા સાથે વાત કરતા ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે ભારત સરકારે અમેરિકાના દબાણમાં આવી એકતરફી ટ્રેડ ડીલ કરી છે, જેનાથી અમેરિકાને ફાયદો થશે, જ્યારે ભારતના, ખાસ કરીને ગુજરાતના ખેડૂતો, પશુપાલકો અને નાના-મધ્યમ વેપારીઓને નુકસાન થશે. તેમણે જણાવ્યું કે અમેરિકામાં ભારતથી નિકાસ થતી કેટલીક વસ્તુઓ પર આશરે 18 ટકા સુધીનો ટેક્સ લગાવવામાં આવે છે, જ્યારે તેના બદલામાં ભારત સરકારે અમેરિકાની ખેતીલક્ષી અને અન્ય…
સંતોમાં રોષ ફાટી નીકળ્યો.ભગવા કપડામાં કિર્તી પટેલે સાધુઓ વચ્ચે મૃગીકુંડમાં લગાવી ડૂબકી.મહાશિવરાત્રિના પવિત્ર મેળામાં બનેલી આ ઘટના સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની.જૂનાગઢ જિલ્લામાં આવેલ પવિત્ર ભવનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિના પાવન અવસર પર યોજાતા ભવ્ય મેળાના અંતિમ દિવસે એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. ભૂતકાળમાં અનેક વિવાદોમાં ઘેરાઈ ચૂકેલી અને જેલવાસ ભોગવી ચૂકેલી કીર્તિ પટેલે શાહી સ્નાન દરમિયાન મૃગીકુંડમાં પ્રવેશ કરી વિવાદ ઊભો કર્યાે હતો. ઘટનાને પગલે સાધુ-સંતોમાં તેમજ ઉપસ્થિત ભક્તોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે પરંપરાગત રવેડી પૂર્ણ થયા બાદ સાધુ-સંતો મૃગીકુંડ ખાતે શાહી સ્નાન માટે એકત્રિત થયા હતા. એ સમયે કીર્તિ પટેલ ભગવા…
ગત વર્ષની સરખામણીએ ઉત્પાદન વધ્યું પણ ભાવ ઘટ્યા.ડીસા પંથકમાં બટાકામાં ભાવ ગગડતાં ખેડૂતો ચિંતિત.ગત વર્ષે ૨૪૦થી ૨૫૦ પ્રતિ ૨૦ કિલોના ભાવે વેચાતા હતા, આ વખતે ૧૦૦થી ૧૫૦ ભાવ.બનાસકાંઠા સહિત સમગ્ર ડીસા તાલુકામાં હાલમાં ખેતરોમાંથી બટાકા કાઢવાની શરૂઆત ખેડૂતોએ કરી દીધી છે. બટાકાનું ઉત્પાદન બમ્પર પ્રમાણમાં થતાં તમામ ખેતરોમાં ઉત્સવનો માહોલ છે પરંતુ બીજી બાજુ ખેડૂત જ્યારે બટાકા લઈ બજારમાં જાય છે ત્યારે પોષણક્ષમ ભાવ પણ મળી નથી રહ્યા નથી. આમ, ખેતરોમાં ઉત્સવ પણ બજારમાં મંદી જેવી સ્થિતિ ઊભી થઈ છે જે અંગે ખેડૂતો ચિંતા કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં બટાકાનું વાવેતર ગત વર્ષે ૧.૩૧ લાખ હેક્ટર સામે ચાલુ સાલે ૧.૩૯…
લોકોએ બીએનપીની તરફેણમાં સ્પષ્ટ ચુકાદો આપ્યો.ભારત સાથે બાંગ્લાદેશ નવેસરથી સંબંધો ઊભા કરવા માગે છે: રહેમાનના સલાહકાર.૨૦૨૪ના ઓગસ્ટમાં થયેલા બળવા પછી ભારત ભાગી આવેલા શેખ હસીનાને આતંકવાદી ગણાવ્યા હતાં.બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી ના વડા તારીક રહેમાનના સલાહકાર હુમાયુ કબીરે જણાવ્યું હતું કે પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના અને તેમનો અવામી લીગ પક્ષ હવે સત્તામાં નથી ત્યારે બાંગ્લાદેશ ભારત સાથે નવેસરથી સંબંધો સ્થાપિત કરવા માગે છે, પરંતુ બદલાયેલી આ વાસ્તવિકતાને સ્વીકારવાની જવાબદારી નવી દિલ્હી પર છે. બંને દેશોએ પરસ્પરના લાભ માટે સાથે મળીને કામ કરવું જાેઈએ.બાંગ્લાદેશમાં ગુરુવારે યોજાયેલી ઐતિહાસિક સંસદીય ચૂંટણીમાં રહેમાનની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી નો બે તૃતીયાંશથી વધુ બહુમતી સાથે શાનદાર વિજય થયો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



