Author: Garvi Gujarat

દરરોજ ૨૦૦ કિલો બજારમાં મોકલાતું હતુંસુરતમાંથી નકલી પનીર બનાવવાનું નેટવર્ક પકડાયું‘સુરભી ડેરી’ ના બે યુનિટ પર દરોડા પાડી એસઓજીએ કુલ ૯૫૫ કિલોગ્રામ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યોસુરતમાં ધીમા ઝેરના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરતની જાણીતી ‘સુરભી ડેરી’ ના બે યુનિટ પર દરોડા પાડી એસઓજીએ કુલ ૯૫૫ કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યાે છે. જ્યારે આ ડેરી રોજેરોજ ૨૦૦ કિલો નકલી પનીર બજારમાં મોકલતી હતી.સૌથી ગંભીર બાબત એ છે કે, ડેરીના સંચાલકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ કબૂલી લીધું હતું કે આ પનીર નકલી છે. આ ડેરી રોજેરોજ આશરે ૨૦૦ કિલો નકલી પનીર સુરતના બજારમાં ઠાલવી રહી હતી, જે…

Read More

પરિવારના સભ્યોની ઈચ્છાથી ડૉક્ટર્સનો ર્નિણયદિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયાધર્મેન્દ્ર છેલ્લે તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા ફિલ્મમાં શાહિદ કપૂર અને ક્રિતી સેનન સાથે જાેવા મળ્યા હતાદિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ડૉક્ટર્સએ બુધવારે પુષ્ટિ કરતા કહ્યું હતું કે તેમના પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ સહિતના પરિવારે અભિનેતાને ઘરે લઈ જવાનો ર્નિણય કર્યાે છે.મીડિયા અહેવાલ અનુસાર બુધવારે સવારે ડૉક્ટર્સએ ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે અભિનેતાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને પરિવારે તેમને ઘરે લઈ જવાનો ર્નિણય કર્યાે છે. ૮૯ વર્ષીય અભિનેતા છેલ્લા કેટલાક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા…

Read More

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો!ડિલિવરી બોયે ૧૩ વર્ષીય સગીરાને ફસાવી આચર્યું દુષ્કર્મઅમદાવાદ ના ચાંદખેડામાં સગીરાને પ્રેમ સંબંધમા ફસાવી બળાત્કાર ગુજારનાર આરોપીની પોલીસે ધરપકડ કરીઅમદાવાદ ના ચાંદખેડામાં સગીરાને પ્રેમ સંબંધમા ફસાવી બળાત્કાર ગુજારનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સોશિયલ મિડીયા થી સગીરા સાથે સંપર્ક કેળવી આરોપીએ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતુ. જે અંગે સગીરા ના પરિવારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ચાંદખેડા પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ જય પરમાર છે. જેણે ૧૩ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ૧ નવેમ્બરના દિવસે સગીરા ખરીદી કરવા ઘર બહાર નિકળી હતી. તે સમયે આરોપી તેને પોતાના ગામ લઈ જઈ…

Read More

સરકાર પીડિતોના પરિવારો સાથે ઉભી છે : મુખ્યમંત્રીદિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પીડિતો માટે વળતરની જાહેરાત કરીમૃતકોના પરિવારોને ૧૦ લાખની સહાય, અપંગોને ૫ લાખ અને ગંભીર રીતે ઘાયલોને ૨ લાખની સહાય મળશદિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ લાલ કિલ્લા વિસ્ફોટ દરમિયાન જીવ ગુમાવનારાઓના પરિવારો અને ઘાયલો માટે વળતરની જાહેરાત કરી છે. વિસ્ફોટમાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના નજીકના સંબંધીઓને રૂ.૧૦ લાખની સહાય રકમ આપવામાં આવશે. નાણાકીય સહાયની જાહેરાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકાર પીડિતોના પરિવારો સાથે ઉભી છે અને દિલ્હી સરકાર હુમલામાં ઘાયલ થયેલા કોઈપણ વ્યક્તિની સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા કરશે. મુખ્યમંત્રી રેખાએ મંગળવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે…

Read More

ભાજપે કર્યો પલટવારચૂંટણી પરિણામ પહેલા જ તેજસ્વી યાદવે જણાવી શપથ ગ્રહણની તારીખબિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ના પરિણામો પહેલા હવે શપથ ગ્રહણ સમારોહને લઈ રાજકારણ શરૂ થઈ ગયું છબિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ના પરિણામો પહેલા હવે શપથ ગ્રહણ સમારોહને લઈ રાજકારણ શરૂ થઈ ગયું છે. બુધવારે (૧૨ નવેમ્બર, ૨૦૨૫) એક પત્રકાર પરિષદમાં આરજેડી નેતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે શપથ ગ્રહણ સમારોહ ૧૮ મી તારીખે થશે. ભાજપે તેમના આ નિવેદનનો જવાબ આપ્યો છે. ભાજપ નેતા અજય આલોકે કહ્યું કે અંગ્રેજીમાં એક શબ્દ છે ડિલ્યૂજન.. જ્યારે આવું થાય છે ત્યારે વ્યક્તિને ૯૯ બેઠકો જીતવાનો ભ્રમ થઈ જાય છે, પોતાને મુખ્યમંત્રી બનાવી લે છે અને…

