- સુપ્રીમ કોર્ટનો રેલવે અંગે મોટો નિર્ણય, ‘સેકન્ડ ક્લાસ મુસાફર’ શબ્દને ગણાવ્યો બંધારણ વિરોધી
- રશિયન તેલ ખરીદનારા દેશો પર 100% ટેરિફની ધમકી, ભારત-ચીન પર પડી શકે અસર
- ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, વોશિંગ્ટન સુંદર ઈજાના કારણે ત્રીજી વનડેમાંથી થઈ શકે બહાર
- વંદે માતરમ રોકનારને 3 વર્ષની જેલ? ચોમાસુ સત્રમાં નવો કાયદો લાવશે મોદી સરકાર
- સોનમ વાંગચુકની તબિયત નાજુક, ઓર્ગન ફેલ્યોરની ડોક્ટરોને ચિંતા છતાં અનશન ચાલુ રાખશે
- ગુજરાતમાં અશાંતધારાનું નામ બદલાયું, હવે ‘સ્પેસિફાઇડ એરિયા’ હેઠળ મિલકત વેચાણની નવી પ્રક્રિયા
- સુરત ખાડીપૂરથી 30 ટેક્સટાઇલ માર્કેટોમાં પાણી ભરાયા, કરોડોના નુકસાન બાદ રાહત પેકેજની માંગ
- પ્રવીણ રામનું ખેડૂતોના વીજ લાઈન આંદોલનને સમર્થન, પડધરી ઉપવાસમાં આપશે હાજરી
Author: garvigujrat
કિયારાએ ફિલ્મમેકર અશ્વિની અય્યર તિવારી સાથે હાથ મિલાવ્યો.‘ટૉક્સિક’ બાદ કિયારા અડવાણીને અશ્વિનીરૂપે જાણે નવું અમૃત મળ્યું.કિયારા અડવાણી ટૂંક સમયમાં ‘નિલ બટ્ટે સન્નાટા’નું દિગ્દર્શન કરનાર અશ્વિની અય્યર તિવારીની આવનારી ફિલ્મમાં કામ કરતી જાેવા મળશે.કિયારા અડવાણી હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘ટૉક્સિક’ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન હવે કિયારાના ખાતામાં એક વધુ નવી ફિલ્મ ઉમેરાઈ ગઈ છે. આ આવનારી ફિલ્મ માટે કિયારા અડવાણીએ જાણીતી ફિલ્મમેકર અશ્વિની અય્યર તિવારી સાથે હાથ મિલાવ્યો છે.બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી છેલ્લે ‘વૉર ૨’માં નજર આવી હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ બતાવી શકી નહોતી. ત્યારબાદ હવે કિયારા સાઉથના સુપરસ્ટાર યશની પેન-ઇન્ડિયા ફિલ્મ ‘ટૉક્સિક’માં જાેવા મળશે.…
ટ્રેલરના સૌથી મોટા આકર્ષણોમાંનું એક બન્યું.સાઉદી ફિલ્મ ‘7 Dogs’ના ટ્રેલરથી સલમાન ખાન–સંજય દત્ત ચર્ચામાં.ફૅન્સ તેમની ઝલક જાેઈને ઉત્સાહિત થઈ ગયા અને સોશિયલ મીડિયા પર ઢગલાબંધ પ્રતિક્રિયાઓની આવી ગઈ.બોલીવૂડના બે મોટા સ્ટાર્સ સલમાન ખાન અને સંજય દત્તે આ વખતે કોઈ હિન્દી ફિલ્મથી નહીં, પરંતુ સાઉદી એક્શન થ્રિલર ‘7 Dogs’ ના ટ્રેલરથી ચર્ચામાં સ્થાન મેળવ્યું છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ બંનેના સરપ્રાઇઝ કેમિયોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી. ફૅન્સ તેમની ઝલક જાેઈને ઉત્સાહિત થઈ ગયા અને સોશિયલ મીડિયા પર ઢગલાબંધ પ્રતિક્રિયાઓની આવી ગઈ.બોલીવૂડના આ બે દિગ્ગજ સ્ટાર્સ સલમાન ખાન અને સંજય દત્તે એકવાર ફરી પોતાના ફૅન્સના દિલ જીતી લીધાં છે. પરંતુ…
અરિજીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને યાદગાર ગીતો આપ્યા.અરિજીતની નિવૃત્તિ પાછળ ‘ટોક્સિક કલ્ચર’ કારણભૂત!.પ્લેબેક સિંગિંગ બાદ અરિજીત સિંહ કયા નવા સ્વરૂપે ચાહકો સામે આવશે, તેની આતુરતા સંગીતપ્રેમીઓમાં વધી .અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગ છોડવાની જાહેરાત કરતાં જ સંગીત જગતમાં ચર્ચાનો વંટોળ સર્જાયો છે. કેટલાક યુઝર્સે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના કહેવાતા ‘ટોક્સિક સ્ટુડિયો કલ્ચર’ અને કામના વધતા દબાણને અરિજીતના ર્નિણય પાછળનું કારણ ગણાવ્યું છે. જાણીતા ગાયક અરમાન મલિકે અરિજીતનો ર્નિણય સંપૂર્ણપણે અંગત છે અને તેને ખોટી રીતે રજૂ કરવો યોગ્ય નથી.દરેક ઇન્ડસ્ટ્રીની એક ડાર્ક સાઈડ હોતી જ છે, પરંતુ પોતાની કારકિર્દીમાં તેણે ક્યારેય મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કોઈ ઝેરી વાતાવરણનો અનુભવ કર્યાે નથી. લોકો અડધા-અધૂરા અનુમાન લગાવવાને બદલે તેમના…
