- બ્રિટિશ યોટ પર રશિયાનું ચેતવણી ફાયરિંગ, ભારતીય કેપ્ટનની ધરપકડ બાદ તણાવ વધ્યો
- CJI સૂર્યકાંતની વધુ એક ટિપ્પણી વિવાદમાં, સાયબર ફ્રોડ આરોપીને કહ્યું ‘પરજીવી’
- ઈ-ચલણ ન ભરનાર વાહનો બ્લોક થશે, ટ્રાફિક નિયમ ભંગ પર કેન્દ્ર સરકારના કડક નવા નિયમો
- ઓપી રાજભરનો દાવો: સપાના અનેક નેતા ભાજપમાં જવા તૈયાર, તપાસથી નેતાઓ બેચેન
- અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર, કહ્યું—ટક્કર માટે પક્ષમાં બહાદુર ટીમ જરૂરી
- વર્લ્ડ કપ 2026માં ફ્રાન્સની ધમાકેદાર શરૂઆત, સેનેગલને 3-1થી હરાવી એમબાપ્પેનો ડબલ ગોલ
- ક્રૂડ ઓઇલના ભાવમાં 4 દિવસમાં 16%નો કડાકો, ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા વધી
- ગુજરાત SEZની 12 વર્ષની પ્રગતિ પર આઉટરીચ કાર્યક્રમ, નિકાસ ₹4.41 લાખ કરોડથી ₹8.63 લાખ કરોડ સુધી
Author: Garvi Gujarat
અઠવાડિયામાં ૫ દિવસ વર્કિંગ ડે રાખવાની માગણી.કેન્દ્ર સરકારના મૌન બદલ ૨૭ જાન્યુઆરીએ બેન્કોની હડતાળ.રજાના બદલામાં રોજ ૪૦ મિનિટ વધુ કામ કરવા સંમત.બેન્ક કર્મચારીઓ દ્વારા પાંચ દિવસનું કાર્યસપ્તાહ કરવાની માંગણી બાબતે કેન્દ્ર સરકાર છેલ્લા દસ વર્ષથી મૌન સેવી રહી છે. આ વલણના વિરોધમાં આગામી ૨૭મી જાન્યુઆરીએ બેન્ક કર્મચારીઓએ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપ્યું છે. જાેકે બેન્ક મેનેજમેન્ટ આ પ્રસ્તાવ પર સહમત થઈ ગયું છે, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી મંજૂરી ન મળતા કર્મચારીઓમાં રોષ જાેવા મળી રહ્યો છે અને તેના વિરોધમાં આ હડતાલ પાડવામાં આવશે. ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશનના મહામંત્રીના જણાવ્યા અનુસાર, જાે શનિવારે રજા આપવામાં આવે તો બેન્કના કર્મચારીઓ…
એક મંચ પર દેખાયો પવાર પરિવાર.અજિત-સુપ્રિયાએ NCP નો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો.અજિત પવાર અને NCP (SP) ના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં મંચ શેર કર્યો હતો.વર્ષ ૨૦૨૩માં NCP માં થયેલા ભાગલા બાદ પ્રથમ વખત, મહારાષ્ટ્રના નગરપાલિકાની ચૂંટણીમાં અજિત પવાર અને સુપ્રિયા સુલે એક સાથે રાજકીય મંચ પર જાેવા મળ્યા હતા. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નેતૃત્વવાળી NCP અને તેમના કાકા શરદ પવારના નેતૃત્વવાળી NCP (SP) એ શનિવારે પુણે નગર નિગમ માટે સંયુક્ત ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, જેણે રાજ્યના રાજકારણમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. અજિત પવાર અને NCP (SP)ના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં…
ટ્રમ્પે કહ્યું કે, અમે ગ્રીનલૅન્ડના મુદ્દે ચોક્કસપણે પગલાં ભરીશું.ટ્રમ્પના મતે, જાે અમેરિકા ગ્રીનલૅન્ડ પર નિયંત્રણ નહીં મેળવે, તો રશિયા અથવા ચીન તેના પર કબજાે કરી લેશે.ગ્રીનલૅન્ડના મુદ્દે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદને વૈશ્વિક સ્તરે ભારે ચર્ચા જગાવી છે. ટ્રમ્પે મક્કમતાપૂર્વક જણાવ્યું છે કે તેઓ હવે આ મામલે સહેજ પણ પીછેહઠ કરવા તૈયાર નથી. તેમની આ ચેતવણી સ્પષ્ટ સંકેત આપે છે કે ગ્રીનલૅન્ડ પર નિયંત્રણ મેળવવા માટે અમેરિકા કોઈપણ માર્ગ અપનાવી શકે છે-પછી ભલે તે સમજાવટનો હોય કે બળજબરીનો. યુરોપીય દેશોને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે, અમે ગ્રીનલૅન્ડના મુદ્દે ચોક્કસપણે પગલાં ભરીશું, પછી ભલે અન્ય દેશોને તે ગમે કે ન ગમે.…
