- IndiGo ફ્લાઇટમાં પાવર બેન્ક બ્લાસ્ટ: ધુમાડો-આગ ફેલાતાં 5 મુસાફરો ઘાયલ, લેન્ડિંગ સમયે અફરાતફરી
- હોર્મુઝ સ્ટ્રેટ બંધથી LPG સંકટ: અમેરિકા ઈરાન-ચીન પર દબાણ વધારી ભારતને ગેસ રાહત માટે રસ્તો ખુલ્લો કરવા અપીલ કરે છે
- Belo Horizonteમાં ભયાનક વિમાન દુર્ઘટના: રહેણાંક બિલ્ડિંગ સાથે ટકરાતાં 3ના મોત, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
- Mamata Banerjeeનો આરોપ: West Bengal ચૂંટણીમાં હાર નહીં, મત ‘લૂંટાયા’, રાજીનામું નહીં આપે
- Ashok Dindaનો Moyna બેઠક પર ફરી વિજય, West Bengal ચૂંટણીમાં જીત
- Indian Oil Corporation, Bharat Petroleum, Hindustan Petroleumને ઊંચા ભાવે તેલ ખરીદીથી નુકસાન, કેન્દ્ર સહાય નહીં
- Katy Perry અને Justin Trudeauના રિલેશનશીપની પુષ્ટિ, સાથેની તસવીરો વાયરલ
- Varanasi શૂટિંગ અટક્યું: 150 પાણીના ટેન્કરોને ના મળતાં S. S. Rajamouliની ફિલ્મ મુશ્કેલીમાં
Author: Garvi Gujarat
કિઆરા અડવાણીએ નવા કામનો આપ્યો સંકેત.‘નેક્સ્ટ ચેપ્ટર, મોર ફાયર લેટ્સ ડુ ધીસ’ તેની આ પોસ્ટને કિઆરાની આવનારી ફિલ્મનો સંકેત આપતી ફિલ્મ ગણવામાં આવી રહી છે.તાજેતરમાં જ માતા બન્યા પછી કિઆરા અડવાણી પહેલી વખત જાહેરમાં દેખાઈ હતી, હવે તેણે એક પોસ્ટ લખી છે, જે તેની આગામી ફિલ્મ અંગે હોવાની ચર્ચા છે. તેણે એક અલગ પ્રકારની શૂઝની ઇમેજ પોસ્ટ કરી હતી. જેમાં તેણે પોઇન્ટેડ સ્નીકર્સ પહેરેલાં છે. આ ફોટોની કૅપ્શનમાં તેણે લખ્યું છે, ‘નેક્સ્ટ ચેપ્ટર, મોર ફાયર લેટ્સ ડુ ધીસ’. આ પોસ્ટને કિઆરાની આવનારી ફિલ્મનો સંકેત આપતી ફિલ્મ ગણવમાં આવી રહી છે. કિઆરા માતા બન્યાં પછી હવે નવી ફિલ્મનું કામ શરૂ કરી…
મોટું અભિયાન શરૂ કરવાની તૈયારી.ધર્મ પરિવર્તન પછી પણ અનામતનો લાભ લેનારાની મુશ્કેલી વધશે!.ઘણાં રાજ્યોમાંથી આવી ફરિયાદો મળ્યા બાદ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે આ દિશામાં પહેલ કરવાનો ર્નિણય લીધો છે.રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) એવા લોકોને શોધવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરુ કરવા જઈ રહ્યું છે જેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે, પરંતુ હજુ પણ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ લઈ રહ્યા છે. જ્યારે, ભારતીય બંધારણ સ્પષ્ટપણે જણાવે છે કે ફક્ત તે લોકો જે હિન્દુ, શીખ અથવા બૌદ્ધ છે તેઓ જ અનુસૂચિત જાતિ (SC)માં અનામત માટે પાત્ર બનશે. ઘણાં રાજ્યોમાંથી આવી ફરિયાદો મળ્યા બાદ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે આ દિશામાં પહેલ…
ગુજરાત સરકારનો મોટો ર્નિણય.હોમગાર્ડ જવાનો હવે વધુ વર્ષો માટે નોકરી કરી શકશે.ુજરાતમાં હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા અંગે સરકાર દ્વારા ર્નિણય લેવાયો.રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. ગુજરાતમાં હોમગાર્ડઝના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ૩ વર્ષનો વધારો કરાયો છે. વયનિવૃત્તિ ૫૫ વર્ષથી વધારીને ૫૮ વર્ષ કરાઈ છે. હોમગાર્ડઝ જવાનોની કામગીરીને ધ્યાનમાં રાખીને આ ર્નિણય કરાયો. રાજ્ય સરકારે મુંબઇ હોમગાર્ડ્ઝ રૂલ્સ, ૧૯૫૩ના નિયમ- ૯ માં આ અંગે સુધારો કરવા ર્નિણય લીધો છે. જેને પરિણામે હવે હોમગાર્ડઝ સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા ૫૫ વર્ષથી વધારીને ૫૮ વર્ષ થશે. બૃહદ મુંબઇ રાજ્યમાં ૬ ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ પોલીસની મદદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના…
