- સુપ્રીમ કોર્ટનો રેલવે અંગે મોટો નિર્ણય, ‘સેકન્ડ ક્લાસ મુસાફર’ શબ્દને ગણાવ્યો બંધારણ વિરોધી
- રશિયન તેલ ખરીદનારા દેશો પર 100% ટેરિફની ધમકી, ભારત-ચીન પર પડી શકે અસર
- ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, વોશિંગ્ટન સુંદર ઈજાના કારણે ત્રીજી વનડેમાંથી થઈ શકે બહાર
- વંદે માતરમ રોકનારને 3 વર્ષની જેલ? ચોમાસુ સત્રમાં નવો કાયદો લાવશે મોદી સરકાર
- સોનમ વાંગચુકની તબિયત નાજુક, ઓર્ગન ફેલ્યોરની ડોક્ટરોને ચિંતા છતાં અનશન ચાલુ રાખશે
- ગુજરાતમાં અશાંતધારાનું નામ બદલાયું, હવે ‘સ્પેસિફાઇડ એરિયા’ હેઠળ મિલકત વેચાણની નવી પ્રક્રિયા
- સુરત ખાડીપૂરથી 30 ટેક્સટાઇલ માર્કેટોમાં પાણી ભરાયા, કરોડોના નુકસાન બાદ રાહત પેકેજની માંગ
- પ્રવીણ રામનું ખેડૂતોના વીજ લાઈન આંદોલનને સમર્થન, પડધરી ઉપવાસમાં આપશે હાજરી
Author: garvigujrat
ભાદર નદીમાં વધતા કેમિકલ પ્રદૂષણ સામે આમ આદમી પાર્ટી દ્વારા “ભાદર બચાવો” અભિયાનને આજે બીજા દિવસ વધુ તેજ કરવામાં આવ્યું છે. કેમિકલ પ્રદૂષણ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના નેતા મહેશ કોટડીયા છેલ્લા 6 દિવસથી અડીખમ ઉપવાસ પર બેઠા છે. તેમના આંદોલનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ભાદર નદીના કાંઠા વિસ્તારના પ્રદૂષણથી અસરગ્રસ્ત ગામોમાં પક્ષના યુવા નેતા અને આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAP પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાની આગેવાનીમાં આજે અભિયાનના બીજા દિવસે ડોર-ટુ-ડોર સંપર્ક અભિયાન અને જનસભાઓ યોજાઈ. આજે ઉમરકોટ અને વેગડી ગામમાં “ભાદર બચાવો” સભાઓ યોજાઈ હતી, જેમાં ASAP પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયા, દિલીપ ભુવા,…
બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યો ગિરનાર.મહાશિવરાત્રીના મેળામાં ઉમટ્યું આસ્થાનું ઘોડાપુર.ભક્તિ, ભજન અને સેવાભાવના માહોલ વચ્ચે સાધુ-સંતોના દર્શન, ભક્તો માટે ભોજન-પાણીની વ્યવસ્થા.જ્યાં શિવ અને જીવનું અનોખું મિલન થાય છે, તે ગરવા ગઢ ગિરનારની ગોદમાં લાખો શ્રદ્ધાળુઓ હર હર મહાદેવના જયકારો કરી રહ્યા છે. ૧૧ ફેબ્રુઆરીથી શરૂ થયેલો આ પાંચ દિવસીય મહામેળોમાં આસ્થાનું ઘોડાપુર ઉમટ્યું હતું. મિની કુંભ તરીકે ઓળખાતા મહાશિવરાત્રીના આ મહામેળામાં ભક્તિ, ભજન અને ભોજનનો અદ્ભુત સમન્વય જાેવા મળી રહ્યો હતો. ૧૧ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. હાથમાં ત્રિશૂલ, હોઠ પર હર હર મહાદેવનો નાદ અને હૃદયમાં અખંડ શ્રદ્ધા દરેક ક્ષણ ભક્તિથી ભીંજાઈ છે,…
લ્યો! અમેરિકાએ પણ સ્વીકાર્યું.ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી શકે નહીંે.અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ થયું છે કે ભારત પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખવામાં સફળ રહ્યું છે.ભારત અને અમેરિકા વચ્ચે થયેલી તાજેતરની ટ્રેડ ડીલ બાદ રશિયા પાસેથી તેલ ખરીદવા મામલે ચાલી રહેલી તમામ અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ થયું છે કે ભારત પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખવામાં સફળ રહ્યું છે અને રશિયા પાસેથી તેલ ખરીદવા પર કોઈ પ્રતિબંધ લાગ્યો નથી. જર્મનીમાં આયોજિત ‘મ્યુનિખ સિક્યોરિટી કોન્ફરન્સ‘ દરમિયાન અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોના એક નિવેદને વૈશ્વિક સ્તરે ધ્યાન…