બાંગ્લાદેશની ઘટના પર બધા મૌન છે, હિન્દુઓના ભાગલા વિનાશનું કારણ બનશે.પ્રયાગરાજમાં સીએમ યોગીએ કહ્યું કે, આજે હિન્દુ સમાજમાં જાતિ, મત અને સંપ્રદાયના નામ પર ભાગલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે, જેમાં લઘુમતીઓ તેનો શિકાર બની રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં ૭ જેટલા હિન્દુઓનો ભોગ લેવાયો છે. ત્યારે હવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે વિપક્ષ પર મોટા પ્રહાર કર્યા છે. પ્રયાગરાજમાં જગદગુરૂ રામાનંદાચાર્યની ૭૨૬મી જયંતિ સમારોહને સંબોધિત કરતા સીએમ યોગીએ કહ્યું કે, આજે હિન્દુ સમાજમાં જાતિ, મત અને સંપ્રદાયના નામ પર ભાગલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે ચેતવણી ભર્યા અંદાજમાં કહ્યું કે, આ…
મહુવા કોર્ટમાં એસઆઈટીએ આરોપીઓના ૭ દિવસના રિમાન્ડ માંગ્યા હતા.બગદાણા વિવાદના આઠેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.એસઆઈટી દ્વારા સમગ્ર કેસની ઉંડાણપૂર્વક તપાસ, તેમજ અત્યાર સુધી તપાસમાં રહેલી ત્રુટીઓ શોધવામાં આવી રહી છે.બગદાણાના કોળી સમાજના યુવક પર હુમલાના બનાવની તપાસ કરવા માટે ગત સોમવારના રોજ રેન્જ આઈજી દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. એસઆઈટીએ હુમલાના આઠેય આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માંગણી ગતરોજ મહુવા કોર્ટમાં કરી હતી. જે બાદ આજે મહુવા કોર્ટ દ્વારા આ બનાવના આઠેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. બીજ તરફ આ કેસમાં ગુનાહિત ષડયંત્ર અને ગેરકાયદે અવરોધની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.બગદાણાના કોળી સમાજના યુવક…
હાથી હજી પણ વનવિભાગની પક્કડમાં ન આવતા લોકોમાં ડર.ઝારખંડમાં હાથીનો તરખાટ : નવ દિવસમાં ૧૯ને મોતને ઘાટ ઉતાર્યા.હાથીએ છ તારીખના હુમલામાં એક જ ગામના સાત લોકોને મોતને ઘાટ ઉતાર્યા, તેમા એક જ કુટુંબના ચારને પટકી-પટકી માર્યા.ચાઈબાસા (ઝારખંડ) : ઝારખંડમાં પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં હાથીએ નવ દિવસમાં ૧૯ને મોતને ઘાટ ઉતાર્યા છે અને હજી પણ આ હાથી વનવિભાગની પક્કડમાં આવ્યો નથી. હાથી ફક્ત હાથી ન રહેતા જાણે સીરિયલ કિલર બની ગયો છે. આના કારણે ઝારખંડ-ઓડિશાની સીમા પર આવેલા બેનીસાગર ગામમાં લોકો ડરના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે. શુક્રવારે જ ગામમાં હાથીના હુમલામાં બેના મોત થયા હતા. પહેલા વાઘ લોહી ચાખી ગયો છે…
