Author: Garvi Gujarat

પાકિસ્તાન તરફથી આવ્યા હોવાનો દાવો.જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં દેખાયા ડ્રોન.અધિકારીઓના જણાવ્યા અનુસાર તમામ ઊડતી વસ્તુઓ સીમા પારથી ભારતના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી હતી.પાકિસ્તાને ફરીથી નાપાક હરકત કરી છે. રવિવારે સાંજે જમ્મુ અને કાશ્મીરના સાંબા, રાજૌરી અને પૂંછ જિલ્લામાં શંકાસ્પદ ડ્રોન હિલચાલ જાેવા મળી. સુરક્ષા દળોએ ઘટનાની ગંભીર નોંધ લીધા બાદ કહ્યું હતું કે ઉડતી વસ્તુઓ પાકિસ્તાન બાજુથી આવી હતી, થોડી મિનિટો રહ્યા બાદ તે ભારતીય સીમામાંથી પરત ફરી ગઈ હતી. હાલ ભારતીય સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.પ્રાથમિક માહિતી મુજબ, રાજૌરીમાં નિયંત્રણ રેખા નજીક નૌશેરા સેક્ટરની સુરક્ષા કરી રહેલા ભારતીય સેનાના જવાનોએ સાંજે લગભગ ૬.૩૫ વાગ્યે ગણિયા-કલસિયન…

Read More

‘લાત મારીને તગેડી મૂકીશ’ : રાજ ઠાકરે.યુપી-બિહારના લોકો માટે રાજ ઠાકરેએ વાપર્યા વાંધાજનક શબ્દો.ભાજપ એક એવી પાર્ટી બની ગઈ છે જે રાષ્ટ્રને પહેલા રાખવાને બદલે ભ્રષ્ટાચારને પહેલા રાખે છે : રાજ ઠાકર.મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ ફરી એકવાર ઉત્તર પ્રદેશ અને બિહારનો મુદ્દો ઉઠાવીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. તેમણે હિન્દી ભાષાને લઈને ચેતવણી આપી છે કે તેઓ અન્ય રાજ્યોમાંથી આવતા વસાહતીઓને ‘લાત મારીને’ બહાર કાઢી દેશે. રવિવારે, રાજ ઠાકરેએ તેમના પિતરાઈ ભાઈ અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મળીને એક સંયુક્ત રેલીને સંબોધિત કરી હતી. ઉલ્લેખનીય છે કે બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) માટે ૧૫ જાન્યુઆરીએ મતદાન થવાનું…

Read More

આ ફિલ્મમાં કાર્તિક આર્યન મુખ્ય રોલમાં છે.રવિ કિશન નાગજિલ્લામાં વિલનના રોલમાં જાેવા મળશે.ફિલ્મને ૧૪ ઓગસ્ટના રોજ રિલીઝ કરવાની યોજના છે. આ ફિલ્મના નિર્માતા કરણ જાેહર, મહાવીર જૈન, આદર પૂનાવાલા તેમજ અન્યો છે.રવિ કિશને કાર્તિક આર્યનની નાગજિલ્લા ફિલ્મમાં એન્ટ્રી લઇ લીધી છે. એક રિપોર્ટના અનુસાર, અભિનેતા આ ફિલ્મમાં વિલનના રોલમાં જાેવા મળશે. અભિનેતા આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા ઉત્સાહિત છે. રિપોર્ટના અનુસાર, ફિલ્મ્માં કાર્તિક આર્યન મુખ્ય રોલમાં હોવાથી તેની સામેનો વિલન પણ દમદાર હોવો જાેઇએ તેમ નિર્માતાનું માનવું હતું. એટલું જ નહીં રવિ કિશન આ રોલ માટે પરફેક્ટ લાગ્ય ોહતો. રવિ કિશન એક સારો અભિનેતા છે તેમજ તેનું પાત્ર એકદમ રસપ્રદ…

