- લોકશાહીમાં બહુમતીનો ખેલ કે તાનાશાહી? સત્તા સામે ઝૂકતી સંસ્થાઓ પર સવાલ
- E20 પેટ્રોલ મુદ્દે AAPનો સુરતમાં વિરોધ, ટાઉનહોલની મંજૂરી રદ્દ થતાં બહાર કાર્યક્રમ
- ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકાના ડેમોમાં નર્મદાનું પાણી છોડાશે, ખેડૂતોમાં ખુશી
- વિશ્વ આદિવાસી દિવસ: કેજરીવાલે આદિવાસી અધિકારો માટે સરકારો પર કર્યા પ્રહાર
- સાબરમતી સ્ટેશન-ટ્રેનોમાં અનધિકૃત વેન્ડરો સામે ચેકિંગ, 5 ઝડપાયા
- માનવ હુમલાખોર સિંહો માટે આંબરડીમાં 100 હેક્ટરનું ખાસ સીમિત ક્ષેત્ર બનાવાશે
- સ્ટ્રેસ દૂર કરવા મહિલાએ ₹258 કરોડની ઓનલાઈન શોપિંગ કરી, 2,000 ઓર્ડર કેન્સલ કરતાં જેલ
- મહિલા અનામત કાયદા પર રિજિજુ-રાહુલ આમને-સામને, રાહુલનો સવાલ: ‘3 વર્ષથી બિલ કેમ લાગુ નથી?’
Author: garvigujrat
ડિજિટલ પ્લેટફોર્મ એ શક્તિશાળી મીડિયા પ્લેટફોર્મ ડિજિટલ પ્લેટફોર્મે કન્ટેન્ટની જવાબદારી લેવી પડશે: વૈષ્ણવ સમાચાર સંસ્થાઓને આવકમાં વાજબી હિસ્સો આપવાની પણ માહિતી અને પ્રસારણ મંત્રીની તાકીદ. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગુરુવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ડિજિટલ પ્લેટફોર્મ્સે ઓનલાઇન સામગ્રીની જવાબદારી લેવી પડશે. બાળકો અને તમામ નાગરિકોની ઓનલાઈન સલામતી સુનિશ્ચિત કરવાની જવાબદારી પ્લેટફોર્મ છે. ડિજિટલ પ્લેટફોર્મે કન્ટેન્ટના સર્જકો અને સમાચાર સંસ્થાઓ સાથે વાજબી ધોરણે આવક વહેંચણી પણ સુનિશ્ચિત કરવી જાેઈએ. જાે તેઓ સ્વૈચ્છિત રીતે આવકમાં હિસ્સેદારી નહીં આપો તો સરકાર કાનૂની વિકલ્પોની વિચારણા કરી શકે છે. સર્જકોને યોગ્ય વળતર નકારવામાં આવે તો ઇનોવેશનને નુકસાન થાય છે.નવી દિલ્હીમાં ડિજિટલ ન્યૂઝ…
દક્ષિણ ભારતના ૩ રાજ્યોમાં એલર્ટ ૨૬૦ કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું પંજાબ અને હરિયાણામાં સવારના સમયે ધુમ્મસ જાેવા મળશે, પરંતુ દિવસ દરમિયાન તેજ તડકો રહેશે. ભારતીય ઉપખંડમાં શિયાળાની વિદાય વચ્ચે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. હિન્દ મહાસાગરમાં સર્જાયેલું ચક્રવાત ‘હોરાસિયો’ ૨૬૦ કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે આગળ વધી રહ્યું છે. જાેકે, આ વાવાઝોડું ભારતીય તટ પર લેન્ડફોલ કરે તેવી શક્યતા ઓછી છે, પરંતુ તેની અસરને પગલે હવામાન વિભાગે દક્ષિણ ભારતના રાજ્યોમાં સાવચેતીના ભાગરૂપે એલર્ટ જાહેર કર્યું છે.વાવાઝોડાની અસર અને સમુદ્રમાં ઓછા દબાણને કારણે હવામાન વિભાગે આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેરલમમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. જ્યારે…
જુહૂમાં ભાડે રહેવાનું ચાલુ રાખશે શ્રદ્ધા ફલેટનું મહિને છ લાખ ભાડું આપશે, લીઝ રિન્યુ કરાવી શ્રદ્ધાનો પરિવાર મુંબઈમાં પ્રોપર્ટી ધરાવે છે તેમ છતાં પણ શ્રદ્ધાએ જુહૂમાં ભાડે રહેવાનું પસંદ કર્યું છે. શ્રદ્ધા કપૂર જુહૂના ફલેટમાં વધુ એક વર્ષ માટે મુંબઈનાં જુહૂ વિસ્તારના ફલેટમાં ભાડે રહેશે. તેણે આ ફલેટ માટે મહિને છ લાખ ભાડું આપવાનો લીઝ કરાર રિન્યૂ કરાવ્યો છે.આ ફલેટનું ક્ષેત્રફળ ૩૯૨૯ ચોરસ ફૂટ છે. શ્રદ્ધા અગાઉથી આ ફલેટમાં ભાડે રહે છે. તેને ફલેટ સાથે ચાર કાર પાર્કિંગ પણ મળ્યાં છે. ગઈકાલે પચ્ચીસમી ફેબુ્રઆરીએ શ્રદ્ધાએ લીઝ કરાર રિન્યૂ કરાવી સ્ટેમ્પ ડયૂટી માટે ૩૬ હજાર રુપિયા તથા એક હજાર રુપિયા રજિસ્ટ્રેશન…