દેશનાં ૪૪ ટકા શહેરોમાં હવા પ્રદૂષણ.હવા પ્રદૂષણ અત્યંત જાેખમી, વાહનો, ફેકટરીઓ જવાબદાર: રિપોર્ટ.રિપોર્ટમાં જણાવ્યા મુજબ ૨૦૧૯થી ૨૦૨૪ વચ્ચે દર વર્ષે ૧,૭૮૭ શહેરોમાં પીએમ ૨.૫નું સ્તર નિર્ધારિત મર્યાદાથી વધુ રહ્યું હતું.દેશના ૪૪ ટકા શહેરોમાં લાંબા સમયથી વાયુ પ્રદૂષણનું સ્તર અત્યંત જાેખમી હોવાનું એક રિપોર્ટમાં જણાયું છે. ભારતના લગભગ અડધો અડધ જેટલા શહેરોમાં લાંબા સમયથી લોકો વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (સીઆરઈએ)એ સેટેલાઈટ ડેટાની મદદથી દેશના ૪,૦૪૧ શહેરોમાં સ્ઁ૨.૫ પ્રદૂષણને લઈને સંશોધન કર્યું હતું. આ રિપોર્ટ મુજબ દિલ્હી, ઉત્તર પ્રદેશનું ગાઝિયાબાદ અને મેઘાલયનું બર્નીહાટ દેશના સૌથી પ્રદૂષિત શહેરો જણાયા હતા. આ શહેરોમાં વાયુ…
હવે ૧૪ જાન્યુઆરીએ ચુકાદો આવવાની શક્યતા.ટ્રમ્પની ટેરિફની કાયદેસરતા અંગે ેંજી સુપ્રીમ કોર્ટના ચુકાદામાં વિલંબ.ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમર્જન્સી પાવર એક્ટ , ૧૯૭૭ હેઠળની પ્રેસિડન્ટની સત્તાનો ઉપયોગ કરીને ઘણા દેશો પર ટેરિફ લાદી છે.અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરના દેશો પર લાદેલી ટેરિફની કાયદેસરતા અંગે યુએસ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં વિલંબ થયો છે. અમેરિકાની સર્વાેચ્ચ અદાલત આ હાઇ પ્રોફાઇલ કેસમાં શુક્રવારે ચુકાદો આપવાની હતી, પરંતુ હવે ૧૪ જાન્યુઆરીએ ચુકાદો આપે તેવી શક્યતા છે. આ ચુકાદાથી અમેરિકાના અર્થતંત્ર ઉપરાંત વિશ્વભરના દેશોને અસર થશે.ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમર્જન્સી પાવર એક્ટ , ૧૯૭૭ હેઠળની પ્રેસિડન્ટની સત્તાનો ઉપયોગ કરીને ઘણા દેશો પર ટેરિફ લાદી છે. નેશનલ ઇમર્જન્સીના બહાને ટ્રમ્પને આવી ટેરિફ…
યુઝર્સે સિવિક સેન્સ પર ઉઠાવ્યા સવાલ.‘ધ રાજાસાબ’ ફિલ્મના સ્ક્રીનિંગમાં ફેન્સે લગાવી આગ.સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.બે વર્ષના બ્રેક બાદ પ્રભાસ ફરીથી ફિલ્મી પડદે જાેવા મળ્યો છે. પ્રભાસની ‘ધ રાજાસાબ’ ફિલ્મ થિએેટરમાં રિલીજ થઈ ચૂકી છે. પહેલા દિવસે આ ફિલ્મને પ્રભાસના ફેન્સમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. આ ઉત્સાહ એટલી હદે વધી ગયો હતો કે, ઓડિસાના એક થિયેટરમાં ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન ફેન્સે આગ લગાવી દીધી હતી.ઓડિશાના અશોક થિએટરમાં પ્રભાસની ‘ધ રાજાસાબ’ ફિલ્મનું સ્ક્રીનિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ઓડિયન્સમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. આવા સમયે કેટલાક…
આ એક ફેમિલી કોમેડી-ડ્રામા ફિલ્મ હશે.અનીસ બઝમી દિગ્દર્શિત ફિલ્મમાં અક્ષય ત્રણ હિરોઈન સાથે કામ કરશે.અક્ષય કુમારને ૧૫ વર્ષ પછી કોમેડી ફિલ્મ ‘ખિલાડી’ સાથે જાેડાણ મળ્યું છે. આ અભિનેતા પાસે પહેલેથી જ ઘણી ફિલ્મો છે.અનીસ બઝમી દિગ્દર્શિત ફિલ્મમાં અક્ષય ત્રણ હિરોઈન સાથે કામ કરશેબોલિવૂડના ‘ખિલાડી’, અક્ષય કુમારને ૧૫ વર્ષ પછી કોમેડી ફિલ્મ ‘ખિલાડી’ સાથે જાેડાણ મળ્યું છે. આ અભિનેતા પાસે પહેલેથી જ ઘણી ફિલ્મો છે. આ વર્ષે તેમની ત્રણ ફિલ્મો રિલીઝ થશે. આ યાદીમાં ‘ભૂત બાંગ્લા’, ‘હૈવાન’ અને ‘વેલકમ ટુ ધ જંગલ’નો સમાવેશ થાય છે. પરંતુ આજે, અમે તમને અક્ષય કુમારની આગામી મોટી ફિલ્મ વિશે જણાવીશું, જેમાં તે ત્રણ હિરોઈનોની સામે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