Read More

ધનશ્રી સાથેના છૂટાછેડા અનેડેટિંગની અફવાઓ પર યુઝવેન્દ્ર ચહલે તોડ્યું મૌન.અહેવાલો અનુસાર, ચહલ અને ધનશ્રી નવા રિયાલિટી શો ‘ધ ૫૦’માં સાથે કામ કરી શકે છે.ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ છેલ્લા કેટલાક સમયથી મેદાન પરના પ્રદર્શન કરતા પોતાની પર્સનલ લાઈફને લઈને વધુ સમાચારોમાં રહ્યો છે. ખાસ કરીને અભિનેત્રી ધનશ્રી વર્મા સાથેના તેના છૂટાછેડાએ સોશિયલ મીડિયા પર અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. લગ્નના ચાર વર્ષ બાદ આ જાેડીએ અલગ થવાનો ર્નિણય લીધો હતો, જેના કારણે ચાહકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. તાજેતરમાં ચહલે એક ઇન્ટરવ્યુ દરમિયાન પોતાના અંગત જીવન અને ટ્રોલિંગ અંગે મોકળા મને વાત કરી છે.ચહલે એક ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું હતું કે…

Read More

વીર પહાડિયા સાથે બ્રેકઅપની અફવાઓ વચ્ચે.અભિનેત્રી તારા સુતરિયાએ ટોક્સિકનું પોસ્ટર શેર કર્યું.પોતાની પોસ્ટમાં, તારા સુતારિયાએ વીર સાથે બ્રેકઅપની અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.તારા સુતારિયા અને વીર પહારિયા વચ્ચે બ્રેકઅપની અફવાઓ ફેલાઈ રહી છે. આ બધું એપી ધિલ્લોનના મુંબઈ કોન્સર્ટ દરમિયાન વાયરલ થયેલા એક વીડિયોમાંથી ઉદ્ભવ્યું હતું, જેના કારણે સોશિયલ મીડિયા પર વ્યાપક વિવાદ અને હલચલ મચી ગઈ હતી. કોન્સર્ટ દરમિયાન, તારા ગાયક-રેપર એપી ધિલ્લોન સાથે સ્ટેજ પર દેખાઈ હતી, ત્યારબાદ એક વીડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં તેણી તેને ગળે લગાવતી અને ગાલ પર ચુંબન કરતી જાેવા મળી હતી. કોન્સર્ટમાં હાજર રહેલા તારાના બોયળેન્ડ વીર પહારિયાએ આ ઘટના…

Read More

સોશિયલ મીડિયા પર ચાહકો આ જાેડી પર પ્રેમ વરસાવ્યો.એક્ટ્રેસ નૂપુર સેનન અને સિંગર સ્ટેબિન બિન લગ્નના બંધને બંધાયા.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ન્યૂલી વેડ કપલ શેમ્પેઈન સાથે પોતાની ખુશીની ઉજવણી કરતું જાેવા મળ્યુ.બોલીવુડમાં અત્યારે લગ્નની સીઝન જામી છે. એક્ટ્રેસ કૃતિ સેનનની નાની બહેન નૂપુર સેનન અને જાણીતા સિંગર સ્ટેબિન બિન આખરે લગ્નના બંધને બંધાઈ ગયા છે. લેકસિટી ઉદયપુરમાં યોજાયેલા આ લગ્ન સમારોહમાં બોલીવુડના અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. રિપોર્ટ અનુસાર, આ કપલે અત્યંત સુંદર અને ‘ડ્રીમી’ વાતાવરણમાં ખ્રિસ્તી રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. આ હાઈ-પ્રોફાઈલ લગ્નની તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઈ રહી છે.નૂપુર અને સ્ટેબિનના…