હોટલ સહિત ક્યાંય પણ ફોટોકૉપીની જરૂર નહીં રહે.આ ફેરફારનો મુખ્ય હેતુ આધાર કાર્ડની ફોટોકૉપી પર અંકુશ મૂકવાનો છે, જેથી પ્રાયવસીનું જાેખમ ઘટાડી શકાય.આધાર કાર્ડના ઉપયોગ અને સુરક્ષાને લઈને એક મોટો નિયમ ટૂંક સમયમાં અમલમાં આવવાનો છે. કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં એવો નિયમ જાહેર કરવાની તૈયારી કરી છે, જેનાથી હોટેલ્સ, ઇવેન્ટ આયોજકો અને અન્ય સંસ્થાઓ ગ્રાહકોના આધાર કાર્ડની ફિઝિકલ ફોટોકૉપી લેવા અને તેને સંગ્રહિત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકશે. અહેવાલ અનુસાર, આ ફેરફારનો મુખ્ય હેતુ આધાર કાર્ડની ફોટોકૉપી પર અંકુશ મૂકવાનો છે, જેથી પ્રાયવસીનું જાેખમ ઘટાડી શકાય. આ સિવાય તે વર્તમાન આધાર કાયદાની વિરુદ્ધ પણ છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા(UIDAI)એ…
૧૦૦ ફૂટ ઊંચાઈ પર ફસાયો પરિવાર.રાજકોટમાં ચકડોળવાળો રાઈડ બંધ કરીને જતો રહ્યો.ચકડોળમાં પાંચથી છ લોકોનો પરિવાર હવામાં ૨૦મિનિટ સુધી રહ્યાં : તેઓએ ફાયર બ્રિગેડની મદદ માંગી હતી.રાજકોટના અટલ સરોવરમાં એક રાઈડ ઓપરેટરની હરકતને કારણે એક પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો. એક જ પરિવારના પાંચ સભ્યો ચકડોળમાં બેઠા હતા, ત્યારે રાઇડ ઓપરેટર ચકડોળ બંધ કરીને ઘરે જવા રવાના થયો હતો. આમ, એક જ પરિવારના પાંચ લોકો ૧૦૦ ફૂટ ઊંચાઈ ઉપર ફસાયા હતા. અટલ સરોવરમાં ચકડોળ ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવી છે. ચકડોળમાં ૧૦૦ફૂટ ઊંચાઈ ઉપર હતું અને ઓપરેટર બંધ કરીને જતો રહ્યો. રાત્રિના ૧૦:૩૦ વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. ચકડોળમાં…
મુખ્યમંત્રીના પદ માટે ૫૦૦ કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી.તેમણે આરોપ લગાવ્યો હતો કે, જે કોઈ ૫૦૦ કરોડ રૂપિયાવાળી સુટકેસ આપે છે તે મુખ્યમંત્રી બને છે.કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય નવજાેત કૌર સિદ્ધુના એક નિવેદનથી પંજાબના રાજકારણમાં મોટો વિવાદ ઉભો થયો છે. તેમણે દાવો કર્યો હતો કે પંજાબના મુખ્યમંત્રી બનવા માટે “રૂ.૫૦૦ કરોડનું સુટકેસ” જરૂરી છે. તેમના નિવેદનથી માત્ર વિપક્ષને તક મળી નથી પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં પણ ખળભળાટ મચી ગયો છે. નવજાેત કૌર સિદ્ધુએ જણાવ્યું હતું કે, તેમના પતિ નવજાેત સિંહ સિદ્ધુ ત્યારે જ સક્રિય રાજકારણમાં પાછા ફરશે જાે કોંગ્રેસ તેમને સત્તાવાર રીતે મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરે.…