ખામેનાઈએ મૂકી એક શરત!.ઈરાનની મોટી જાહેરાત, અમેરિકા સાથે પરમાણુ કરાર કરવા તૈયાર.ઈરાને શરત રાખી છે કે પરમાણુ સમજૂતી તો જ સંભવ થશે જ્યારે વોશિંગ્ટન પ્રતિબંધો દૂર કરવા તૈયાર હોય.ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમ પર સમજૂતીનો રસ્તો હવે ખોલી દીધો છે. તહેરાનનું કહેવું છે કે તે અમેરિકા સાથે સમજૂતીની દિશામાં આગળ વધવા માટે તૈયાર છે. જાે કે તે માટે ઈરાને એક શરત પણ રાખી છે કે પરમાણુ સમજૂતી તો જ સંભવ થશે જ્યારે વોશિંગ્ટન પ્રતિબંધો દૂર કરવા માટે તૈયાર હોય, ખાનગી ચેનલ સાથે વાત કરતાં ઈરાનના ઉપ વિદેશમંત્રી માજિદ તખ્ત રવાંચીએ કહ્યું કે કરાર કરવા માટેની ઈચ્છા માટેની જવાબદારી અમેરિકા પર છે.…
ભારત A મહિલા ટીમે પાકિસ્તાનને હરાવ્યું.ભારતની દીકરીઓ સામે પાકિસ્તાન ઘૂંટણીએ, ૧૧ ઓવરમાં જીતી મેચ.પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન A ટીમ ૯૩ રનમાં ઓલઆઉટ : ભારતે ૧૧મી ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો.ભારત છ મહિલા ટીમે પાકિસ્તાનને હરાવ્યું. ACC મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ૨૦૨૬ની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. બેંગકોકના ટેર્ડથાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત છ મહિલા ટીમે ૮ વિકેટથી વિજય મેળવ્યો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન છ મહિલા ટીમ ૧૯મી ઓવરમાં ૯૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતે ૧૧મી ઓવરમાં મેચ જીતી લીધી. ભારતીય ટીમ હવે ૧૭ ફેબ્રુઆરીના રોજ તેમની અંતિમ ગ્રુપ મેચમાં નેપાળનો સામનો કરશે. રાધા યાદવની આગેવાની હેઠળની ભારત છ ટીમે…
દાયકાઓ બાદ આ યોજના પર ફરી શરૂ થશે કામ.પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં ભારત! .જમ્મુ અને કાશ્મીર સરકાર ચાર દાયકાથી બંધ પડેલા વુલર બેરેજ પ્રોજેક્ટને પુનર્જીવિત કરી રહી છે.ઓપરેશન સિંદૂર બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી છે. જેને લઈને પાકિસ્તાને અનેક પ્રતિક્રિયા આપી પરંતુ ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ સંધિ શાંતિ માટે હતી. આમ, જાે પાકિસ્તાન શાંતિ સ્થાપવા ઈચ્છતુ નથી તો આ સંધિ પણ નહીં રહે. આ દરમિયાન ભારત પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં છે. જેમાં જમ્મુ અને કાશ્મીર સરકાર ચાર દાયકાથી બંધ પડેલા વુલર બેરેજ પ્રોજેક્ટને પુનર્જીવિત કરી રહી છે. તેનો હેતુ ઝેલમ નદીના…
