Author: Garvi Gujarat

૧ સીઝન, ૮ સેન્ચુરી અને વર્લ્ડ રેકોર્ડ.અમન મોખડે લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦૦૦ રન બનાવનાર ભારતીય ક્રિકેટર.આ સિદ્ધિ ૧૬ ઇનિંગ્સમાં મેળવી, તેણે દેવદત્ત પડિક્કલ અને અભિનવ મુકુંદનો ૧૭ ઇનિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો.વિદર્ભના ઓપનર બેટર અમન મોખડેએ ડોમેસ્ટિક ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. ૨૫ વર્ષીય આ યુવા ખેલાડીએ લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦૦૦ રન બનાવનાર ભારતીય બેટર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ તેણે માત્ર ૧૬ ઇનિંગ્સમાં મેળવી છે, જેની સાથે તેણે દેવદત્ત પડિક્કલ અને અભિનવ મુકુંદનો ૧૭ ઇનિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વૈશ્વિક સ્તરે પણ મોખડેએ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ગ્રીમ પોલોકની બરાબરી કરી લીધી છે, કારણ કે…

Read More

અમેરિકામાં પાલક પનીરને લઈને વિવાદ.યુનિવર્સિટીએ ૨ વિદ્યાર્થીઓને આપવા પડ્યા પોણા ૨ કરોડ રૂપિયા!.અમેરિકાની એક યુનિવર્સિટીમાં પાલક પનીર ગરમ કરવા જેવી સામાન્ય બાબતે બે ભારતીય વિદ્યાર્થીઓને આશરે ૧.૮ કરોડ રૂપિયા(૨ લાખ ડોલર)નું વળતર મળ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના સપ્ટેમ્બર ૨૦૨૩ની છે, જ્યારે યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડરમાં પીએચડી કરી રહેલા આદિત્ય પ્રકાશ નામનો વિદ્યાર્થી પોતાનું લંચ(પાલક પનીર) માઇક્રોવેવમાં ગરમ કરી રહ્યો હતો. તે સમયે એક સ્ટાફ મેમ્બરે ખાવાની તીવ્ર ગંધ અંગે ફરિયાદ કરી તેમને અટકાવ્યા હતા. આ મામલો સામાન્ય બોલાચાલીથી શરૂ થઈને કોર્ટ સુધી પહોંચ્યો હતો, કારણ કે આદિત્ય અને તેમની પાર્ટનર ઉર્મિ ભટ્ટાચાર્યએ તેને ભેદભાવ ગણાવ્યો હતો.…

Read More

અંતિમ મેચ ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાશે.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અંતિમ મેચ ૧૮મી જાન્યુઆરીએ રમાશે.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અંતિમ મેચ ૧૮મી જાન્યુઆરીએ રમાશે.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીનો ત્રીજાે અને અંતિમ મેચ ૧૮ જાન્યુઆરી, રવિવારના રોજ ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતે વડોદરામાં ન્યુઝીલેન્ડ સામેની પહેલી મેચ ૪ વિકેટથી જીતી હતી. રાજકોટમાં બીજી મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને ૭ વિકેટથી હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્રણ મેચની વનડે શ્રેણી હાલમાં ૧-૧થી બરાબર છે. જાે ભારત આ વનડે શ્રેણી જીતવા માંગે છે, તો તેણે કોઈપણ કિંમતે ઇન્દોર સ્ટેડિયમમાં જીત મેળવવી પડશે. ન્યુઝીલેન્ડ સામે રવિવારે ૧૮ જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાનારી ત્રીજી વનડે મેચમાં…

Read More

શાહી વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો ર્નિણય.શાહી વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો ર્નિણય.શાહી વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો ર્નિણય.મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે એક મોટો ર્નિણય લેતા હવે પછીની ચૂંટણીઓમાં શાહી માટે માર્કર પેનનો ઉપયોગ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આગામી જિલ્લા પરિષદની ચૂંટણીઓથી આ નવો નિયમ લાગુ થશે. આ ર્નિણય પાછળનું મુખ્ય કારણ BMC (મુંબઈ મહાનગરપાલિકા) ચૂંટણી દરમિયાન આંગળી પરની શાહી સરળતાથી ભૂંસાઈ જવાને કારણે સર્જાયેલો વિવાદ છે. BMC ચૂંટણી દરમિયાન મતદાન કર્યા પછી મતદારોની આંગળી પર જે અમીટ શાહી લગાવવામાં આવે છે, તે સરળતાથી નીકળી જતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ મુદ્દો ત્યારે વધુ ગરમાયો જ્યારે કલ્યાણના સ્દ્ગજી ઉમેદવાર…

