- લોકશાહીમાં બહુમતીનો ખેલ કે તાનાશાહી? સત્તા સામે ઝૂકતી સંસ્થાઓ પર સવાલ
- E20 પેટ્રોલ મુદ્દે AAPનો સુરતમાં વિરોધ, ટાઉનહોલની મંજૂરી રદ્દ થતાં બહાર કાર્યક્રમ
- ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકાના ડેમોમાં નર્મદાનું પાણી છોડાશે, ખેડૂતોમાં ખુશી
- વિશ્વ આદિવાસી દિવસ: કેજરીવાલે આદિવાસી અધિકારો માટે સરકારો પર કર્યા પ્રહાર
- સાબરમતી સ્ટેશન-ટ્રેનોમાં અનધિકૃત વેન્ડરો સામે ચેકિંગ, 5 ઝડપાયા
- માનવ હુમલાખોર સિંહો માટે આંબરડીમાં 100 હેક્ટરનું ખાસ સીમિત ક્ષેત્ર બનાવાશે
- સ્ટ્રેસ દૂર કરવા મહિલાએ ₹258 કરોડની ઓનલાઈન શોપિંગ કરી, 2,000 ઓર્ડર કેન્સલ કરતાં જેલ
- મહિલા અનામત કાયદા પર રિજિજુ-રાહુલ આમને-સામને, રાહુલનો સવાલ: ‘3 વર્ષથી બિલ કેમ લાગુ નથી?’
Author: garvigujrat
ટ્રમ્પનું પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન અફઘાનિસ્તાન સાથે યુદ્ધ વચ્ચે ટ્રમ્પે શાહબાઝ-મુનીરના ગુણગાન ગાયા પાકિસ્તાને તાજેતરમાં જ અફઘાનિસ્તાનના કાબુલ અને કંધાર જેવા શહેરો પર ભીષણ હવાઈ હુમલા કર્યા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવ અને ‘ઓપન વોર’ જેવી સ્થિતિ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ સંઘર્ષને ઉકેલવા માટે હસ્તક્ષેપ કરશે. ટ્રમ્પે પાકિસ્તાન સાથેના પોતાના મજબૂત સંબંધોનો ઉલ્લેખ કરતા પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સેના પ્રમુખ આસિમ મુનીરની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ‘પાકિસ્તાન અત્યારે શાનદાર કામ કરી રહ્યું છે. તેમની પાસે…
મુંબઈના ૨૧ થિયેટરોમાં સ્ટે ઓર્ડર છતાં ફિલ્મની ટિકિટ વેચાઈ રહી છે ધ કેરળ સ્ટોરી ૨ને રિલીઝ થયા વિના પણ ‘બોર્ડર ૨’ કરતાં વધુ કમાણી ધ કેરળ સ્ટોરી ૨ ની રિલીઝ પર સ્ટે હોવા છતાં, તેની કમાણીના આંકડા ટ્રેડ વેબસાઇટ પર ઉપલબ્ધ છે બોલીવુડ ફિલ્મ “ધ કેરળ સ્ટોરી ૨” શુક્રવાર, ૨૭ ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ ગુરુવારે, તેને મોટો ફટકો પડ્યો જ્યારે કેરળ હાઈકોર્ટે તેની રિલીઝ પર ૧૫ દિવસ માટે પ્રતિબંધ મૂક્યો. રાજ્યમાં બળજબરીથી ધર્મ પરિવર્તનના વિષયને લઈને આ ફિલ્મ વિવાદમાં ફસાઈ ગઈ છે. ફિલ્મના નિર્માતાઓએ હવે પ્રતિબંધ સામે અપીલ કરી છે, પરંતુ તેનું ભવિષ્ય અનિશ્ચિત છે.જાેકે, ગુરુવારે રાત્રે,…
કપલે ફેન્સ અને પેપ્ઝનો આભાર માન્યો લગ્ન બાદ રશ્મિકા-વિજય પહેલીવાર એરપોર્ટ પર સ્પૉટ થયા સુંદર આઉટફિટ સાથે રશ્મિકાએ હાથમાં લાલ ચૂડો, ગળામાં મંગળસૂત્ર અને સેંથામાં લાલ સિંદૂર સાથે પોતાના લૂકને કમ્પલિટ કર્યાે હતો. સાઉથના સુપરસ્ટાર રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્ન રાજસ્થાનના ઉદયપુરમાં સંપન્ન થયા. લગ્ન બાદ આજે ન્યુલી મેરિડ કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા પહેલી વખત વાઈફ અને હસબન્ડ તરીકે જાહેરમાં જાેવા મળ્યા હતા. ઉદયપુર એરપોર્ટ પરથી રવાના થતી વખતે આ કપલની શાનદાર કેમિસ્ટ્રી અને રોમેન્ટિક અંદાજે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તમે પણ કપલનો રોયલ લૂક ના જાેયો હોય તો ચાલો તમને આ વિશે જણાવીએ……