Read More

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાનશ્રી અને જર્મનીના ચાન્સેલરશ્રીએ આશ્રમ માં ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લઈ રેંટિયો કાતવાની પ્રક્રિયાને નિહાળી હતી. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન, આત્મનિર્ભરતાના સંદેશ તેમજ સત્ય અને અહિંસાના મૂલ્યો અંગે બંને નેતાઓએ ઊંડો આદર ભાવ વ્યક્ત કર્યો હતો. જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝ ગાંધી આશ્રમની મુલાકાત લઈ પ્રભાવિત થયા હતા. તેમણે વિઝિટર્સ બુકમાં મેસેજ આપતા જણાવ્યું કે, સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના…

Read More

જર્મની દેશના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝ અમદાવાદ ખાતે તા. ૧૨ અને ૧૩ જાન્યુઆરીના રોજ આપણા દેશના વડાપ્રધાનના આમંત્રણથી આવી રહ્યા છે. આપણા દેશના વડાપ્રધાનશ્રી તેઓને અમદાવાદ ખાતે આવકારવાના છે ત્યારે ગુજરાતના એક જૈન પરિવારની દીકરી અરીહા શાહને ન્યાય અપાવે તેવી માંગણી કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કરી છે. સમગ્ર હકીકત એવી છે કે, ગુજરાતનો એક જૈન પરિવાર કે જે જર્મની ખાતે કામ અર્થે રહે છે તેમની દીકરી અરીહા શાહ જયારે તે માત્ર નવ મહિનાની હતી ત્યારે પરિવાર પાસેથી તેને લઈને જર્મની સરકારે ફોસ્ટર કેર (FOSTER CARE) સરકારી પાલક દેખભાળ સેન્ટરમાં રાખી દીધેલ છે. આજે ૪ વર્ષથી આ દીકરી માતાપિતાથી વિખુટી પડીને…

Read More

વડાપ્રધાન મોદીના હસ્તે મેટ્રો ફેઝ-૨નું લોકાર્પણ.હવે મિનિટોમાં જ પહોંચાશે સચિવાલયથી મહાત્મા મંદિર.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી સંઘવીએ મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધી મેટ્રોમાં મુસાફરી કરી.ગુજરાતના પાટનગર ગાંધીનગર માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ખાતેથી અમદાવાદ મેટ્રો ફેઝ-૨ ના અત્યંત મહત્વના એવા સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના રૂટનું લોકાર્પણ કર્યુ છે. આ સાથે જ ગાંધીનગરના આંતરિક વિસ્તારો અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બની છે. મેટ્રો ફેઝ-૨ ના આ વિસ્તરણ સાથે હવે સરકારી કર્મચારીઓ, મુલાકાતીઓ અને સ્થાનિક રહેવાસીઓ માટે મુસાફરી અત્યંત સરળ અને ઝડપી બનશે. સચિવાલય, જે રાજ્યનું વહીવટી કેન્દ્ર છે, તેને સીધું જ આંતરરાષ્ટ્રીય…

Read More

ખુદ CM એ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર.ટ્રમ્પના ટેરિફના કારણે તિરુપુરમાં ૩૦ લાખ લોકોની નોકરીઓ જશે.તિરુપુરની ૨૦,૦૦૦ ફેક્ટરી અને આશરે ૩૦ લાખ કામદારોની રોજીરોટી પર ખતરો મંડરાઈ રહ્યો છ.ભારતના નીટવેર કેપિટલ ગણાતા તિરુપુરમાં ગંભીર સંકટના વાદળો છવાયા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફના કારણે તિરુપુરની ૨૦,૦૦૦ ફેક્ટરી અને આશરે ૩૦ લાખ કામદારોની રોજીરોટી પર ખતરો મંડરાઈ રહ્યો છે. આ સ્થિતિને જાેતા તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. તિરુપુર એક્સપોર્ટર્સ એસોસિએશનના જાેઈન્ટ સેક્રેટરી કુમાર દુરૈસામીના મતે, તિરુપુરમાં ૨,૫૦૦ નિકાસકારો અને ૨૦,૦૦૦ સ્વતંત્ર એકમો કાર્યરત છે. ભારતની કુલ નીટવેર નિકાસમાં આ વિસ્તારનો…

Read More