Read More

આ સોદો ટેક્સ મુક્તિ માટે હકદાર નથી : સુપ્રીમ કોર્ટ.ફ્લિપકાર્ટમાં રૂ.૧૪,૪૪૦ કરોડમાં હિસ્સો વેચનાર અમેરિકન કંપનીએ ટેક્સ ચૂકવવો પડશે.સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, કંપની ભારત-મોરેશિયસ ટેક્સ સંધિ અંતર્ગત લાભ મેળવવા માટે હકદાર નથી.દિગ્ગજ ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટમાં મોટો હિસ્સો વેચનાર ટાઇગર ગ્લોબલ પર ટેક્સ લાગવો જાેઈએ કે નહીં, તે અંગે સુપ્રીમ કોર્ટે મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે ટાઇગર ગ્લોબલને ઝટકો આપતા સ્પષ્ટતા કરી છે કે, તેને ટેક્સ ચૂકવવો પડશે. નોંધનીય છે કે, ટાઇગર ગ્લોબલે ઈ-કોમર્સ કંપનીમાં પોતાની ૧.૬ અબજ ડોલર (આશરે રૂ.૧૪,૪૪૦ કરોડ) ની હિસ્સેદારી વોલમાર્ટને વેચી દીધી હતી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, કંપની ભારત-મોરેશિયસ ટેક્સ…

Read More

મહારાષ્ટ્ર નગર નિગમની ચૂંટણીમાં કોંગ્રેસને ૩ સીટ મળી.મહારાષ્ટ્રની ૨૯ નગર નિગમમાંથી ૨૧ સીટ પર ભાજપનો કબજાે.શિવસેના (શિંદે જૂથ), કોંગ્રેસ અને શિવસેના (ઠાકરે જૂથ)ને મર્યાદિત સફળતા મતગણતરીના પરિણામો બતાવે છે કે રાજ્યમાં ભાજપની સ્પષ્ટ લહેર જાેવા મળી.મહારાષ્ટ્રના રાજકારણમાં નગર નિગમ ચૂંટણીએ મોટો રાજકીય બદલાવ નોંધાવી દીધો છે. રાજ્યની ૨૯ નગર નિગમોની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચુક્યા છે અને આ પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ લીડ બનાવતા વિપક્ષને મોટો ઝટકો આપ્યો છે. આંકડા અનુસાર, ભાજપે મુંબઈ સહિત ૨૧ નગર નિગમ પર કબજાે કરી લીધો છે. જ્યારે શિવસેના (શિંદે જૂથ), કોંગ્રેસ અને શિવસેના (ઠાકરે જૂથ)ને મર્યાદિત સફળતા મળી શકે છે. સૌથી મોટો ઝટકો…

Read More

ઇંગ્લેન્ડના આદિલ રશીદ અને રેહાન અહેમદને હજી સુધી વિઝા ફાળવાયા નથી.ટી૨૦ વર્લ્ડ કપ માટે ભારતે ઇંગ્લેન્ડના બે ખેલાડીની વિઝા આપ્યા નથી.રશીદ અને અહેમદ હાલના તબક્કે ઉપલબ્ધ નથી તેવા સંજાેગોમાં ઇંગ્લેન્ડની ટીમમાં હવે માત્ર લિયમ ડાઉસન એકમાત્ર સ્પિનર રહી ગયો છે.ફેબ્રુઆરીમાં ભારત અને શ્રીલંકામાં આઇસીસી ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ યોજાનારો છે અને તે માટે તમામ ટીમ તૈયારી કરી રહી છે પરંતુ ઇંગ્લેન્ડની ટીમની તૈયારીમાં વિક્ષપ પડ્યો છે કેમ કે તેના બે ખેલાડી આદિલ રશીદ અને રેહાન અહેમદને હજી સુધી ભારત સરકાર તરફથી વિઝા મળ્યા નથી. આ વિલંબનો અર્થ એ થયો કે પાકિસ્તાની મૂળ ધરાવતા આ બંને ખેલાડી ઇંગ્લેન્ડની ટીમના બાકીના ખેલાડીઓ…