૩૮ દેશ સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા મોદી.રાજનીતિક સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો.વર્તમાન પરિસ્થિતિઓને અનુરૂપ સંરક્ષણ ક્ષેત્રનું આધુનિકીકરણ કરવું એ સરકારની ફરજ છે : વડાપ્રધાન.કેન્દ્રીય બજેટ અને અમેરિકા તથા યુરોપિયન યુનિયન સાથેના મહત્વની ટ્રેડ ડીલ (વેપાર કરાર) બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ ને એક વિશેષ ઇન્ટરવ્યુ આપ્યો છે. આ બે મોટી ઘટનાઓ પછી કોઈ મીડિયા સાથે તેમણે કરેલી પહેલી મુલાકાત છે. વડાપ્રધાન મોદીએ આ ઇન્ટરવ્યુમાં ભારતીય અર્થતંત્ર અને સંરક્ષણ ક્ષેત્ર અંગે કેટલીક પાયાની વાતો અંગે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત કેટલીક બાબતો મામલે સ્પષ્ટતા પણ કરી હતી. વિવિધ ડીલની શરતો પર પણ પ્રકાશ પાડ્યો હતો.…
ભારત-અમેરિકા ટ્રેડ ડિલ બાદ જયશંકરનું મોટું નિવેદન.ઓઈલ ક્યાંથી ખરીદવું એ અમે નક્કી કરીશું : વિદેશ મંત્રી જયશંકર.અમેરિકા સાથે ટ્રેડ ડીલ થયા બાદ દાવો કરવામાં આવતો હતો કે ભારત અમેરિકાના પ્રેશરમાં આવી ગયું છે અને હવે રશિયા પાસેથી ઓઈલ ખરીદશે નહીં. વિપક્ષ પણ સરકાર પાસેથી સ્પષ્ટીકરણ માગી રહ્યું હતું. પણ વિદેશ મંત્રી એસ. જયશંકરે ખુલ્લીને કહી દીધું છે કે કોઈના પ્રેશરમાં અમે આવવાના નથી. મ્યૂનિખ સિક્યોરિટી કોન્ફરન્સમાં દિલ્હી ડિસાઈડ્સ વિષય પર ચર્ચા કરતા જયશંકરે સ્પષ્ટ કહી દીધું કે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે ઓઈલ ક્યાંથી ખરીદશે, તેનો ર્નિણય ખાલી ભારત કરશે. ભારતના નેશનલ ઇન્ટરેસ્ટમાં જે હશે, તેના આધાર પર…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઓબીસી સેલના પ્રમુખ પિયુષ પરમારે એક વીડિયોના માધ્યમથી એક ગંભીર મુદ્દા પર પોતાની વાત કરતા જણાવ્યું હતું કે, ગતરાત્રે કોળી સમાજના આગેવાન અને મઢુલી ગામના કોળી સમાજના પ્રમુખ ધીરુભાઈના પરિવાર પર અમુક આવારા તત્વો દ્વારા જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી. આ હુમલાના વિડીયો પણ પરિવારને ઉતાર્યા છે. નેશનલ હાઇવે પર આવવાના તત્વો આવીને તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ લઈને ખુલ્લેઆમ ધીરુભાઈ અને તેમના પરિવારની મહિલાઓને મારવાની કોશિશ કરે છે. આ પરિવાર એ હુમલાખોરોને ઓળખતા પણ નથી. માટે પરિવારનું માનવું છે કે આ હુમલાખોરોને કોઈએ સોપારી આપી હોય એવું લાગી રહ્યું છે. નેશનલ હાઈવે પર એક…
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની વિશેષ ઉપસ્થિતિમાં સુરતમાં કાર્યકર્તા સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતું કે જ્યારથી આમ આદમી પાર્ટીએ સુરતમાં પગ મૂક્યો, ત્યારથી સુરત પર જીતની ડબલ જવાબદારી આવી ગઈ છે. આ આજની વાત નથી. સમગ્ર ગુજરાતમાં પહેલી સભા પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સુરતમાં કરી હતી અને ત્યારથી સુરતના કાર્યકર્તાઓ સતત પોતાના અભિયાનને આગળ વધારતા રહ્યા છે. વિધાનસભા ક્ષેત્રોમાં ચહેરા બદલાયા, ઘણા લોકો સક્રિય બન્યા, કેટલાક નિષ્ક્રિય રહ્યા, છતાં સુરતે પોતાની જવાબદારી ક્યારેય છોડી નથી. તેમણે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