ઓડિશનની શરતનો અસ્વીકાર કર્યા દીપિકાએ હોલિવુડની ધી વ્હાઈટ લોટસ સીરિઝ છોડી દીધી આ પહેલાની સીઝન માટે પણ અભિનેત્રીનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તે ગર્ભવતી હોવાથી તે સ્વીકારી શકી નહોતી દીપિકા પદુકોણે એમી પુરસ્કાર વિજેતા સીરિઝ ‘ધી વ્હાઈટ લોટસ’ની ચોથી સીઝન છોડી દીધી છે.આ સીરિઝમાં કાસ્ટિંગ માટે ઓડિશન આપવું અનિવાર્ય હતું. પરંતુ, દીપિકા તે માટે તૈયાર થઈ ન હતી. આખરે મતભેદોેને પગલે તેણે આ શો છોડી દીધો છે. છેલ્લા થોડા મહિનાઓથી દીપિકા આ સીરિઝ કરી રહી હોવાની ચર્ચાઓ હતી. ‘ધી વ્હાઇટ લોટસ’ના નિર્માતાઓ લાંબા સમયથી દીપિકાને આ શોમાં લેવા ઉત્સુક હતા. આ પહેલાની સીઝન માટે પણ અભિનેત્રીનો સંપર્ક કરવામાં આવ્યો…
અનેક ક્રુ મેમ્બર્સ હજુ પેમેન્ટની રાહમાં વિક્રમ ભટ્ટની ફિલ્મ ખિલૌને માટે અનુપ્રિયા ગોએન્કાનું પેમેન્ટ પણ બાકી ફિલ્મ ૨૦૨૨ના અંતમાં જ અધુરી રહી ગઇ હતી. ત્યારથી હજી સુધી ફિલ્મ સાથે જાેડાયેલી તમામ વ્યક્તિને મહેનતાણાં ચુકવવામાં આવ્યા નથી વિક્રમ ભટ્ટ સામે ફિલ્મ બનાવવા માટે નાણાં લીધા બાદ ફિલ્મ નહિ બનાવવા બદલ કેસ થયો છે. આ કેસ સંદર્ભમાં તેની અધૂરી ફિલ્મ ‘ખિલૌને’ વિશે પણ અનેક ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મની હિરોઈન અનુપ્રિયા ગોએન્કાને પણ સંપૂર્ણ પેમેન્ટ ચૂકવાયું નથી. અનેક ક્રૂ મેમ્બર્સ પણ હજુ તેમનાં નાણાંની રાહ જાેઈ રહ્યા છે. ફિલ્મ ૨૦૨૨ના અંતમાં જ અધુરી રહી ગઇ હતી. ત્યારથી હજી સુધી ફિલ્મ સાથે…
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬નો દિવસ ગુજરાતના અને ખાસ કરીને જુનાગઢ તથા અમરેલી જિલ્લાના ખેડૂતો માટે મહત્વપૂર્ણ રહ્યો. તેમણે ઉર્જા મંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો. ઘણા વર્ષો પહેલાં સરકારે ખેડૂતોને સબસિડીવાળા ઓફ-ગ્રિડ સોલાર પમ્પ ઇન્સ્ટોલેશન આપ્યા હતા. તે વખતે ગુજરાત સરકારે મોટી જાહેરાતો કરી હતી કે સબસિડીવાળો સોલાર પમ્પ આપવાથી ખેડૂતોને ખેતીવાડીનું પરંપરાગત વીજ કનેક્શન લેવાની જરૂર નહીં રહે અને સૂર્ય ઊર્જાથી પમ્પ ચલાવી સિંચાઈ કરી શકાશે. તે સમયે એવો નિયમ પણ હતો કે સોલાર પમ્પ લીધા બાદ પાંચ વર્ષ પૂર્ણ થાય ત્યારબાદ ખેડૂતોને પરંપરાગત ખેતીવાડી વીજ કનેક્શન આપવામાં આવશે. પરંતુ…