Read More

આખરે ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા પૂરી થઇ!.મારિયા મચાડોએ નોબેલ પુરસ્કાર ટ્રમ્પને ભેટ કર્યો.આ ગિફ્ટ ડિપ્લોમસીએ વોશિંગ્ટનથી લઈને કરાકસ સુધી નવી રાજકીય અટકળોને જન્મ આપ્યો છે.વેનેઝુએલામાં ચાલી રહેલા ગંભીર રાજકીય સંકટ વચ્ચે, વિપક્ષી નેતા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડો અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાતે રાજકીય ગરમાવો વધારી દીધો છે. આ મુલાકાત બાદ મચાડોએ દાવો કર્યાે કે તેમણે પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર મેડલ ટ્રમ્પને ભેટમાં આપ્યો હતો. આ ગિફ્ટ ડિપ્લોમસીએ વોશિંગ્ટનથી લઈને કરાકસ સુધી નવી રાજકીય અટકળોને જન્મ આપ્યો છે.આ બહુચર્ચિત બેઠક ગુરુવારે વ્હાઇટ હાઉસમાં લંચ પર યોજાઈ હતી, જે આ મહિનાની શરૂઆતમાં અમેરિકાની આગેવાની હેઠળના ઓપરેશનમાં પૂર્વ…

Read More

૨૬મીની પ્રજાસત્તાક દિનની પરેડમાં યુરોપીયન સંઘના નેતાઓ ભાગ લેશે.ભારત-EU વચ્ચેની ઐતિહાસિક ટ્રેડ ડીલ ૨૭ જાન્યુઆરીએ: કૃષિનો સમાવેશ નહીં.નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં દ્વિપક્ષી વેપાર ૧૩૫ અબજ ડોલર હતો, બંને પક્ષે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાથી વ્યાપારી સંબંધો વધારે મજબૂત થશે.ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં યુરોપિયન સંઘ (EU)ના નેતાઓ એન્ટોનિઓ કોસ્ટા અને ઉર્સુલા વોન ડેર લેએન ઉપસ્થિત રહેવાના છે. અમેરિકાએ ટેરિફ પોલિસીનો ભય બતાવી ભારત પર દબાણ વધારવા પ્રયાસ કર્યાે છે ત્યારે ભારત-EU વચ્ચે ૨૭ જાન્યુઆરીના રોજ ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થશે. જાેકે આ કરારમાં કૃષિ ક્ષેત્રનો સમાવેશ કરાયો નથી. ભારતના સૌથી મોટા વ્યાપારી ભાગીદારોમાં EU નો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં દ્વિપક્ષી વેપાર…

Read More

હુસૈન અસ્તરાની પુત્રીએ બે કરોડ માગતાં ર્નિણય.શાહિદની ઓ રોમિયોનું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મોકૂફ.ફિલ્મ સાથે સંકળાયેલાં વર્તુળોના દાવા અનુસાર સલામતીનાં કારણોસર ફિલ્મનું ટ્રેલર લોન્ચ કેન્સલ કરાયું છે.શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ઓ રોમિયો’નું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મુલત્વી રહ્યું હોવાનું કહેવાય છે. હુસૈન અસ્તરાની દીકરીએ ફિલ્મ નિર્માતાઓ પાસેથી બે કરોડની માગણી કરી છે અને પોતાની કેટલીક ડિમાન્ડ સંતોષાય નહિ ત્યાં સુધી ફિલ્મની રીલિઝ મુલત્વી રાખવા ચેતવણી આપી છે. તેના પગલે આ ર્નિણય લેવાયો હોવાનું કહેવાય છે. ફિલ્મ સાથે સંકળાયેલાં વર્તુળોના દાવા અનુસાર સલામતીનાં કારણોસર ફિલ્મનું ટ્રેલર લોન્ચ કેન્સલ કરાયું છે. આ ફિલ્મ હુસૈન અસ્તરાની જીવનકથા પર આધારિત હોવાનું કહેવાય…

Read More