ડ્રગ્સ કેસનો વોન્ટેડ અનેક ગુનામાં છે આરોપીસુરતના કુખ્યાત ચિરાગ ગોટીનું આત્મસમર્પણ.ફરિયાદ બાદ ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંતેએ આગોતરા જામીન મેળવવા ધમપછાડા કર્યા હતા.સુરત શહેરમાં છેલ્લા ઘણાં સમયથી નામચીન ચિરાગ ગોટીનો આતંક જાેવા મળી રહ્યો છે. મિત્રની કારમાં ડ્રગ્સ મૂકવાના કેસથી માંડીને કરોડોની ઉઘરાણી, મારપીટ અને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી સુધી અનેક આરોપો તેના પર લાગ્યા છે, ત્યારે ગુરુકુલ પાસેથી પકડાયેલા ૭૦ ગ્રામ એમડી ડ્રગ્સના કેસમાં ચિરાગ ગોટીએ કોર્ટમાં સરન્ડર કરી દીધું છે. તે છેલ્લા ૮ મહિનાથી વોન્ટેડ જાહેર થતાં નેપાળ ભાગી ગયો હતો. વાત છે આશરે ૧૦ મહિના પહેલાની, સિંગણપોર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે ઓઇલના…
૧૩ એક્ટિવ કેસથી તંત્રની ઊંઘ હરામદ્વારકા જિલ્લામાં ટાઇફોઇડના કેસોમાં વધારો થયો,મીઠાપુરમાં સૌથી વધુ અસર.મીઠાપુર વિસ્તારમાં સૌથી વધુ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.રાજ્યમાં બદલાતા હવામાન અને ચોમાસાની સિઝન વચ્ચે જળજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે. જામનગર જિલ્લામાં કોલેરાના કેસોએ ચિંતા વધારી છે, ત્યારે હવે પાડોશી જિલ્લા દેવભૂમિ દ્વારકામાં ટાઇફોઇડના કેસોમાં ઉછાળો જાેવા મળ્યો છે. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તાર ગણાતા મીઠાપુરમાં ટાઇફોઇડના કેસોની સંખ્યા વધુ હોવાનું સામે આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ટાઇફોઇડના કુલ ૧૩ પોઝિટિવ એક્ટિવ કેસ નોંધાયા છે. આ તમામ દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ટાઇફોઇડ એ દૂષિત પાણી અને ખોરાકથી ફેલાતો ગંભીર રોગ…
એડિશનલ સી.પી. મ્યુનિ. કમિશનર સુરસાગરની મુલાકાતે.વડોદરામાં શિવજી કી સવારીની તડામાર તૈયારી.વિવિધ ચર્ચાઓ દરમિયાન સત્યમ શિવમ સુન્દરમ પરિવારના અગ્રણી અને ધારાસભ્યએ પણ જરૂરી સૂચનો કર્યા હતા.મહાશિવરાત્રીના પાવન પર્વે આગામી તા. ૧૫મીએ પ્રસ્થાન થનારી શિવજી કી સવારી અંગે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે શહેરના એડિ. પોલીસ કમિ. તથા મ્યુ. કમિ. સહિત ઉચ્ચ અધિકારીઓએ સુરસાગર તળાવની મુલાકાત લીધી હતી. વિવિધ ચર્ચાઓ દરમિયાન સત્યમ શિવમ સુન્દરમ પરિવારના અગ્રણી અને ધારાસભ્યએ પણ જરૂરી સૂચનો કર્યા હતા. આગામી તા. ૧૫, મહાશિવરાત્રીના પાવન પ્રસંગે શહેરના વિવિધ જાહેર માર્ગો પરથી શિવજી કી સવારી શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરે ૧.૩૦ વાગ્યાના સુમારેથી રાતના ૧૦ વાગ્યા…