૨૩ ફેબ્રુઆરીથી મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ શરૂ રોહિત શેટ્ટીની ‘ગોલમાલ ૫’માં પ્રિયામણીની એન્ટ્રી ફલ્મમાં પ્રિયામણી અને અજય દેવગન બીજી વખત સાથે કામ કરશે, આ પહેલા તેઓ ‘મૈદાન’માં સાથે કામ કરી ચુક્યાં છે. અજય દેવગન અને રોહિત શેટ્ટી તેમની કોમેડી ફ્રેન્ચાઈઝી ગોલમાલ ૫ પર કામ કરી રહ્યા છે અને હવે આ ફિલ્મમાં પ્રિયામણીની પણ એન્ટ્રી થયાના અહેવાલ છે. આ ફિલ્મમાં પ્રિયામણી અને અજય દેવગન બીજી વખત સાથે કામ કરશે, આ પહેલા તેઓ ‘મૈદાન’માં સાથે કામ કરી ચુક્યાં છે. આ અંગેના અહેવાલો અનુસાર, શૂટિંગનું પહેલું શીડ્યુલ એક મહિના જેટલું લાંબું ચાલશે. ૨૩ ફેબ્રુઆરી, સોમવારથી મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. જેમાં અજય…
દુબઈના ગુજરાતી ફેન સાથેની મુલાકાતે મચાવી ધૂમ અમિતાભ બચ્ચન અને ‘દીવાર’નો અનોખો ક્રેઝ ભારતીય સિનેમાના ઈતિહાસમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘દીવાર’ એક સીમાચિહ્ન રૂપ ગણાય છે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘દીવાર’ એક સીમાચિહ્ન રૂપ ગણાય છે. આ ફિલ્મથી જ બચ્ચન સાહેબને બોલીવુડના ‘એન્ગ્રી યંગ મેન’ તરીકે છાપ છોડી હતી. તાજેતરમાં આ આઈકોનિક ફિલ્મના ૫૧ વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે દુબઈના એક મોટા ગજાના બિઝનેસમેન અને અમિતાભ બચ્ચનના પરમ પ્રશંસકે મુંબઈમાં તેમને રૂબરૂ મળીને પોતાની વર્ષાે જૂની ઈચ્છા પૂરી કરી છે. આ મુલાકાત માત્ર એક ફેન મોમેન્ટ નથી, પરંતુ સિનેમા પ્રત્યેના અખૂટ પ્રેમનું પ્રતીક બની રહી છે.દુબઈ સ્થિત ગોલ્ડ બિઝનેસ…
સોશિયલ મીડિયા પર વેડિંગ ફોટોઝ વાઈરલ ઉદયપુરમાં રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્ન સવારની લગ્નવિધિમાં વિજય સફેદ ધોતી અને રશ્મિકા પરંપરાગત સિલ્ક સાડીમાં નજરે પડ્યા હતા. સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ ફેવરેટ અને પોપ્યુલર ગણાતું કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા આખરે આજે ૨૬મી ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ લગ્નબંધનમાં બંધાઈ ગયું. રાજસ્થાનના ઉદયપુરમાં આવેલી વૈભવી હોટલ ‘મેમેન્ટોઝ બાય ITC’ ખાતે યોજાયેલા આ લગ્નને ચાહકોએ ‘વેડિંગ ઓફ વિરોશ’ નામ આપ્યું છે. હવે લગ્ન બાદ રશ્મિકાની પહેલી પોસ્ટ સામે આવી છે.સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ સવારે પરંપરાગત આંધ્ર એટલે કે તેલુગુ પદ્ધતિ અને બાદમાં સાંજે કન્નડ પદ્ધતિથી લગ્ન કર્યા. સવારની…
