Author: Garvi Gujarat

પતંગ મહોત્સવમાં પહોંચ્યા મોદી અને જર્મન ચાન્સેલર.મોદીએ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો.૫૦ દેશોના ૧૩૫ થી વધુ વિદેશી મહેમાનો અને ભારતના ૧૩ રાજ્યોના ૬૫ પતંગોત્સવમાં ભાગ લીધો હતો.પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે તેઓ જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ સાથે ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા. જેના બાદ બંને મહાનુભાવો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ કાઈટ ફેસ્ટિવલ ખાતે પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં આજે ત્રીજાે દિવસ છે. આજે પીએમ મોદી જર્મનીના ચાન્સેલર સાથે મુલાકાત કરી હતી અને સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ૨૦૨૬ નો શુભારંભ કરાવ્યો. જર્મન ચાન્સલર ફેડરિક…

Read More

એક અઠવાડિયામાં બીજી વખત થયા બેભાન.પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત બગડી.ધનખડને સોમવારે નવી દિલ્હી ખાતે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) માં દાખલ કરવામાં આવ્યા.પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને સોમવારે નવી દિલ્હી ખાતે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) માં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેઓ ગત અઠવાડિયે બે વખત બેહોશ થયા હતા, ત્યારબાદ ડૉક્ટર તેમની સ્થિતિ ધ્યાને રાખીને હોસ્પિટલમાં દાખલ કરીને સ્ઇૈં સહિત અન્ય તપાસ કરાવવા માટેની ભલામણ કરી હતી. ૧૦ જાન્યુઆરીએ ધનખડ વોશરૂમ જતા સમયે બે વખત બેહોશ થઈ ગયા હતા. સોમવારે તેઓ નિયમિત તપાસ કરાવવા માટે એઈમ્સ પહોંચ્યા હતા, જાે કે ડૉક્ટરે સ્થિતિને જાેતા તત્કાલ દાખલ કરવાનો ર્નિણય…

Read More

કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગતી સુપ્રીમ.SC અને ST અનામતમાં ક્રીમી લેયરને લાભ ના મળવો જાેઈએ?.અરજદારો ઇચ્છે છે કે, સમૃદ્ધ લોકોને અનામતનો લાભ ના મળવો જાેઈએ, અને સુપ્રીમ કોર્ટે આવું કરવા માટે જરૂરી નિર્દેશો આપવા જાેઈએ.સુપ્રીમ કોર્ટે અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટેની અનામતમાંથી ક્રીમી લેયરને બાકાત કરવાની માંગણી કરતી અરજી દાખલ કરીને કેન્દ્ર સરકાર તેમજ દેશના વિભિન્ન રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને જવાબ રજૂ કરવા જણાવ્યુ છે. આજે સોમવારે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટમાં કરાયેલ અરજીમાં એવી રજૂઆત કરાઈ છે કે, ક્રીમી લેયરને અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટેની…

Read More

સેવા તીર્થમાં શિફ્ટ થશે વડાપ્રધાનનું કાર્યાલય.ઈતિહાસમાં પહેલીવાર સાઉથ બ્લોકને અલવિદા કહેશે PMO!કેન્દ્ર સરકારની મહત્ત્વકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પરિયોજનાનો મહત્ત્વનો એક ભાગ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે(૧૪ જાન્યુઆરી, ૨૦૨૬)થી નવા PMO કાર્યાલય સેવા તીર્થ પરિસરમાં શિફ્ટ કરશે. આમ ઈતિહાસમાં પહેલીવાર સાઉથ બ્લોકને અલવિદા કહેશે PMO કેન્દ્ર સરકારની મહત્ત્વકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પરિયોજનાનો મહત્ત્વનો એક ભાગ છે. વહીવટીતંત્રમાં સુમેળ અને કાર્યોને વધુ યોગ્ય બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ ર્નિણય લેવાયો છે. નવી વ્યવસ્થા હેઠળ વડાપ્રધાન કાર્યાલય હવે સેવા તીર્થ-૧ ભવનમાં સંચાલિત થશે, જે કાર્યપાલિકા પરિસર-૧માં વાયુ ભવન પાસે સ્થિત છે. આ પરિસરમાં સેવા તીર્થ-૨ અને સેવા તીર્થ-૩ ભવન પણ છે. સપ્ટેમ્બર, ૨૦૨૫…