Read More

દિલ્હી બ્લાસ્ટના પીડિતો સાથે કરી મુલાકાતભૂટાનથી પરત ફરતા જ PM મોદી LNJP હોસ્પિટલ પહોંચ્યાતેમણે તેમને સંપૂર્ણ સહાયની ખાતરી પણ આપી હતી, તેમણે ત્યાંના ડોકટરોની ટીમ સાથે પણ મુલાકાત કરી હતીપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂટાનની બે દિવસીય મુલાકાતથી પાછા ફર્યા છે. દિલ્હી પહોંચ્યા બાદ, સીધા PM આવાસ જવાને બદલે, તેમણે LNJP હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે દિલ્હી બ્લાસ્ટના પીડિતો સાથે મુલાકાત કરી હતી. જણાવી દઈએ કે, ભૂટાનમાં પોતાના સંબોધનમાં, PM મોદીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, કોઈપણ કાવતરાખોરને બક્ષવામાં આવશે નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં ભૂટાનથી પાછા ફર્યા હતા. તેમણે LNJP હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકો સાથે મુલાકાત…

Read More

કોલકાતા ટેસ્ટ પહેલા મોટો ર્નિણયધ્રુવ જુરેલની પ્લેઇંગ ઇલેવનમાં થશે એન્ટ્રીનીતિશ રેડ્ડીને બહાર રાખવામાં આવી શકે છે : જુરેલે દક્ષિણ આફ્રિકા છ સામે બે સદી ફટકારી, પોતાનો દાવો મજબૂત કર્યો છેફોર્મમાં ચાલી રહેલા ૨૪ વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં રમશે, જ્યારે ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી બહાર થઈ શકે છે. ટીમ ઈન્ડિયાના સહાયક કોચ રાયન ટેન ડોશેટે બુધવારે આ જાણકારી આપી હતી. રાયન ટેન ડોશેટે શુક્રવારે કોલકાતામાં પ્રથમ ટેસ્ટ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “ટીમ કોમ્બિનેશન અંગે અમારી પાસે હવે ઘણી સ્પષ્ટતા છે. છેલ્લા છ મહિનામાં ધ્રુવના પ્રદર્શનને જાેતાં – ખાસ કરીને ગયા અઠવાડિયે બેંગલુરુમાં દક્ષિણ આફ્રિકા…

Read More

સુરક્ષા એજન્સીઓ દોડતી થઇદિલ્હી, મુંબઈ સહિત ૫ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીઇન્ડિગોને દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, ત્રિવેન્દ્રમ, હૈદરાબાદ એમ પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યોદિલ્હી બોમ્બ વિસ્ફોટની તપાસ ચાલી રહી છે, ત્યારે ઇન્ડિગો એરલાઇન્સને બુધવારે બપોરે ૩:૩૦ વાગ્યે પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો હતો. ઇન્ડિગોને મોકલવામાં આવેલા ઇમેઇલમાં પાંચ એરપોર્ટ: દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, ત્રિવેન્દ્રમ અને હૈદરાબાદને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીથી ભારે હોબાળો મચી ગયો હતો અને તપાસ શરૂ કરવામાં આવી છે. જાે કે, ઇમેઇલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તે સ્પષ્ટ નથી. મુંબઇથી વારાણસી જતી એર ઇન્ડિયા…

Read More

ડૉ. મુજમ્મિલની પૂછપરછમાં ડરામણો ખુલાસો૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લા ઉપર હુમલાનો હતો પ્લાનદિલ્હી જ નહીં, રામ મંદિર અને કાશી વિશ્વનાથ મંદિર પણ હતું નિશાને, સ્લીપર સેલ હતો સક્રિય, પૂછપરછમાં આતંકવાદી શાહીનનો ખુલાસાસોમવારે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે એક કારમાં થયેલા બ્લાસ્ટથી આખો દેશ હચમચી ઉઠ્યો છે. પોલીસ અને એજન્સીઓએ અત્યાર સુધીમાં અનેક શંકાસ્પદોની અટકાયત કરી છે. દિલ્હી બ્લાસ્ટના ત્રણ પ્રમુખ શંકાસ્પદોમાં ડૉ. મુજમ્મિલ, ડૉ. આદિલ અહેમદ ડાર અને ડૉ. ઉમર છે. ડૉ. ઉમર બ્લાસ્ટ સમયે જ માર્યો ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ ડૉ. મુજમ્મિલ અને ડૉ. આદિલ અહેમદ ડારની ધરપકડ કરવામાં આવી છે. હવે મુજમ્મિલની…

Read More

અગાઉ ફિલ્મનું નામ ‘પ્રેમ કી શાદી’ નક્કી થયુ હતુંઆયુષ્યમાન ખુરાના સાથે બરજાત્યાની ફિલ્મનું નામ ‘યે પ્રેમ મોલ લિયા’ ફાઈનલ થયુંઆ ફિલ્મમાં રાજશ્રીની આગળની ફિલ્મોની જેમ અનુપમ ખેર, સીમા પાહવા અને સુપ્રિયા પાઠક પણ મહત્વના રોલમાં છેઆયુષ્યમાન ખુરાના સૂરજ બરજાત્યાના રાજશ્રી પ્રોડક્શનનો નવો પ્રેમ બનવાનો હોવાના અહેવાલો લાંબા સમયથી આવી રહ્યા છે, ત્યાર બાદ તેની સાથે શર્વરી વાઘ લીડ રોલ કરવાની હોવાના અહેવાલો આવ્યા. આ ફિલ્મનું શૂટ પણ ૧ નવેમ્બરથી શરૂ થયું છે, ત્યારે આ ફિલ્મનું નામ પણ જાહેર થઈ ગયું છે – આ ફિલ્મને ‘યે પ્રેમ મોલ લિયા’ નામ આપવામાં આવ્યું છે.ગુરુવારે મુંબઇમાં એક ફોટોગ્રાફર દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક…

Read More