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે જામનગર સ્થિત બાલા હનુમાન મંદિર ખાતે દર્શન કરીને દાદાને પ્રાર્થના કરવામાં આવી છે કે અરવિંદ કેજરીવાલજી તથા પાર્ટીના દરેક કાર્યકરને અધર્મ સામેની લડાઈમાં શક્તિ મળે એવી પ્રાર્થના કરવામાં આવી છે. સાથે સાથે મહત્વપૂર્ણ વાત એ છે કે આગામી ત્રણ તારીખે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના હજારો કાર્યકરો પોતાના ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરશે, આસપાસના લોકોને જોડશે અને અસત્ય સામે સત્યના વિજય માટે પ્રાર્થના કરશે. માનનીય અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત તમામ નેતાઓને ન્યાયાલયે નિર્દોષ જાહેર કર્યા છે અને આ સત્ય તથા ધર્મની જીત છે. અરવિંદ કેજરીવાલજીએ ઈમાનદારીનું મોડલ રજૂ કર્યું…
આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જામનગર ખાતે બાલા હનુમાનજી મંદિરે દર્શન કરીને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. હાલમાં ચાલી રહેલી “પરિવર્તન લાવો, કિસાન બચાવો” યાત્રાનો આ પાંચમો દિવસ છે. આ યાત્રા સોમનાથ મંદિરથી પ્રારંભ થઈ હતી અને સતત ગુજરાતભરમાં આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના ખેડુતો, યુવાનો અને ભાજપના શાસનથી પીડિત લોકો તરફથી આ યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રા આઠમી તારીખે ગાંધીનગર પહોંચશે, જ્યાં વિશાળ ખેડૂત સંમેલન યોજાવાનું છે. મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું કે દારૂ કૌભાંડના નામે ખોટા કેસ કરીને અરવિંદ કેજરીવાલને છ મહિના જેલમાં રાખવામાં આવ્યા હતા…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સરકારની તપાસ એજન્સીઓમાની એક એજન્સી એટલે કે CBI, ED પાસે મની લોન્ડરીંગ જેવા આર્થિક ગુનાઓની તપાસ કરવાની સત્તા છે. એવા સરકારના અમુક ખાતઓ કે તપાસ એજન્સીઓએ સરકાર જ નહીં પરંતુ દેશ કે રાજય માટે પ્રતિષ્ઠા સમાન હોય છે. જેમ કે સીબીઆઇ, ED કે ચૂંટણી પંચ વગેરે જેવા સંસ્થાઓનો ભૂતકાળમાં એક અલગ રુઆબ હતો. એક વિશિષ્ટ પ્રતિષ્ઠા હતી. પરંતુ હવે આવી સંસ્થાઓ જે રીતે પક્ષપાતી વલણ અપનાવીને સરકારના ઇશારે કામ કરી રહી છે તેનાથી આવી સંસ્થાઓની આબરૂ ના પ્રજામાં ધજાગરા ઉડવા સાથે ધૂળધાણી થઈ ગઈ છે. અહીં નોંધવું જરૂરી છે કે એક કેસની સુનાવણી દરમ્યાન મદ્રાસ હાઈકોર્ટે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સમસ્ત કોળી સમાજ ના લોકપ્રિય પીઢ ગાંધીવાદી આગેવાન માનનીય ચંદ્રવદનભાઈ પીઠાવાલા સાહેબ ની સુરત ખાતેની ઓફિસે વાલ્મિકી સમાજ ના આગેવાનો શ્યામભાઈ ટેનિયા મહામંત્રી, રવિકુમાર સુરતી મહામંત્રી અને ગાયક કલાકાર , મનીષભાઈ રજવાડી સંગીત કલાકાર, અશ્વિન બી. વૈષ્ણવ એડવોકેટ નોટરી, ચી વંશ ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસ અને સમાજ ના ગુજરાત ના પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવે તા.૨૮/૦૨/૨૦૨૬ ના રોજ શુભેચ્છા મુલાકાત લીધી. અને સમાજ ની પ્રગતિ માટે માર્ગદર્શન મેળવ્યું પીઠાવાલા સાહેબે કોઈ પણ સમાજ ની પ્રગતિ માટે સમાજ ની એકતા અને મજબૂત સંગઠન જરૂરી હોવાનું જણાવ્યું. સમાજ માં રાજકારણ નહીં લાવવું જોઈએ.રાજકારણમાં સમાજ હોય શકે પરંતુ સમાજમાં…