Read More

ભારત બાદ હવે બે દેશોની Grko પર કાર્યવાહી.એઆઈ ચેટબોટે ઇન્ડોનેશિયા અને મલેશિયામાં પ્રતિબંધ લગાવી દીધો.એઆઈના એજેન્ટિક ચેટબોટ પર આ બૅન ટેમ્પોરરી લગાવ્યો છે : ગ્રોકની દુનિયાભરમાં બદનામી થઈ રહી છે.Grko પર વિવાદ રોકાવાનું નામ નથી લેતો. ભારતમાં એઆઈ દ્વારા ક્રિએટ કરવામાં આવેલા અશ્લીલ કન્ટેન્ટ પર કાર્યવાહી કરવામાં આવી, જે બાદ એલન મસ્કના એઆઈ પ્લેટફોર્મે ૩૫૦૦ કન્ટેન્ટને બ્લોક કરી દીધા. સાથે જ ગ્રોકે પોતાની ભૂલ માનતા ભારતના કાયદા હિસાબથી કામ કરવાની વાત કહી છે. વળી હવે બે અન્ય દેશોમાં ગ્રોક પર પ્રતિબંધ લાગ્યો છે. એલન મસ્કના એઆઈ પ્લેટફોર્મ પર ડીપફેક કન્ટેન્ટ પ્રસારિત કરવાનો આરોપ છે, જે બાદ આ કડક ર્નિણય લેવાયો…

Read More

વોશિંગ્ટન સુંદર ODI સિરીઝમાંથી બહાર.BCCIએ દિલ્હીના ઓલરાઉન્ડર આયુષ બદોનીને તક આપી છે.મેચમાં વોશિંગ્ટન સુંદરને ઈજા થઈ હતી : તબીબી સલાહ બાદ તેને આખી સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યો છે.ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી ત્રણ મેચની ODI શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ૧૧ જાન્યુઆરી, રવિવારના રોજ વડોદરા ODI દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. વડોદરા સ્થિત કોટંબી સ્ટેડિયમમાં બોલિંગ કરતી વખતે વોશિંગ્ટન સુંદરને સાઈડ સ્ટ્રેનના કારણે અચાનક દુખાવો થવા લાગ્યો. દુખાવો વધતાં તેને મેદાન છોડીને જવું પડ્યું. સુંદર હવે બાકીની બે મેચમાંથી બહાર થયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વોશિંગ્ટન સુંદરના રિપ્લેસમેન્ટની પણ જાહેરાત કરી છે. BCCI એ…

Read More

ગુજરાતમાં વડાપ્રધાન મોદી અને મર્ઝની મહત્ત્વપૂર્ણ બેઠક.ભારત અને જર્મની વચ્ચે શિક્ષણથી લઈને સેમિકંડક્ટર સુધી ૪ મહત્ત્વપૂર્ણ MoU.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચે થયેલા કરારોને ભરોસાનું પ્રતીક જણાવી સંરક્ષણ વ્યાપાર અને રોડમેપ તૈયાર કરવાની વાત કરી હતી.ભારત અને જર્મની વચ્ચે આજે ૧૨ જાન્યુઆરીના રોજ સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વના કરાર થયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ક્રિટિકલ મિનરલ્સ, સેમીકંડકટર અને શિક્ષણ સહિત મોટા ૪ MoUs (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પણ કર્યા, વડાપ્રધાન મોદીએ બંને દેશો વચ્ચે થયેલા કરારોને ભરોસાનું પ્રતીક જણાવી સંરક્ષણ વ્યાપાર અને રોડમેપ તૈયાર કરવાની વાત કરી. ૧૨ જાન્યુઆરી ભારત માટે કૂટનૈતિક અને ભવિષ્યની રણનીતિને લઈને ખૂબ…