વનડે સીરિઝમાં એક ભૂલના કારણે લાગ્યો મોટો દંડ.ટીમ ઈન્ડિયાને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ફટકારી સજા.ટીમ ઈન્ડિયા પર મેચ ફીના ૧૦% દંડ ફટકારવામાં આવ્યો.ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વનડે સીરિઝનું સમાપન થયું છે. ટીમ ઈન્ડિયાએ ૨-૧થી સીરિઝ પોતાને નામે કરી છે. તેવામાં સીરિઝમાં સ્લો ઓવર રેટ જાળવી રાખવાના કારણે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ટીમ ઈન્ડિયાને સજા ફટકારી છે. વનડે સીરિઝમાં એક ભૂલના કારણે મોટો દંડ લાગ્યો છે. જેમાં ટીમ ઈન્ડિયા પર મેચ ફીના ૧૦% દંડ ફટકારવામાં આવ્યો છે. કેપ્ટન કેએલ રાહુલે પણ પોતાની ભૂલ અને ટીમ પર લાગેલા ભારે દંડનો સ્વીકાર કર્યો છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વનડે મેચ ૩ ડિસેમ્બર,…
કેન્દ્રીય મંત્રી સહિત ૮ નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો ED માં ઘટસ્ફોટ.માહિતી અધિકાર કાયદા હેઠળ ૨ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ મળેલા એક જવાબે વહીવટી તંત્રની પોલ ખોલી.લોકશાહીમાં પ્રજાના સેવક ગણાતા નેતાઓ જ નિયમો નેવે મૂકી રહ્યા હોવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાજેતરમાં થયેલા એક RTI રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બિહાર અને કેન્દ્ર સરકારના દિગ્ગજ મંત્રીઓ સહિત કુલ ૮ નેતાઓ ગેરકાયદેસર રીતે પગાર અને પેન્શન બંનેનો લાભ એકસાથે લઈ રહ્યા છે. આ માહિતી સામે આવતા જ રાજકીય ગલિયારામાં ગરમાવો આવી ગયો છે. કાયદાકીય નિષ્ણાતોએ આ કૃત્યને ગંભીર આર્થિક અપરાધ ગણાવ્યો છે, જ્યારે વિપક્ષે સરકારની પારદર્શિતા…
ભારતે શાંઘાઇમાં અદ્યતન કોન્સ્યુલેટ કચેરીનું ઉદઘાટન કર્યું.આ વર્ષે ભારત અને ચીને તેઓની વચ્ચેના ૭૫ વર્ષના દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધોની ઉજવણી કરી હતીભારતે રવિવારે ચીનના મહાકાય શહેર શાઘાંઇ ખાતે અદ્યતન અને આધુનિક સુવિધાઓ ધરાવતી કોન્સ્યુલેટ કચેરીનું ઉદઘાટન કર્યું હતું જે ચીનના મુખ્ય બિઝનેસ કેન્દ્ર ખાતે છેલ્લાં ૩૨ વર્ષમાં તેનું સૌ પ્રથમ રિલોકેશન છે.શાંઘાઇ ખાતે ભારતે કોન્સ્યુલેટ કચેરી શરૂ કરી તે બાબત ચીનના પૂર્વ ક્ષેત્રમાં વધી રહેલા વેપારીઓ અને ઉદ્યોગપતિઓના એક વિશાળ સમુદાયનું એક પ્રતીક છે. ચીનનું યુવી શહેર પણ એક મોટું બિઝનેસ કેન્દ્ર ગણાય છે અને આ શહેરમાં પણ ભારતના વેપારીઓ અને ઉદ્યોગપતિઓની મોટી સંખ્યામાં હાજરી છે. શાંઘાઇના ડાઉનટાઉન ગણાતા ચેંગનિંગ વિસ્તાર…
ટૂંક સમયમાં રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થાય તેવા અણસાર.ગત મહિને અમેરિકાનો ૨૮ પોઈન્ટનો આરંભનો શાંતિ પ્રસ્તાવ લીક થઈ ગયો હતો, જેના કારણે યુરોપના અધિકારીઓમાં ભારે મૂંઝવણ પેદા થઈ હતી.રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિમેલા અને સેવાનિવૃત્ત થઈ રહેલા યુક્રેનના વિશેષ દૂત કીથ કેલોગે કહ્યું છે કે યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા એક સમજૂતિ ખૂબ નજીકના સમયમાં થશે.કેલોગના કહેવા મુજબ, હજુ બે મોટા મુદ્દાઓનો ઉકેલ લાવવાનો બાકી છે. આ બંને મુદ્દામાં – પ્રથમ ડોનબાસનું ભવિષ્ય અને યુરોપના સૌથી મોટા જાેપોરિજ્જિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટનું ભવિષ્ય(જે હાલ રશિયાના કબજામાં) છે. જાે અમે આ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