ભેળસેળિયો માલ જાહેરમાં સળગાવીશું.ઊંઝામાં જીરું અને વરિયાળીમાં ભેળસેળ કરનારા વેપારીઓના લાયસન્સ રદ થશે.ઊંઝા APMC ના ચેરમેન દિનેશ પટેલે અત્યંત આક્રમક વલણ અપનાવતા ભેળસેળિયા વેપારીઓને ખુલ્લી ચેતવણી આપી છે.એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ તરીકે ઓળખાતા મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝામાં મસાલાની શુદ્ધતા જાળવવા માટે APMC અને ફૂડ વિભાગ દ્વારા કમર કસવામાં આવી છે. જીરું અને વરિયાળીમાં ભેળસેળ કરતા તત્વો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ઊંઝા APMC ના ચેરમેન દિનેશ પટેલે અત્યંત આક્રમક વલણ અપનાવતા ભેળસેળિયા વેપારીઓને ખુલ્લી ચેતવણી આપી છે.APMC ચેરમેન દિનેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઊંઝાની વિશ્વસનીયતા સાથે ચેડા કરનારને છોડવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ…
સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટકણી કાઢી.જે શાળા વિદ્યાર્થીઓને ન સાચવી શકે, તેને સંચાલન કેવી રીતે સોંપી શકાય.હાઈકોર્ટે શાળા સંચાલનને કોઈપણ રાહતનો ઇનકાર કર્યો.અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર થયેલા હુમલા અને મોતનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જે શાળા પોતાના વિદ્યાર્થીઓને જ સાચવી શકતી ના હોય તેવા લોકોને શાળાનું મેનેજમેન્ટ કેવી રીતે સોંપી શકાય? તો સામે પક્ષે શાળા સંચાલક મંડળ તરફ દાવો કરતાં વકીલે કહ્યું હતું કે શાળા લઘુમતી શાળાની વ્યાખ્યામાં આવે છે જેથી તેનું મેનેજમેન્ટ સરકાર હસ્તગત થાય નહીં, વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતને નુકસાન પહોંચી રહ્યું છે. જાે કે હાઈકોર્ટે શાળા સંચાલનને કોઈપણ…
અભિષેક શર્માના સ્વાસ્થ્યને લઈને મોટી અપડેટ.બેટ્સમેન અભિષેક શર્માને હોસ્પિટલમાંથી રજા મળી.અભિષેક શર્મા બીમાર પડતા ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધ્યું.અભિષેક શર્મા બીમાર પડતા ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. આ વચ્ચે સમાચાર આવી રહ્યાં છે કે, હવે તે સ્વસ્થ છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ટીમ ઇન્ડિયા પોતાની આગામી મેચ ગુરુવારે રમશે. એ પહેલા એક સારા સમાચાર આવ્યા છે, જેનાથી ભારતીય ટીમનો આત્મવિશ્વાસ વધી જશે. જાે કે, તે રમશે કે નહીં, તે અંગે પછીથી ર્નિણય લેવામાં આવશે. ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં ભારતીય ટીમ ગુરુવારે એટલે કે ૧૨ ફેબ્રુઆરીએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પોતાની બીજી મેચ રમશે. તેના એક દિવસ…
આજે ભારત બંધનું એલાન.ભારત બંધથી દેશભરમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની આશંકા.ભારત બંધની અસર મોટા શહેરોમાં જાેવા મળી શકે છે જ્યાં બસ, ટ્રેન અને મેટ્રો સેવાઓ પર અસર પડવાની સંભાવના.ભારત બંધથી દેશભરમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની આશંકા છે. ૧૨ ફેબ્રુઆરી એટલે કે કાલે ટ્રેડ યુનિયન, કિસાન સંગઠનો અને કેટલાય સામાજિક સંગઠનોએ સરકારની નીતિઓ વિરુદ્ધ આ બંધનું સમર્થન કર્યું છે. આવા સમયે બેન્કિંગ સેવાઓ, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને સરકારી ઓફિસોના કામકાજ આંશિક રીતે ઠપ થઈ શકે છે. જેનાથી સામાન્ય લોકોને તકલીફ વેઠવી પડશે. ભારત બંધની અસર ખાસ કરીને મોટા શહેરોમાં જાેવા મળી શકે છે. જ્યાં બસ, ટ્રેન અને મેટ્રો સેવાઓ પર અસર પડવાની…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