Read More

पश्चिम रेलवे के रतलाम मण्ड ल ने माल परिवहन के क्षेत्र में एक ऐतिहासिक उपलब्धि हासिल करते हुए अपने इतिहास की अब तक की सबसे लंबी अनब्रोकन लॉन्ग हॉल मालगाड़ी का सफल परिचालन किया। 10 जनवरी, 2026 को यह लॉन्ग हॉल ट्रेन वटवा से बकानियां भौरी के बीच सफलतापूर्वक चलाई गई, जिसने लगभग 585 किलोमीटर की दूरी तय की। यह पश्चिम रेलवे पर भारतीय रेल क्षेत्र में अब तक की सबसे लंबी लॉन्ग हॉल रन है। इस लॉंग हॉल ट्रेन का संचालन पश्चिम रेलवे रतलाम मंडल के क्रू द्वारा किया गया। पश्चिम रेलवे रतलाम मंडल के जनसंपर्क अधिकारी श्री मुकेश…

Read More

હાલો પટેલભાઈની જાનમાં – અમદાવાદમાં સફળતાપુર્વક રજૂ થયા બાદ હવે રાજકોટમાં ​​​​​​​​અમદાવાદ, સોમવાર ​બ્લોક્બસ્ટર ફેમીલી ડ્રામા “હાલો પટેલભાઈની જાનમાં” અમદાવાદમાં ઠાકોરભાઈ દેસાઈ હોલમાં શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં હકડેઠઠ પ્રેક્ષકોની ભીડ વચ્ચે સફળતાપુર્વક રજુ થયા બાદ હવે ગુજરાતના વિવિધ શહેરોમાં ચાલુ જાન્યુઆરી મહિનો અને ફેબ્રુઆરીમાં ધૂમ મચાવવા જઈ રહ્યું છે. સંપૂર્ણપણે શુદ્ધ અને પ્રત્યેક ગુજરાતીને દરેક ક્ષણે સતત હાસ્ય રસમાં તરબોળ કરવાની સાથે સાથે સમાજમાં ઘટતી ઘટનાનો તાદદ્ર્ય્શ ચિતાર રજૂ કરતી આ નાટકની સ્ક્રીપ્ટ જેવા સાથે તેવા બનવાની પ્રેરણા આપીને અઘટિત કૃત્યો કરનારને બરાબર પાઠ ભણાવવો જ જોઈએ તેવી શીખ પણ આપે છે. ક્રિષ્ના પંડ્યા અને આરતી સોની પ્રોડક્શનનું આ બહુ ચર્ચિત…

Read More

પતંગની કિંમતમાં ગત વર્ષની સરખામણીએ ૧૫ ટકાથી વધુનો વધારો.ઉત્તરાયણમાં પતંગ ચગાવવામાંથી લોકોનો રસ ઘટી રહ્યો છે ?.છેલ્લા ૧૦ વર્ષમાં ઉત્તરાયણના દિવસે લોકો દ્વારા પતંગ ચગાવવાનો સમય ૫-૬ કલાકથી ઘટીને ૨-૩ કલાક થઈ ગયો.ઉત્તરાયણના પર્વ આડે બે દિવસ જ બાકી છે. થોડા વર્ષાે પહેલા કોટ વિસ્તારમાં આખો દિવસ તમામ લોકો ટેરેસ પર પતંગ ચગાવતા હતા પરંતુ છેલ્લા થોડા વર્ષાેથી આમાં બદલાવ આવ્યો છે. છેલ્લા ૧૦ વર્ષમાં ઉત્તરાયણના દિવસે લોકો દ્વારા પતંગ ચગાવવાનો સમય ૫-૬ કલાકથી ઘટીને ૨-૩ કલાક થઈ ગયો છે.ઉત્તરાયણમાં વિવિધ કારણોસર હવે લોકોને પહેલા જેવો રસ નથી રહ્યો. જાેકે હજુ ઘણા લોકો પરિવાર સાથે જ ઉત્તરાયણ મનાવવાનું પસંદ કરે…

Read More