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજની વિધાનસભામાં તેમના પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું કે નર્મદા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં માનવભક્ષી દિપડાઓ દ્વારા 14 લોકો પર હુમલા થયા છે, જેમાંથી 4 લોકોનાં મૃત્યુ થયા છે અને 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે જંગલ અને વન્ય પ્રાણીઓ વર્ષોથી છે, પરંતુ હાલમાં વન વિભાગ દ્વારા બહારથી પકડાયેલા દિપડાઓને નર્મદા જિલ્લામાં છોડવામાં આવી રહ્યા છે, જે સીધા જ લોકો પર હુમલા કરે છે. અનેક રજૂઆતો અને જિલ્લા સંકલન બેઠકમાં મુદ્દો ઉઠાવ્યા છતાં વન વિભાગ ગંભીરતા દાખવી રહ્યો નથી અને દિપડાઓને પકડવાની કાર્યવાહી કરવામાં આવી નથી. ચૈતર…
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, 27 ફેબ્રુઆરીનો ઐતિહાસિક દિવસ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી તથા દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાજીએ ઘણા અત્યાચાર સહ્યા. ભારતના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું કે સીટિંગ ચીફ મિનિસ્ટરને જેલમાં જવું પડ્યું હોય. આવું એટલા માટે થયું કારણ કે મનીષ સિસોદિયાજીએ દિલ્હીમાં શાનદાર સરકારી સ્કૂલો બનાવી અને શિક્ષણના મોડલથી સમગ્ર દેશને જાગૃત કર્યો અને સંદેશ આપ્યો કે એક આમ આદમી અને એક સરકાર ઈચ્છે તો શિક્ષણ વ્યવસ્થાની કાયાપલટ થઈ શકે છે. મનીષ સિસોદિયાજીના શિક્ષણના અને સત્યેન્દ્ર જૈનજીના સ્વાસ્થ્ય મોડલને ધ્યાનમાં રાખીને 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના…
આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે દિલ્હીમાં કોર્ટ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને મંત્રી મનીષ સિસોદિયાને પુરાવાના અભાવના કારણે આજે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટના આ નિર્ણયને અમે આવકારીએ છીએ.તેમણે વધુ જણાવ્યું કે કેન્દ્રમાં રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર વિપક્ષના મુખ્યમંત્રી અને અન્ય આગેવાનોને દારૂની નીતિઓમાં ગોટાળો થયાનો આરોપ લગાવીને છ મહિના સુધી જેલમાં રાખતી રહી. આ જ કેસમાં આમ આદમી પાર્ટીના અન્ય પાંચ મહત્ત્વના નેતાઓને પણ જેલમાં મુકવામાં આવ્યા. આ પ્રયાસો સાબિત કરે છે કે કેવી રીતે ભાજપની સરકાર પોતાની સત્તાનો દૂરઉપયોગ કરી શકે છે, પરંતુ આજે સાબિત થયું છે કે સત્યની હંમેશા જીત…
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રભારી ગોપાલ રાયજીએ દિલ્હી અદાલતના ચૂકાદાને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો. મિડિયાને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, આજે દિલ્હીની અદાલતે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. જેમ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને સમગ્ર પાર્ટીએ ખોટા કેસો બનાવીને દિલ્હીના ચૂંટાયેલા મુખ્યમંત્રીને જેલમાં મૂક્યા, એવી જ રીતે અમારા સાંસદોને અને AAP ના નેતાઓને ખોટા કથિત “શરાબ ગોટાળા”ના કેસો અને ખોટા પ્રચાર દ્વારા ત્રાસ આપ્યો. અદાલતે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ સંદેશ આપ્યો કે સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત નહીં. ભારતના ઇતિહાસમાં પહેલીવાર ચૂંટણીમાં વિજયી થયેલા મુખ્યમંત્રીને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. અદાલતે જણાવ્યું કે CBI દ્વારા અદાલતમાં રજૂ કરેલા…




